________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૧૦
વિવેક વિલાસ. ચેરને જીવ બહાર શી રીતે નીકળ્યો? તેમજ તેના શરીરે બીજા કૃમિરૂપ જીવ પડ્યા હતા તે શી રીતે અંદર પેઠા?” આને અસરકારક ઉત્તર એવી રીતે વાળવામાં આવે છે કે કેઠીમાં ચાર હવે તેણે જ્યારે શંખ વનિ કર્યો ત્યારે તે અવાજ બહાર શી રીતે નીકળ્યો? બીજો પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે અગ્નિ તે આકારવાળે છે; છતાં તે લોઢાના ધગધગતા ગાળામાં શી રીતે દાખલ થઈ જાય છે? જે સાકાર વસ્તુ અન્ય વસ્તુમાં પેસી અને નીકળી જઈ શકે છે તે જીવરૂપ નિરાકાર પદાર્થ કેડીમાંથી હાર નીકળે અને અંદર દાખલ થાય એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?” આ ઉત્તર સાંભળી નાસ્તિકે જીવનું અસ્તિત્વ માનવાને તૈયાર થઈ જાય છે. - શિષ્ય–જીવનું અસ્તિત્વ હોય તે પછી તે દેખાતે કેમ નથી? એ પ્રશ્ન તે ઉદ્ભવ જ જોઈએ.
સૂરિ—નાસ્તિકની એ શંકાનું સમાધાન પણ બહુ. સુંદર રીતે કરવામાં આવ્યું છે. અરણું વૃક્ષમાં અદશ્ય રૂપે અગ્નિ રહેલું હોય છે એમ સૌ કે સ્વીકારે છે પરંતુ તે વૃક્ષના કટકે કટકા કરી નાખીએ તે પણ અંદર રહેલા સાકાર અગ્નિ નજરે પડતું નથી. જે સાકાર વસ્તુ પણ નથી પ્રત્યક્ષ થઈ શકતી તે પછી જીવને સ્થળ દ્રષ્ટિથી નીહાળ્યા પછી જ તેને સ્વીકાર કરે એ કદાગ્રહ નહીં તે બીજું શું કહેવાય?
શિષ્ય-નાસ્તિકે આ સ્થળે ત્રીજો પ્રશ્ન એ કરે કે ભલે જીવ પ્રત્યક્ષપણે ન દેખાય, પણ તેને તેલ તે થે
For Private And Personal