Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004991/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ महोपाध्याय श्रीम यशोविणयका विरचित द्रव्य-गुएपर्यायनी राम (भाग-१) વિવેચન : આચાર્ય વિજય અભયશેખરસૂરિ For Privates Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ણમોત્થ ણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય-મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર વિરચિત સ્વોપજ્ઞ ટબાથી અલંકૃત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ-૧ (ઢાળ ૧ થી ૮) વિવેચન-સંપાદન તપાગચ્છીય શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત્-જયશેખરસૂરિ શિષ્ય આચાર્ય વિજય અભયશેખરસૂરિ : પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, ૩૮૭૮૧૦. મૂલ્ય ઃ રૂ।. ૧૫-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્થ સહયોગ શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ લક્ષ્મીપુરી, કોલ્હાપુર (જ્ઞાનખાતેથી) પ્રાપ્તિસ્થાન દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦. ડૉ. હેમંતભાઈ હસમુખભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસા., ફતેહપુરા બસસ્ટેન્ડ સામે, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૨૬૬૩૦OO૬ Nિ જગદીશભાઈ હીરાચંદ ઝવેરી ૪૦૩, ગિરિછાયા, મોતીપોળ, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ નીતિનભાઈ અ. ધામી એ-૬, શ્યામસર્જિત એપા, મથુરદાસ રોડ, ચવ્હાણ હાઈસ્કૂલની પાસે, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. ફોન : ૨૮૦૭૮૮૩૩ પ્રથમ પ્રકાશન વિ. સં. ૨૦૬૧ નોંધ : આ પુસ્તક જ્ઞાનખાતેથી છપાયું છે. માટે એનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવ્યા વિના ગૃહસ્થ એની માલિકી કરવી નહીં. ભરત ગ્રાફીક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ કોલ્હાપુર-લક્ષ્મીપુરી સ્થિત શ્રી મનસંતુષ્ટ પ્રાસાદના મૂળનાયક શ્રી મુનિસુવતસ્વામી ભગવાન પ્રાણપ્રતિષ્ઠાચાર્ય : સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. . Page #5 -------------------------------------------------------------------------- ________________ કર્મસાહિત્ય નિષ્ણાત સુવિશુદ્ધ બ્રહ્મચારી સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ના અનન્ય કૃપાપાત્ર પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. an Education International & per USUL gainerar Tu Gaan Page #6 -------------------------------------------------------------------------- ________________ કt ! સમર્પણ વર્તમાનકાલીન હજારો બુદ્ધિપ્રધાન યુવાનોને શ્રી જિનોક્ત જ્ઞાન-ક્રિયામય મોક્ષમાર્ગની મિ શ્રદ્ધા પેદા કરીને એ માર્ગે પ્રવર્તાવનારા યુવાન પ્રતિબોધક... સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા... ગુરુદેવ ! આપશ્રીનું કેવું આરાધક-વિનીત વ્યક્તિત્વ ! કે આપશ્રીના ગુરુદેવ ત્રિશતાધિક શ્રમણ સાર્થાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. નું આપશ્રીના દિલમાં તો અનન્ય સ્થાન હતું જ, પણ તેઓશ્રીના દિલમાં પણ આપશ્રીનું ઉચ્ચ સ્થાન હતું. એટલે જ તો, કે પોતાના અનેક વ્યાખ્યાનવાચસ્પતિ શિષ્યો હોવા છતાં તેઓશ્રીએ પોતાના છેલ્લા ૩૫ ૩૫ વર્ષ સુધી આપશ્રીને જ સાથે રાખ્યા.. આપશ્રીના “દિવ્યદર્શન' સાપ્તાહિકને અનેરું પીઠબળ આપ્યું. આપશ્રી દ્વારા શરૂ થયેલી શિબિરને કેટલાકનો વિરોધ હોવા છતાં જબરદસ્ત સમર્થન આપ્યું, જેના મીઠા ફળ સમસ્ત સંઘ અને એ વિરોધી વર્ગ પણ આજે ચાખી રહ્યો છે. જ્યારે ૨૫ મેધાવી યુવાનું નવા સાધુઓ તૈયાર કરવાનો તેઓશ્રીએ સંકલ્પ કર્યો ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે તેઓશ્રીએ પસંદગીનો કળશ આપશ્રી પર જ ઢોળ્યો. નીચેની બાબતોમાં આનાથી વધારે પ્રબળ બીજું કયું પ્રમાણ જોઈએ? આપશ્રીનું સંયમ નિર્મળ હતું... આપશ્રીનો બોધ વિશદ હતો... આપશ્રીનું નિરૂપણ શાસ્ત્રાનુસારી હતું.. આપશ્રી દ્વારા સંઘને અપાતું માર્ગદર્શન શાસનદષ્ટિપૂર્વકનું હતું, નહીં કે અહંકાર-સ્વાર્થવ્યક્તિગત લાલસા વગેરેના કારણે શાસનદ્રોહી.. ગુરુદેવ ! આપશ્રીએ સંસારમાંથી ઉદ્ધાર કરીને સંયમ તો આપ્યું જ છે... અપ્રમત્ત આરાધક વ્યક્તિત્વ કેવું હોય એનો અનુપમ આદર્શ પણ આપ્યો છે... આપશ્રીના અનન્ય ઉપકારોની સ્મૃતિ સાથે, આપશ્રીની અનરાધાર કૃપાવૃષ્ટિની આ નીપજ.. આપશ્રીના જ કરકમલમાં સમર્પિત કરીને ધન્યતા અનુભવું છું. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય XX j good કોલ્હાપુર લક્ષ્મીપુરી સ્થિત મનઃસંતુષ્ટપ્રાસાદના મૂળનાયક દેવાધિદેવ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન્ આદિ જિનબિંબના પ્રાણપ્રતિષ્ઠાચાર્ય સુવિશાળગચ્છનિર્માતા સિદ્ધાન્તમહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ ના અનન્ય કૃપાપાત્ર આજીવન અંતેવાસી સકળસંઘહિતૈષી ન્યાયવિશારદ સ્વ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સા. ના વરદહસ્તે દીક્ષાશિક્ષા પામેલા વિર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મ. સા. ની તાર્કિક-સૂક્ષ્મબુદ્ધિથી અનેક ગ્રન્થોના ઊંડાણપૂર્વકના અપૂર્વ રહસ્યોદ્ઘાટન કરતાં વિવેચનો શ્રીસંઘને પ્રાપ્ત થયા છે... આ ગ્રન્થવિવેચનશ્રેણિમાં એક નવો મણકો છે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થનું વિવેચન... તર્કાનુસારી ને છતાં પૂર્ણ શાસ્ત્રાનુસાર... આવી સૂક્ષ્મ ચિંતનપૂર્વકની અનુપ્રેક્ષા કેવા ઢગલાબંધ અપૂર્વ રહસ્યો ખોલી આપે એ જાણવાનો ને માણવાનો શ્રી સંઘને અપૂર્વ લહાવો આ વિવેચન દ્વારા મળી રહેશે એવી નિઃશંક શ્રદ્ધા છે... શ્રી જૈનશાસને દ્રવ્યાદિના સ્વરૂપ અંગે પાથરેલા અપૂર્વ પ્રકાશને પુનઃ પ્રકાશમાં લાવનારા આવા અન્ય પણ વિવેચનોનો-ગ્રન્થોનો શ્રી સંઘને તેઓશ્રી તરફથી વારંવાર ઉપહાર મળતો રહે એવી નમ્ર છતાં આગ્રહપૂર્ણ પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના. આ ગ્રન્થના પ્રકાશનનો સંપૂર્ણ અર્થસહયોગ કોલ્હાપુરલક્ષ્મીપુરી સ્થિત શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, સંઘે પોતાના જ્ઞાનનિધિમાંથી લઈને એક પ્રશસ્ય કાર્ય કર્યું છે એ બદલ એ સંઘને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ગ્રન્થનું સુંદર મુદ્રણ કરવા બદલ ભરત ગ્રાફિક્સઅમદાવાદ પ્રેસના માલિક શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈને તેમજ પૂરા સ્ટાફને અભિનંદન. જિજ્ઞાસુઓ આ પ્રકાશનના સહારે પોતાના બોધને વિશદ કરે અને એના દ્વારા બોધિને નિર્મળ કરે એવી વિનંતી સાથે, દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલમંડન ઋષભદેવાય નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ઐ નમઃ સિદ્ધમ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ તત્ત્વપ્રકાશ પૂર્વેનો ઉજાશ... વરસાદમાં ભીના થવાથી શરદી થઈ. તેથી છગન વિચારમાં ચઢ્યો. મને શરદી કેમ થઈ? વિચારતા ખ્યાલ આવ્યો કે વરસાદમાં ભીના થવાથી શરદી થઈ. એના પર વિચાર્યું. હું ભીનો કેમ થયો ? હા, છત્રી લીધા વગર ગયો માટે. છત્રી કેમ ન લીધી ? ઓહો, પત્નીએ આપી નહીં તેથી. પત્નીએ મને બહાર જતા છત્રી કેમ ન આપી ? અરે ! મારે તો પત્ની જ નથી. કેમ નથી ? કારણ કે હું પરણ્યો જ નથી. કેમ પરણ્યો નથી ? કારણ કે પૈસા નથી. તો હવે આ બધા પ્રશ્નોનો સાર એ આવ્યો કે હવે મારે વહેલી તકે પૈસાદાર કન્યાને પરણી જવું જોઈએ અને છગન શરદીની નાની ચિંતામાંથી પૈસાદાર કન્યાની મોટી ચિંતામાં પડ્યો. છગને એક મુદ્દા પરથી કેટલું બધું લાંબુ વિચારી લીધું ? છતાં આ ચિંતન નથી, ચિંતા છે. આ વિચારવામાં છગન એકાગ્ર થઈ ગયો હશે, પણ એ ધર્મધ્યાન નથી, આર્તધ્યાન છે. એકાગ્રતા એ ધ્યાન છે, પણ જે કલુષિત ચિત્તથી થાય અને જેના અંતે જીવની ચિંતામાં વધારો થાય એ અનંતકાળથી જીવને સિદ્ધ થયેલું આર્તધ્યાન છે. આ ધ્યાનના પરિણામે સંક્લિષ્ટ પરિણામવાળો થયેલો જીવ તત્કાલમાં સંક્લેશના કારણે ને ભવિષ્યમાં ખોટા બંધાયેલા કર્મોના કારણે દુઃખની પરંપરા પામે છે. આની સામે પરમાત્માએ ધર્મધ્યાન અને શુક્લધ્યાન બતાવ્યા છે. આ ધ્યાનથી જીવ પ્રસન્નતા, સમતા, સમાધિ પામે છે, ચિત્ત સ્વસ્થ બને છે. અનંતકર્મોની રાશિ ક્ષણવારમાં નાશ પામે છે. જેમ સોનાના ગઠ્ઠાને મોટા, પછી તેથી નાના, પછી તેથી નાના... એમ વધુ ને વધુ નાના-સૂક્ષ્મ થતાં છિદ્રમાંથી પસાર કરતાં કરતાં છેવટે બારીક અને લાંબા તાર તૈયાર થાય છે. એમ જિનકથિત પદાર્થોને ગુરુગમથી પ્રાપ્ત કરવા એ સોનાના ગઠ્ઠા સમાન છે. પછી પોતાની પ્રજ્ઞારૂપ વધુ ને વધુ સૂક્ષ્મ છિદ્રમાંથી એને તપાસવારૂપે - અલગ/અલગ સંદર્ભથી મૂલવવારૂપે તાવવામાં આવે, ત્યારે એ પદાર્થો અત્યંત સૂક્ષ્મ, અત્યંત દૂરના સ્વરૂપે પણ પ્રગટ થાય છે. જૈનશાસનમાં આ રીતે ચિંતન-અનુપ્રેક્ષાના માધ્યમે ધ્યાન પર પહોંચવા માટે રોમિટરિયલ રૂપે ઢગલાબંધ પદાર્થો પિરસવામાં આવ્યા છે. ‘ચિંત' ધાતુ પરથી બનેલી ચિંતા ચિતા સમાન બાળનારી છે, જ્યારે એ જ ધાતુ પરથી બનેલું ‘ચિંતન’ અમૃતાંજન સમાન છે. સમગ્ર આત્મપ્રદેશોને અપૂર્વ શાતા-પ્રસન્નતા આપનાર બને છે. આવું ચિંતન એકવાર થાય એ અધ્યાત્મ છે. વારંવાર થાય, ત્યારે જીવ ભાવિત થતો હોવાથી ભાવના કહેવાય છે અને એમાં જ્યારે એકાગ્રતા-તીવ્રતા વધે છે ત્યારે એ ધ્યાનરૂપ બને છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ માટે ચૌદપૂર્વધરો અને ક્ષપકશ્રેણિમાં ચડેલા શુક્લધ્યાનીઓ પણ જે દ્રવ્ય-ગુણ-પર્યાયનો આધાર લે છે એના આંશિક પણ આપણી અપેક્ષાએ સૂક્ષ્મ સ્વરૂપાદિનો નિર્દેશ અનન્ય પ્રતિભાસંપન્ન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામના ગ્રંથમાં કર્યો છે. એમણે જે રચના સરળતાથી-સહજતાથી કરી છે, તે સમજવા આપણી પ્રજ્ઞા ટૂંકી પડે. તેથી એના પર પોતે જ ગુજરાતીમાં ટબો રચ્યો છે. તો અન્ય મહાત્માએ સંસ્કૃતમાં ટીકા રચી છે. વર્તમાનમાં ગુજરાતીમાં પણ ઘણા લેખકોએ વિવેચન લખ્યા છે. પણ ગ્રન્થની પંક્તિ-પંક્તિ અને શબ્દ-શબ્દને ન્યાય આપવો હોય તો, * જૈન-જૈનેતર દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ જોઈએ. * શ્વેતામ્બર-દિગંબર આમ્નાયોના અંતસ્તલ સુધી પહોંચવાની વેત જોઈએ. * આગમિક-પ્રાકરણિક પદાર્થોનો ગુરુગમથી ઊંડો બોધ જોઈએ. * સ્વયં તે-તે પદાર્થો અંગે સૂક્ષ્મતાથી ચિંતન-અનુપ્રેક્ષા કરેલા હોવા જોઈએ. * સૂક્ષ્મ પ્રજ્ઞા-ઉત્તમ પ્રતિભા, અદ્ભૂત ઉન્મેષોનો પ્રકાશ પાથરતી ગુરુકૃપા જોઈએ. મારા પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવ શ્રી વિ. અભયશેખરસૂરીશ્વરજી મહારાજનું પ્રકાશિત થઈ રહેલું પ્રસ્તુત વિવેચન જોવાથી આ વાતની મહત્તા સમજાશે. પૂજ્યશ્રી જન્મજાત વિશિષ્ટ પ્રજ્ઞાપ્રતિભાના સ્વામી છે. એજીનીયરીંગ સુધીનો વ્યાવહારિક અભ્યાસ, ગુરુસમર્પિત ભાવ સાથે ગુરુનિશ્રામાં જૈન-જૈનેતર ન્યાયગ્રન્થોનો તલસ્પર્શી અભ્યાસ, આગમ-પ્રકરણોમાં મેળવેલી માસ્ટરી, કર્મપદાર્થોના ચિંતનથી સતત અનુપ્રેક્ષામય બની ગયેલી જ્ઞાનપરિણતિ અને દરેક પદાર્થ-શબ્દનો ઊંડાણભર્યો સ્પષ્ટ બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અન્વેષણ કરવાની વૃત્તિ. આ બધાના સંમિશ્રણથી તેઓ સમગ્ર જૈનજગતમાં સૂક્ષ્મતત્ત્વચિંતક, દરેક જિનવચનના ઐદંપર્યાર્થ સુધી જનારા, અદ્ભુત પ્રતિભોન્મેષના સ્વામી તરીકે પ્રસિદ્ધ છે. એમણે આ ગ્રંથપર વાચના આપવાના નિમિત્તે જબરદસ્ત મનન, મંથન, દોહન કર્યું છે. એના આધારે તૈયાર થયેલા નવનીતરૂપે આ વિવેચન આજે આપણને ઉપલબ્ધ થયું છે. સ્વયં અબ્રાન્ત ગીતાર્થ હોવા છતાં, પોતાના વિવેચનમાં જિનાજ્ઞા વિરુદ્ધ કશુંય ન આવી જાય એ માટેની ચીવટના કારણે જ આ ગ્રંથના જુદા-જુદા ભાગો તે-તે પ્રસિદ્ધ વિદ્વાન મહાત્માઓ પાસે સંશોધિત કરાવ્યાં છે. તેથી જ આ વિવેચિત ગ્રંથ પ્રમાણિત છે. અભ્યાસ માટે અત્યંત ઉપાદેય છે, દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાનથી ધ્યાનમા આગળ વધનારા માટે ખાસ આદરણીય છે. પૂજ્યશ્રીએ દરેક શબ્દના, દરેક વાક્યના, દરેક મુદ્દાના ઐદંપર્યાર્થ પ્રાપ્ત સંદર્ભને પામવા જે સફળ પરિશ્રમ કર્યો છે, તેના કારણે આ ગ્રંથ તત્ત્વોનો ખજાનો બની ગયો છે. પ્રાયઃ પ્રાચીન દરેક ગ્રંથમાં ઉપલબ્ધ થતાં મંગળ, વિષય, સંબંધ વગેરેમાં એક “સંબંધ” અંગે પણ પૂજ્યશ્રીએ તલસ્પર્શી વિવેચન પીરસ્યું છે, તો અનભિલાપ્યતા-અવાચ્યતા વચ્ચે શું તાત્વિક ફરક હોઈ શકે એની પણ ઊંડાણભરી ચર્ચા કરી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્રમાં “ગુણપર્યાયવ દ્રવ્યમ્ સૂત્રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય.. એમ ત્રણનો ઉલ્લેખ છે. પ્રસ્તુત રાસ પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણને સ્પર્શીને છે. બીજી બાજુ, તત્ત્વાર્થમાં જ – તથા પ્રસિદ્ધ ત્રિપદીમાં દરેક સત્ વસ્તુને ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્યયુક્ત બતાવી છે. એમાં ઉત્પત્તિ અને વિનાશ પર્યાયને અપેક્ષીને છે ને ધ્રૌવ્ય મૂળદ્રવ્યને અપેક્ષીને. આમ સત્ વસ્તુના દ્રવ્ય-પર્યાયરૂપ બે જ અંશ બતાવ્યા. આવા સ્થળોએ ગુણના અસ્તિત્વની નોંધ લીધી નથી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર વગેરે શ્વેતામ્બર આમ્નાયના પૂર્વાચાર્યો વાસ્તવમાં તો દ્રવ્ય અને તેના પર્યાયો એમ બે જ અંશને સ્વીકારે છે. પર્યાયોમાંથી જ “જે સહભાવી છે તે ગુણ તરીકેની વિશેષ ઓળખને પામે છે. જેમકે સાધુમાં જ “૨૫ વિશેષ ગુણવાળા” ઉપાધ્યાય અને “૩૬ વિશેષ ગુણવાળા “આચાર્ય તરીકેની વિશેષ ઓળખ પામે છે. આમ ગુણો પણ પર્યાયરૂપ જ છે. આ વાતની ઊંડાણથી રસભર ચર્ચા કરીને પૂજ્યશ્રીએ આ મહત્ત્વના મુદાને સ્પષ્ટ કરી આપ્યો છે. વળી એક વાત એ પણ સમજવા જેવી છે કે ક્રમભાવી પર્યાયો તેવી-તેવી દ્રવ્યાદિ સામગ્રી પામી ઉત્પત્તિ-વિલય પામતા હોય છે. અર્થાત્ પર્યાયો ઉત્પત્તિ-વિનાશ યુક્ત છે. છતાં જૈનમતે તે ક્ષણિક જ હોય એવો નિયમ નથી. કેટલાક પર્યાયો દીર્ઘકાળ ટકનારા હોય છે. ત્યારે “સ્થિરતા રૂપ દ્રવ્યના લક્ષણને કથંચિત્ સ્પર્શતા હોવાથી આપેક્ષિક દ્રવ્યપણું પામે છે કે જેને અવલંબીને તેથી પણ અલ્પકાલીન પર્યાયો ઉદ્ભવ-વિનાશ પામે છે. જેમકે મનુષ્યત્વ પર્યાય અપેક્ષાએ દીર્ધકાલીન હોવાથી કથંચિત્ દ્રવ્યપણું પામે છે ને “બાળપણ” વગેરે અવસ્થાઓ એના પર્યાયરૂપે ઓળખાય છે. આ જ અનેકાંતવાદની ખૂબી છે. પૂર્વના વિવેચનકારોએ પોતાને મળેલા પાઠોની શુદ્ધિ અંગે વિશેષ વિચાર્યા વિના એ પાઠોને સંગત કરવા આકાશમાં ખેતી કરવા જેવો જે પ્રયત્ન કર્યો છે, તેની સામે પૂજ્યશ્રીએ ગ્રંથકારના અભિપ્રાયને અનુકૂળ પાઠ કયો હોઈ શકે એ અંગે પૂર્વાપર સંબંધ, તેવા પ્રકારના આગળ-પાછળના પ્રયોગો વગેરેને ધ્યાનમાં લઈ પોતાની પ્રતિભાથી સાચો પાઠ વિચારી એ રીતે પદાર્થ બેસાડવામાં થતી સરળતા પણ બતાવી છે. જેમકે (૧) ઢાળ-૨, ગાથા-૩ ના ટબામાં પૂર્વના વિવેચનકારોએ “યુક્તિ' શબ્દ લીધો છે. પૂજ્યશ્રીએ ત્યાં “યુક્તિ” (સાનુસ્વાર) પ્રયોગ બતાવી તેની સાર્થકતા સિદ્ધ કરી છે. (૨) ઢાળ૨, ગાથા-૭ ના ટબામાં “અન્ય કારણતા' શબ્દ પકડીને અન્ય વિવેચનકારોએ અન્યકારણતા જોઈએ ? કે અનન્ય કારણતા જોઈએ ? વગેરે ઘણી મથામણ કરી છે. જ્યારે પૂજ્યશ્રીએ અન્ય અને કારણતા એ બે શબ્દોને અલગ કરીને અસંદિગ્ધ વાસ્તવિક અર્થ સૂચવ્યો છે. આ જ રીતે “અંશજ્ઞાન ન નિષ્ઠ' નું સૂચવેલ સ્થાનાંતર, જ્ઞાનનિષ્ઠના સ્થાને સૂચવેલ જ્ઞાનનિરૂપિત, નો કાયા ના સ્થાને સૂચવેલ અને માયા.. વગેરે બાબતો જાણવી. આનંદની વાત એ છે કે પૂજ્યશ્રીએ સૂચવેલ કેટલાક સુધારા તો પાછળથી પ્રાપ્ત થયેલ સંશોધિત નકલમાં પણ એ જ પ્રમાણે જોવા મળ્યા છે. નિરર્થક વિવેચનો કરી ગ્રંથગૌરવ કરવાના લોભથી મુક્ત પૂજ્યશ્રીએ દરેક આવશ્યક મુદા અંગે પ્રશ્નો ઉઠાવી સારભૂત તત્ત્વ પર પ્રકાશ પાથર્યો છે. જેમકે દિગંબરમાન્ય તિર્યક-ઊર્ધ્વ પ્રચય, સપ્તભંગી, દિગંબર દેવસેનાચાર્યની નય વિચારણાઓ વગેરે વગેરે... Page #11 -------------------------------------------------------------------------- ________________ આ સમગ્ર ગ્રંથમાં પૂજ્યશ્રીએ આગમ-ગુરુ પરંપરાથી પરિકર્મિત થયેલી પ્રજ્ઞાના-પ્રતિભાના ઉન્મેષો કેવા ભવ્ય હોય એનો આપણને સ્પષ્ટ અનુભવ કરાવ્યો છે. સપ્તભંગી અંગે, વાયુની સ્પર્શેન્દ્રિય સિવાયની ઇંદ્રિયોથી પણ ગ્રાહ્યતા અંગે, અભેદની તાદાત્મ્ય અને સાદૃશ્ય એવી દ્વિવિધતા અંગે, વ્યવહારમાન્ય વિકલ્પ પણ તત્ત્વભૂત જ છે, ભવ્ય-અભવ્યમાં અચરમાવર્તમાં પણ ઓઘશક્તિના કારણે પડતો ફરક, ભેદને વ્યાપ્યવૃત્તિ માનતા તૈયાયિકવાદનું ખંડન, શ્યામો 7 રત: અંગેની સૂક્ષ્મચર્ચા, દેવસેનાચાર્યની નયવિચારણાને પણ ન્યાય આપવા કરેલું વિશદ વિવેચન વગેરે વાતો... આ પૂર્વે આપણને આટલી સ્પષ્ટ રીતે બીજે ક્યાંય જોવા મળી નથી. એમાં પણ સપ્તભંગીની વિચારણા તો એટલી બધી ખીલી છે કે એક સ્વતંત્ર ગ્રંથરૂપ બની રહે છે. 8 પૂજ્યશ્રીનું ‘દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ' પરનું આ વિવેચન, * માત્ર ક્રિયારુચિવાળાને અવશ્ય જ્ઞાનરુચિ પેદા કરાવશે, * જ્ઞાનરુચિવાળાને એકાંતવાદ છોડાવશે, * તત્ત્વજિજ્ઞાસુને તત્ત્વામૃત ભોજનની પરમતૃપ્તિ આપશે. * વ્યવહારનયની પક્કડવાળાને નિશ્ચય તરફ જોવા પ્રેરશે, * તો માત્ર નિશ્ચયને જ આગળ કરનારને વ્યવહારનય પર પણ પ્રેમ ઊભો કરાવશે, * શુષ્ક અધ્યાત્મવાદીને આર્દ્ર ભક્તિયોગી પણ બનાવશે, * સર્વત્ર જિનવચનને જ આગળ કરવાની ભાવના બધામાં પ્રદીપ્ત કરશે, * તો જિનવચનને આગળ કરનારાઓને પણ એના ઐદંપર્યાર્થને પકડવાથી જ ખરેખર જિનવચન આગળ કર્યું કહેવાય એ વાતનો બોધ અપાવશે... સમગ્ર વાંચન પછી અદ્ભુત-અદ્ભુતનો ઉદ્ગાર પ્રગટ કરાવતા આ ગ્રંથના વિવેચનકારને ભાવભરી વંદના. જિજ્ઞાસુવર્ગને વિનંતી કે દ્રવ્ય-ગુણ અંગે, વ્યવહાર-નિશ્ચય અંગે, ક્રિયા-અધ્યાત્મ અંગે કોઈપણ પ્રકારની પક્કડ પર આવતા પહેલાં આ વિવેચનનો તલસ્પર્શી અભ્યાસ કરવો, તથા પૂજ્યશ્રીને વિનંતી કે શ્રી સંઘને - જિજ્ઞાસુવર્ગને આપના વિવેચનોની જે અપેક્ષા રહે છે, તેને વારંવાર આવા પદાર્થો પર પ્રજ્ઞોન્મેષ પ્રેરિત કલમ ચલાવી સંતોષવાની કૃપા કરો. જન્મવાંચન દિન સં. ૨૦૬૧ પાલિતાણા : -પં. અજિતશેખર વિજય Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ -પ્રસ્તાવના * ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરના અનેક દુર્બોધ ગ્રન્થોમાંનો એક ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.. 