________________
શાસનપ્રભાવક
પંડિત શ્રી મુકુંદ ઝા પાસે વ્યાકરણ અને સાહિત્યને અભ્યાસ કર્યો. પૂ. ગુરુભગવંત પાસે આગમનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું. ઉપરાંત, જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રને પણ સર્વાગી અભ્યાસ કર્યો. અધ્યયન સાથે ગુરુસેવાનો આદર્શ આત્મસાત કર્યો હતો, તેથી ઉદયનંદનની જેડી ગુરુસેવાના દષ્ટાંતરૂપ બની રહી. તેઓશ્રીની વિદ્વત્તા પારખીને સં. ૧૯૮૦માં ૫. શાસનસમ્રાટશ્રીએ પંન્યાસપદવીથી અલંકૃત કર્યા. આ પ્રસંગે સાક્ષર શ્રી આનંદશંકર ધ્રુવ અને મહાકવિશ્રી નન્હાનાલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવિધાનથી પ્રભાવિત થયા હતા.
અજોડ વિદ્વત્તા ઃ તેઓશ્રીની વિદ્વત્તાથી સર્વ પ્રભાવિત થતા. પૂજ્યશ્રી છએ દર્શનનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. જેનસમાજના અગ્રગણ્ય પંડિત–પંડિત શ્રી બહેચરદાસ દોશી, પં. ભગવાનદાસ, પં. હીરાભાઈ તથા પં. સુખલાલજી જેવા પણ એમની પાસે ચર્ચા માટે આવતા. તે સમયના ખંભાતના નવાબી રાજ્યના પોલીસ સુપ્રિટેન્ડન્ટ શ્રી બાપટ સાહેબ પણ કલાક સુધી રેજ વેદાંતચર્ચા કરતા. એવી જ રીતે, જોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત જ્યોતિષાચાર્ય શ્રી ગિરજાશંકર મયાશંકર તે તેઓશ્રીને ગુરુ તરીકે જ માનતા હતા. પૂજ્યશ્રીની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ અજોડ હતી જેને લીધે અનેક શાસનપ્રભાવનાનાં કાર્યોમાં તેઓશ્રીને સુપરિણામગામી સુયશ પ્રાપ્ત થયે. સં. ૧૯૯૦માં અમદાવાદમાં ભરાયેલ શ્રી રાજનગર જેન છે. મૂ, જૈનમુનિ સંમેલનમાં જરૂરી વિષયે અંગે નિર્ણય કરવા સમિતિ નીમી હતી. તે સમિતિના ૧૧ વિષય વિશેના નિર્ણયને ચકાસવા માટે ચાર મુનિવરને નીમવામાં આવ્યા હતા, તેમાં આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી વિજ્યાનંદનસૂરિજી પણ હતા. શ્રી વીર પરમાત્માની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દી સમયે જાગેલા વાદ-વિવાદ અને વિરોધ–વંટોળમાં તેઓશ્રીની કુશાગ્ર બુદ્ધિશક્તિથી જ એ મહામહત્સવ નિવિદને પાર પડ્યો હતે. એવી જ રીતે, સં. ૨૦૩૨માં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર નવનિર્મિત બાવન જિનાલયનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગોમાં તેમનું માર્ગદર્શન જ સર્વમાન્ય રહ્યું હતું.
આચાર્યપદાલંકૃત : અપૂર્વ વિદ્વત્તાથી આકર્ષાઈને દસમે વર્ષે પંન્યાસપદથી વિભૂષિત કર્યા અને શાસનસેવાના અદમ્ય ઉત્સાહનાં દર્શન થતાં, તેમનાથી પ્રભાવિત થઈને દીક્ષાના તેરમે વર્ષે તે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૧૯૮૩માં રાજનગરના અગ્રણી શેઠશ્રી જમનાદાસ ભગુભાઈના આત્મશ્રેયાર્થે એમનાં ધર્મપત્ની માણેકબહેને પિતાના બંગલે માટે ખર્ચ કરીને ૫૧ છોડનું ભવ્ય ઉજમણું કર્યું હતું. તે પ્રસંગે પૂ. શાસનસમ્રાટશ્રીએ રાજનગરના સંઘની વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રીને આચાર્યપદથી વિભૂષિત કર્યા, અને ચાર બિરુદથી નવાજ્યા. આ પ્રસંગે ધ્રાંગધ્રાના મહાઅમાત્મા શ્રી માનસિંહજીએ હાજર રહીને આચાર્યશ્રીને કામળી ઓઢાડી સન્માન્યા હતા. ૨૮ વર્ષની નાની વયે આચાર્યપદ આપવામાં આવ્યું તેથી જેનસમાજમાં ઊહાપોહ થઈ ગયું હતું. એમાં વિદ્યાશાળા અગ્રેસર હતી. તેના અગ્રણી શેઠ શ્રી મેહનભાઈ ગેકુલભાઈની વિનંતીથી આ નૂતન આચાર્યશ્રી ત્યાં વ્યાખ્યાન આપવા ગયા. અને એ અપૂર્વ પ્રભાવ પડ્યો કે વિરોધ કરનારે રોતાવર્ગ દિમૂઢ બનીને સાંભળી રહ્યો. એટલું જ નહિ, એક મારવાડી ગૃહસ્થ તે પિતાની પાસેના તમામ રૂપિયા સભામાં ઉછાળીને આચાર્યશ્રી પ્રત્યે પૂજ્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org