________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૦૧
ઢાંકી દે અને ચૂલા ઉપર ચડાવી નીચે મંદ અગ્નિ આપ; એટલે તાપથી પારે ઊડી જશે અને લીલાશ પડતી તે જસતની પીળી ભસ્મ થશે. તે ભસ્મને ખરલમાં નાખી કુંવારના રસમાં ઘૂંટી, સરાવસંપુટમાં મૂકી, તેને ગજપુટ અગ્નિ આપો. સરાવસંપુટમાં મૂકતી વખતે એટલી વાત ધ્યાનમાં રાખવી કે, નીચલા સરાવમાં ભસ્મ ભરાય અને ઉપલું સરાવ ખાલી ઢંકાય. તેમ ભઠ્ઠીમાં મૂકતાં ગજપુટને ખાડો પ્રથમ અડાયા છાણાંથી પાણે ગજ ભરે અને તે ઉપર કપડમટ્ટી કરેલા સરાવ સંપુટને ભસ્મવાળા ભાગ નીચે રહે તેવી રીતે ગોઠવીને બાકીનાં છાણાં તેની ઉપર ગોઠવીને અગ્નિ સળગાવો. ભઠ્ઠી બળી જઈ ઠંડી પડી જાય, એટલે સરાવ સંપુટને કાઢીને ફરી કુંવારના રસમાં ઘૂંટીને ફરી ગજપુટ આપ. જેમ જેમ ગજપુટ આપતા જઈશું તેમ તેમ ભસ્મ ખીલતી જશે, એટલે પ્રથમ જે તે એક સંપુટમાં સમાતી હશે તે બીજી વાર બે સંપુટની જરૂર પડશે. એવી રીતે વીસ વખત ગજપુટ આપવાથી ભસ્મ ખીલીને રતાશ પડતા પીળા રંગની થશે, એટલે ખપેરભસ્મ તૈયાર થશે. - બંગભસ્મ કલાઈ પાટને શેર પાંચ લઈ, તેને લેખંડની પણીમાં મૂકી, નીચે તીવ્ર અગ્નિ આપી તે ઓગળી જાય એટલે એક ઇંચ જાડી વડની મૂળી લઈ તે વડે ઘૂંટતા જવું અને તેમાં થોડાં થોડાં કડવા સેકટા (સરગવા)નાં પાતરાં નાખતા જવાં. એટલે પાંચ શેર કલાઈમાં શેર એક પાતરાં નાખીશું એટલે તેની ભસ્મ થઈ જશે. પછી તે ભસ્મને કાઢી લઈ બીજી પેણીમાં નાખી, એક શેર આમળાંને સેળ શેર પાણીમાં ઉકાળી, ચાર શેર પાણી રહે તેટલે ઉકાળે તેમાં પચાવ. તે પછી ચાર શેર ગેમૂત્ર પચાવવું. તે પછી એક શેર તલનું તેલ પચાવવું. એટલે કલાઈ ની શુદ્ધિ કરતાં, વખતે ભયંકર પરિણામ આવે છે, તે પરિણામ
For Private and Personal Use Only