________________
માર્ગદર્શક મિત્રનું પુનર્મિલન
બીજાને શુદ્ધ બનાવવાને લાયક થાય છે-જે એનું કર્તવ્ય છે-જે એને ધર્મ છે તે બજાવવા એ શક્તિશાળી બને છે. .
બહેચરદાસના જીવને પણ કલ્યાણમાર્ગ લીધ–કાશી જવાને. શેઠ વીરચંદ દીપચંદની ભલામણ ચિઠ્ઠી લઈ પોતાના એક પિછાનવાળા યુવક મણિલાલ ન્યાલચંદની સાથે અભ્યાસને નિર્ણય કરી એમણે બનારસનો માર્ગ લીધો.
આ નવયુવાનના મનમાં સંકોચ થતઃ “મારા જેવો અરઢ ઓગણીસ વર્ષનો યુવાન સંસ્કૃત ભણવા જાય છે તે જરૂર હાંસીને પાત્ર થશે. ત્યાં તો નાના નાના છોકરાઓ એ દેવભાષા ભણી રહ્યા હશે એમની વચમાં હું આટલે મેટે કે દેખાઈશ?'
અને આ વિચાર આવતાં હૈયામાં મુંઝવણ ઊભી થતી અને એવા અનેક વિચારને રમણે ચડતાં બંને મિત્ર પવિત્ર ગંગાજીને કિનારે આવેલા તીર્થધામ કાશીમાં આવી પહોંચ્યા.
એમને માટે લાંબી મુસાફરીને એ પ્રથમ જ પ્રસંગ હતો છતાં આપણામાં કહેવત છે કે અનુભવ એ માટે શિક્ષક છે. એમને પણ આ પ્રવાસ દરમિયાન ઘણી ઘણી જાતના અનુભવો થયા.
કાશીની ધરતી ઉપર પગ મૂકતા બંને મિત્રોને ખૂબ આનંદ થયો. બહેચરદાસને લાગ્યું કે હવે મારું જીવન સાર્થક થશે. વિદ્યાવ્યાસંગની મારી અભિલાષાઓ અહીં જ પરીપૂર્ણ થશે.
અને કાશીમાં તે એમણે પોતાનાથી પણ ચાર આંગળ ઊંચા કદના વિદ્યાર્થીઓને દીઠા એટલે એમના મનને સંકોચ દૂર થયો.
- દીવડે દીવો પ્રગટે છે એમ સાચા ગુરૂના સમાગમથી આત્માને ઉત્કર્ષ સાધી શકાય છે. બહેચરદાસને અહીંથી જ સાચા ગુરૂજીનું