________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - લવિંગાદિ ગુગળ –આકડાનાં ફૂલની અંદરની મીજ શેર એક, ગૂગળ શેર બે અને લવિંગ શેર એક લઈ પ્રથમ લવિંગને ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં ગૂગળ મેળવી, આકડાનાં ફૂલની મજ મેળવી, ત્રણેને ભેગાં ખાંડવાં. પછી એક પિંડે બનાવી, તેને એક રાત વાસી રહેવા દઈ, બીજે દિવસે તે પિંડાની આસપાસ આકડાનાં પાતરા લપેટીને, કપડેથી બાંધી, ઉપર મટેડું ચોપડી, તે પિંડાને થોડાં છાણાંમાં મૂકી બાફી કાઢ. બફાયા પછી તેને ખાંડી રાણી જેવડી ગેળીઓ વાળવી. તે ગળીને તડકે સૂકવી રાખી મૂકવી. જે માણ સને કાયમને મંદાગ્નિ હોય, ખાધેલું પચતું ન હોય, પેટ કઠણ રહેતું હોય, ઝાડે ઊતરતે ન હોય, શરીરમાં નબળાઈ દેખાતી હૈય, પગે કળતર થતી હોય, તેને બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી ઉપરના તમામ રોગો મટી જાય છે.
સંજીવનગુટિકા-વાયવડિંગ, સૂંઠ, પીપર, હીમજીહરડે આમળાં, બહેડાં, ઘેડાવજ, ગળે, વછનાગ અને ભિલામાં એ સર્વ સમભાગે લઈ ખાંડી ગાયના મૂત્રમાં વટાણા જેવડી ગોળી વાળવી. પછી અજીર્ણ ઉપર આદુના રસમાં એક ગોળી, ગુમ ઉપર બે ગોળી, સાપના ઝેર ઉપર તથા સન્નિપાત ઉપર ત્રણ ગોળી આપવી, એવું શારંગધરમાં લખ્યું છે. જો કે એટલું બધું કામ એ ગેળી કરતી નથી, પરંતુ એ ગળી જેને અજીર્ણ થયું હોય, ઊલટી કરવા માટે જીવ ગભરાતો હોય, ખાલી ઊબકા આવતા હોય અથવા ઊલટી થતી હોય તે, એલચી નંગ બે છેડાં સાથે તથા ગળી નંગ બે પાણીમાં વાટી પાવાથી તરત અસર થાય છે. અમે એ ગેળીમાં સઘળાં વસાણાં જેટલાં ભિલામાં નાખી ગોળી બનાવીએ છીએ, પણ ખાંડયા પછી ભિલામાંનું તેલ એટલું બધું વધી પડે છે કે, તેની ગોળી વળતી નથી; તેથી એ વસાણાંને ભિલામાં સાથે ખંડાય એટલું ખાંડી તેને ગોમૂત્રમાં પલાળી તડકે
For Private and Personal Use Only