________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુચિ, ઊલટી અને તુષારેગ પેપ નહિ, પરંતુ પિત્તશામક અને વાતનાશક કવાથ, ચૂર્ણ, ચટણીઓ અને રસોને ઉપયોગ કરે એટલે તૃષાની શાંતિ થશે. પણ જે તૃષા ભયંકર રૂપમાં કઈ રોગના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયેલી હશે તે તે રોગી યમદ્વારે જશે. એ પ્રમાણે અરુચિ, ઊલટી અને તૃષાના પ્રયોગો ચિકિત્સકે બુદ્ધિપૂર્વક કરવાના છે અને આ ત્રણે રેગો ઘણેખરે ઠેકાણે બીજા રોગોના ઉપદ્રવ તરીકેજ માલૂમ પડે છે અને તે તે રોગની શાંતિ થયે, શાંત થાય છે, એટલા માટે ચિકિત્સકે રોગનું કારણ તપાસી તે પ્રમાણે લેજના કરવી. अरुचि, ऊलटी तथा तृषारोगना केटलाक उपायो
૧-વૈદ્ય ધીરજલાલ દલપતરામ-સુરત ૧. ઝેરી કે પરું બે વાલ ઘસી જરા સાકર નાખી પીવાથી ઊલટી મટે છે. - ૨. નાળિયેરની કાચલી, ભાતની ધાણી, સાકર અને ધાણા બબ્બે વાલને આશરે ઘસીને વાટી પીવાથી ઊલટી બંધ થાય છે.
ર-વૈદ્ય નંદલાલ મોરારજી-કંથારિયા ઊલટી માટે-કપાસની જડની સાંઠીની રાખ તે બે ભાર તથા કરોળિયાનું પડ પાણી સાથે પાવાથી ઊલટી બંધ થાય છે.
વૈદ્ય જમિયતરામ કેશવરામ–મુંબઈ પલાળેલ ચૂને તથા સૂરેખાર સમભાગે લઈ લીંબુના રસમાં ઘૂંટી વટાણા જેવડી ગળી વાળી, કાળી દ્રાક્ષને પાણી જોડે આપ વાથી ઊલટી બંધ થાય છે. યકૃતવૃદ્ધિ અને અમ્લપિત્ત ઉપર પાણી સાથે આપવાથી ઘણી ફાયદાકારક નીવડેલી છે. દરદ તથા દરદીની સ્થિતિ જોઈ એકથી બે ગોળી દિવસમાં બેથી ત્રણ વખત આપવી.
For Private and Personal Use Only