________________
-
કક
-
-
-
-
અને પાક :-- - - - - -
- - -
- - - - - - - મા -
જનક નાના નાના નાના નાના-નાના
(૧૫ર )
શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન,
BE
છે, જ્ઞાનયોગના અનુભવમાં જે જે કર્મયોગીઓ ઊડા પ્રવેશેલાં હોય છે તેઓ અનાસકર્ત બનીને નિર્વિષસર્પની પેઠે કર્તવ્યપ્રવૃત્તિથી સ્વપરને હાનિ કરી શકતા નથી, અનાસકત મનુષ્ય કર્તા છતાં અકર્તા બને છે, તેના બાહ્ય કાર્યો અમુક દષ્ટિએ દેશી જણાય છે છતાં આન્તરિકદેષભાવથી વિશ્વમા આદર્શજીવનમાં મૂકવા સમર્થ થાય છે. પ્રવૃત્તિયોગને અધિકારી ખરેખર અનાસક્ત મનુષ્ય છે એવું અનુભવીને અનાસકતભાવની મહત્તા અને આસકિતની લઘુતાનું વિવેચન કરવામા આવ્યું છે. બાહ્યથી નિષ્ક્રિય બનીને જે અનાસકિતને મેં ટાળી એમ માને છે તે મેહના સંસ્કારોથી બચી જ નથી. જે સ્વાધિકાર જે જે સ્થિતિમા પિતે હોય તેમાં જે જે કર્તવ્યપ્રવૃત્તિઓ કરવાની છે. તેઓને કર્યા છતા નિર્લેપ રહે છે તે ખરેખર અનાસક્તભાવને અનુભવ કરી શકે છે અને આસકિતને ટાળવા પ્રયત્ન કરતો રહે છે, તેથી તે સ્વકર્તવ્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થઈ મન્દવીર્યવાન બનતો નથી. જે જે કાર્યો કરવાના હોય છે તે વિના અન્ય કાર્યના સંક૯૫વિકલ્પને ત્યાગ કરીને જે મનુષ્ય સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળો થઈને રહે છે તે કાર્ય કરવાને અધિકારી ઠરે છે. અનાસકત મનુષ્યો અન્ય પદાર્થોની આસકિતના અભાવે જે જે કાર્યો કરવાના છે તેમાં ઉપયોગ રાખી શકે છે અને અન્ય બાબતનાં સંકલ્પવિકલ્પને ત્યાગ કરી શકે છે. શેઠ દેરાસરમાં પૂજા કરવાને ગયા છે, અને ચિત્ત તે ઢઢવાડામાં ભટકે છે ત્યારે તે દેરાસરમા પ્રભુપૂજા અને ઢેઢવાડામાં ઉઘરાણી કરવાની–એ બેમાંથી કર્યું કાર્ય સારી રીતે સિદ્ધ કરી શકવાના હતા? અલબત્ત બેમાંથી એક પણ કાર્ય સિદ્ધ કરી શકવાના નહિ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય સંમુખ દષ્ટિ રાખીને ધ્યાન ધરતા હતા અને અન્તરમા તે યુદ્ધના વિકલ્પસંકલ્પવડે વર્તતા હતા. તેથી તેઓ નરકગતિયોગ્યદલિક ગ્રહણ કરતા હતા. જે જે કાર્યો કરવાનાં હોય તે શૂન્યોપયોગથી અર્થાત્ શૂન્યચિત્તથી થાય અને અન્ય કાર્યોના સંકલ્પવિન્ધમાં મન રમ્યા કરે તો તેથી તે તે કાર્યોની સિદ્ધિમાં અનેક વિદને સ્વહસ્તે થાય એમાં શું આશ્ચર્ય ? અલબત્ત કંઈ પણ આશ્ચર્ય નથી. શેઠ કાયોત્સર્ગ ધ્યાનમાં સાધુ બનીને ઉભા રહેલા છે અને મનમાં પુત્રોના કાર્યોની ચિન્તા કરે છે તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્યાથી વિજય પામી શકે. શેખચલ્લીવત્ જે કંઈ કરે છે તે તેમા હાનિ પ્રગટાવે એમાં કંઈ આશ્ચર્ય નથી. ભસવું અને આ ફાકવો એ જ કાર્યને શ્વાન એક સાથે કરી શકે નહિ તેમજ જે કાર્ય કરવાનું છે તેને ઉપયોગ માત્ર શૂન્યચિત્ત તે કાર્ય કરવામાં આવે અને અન્ય બાબતેના વિકલ્પ અને સંકલ્પ કરવામાં આવે છે તેથી હસ્તકૃત કાર્યોમાં શકિતયોને ફેરવી શકાય નહિ એ બનવા યોગ્ય છે. જેમાં જે સ્વઘિકારે કર્તવ્ય કર્મો કરવાના હોય છે તેમાં ઉપયોગ ધારણ કરવું જોઈએ. એક નગરમાં એક સુવર્ણકાર રહેતું હતું. તે ઝાઝરમાં ઝીણી કારીગરી ઝીણા ઓજારવડે કરી હતે. તે કાર્યમાં એટલે બધે અનન્ય ચિત્તવાળે ઉપયોગી બની ગયો હતો કે તે