________________
ગંધ, ધૂપ, દીપ, ચોખા, માળાઓ, બલિ (નૈવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળ એટલી વસ્તુથી શ્રી જિન ભગવાનની પૂજા કરવી. શાંતિને અર્થે લેવું હોય તે ધોળુ લેવું, લાભને અર્થે પીળુ લેવું શત્રુને જીતવાને અર્થે શ્યામ વર્ણ લેવું, મંગલિકને અર્થે રાતું લેવું અને સિદ્ધિને અર્થ પંચવણું લેવું પંચામૃતનું સ્નાત્ર આદિ કરવું, અને શાંતિને અર્થે ઘી ગોળ સહિત દી કરછે. શાંતિ તથા પુષ્ટિને અર્થે અગ્નિમાં લવણ નાંખવું સારું છે. ખંડિત, સાંધેલું, ફાટેલું, રાતું, તથા બીહામણું એવું વસ્ત્ર પહેરીને કરેલું દાન, પૂજા, તેપસ્યા, હેમ, આવશ્યક પ્રમુખ અનુષ્ઠાન સર્વ નિષ્ફળ છે. પુરૂષ પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખી, મન કરી, વસ્ત્રથી મુખકેશ કરી જિનેશ્વર ભગવાનની પૂજા કરે. ૧ સ્નાત્ર, ૨ વિલેપન, ૩ આભૂપણુ, ૪ ફૂલ, ૫ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ, ૮ અક્ષત, ૧૦ પત્ર, ૧૧ સોપારી, ૧૨ નૈવેધ, ૧૩ જળ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નાટક, ૨૦ સ્તુતિ, ૨૧ ભંડારની વૃદ્ધિ, આ એકવીસ ઉપચારથી એકવીસ પ્રકારી પૂજા થાય છે. સર્વે જાતના દેવતા એવી ભગવાનની એકવીસ પ્રકારની પ્રસિદ્ધ પૂજા હમેશાં કરે છે, પરંતુ કલિકાળના દેવથી કુમતિ જીવોએ ખંડિત કરી. આ પૂજામાં પિતાને જે જે વસ્તુ પ્રિય હોય, તે તે વસ્તુ ભગવાનને અર્પણ કરવી. પૂજાનું આ પ્રકરણ ઉમાસ્વાતિ વાચકે કર્યું છે એમ જાહેર છે
“ઈશાન કેણે દેવમંદિર કરવું.” એમ વિવેકવિલાસમાં કહ્યું છે. તેને મજ, વિષમ આસને બેસી, પગ ઉપર પગ ચઢાવી, ઉભા પગે બેસી, અથવા ડાબો પગ ઊંચો રાખી પૂજા કરવી નહીં. તથા ડાબે હાથે પણ પૂજા ન કરવી. સૂકાં, ભૂમી ઉપર પડેલાં, સડેલી પાંખડીવાળાં, નીચ લોકોએ ફરશેલાં, ખરાબ અને નહિ ખીલેલાં, કીડીથી ખવાયેલાં, બાળથી ભરાયેલાં, સડેલાં, વાસી, કરોળિયાનાં ઘરવાળાં, દુર્ગધી, સુગધ રહિત, ખાટા ગંધનાં, ભળના તથા મૂત્રના *સંપર્કથી અપવિત્ર થએલાં એવાં ફૂલ પૂજામાં લેવાં નહીં.
સવિસ્તર પૂજા કરવાને અવસરે, પ્રતિ દિવસ તથા વિશેષે કરી પર્વ દિવસે ત્રણ, પાંચ અથવા સાત પુષ્પાંજલિ ચઢાવીને ભગવાનને સ્નાત્ર કરવું. - + વડીનીતિ લઘુનીતિ કરતી વખતે પાસે રાખેલાં.
૧૫૩