________________
ખડ ૯ મા
૩૫૪
ગામમાં પચીસેક જેતેાનાં ઘર છે.
આ ગામડામાં ન મળે વૈદ્ય કે દાક્તર; ન મળે અજાર કે ચેક. એક જગાએ ઊભા રહીને સાદ પાડે। તે આખું ગામ એ સાંભળી શકે. આખા ગામને માટે પાણીનું સાધન એક માત્ર તળાવ. તે ગરમીમાં સૂકાઇ જાય. ગામથી મહાર જવું હોય તે માટે પડે.
પણ નાનું અને પહાડ ઉતરવા
આ નાનકડા ગામમાં પ્રવૃત્તિ પણ શી થાય ? સવારમાં મુનિરાજનું પ્રવચન ચાલતું પણ એ સાંભળવા ભાગ્યે જ આઠ દસ માણસા આવતા.
એક તેા મૂળે નાનકડું ગામ અને તેમાં અભણ પ્રજા. મજલનું ચાતુ*સ તા મુનિરાજે શારીરિક આરેાગ્ય માટેસ્વીકાયુ હતુ. પણ મુનિરાજને અહીં પણ આરામથી બેસી રહેવું મુનાસીબ ન લાગ્યુ. એમણે મારી કચ્છ યાત્રા ' નામને ગ્રંથ લખવાની અહીં શરૂઆત કરી.
6
"
મુનિરાજે પોતાના ગુરૂદેવ વિજયધમ`સૂરિ મહારાજની ૧૯ મી જયંતી અહીં ઉજવવાનું નકકી કર્યું". પણ આ નાનકડા ગામમાં જયંતીને કાર્યક્રમ શે। રાખવા એ પ્રશ્ન ઉદ્દભવ્યા.
અહીંના વતની શેઠ લાલચંદના એ પુત્રો જીવરાજ અને લખમીચંદ મુંબઈથી આ અરસામાં આવ્યા હતા. તેએ ઉત્સાહી અને ચમરાક હાઇ આજકાલની પધ્ધતિ પ્રમાણે સભાઓ ભરવાના અનુભવી હતા..
મજલની સામે જ દેખાતા નારાયણપુરના અગ્રેસરે લાલજીભાઇ ઠાકરસી, મીઠુ પટેલ રંગૂનથી તાજા જ આવેલા. ત્યાંની વદ્યા મંડળીના કાર્યકર્તા લીલાધર તથા તેમના મિત્ર