________________ 38 પોતાને ડાહ્યા અને સમજુ માને છે. આ ચિત્ર કદાચ અતિશયોક્તિવાળું લાગશે, પણ બારીક અવલોકન કરનારને તેની સત્યતા સમજાયાવિના નહિ રહે. ઉન્નતિના ક્રમમાં વ્યક્તિવાદને પણ સમાસ છે; પણ તેનાથી વેળાસર ચેતી જવું જોઈએ એટલુંજ અત્ર તાત્પર્ય છે. નીતિની બાબતમાં જોઈએ છીએ તે એકંદરે વર્તણુકમાં સભ્યતા વધી છે, પણ નિખાલસપણું ઓછું થયું છે. સ્પષ્ટ વક્તતા ઘટી છે અને સફાઈ વધી છે. નાની નાની બાબતોમાં પણ માણસને મહે સત્ય કહેતાં આપણે કરીએ છીએ-આંચકે ખાઈએ છીએ. તેથી ચશ્નપશી અને ઢાંકપીછોડો વધ્યાં છે, અને આચરણમાં કૃત્રિમતા આવી છે. દરેક બાબતમાં આપણે શું કામ કાંઈ કહેવું જોઈએ’ એજ વાત આગળ મૂકાય છે. લેકી પિતે ગ્રંથમાં કહે છે કે સુધારે વધતાં મોટા ગુના ઉપર અંકુશ મેલાતો જાય છે, પણ નાની નાની અનેક બાબતોમાં દંભ અને કૃત્રિમતા સિતાં જાય છે. અંગ્રેજીમાં જેને સભ્ય ( Gentleman) કહે છે તેનું અનુકરણ કરતાં આ પરિણામ આવ્યું હોય એમ લાગે છે. કદાચ અનેક રાજ્ય પરિવર્તતેને લીધે સાચું બોલતાં અટકી જવાની અને તે મનમાં દબાવી દેવાની ટેવ આપણને પડી ગઈ હશે. વળી હાલના સમયમાં પોલિસ કોર્ટમાં સાક્ષી પૂરવા જતાં બહુ હેરાન થવું પડે છે તેથી પણ માણસો આંખ આડા કાન કરતાં થયાં હશે, આ વાત અત્યારે બંગાળાની સરકાર અનુભવવા લાગી છે, અને ગુના પકડવામાં તેની સહાય માગવામાં તે તદન વાજબી છે. પણ નીતિની કેળવણી એકદેશી હોઈ શકતી નથી અને થઈ શકતી પણ નથી એ વાત પણ લક્ષમાં રાખવા જેવી છે. એકંદરે આખું શરીર સારી રીતે કેળવાય તેજ પ્રત્યેક અવયવ સારી રીતે પિત પિતાનું કામ કરી શકે છે એવા કુદરતી નિયમ છે. તેથી સત્ય બોલવાની ટેવ એકંદરે બધી બાબતમાં કેળવાવી જોઈએ. વળી અધુરામાં પૂરું છાતીચલે કે સાધનમાં પહોંચતો માણસ આબરૂને દાવે માંડવાની બીક દેખાડે છે. આ સઘળાનું એકંદર પરિણામ એ આવ્યું છે કે નૈતિક હિંમત અને જુસ્સે લેપપામતાં જાય છે અને સ્વાર્થી માણસો હિંમતવાન બની સજજનોને વધારે વધારે છેડતા જાય છે. સાર્વજનિક અભિપ્રાય મજબુત હોય તે આમ બને