________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫૬
વિવેક વિલાસ.
બહુ સારૂ નિવડે, રાજા–પ્રજા ઉભયને હિતકારી થાય. જે તે દિવસે ચંદ્ર સ્વરમાં જળ તત્વ જણાય તે વર્ષ ઘણુંજ સારું થાય તથા અન્ન તેમજ ધર્મની અતિશય વૃદ્ધિ થાય, સઘળે પ્રકારે આનંદ-મંગળ વ. જે તે દિવસે પ્રાત:કાળે સૂર્યાસ્વરમાં પૃથિવી અથવા જળતત્તવ ચાલતું હોય તે વર્ષ મધ્યમ પ્રકારનું સમજવું, અથોત સાધારણ ફળ મળે. જે તે દીવસે પ્રાતઃકાળમાં ચંદ્ર સ્વરમાં અથવા સૂર્યસ્વરમાં અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણે તો ચાલતાં હોય તે મેષ-સંકાન્તિની માફક જ ફળ સમજી લેવું. અર્થાત્ સૂર્યસ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે પ્રજામાં રેગ–શેક ઉદ્ભવે, દુર્લિક્ષ પડે, રાજાના ચિત્તમાં ચેન ન રહે. સૂર્યસ્વરમાં વાયુ તત્વ ચાલતું હોય તે રાજ્યમાં લડાઈ-બખેડા થાય, વૃષ્ટિ ઓછી પડે તથા જે સૂર્ય સ્વરમાં સુષુમ્મા ચાલતી હોય તે પિતાનું મૃત્યુ થાય, છત્ર ભંગને પ્રસંગ આવે અને કેઈ સ્થળે ઘાસ ચારે થાય ને કઈ સ્થળે દુષ્કાળ પડે. તે ઉપરાંત એક ત્રીજી રીત પણ વર્ષફળ જાણવાની છે. જે માઘ શુદિ સપ્તમીએ અથવા અક્ષય તૃતીયાના દિવસે પ્રાતઃ કાળમાં ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્વ અથવા જળ તત્ત્વ ચાલતું લાગે તે પૂર્વે કહ્યું તે પ્રમાણે તેનું ફળ શ્રેષ્ઠ સમજવું; જે તેજ દિવસે તેજ સમયે અગ્નિ આદિ ત્રણે તત્વે ચાલતાં હોય તે તેનું ફળ નિકૃષ્ટ પ્રકારનું સમજવું. જે તેજ દિવસે તેજ સમયે સૂર્ય સ્વરમાં પૃથ્વી તત્ત્વ અને જળ તત્વ ચાલતું હોય તે સાધારણ ફળ
For Private And Personal