Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 720
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુરોગ ૬૮૭ કરાવક કરી તેમાં સૂંઠમરીનું ચૂર્ણ મેળવી ઘુંટવું. પછી હિંગળકને જુદે વાટી તેમાં મેળવી ખૂબ ખાંડીને ચણા જેવડી ગોળી કરવી. વાયુના રોગવાળાને એકેક ગોળી દિવસમાં ત્રણ વાર આદુના રસમાં આપવાથી વાયુ મટે છે. ૨. હુતાશન રસ -સુંઠ, મરી, પીપર, પીપળી મૂળ, લવિંગ, તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, વાકુ, અજમે, પાનની જડ, વછનાગ અને હિંગળક એ બધું સરખે વજને લઈ, ખાંડી વસ્ત્રગાળ કરી, પાનના રસમાં વાટતાં વાટતાં સૂકવવું. તેમાંથી રતી ૧ થી વાલ ૧ સુધી મધ અને પીપર સાથે ચાટવાથી સઘળી જાતને પેટના વાયુ મટે છે. ૩. લસણુદિ ગુટિકાર-લસણની કળી તેલા ૫, ગૂગળ તેલા ૧૦, લવિંગતેલા ૫, પીપર તેલા ૨, મરી તેલે ૧, રાસ્ના તેલા ૩. દિવેલીની મીજ તેલા ૩ એ બધાને સાથે ખાંડી એકરસ કરી ચણી બોર જેવડી ગળી વાળવી. દરરોજ દિવસમાં ત્રણ વાર અકેક ગેળી પાણી સાથે ખવડાવવાથી સંધિવા, લકવા અને સઘળી જાતના વાયુ નરમ પડે છે. ૪. બળબદ્ધ રસ-રાતે બેળ તેલા ૪, ગૂગળ તેલા , સૂંઠ, મરી, પીપર, અકલગરો, જાયફળ, આસન, હરડાં, બહેડાં, આમળાં, ટંકણ, પારો અને ગંધક એ સર્વ એકેક તેલ લઈ પારા ગંધકની કાજળી કરી, બળ અને ગૂગળને પાણીમાં નાખી ખલી એકરસ કરવું. તેમાં ઉપરનાં વસાણું મેળવી એક દિવસ ખલવું અને ચણીબોર જેવડી ગોળીઓ વાળવી. આ ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે અથવા દિવેલાનાં મૂળના ઉકાળા સાથે એકેક અથવા બબ્બે આપવાથી કમ્મર, સાંધા અને આખા શરીરને દુખા મટે છે. ઉપરાંત જે સ્ત્રીને અટકાવ ચેખે ન આવો હોય તેને અટકાવ ખુલાસે આવે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736