________________
હતો તે મહારા હાથે આવ્યો.” પુસારે પાછું કેવળીને પૂછયું, “હે ભગવન! કયા. કર્મથી હું ચંડાલ થયો.” કેવળીએ કહ્યું. “પૂર્વભવે તું વ્યવહારી હતો. એક વખતે ભગવાનની પૂજા કરતાં “ભૂમી ઉપર પડેલું ફુલ ચઢાવવું નહીં” એમ જાણતાં છતાં પણ તે ભૂમી ઉપર પડેલું ફૂલ અવજ્ઞાથી ભગવાન ઉપર ચઢાવ્યું. તેથી તું ચંડાલ થયો. કહ્યું છે કે–જે પુરૂષ એ ફળ, ફૂલ અથવા નૈવેધ ભગવાનને અર્પણ કરે, તે પ્રાયે ૫રભવે નચગોત્ર કર્મ બાંધે છે. હારી માતાએ પૂર્વભવે રજસ્વલા છતાં દેવ પૂજા કરી, તે કર્મથી એ ચંડાળી થઈ.” કેવળીનાં એવાં વચન સાંભળી વૈરાગ્યથી પુણ્યસાર રાજાએ દીક્ષા લીધી. એવી રીતે અપવિત્ર છતાં તથા ભૂમી ઉપર પડેલા કુલથી દેવપૂજા કરવા ઉપર ચંડાળની કથા છે. . આથી ભૂમિ ઉપર પડેલું ફૂલ સુગંધ હોય, તે પણ તે ભગવાનને ચઢાવવું નહીં, અને થોડી અપવિત્રતા હોય તે પણ ભગવાનને અડવું ન હિ. વિશેષે કરી સ્ત્રીઓએ રજસ્વલાપણામાં બિલકુલ પ્રતિમાને સ્પર્શ કર નહિ. કારણ કે, મહાટી આશાતના પ્રમુખ દેવા લાગે છે. ન્હાઈ રહ્યા પછી પવિત્ર, કોમળ અને સુગંધ એવા કાપાયિકાદિક વચ્ચે કરી અંગ હોઈ પલાળેલું ધોતિયું મૂકી બીજું પવિત્ર વસ્ત્ર પહેરી ઈત્યાદિ યુક્તિથી ભીને પગે ભૂમિને સ્પર્શ ન કરતાં પવિત્ર સ્થાનકે આવવું. ઉત્તર દિશા તરફ મુખ કરીને ચળકતાં, નવા, પૂરેપૂરાં, સાંધેલાં નહીં, અને પહોળાંએવાં બે વેત વસ્ત્રમાંથી એક પહેરવું તથા બીજું એવું કહ્યું છે કે–જોગવાઈ હોય તે પમાણે પાણીથી શરીર શુદ્ધિ કરીને ધોએલાં, ધૂપ દઈ સુગંધિ કરેલાં અને પવિત્ર એવાં બે વસ્ત્ર ધારણ કરવાં. લેકને વિષે પણ કહ્યું છે કે – હે રાજન્ ! દેવપૂજામાં સાંધેલુ, બળેલું, અને ફાટેલું વસ્ત્ર ન લેવું. તથા પારકું પણ ધાણું ન કરવું એક વાર પહેરેલું વસ્ત્ર, જે વસ્ત્ર પહેરીને વડીનીતિ, મૂત્ર તથા સ્ત્રીસંગ કર્યો હોય, તે વસ્ત્ર દેવપૂજામાં વર્જવું. એક જ વસ્ત્ર ધારણ કરીને જમવું નહિ, તથા પૂજા કરવી નહિ. સ્ત્રીઓએ પણ કાંચળી કે ચોળી વગર દેવપૂજા ન કરવી. આ ઉપરથી એમ સિદ્ધ થયું કે, પુરૂષોને બે વસ્ત્ર વગર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર વગર દેવપૂજા કરવા શાસ્ત્ર નિષેધ કરે છે. એવું
૧૨૬