Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 716
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુગ અડદના ઉકાળામાં તલનું તેલ નાખી તેલ બળતાં સુધી ઉકાળી, તે તેલ ચાળવાથી લકવાના દરદને ઘણો ફાયદો કરે છે. જે કે નિદાનશાસ્ત્રમાં વાયુના એંશી પ્રકાર લખેલા છે અને વાયુનું વર્ણન કરતાં વિદેષસિદ્ધાંતના વિચાર પ્રમાણે વાયુના અસંખ્ય ભેદ પાડી શકાય છે, પરંતુ એંશી પ્રકારના વાયુ પૂરેપૂરા થતા હેય એવું ઘણે ભાગે જોવામાં આવતું નથી. પણ તે પૈકી લકવા, આદિંતરેગ, સંધિવા, આક્ષેપક, અપતંત્રક, ગૃધ્રસી, વિશ્વાચી, જિહાāભ, મન્યાર્થભ, કેખુશીષ, અપબાહુક, ખંજ, પંગુ, પાદહર્ષ, ખલ્લી, પાટકટક વગેરે વાયુના રેગ થતા જણાય છે. પરંતુ તેની જુદી જુદી ચિકિત્સા કરવામાં આવતી નથી, પણ વાયુવેગ પર ગૂગળ ઘણી સારી અસર કરે છે. હવે વાયુ જ્યારે કફને આશરે જઈ મિથ્યાગ ઉત્પન્ન કરે છે, ત્યારે પિત્તને હીનવેગ થાય છે, તેથી જે વાયુઓ જણાય છે તેમાં ગૂગળ કામ કરી શકતા નથી, પણ તેવા રંગમાં રસસિંદૂર, મલસિંદૂર, તાલસિં. દૂર, શિલાસિંદૂર વગેરે ઘણું સારું કામ બજાવે છે. વાયુ ઉપર ચોળવાને મલમ-વિલાયતી કપૂર તેલા ૫, ચેખું ટરપિટાઈન તેલા ૨૦ અને બારસેપ નામને પીળે સાબૂ તેલ ન લઈ પ્રથમ કપૂરને ઝીણું વાટી તેમાં સાબૂ મેળવી પછી ટરપેન્ટાઈન નાખી ઘૂંટવું એટલે કપૂર મળી જશે. એ મલમ પેટમાં દુખતું હોય તે પેટ પર ચોળાય, શૂળ મારતું હોય તે શૂળ પર ચોળાય. તેવી રીતે જ્યાં જ્યાં વાયુનું દરદ માલમ પડતું હોય ત્યાં ત્યાં ચેળવાથી ઘણું ફાયદો થાય છે. સેજાની ગળી-હીમજીહરડે શેર ૧, આમળાં શેર , સૂરેખાર શેર , મેરથુથુ નવટાંક લઈ પ્રથમ હરડે, આમળાં અને સૂરોખારને ઝીણાં ખાંડી, મેરથાનું પાણી પેલે ભૂકે પલળી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736