5 * સૂક્ષ્મપદાર્થોથી અને દુરુહ ન્યાયપંક્તિઓથી ગહન હોય એવો કોઈ ગૂર્જર ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.. મૂળ પ્રાકૃત-સંસ્કૃત ગ્રન્થના ગુજરાતી વિવેચન થયા હોય એવા તો ઢગલાબંધ ગ્રન્થો છે.. પણ મૂળ ગુજરાતી ગ્રન્થ પર સંસ્કૃતિવૃત્તિ રચાયેલી હોય એવું સૌભાગ્ય પામેલ ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.. કે જેનું વિવેચન કરવા અનેક વિવેચનકારો લાલાયિત થયા હોય એવો ગૂર્જરભાષા નિબદ્ધ ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ. અભ્રકને જેમ જેમ પુટ આપો... ઔષધીય ગુણો પ્રગટતા જાય... એમ જેમ જેમ અનુપ્રેક્ષા દ્વારા ઊંડા ઉતરો તેમ તેમ અપૂર્વ પ્રકાશ લાધતો જાય એવો ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ.... વિ.સં. ૨૦૬૦ નું ચોમાસુ અમદાવાદ-પાલડી ખાતે શ્રી વિશ્વનંદીકર જૈન સંઘમાં થયું. ચતુર્વિધ સંઘ સમક્ષ કોઈક તાત્ત્વિક ગ્રન્થની વાચનાનો પ્રસ્તાવ આવ્યો. શ્રી ચતુર્વિધ સંઘમાં પણ મુખ્ય શ્રોતા તરીકે ન્યાયદર્શનના અભ્યાસી સાધુ-સાધ્વીજી ભગવંતો હતો. એટલે મહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજની ગૂઢ રહસ્યોથી ભરેલી આ કૃતિ- દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ- પર પસંદગીનો કળશ ઢોળ્યો. એમાં અધ્યાપનની સાથે સાથે મારે પણ સૂક્ષ્મતાપૂર્વક આ ગ્રન્થનું અધ્યયન થઈ જાય એવી પણ ગણતરી હતી. અલબત્, પૂર્વે કોઈક જિજ્ઞાસુ કોઈક પંક્તિ બેસતી ન હોય ને તેથી એ પંક્તિ બેસાડવા માટે પૂછવા આવેલ હોય તો એના પર વિચાર કરવા જેટલો આ ગ્રન્થનો પરિચય હતો. ને તેથી એની દુર્ગમતાનો કંઈક ખ્યાલ હતો. વિશેષ પરિચય નહોતો. પણ દેવ-ગુરુની અનરાધાર કૃપા.. મૃતદેવી શ્રી સરસ્વતી ભગવતીનો પ્રસાદ... ને શ્રી જિનશાસનોક્ત જ્ઞાનપંચમીની નાની ઉંમરથી ચાલુ કરેલી-ચાલુ રાખેલી આરાધના. આ બધાના પ્રભાવે, જેમ જેમ ગ્રન્થ આગળ ચાલતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઉઘાડ થતો ગયો.. અમુક ફુરણાઓ તો એવી થતી કે હું ખુદ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતો. એમાં પણ સપ્તભંગી, અર્થપર્યાય.. વ્યંજનપર્યાય અંગે જે પ્રકાશ લાવ્યો તે એકદમ અપૂર્વ જેવો ને છતાં સંપૂર્ણ તર્કસંગત જેવો ભાસતો હતો. એટલે અધ્યેતાવર્ગની વિનંતી થઈ ને મને પણ થયું કે આ પ્રકાશને કાગળ પર ઝીલી લેવો જોઈએ જેથી એ ચિરકાલીન બની જાય. Page #13 -------------------------------------------------------------------------- ________________ 10. જો કે આ ગ્રન્થના અનેક વિવેચનો પૂર્વે પ્રકાશિત થયેલા છે. વર્તમાનમાં પણ એક નવું વિવેચન પ્રકાશિત થયું છે ને અન્ય થઈ રહ્યું છે. એટલે હવે ઓર એક વધારાના વિવેચનની શી જરૂર? આ પ્રશ્ન સ્વાભાવિક છે. પણ, આવો પ્રશ્ન મારું યોગવિંશિકાનું વિવેચન પ્રકાશિત થયું ત્યારે પણ હતો. એમ પાંચમા કર્મગ્રન્થના પદાર્થો + એના પર હેતુદર્શક વિશદ ટીપ્પણોવાળું પુસ્તક પ્રકાશન કરવાના પ્રસ્તાવ વખતે પણ હતો. છતાં, આ બન્ને પ્રકાશનો થયાં. ને અધ્યેતાઓને સ્પષ્ટ પ્રતીતિ થયેલી છે કે જો આ પ્રકાશનો પ્રકાશિત થયા ન હોત તો ઘણાં ઘણાં રહસ્યો જિજ્ઞાસુવર્ગને જાણવા ન જ મળત. આવી જ પ્રતીતિ પ્રસ્તુત પ્રકાશન અંગે પણ અધ્યેતાઓને અવશ્ય થશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ને તેથી આ પ્રકાશન અવશ્ય કરવું એવો નિર્ણય કરીને લખાણ ચાલુ કર્યું. લખાણ દરમ્યાન ઓર વધુ ફુરણાઓ ને વધુ સ્પષ્ટીકરણ થયા, ને એનાથી મારા આનંદ-ઉલ્લાસ ઓર વધ્યા. આમાં ઘણી ઘણી સ્વકીય અનુપ્રેક્ષાઓ છે. એમાં પણ સપ્તભંગી, અર્થપર્યાય-વ્યંજનપર્યાય... આ અંગેનું બધું લખાણ લગભગ અપૂર્વ છે, કારણ કે વર્તમાનમાં ઉપલબ્ધ કોઈ જ ગ્રન્થોમાં આવું વર્ણન મળતું નથી. એટલે જ આ વિવરણના સંશોધકોના આવા હૃદયોદ્ગાર સહજ રીતે પત્રમાં વ્યક્ત થયા છે * તમારું વિવેચન વિચારવાથી મને ઘણી સ્પષ્ટતા થયેલ. ત્રણેક વખત તો વંચાયું-વિચારાયું. એમ લાગ્યું કે રાસના પદાર્થો એના આધારે સમજવા સ્યાદ્વાદશાસનની સમજ માટે અનિવાર્ય છે. * દરેક પદાર્થ તર્કબદ્ધ શૈલિથી ખૂબ સુંદર રીતે ખોલ્યા છે. ને વિશેષમાં તો જૈનજગતુને આમાંની ઘણી વાત પહેલાં કદી વિચારી નહીં હોય એવી પ્રાયઃ લાગશે. * અતિસૂક્ષ્મતાથી વિવેચ્યું છે. ગજબ કરી છે આપશ્રીએ... ખૂબ જ સચોટ તર્કપુષ્ટ વિવેચન છે. નવી જ દિશા ખોલનારું છે એ વિશેષ. * મેટરનું લખાણ ખાસ્સે ઊંડાણવાળું અને વળી સાવ નવી જ ભાતનું હોવાથી ર-૩ વખત ધ્યાનથી વાંચી લઈએ પછી પદાર્થ પરિચિત બને ખરેખર આપશ્રીએ ગજબની કમાલ કરી છે. એક તો વિષય ગહન, એમાં પણ વણખેડાયેલા પદાર્થો, પૂર્વગ્રન્થોમાંથી દિગ્દર્શન પણ ઓછું મળે. તેમાં નવો જ આવિષ્કાર લાવતી તર્કપુષ્ટ અનુપ્રેક્ષા રજુ કરીને ખરેખર નવસર્જન કર્યું છે. સપ્તભંગી ને વ્યંજન-અર્થપર્યાયના પદાર્થો જાણે અપર્યાપ્તાવસ્થામાંથી હવે પર્યાપ્તાવસ્થામાં આવ્યા તેવું લાગે. (અલબત્ત પૂર્વે કોઈકે તેને સ્પષ્ટ કર્યા પણ હશે, જે સાહિત્ય ઉપલબ્ધ નથી.) ખરેખર વાંચતા વાંચતા એવી અનુભૂતિ થઈ કે જાણે કોઈ પૂર્વનો ગ્રન્થ ક્યાંકથી સજીવન થયો હોય. દર્શનશાસ્ત્રોના ખરેખર અપ્રકાશિત રહી ગયેલા પ્રમેયોને જ પ્રકાશિત કર્યા છે તેથી સસસવિશેષ ઉપકારક બને એવું લખાણ છે. દિવસ-રાત આ જ લેગ્યામાં, તેના જ વિચારોમાં રમમાણ રહ્યા હશો તો જ અને ત્યારે જ આવું સ્પષ્ટતાપૂર્વકનું ઊંડાણ હાંસલ થાય. આપના માર્ગસ્થ ક્ષયોપશમ, તર્કશુદ્ધિ વગેરેનો ફરી એકવાર પ્રત્યક્ષ પરચો મળ્યો. Page #14 -------------------------------------------------------------------------- ________________ li શક્ય બને તો નવી અનુપ્રેક્ષાને અવગાહતી એક સ્વતંત્ર નાની પુસ્તિકા ખાસ કરવા જેવી છે જેથી રાસ ન વાંચનારા પણ આ પદાર્થોને સ્પષ્ટ રીતે સમજી શકે. વાંચતા વાંચતા જે પ્રશ્નો થાય તે અલગ કાગળમાં ટપકાવતો હતો, પણ થોડા આગળ જતાં જ એનું સમાધાન આવી જાય ને પેલું લખાણ મારે કેન્સલ કરવું પડે. આ રીતે અનેકવાર અનુભવ્યું. આપના લખાણને આ બહાને વાંચવાનો જે આનંદ આવ્યો તે ખરેખર અવર્ણનીય છે. * સપ્તભંગી ઘણીવાર વાંચેલી, એક-બે વાર ભણાવેલી, પણ મને કદિ સંતોષ થયેલો નહિ. કંઈ જ સમજ પડી ન હતી. માત્ર ઉપર છલ્લો બોધ થયેલો. આજે આપશ્રીનું જે ચિંતન વાંચ્યું. એ માટે એની અનુમોદના કરવાના મારી પાસે કોઈ શબ્દો જ નથી. કોઈપણ વિશેષ આધાર વિના આવું સૂક્ષ્મ-ગૂઢ છતાં અત્યંત યુક્તિયુક્ત લખાણ કરવું મને તો અશક્ય જ લાગે છે. પણ એ આપશ્રીએ કર્યું જ છે. નય” ઉપર પણ આવું જ સૂક્ષ્મચિંતન કરીને આપશ્રી લખો એવી ભારભરી ભાવભરી વિનંતી, જેથી જિનશાસનના આ અણમોલ તત્ત્વોને સ્પર્શવાનું સૌભાગ્ય સાંપડે. *** ઘણી ઘણી નવી અનુપ્રેક્ષાઓ હોય એટલે સંશોધન આવશ્યક જ નહીં, અતિઆવશ્યક કર્મપ્રકૃતિ ત્રણ ભાગ, યોગવિંશિકા-પાંચમા કર્મગ્રન્થના પદાર્થો. દશવિધ સામાચારી ત્રણ ભાગ.. વગેરેનું સૂક્ષ્મતાપૂર્વક સંશોધનની કૃપા વરસાવનારા પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. સા. ને વિનંતી કરી... કાર્યોની અતિવ્યસ્તતા વચ્ચે પણ શ્રુતપ્રત્યેની ભક્તિના કારણે ને મારા પ્રત્યેની લાગણીના કારણે તેઓશ્રીએ યથાવકાશ પ્રથમ ઢાળનું વિવેચન જોયું.... સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કર્યું. અનેક બહુમૂલ્ય સૂચનો કર્યા અને બાકીનું મેટર અન્ય મહાત્માઓ પાસે સંશોધન કરાવવાનું સૂચન કર્યું. પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના એ સૂચન બાદ મેં સંપૂર્ણ મેટર પંન્યાસ શ્રી અજિતશેખર વિજયજી ગણિવર પાસે સંશોધન કરાવવું તેમજ થોડું થોડું લખાણ બીજા મહાત્માઓ પાસે પણ સંશોધન કરાવવું એમ નક્કી કર્યું. અન્ય મહાત્માઓના નામ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીએ પણ સૂચવ્યા. તદનુસાર આ સંપૂર્ણ લખાણનું સંશોધન પં. શ્રી અજિતશેખરવિજયજીએ કાળજીપૂર્વક કર્યું છે તેમજ પ્રથમ ઢાળ - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષ સુ.