________________
પરિશિષ્ટ ૩ મું
૪૮૧
આ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલોકન” અને રચનાત્મક કંઈક યોજના ઉપસ્થિત કરું તે પહેલાં હમણાં જ થઈ ગયેલા મુનિસમેલન” અને તે પછીની પ્રવૃત્તિ સંબંધી કંઈક સિંહાલેકન કરું. આ “સિંહાવલોકન” મારા ઉપયુક્ત ઉદ્દેશની સાથે સંબંધ રાખે છે. “મુનિસંમેલન’ અને તે પછીની પ્રવૃત્તિ ઉપરથી પણ આપણને જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિનો ઓછો ખ્યાલ જરૂર આવશે, એટલું જ નહિ પરંતુ જે કેટલીક ગેરસમજુતીઓ વર્તમાનમાં ફેલાઈ રહી છે એના ઉપર પણ કંઇક પ્રકાશ પડશે.
સંમેલન શા માટે થયું હતું ? હું “મુનિસંમેલનના પાછલા ઇતિહાસને આપીને આ લેખનું કલેવર વધારવા નથી ઈચ્છતો. સંમેલન ભરવાનો નિર્ણય નગરશેઠના આમંત્રણો, દેહગામ સમિતિની મંત્રણ, જુદા જુદા ગ્રુપમાં સંમેલનમાં સાધુઓનું જવું આ બધે ઇતિહાસ વર્તમાન પત્રોની ફાઈલમાં મેજુદ છે. અહીં તો આપણે માત્ર એટલે જ વિચાર કરીએ કે સંમેલન’ થયું હતું શા માટે ?
સંમેલન ભરાવા અગાઉ આ પ્રશ્નના સંબંધમાં આખીએ જનતામાં જુદી જુદી અટકળો થતી હતી કે હું કહીશ કે એક મોટામાં મોટા આચાર્યથી લઈને એક અદનામાં અદના સાધુને પણ નિશ્ચયાત્મક ખબર ન હતી કે સંમેલન શા માટે ભરાય છે ? એથી આગળ વધીને કહું તે નિમંત્રણ કરનાર ખૂદ નગરશેઠને પણ નિશ્ચયાત્મક ખબર ન હતી કે સંમેલન શા માટે ભરાય છે? એમણે તે સૌને લગભગ એ જ જવાબ આપ્યો હતો કે આપ સૌ પધારો. આપને બધાઓને ઠીક લાગે તે કરજો ! અતુ.
મુ. ૩૧