________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. એક કન્યાના બદલામાં કાંઈક ધન કે દેલત લેવામાં આવે એથી લગ્નસંસ્કાર કેવી રીતે કલંકિત થાય?
સરિ–તમારે પ્રશ્ન ઉપર ઉપરથી જોતાં મહત્વને લાગે છે પણ ઉંડા ઉતરીને તપાસતાં જણાશે કે તમારે પ્રશ્ન અલ્પજ્ઞતામાંથી જ ઉદ્ભવ્યો છે. પહેલી વાત તે એ છે કે લગ્નની સાથે જ્યારે દ્રબ્યુલભ અથવા કામવાસના જોડાય ત્યારે એ પવિત્ર સંસ્કાર પણ રાક્ષસી સ્વરૂપ ધારણ કરે છે. ધન લેવા છતાં સ્ત્રી-પુરૂષ લગ્નની ગ્રંથી વડે જોડાય છે એ તે પ્રગટ જ છે, પરંત કામ-લેભની વાસનાઓ એવી દષ્ટ હોય છે કે તેના સ્પર્શ માત્રથી અમૃત પણ વિષરૂપ બની જાય છે.
શિષ્ય–લગ્નની પાછળ કેટલીકવાર માત પિતાઓને ધનલેભ રહેલો હોય છે તેમજ વૃદ્ધ પુરૂષની કામવાસના પણ રહેલી હોય છે; પરંતુ એથી લગ્નસંસ્કાર રાક્ષસી સ્વરૂપ કેમ લે છે તે વાત તે રહી જ જાય છે.
સરિ–શાસ્ત્રમાં તૂરી ભેરીના નાદ સાથે એમ કહેવામાં આવ્યું છે કે “જેનું શરીર,શીળ, કુળ, ધન, વય અને વિદ્યા એ છે વાના સારાં હોય, તથા જેને માથે વડીલ માણસે હોય તેને પિતાની કન્યા આપવી. હવે જે કન્યાના માત-પિતા ધનભમાં આંધળા બની જાય તેમજ જે સામા પક્ષવાળા રૂપ કે કામમોહમાં અંધ બની જાય તો પછી કુળ, શીલ, વય વિગેરે કેણું અને કેવી રીતે તપાસી શકે? લગ્નના આવા પ્રાથમિક નિયમનું ઉલંઘન થાય તેને કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય લગ્ન કહી શકે નહી.
For Private And Personal