________________
-
.
ના
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૨૨)
શ્રી કમગ ચંચ-સવિવેચન,
ન મુંઝાતા દેવકની પદવી પ્રાપ્ત કરી.” અવન્તીસુકમાલ નહિ મુંઝાયા અને આત્માને ઉત્સાહપૂર્વક અન્તરાત્મામા સ્થિરતા ધારણ કરી તેથી દેવકને પામ્યા. ગજસુકુમાલે પણ એ કરતા વિશેષ દુખે સહન કરીને સ્વાત્માની શુદ્ધતા કરી હતી. તેઓ દ્વારિકાની બહાર ૨મશાનમાં દયાન કરતા હતા, એમના સસરાએ તેમના મસ્તક પર માટીની પાળ બાંધી અને તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. આવી સ્થિતિમાં સમતા રાખવી એ મહામુશ્કેલ કાર્ય છે તેમ છતાં અવન્તીસુકુમાલ જરા માત્ર મુંઝાયા નહિ. તેમણે સ્વાધિકારપ્રાપ્ય તે સ્થિતિમાં ઉત્સાહપૂર્વક ધ્યાનમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યો અને તેઓ પિતાના આત્માને કહેવા લાગ્યા કે, હે આત્મન ! લ્હારૂં પરમાત્મસ્વરૂપ છે. હારામાં અને પરમાત્મામાં સત્તાથી કંઈ ભેદ નથી. આખરે સર્વ પ્રકારના પૌદગલિકે ભાવથી છૂટવાને ખરે મોત્સવ પ્રાપ્ત થયે છે. હારા સસરાએ ને મુક્તિરૂપ કન્યા પરણાવવા માટે પાઘડી, બાંધી છે, એમ માન ! નામરૂપના અનન્ત વિકારવાની વૃત્તિ એ તું નથી એવું ખરેખરૂં અનુભવવા માટે આ પ્રસંગ પ્રાપ્ત થયે છે. અનંતભમાં અનેકવાર હું મુંઝાવાથી શરીર ધારણ કર્યા છે. તું અજર અવિનાશી અખંડ છે. પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશથી તું ત્યારે છે. જે અગ્નિ જેને નાશે કરે છે તે અગ્નિ અને નશ્વર દેહ એ તું નથી તો પશ્ચાત દુખ સહન કરવામાં શા માટે અરેરે હાય હાય કરવું જોઈએ. શબ્દ રૂ૫ રસ ગંધ અને સ્પર્શથી તું ન્યારો છે એવું જે જ્ઞાન હે પ્રાપ્ત કર્યું છે તેને હવે અનુભવ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયેલ છે તે હવે જવા ના દે. આત્માની શુદ્ધતાનું સ્મરણ કર કે જે હારાથી અભિન્ન છે. શીર્ષક વગેરે શરીરવચવેથી તું ભિન્ન છે. જે બળે છે તે પુદગલ છે અને પુદ્ગલથી તે સદા ત્યારે છે એવા અનુભવ હવે સસ્પ્રવૃત્તિથી સફલ કર !!! ત્યારે શુદ્ધધર્મ કદિ કોઈનાથી ત્રણ કાળમાં ન થઈ શકે તેમ નથી તે હવે શા માટે ત્યારે ચંચલશરીરદિની ભીતિ રાખવી જોઈએ? આ પ્રમાણે ગજસુકુમાલ ભાવના ભાવવા લાગ્યા અને બાહ્યતઃ અગ્નિ દ્વારા શીર્ષમાં થતી વેદના સહન કરવા લાગ્યા. તેમણે તેમના શ્વસુરપર અંશમાત્ર વૈર લેવાને ભાવ રાખ્યા નહિ. સ્વાધિકારે પ્રાપ્ત થયેલી દશામા દયાનરૂપ સમ્પ્રવૃત્તિ વડે રમણતા કરવા લાગ્યા. નામરૂપના સંબધે બંધાએલી શરીરાદિકની સાથે જે જે મહાદિવૃત્તિ હતી તેનાં મૂળ છેદવા લાગ્યા અને અન્તરાત્માને પરમાત્માસ્વરૂપ ભાવવા લાગ્યા. આત્માતા શુદ્ધોપગ બળે શાતાશાતાદિ કલ્પનાઓથી પિતાના આત્માને ભિન્ન માનવા લાગ્યા. જે જે દેયપદાર્થો છે તેમાથી અહમમત્વની વૃત્તિને ઉશ્કેરવા લાગ્યા, આ પ્રમાણે શીર્ષચર અગ્નિથી. થયેલી વેદના સહન કરી આયુષ્યને ક્ષય કરી અનઃશુદ્ધાત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. ગજસુકુંમાલ મુનિવર આત્યંતરિક સત્યવૃત્તિ કે જે શુભધ્યાનરૂપ હતી તેમાં શ્વશુર તરફથી અગ્નિને ઉપસર્ગ થયેલે સહન કર્યો અને તેઓ શરીરાધ્યાસથી મુંઝાયા નહિ ચેતનવિનાની