Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 450
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir વિવેક વિલાસ. રિ–કર્મથી વીંટળાયેલા જીવને પંડિત સંસાર કહે છે, કર્મથી મુક્ત થએલા જીવને મોક્ષ કહે છે. એ જીવ જ કર્મ કરોને રહિત થાય અને કેવળજ્ઞાનથી સૂર્ય સમાન પ્રકાશી, લેક તથા અલકને જાણે તે કેવળી ગણાય, તેમને સર્વગામી પણ કહી શકાય. જીવ શુભાશુભ કર્મને અત્યંત ક્ષય થવાથી જ્યારે એકાકી થાય છે ત્યારે તેજ જીવ શૂન્ય પણ કહેવાય છે. શિષ્ય–ત્યારે ધ્યાન કેવા આત્માનું કરવું? સૂરિ–ડાહ્યા પુરૂષે ત્રણ લિંગથી મુકાએલા, સિદ્ધ, એક, નિરંજન, નિરાકાર એવા આત્માનું ધ્યાન કરવું. એવા આત્મ ધ્યાનથી ઇંદ્રિયે વશીભૂત થાય છે, શરીર હળવું થાય છે, કેમળતા ઉત્પન્ન થાય છે, મન-વચન અને કાયા પરમ પ્રસન્ન રહે છે, ચેતનાને ઉદય થાય છે, સુધા, મત્સર, કામવિકાર, અહંકાર, કપટ, ભય, ક્રોધ, નિદ્રા અને લેભ ઇત્યાદિક વિકારને નાકા થાય છે. શિષ્ય-ધ્યાનાવસ્થામાં રહેલો જીવ હારથી કે દેખાય? સૂરિ–અભ્યાસથી ધ્યાનમાં તલ્લીન થએલા અને પરમાત્માનાં દર્શનથી આનંદ પામેલે જીવ જાગૃત હોય છે. પણ સૂતેલાની પેઠે નિશ્ચય દેખાય છે. વિવેકી પુરૂષોએ મન-વચનકાયાથી આરંભ–સમારંભ વઈ, સર્વત્ર ઉદાસીનપણે વત્તી નિશ્ચળ રહેવાને પ્રયત્ન કરે જોઈએ. કેટલાકે એ પ્રશ્ન કરે છે કે પુણ્યના અર્થે પણ શું આરંભ ન કરે? મુક્તિની અભિલાષા રાખનારાઓ એવા પ્રયત્ન કરવા ઈચ્છતા નથી. For Private And Personal

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467