________________
:
8:
કરછના પાટનગરમાં
, રાચી છેડતી વખતે દાક્તર અને હીમંડળે મુનિરાજને - એક વર્ષ માટે આરામ લેવા માટે વિનંતિ કરી હતી.
પણ આરામ ને માટે હૈય? મુનિરાજને આરામ કેવો? એમને તે પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ લાગે છે. જનતાની સેવામાં જીવનનું શ્રેય ભાસે છે. બીજનાં કલ્યાણમાં જ સદા તેઓ પોતાનું કલ્યાણ માને છે. - મુનિરાજ વિદ્યાવિજયજી ભૂજ જઈ પહોંચે તેના બે દિવમ પહેલાં જ વડોદરાના નિવૃત્ત નાયબ દિવાન રા. બ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ કચ્છના મહારાજકુમાર તેમજ બીજા અધિકારીઓ ઉપર પત્ર લખી વિદ્યાવિજયનો પરિચય કરાવી લીધો હતો.
મુનિરાજને ભૂજ આવતાં જ આ વાતની જાણ થઈ. લજામણીના છાડ માફક એમનું હૈયું શરમના સંકોચથી સંકોચાઈ ગયું.