________________ - 40 આગળ પડવાના ગુણ આવ્યા; અને પરદેશીઓના રીતરિવાજનું અનુકરણ કરવાની તેમને ટેવ પડી. મૂળ સંખ્યામાં ડા; વળી ધર્મની એકતા અને પરદેશીઓની વચમાં રહેવું, એટલે તેમનામાં સંપ રહે. હિંદુ સમયમાં તેઓ હિંદુ આચાર વિચાર માન રાખતા, અને હિંદુ પહેરવેશ પણ તેઓ પહેરતા. સુરત તરફ કોઈ પારસી ગૃહસ્થ સ્વામીનારાયણનો પથ સ્વીકાર્યાનું પણ સાંભળ્યું છે. તાત્પર્ય કે સમયને વત ચાલવામાં ચતુર અને ઉગતા જમાનાનાં ચિહ્નને ઝડપી લેવામાં કુશળ પારસી કોમે યુરેપીઅન રીતરિવાજનું ઘણું અનુકરણ કરી લીધું છે. પારસી ભાઈઓ યુરોપીઅને પિશાક પહેરવા લાગ્યા છે, અને યુરોપીઅને સાથે ખાવા પીવામાં તેમને વાંધો નથી. પારસી બહેને અંગ્રેજી કેળવણી લે છે; , મોટી ઉમરે પરણે છે: હરવા ફરવાની તેમને છૂટ છે, અને લાજ, પડદે ઇત્યાદિ રિવાજ તેમનામાં નથી. તેમનામાં જ્ઞાતિબંધન નથી, બાળલગ્ન નથી, અને પુનર્વિવાહની છૂટ છે. પરંતુ તેમની રહેવાની રીતભાતથી તેમને ખરચ વધી ગયો છે, અને તેથી લગ્નને પ્રશ્ન તેમનામાં બહુ ચર્ચાય છે. વળી તેમનો સંસાર અદરખાને સારો રો નથી એવા ધ્વનિ પણ આપણે છાપામાં સાંભળીએ છીએ. મતલબ કે પારસી ભાઈઓએ પાશ્ચાત્ય રીત રિવાજનું અનુકરણ કરવાને અખતરે આપણુ સમક્ષ કરી જોયો છે એમ સમજી, તે સુધારે કેટલે અંશે આપણે સ્વીકારે છે તે પણ તેમના દાખલાથી આપણે શીખવાનું છે. પાશ્ચાત્ય સુધારાની વિરૂદ્ધ અમે બોલીએ છીએ એમ સમજવાની ભૂલ વાંચનારે કરવી નહિ; પણ સમજીને, વિચાર કરીને આપણે આગળ વધવું છે એ વાત વિસ્મૃત કરવા જેવી નથી. * છેવટે, ન્યાયી બ્રિટિશ સલ્તનતમાં આપણું ઉદયની આશાનાં કિરણે ક્ષિતિજમાં દેખાવા લાગ્યાં છે; અને સમય જતાં આપણી આશાઓ ફળીભૂત થશેજ. પરંતુ તે સફળતાને યોગ્ય થવા આપણું ચારિત્ર્ય આપણે અવશ્ય નમુનેદાર બનાવવું જોઈએ; અને તેમ કરવાનું આપણું કર્તવ્ય છે એ વાત નિરંતર લક્ષમાં રાખવાની છે.