________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સવાદ.
૮૧
અગ્નિ પણ ઝાંખા પડી જાય છે અને તેમાંથી ચડચડ જેવા ધ્વની મ્હાર આવવા લાગે છે. અગ્નિમાંથી જે વાસ આવે તે પણ મૃત કલેવર જેવી દુર્ગંધ પૂણુ હાય છે. જવાળામાં વિવિધ રંગા દૃષ્ટિગોચર થાય છે.
શિષ્ય—ઝેરવાળી વસ્તુના ધુમાડા મનુષ્યને કેવી અસર કરતા હશે ?
સૂરિ—તેવા ધુમાડાથી માથાના દુખાવા, સળેખમ અને કફ થઇ આવે, આંખમાંથી પાણી ઝરે, મનમાં આકુળ—વ્યાકુળતા ઉદ્ભવે અને શરીર રામાંચિત થઇ જાય.
શિષ્ય—વિવિધ પશુ-પક્ષીઓ ઉપર એવા ઝેરની શી અસર થતી હશે ?
સૂરિ—કાગડા જે વિષમિશ્રિત અન્ન ખાય તો તેને સાદ એસી જાય, વિષવાળા અન્ન ઉપર માખી બેસી શકતી નથી, અને કદાપિ એસે તે તુરતમાં જ મરણ પામે, ભમરાઓ ઝેરવાળુ અન્ન સુધી અધિક ગુંજારવ કરી મૂકે છે, મેના અને પાપટ પણ એવુ અન્ન સુધી કાલાહલ કરી મૂકે છે. ચકેાર પક્ષીનાં નેત્ર ઝેરવાળા અજ્ઞને જોતાંજ સફેદ થઇ જાય છે, કાકીલ પક્ષી મદ્દોન્મત્ત થઇ મરી જાય છે અને ક્રોચ પક્ષી તેજ સમયે મદોન્મત્ત થાય છે, નેાળીયા ઝેરવાળુ અનાજ જોઈ હર્ષથી પ્રફુલ્લિત થઈ જાય છે, મયૂર પક્ષીને પણુ તેમજ થાય છે, ખીલાડો એવી વસ્તુ જોઇ ઉદ્વેગ પામે છે, વાનરા વિષ્ઠા કરે છે, હું સ ચાલતાં ચાલતાં સ્ખલના પામે છે અને કુકડા શબ્દ કરવા લાગે છે.
For Private And Personal