________________
તે પંદર કર્યાદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વર્જવું કહ્યું છે કે—ધર્મને પીડા કરનારું તથા લોકમાં અપયશ ઉત્પન્ન કરનારું કરિયાણું ઘણે લાભ થતો હોય, તો પણ પુણયાર્થી લોકોએ કદિ ન લેવું કે રાખવું. તૈયાર થએલાં વસ્ત્ર, સનર, નાણું, સુવર્ણ અને રૂપું વગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વ્યાપારમાં જેમ આરંભ ઓછો થાય, તેમ હમેશાં ચાલવું ક્ષિ આદિ આવે છતે બીજી કોઈ રીતે નિર્વાહ ન થતું હોય તે, ઘણું આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચ્છા મનમાં ન રાખવી. તે પ્રસંગ આવે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરૂની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજા રાખીને જ તેવાં કાર્ય કરવાં.
આ સિદ્ધાંતમાં ભાવ શ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે–સુશ્રાવક તીવ્ર આરંભ વર્જ, અને તે વિના નિર્વાહ ન થતું હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખતાં કેવળ નિર્વાહને અર્થે જ તત્ર આરંભ કરે; પણ આરંભ પરિગ્રહ રહિત એવા ધન્ય છની સ્તુતિ કરવી. તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કોઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે, એવા ધન્ય મહા મુનિઓ ત્રણ કોટિ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે, ન થાય ? એવી શંકા હેય, અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થએલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારિઓએ પાંતિથી લેવું. એટલે વખતે ટેટે આવે તે સર્વેને સરખે ભાગે આવે, કેમકે–વ્યાપારી પુરૂષ વ્યાપારમાં ધન મેળવવા ઇચ્છતા હોય તે, તેણે કરિયાણું દીઠા વિના બહાનું ન આપવું, અને આપવું હોય તે બીજા વ્યાપારીઓની સાથે આપવું.
ક્ષેત્રથી તે જ્યાં સ્વચક્ર, પરચક્ર, માંદગી, અને વ્યસન આદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હેય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરે. બીજે બહુ લાભ થતો હોય તે પણ ન કરે. કાળથી તે બાર માસની અં. દર આવતી ત્રણ અઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વર્જરી, અને વર્ષાદિ ઋતુ આશ્રયી જે જે વ્યાપારને સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર
૨૪૩