________________
હું મૂઠ જાણું છું. પોતાની ઉપર રાજાની ઘણુ કૃપા હેય તે પણ નુ શાશ્વતપણું ધારી રાજાના કોઈ પણ માણસને કપાવે નહીં. તથા રાજા આપણને કોઈ કાર્ય કરવા સેપે તે રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સૂધી શ્રાવક રાજાની જ કરવી. એ ઉચિત છે. કહ્યું છે કે –શ્રાવકે જ્ઞાન અને દર્શન સંપાદન કરેલા કોઈ શ્રાવકને ઘેર દાસપણે રહેવું તે પણ એક છે, પણ મિથ્યાત્વથી મૂઢમતિ થએલો કોઈ મોટો રાજા અથવા ચક્રવર્તિ હેય, તે તેને ઘેર રહેવું છે નથી. હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમતિના પચ્ચખાણુમાં “
વિતા ” એ આગાર રાખે છે, તેથી કોઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તો પણ તેણે પિતાની શક્તિથી અને યુક્તિ કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે થોડે પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે, તે મિથ્યાદષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે.
સેનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઇત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગ પરિત્યાગ કરનારા મુનિરાજની ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે– ભગવતિ ભિક્ષે ! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તે કલ્પવલી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તે નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વે પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે કેમકે માણસ જ્યાં સુધી મહેડેથી “આપ” એ ' શબ્દ બેલે નહીં, એટલી માગણી કરે નહીં ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લ, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં (હલકું ) છે, રૂ વણ કરતાં હલકું છે, અને યાચક તો રૂ કરતાં પણ હલકો છે, ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતો નથી ? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એવો ભય રહે છે કે, હું એને ( યાચકને ) લઈ જઉં તે મારી પાસે એ કાંઈ ભાગશે? રેગી, ઘણુ કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને
૨૪૦