________________
નજીકમાં મોચી હતી, તેને રાખ્યો. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રાખડી લખતે હતો. તેનો વંશ હજી પણ દિલીમાં હયાત છે,
આ રીતે રાજદિક પ્રસન્ન થાય તે એશ્વર્ય આદિનો લાભ થશે અશક્ય નથી. કહ્યું છે કે–શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ પિષણ અને રાજાને પ્રસાદ એટલાવાના તકાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લોકો રાજ આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરે; પણ રાજ સેવા કર્યા વગર સ્વજનને ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહીં. કુમારપાળ નાશી ગયો, ત્યારે સિર બ્રાહ્મણે તેને સહાયતા આપી, તેથી તેણે પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું કેઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિલિયાનું કામ કરતો હતો. તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજા તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પિતે દીક્ષા લઈ સિદ્ધ થશે. મંત્રી,કી, સેનાપતિ આદિનાં સર્વ કામ પણ રાજસેવામાં સમાઈ જાય છે. એ મંત્રી આદિનાં કામ ઘણું પાપમય છે, અને પરિણામે કડવાં છે. માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્જવાં. કહ્યું છે કે જે માણસને જે અધિકાર ઉપ રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં જુઓ, ધોબી પિતાનાં પહેરવાનાં વસ્ત્ર વેચાથી લઇને પહેરે છે કે શું ? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન્ન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. - હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે, તે પણ ગુપ્તપાળ, કોટવાળ, સીમાપાળ વગેરેના અધિકાર તે ઘણું પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવાં. કેમકે–તલાર, કેટવાળે, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કઈ માણસને પણ સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત કોઈ શ્રાવક સ્વીકારે તો, તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની પેઠે શ્રાવકની સુકૃતની કિર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા; કેમકે–જે માણસોએ પાપમય એવાં રાજકાર્યો કરતાં છતાં, તેની સાથે ધર્મનાં કૃત્યો કરીને પણ ઉપાર્યું નહીં, તે માણસોને દ્રવ્યને અર્થે ધૂળ ધનારા લોકો કરતાં પણ
૨૩૮