________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
ધતુ-દર્પણ
૨૧. છે. તેમાં મધુર, ખાટે, ખારો એ ત્રણ રસ વાતનાશક છે. કષાય, કડ અને મધુર એ ત્રણ રસ પિત્તની શક્તિ કરે છે. કડ, તીખો અને કષાય એ ત્રણ રસ કફનાશક છે; તેમ તીખો, કડવો અને કષાય એ ત્રણ રસ વાયુકર્તા છે. તીખે, ખારે અને માટે એ ત્રણ રસ પિત્તકર્તા છે અને મધુર, ખાટે અને ખારે એ ત્રણ રસ કફ કરનારા છે. પણ જે રસ વાયુની શાંતિ કરનાર હોય, તેમાં જે રૂક્ષતા, શીતળતા અને હલકાપણું હોય તે તે વાયુને હરી શકતો નથી. જે રસ પિત્તને હરવાવાળા હોય તેમાં જે તીણતા, ઉષ્ણતા અને હલકાપણું હોય તે તે પિત્તને મટાડી શકતું નથી. જે રસ કફને હરવાવાળે છે, તેમાં જે સ્નિગ્ધતા, ભારેપણું અને શીતળતા હોય, તે તે કફને શમાવી શકતું નથી. એ પ્રમાણે ઉણ–વીય વસ્તુઓથી વાયુ તથા કફ નિવૃત્ત થાય છે અને પિત્ત વધે છે, શીતવીર્યથી પિત્તની શાંતિ થાય છે, તેમ વાયુ તથા કફ વધે છે. ઉષ્ણવીર્યથી ભ્રમ, તૃષા, ગ્લાનિ, સ્વેદ તેમજ દાહ થાય છે અને વાયુ તથા કફ શાંત થાય છે. શીતવીર્યથી આનંદ, જીવન, મળાદિને સ્થંભ અને રક્તપિત્તની સ્વચ્છતા થાય છે. મધુર અને ખારા રસની અધિકતાથી મધુર પાક થાય છે. ખાટા રસને ઘણું કરીને ખાટે પાક થાય છે. તીખા, કડવા અને કષાય રસને ઘણું કરીને તીખો પાક થાય છે. એટલે મધુર પાક કફને ઉત્પન્ન કરે છે, તેમ વાયુ તથા પિત્તનું હરણ કરે છે. માટે પાક પિત્તને ઉત્પન્ન કરે છે અને વાયુ તથા કફનું હરણ કરે છે. પાક વાયુને ઉત્પન્ન કરે છે અને પિત્ત તથા કફને નાશ કરે છે. એ પ્રમાણે જોવાથી આપણને આકાશમાં કયું તત્તવ વધેલું છે અને તે તત્વ શી રીતે વધવા પામ્યું, તેને ખુલાસો કરવાનું ઠીક પડશે. એટલે પૃથ્વી અને જળતત્તવ મળવાથી મધુરરસ ઉત્પન્ન થાય છે. પૃથ્વી અને અગ્નિતત્ત્વ મળવાથી ખાટા રસ ઉત્પન્ન થાય છે. જળ
For Private and Personal Use Only