________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૩૩
શિષ્ય—જ્ઞાતીમાં વૈર વિરોધ કેમ વધતા હશે અને તે વેર-વિરાધાનું નિકંદન શીરીતે થાય ?
સૂરિ—મતભેદને લીધે પ્રાયશઃ જ્ઞાતિમાં ભાગ કેતડા પડી જાય છે. મતભેદનુ ઓષધ થઇ શકતું નથી. કારણ કે મતભેદ અનિવાય છે. પણ જો મતભેદને પરિણામે ઉપજનારાં વૈર વિરાધ અટકાવવાં હોય તો ડાહ્યા . મનુષ્યાએ અહુમતીને માન આપી જ્ઞાતીની એકતા જાળવી રાખવી જોઇએ, “ હુજ ખરા, મારૂ ધાર્યું જ થવુ જોઇએ” એવા દુરાગ્રહ રાખવાથી કલેશના મૂળ રોપાય છે. આપણા પ્રમાણિક મત-ભેદો અલખત્ત રજુ કરવા અને જ્ઞાતિ બંધુઓને સમજાવવાના પ્રયત્ન કરવા. પરંતુ ગમે તે ભાગે તે મતભેદને માન મળવું જ જોઇએ અને તેના સ્વીકાર થવા જ જોઇએ એવા આગ્રહ જ્ઞાતિના હિતેષીઆને માટે ચાખ્ય ન ગણાય. હું આગળ જ કહી ગયા કે સમાજમાં રહેનાર પ્રાણીને ઘણી વાર પાતાની ઇચ્છાઓ-મનરથા અને યાજનાના સંબ ંધમાં સ ંયમિત થવું પડે છે. આવા મત-ભેદના પ્રસંગમાં પણ સંયમ-શાંતિ અને ધીરતાથી કામ લેવુ એ શ્રેયસ્કર છે. વેર–વિરોધની આગાહી થતાંજ કેટલાક ડાહ્યા ગણાતા પુરૂષા જ્ઞાતીની આગેવાનીમાંથી ખસી જાય છે, એ પણ ઇચ્છવા યાગ્ય નથી. સુજ્ઞ મનુષ્યે સર્વ શુભ કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લેવા અમુક જોખમે પણ તૈયાર રહેવું જોઇએ. જો આવા ભાગ નિસ્પૃહતા પૂર્વક અને સેવાની ભાવનાથી લેવાય તે તો ઘણુ જ ઉત્તમ ગણાય. કપટતા વાળી નિસ્પૃહતા બતાવનાર મનુષ્ય પણ જો પેાતાના ઉદ્દેશા ભલી રીતે પાર પાડે છે, તે
For Private And Personal