Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 520
________________ પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય દ્ધાર કરાવવામાં છે. જીણું જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે, તેટલું નવું કરાવવામાં નથી. કારણ કે, નવું મંદિર કરાવવામાં ઘણું જેની વિરાધના તથા મહા મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીણોદ્ધારની જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે–જિનક૯પી સાધુ પણ રાજા, પ્ર. ધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી છણું જિનમંદિર સમરાવે. જે પુરૂષે જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરનો ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પિતાના આત્માને ઉધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે – શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતાએ અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી વી.તે કામ શરૂ કરાવ્યું, ત્યારે મોટા શેકીઆ લોકોએ પિોતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રમ્મની મૂડી રાખનાર ભીમ નામે એક ધી વેચનાર હતું, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ધી વેચી મૂડી સહિત સર્વ દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વિની ઉપર લખાયું, અને તેને સુવર્ણનિધિનો લાભ થયો. વગેરે વાર્તા - હેર છે. પછી કામય ચૈત્યને સ્થાનકે શિળામય મંદિર તૈયાર થવાની વધામણું દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભે આપી. તે ઉપરાંત જિન મંદિર વીજળી પડવાથી તુટી પડયું, એવી વાત કહેનારને તે મંત્રીએ સઠ સુવર્ણની જીભ આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે, “હું જીવતાં છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ થયો છું.” બીજા છદ્ધારમાં બે ક્રોડ સતાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજાને સારૂ ચેવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા. વામ્ભટ્ટ મંત્રીના ભાઈ - બડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકા વિહાર નામે પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યું. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ધડી સુવર્ણને બનાવેલે કળશ શકુનિકા વિહાર ઉપર ચઢાવ્યા. તથા સુવર્ણમય દંડ, ધ્વજ વગેરે આપી અને મંગળિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રમ્મ યાચક જનને આપ્યા. પહેલા જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું કે ૪૮૫

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548