મ. સા. બીજી-ત્રીજી ઢાળ – મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ. ચોથી ઢાળ - મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ. પાંચમી-છઠ્ઠી ઢાળ - પ. પૂ. આ. શ્રી વિ. હેમચન્દ્રસૂ. મ. સા. સાતમી-આઠમી ઢાળ - પ. પૂ. આ. શ્રી વિ. જગન્દ્ર સૂ. મ. સા. Page #15 -------------------------------------------------------------------------- ________________ 12 આ બધા મહાત્માઓએ પણ કાળજીપૂર્વક સંશોધન કરીને બહુમૂલ્ય સુધારા વધારા સૂચવ્યા છે... એ બદલ તેઓનો સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. આ લખાણમાં સપ્તભંગી-તેમજ અર્થપર્યાય-વ્યંજનપયાયનું જે વિવરણ છે તે હાલ ઉપલબ્ધ કોઈ જ ગ્રન્થમાં જોવા મળતું ન હોવાથી લગભગ અપૂર્વ જેવું છે. છતાં અત્યંત તર્કબદ્ધ પ્રતીત થવાથી, જેઓ રાસનું આખા ગ્રન્થનું અધ્યયન ન કરે તેઓને પણ સપ્તભંગીનો વિશદ પરિચય થઈ શકે એ માટે એનું સ્વતંત્ર લખાણ કરવાનો વિચાર કર્યો. એ મુજબ એ લખાણ કર્યું. પછી તો એનું સંસ્કૃત રૂપાંતર પણ કર્યું ને વીસ સ્વતંત્ર ગાથાઓ બનાવી સ્વોપજ્ઞ સપ્તભંગી વિંશિકાગ્રન્થ તરીકે એનું અલગ પ્રકાશન પણ થઈ રહ્યું છે. આ બધી લગભગ અપૂર્વ વિચારણાઓ છે, એ વાત સાચી છે. છતાં સાવ નિર્મૂળ અને માત્ર સ્વકલ્પનાશિલ્પ નિર્મિત છે એવું નથી જ. સ્વદ્રવ્યાદિની વિવક્ષા, એ વખતના ચૈવ વગેરે ૭ ભંગ, અર્થપર્યાયમાં ભંગ સાત જ હોવાનો ને વ્યંજનપર્યાયમાં બે જ હોવાનો શ્રી સમ્મતિમાં કહેલો નિયમ, ઘટાદિપદવાણ્યતા એ વ્યંજનપર્યાય છે. એવી ગ્રન્થકારે રાસના ટબમાં આપેલી વ્યાખ્યા... મારી સંપૂર્ણ અનુપ્રેક્ષાના આ આધાર છે. આમાં ૭ અને બે ભંગ હોવાનો નિયમ શા માટે ? એના પર જે મનને સંતોષ થાય એવી અનુપ્રેક્ષા ચાલી. એને અનુસરીને પ્રસ્તુત વિવરણ તૈયાર થયું છે, એની બધાને નોંધ લેવા નમ્ર વિનંતી છે. પૂર્વપ્રકાશિત મુદ્રણોને અનુસરીને યથાયોગ્ય પાઠ સ્વીકારી વિવેચન કર્યું છે. લખાણ પૂર્ણ થઈ ગયું... પ્રેસમાં કામ ચાલુ થઈ ગયું... ને બીજું પૂરું સંશોધન દરમ્યાન, આ જ ગ્રન્થનું વિવેચન તૈયાર કરનારા મુનિરાજશ્રી યશોવિજયજી ગણિવર પાસેથી લગભગ ૬ જુદી જુદી હસ્તલિખિત પ્રતોના પાઠાંતર ઉમેરેલી નકલ મળી. એટલે જે શંકાસ્પદ સ્થાનો હતા તે અંગે પાઠાંતર જોવા માટે એનો ઉપયોગ કર્યો છે. પ્રેષક મહાત્માને ધન્યવાદ. સિદ્ધાન્ત મહોદધિ, સુવિશુદ્ધબ્રહ્મચર્યમૂર્તિ સ્વ. પૂ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ સ્વ. પૂ. આ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. સહજાનંદી કર્મસાહિત્યમર્મજ્ઞ સ્વ. પૂ. આ. શ્રીમદ્વિજય ધર્મજિસૂરીશ્વરજી મ. સા. શ્રી સૂરિમંત્રારાધક દક્ષિણ મહારાષ્ટ્રપ્રભાવક સ્વ. પૂ.આ.શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. આ સુવિહિતગુરુપરંપરાની અનરાધાર કૃપાનો જ ચમત્કાર છે પ્રસ્તુત વિવેચન.... માટે આ વિવેચનમાં જે કાંઈ સારું છે એ બધાનું શ્રેય વસ્તુતઃ આ ગુરુવર્યોને જ છે. વાચના દરમ્યાન મુનિરાજશ્રી ચિશેખરવિજયજી મહારાજે તથા સાધ્વીશ્રી પુષ્પદંતાશ્રીજી મહારાજે ટપકાવેલી નોંધ પણ વિવેચનમાં કેટલાક સ્થળે સારી ઉપયોગી બની છે. તથા સહવર્તી તપસ્વી-ત્યાગી શિષ્ય-પ્રશિષ્યાદિ વૃન્દનો પણ લેખન-પ્રૂફરીડિંગ-પ્રકાશનાદિમાં સતત જે વિવિધ સહકાર મળ્યો છે તેને પણ કેમ ભૂલી શકાય ? સુંદર પ્રસ્તાવના દ્વારા ગ્રન્થને અલંકૃત કરનારા પં. શ્રી અજિતશેખરવિજયજી ગણિવરને પણ ધન્યવાદ. Page #16 -------------------------------------------------------------------------- ________________ 13 દેવ-ગુરુની કૃપાને સક્રિય કરીને. ઘણી સાવધાની રાખીને.... પૂર્વાપર અનુસંધાન કરીને અને અનેક વિદ્વાનો પાસે સંશોધન કરાવીને પ્રસ્તુત પ્રકાશન પ્રકાશિત થઈ રહ્યું છે. તેમ છતાં છબસ્થતાદિ કારણે ક્યાંય પણ કાંઈ પણ અલના થઈ હોય તો એનું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડ... તથા સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓને સંશોધન કરવાની વિનંતી સાથે... અને, શ્રી જિનશાસને પદાર્થના સ્વરૂપ અંગે પાથરેલા સૂક્ષ્મ બોધને પામવા માટે.... એ બોધ પામીને શ્રી જિનશાસન પર ઓવારી જવા માટે... એ ઓવારી જવા દ્વારા સમ્યગદર્શનને નિર્મળ કરવા માટે.... તેથી, એ નિર્મળતા દ્વારા મોક્ષમાર્ગે હરણફાળ ભરવા માટે... ભાવુકોને પ્રસ્તુત વિવેચનનું અધ્યયન કરવાની વિનંતી સાથે.. જગદ્ગુરુશ્રી હીરસૂરિ સ્વર્ગારોહણ તિથિ વિ.સં. ૨૦૬૧, કોલ્હાપુર ગુરુપાદપધરેણુ અભયશેખર... વિષયાનુક્રમ જ 3 ) = S. વિષય પૃષ્ઠ | વિષય ઢાળ પ્રથમ..*************** ...૧ થી ૩૪ | આજીવન ગુરુકુલવાસનો ઉપદેશ.....................૩૦ મંગળાચરણ .............૧ | ઢાળ બીજી. ............૩૫ થી ૮૩ બને સંબંધ જરૂરી .. ૩ | દ્રવ્યની વ્યાખ્યા .......... .............................૩૫ આત્માર્થી = જ્ઞાનરુચિજીવ, શા માટે ?............. પરમાણુ એ દ્રવ્ય કે પર્યાય ?....... ૪ પ્રકાર અનુયોગના કે સૂત્રના?.. દ્રવ્યત્વ આપેક્ષિક છે?.............. દ્રવ્યાનુયોગની મહત્તા : સમ્મતિમાં .. ગુણ-પર્યાયનું લક્ષણ........... માષતુષમુનિને દ્રવ્યાનુયોગ હતો?..... ગ્રહણગુણ એટલે શું?....... વાસનાજનન અને વાસનાશમનનું મોતીમાળા દૃષ્ટાંત............ મુખ્ય કારણ જ્ઞાન ... • ...૧૫ | ઊર્ધ્વતા સામાન્ય શક્તિ.......... .........૪૭ ઉપદેશપદની સાક્ષી ........... .................૧૬ | પર-અપર ઊર્ધ્વતાસામાન્ય...... ...........૫૦ પંચકલ્પભાષ્યનું કથન .......... .............. તિર્યસામાન્ય શક્તિ........... ................૫૨ ઉપદેશમાળાનો ઉપદેશ......... એકાકાર-અનુગતાકારબુદ્ધિનો તફાવત .................૫૩ પ્રવચનસારનો સાર ......... દિગંબરમાન્ય “પ્રચય'.... ...........૫૪ ગીતાર્થ-ગીતાર્થનિશ્રિત... એ જ સાધુ ...............૨૬ | કૃષ્ણવર્ણાદિમાં તિર્યસામાન્ય છે?......................૫૮ = - = કે : : : : •••••.૨૪ ] Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય ઓઘશક્તિ-સમુચિતશક્તિ.. અભવ્યમાં ધર્મની ઓઘશક્તિ પણ નથી કાર્યભેદે કારણભેદ ? નિશ્ચય-વ્યવહારર્દષ્ટિએ. કાર્ય-કારણ છે જ નહીં - - શુદ્ધનિશ્ચય.. ગુણના પણ પર્યાય હોય - દિગંબરમત . ગુણ એ પર્યાય જ છે.. ગુણાર્થિક નય કહ્યો નથી.. કૃષ્ણ-નીલાદિ વર્ણો ગુણના નહીં, દ્રવ્યના જ પર્યાય.... દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચેનો ભેદ. એક-અનેક ઇન્દ્રિયગોચરતા સંજ્ઞા-લક્ષણાદિભેદે દ્રવ્યાદિભેદ. ઢાળ ત્રીજી.... એકાંતભેદમાં ગુણ-ગુણીભાવ ઉચ્છેદાવત્તિ અનવસ્થાદોષ વજન બમણું થવાની આપત્તિ. નિયતવ્યવહાર અભેદના કારણે. ....... યોગાચારમતપ્રવેશાપત્તિ ધર્મી અછતે ધર્મ ન જણાય. ભેદ-અભેદનયના સ્વામી ઢાળ ચોથી.... ....... પૃષ્ઠ .૫૯ .૬૨ .૬૩ હૃદ ........ અભેદ બે પ્રકારે ઃ તાદાત્મ્ય, સાદૃશ્ય ભેદ-અભેદ બન્ને એક જ ધર્મથી . રૂપાંતરથી ભેદ-અભેદ એ શતનયનો મૂળ હેતુ.. દ્રવ્યાદિવિશેષણે સપ્તભંગી સ્વત્રેવડી એટલે શું ? .૬૯ .................... 06*'' અસત્ વસ્તુ ન નીપજે અસત્ની પ્તિની જેમ ઉત્પત્તિ શક્ય - નૈયાયિક અતીતવિષય સર્વથા અસત્ નથી - જૈન ..............૯૬ .૭૨ ...........૨ ૮૪ થી ૧૦૪ ૮૪ ૮૫ ..૮૭ ..૮૯ .૯૧ 56* ..૭૮ ..૭૮ ..૯૭ ૧૦૧ .૧૦૩ .૧૦૫ થી ૧૦૦ ................૧૦૫ ભેદ-અભેદ વચ્ચે વિરોધની શંકા પ્રત્યક્ષથી જ વિરોધનો પરિહાર ભેદ-અભેદ બન્ને તુલ્ય છે ધર્મભેદે ધર્મભેદ માનવો જ પડે શ્યામો નરવતઃ ઘટભેદને જણાવે જ છે............૧૧૨ ..૯૪ .૧૦૭ .૧૦૭ .૧૧૦ .૧૧૬ .૧૧૭ ....૧૨૧ ૧૨૨ .૧૨૪ 14 પ્રથમ ભંગ. બીજો ભંગ. ત્રીજો ભંગ વિષય અર્થપર્યાય સર્વથા સ્વેવ કોના માટે ?.. A અનેકાન્તવ્યવસ્થા પ્રકરણનો અધિકાર ઢાળ પાંચમી પ્રમાણ-નયવિવેક પૃષ્ઠ વિશિષ્ટાભાવ ક્યારે કહેવો ઉચિત ? વિશિષ્ટ શુદ્ધાન્તા... ન્યાય પણ અનુપયોગી. એક શબ્દ શક્તિથી બેનું કથન અશક્ય . ચોથો ભંગ. અનેક ‘સ્વ’ રૂપોને ભેગા કરીને જવાબ ............૧૩૬ ‘સ્વ’-‘પર’રૂપને પ્રજ્ઞાપક ભેગા ન કરી શકે પાંચમો ભંગ.... .......૧૩૭ છઠ્ઠો ભંગ... સાતમો ભંગ.. સાતથી અધિકભંગોનો અસંભવ. ભેદાભેદ અંગે સપ્તભંગી .૧૨૫ .૧૨૬ .૧૨૭ .૧૨૮ .૧૨૯ ૧૩૧ .૧૩૩ .૧૩૪ .૧૩૬ ૧૩૯ .૧૩૯ .૧૪૦ .૧૪૧ .૧૪૨ ૧૪૫ ‘પુષ્પદંત’ શબ્દ એકોક્તિથી સૂર્ય-ચંદ્રને જણાવે છે ૧૪૩ ઉભયત્વેન ઉપસ્થિત ભેદ-અભેદ એ દ્રવ્યા.-પર્યાયા.નયના વિષય નથી.... અવાચ્ય-અનભિલાપ્ય શબ્દો સમાનાર્થક છે ? ....૧૪૬ અનભિલાપ્યમાં અનભિલાપ્યપદવાચ્યત્વ... ......૧૪૭ અવાચ્યત્વ = સર્વપદવાચ્યત્વાભાવ .............. .૧૪૮ કેવલી-કેવલી વચ્ચે વચનવ્યવહાર ન હોય .........૧૫૦ અનભિલાષ્યનો સંકેત શક્ય છે અવાચ્યનો સંકેત અશક્ય છે વ્યંજનપર્યાય અંગે બે જ ભંગ . અર્થપર્યાય-વ્યંજનપર્યાયનો તફાવત વ્યંજનપર્યાયો વસ્તુસ્વરૂપના અંશભૂત નથી ત્રીજા વગેરે ભંગમાં કેવા પ્રશ્ન હોય ? વાચ્યતાઓનું મિશ્રણ અશક્ય છે વ્યંજનપર્યાયમાં ત્રીજા વગેરે ભંગનો અસંભવ ....૧૬૩ ‘અવાચ્ય’ કહેવામાં પૂર્વાપવિરોધ .......૧૫૯ ૧૬૧ ૧૬૨ ૧૬૫ .૧૬૮ .૧૦૧ થી ૨૦૦ ...............૧૭૧ .૧૫૩ .૧૫૩ .૧૫૬ .૧૫૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ : ૨૩૪ : : ૨૦૦ ૦ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ એકદા વૃત્તિદ્વયમાં વિરોધ નથી......... વ્યવહારનય : બે પ્રકાર, .૨૩૨ એકબોધ શાબ્દ, એક આર્થ..........................૧૭૪ ઋજુસૂત્રનય : બે પ્રકાર •.૨૩૨ દ્રવ્યાર્થિક શક્યાર્થ: અભેદ, લક્ષ્યાર્થઃ ભેદ.....