________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૫
એમણે ગુરુદેવને કહ્યું:
મારી ચિંતા અત્યારે તો અદશ્ય થઈ છે. તા. ૨૯ મીએ મોટી સ્ટીમર આવવાની છે. એ વખતે બને તે ખરું. પણ હવે મને પૂરી શ્રધ્ધા છે કે આપની કૃપાથી મને વાંધો નહિ જ આવે.'
અને બન્યું પણ એવું જ. ત્યારબાદ એમનો ધંધો ખૂબ જોરથી ચાલવા લાગ્યો.
- સિંધ હૈદ્રાબાદનાં સિંધી મ્હન પાર્વતી મહારાજશ્રીના અનન્ય ભક્ત. ચોમાસામાં વખતોવખત હૈદ્રાબાદથી ગુરૂદેવનાં વ્યાખ્યાન સાંભળવા માટે કરાંચી આવતાં અને પંદર પંદર દિવસ ત્યાં રહેતાં. એક દિવસ એ બહેન મહારાજશ્રીને વંદના કરવા આવી. થોડીક વારમાં તો એની આંખોમાંથી શ્રાવણભાદરવો ઝરી પડ્યાં. પ્રતિ ક્ષણ પ્રસન્ન વદને રહેનારી પાર્વતીબહેન આજે આવી કરૂણામાં કેમ સ્નાન કરી રહી હશે ?
મુનિરાજે પૂછયું:
અરે! પાર્વતી ! આજે તને શું થયું છે? આંખો આંસુથી કેમ છલકાવી રહી છે?
એણે આંસુ લુંછવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું. મહારાજ શું કહું ? ”
ગભરાઈશ નહિ. જે કંઈ હેય તે કહે. મનની વાત કહેવાથી ઢિયાનો ભાર હળવો થાય છે.”
મહારાજ ! મારા મોટાભાઈ ગભરાઈ ગયા છે. હિંમત હારી ગયા છે. મને જલદી તારથી બોલાવે છે. આપનાં વ્યાખ્યાનનો ધર્મલાભ