________________ જે પ્રજાને હાશ કરીને બેસવાને વારે આવ્યો નહોતે તે પ્રજા હવે ખ્રિટિશ અમલના શાંતિદાયક સમયમાં સુખ ચેનની મીઠી નિદ્રાનું પરમ સુખ લેવા લાગી, અને કેશવકૃતિના ગાનારને “હિન્દુપણું જાય હાલ્યું’ એવો પિકાર તેમના કાનમાં નાખવાની જરૂર લાગી. પણ હિન્દુપણું હાલ્યું તે હાલ્યું તેને રોકી રાખવાનું સામર્થ્ય હવે કાઈનામાં રહ્યું હોય એમ લાગતું નથી. મેક્ષમૂલર કહે છે કે હિન્દની પ્રજામાં આળસુ અને એદી થઈ જવાનું વલણ છે; આ વાત સાચી લાગે છે. હિન્દને વેપાર માત્ર પશ્ચિમવાસીઓના હાથમાં ગયો છે, અને જે હિન્દ પ્રથમ પિતાની કારીગીરીને માટે આખી દુનિયામાં પંકાતું હતું તેજ હિન્દમાંથી કાચો માલ ખરીદાઈ પરદેશ ચડે છે અને અન્યરૂપે પાછો હિન્દમાંજ દશગણું વિશગણી કીંમતે વેચાય છે. આ બાબતમાં હિન્દ હવે છેલ્લા દશકામાં ઘણું જાગ્રત થયું છે. એક વિદ્વાન કહે છે કે આર્થિક ફેરફારથી સુધારા એની મેળે થાય છે, આ વાત પણ હિન્દના સંબંધમાં અજાબ રીતે સાચી નીવડી છે. પચ્ચીસ વર્ષમાં આપણા આચાર વિચારમાં કેટલે ફેર પડી ગયો છે ! ! રેલવે, આગટ ઇત્યાદિથી આભડછેટ ઓછી થઈ ગઈ છે; અને નાત જાતના બંધ શિથિલ થઈ ગયા છે. મોંઘવારીથી નાતવરા ઓછા થઈ ગયા છે, અને વખત જતાં તેમાં હજી પણ બહુ ફેરફાર થશે. મિશ્રલનો થવા લાગ્યાં છે અને ધર્મનો છેહ ઓછો થયો છે. બાળલગ્નો બહુ ઓછાં થઈ ગયાં છે, અને જો કે હજી વિધવાઓના પુનર્લગ્નને રિવાજ નિયમ તરીકે સ્વીકાર પામ્યો નથી, તથા૫ અન્યરૂપે પુનર્લગ્ન ઘણું થવા લાગ્યાં છે. એકંદરે સ્ત્રીઓને વધારે છૂટ મળતી જાય છે, રહેણીમાં સુખચેનનું ધોરણ ઉંચુ થતું જાય છે, અને તેથી કૂળવાન અકૂળવાનના જૂના વિચાર ઘસાતા જાય છે. અંગ્રેજી કેળવણીનો પ્રભાવજ એ છે કે ગ્રેજ્યુએટ થતાં માણસ ઘણાખરા જૂના વિચારોને એની મેળેજ મૂકી દે છે. પરંતુ સાથે સાથે શરીર સંપત્તિ ક્ષીણ થતી જાય છે, અને હાલના