________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુરોગ, કમળે અને રક્તપિત્ત પ૬૭ ૩. દિવેલાનાં પાતરાંને રસ તોલા 8 ગાયના દૂધમાં મેળવી પાવાથી કમળો મટે છે.
૪. જે દિવેલાનાં પાતરાનો રસ તેલા ૨ દિવસમાં ૧ વાર પીએ અને જુવારને રેટ તથા ગોળ સિવાય કાંઈ ખાય નહિ અને બીજે દિવસે ખીચડી અને ઘી ખાય, તે મટે છે.
૫. દેવડાંગરીના ફળનું ચૂર્ણ વસ્ત્રગાળ કરી ૧ ચખાપૂર સૂંઘવાથી નાકેથી પીળે સાવ થઈ કમળો મટી જાય છે.
૭-ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. સોનાગેરુ, આમળાં અને હળદર પાણીમાં ઘસી આંખમાં આંજવાથી કમળો મટે છે. ૨. લીંબડાને રસ મધ સાથે પીવાથી કમળો સારો થાય છે.
૮-વૈદ્ય આણંદજી સવજી-ઉના શેકેલ કડુ અને સાકર બન્ને સમાન ભાગે લઈ, વાટી સવારસાંજ પાવલીભાર ચંદ્રપ્રભા સાથે કમળામાં આપવાથી મટે છે.
૯-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ-સુરત કમળા માટે –પાપડિ ખારો તથા નવસારનું સમભાગે ચૂર્ણ કરી એક વાલ દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી કમળો મટે છે. પરેજીની જરૂર નથી. ૧૦-વૈદ્ય ડાહ્યાભાઈ મનસુખલાલ પુરોહિત-સણસેલી
કમળા માટે –કળીચૂને બેથી ત્રણ વાલ લઈ માખણ બેથી ત્રણ રૂપિયાભારમાં મેળવી, કમળાને દરદી ચાર-છ દિવસ ચાટે તો અવશ્ય કમળે મટી જાય છે, અનુભવસિદ્ધ છે.
For Private and Personal Use Only