________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૭
જોતજોતામાં ત્રણથી પણ વધારે માણસો ભેગાં થઈ ગયાં.
એટલે એ દશ્ય નિહાળતાં રતન ડેન મુંઝવણમાં પડી ગયાં. હવે થાય શું ? આપણી આબરૂ કેમ રહેશે? આટલા બધા માણસો આવશે એમ તો કલ્પના જ નહોતી. વળી આ તો પહેલે જ દિવસ ને પડેલે જ રંક છે.
તરત જ પોતાના ભાઈ અને માતા સાથે એ પોતાના ગુરૂદેવ પાસે આવ્યાં અને ગળગળા થઈને કહ્યું :
મહારાજ ! હવે શું થશે ? અમારી લાજ કેમ રહેશે ? ” વિદ્યાવિજયજીએ કહ્યું
ગુરૂદેવનું નામ લઈને તમે તમારે આવે તેને પીરસ્યા કરે. ગુરૂદેવની જયંતી છે-ગુરૂદેવ પૂરૂં કરશે. તમારી આવી અપૂર્વ ભક્તિ છે ને પછી એ તમને નામોશી લાગવા દેશે ?”
અને રતનબાઈએ તે દાધે રાખ્યું. સો માણસ જમે એટલી રસોઈ માંડ હતાં ત્યાં પહેલે દિવસે આઠસો માણસો જમ્યા અને બીજા ને ત્રીજા દિવસે ૧૭૦૦-૧૮૦૦ માણસો એ ધર્મલાભ લેવા એ નાનકડા પ્રદેશમાં કાતરી આવ્યાં હતાં અને એ બધાનાં ભોજનનો પ્રબંધ પણ બધાએ સરસ રીતે કર્યો હતો.
વિદ્યાવિજ્યજીના જીવનમાં આવા આવા તો અનેક પ્રસંગ બની ગયા છે. એ બધાની પાછળ કેવળ આપણે એમનાં ચારિત્ર્યનાં તેજ અને