________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ.
.
अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषो नि:स्वा, दुःखिता नात्र संशयः ॥९॥
જે માણસોના હાથનું તલીયું રેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાનું હોય, તે માણસો અલ્પ આયુષ્યવાલા નિર્ધન અને દુઃખી હોય છે; તેમાં સંશય નથી.
જેના હાથનું તલીયું લાલ હોય તે ધનવાનું હોય, લીલું હોય તે દારૂડીયો હોય, પીલું હોય તે પરસ્ત્રીલંપટ હોય, અને કાલું - મલીન હોય તે નિર્ધન હોય. પુરુષનો હાથ કઠણ હોય તો સારું, પણ તે કઠિનતા મજુરીમહેનત કરવાથી ન થયેલી જોઈએ, સ્વાભાવિક હોવી જોઈએ. સ્ત્રીનો હાથ સુકોમલ હોય તો સારું. પુરુષનો જમણો હાથ જોવો, અને સ્ત્રીનો ડાબો હાથ જવો. જેના હાથનું તળીયું ઉંચું હોય તે દાતાર હોય, ઊંડું હોય તે નિર્ધન હોય, વાટકા જેવું ગોલ તથા ઊંડું હોય તો ધનવંત હોય, હાથની આંગળીઓ પાતલી અને સીધી હોય તો સારું.
अनामिकाऽन्त्यरेखाया:, कनिष्ठा स्याद् यदाऽधिका । धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तथा ॥११॥
જે પુરુષોની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી વધતી-મોટી હોય તેઓને ધનની વૃદ્ધિ થાય, વળી મોસાળ પક્ષ મોટો હોય.
૧. ટચલી આંગળીની પાસેની આંગળીને અનામિકા કહે છે.
For Private and Personal Use Only