Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 813
________________ ... :-- ગ્ર યકર્તાની શુભ ભાવના (૧૩) ધારણ કરનાર ત્યાગી હોય, કોઈ એગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સર્વસ વીતરાગદેવકથિત સમતાભાવ જે તેને પ્રાપ્ત થશે તો તે કર્મબંધનથી મુક્ત થયા વિના રહેતું નથી. ગમે તે વેષ વા આચારધારકમનુષ્ય હેય પણ તે સમતા ભાવના ઉપાયોનું અવલંબન કરીને મુક્તિસુખની પ્રાપ્તિ કરે છે એમા અંશમાત્ર સંશય નથી. બાહ્યધર્મચારેના મતભેદોમાં પરસ્પર ભિન્નધમીઓ રાગદ્વેષને વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મના અનુષાને કરે. જૈનવેદધર્મના અનુષ્ઠાને કરે, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રહ્મપદની–એક્ષપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમતાભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હોય તો પણ તે મુકિતપદને પામે છે. એમ કહેવું તે રજીસ્ટર સમાન છે. શ્રદ્ધાભક્તિનું સમાલંબન કરીને જે સર્વાની આજ્ઞાનુસારે કર્મવેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદને પામે છે. પરમાત્માની ગુરુની અને ધર્મની શ્રદ્ધાભક્તિવડે કર્તવ્ય કર્મ કરવાથી ચિત્તો કર્તવ્યકર્મમા સંચમ થાય છે અને તેથી આત્માની કર્મગદશા પરિપૂર્ણ પકવ થતા છેવટે સમતાગની પ્રાપ્તિ થાય છે. સર્વાની આજ્ઞાનુસારે કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે. પરીભાષાના સહજસૂમ વિચારોના અનુભવથી સર્વાની આજ્ઞાની ઝાખી આવે છે અને તેથી કર્તવ્ય કરવામાં આત્માર્પણ કરી શકાય છે. કર્મચાગ સંબંધી જેટલું કથવામા આવે તેટલું કથતા છતા પણ અનન્તગણું થવાનું બાકી રહેવાનું. જૈન શાસ્ત્રોમાં કિયાગ યાને કગ સબ ધી ઘણું કથાવામાં આવ્યું છે. પિંડમાં આત્માને તત્સંબંધી અનુભવ આવતાં બ્રહ્માનો અનુભવ આવે છે કર્મવેગ સંબંધી વિશેષ અનુભવ તે ખાસ શ્રી સદ્ગુરુની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે. કર્મયોગ સંબંધી તે તે કાલમા કર્મગીએ તે તે કાલાનુસારે અનેક પુસ્તક લખીને અનેક ભાષણ આપીને તથા અનેક કર્તવ્યકર્મો કરીને તે તે કાલના મનુષ્યોને અનુભવ આપે છે. હવે આ સંબંધી વિશેષ ન કથતા છેવટે સારરૂપ શિક્ષા કધવામાં આવે છે કે હે મનુષ્ય !! હે આત્મન !! સર્વ કર્મથી મુક્ત થવા અને અનંતસુખ પ્રસ કરવા માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મગ્યકર્તવ્ય કાર્યો કરવાથી અંતે પરમ શાતિ પ્રાપ્ત થવાની છે-એમ નિશ્ચય કર. ધર્મગ્યકર્તવ્યકર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામગોત્ર અને અન્તરાય એ અકર્મોને નાશ થાય છે કર્મમાં પ્રવૃત્ત થયા વિના તારો છૂટકે થવાને નથી-અWિદશાને અધિકાર પ્રાપ્ત થયા વિના કદાપિ કર્મવેગથી સક્ત થઈ શકાય તેમ નથી બ્રાહ્મણોએ, ક્ષત્રિયોએ વૈએ અને શુદ્રોએ ગs. કર્માનુસાર કમેને વ્યવસ્થિત સંબધ ન સાચવ્ય તથા ધામિકકર્મોને વ્યવસ્થિત સંબંધ ન સાચવ્યા તેથી ચાર વર્ષની પડતી થઈ તથા ત્યાગી મહાત્માઓએ ધાર્મિક કર્તવ્ય કાર્યોને પ્રવૃત્તિસંબંધ જે સ્વાધિકાર હતું તે ન સાચ તેથી વિશ્વમાં સુખશાતિની વ્યવસ્થા અસ્ત

Loading...

Page Navigation
1 ... 811 812 813 814 815 816 817 818 819 820 821