________________
તેનું માથું “ કડાક” શબ્દ કરી ભાગ્યું, મતલબ એ છે કે, કમનશીબ - પુરૂષ જ્યાં જાય, ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુ
દા જૂદા નવસે નવાણું સ્થળોના વિષે ચોર, જળ અશિ, સ્વચક્ર, પરચક્ર મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લોકોએ કાઢી મૂક્યો. ત્યારે તે મહા દુ:ખી થઈ એક મોટી અટવીમાં આરાધક જનને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામા યક્ષને મંદિરે આવ્યો. પિતાનું સર્વ દુ:ખ યક્ષ આગળ કહી એચીત્તથી તેની આરાધના કરવા લાગ્યો. એક દિવસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે, “દરરોજ ” સંધ્યા સમયે હારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રને ધારણ કરનારે મોર ન કરશે. તેનાં દરરોજ પડી ગએલાં પિચ્છા હારે લેવાં.” યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિચ્છા સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યો. એમ દરરોજ એકઠાં કરતાં નવસે પિછાં ભેગાં થયાં. એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દૈવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, “બાકી રહેલાં પિછાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું ? માટે બધાં પિચ્છ સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક.” એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યો, ત્યારે એક મૂડીથી તેનાં પિછાં પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયે, અને પૂર્વે એકઠાં કરેલાં નવસો પિછાં પણ જતાં કહ્યાં ! ખરૂં છે કે–દૈવની મર્યાદા ઉલ્લ ધીને જે કાર્ય કરવા જઈએ, તે સફળ થાય નહીં. જુઓ, ચાતકે ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતું રહે છે. માટે “ધિક્કાર થાઓ મને ! કેમકે મેંફેગટ એટલી ઉતાવળ કરી.” એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પિતાના પૂર્વકર્મનું સ્વરૂપ પૂછવું. જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, જેટલું દેવદ્રવ્ય તે પૂર્વભવે વાપર્યું, તે કરતા વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખ
* મેરના પીછ ઉપર નેત્રાકાર ચિન્હ હોય છે તેને ચંદ્રક કહે છે.
२००