૧૭૬ શબ્દનય........ ..... દ્રવ્યાર્થિકનય પણ આવશ્યક..........................૧૭૮ સમભિરૂઢનય......... ....૨૩૬ પર્યાયાર્થિક શક્યાર્થ ભેદ, લક્ષ્યાર્થ : અભેદ..૧૮૨ એવંભૂતનય ... ................૨૩૭ નય દ્વારા ભેદ, અભેદ, શક્તિ, લક્ષણા... નયચક્ર-આલાપપદ્ધતિના પાઠ........................૨૩૮ બધું સંભવિત ........... .......૧૮૨ ઢાળ સાતમી ................૨૪૦ થી ૨૫૩ નવ નય વગેરે દિગંબર કલ્પના....................૧૮૭ સભૂતવ્યવહાર ઉપનય.............. ..............૨૪o દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ............. .૧૮૮ ઉપનયત્વ શી રીતે ?.. ..............૨૪૧ શુદ્ધ' એ નયનું વિશેષણ કે દ્રવ્યનું?...... ૧૯૧ સભૂત વ્ય. અંગે દ્રવ્યવિભાગ .. .... ....૨૪૫ નયમાં શુદ્ધાશુદ્ધત્વ શી રીતે ?.......... ૧૯૧ અસભૂત વ્યવહાર ઉપનય-નવવિધ ઉપચાર.....૨૪૬ દ્રવ્યાર્થિકનો ત્રીજો ભેદ ...... ..૧૯૫ અસદ્, ના ત્રણ પ્રકાર ........... ચોથો ભેદ .......................... ૧૯૭ ઉપચરિત અસત વ્યવહાર ઉપનય.......... ...૨૫૧ નાશ-ઉત્પત્તિ એક જ સમયે.... ૧૯૮ ઢાળ આઠમી.... ..........૨૫૪ થી ૩૦૦ છઠ્ઠો ભેદ..... અધ્યાત્મનય : બે પ્રકાર ............................૨૫૫ સાતમો અન્વયદ્રવ્યાર્થિક........... ............. ૨૦૧ નિશ્ચયનય............ ૨૫૫ આઠમા-નવમો ભેદ.......... વ્યવહારનય ... ..૨૫૬ દસમો પરમભાવગ્રાહકભેદ.. સંશ્લેષિત યોગ એટલે ?..............................૨૫૯ નયચક્રની ગાથાઓ ...........................૨૦૬ | ઊલટી પરિભાષા દાઝે છે......... ......૨૬૧ ઢાળ છઠ્ઠી............... .....૨૦૮ થી ૨૩૯ અર્પિત-અનર્મિતનયને પણ અલગ પાડો...........૨૬૨ પર્યાયાર્થિકના ૬ ભેદ................................૨૦૮ ઋજુસૂત્રનો અન્તર્ભાવ શામાં ?..... શબ્દફેર માત્ર જોઈને દિગંબરનું ખંડન ન કરવું...૨૧૧ ગ્રન્થકારકત સંગતિ ........... .............૨૬૮ સંસારીપણાના પર્યાયને જનાર દ્રવ્યા.પર્યાયા.ના ૧૦-૬ ભેદોનો સમાવેશ...........૨૭૦ નયપ્રકાર કેમ નહીં ?.......... નૈગમનો અનન્તર્ભાવ: પ્રદેશ દૃષ્ટાન્ત...............૨૭૩ ચોથા પ્રકારમાં સત્તાનું ગ્રહણ તત્ત્વ ૭ કે ૯ કહેવાનું પ્રયોજન ................................૨૭૫ પ્રધાનપણે કે ગૌણપણે?.. ..........૨૧૫ નયવિભાજનમાં ઇતરવ્યાવૃત્તિ અભિપ્રેત છે....... ૨૭૭ પાંચમા પ્રકારમાં શુદ્ધ-નિત્ય શબ્દનો વિચાર.........૨૧૭ દસ વગેરે ભેદ ઉપલક્ષણ છે.. ......૨૭૮ દ્રવ્યાર્થિક ૧૦, તો પર્યાયાર્થિક ૬ જ કેમ?......૨૧૯ નગમમાં શુદ્ધાશુદ્ધત્વ શું?....... ......૨૭૯ નયચક્ર-આલાપપદ્ધતિના પાઠ......... .....૨૨૧ નિશ્ચયમાં પણ ઉપચાર છે...................................૨૮૨ નગમનય : બહુમાનગ્રાહી............. ૨૨૩ “અંશજ્ઞાન ન નિષ્ઠ' પંક્તિ ક્યાં જોઈએ? ...૨૮૫ ભૂતનૈગમ.. ૨૨૪ વ્યવહાર પણ તત્ત્વાર્થગ્રાહી છે. .૨૮૫ ભાવીનંગમ. વ્યવહાર, નિશ્ચય, પ્રમાણ વ્યાખ્યા ...૨૯૦ વર્તમાનનૈગમ ............ .....૨૨૭ નિશ્ચયનયના ૩ ભેદ.. આરોપ કઈ રીતે થાય?.. ૨૨૯ વ્યવહારનયના ૩ ભેદ. ૨૯૪ સંગ્રહનય : બે પ્રકાર ... ૨૩૧ | શુદ્ધનયાર્થ માટે શ્વેતાંબરગ્રન્થ ભણો................૨૯૭ ....૨૦૪ ••••••••૨O૫ ૨૬૫ ..........૨૧૩ ......૨૨૬ ૨૯૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્યેતાઓ માટે મધુર રસથાળ.. શતકનામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો.. પાંચમો કર્મગ્રન્થ એટલે પદાર્થોનો ખજાનો... અન્ય વિવેચનોમાં હેતુઓ ન મળે એવા ઢગલાબંધ તર્કપૂર્ણ હેતુઓના ઉદ્ઘાટન (જેમકે ખગતિનામકર્મને જીવવિપાકી પ્રકૃતિ કેમ કહી ? વગેરે) કરનારી – ઊંડાણભર્યા રહસ્યોને વ્યક્ત કરનારી ટીપ્પણો જાણવા માટે - અલ્પ સમયમાં વિશદબોધ મેળવવા માટે આ પુસ્તકના આધારે ભણવા માટે ખાસ ભલામણ છે. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ - ૧, ભાગ - ૨, કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્રશ્નોત્તરી. ગહન પદાર્થોને પણ ટૂંકમાં અને છતાં સરળતાપૂર્વક સમજવા માટે આ પુસ્તકોનો સહારો લેવો આવશ્યક છે. તથા અત્યંત ઊંડા રહસ્યોને ખોલી આપનાર પ્રશ્નોત્તરીના અધ્યયન વિનાનું કમ્મપયડી તથા પંચસંગ્રહનું અધ્યયન એટલે ઉપરછલ્લો બોધ. બોધને સૂક્ષ્મ અને તર્કપૂર્ણ બનાવવા માટે અવશ્ય આ પુસ્તકોને અવગાહવા. યોગવિંશિકા આજ સુધીમાં પ્રકાશિત થયેલા અનેક વિવેચનોમાં સાવ અલગ તરી આવતું.... શબ્દ-શબ્દને આરપાર | વીંધીને યોગવિષયક અપૂર્વ રહસ્યોને પીરસતું.. સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજના યોગવિષયક વિચારોને વિશદ રીતે અને છતાં પૂર્વાપર વિરોધ વિના સ્પષ્ટ કરતું અદ્ભુત વિવેચન જાણવા-માણવા માટે પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. લિખિત વિવેચન ભણવું જ રહ્યું. સિદ્ધિનાં સોપાન... પ્રણિધાન -પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનું અત્યંત વિશદ-વિસ્તૃત વિવેચન.... * ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ - ૧, ભાગ- ૨ ન્યાયદર્શનના પાયાના આ ગ્રન્થને બહુ જ સ્પષ્ટ રીતે સમજવા માટે ન્યાયશૈલિની હથોટી પામવા માટે... પારિભાષિક શબ્દોનો સરળ પરિચય મેળવવા માટે.. પૂ. આ. શ્રી લિખિત વિવેચનની સહાય લેવી ઘણી ઇચ્છનીય છે. સત્પદાદિપ્રરૂપણા - ગતિ, ઇન્દ્રિય, કાય....વગેરે ૧૪મૂળ માર્ગણાઓ... ત્રીજાકર્મગ્રન્થમાં આવતી એની ૬૨ પેટા માર્ગણાઓ... એના કરતાં પણ ઊંડા ઉતરીને કુલ ૧૭૪ માર્ગણાઓનો સત્પદ, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર વગેરે દ્વારો દ્વારા) વિચાર. અનેક ગ્રન્થોના આધારે સંચિત થયેલા પદાર્થસમુદ્રને અવગાહવાનો આનંદ માણવા વિનંતી. ભવિષ્યમાં પ્રકાશિત કરવાની વિચારણા... અનુયોગદ્વાર ટીપ્પણ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી મહાવીર સ્વામિને નમઃ - શ્રી અહં નમઃ શ્રી ગૌતમ-સુધર્માદિગણભૂભ્યો નમ: શ્રી સિદ્ધસેન દિવાકર-હરિભદ્ર-હેમચન્દ્રસૂરીશ્વરેભ્યો નમઃ મહોપાધ્યાય શ્રી યશોવિજયગણિવરેભ્યો નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિતુ-જયશેખરસૂરીશેભ્યો નમ: ઐ નમઃ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ પહેલી શ્રી ગુરુ જિતવિજય મન ધરી શ્રી નયવિજય સુગુરુ આદરી, આતમ અરથીનઈ ઉપકાર, કરું દ્રવ્ય અનુયોગ વિચાર ||૧-૧ સ્વપજ્ઞટબાનું મંગળાચરણ.. ઐન્દ્રશ્રેણિનત નત્વા જિન તત્ત્વાર્થદેશિનમ્ | પ્રબળે લોકવાચાડત્ર લેશાર્થઃ કશ્ચિદુચ્યતે | ૧ || વિવેચન : શ્રી દ્વાદશાંગીના અર્થથી ઉદ્ગાતા પ્રભુ મહાવીર જે, ને સૂત્રોના રચનારા ગૌતમ વળી સુધર્માસ્વામી છે; શ્રી સિદ્ધસેન-હરિભદ્ર-હેમાચાર્ય ને જતવિજય જે, ઉપકારી દેવ-ગુરુચરણમાં વંદના શત વંદના. કર્મસાહિત્યતણા વિશારદ પ્રેમસૂરિ તવ ચરણમાં, રહું ન્યાયવિશારદ ભુવનભાનુસૂરિ તવ શરણમાં; વળી છેદસૂત્ર વિશારદા જયઘોષ ધર્મજિત વરા, સૂરિ મંત્ર જાપી જયશેખરને વંદના શત વંદના. આ બધા ઉપકારીઓની ચરણરજ એવો હું (અભયશેખર), ન્યાયવિશારદ - ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર વિરચિત શ્રી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું અને તેના સ્વપજ્ઞ ટબાનું શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી, શ્રુતદેવતા ભગવતી માતા સરસ્વતી દેવીનું સ્મરણ કરીને સ્વક્ષયોપશમાનુસાર કંઈક વિવેચન કરીશ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો-તિહાં પ્રથમ ગુરુનઈ નમસ્કાર કરીનઈ પ્રયોજન' સહિત અભિધેય દેખાડઈ છઈ. શ્રીજિતવિજય પંડિત અનઈ શ્રી નયવિજય પંડિત એ બહુ ગુરુનાં ચિત્તમાંહિ સંભારીનાં ગાથાર્થ : ગુરુદેવ શ્રી જિતવિજય મહારાજને મનમાં સ્મરીને અને સુગુરુ શ્રી નયવિજય મહારાજનો આદર કરીને બન્નેને નમસ્કાર કરીને) આત્માર્થી જીવોને ઉપકાર કરવા કાજે હું દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. ૧-૧ | ટબાના મંગળાચરણનો અર્થ : ઇન્દ્રોની હારમાળા વડે નમસ્કાર કરાયેલા (પૂજાતિશય), તત્ત્વભૂત અર્થોની દેશના આપનારા (જ્ઞાનથી જાણીને દેશના આપે, માટે જ્ઞાનાતિશય અને વચનાતિશય), જિનને (રાગ-દ્વેષરૂપ અપાયોને જીતીને દૂર કરી દેનારા - અપાયાપગમાતિશય) નમસ્કાર કરીને લોકપ્રચલિત ગુજરાતી ભાષામાં આ પ્રબંધમાં કંઈક અર્થને હું કહીશ. વિવેચન : બુદ્ધિમાનું જીવો સ્વરચિત ગ્રન્થના પઠન-પાઠન-ચિંતન-મનન વગેરેમાં પ્રવૃત્ત થાય એ માટે ગ્રન્થકારો ગ્રન્થના પ્રારંભે ચાર બાબતો જણાવતા હોય છે. આને અનુબંધચતુષ્ટય કહે છે. (૧) મંગળ - ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. ના શ્રી જીતવિજય મહારાજ એ વિદ્યાગુરુ છે અને શ્રીનયવિજય મહારાજ એ દીક્ષાગુરુ છે. એ બંનેને નમસ્કાર કરીને ગ્રન્થકારે મંગળાચરણ કર્યું છે. આમ મંગળ કરવાથી શિષ્ટાચારનું પાલન થાય છે, ગ્રન્થરચનામાં આવનારા વિઘ્નો દૂર થાય છે અને ગ્રન્થ સમાપ્તિ સુધી પહોંચે છે. (૨) વિષય : ગ્રન્થમાં કયા વિષયની પ્રરૂપણા કરવાની