________________
સિદ્ધાંત પીકા કરે તે પણ એક કે કદાચ આ કારણ કે
લોકે જિનશાસનનાં પુસ્તક લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકની ઘણી યતનાથી રક્ષા કરે, તે લોકે મનુષ્ય લેકનાં, દેવલોકનાં તથા નિર્વાણનાં સુખ પામે છે. જે પુરૂષ કેવળી ભાવિત સિદ્ધાંતને પોતે ભણે, ભાવે અથવા ભણનારને વસ્ત્ર, ભજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરૂષ આલોકમાં સર્વજ્ઞ થાય છે. જિનભાષિત આગમતી કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કહ્યું છે કેઊંઘથી મુતપગ રાખનાર શ્રતજ્ઞાની સાધુ જે કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય. સાંભળવામાં છે કે, અગાઉ દુધમ કાળને વશથી બાર વર્ષ સુધી દુકાળ પડ્યો. તેથી તથા બીજા અને નેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાય થએલાં જોઈ ભગવાન નાગાર્જુન, સ્કોદિલાચાર્ય વગેરે લોકોએ તેને પુસ્તકારૂઢ કર્યો.” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે કે, પેથડ શાહે સાત ક્રોડ તથા વસ્તુપાળ મંત્રીએ અઢાર ઝેડ પ્રવ્ય ખરચીને વણ જ્ઞાનભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ ક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહિથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત.
૧૧ તેમજ પિષધશાળા એટલે શ્રાવક વગેરેને પિષધ લેવાને સારુ ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વ કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાવગિઓને સારૂ કરાવેલી તે પિષધશાળા સારી સગવડવાળી અને નિરવધિ .ગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણું ઉપાય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે, કહ્યું છે કે-જે પુરૂષ તપસ્યા તથા બીજા ઘણું નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજેને ઉપાશ્રય આપે, તે પુરૂષે વસ્ત્ર, અન્ન, પાન, શયન આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસે ચોરાશી પપધશાળાઓ કરાવી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાબે પિતાને નવો મહેલ વદિ દેવસૂરિને દેખાડીને કહ્યું કે, “એ કે
૫૦૦