________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ,
કિંચિત્ માત્ર પણ ત્યજતો નથી. જ્યારે અજ્ઞાની મનુષ્ય દયામાયા-પ્રીતિ જેવી દેવી ભાવનાઓને ભૂલી જઈ અધિકાધિક પાપ–પંકથી ખરડાતું જાય છે.
શિષ્ય-કૃષિને અગ્રપદ આપવાનું કારણ?
સૂર–પૃથ્વીમાંથી પેદા થતી અન્ન-સામગ્રી ઉપર જ સંસારને હોટ આધાર છે એ વાત નવેસરથી કહેવાની જરૂર નથી. જે કૃષિ તરફ છેક ઉપેક્ષા બતાવવામાં આવે તે લોકોને ઉદરનિર્વાહ ચલાવે ભારે થઈ પડે અને તેનું પરિણામ એ આવે કે જગતમાં દુરાચાર–પાપ–અન્યાય અને અત્યાચાર વધી પડે-ભુખ્ય માણસ પાપ કરવામાં પાછું વાળીને જોતો નથી એવી સામાન્ય કહેવત પણ છે. ખેતી વિષેનું જ્ઞાન જ્યારે લેકેને ન હતું ત્યારે તેઓ પશુ-પ્રાણુઓની હિંસા કરતા અચકાતા નહેતા એમ જુના ઇતિહાસ ઉપરથી જણાય છે. જે કૃષિએ લોકોને સાત્વિક પ્રકૃતિવાળા બનાવ્યા છે તે કૃષિને અગ્રપદ આપવામાં શું કંઈ ખોટું છે ? ગાય, ભેંસ, બળદ જેવા પશુઓ પાળવા પડે તે કૃષિ કરનારા સુજ્ઞ ગૃહસ્થોએ હૃદયમાંથી દયાને તિલાંજલી ન આપવી જોઈએ—પશુઓ ભૂખ તરસથી કે
એવી બીજી કોઈ વેદનાથી ન રીબાય તેની સતત્ સાવચેતી રાખવી જોઈએ.
શિષ્ય-કૃષિથી અન્ન પેદા થાય છે એ વાત ખરી પણ ધર્મને અને અન્નને શું સંબંધ?
સૂરિ-ધર્મથી કલ્યાણ થાય છે એ વાત જેટલી સત્ય
For Private And Personal