________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ અવધ્યા વિના ગમે તે જાતના ગ્રન્થ વાંચીને, સ્વછંદતાને સ્વતંત્રતા માની અધ્યાત્મજ્ઞાન માટે પ્રયત્ન કરનારની વિપરીત દશા જોવામાં આવે છે. એકેક નયની દૃષ્ટિથી બનાવેલા આમતત્વસંબધી ગ્ર, અન્ય નાની સાપેક્ષતા તથા તે દ્વારા આત્મતત્ત્વનો બેધ દર્શાવવાને શક્તિમાન થતા નથી. સમુદ્રોના જલના બિન્દુઓને પાર પામી શકાય! પણ શાસ્ત્રોનાં રહસ્યોને પાર પામી ન શકાય. તરતાં ન આવડતું હોય અને સમુદ્રમાં ભુસ્કે મારવામાં આવે છે તેથી મરણ નીપજી શકે છે. તે પ્રમાણે શાસ્ત્રોની અપેક્ષા સમજ્યાવિના આત્મતત્ત્વસંબધી ગુરૂગમ વિના માથું મારવામાં આવે તે વિપરીત પરિણામ આવી શકે છે. એકાન્ત દશ્ય એવા વ્યવહારનયને માનનાર મનુષ્યોથી ચાવક અર્થાત્ જડવાદની ઉત્પત્તિ થઈ છે. રૂજુસૂત્રનયને એકાતે સ્વીકારીને, રૂજુસૂત્રનયથી આત્મતત્ત્વનું કથન કરીને અને અન્ય અને ઉત્થાપીને બૌદ્ધદર્શન ઉભવ્યું છે. એકાન્ત સંગ્રહનયથી અદ્વૈતવાદ ઉત્પન્ન થયે છે; આ પ્રમાણે પ્રત્યેક નયની એકાન્ત માન્યતાઓનાં આત્મતત્વસંબધી દર્શને દુનિયામાં ઘણું છે; તે સંબધી વિવેચન કરવામાં આવે તો એક મોટો ગ્રન્થ બની જાય. દરેક નયની સંપૂર્ણ અપેક્ષાઓને સ્વીકારીને આત્મતત્વનું કથન કરનાર દુનિયામાં કેઇ પણ દર્શન હોય તે ખરેખર તે જૈનદર્શન છે. આખી દુનિયાનાં દર્શનેને-નાની અપેક્ષાવડે-સત્ય અને અસત્યને ભેદ પાડી ન્યાય આપનાર જૈનદર્શન છે.
જેનદર્શનની માન્યતા પ્રમાણે આત્મતત્ત્વનું જ્ઞાન વિના જૈનશિલીએ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એમ કથાય નહિ. અધ્યાત્મનાં બે ચાર પદો વાંચી લીધાં એટલા માત્રથી અધ્યાત્મજ્ઞાની બની શકાતું નથી. જૈનદર્શનની શૈલીએ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત અન્યદર્શનકારે અધ્યાત્મની કેવી વ્યાખ્યા કરે છે તે જાણવાનું સહેલ થઈ શકે છે. સમભંગીથી આત્મદ્રવ્યના ગુણે અને પર્યાનું સ્વરૂપ સમજવાથી
અનેકાન્ત ધર્મને સમ્યગ બોધ થાય છે અને તેથી સપ્તભંગીથી આત્માના અનન્ત ધર્મો, કઈ કઈ અપેક્ષાએ અસ્તિરૂપે આમજ્ઞાન.
અને નાસ્તિરૂપે ઘટે છે તેને ખ્યાલ આવે છે. અન્યદર્શનીઓને સપ્તભંગીનું સ્વરૂપ ન સમજાયાથી, તેઓએ સહભગીપર પ્રહાર કરવા પ્રયત્ન કર્યો છે. ગુરૂગમવિના એકદમ સપ્તભંગીનું જ્ઞાન પ્રગટતું નથી. શંકરાચાર્ય વગેરેએ બ્રહ્મસૂત્રવડે સપ્તભંગીનું ખંડન કરવા પ્રયત્ન કર્યો છે, પણ સપ્તભંગીનું ખંડન કરતાં પહેલાં સપ્તભંગીનું ગુરૂગમપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોત તો તેઓ સપ્તભંગીનું ખંડન કરવા
ભ. ઉ. ૮
For Private And Personal Use Only