________________
એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિગમેલી દેવતાને સહજ કૌતુકથી પૂછ્યું કે, “સંપૂર્ણ જગતમાં લોભના સપાટામાં ન આવે એ કોઈ જીવ છે? અથવા ઇંદ્રાદિક પણ લેવિશ થાય છે, તે પછી બીજાની વાત શી ? જેણે ઇંદ્રાદિકને પણ સહજમાં ઘરના દાસ જેવા વશ કરી લીધા, તે લોભનું ત્રણે જગતમાં ખરેખર અદ્દભૂત એ છત્ર સામ્રાજ્ય છે.”
પછી નૈગમેથી દેવતાએ કહ્યું, “હે ચંદ્રશેખર ! તું કહે છે તે વાત ખરી છે, તે પણ એવી કાંઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સતાજ ન હોય. હાલમાં શ્રેષ્ટિવર્ય શ્રી વસુસાદને રવસાર નામે પુત્ર પૃથ્વી ઉપર છે, તે કોઈ પણ રીતે લોભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિઃસંશય છે. તે રત્નસાર કુમારે ગુરુ પાસે પરિગ્રહ પરિ. માણ વ્રત ગ્રહણ કર્યું છે. તે પોતાના વ્રતને એટલે દઢ વળગી રહ્યા છે કે, જેને સર્વ દેવતા અથવા ઈદ્ર પણ ચલાવી ન શકે ! દૂર સુધી પ્રસરી રહેલા અપાર લેભરૂપ જળના મહા પુરમાં બીજા સર્વ તૃણ માફક વહતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રાસિની માફક પલળે નહીં એવો છે જેમ સિંહ બીજાનો હોંકારે સહન કરી શકતો નથી તેમ નૈગમેલી દેવતાનું વચન ન સહન કરનારે ચંદ્રશેખર દેવતા હારી પરીક્ષા કરવા માટે આવ્યા. પાંજરા સહિત પિપટને તે હરી ગ. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શૂન્ય નગર પ્રકટ કર્યું, અને એક ભયંકર રાક્ષસ રૂપ ધારણ કર્યું. તેણે જ તને સમુદ્રમાં ફેંક્યો, અને બીજી પણ ધાસ્તી ઉપજાવી. પૃથ્વીને વિષે રત્ન સમાન એવા હે કુમાર ! તેજ ચંદ્રશેખર દેવતા હું છું. માટે તે સંપુરૂષ ! તું મારા આ સર્વે દુષ્ટ કૃત્યની ભાણી આપ. અને દેવતાનું દર્શન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઈક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યું. “શ્રીધર્મના સમ્યફ પ્રસાદથી મહારાં સર્વે કાર્યો સિદ્ધ થયાં છે. માટે મહારે હારી પાસે માગવા જેવું કાંઈ નથી, પરંતુ તે છેક દેવતા! તું નંદીશ્વર આદિ તીથોને વિષે યાત્રાઓ કર એટલે તેથી હાર દેવતાના ભવની સફળતા થશે.” .' ચંદ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પિોપટનું પાંજરું કુમારના હાથમાં આપ્યું, અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂક્યા પછી રાજા