છે એનો ઉલ્લેખ કરવાથી એ વિષયના જિજ્ઞાસુઓ ગ્રન્થના પઠન-પાઠન વગેરેમાં પ્રવૃત્ત થવા ઉત્સાહિત થાય છે. આને અભિધેય પણ કહે છે. પ્રસ્તુત ગ્રન્થનો દ્રવ્યાનુયોગ એ વિષય છે એ વાત ખુદ પ્રથકારે જ સ્પષ્ટ રીતે જણાવી છે. આ વિષયનો ઉલ્લેખ થવાથી ઉપાય-ઉપેયભાવ સંબંધ પણ જણાઈ જાય છે. જે મેળવવું અભિપ્રેત હોય છે એને ઉપેય કહેવાય છે. એ જેના દ્વારા મેળવી શકાય એ ઉપાય કહેવાય છે. પ્રસ્તુતમાં, “આ ગ્રન્થમાં દ્રવ્યાનુયોગનો વિચાર કરીશ' આ રીતે જે વિષય કથન કર્યું છે એના દ્વારા “જેઓને દ્રવ્યાનુયોગનો બોધ (ઉપેય) મેળવવો હોય એમના માટે આ ગ્રન્થ ઉપાયભૂત છે' એવું સૂચિત કર્યું છે. ને તેથી આ ગ્રન્થનો ઉપાય-ઉપેય સંબંધ ધ્વનિત થાય છે. | (૩) સંબંધ - શ્રીજૈનશાસનમાં સર્વજ્ઞકથિતવચન કે સર્વજ્ઞમૂલકવચન જ પ્રમાણભૂત મનાયેલા છે. એટલે જ શ્રીગણધરદેવોએ રચેલી દ્વાદશાંગી પણ શ્રી સર્વજ્ઞપ્રભુની મહોરછાપ લાગ્યા પછી જ પ્રમાણ બને છે. અરે ખુદ તીર્થંકરભગવંતો પણ કેવલજ્ઞાન થયા બાદ જ દેશના આપે ૧. ગ્રન્થકારે પોતે કરેલી ટિપ્પણી – પહેલાં બિપદે મંગલાચરણ દેખાડ્યું, નમસ્કાર કર્યો છે. ૧. આત્માર્થી ઈહાં અધિકારી ૨. તેહનઈ અવબોધ થાસ્યઈ ઉપકારરૂપ પ્રયોજન ૩. દ્રવ્યનો અનુયોગ તે બહાં અધિકાર. Page #22 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૧ પ્રશ્ન : પાછળ પાછળના તીર્થંકરભગવંતો છદ્મસ્થદશામાં પૂર્વ-પૂર્વના તીર્થની દ્વાદશાંગીના આધારે તો દેશના આપી શકે ને ? એ પણ સર્વજ્ઞમૂલક બનવાથી પ્રમાણભૂત બની જ શકે છે ને ? ઉત્તર : પૂર્વના તીર્થંકરદેવે સ્થાપેલ તીર્થ અક્ષતપણે ચાલુ હોય તો પછીના તીર્થંકરભગવંતે તીર્થ સ્થાપવાની જરૂર જ ન રહે. પણ તેઓ તીર્થ સ્થાપે છે એ જ જણાવે છે કે પૂર્વનું શાસન પરિપૂર્ણપણે હવે રહ્યું હોતું નથી. શ્રીકલ્પસૂત્રમાં યુગાન્તકૃભૂમિની જે વાત આવે છે એ પણ આનું જે સૂચન કરે છે.. પ્રભુ મોક્ષ પામ્યા. એમના પટ્ટધર ગણધરદેવ મોક્ષે પધાર્યા... એમના પણ શિષ્ય મોક્ષે સિધાવ્યા... આમ જેટલી શિષ્યપરંપરા સુધી ચાલ્યું એની એમાં વાત આવે છે.. આનો અર્થ સ્પષ્ટ છે કે પછી એ તીર્થના આલંબને કેવલજ્ઞાન પામવાની શક્યતા રહી નહોતી. અર્થાત્ એ તીર્થની અપેક્ષાએ કેવલજ્ઞાનનો વિચ્છેદ થયો. એટલે ફરીથી કેવલજ્ઞાનપ્રાપ્તિની પરંપરા ચાલે એ માટે તીર્થનું આલંબન મળી રહે એ પ્રયોજનથી શ્રીતીર્થંકરદેવો શાસનની સ્થાપના કરે છે. હવે શાસનની સ્થાપના થાય એટલે, એ શાસનની દ્વાદશાંગીની રચના પણ થાય જ છે. સામાન્યથી, ઉપદેશ અને વ્યવહાર ચાલુ શાસનની દ્વાદશાંગીને અનુસરીને થતા હોય છે. એટલે વિદ્યમાન દ્વાદશાંગીના અધ્યયન વગર વ્યાવહારિક દેશનાનો અધિકાર હોતો નથી. તેથી તો પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ ઉપદેશ આપતા હોતા નથી. એમ પરમાત્મા પણ કેવલજ્ઞાન પૂર્વે, કેવલજ્ઞાન છે નહીં, ને શ્રુતજ્ઞાનને અનુસરીને દેશના આપવા માટે તો વિદ્યમાન દ્વાદશાંગીનું અધ્યયન જોઈએ, જે છે નહીં... માટે દેશના આપતા નથી. બાકી તો તેવો કલ્પ હોવાથી છદ્મસ્થાવસ્થામાં દેશના આપતા નથી એ મુખ્ય હેતુ જાણવો. છદ્મસ્થજીવોની છદ્મસ્થતા અનાભોગ વગેરે દ્વારા નિરૂપણમાં વૈતથ્ય લાવી શકે છે માટે છદ્મસ્થગ્રન્થકારોને સ્વમતિકલ્પનાથી કશું જ નિરૂપણ કરવાનો અધિકાર હોતો નથી. એ રીતે કરાયેલું નિરૂપણ શિષ્ટપુરુષોને માન્ય બનતું નથી. એટલે પોતાનો ગ્રન્થ શિષ્ટપુરુષો માન્ય કરે ને તેથી એના પઠન વગેરેમાં પ્રવૃત્ત થાય એ માટે કોઈપણ ગ્રન્થકાર, ‘પોતે પ્રસ્તુત ગ્રન્થમાં જે કાંઈ કહેશે એ સ્વમતિકલ્પનાથી નહીં કહે પણ જેના મૂળ શ્રીતીર્થંકર ભગવાન સુધી પહોંચે છે એવી જ વાતો કહેશે' આવું સાબિત કરવા અને તે મુજબ વર્તવા પ્રયતશીલ હોય છે. હું જે કહી રહ્યો છું એ મેં મારા ગુરુભગવંતો દ્વારા કે પૂર્વાચાર્યના ગ્રન્થ દ્વારા જાણેલું છે. વળી એમણે પણ પોતાના ગુરુભગવંતો વગેરે દ્વારા એ જાણેલું હતું. વળી એમના ગુરુ.. એમના ગુરુ.. આમ કરતાં કરતાં આ પરંપરા ઠેઠ શ્રીતીર્થંકરભગવંત સુધી પહોંચે છે. અર્થાત્ પ્રસ્તુત ગ્રન્થમાં મારા દ્વારા કહેવાનારી વાતોનું મૂળ ગુરુપરંપરા દ્વારા ઠેઠ સર્વજ્ઞ સુધી પહોંચેલુ છે. આમ, પ્રસ્તુતગ્રન્થનો ગુરુપરંપરા દ્વારા સર્વજ્ઞ સુધી સંબંધ દર્શાવવો એ ગુરુર્વક્રમ સંબંધ કહેવાય છે. એટલે આ ગુરુપર્વક્રમસંબંધ, આ ગ્રન્થ સ્વમતિકલ્પનામૂલક નથી, પણ સર્વજ્ઞમૂલક છે એમ જણાવવા દ્વારા ગ્રન્થને પ્રમાણભૂત હોવો ઘોષિત કરે છે જેથી પ્રેક્ષાવાન્ પુરુષો એના અધ્યયનાદિમાં પ્રવૃત્ત થાય. ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ X I ઢાળ-૧ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ હવે જેમ, પ્રસ્તુતગ્રન્થ આ રીતે ગુરુપર્વક્રમસંબંધ દ્વારા પ્રમાણભૂત સાબિત થયો છે એમ અન્ય વિષયક અન્ય ગ્રન્થો પણ એ સંબંધ દ્વારા પ્રમાણભૂત હોવા જણાયા હોય છે. એટલે, પ્રેક્ષાવાનું પુરુષોને, “આટલા બધા પ્રમાણભૂત ગ્રન્થોમાંથી મારે કયો ગ્રન્થ ભણવો ?” આ મૂંઝવણ ન થાય એ માટે ઉપાય ઉપય ભાવ સંબંધ સહારે આવે છે.. “તમારે ફલાણા વિષયનો બોધ મેળવવો છે તો આ ગ્રન્થ એના ઉપાયભૂત છે, માટે તમે એને ભણો...” ને તેથી પછી પ્રેક્ષાવાનું પુરુષો એ ગ્રન્થને ભણવાનું શરુ કરે છે. આમ, પ્રેક્ષાવાનું પુરુષોની પ્રવૃત્તિ થાય એ માટે ગુરુપર્વક્રમ સંબંધ અને ઉપાય-ઉપયભાવ સંબંધ... આ બંને સંબંધ આવશ્યક હોય છે. એમાંથી વિષયનિર્દેશ દ્વારા ગ્રન્થકાર ઉપાય-ઉપેયભાવ સંબંધ જણાવે છે (આને વાચ્યવાચકભાવ સંબંધ પણ કહે છે.) અને ગુરુપરંપરાનો નિર્દેશ વગેરે દ્વારા ગુરુપર્વક્રમ સંબંધ દર્શાવતા હોય છે. પ્રસ્તુતમાં પણ ગ્રન્થકારે પોતાના બે ગુરુભગવંતોને મનમાં ધરવાની જે વાત કરી છે એના દ્વારા મંગળાચરણ અને ગુરુપર્વક્રમસંબંધને જણાવ્યા છે. એમાં મનમાં ધરવાની વાતના આપણે બે અર્થ કરી શકીએ. ગુરુભગવંતને ખુદને મનમાં સ્મરણ કરવારૂપે ધાર્યા એ મંગળાચરણ.. અને ગુરુભગવંતના વચનોને-ઉપદેશને મનમાં ધારવા (ને એને અનુસરીને ગ્રન્થરચના કરવી) એ ગુરુપર્વક્રમ સંબંધને જણાવવારૂપ છે. (૪) પ્રયોજન : આત્માર્થી જીવો પર ઉપકાર કરવાના પ્રયોજનથી ગ્રન્થકારે આ ગ્રન્થની રચના કરી છે. આ, ગ્રન્થકારનું સાક્ષાત્ પ્રયોજન છે. શ્રોતા જિજ્ઞાસુઓને દ્રવ્યાનુયોગનો બોધ મેળવવો એ અનંતરપ્રયોજન છે. આ બંને દ્વારા છેવટે બન્નેને મોક્ષ જોઈએ છે. માટે ગ્રન્થકારનું અને શ્રોતાઓનું પરંપર પ્રયોજન મોક્ષ છે. અહીં આતમઅર્થીને ઉપકાર... એમ ગ્રન્થકારે જણાવ્યું છે. એટલે આ ગ્રન્થ ભણીને હું વિદ્વાન્ બનું... એના દ્વારા મને યશ-પ્રશંસા-(વિદ્યાદાન દ્વારા) ધન વગેરે મળે.. એવી જ કામના -લક્ષ્ય રાખનારા જીવો આ ગ્રન્થ ભણવાના વાસ્તવિક અધિકારી નથી. ગ્રન્થકારને, પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડી દે એવો ઉપકાર કરવો જે અભિપ્રેત છે, તે આવા જીવોને લક્ષ્ય ફરે નહીં તો થવો શક્ય નથી. ટબામાં આત્માર્થી જીવ = જ્ઞાનરુચિજીવ આવો અર્થ કર્યો છે. પ્રશ્ન : જેઓ ક્રિયારુચિવાળા છે અથવા જ્ઞાનક્રિયાઉભયરુચિવાળા છે તેઓ શું આત્માર્થી નહીં કહેવાય ? ઉત્તર : ક્રિયારુચિ જીવોને શાસ્ત્રમાં શુકલપાક્ષિક કહ્યા છે. સાધનાની પ્રાથમિક ભૂમિકામાં સક્રિયાઓની રુચિ પણ જીવને ઉપકારક બને છે. તહેતુ અનુષ્ઠાન લાવી આપનારી બને છે. માટે “એવા જીવો આત્માર્થી ન જ હોય' એમ નિષેધ શી રીતે કરી શકાય ? Page #24 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૧ આતમાર્થી = જ્ઞાનરુચિ જીવના ઉપકારનઈ હેતઈ દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. અનુયોગ કહિઈ - સૂત્રાર્થવ્યાખ્યાન. તેહના ૪ ભેદ શાસ્ત્રમાં કહિયા. વળી જ્ઞાન-ક્રિયાઉભયની રુચિવાળા જે જીવો છે, તેઓ આત્માર્થી હોવામાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. ઊલટું જેઓ માત્ર કોરા-શુષ્ક જ્ઞાનની રુચિવાળા છે. ક્રિયાને અનાવશ્યક માનવારૂપે કે ઉપરથી પ્રતિબંધક માનવારૂપે અવ્યક્ત કે વ્યક્તપણે ક્રિયાનો દ્વેષ ધરાવનારા છે. આવા (શુષ્ક) જ્ઞાનરુચિ જીવો આત્માર્થી હોતા નથી. પ્રશ્ન : જ્ઞાનરુચિ વગરના ક્રિયારુચિ જીવો આત્માર્થી હોઈ શકે. પણ ક્રિયારુચિ વગરના જ્ઞાનરુચિ જીવો આત્માર્થી ન હોઈ શકે આવું કેમ ? ઉત્તર : આવું એટલા માટે છે કે આમાં ભૂમિકાનો ભેદ ભાગ ભજવી રહ્યો છે. સાધનાની બહુ પ્રારંભિક ભૂમિકા એવી સંભવે છે કે જ્ઞાનનો વ્યક્ત કે અવ્યક્ત દ્વેષ ન હોય તો પણ જ્ઞાનરુચિ ન હોય એવું બની શકે છે. (હા, જેને જ્ઞાનનો વેષ હોય, એની તો ક્રિયારુચિ પણ વાસ્તવિક હોતી જ નથી.) પણ જેણે આત્માનું – મોક્ષમાર્ગનું જ્ઞાન મેળવ્યું છે - વધુ ને વધુ મેળવવા જે તલપાપડ છે એને ક્રિયારુચિ ન હોય એ ક્રિયાના ષ વિના સંભવિત નથી. સામગ્રી ન હોવાના કારણે કે સત્ત્વની કચાશના કારણે ક્રિયા ન હોય એ હજુ સંભવે. પણ ક્રિયાની રુચિ જ ન હોય. (ક્રિયાને અનાવશ્યક માનવારૂપે) અરુચિ હોય આવું સંભવતું નથી. સાધનાનું પ્રથમ સોપાન ક્લિારુચિ છે. માટે તો વાવીર: પ્રથમો ધર્મ કહેવાયું છે. આ ક્રિયારુચિ દ્વારા જીવ ક્રિયામાં જોડાય... વારંવાર ક્રિયા કરે. એટલે રોહિણીતપ વગેરે માટે પંચાશકજીમાં કહ્યું છે તેમ આ વિષયાભ્યાસ અનુષ્ઠાન વારંવાર કરવાથી કર્મોનો ક્ષયોપશમ થાય છે. જીવની ભૂમિકા આગળ વધે છે અને જીવને જ્ઞાનરુચિ પણ જાગે છે. આમ જીવમાં ક્રિયાચિ તો હતી જ. હવે એમાં જ્ઞાનરુચિ ભળી. તેથી જીવ ઉભયરુચિ બને છે. એટલે નિશ્ચિત થાય છે કે જે જીવ મોક્ષમાર્ગ પર છે એ બહુ પ્રારંભિક અવસ્થામાં ક્રિયારુચિ હોઈ શકે ને પછી ઉભયરુચિ હોઈ શકે. પણ ક્રિયારુચિ વગરનો માત્ર જ્ઞાનરુચિ હોઈ ન શકે. પ્રશ્ન : પણ તો પછી ટબામાં આત્માર્થીનો અર્થ જ્ઞાનરુચિ કેમ કર્યો ? ઉત્તર : પ્રસ્તુતગ્રન્થમાં ગ્રન્થકાર ક્રિયામાર્ગની પ્રશંસા-મહત્તા દર્શાવવાના નથી.. કે વિવિધ ધર્મક્રિયાઓનું સૂક્ષ્મવિધિ પ્રદર્શનપૂર્વક નિરૂપણ વગેરે કરવાના નથી. એટલે ક્રિયારુચિ જીવને આ ગ્રન્થથી ઉપકાર થવો સંભવિત નથી. જે ઉભયરુચિ જીવ છે એની પણ ક્રિયાચિનું આ ગ્રન્થથી સાક્ષાત્ કોઈ પોષણ નથી. માત્ર જ્ઞાનરુચિનું પોષણ-સંવર્ધન વગેરે સાક્ષાત્ છે. આમ જીવની જ્ઞાનરુચિ પર જ સાક્ષાત્ ઉપકાર સંભવિત હોવાથી ગ્રન્થકારે એ રીતે ઉલ્લેખ કર્યો છે, એમ માનવું યોગ્ય લાગે છે. હવે, ‘દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું' એવો વિષયનો ઉલ્લેખ કર્યો છે. માટે “અનુયોગ” શું છે ? એ ગ્રન્થકાર જણાવે છે. અનુયોગ એટલે સૂત્રાર્થ વ્યાખ્યાન. સૂત્રની સંહિતા ચ પદે Page #25 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૧. ચરણકરણાનુયોગ - આચારવચન, આચારાંગ પ્રમુખ. ૨. ગણિતાનુયોગ - સંખ્યાશાસ્ત્ર, ચન્દ્રપ્રજ્ઞપ્તિ પ્રમુખ. ૩. ધર્મકથાનુયોગ - આખ્યાયિકાવચન, જ્ઞાતાપ્રમુખ. ૪. દ્રવ્યાનુયોગ - પદ્રવ્યવિચાર, સૂત્ર મળે સૂત્રકૃતાંગ. પ્રકરણમધ્યે - સમ્મતિ - તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ્ત્ર. તે માટે એહ પ્રબંધ કીજઈ છઈ, તિહાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાય વિચાર છઈ, તેણે એ દ્રવ્યાનુયોગ જાણવો. | ૧-૧ | ચિવ... વગેરે ક્રમે વ્યાખ્યા કરવી કે પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થક્રમે વ્યાખ્યા કરવી એ અનુયોગ કહેવાય છે. શાસ્ત્રોમાં વિષયભેદે અનુયોગના ચાર પ્રકાર કહ્યા છે. ૧. ચરણકરણાનુયોગ... ચરણસિત્તરી અને કરણસિત્તરારૂપ આચારને જણાવનારા આચારાંગ વગેરે સૂત્રોનો અનુયોગ એ ચરણકરણાનુયોગ કહેવાય છે. એ જ રીતે માર્ગાનુસારી, સમ્યકત્વ, દેશવિરતિ વગેરેના આચારોનું વર્ણન જેમાં હોય તથા અસત્ આચરણોનું - અનાચારનું હેયરૂપે જેમાં વર્ણન હોય એ બધું પણ આમાં આવે. ૨. ગણિતાનુયોગ.. જેમાં ગણિતની સંખ્યાઓ વગેરેની વાતો આવે છે એવા ચંદ્રપ્રજ્ઞપ્તિસૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રન્થોનો અનુયોગ એ ગણિતાનુયોગ કહેવાય છે. ૩. ધર્મકથાનુયોગ.. સામાન્યથી જીવો કથાના રસિયા હોય છે. એમના આ કથારસનો ઉપયોગ કરીને એમને ધર્મમાં જોડવા... આગળ વધારવા માટે ધર્મકથાઓથી ગુંથાયેલો ઉપદેશ આપવો જ્ઞાનીઓને માન્ય છે. જ્ઞાતાધર્મકથા વગેરેમાં આવી ધર્મકથાઓના ભંડાર છે. એનો અનુયોગ એ ધર્મકથાનુયોગ. ધર્મ અને પુણ્યના લાભ તથા અધર્મ અને પાપનાં નુકશાન સૂચવનારાં દૃષ્ટાંતો દ્વારા ઉપદેશદાન જેમાં આવે તે ધર્મકથાનુયોગ. એટલે ધર્મકથાનુયોગમાં પૂર્વશ્રુતમાં આવતો પ્રથમાનુયોગ-ગંડિકાનુયોગ, અનુત્તરોપપાતિકસૂત્ર, ઉપાસકાંસા, અંતકૃદસા, વિપાકશ્રુત વગેરે પણ આવે એ જાણવું. ૪. દ્રવ્યાનુયોગ... જીવ વગેરે દ્રવ્યના (એના ગુણ-પર્યાયના) સ્વરૂપનું જેમાં સૂક્ષ્મતાથી નિરૂપણ કરવામાં આવ્યું છે તે સૂત્રકૃતાંગ વગેરે તેમજ શ્રીસમ્મતિતર્ક પ્રકરણ વગેરે ગ્રન્થોનો અનુયોગ એ દ્રવ્યાનુયોગ. આમ જોવા જઈએ તે દ્રવ્યાનુયોગમાં બે વિભાગ છે. પ્રમેયવિભાગ અને પ્રમાણવિભાગ. પ્રમેયવિભાગમાં લોકપ્રકાશ, પ્રવચનસારોદ્ધાર, પન્નવણા, ભગવતીસૂત્ર, સૂયગડાંગ વગેરે આવે છે. પ્રમાણ વિભાગમાં જેમાં તર્કપ્રધાનતાથી પ્રમેયની સિદ્ધિ કરી દેખાડેલી હોય એવા સમ્મતિતર્કપ્રકરણ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરે ગ્રન્થો આવે છે. પ્રશ્ન : આ તો સૂત્રના ચારભેદ થયા.. જે સૂત્ર ચરણકરણને સંલગ્ન છે તેનો અનુયોગ એ ચરણકરણાનુયોગ.... જે સૂત્ર ગણિતને આવરનારું છે એનો અનુયોગ એ ગણિતાનુયોગ.. વગેરે. Page #26 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૧ ૭ આમ સૂત્રના ચાર ભેદ થયા.. તો અનુયોગના ચાર ભેદ છે એમ કેમ કહો છો ? અનુયોગના ચાર ભેદ તો ત્યારે કહેવાય કે જો તે તે દરેક સૂત્રનો ચારે પ્રકારે અનુયોગ થઈ શકતો હોય. ઉત્તર ઃ શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે દુર્બલિકા પુષ્યમિત્રના નિમિત્તે પંચમકાળના પ્રભાવે ધૃતિ-મેઘા વગેરેનો ડ્રાસ જોઈને અનુયોગને પૃથક્ કર્યા. એ પહેલાં અનુયોગ પૃથક્ નહોતો. અર્થાત્ દરેક સૂત્રનો ચાર પ્રકારે અનુયોગ થતો. જેમ શ્રીયોગશાસ્ત્રના પ્રથમ શ્લોક નમો દુર્વારાગાદિ... ના ૧૦૮ અર્થ થયેલા છે. વિવક્ષિત અક્ષરને પહેલાં પૂર્વના શબ્દનો ઘટક માની એક અર્થ કર્યો... પછી એ શબ્દમાંથી અલગ કરીને એને પાછળના શબ્દનો ઘટક બનાવીને નવો અર્થ મેળવવામાં આવ્યો. એમ સંધિ વગેરે જુદી રીતે કરીને અર્થ તદ્દન જુદો મેળવાય. આવું જ પૂર્વના કાળમાં થતું.. દા.ત. આચારાંગજીનું એક સૂત્ર લીધું... એનો એક અર્થ એવો કરવામાં આવ્યો કે જેથી ચરણસિત્તરિનું સમર્થન થાય.. સૂક્ષ્મ માર્ગદર્શન મળે... આને ચરણકરણાનુયોગ કહેવાય. પછી એ જ સૂત્રનો અર્થ એવી રીતે કરવામાં આવતો કે જેથી ગણિત-સંખ્યા વગેરેની મુખ્યતા થાય... આ ગણિતાનુયોગ થયો. એ જ રીતે એ જ સૂત્રનો જુદી જુદી રીતે અર્થ એવી રીતે કરાતો કે જેથી ધર્મકથા-ઉપદેશ ધ્વનિત થાય અને દ્રવ્યોનું સ્વરૂપ સ્પષ્ટ થાય. આ જ રીતે પ્રત્યેક સૂત્રની ચાર-ચાર વ્યાખ્યા થતી. એટલે કે સૂત્રે સૂત્રે ચારે અનુયોગ સાથે ચાલતા. આમાં તે તે શબ્દોના અતિપરિચિત જે અર્થ હોય તે અર્થ દ્વારા મળતો અનુયોગ સમજવામાં ને સમજ્યા પછી યાદ રાખવામાં સરળ રહેતો. પણ બાકીના ત્રણ અનુયોગ મેળવવા માટે ભલે વ્યાકરણના નિયમોને કે ભાષાની મર્યાદાને ચાતરવાનું નહોતું.. છતાં તે તે શબ્દોનાં અલ્પપરિચિત કે અપરિચિત અર્થો કરવા પડતા.. ને એના કારણે સૂત્રે સૂત્રે એને ગ્રહણ કરવા અને ગ્રહણ કર્યા પછી ધારી રાખવા એ અતિ-અતિ મુશ્કેલ કાર્ય હતું.. એટલે પંચમકાળના પ્રભાવે બુદ્ધિ-ધારણાશક્તિમાં જ્યારે ઘણો ઘણો હ્રાસ થઈ ગયો ત્યારે આ કાર્ય અશક્ય જેવું બની ગયું. ચારે અનુયોગને સમજવા-ધારવાની મથામણમાં એક પણ અનુયોગને વ્યવસ્થિત રીતે સમજવોધારવો મુશ્કેલ બની ગયો. એટલે શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજે ભાવીના જીવો પર કરુણા કરીને અનુયોગને પૃથક્ કર્યો. ‘તે તે સૂત્રગત શબ્દોના પ્રચલિત અર્થ પરથી જે અનુયોગ મળે એ જ એક અનુયોગ તે તે સૂત્રનો કરવો. બાકીના ત્રણ અનુયોગ કરવા નહીં.' આવું તેઓએ ઠેરવ્યું.. આ રીતે વ્યાખ્યા કરવાથી શ્રીઆચારાંગ વગેરે સૂત્રો પરથી ચરણકરણાનુયોગ મળ્યો. શ્રીચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે પ૨થી ગણિતાનુયોગ મળ્યો. એમ, શ્રી જ્ઞાતાધર્મકથા વગેરે પરથી તથા શ્રીસૂત્રકૃતાંગ વગેરે પરથી ક્રમશઃ ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ મળ્યા. આમ, વર્તમાન આવી વ્યાખ્યાપદ્ધતિને આશ્રીને વિચારીએ તો, તે સૂત્રનો તો એક એક પ્રકારનો જ અનુયોગ છે, પણ સૂત્રના ચરણકરણ-વિષયક સૂત્ર, ગણિતવિષયક સૂત્ર આમ ચાર પ્રકાર થઈ ગયા હોવાથી અનુયોગ પણ ચાર પ્રકારનો બને છે. બાકી મૂળમાં તો, પૂર્વકાળની દરેક સૂત્રનો ચાર-ચાર રીતે અનુયોગ કરવાની જે પરંપરા હતી તેને અનુસરીને ‘અનુયોગ ચાર પ્રકારે છે' એ વાત પ્રસિદ્ધ થયેલી છે એ જાણવું. Page #27 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિના દ્રવ્ય અનુયોગ વિચાર, ચરણ કરણનો નહીં કો સાર / સમ્મતિ ગ્રંથે ભાષિઉં ઈસ્યું, તે તો બુધ જન મનમાં વસ્યું ||૧-૨ ટબો-એહનો મહિમા કહઈ છો. “દ્રવ્ય-અનુયોગ-વિચાર વિના કેવલ ચરણસિત્તરીકરણસિત્તરીનો સાર કોઈ નહીં.” એહવું સમ્મતિ ગ્રંથનઈ વિષઈ કહિઉં, તે તો બુધજનના મનમાંહિ વસિઉં. પણિ બાહ્યદૃષ્ટિના ચિત્તમાં ન વસઈ. યથા આ ચારે અનુયોગ આત્મહિત માટે ઘણા ઉપયોગી છે. એટલે ગ્રન્થકાર શ્રી યશોવિજયજી મહારાજ પણ ભવ્યજીવો પર અનુગ્રહ કરવાની ભાવનાથી આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામનો ગ્રન્થ કરી રહ્યા છે. એમાં દ્રવ્ય-ગુણ અને પર્યાયનો વિચાર હોવાથી આ દ્રવ્યાનુયોગ છે એમ જાણવું. / ૧ / પોતે દ્રવ્યાનુયોગનો વિચાર કરી રહ્યા છે, માટે એનો મહિમા હવે પછીની ગાથાઓમાં જણાવે છે. ગાથાર્થ : “દ્રવ્યાનુયોગના વિચાર વિના ચરણ-કરણનું સારભૂત કોઈ ફળ મળતું નથી” આવું સમ્મતિતર્કપ્રકરણ ગ્રન્થમાં જે કહ્યું છે તે પંડિતજનોના મનમાં સારી રીતે સમજાય છે. જે ૧-૨ છે. વિવેચન : એહનો = દ્રવ્યાનુયોગનો મહિમા કહે છે. “દ્રવ્યાનુયોગના વિચાર વિના કેવલ ચરણસિત્તરી - કરણસિત્તરીનો સાર કોઈ નહીં” આવું