Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 510
________________ વિગેરે નીકળે તો તેથી મરણ થાય. વગેરે. પહેલો અને પહાર મૂકી બીજા અથવા ત્રીજા પહેરે ઘર ” ઉપર આવનારી ઝાડની અગર વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ ; આપનારી છે. અરિહતી પંક, બ્રહ્મા અને વિષ્ણુનું પડખુ, ચંડિકા અને સૂર્ય એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, સ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. તેમજ કહ્યું છે કે–અરિહંતની પૂઠ, સર્વ અને મહાદેવ એમની દષ્ટિ, વાસુદેવને ડાબો ભાગ એ વર્જવા. ચંડી સર્વ ઠેકાણે અશુભ છે, માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિવું. તની દૃષ્ટિ પડતી હોય અને મહાદેવજે ઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે. પણ એથી વિપરીત હોય તે બહુ દુઃખ થાય. તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કાઈ જ નથી. શહેરમાં અથવા ગામમાં ઇશાનાદિ કોણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતિના લોકને અશુભકારી છે; પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણ તથા દેવ, શકુન, સ્વમ. શબ્દ વગેરે નિમિત્તાના બળથી જાણવાં. તે સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતી વગેરે લઈ ન્યાયથી જ પ્રહણ કરવું. પણ કોઈનો પરાભવ આદી કરીને લેવું નહી. તેમ કરવાથી ધર્મર્થ કામને નાશ થવાનો સંભવ છે. આ રીતેજ ઇટા, લા ડાં, પત્થર વગેરે વસ્તુ પણ દેષ વિનાની, મજબૂત એવી હોય તેજ ઉચિત મૂલ આપીને વેચાતી લેવી; અને મંગાવવી. તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પિતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી. કેમકે, તેથી મહા આરંભ વગેરે દેશ લાગવાનો સંભવ છે. ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તે લેવી નહીં. કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એ વાત સંભળાય છે કે, કોઈ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતા, તે બીજાને પગલે પગલે પરાભવ કરતો હતો. બીજે દરિદ્રી હોવાથી પહેલાનું નુકશાન કોઈ બીજી રીતે ૪૩૫

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548