________________
નુચિત હોય તે દેશ વિરૂદ્ધ કહેવાય. જેમાં બ્રાહ્મણે મદ્યપાન કરવું, તથા તલ, લવણ વગેરે વસ્તુને વિક્રય કર એ દેશવિરૂદ્ધ છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે, ' તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણો જગતુમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરેલ કે તલની પેઠે ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તે ચાલુક્ય વગેરે કુળમાં થએલા લેકોને મધપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશી લોકો આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે.
હવે કાળવિરૂદ્ધ આ રીતે –શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોશ ભમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ, અને ઘણું જ ચીકણે કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોકણ વગેરે દેશોમાં પિતાની સારી શક્તિ તથા કોઈની સારી સહાય વગેરે ન છતાં જવું; તથા ભયંકર દુકાળ પડશે હોય ત્યાં, બે રાજાઓની માંહો માંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યું હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા મહેટા જંગલમાં, તથા સમીસાંઝ વગેરે ભયંકર સમયમાં પોતાની તેવી શક્તિ વન તથા કોઇની તેવી સહાય વગેરે વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહી તો બીજે કઈ અનર્થ સામે આવે, તે કાળવિરૂદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તિલને વ્યાપાર કરે, અથવા તિલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણું છવાકુળભૂમિ હોય ત્યાં ગાડી ગાડાં ખેડવાં વગેરે. એ હેટ દેષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ધ કહેવાય.
હવે રાજવિરૂદ્ધ આ રીતેરાજા વગેરેના દોષ કાઢવા, રાજાના માનનીક મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત એવા કેની સેબત કરવી, વૈરિના સ્થાનકમાં લેભથી જવું, વૈરિના સ્થાનકથી, આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખે, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાને કરેલા કામમાં પણ ફેરફાર કર, નરારના આગેવાનો
૨૮૭