Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 513
________________ સુરક્ષિત રહે છે. નહિ તે ઉપર કથા પ્રમાણે સ્ત્રી વગેરેને નાશ થવાનો સંભવ રહે છે કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તે સારાં; નહિ તે અધિક અધિકાજીવ વિરાધના થાય અને જવું આવવું વગેરે કાર્ય જેટલું તરતજ થવું જોઈએ તેટલું શીધ્ર ન થાય. ભીતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સારી નહિ. કારણ કે, તેથી પંદ્રિય વગેરે જીવની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તો જીવ જંતુ વગેરે બરાબર જોઈને જ વાસવાં. આ રીતે જ પાણીની પરાળ, બાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી ઘરનાં પરિમિત બારણું રાખવા વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે. - જે ઘરમાં વધ આદિ દોષ ન હૈય, આખું દળ (પાષાણ, ઇટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યને સંગ્રહ હૈય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદે હેય, વાળવું વગેરે સંસ્કાર હમેશા થતા હોય, ન્હાના મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતે હોય, રેગીની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગએલા માણસને થાક દૂર કરાતો હોય, તે ઘરમાં લક્ષ્મી વાસે કરે છે. આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ આત્ર, સાધુ વાત્સલ્ય, સંધપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારાં મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. એમ સંભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાક નામા શેઠે અને ઢાર ક્રોડ સેનયા ખચી વાસ્તુશાસ્ત્રમાં કહેલો રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યું. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે રાત્રીએ પડું કે ? પડું કે ? એવો શબદ તેને સાંભળવામાં આવ્યા. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપે. વિક્રમરાજા તે મહેલમાં ગયે, અને પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતાંજ રાજાએ કહ્યું. પડ કે તુ

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548