________________ 39 નહ. આપણું ચારિત્ર્યને ઉચ્ચ અને ઉન્નત કરવું હોય તે આ બાબત ધ્યાનમાં લેવાની બહુ જરૂર છે. સુધારા કરવા જ્યાં ઈષ્ટ લાગે છે, ત્યાં પણ પેહેલ કરવાની હિંમત નથી. કૃત્રિમ સુધારો કઈ પણ રીતે આદરણય નથી. સમાજના વિચારે બદલાઈ સુધારો થશે આવશ્યક છે એવી પ્રબળ લાગણી જ્યાં સુધી લોકોમાં ઉભી થાય નહિ ત્યાં સુધી સુધારે ખરા સ્વરૂપે આગળ વધી શકતો નથી. કેવળ બાહ્યાનુકરણથી ફાયદો નથી. એક નાનું પણ નિર્દોષ દષ્ટાંત લઈએ. આપણી નિશાળમાં પ્રથમ સવારને અને બપોર પછી સાંજને ટાઈમ હતો. હવે તે અગીઆરથી પાંચનો થયો છે. આ ફેરફાર આપણા જેવા ગરમ દેશમાં લાભદાયક નથી. અન્ય રૂપે મુંબઈ યુનિવરસિટિએ પણ હવે આ વાત સ્વીકારી છે. અર્થાત કોઈ પણ સુધારો કે ફેરફાર સમાજના હૃદયમાંથીજ ઉભો થવો જોઈએ, અને એ ઉદ્દેશે લેક વિચારને બરાબર કેળવે જોઈએ. નવાની હિમાયત કરવા પહેલાં જૂનું બરાબર તપાસી તેમાં જે ફેરફાર કરે ઉચિત લાગે તે કરવામાં જ શ્રેય છે. દેશની સામાજીક સ્થિતિ પર નજર નાખીએ છીએ તો અનેક મતમતાંતર અને ધર્મો પ્રવર્તી રહ્યાં છે. અનેક નાત, પેટાનાતો અને તેમાં પણ જૂદાં જુદાં તડ ગામે ગામ જોવામાં આવે છે. અને તેથી અનેક અડચણે અને મુસીબતો ખમવી પડે છે. સ્વાર્થ વૃત્તિને લીધે કુસંપ અને ઈર્યા વધતાં સંપ અને સદ્દભાવ રહેતાં નથી. ઉપલક ઉપચાર થવા લાગ્યા છે, પણ રોગને મૂળમાંથી ડાંભવાના ઉપાય યોજાતા નથી. જોકે, મલે, વીમા કંપનીઓ ઈત્યાદિ થવા લાગ્યાં છે, પણ હજી વ્યવસ્થા અને ચારિયમાં ઉચ્ચાશયતાની જરૂર છે. હિંદુસ્તાનમાં ઘણી કોમ વસે છે, પણ તેમાં પારસી ભાઈઓએ પાશ્ચાત્ય સુધારાનું વધારેમાં વધારે અનુકરણ કર્યું છે. તેમના મૂળ વતન ઇરાનને મામલે ફરી જતાં એ કામ ઈસવીસનના આઠમા સૈકામાં હિંદુસ્તાનમાં આવી પ્રથમ સુરત તરફ વસી. આમ વિદેશીય સંજોગોમાં પિતાને