Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 713
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ની ગળી તડકે સૂકવી શકાય છે અને આ અમૃતાદિ ગૂગળની ગળી તડકે સૂકવવાથી નરમ થતી જાય છે, એટલા માટે એ ગોળીને તડકે નહિ સૂકવતાં છાંયામાં સૂકવવી. જો કે એ ગૂગળને ખાવાનું પ્રમાણુ એક તેલાનું લખેલું છે, પણ એક તેલે ખાઈ શકાતું નથી. પરંતુ ઉપર લખ્યા પ્રમાણેની ગોળી એકેક અથવા બબ્બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી સંધિવા, વિસ્ફ ટક, પ્રમેહ, લકે વગેરે વાયુનાં દર્દો કે જેમનું મૂળ ઉત્પત્તિસ્થાન ગરમીમાંથી હેાય છે, તેના ઉપર બહુ સારી અસર કરે છે. પરંતુ એ ગોળી ખાવાથી કેટલાક રોગીને પાતળા ઝાડા થાય છે અને કેટલાકને પેટમાં બહુ દુખે છે, તેટલા માટે એ ગોળી ધ્યાન પહોંચાડીને આપવાની છે. જે ઉપદ્રવ કરે તે માત્રા ઓછી કરીનાખવી. કિશોર ગૂગળ-હરડાં, બહેડાં, આમળાં, ગળો એ ચાર વસ્તુ પાંચ પાંચ શેર લઈ ડી ખાંડી, લોખંડના કડાયામાં આઠ મણ પાણી મૂકી ઉકાળી બે મણ પાણી રહે ત્યારે ગૂગળ શેર પાંચ લઈ તેને પાણીમાં એક દિવસ પલાળી રાખી, બીજે દિવસે ઉકાળી તે પાણી પેલા ઉકાળામાં મેળવવું એટલે ગૂગળમાંનું મટેડું, કાંકરી વગેરે જુદાં પડી જશે. પછી તે બેઉ ઉકાળાને ભેગા મેળવી ચૂલે ચડાવી, તેમાં હરડાં, બહેડાં, આમળાંને ગળો એ ચાર ઔષધ દશ તેલા અને સૂંઠ, મરી, પીપર એ ત્રણે ઔષધ પાંચ પાંચ તેલા, વાયવડિંગ આઠ તેલા, દાંતીનાં મૂળ ચાર તોલા અને નસેતર ચાર તેલા એ સર્વેને લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાકમાં મેળવી, આગળ બતાવેલી ગળી પ્રમાણે અરીઠાની મીજ જેવડી ગળી વાળી, તે ગોળી દિવસમાં ત્રણ વખત બબ્બે આપવાથી વાયુના તથા ગરમીના ઘણા રોગને મટાડે છે. પરંતુ માથાના દુખાવાના લાંબા કાળના રાગ ઉપર એટલે ઝામરવાયુ, માથાનું શૂળ, માથું પોચું પડી જાય છે તે, અને માથાને હાથ અડકાડી શકાતો ન હોય For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736