________________
(૧૫૬ )
શ્રી કાગ ગ્રંથ-સવિવેચન,
બાબતના વિકલ્પ અને સંકલ્પ કરવાથી સામાયિકલની વૃદ્ધિ થતી નથી. વિદ્યા - વ્યાપાર સેવા ક્ષાત્રકર્મ અને ધર્મકાર્ય કરવાના સમયે જે કાર્ય કરવામાં પ્રવૃત થવામાં આવ્યું હોય તેને મૂકી અન્ય કે જે તે વખતે અકર્તવ્યરૂપ હોય તેને વિકલ્પસંક૯પ કરવાથી તે તે કાર્યની હાનિ થાય છે અને આત્માની અવ્યવસ્થિત શક્તિ થઈ જાય છે. અને તેથી સ્વશક્તિને અત્યંત દુરુપગ થઈ જાય છે. અતઓવ આવશ્યક કર્તવ્યકાથે કરતી વખતે અન્ય બાબતેના સંકલ્પવિકલ્પને આવતાં જ શમાવવાની–દબાવવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ. કર્તવ્ય કાર્યમાં મનને રોકી રાખવાને પ્રતિદિન અભ્યાસ સેવ જોઈએ. અભ્યાસવડે ગમે તેવાં દુઃસાધ્ય કાર્યો પણ સુસા થઈ શકે છે. આવશ્યક áચકાર્યમાં જ ઉપગ રહે અને અન્ય બાબતોના સંકલ્પવિકલ્પ ન પ્રકટે તે માટે જે જે કાર્ય જે જે વખતે કરવામાં આવતું હોય તે તે પ્રસંગે તે તે કાર્યના સૂમ પ્રદેશમાં મનને રૂંધી રાખવું અને અન્ય બાબતમાં મન જાય તે મનને શિખામણ દઈ પાછું ખેંચી લેવું એવી રીતે કાર્યપ્રવૃત્તિમાં માનસિક પ્રતિક્રમણ કરીને દયાભ્યાસી થવું જોઈએ. જે મનુષ્ય ખા અન્ત કરણથી પ્રયત્ન કરે છે તે ઘણા અંશે આ બાબતમાં વિજય મેળવી શકે છે અને વિશ્વને આશ્ચર્ય પમાડે એવાં કાર્યો કરી શકે છે. જેમ જેમ આ બાબતને પરિપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે તેમ તેમ સ્વકાર્યમાં ઉપગ રાખવાની શક્તિની વિશેષ ખીલવણી થાય છે. જે જે યેગીઓ આ વિશ્વમાં સમર્થ થયા અને જેઓએ ધર્મને ઉદ્ધાર અને ધર્મને પ્રચાર કરી વિશ્વમા અમર નામ રાખ્યું છે તે ખરેખર કર્તકાર્યમાં એક સરખે ઉપગ રાખવાથી અને તે વિના અન્ય બાબતને સંક૯૫વિકપ ત્યાગ કરવાથી જ જાણવા. અધ્યાત્મશક્તિના અભ્યાસીઓ કર્તવ્ય કાર્યને ઉપગ રાખવાની ઘેષણ કરી રહ્યા છે. આત્મજ્ઞાનીઓ આત્મસ્વરૂપને ઉપગ રાખ્યા કરે છે અને તેની સાથે બાહ્ય કર્તવ્ય કાર્યને ઉપગ રાખીને પ્રવૃત્ત થાય છે. આત્મજ્ઞાની એવા કર્મચાગીએ સદ્ગુરુદ્વારા સ્વીકાર્ય પ્રવૃત્તિથી ભિન્ન અન્ય બાબતના સંકલ્પવિકલ્પ વારવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્મધ્યાન અને આત્મસમાધિ પ્રાપ્ત કરવામાં પણ અન્ય બાબતના વિકલ્પ નિવાર્યા વિના કદાપિ છૂટકે થવાનું નથી. જે જે લૌકિક વા લેકોત્તર આવશ્યક કાર્ય કરવાનાં છે તેમાં કાર્યસિદ્ધિ કરવાને માટે અન્ય બાબતોના વિકાસંકલ્પો ત્યાગ કરવાજ જોઈએ. શ્રી ભદ્રબાહ ઉમાસ્વાતિવાચક હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્ર વગેરે આચાચીએ લોકોત્તર ધર્મમાં અન્ય બાબતોના સંકલ્પવિકલ્પને ત્યાગ કરવાને વિશેષ અભ્યાસ સેવા, હતું તેથી તેઓ ધાર્મિક મહાકાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આધ્યાત્મિક મહતી ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરવામાં વિશ્વહિતાર્થે વા સ્વાત્મહિતાર્થે પ્રવૃત્ત થવામાં અનેક દોષાન ધારવામાં અને આત્મશકિત ખીલવવામાં જે કાર્યો કરવામાં આવે તેનો ઉપયોગ અને અન્ય બાબતના વિકલ્પસંકલ્પ કરવાની ટેવને વારવી જોઈએ. અન્ય બાબતના વિક*