સમ્મતિગ્રન્થમાં કહ્યું છે. તે વાત બુધઃપંડિત જનના મનમાં તર્કસંગત રીતે સમજાય છે, પણ બાહ્યદષ્ટિના ચિત્તમાં એ રીતે એ સમજાતી નથી. માત્ર લિંગને અને બાહ્ય સ્થૂળ દેખાવને જ જોનારા બાળજીવો અને સૂક્ષ્મ રીતે ક્રિયાઓને – આચરણને જોનારા મધ્યમજીવો. આ બંને બાહ્યદૃષ્ટિ જીવો છે, કારણ કે લિંગ અને આચરણ આ બંને બાહ્યદૃષ્ટિના વિષય છે. આ જીવો આ બાહ્ય વિષયને જ પરખનારા ને મહત્ત્વ આપનારા હોવાથી જેઓ આ બે ધરાવતા હોય એને ખૂબ મહાન અને શ્રેષ્ઠ ફળ પામનારા માનતા હોય છે. એટલે, “જો દ્રવ્યાનુયોગનો વિચાર ન હોય તો ચરણકરણનો વેશાદિ દેખાવ કે સૂક્ષ્મ કાળજીપૂર્વકનું પાલન પણ અસાર છે - તુચ્છ છે - સમુચિત ફળથી શૂન્ય છે' આવી વાત એમની બુદ્ધિમાં બેસી શકતી નથી. બેસી શકે નહીં એ સ્પષ્ટ છે. પણ પંડિતજીવો અંતસ્તત્ત્વને પરખનારા હોય છે, એને મહત્ત્વ આપનારા હોય છે. એટલે અંતસ્તત્ત્વની એટલી વિશુદ્ધિ જોવા ન મળે તો બાહ્ય નિર્દોષ અને કઠોર આચરણ પણ એમને સારભૂત લાગતું નથી. ત્યારે તું શું માત્રસ્ય મુનરો ન હિ નિર્વિષ: અંદરથી નિર્વિષ નહીં થયેલો સાપ બહારથી કાંચળી ઉતારી દે એટલા માત્રથી શું હરખાઈ જવાનું ? આ પંડિતજીવોની વિચારધારા હોય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૨ પ્રશ્ન : દ્રવ્યાનુયોગનું અધ્યયન-ચિંતન-મનન વગેરે ન હોય તો આંતરિક પરિણતિ એટલી નિર્મળ થયેલી ન જ હોય ને તેથી બાહ્ય કઠોર પણ આચરણ અસાર જ બની રહે.. આવો નિર્ણય શી રીતે થાય ? ઉત્તર : હું વિદ્વાન. હું તપસ્વી.. હું ગુરુ. હું શિષ્ય. હું પિતા.. હું પુત્ર.. હું શ્રીમંત. હું સત્તાધીશ. હું મનુષ્ય. આવું બધું જે કાંઈ સંવેદન આપણી અનુભૂતિમાં આવે છે એ બધું જ સોપાધિક છે.. ને સોપાધિક છે માટે બ્રાન્ત છે. આત્માના શુદ્ધ-સમ્યગૂ દર્શનરૂપ નથી. દ્રવ્યાનુયોગના અધ્યયનાદિથી જાણકારી મળે છે કે આ બધા સભૂત વ્યવહાર - અસભૂત વ્યવહાર વગેરે નયગ્રસ્ત દૃષ્ટિના સંવેદનો છે, માટે બ્રાન્ત છે. વાસ્તવિક દર્શન તો એ જ છે જે શુદ્ધનિશ્ચયનયની દૃષ્ટિ જુએ છે. એટલે સાધક આત્મા આ બધા સંવેદનોમાંથી ઉપાધિઓ ખરી પડે ને આત્માનું = પોતાનું બધી જ ઉપાધિઓથી મુક્ત નિરુપાધિક સંવેદન-દર્શન થાય એ માટે, હું મનુષ્ય ? નહીં. હું સત્તાધીશ ? નહીં. હું ગુરુ ? નહીં.. આમ બધા જ સોપાધિક દર્શનોને નકારતો રહે છે. વારંવાર નકારતો રહે છે. એ દ્વારા આ નકારને પોતાની ઠેઠ ઊંડી-અંતસ્તલની સંવેદનામાં ઉતારે છે. ને સાથે સાથે શુદ્ધનિશ્ચયનયને આત્માનું જેવું નિરુપાયિક સ્વરૂપ અભિપ્રેત છે એવું સંવેદવા પ્રયતશીલ બને છે. (અર્થાત્ પહેલાં નેતિ નેતિ. ને પછી સોડહં સોડહં.. ની ભાવના કરે છે એટલે કે ના, હું મનુષ્ય નહીં.. ના, હું વિદ્વાનું નહીં. આવું બધું મારું કોઈ સ્વરૂપ નથી. હું તો સિદ્ધાત્મા જેવો શુદ્ધ આત્મા છું.. વગેરે વાતોને વારંવાર ઘુંટતો રહે છે.) આના પ્રભાવે એક ક્ષણ એવી આવે છે કે હું ની સંવેદનામાંથી બધી જ ઉપાધિઓ ખરી પડે છે, ને નિરુપાધિક હું ની સંવેદના થાય છે. આ આત્મસાક્ષાત્કાર છે. આને (આત્માનું) સમ્યગ્દર્શન (=સમ્યક્ત) કહી શકાય. એટલે દ્રવ્યાનુયોગ વિના સમ્યકત્વ જ સંભવિત ન હોવાથી, સમ્યકત્વ વિનાના ગમે એટલા કઠોર – સૂક્ષ્મ આચરણોની પણ શું કિંમત ? કારણ કે સમ્યક્ત તો પાયો છે. કહ્યું જ તપ જપ સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો ઠામ; સમીકીત વિણ નિષ્ફળ હુએ, જિમ વ્યોમ ચિત્રામ.. જબ લગ સમકત.. સાવધાની : અહીં દ્રવ્યાનુયોગના જ્ઞાનને ખૂબ-ખૂબ પ્રધાનતા અપાઈ રહી છે. એ એક-નયની દેશનાતુલ્ય જાણવું.. આશય એ છે કે દ્રવ્યાનુયોગનો મુખ્ય વિષય જ્ઞાન છે, ક્રિયા નથી. માટે જ ગ્રન્થકારે અધિકારી તરીકે આત્માર્થીજીવ = જ્ઞાનરુચિજીવ એમ જણાવ્યું છે. જ્ઞાન એ પ્રધાન છે, અપ્રતિપાતી છે, સાધ્ય છે. જ્યારે ક્રિયા અપેક્ષાએ અપ્રધાન છે, પ્રતિપાતી છે ને સાધનભૂત છે. ક્રિયામાં ઉત્સર્ગ-અપવાદ હોય છે. જ્ઞાનમાં હોતા નથી. ક્રિયા એ વ્યવહાર છે. જ્યારે જ્ઞાન એ અધ્યાત્મ છે, નિશ્ચય છે, કે નિશ્ચયના સાધનભૂત ગુણ છે. એકલી ક્રિયાવાળા અપ્રધાન આત્માર્થી છે. ક્રિયાને = શીલને દેશઆરાધક કહી છે.. (= માત્ર એક નાનાઅંશ જેટલી આરાધનારૂપ કહી છે.) શ્રતને = જ્ઞાનને દેશવિરાધક = માત્ર એક બહુ નાના અંશની જા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઢાળ-૧ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિરાધના - બાકી બહુલતાએ આરાધનારૂપ કહ્યું છે. ક્રિયાને આગીયા જેવી ને જ્ઞાનને સૂર્યસમાન કહ્યું છે. એમ મંડુકચૂર્ણ - તથા સુવર્ણઘટના દૃષ્ટાંત દ્વારા પણ જ્ઞાન-ક્રિયાનો તફાવત શાસ્ત્રોમાં દર્શાવ્યો છે. ક્રિયા પણ જ્ઞાનને સાપેક્ષ હોય તો હિતકર કહી છે. ઉદ્યતક્રિયાવાળા અગીતાર્થોને (અજ્ઞાન જીવોને) બાળતપસ્વી કહ્યા છે જયારે આચારહીન-પણ જ્ઞાની-ગીતાર્થને સંવિગ્નપાક્ષિક કહ્યા છે. પ્રધાનતા આત્માર્થીપણું જ્ઞાનરુચિ વગર આવતું નથી.. શાસ્ત્રોની આવી બધી વાતોથી જ્ઞાનની મહત્તા જણાય છે. ને એ જ્ઞાન આ દ્રવ્યાનુયોગથી વિશદ થાય છે. માટે દ્રવ્યાનુયોગની મહત્તા ગાવા માટે પ્રસ્તુત વાતો છે. બાકી ઘણા જીવો અલ્પ ભણેલા હોય તો પણ ભદ્રક પરિણામના પ્રભાવે-ગુરુસમર્પણાદિના પ્રભાવે સમ્યકત્વ પામે છે.. ચારિત્ર પામે છે. ને પાળે છે. નેતિ નેતિ. કે સોડાં સોડની ભાવના વિના પણ, સદ્ભુત વ્યવહાર-અસદ્ભુત વ્યવહાર-શુદ્ધનિશ્ચયનય.. આ બધું જાણ્યા વિના પણ, ભાવનાથી ઠેઠ કેવલજ્ઞાન સુધી પણ પહોંચે છે. નેતિ નેતિ. વગેરે ભાવના ન હોય ને પ્રબળ વૈરાગ્ય હોય.. તો એ પ્રબળ વૈરાગ્યથી પણ, અંતસ્તલના સંવેદનમાંથી બધી ઉપાધિઓ ખરી જાય છે. સંવેદન એ બધાથી મુક્ત થાય છે ને શુદ્ધ આત્માની ઝાંખી – અનુભૂતિ થાય છે. એટલે દ્રવ્યાનુયોગ વિના સમ્યકત્વ સંભવિત નથી. વગેરે વાતો નયપ્રરૂપણારૂપ જાણવી - પણ પ્રમાણપ્રરૂપણારૂપ નહીં. દ્રવ્યાનુયોગનું પરિશીલન સમ્યકત્વાદિની પ્રાપ્તિ-સ્થિરતા માટે ખૂબ જ સહાયક બને છે. એ પ્રાપ્તિ-સ્થિરતાને સહજ-સરળ બનાવે છે. ને વિપરીત ભાવો - માન્યતા વગેરેનું દૃઢતાપૂર્વક વારણ કરે છે. તેથી પંડિત જીવો માટે એની ખૂબ મહત્તા છે. પણ એ સિવાયના જીવો દ્રવ્યાનુયોગનું વિશેષજ્ઞાન-અનુભવ ન હોય તો પણ ભદ્રિક પરણિામ – તીવ્રવૈરાગ્યના પ્રભાવે, આત્મા, શુદ્ધાત્મા, કર્મોપાધિજન્યભાવો વગેરેને સંવેદે છે.. અને એ સોપાધિકભાવોથી મુક્ત થવાની પ્રામાણિક ઇચ્છા અને તદનુરૂપ પ્રયત વગેરે બધું જ એમને સંભવે છે. આવા જીવોને ફળતઃ દ્રવ્યાનુયોગ હોવાની સંભાવના આગળ માપતુષમુનિના દૃષ્ટાંત દ્વારા દર્શાવાશે. અસ્તુ. આત્મદ્રવ્ય અને એના શુદ્ધ ગુણ-પર્યાયોને જાણનાર, સદહનાર, વારંવાર ભાવિત કરનાર જ શુદ્ધસ્વરૂપાત્મક મુખ્ય સાધ્યને સતત નજરમાં રાખી શકે છે. ને આ બધી જાણકારી-શ્રદ્ધા-ભાવના વગેરે દ્રવ્યાનુયોગથી સુશક્ય બને છે એ સ્પષ્ટ છે. જેણે દ્રવ્યાનુયોગનું અધ્યયન-પરિશીલન વગેરે કર્યા નથી ને માત્ર બાહ્ય આચરણમાં જ ઇતિશ્રી માની લીધી છે અને આ સાધ્ય નજરમાં સ્કુરાયમાણ રહેતું નથી અને તેથી એ અભિમાન વગેરેનો ભોગ બન્યા વિના પ્રાય: રહેતો નથી. ને એનો ભોગ બને એટલે તરત જ, જે કાંઈ પ્રગતિ સાધેલી એનાથી જોરદાર પછડાટ અનુભવે છે. માટે દ્રવ્યાનુયોગ વિના ચરણકરણનો કોઈ સાર રહેતો નથી એ વાત અત્યંત સુસંગત છે. પ્રશ્ન : માપતુષમુનિ તો દ્રવ્યાનુયોગ પામ્યા નહોતા. ને છતાં ચરણકરણના સારભૂત વીતરાગતા-કેવલજ્ઞાન તો પામ્યા જ. પછી તમારી વાત ક્યાં રહી ? Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૨ चरणकरणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा । વરVરિસ , નિચ્છ યુદ્ધ ને નાપતિ છે 3 પડે ૬૭ ગાથા સમસ્ત 1-2 ઉત્તર : માલતુષમુનિ શબ્દથી દ્રવ્યાનુયોગ ભલે પામ્યા નહોતા. પણ ફળતઃ તો એ પામ્યા જ હતા, માટે કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન : ફળતઃ દ્રવ્યાનુયોગ પામ્યા હતા. એનો શું અર્થ ? ઉત્તર દ્રવ્યાનુયોગ પામવાનું જે ફળ છે કે શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ, એની શ્રદ્ધા, મુખ્ય સાધ્ય તરીકે એની સતત ફુરણા... વગેરે, આ ફળ, દ્રવ્યાનુયોગના ગ્રન્થના અધ્યયનપરિશીલન-ભાવન વગેરે વિના પણ ક્યારેક કોઈકને ગુરુપરતંત્ર વગેરેના પ્રભાવે અને પૂર્વભવની એવી કોઈક સાધના વિશેષથી) પ્રાપ્ત થઈ શકે છે. આને ફળતઃ દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ કહેવાય છે. પ્રશ્ન : માલતુષમુનિને આવી ફળતઃ પ્રાપ્તિ થઈ હતી એવું શાના આધારે કહો છો ? ઉત્તર : કોઈ એક વ્યક્તિએ એક ભૂલ કરી. કોઈએ સુધારી. છતાં બીજી વાર ભૂલ... ફરીથી સુધારી. ફરી પાછી ત્રીજી વાર એ જ ભૂલ. ભૂલ સુધારવાની એની રીતમાં ઉત્તરોત્તર કર્કશતા-તિરસ્કાર વગેરે વધતા રહે એ સહજ છે.. “તમે તો સાવ જડ છો. પથ્થર જેવા છો. કાંઈ યાદ જ રાખતા નથી..” આવા બધા શબ્દો-કર્કશતા એક દ્વારા.. બીજા દ્વારા. ત્રીજા દ્વારા.. વારંવાર.. પછી એ વ્યક્તિ પણ અકળાયા વિના રહે નહીં, એ પણ સહજ છે. ને અકળાઈ જાય. તો ‘તમે તમારું સંભાળો, મારી ભૂલ કાઢવી નહીં.” વગેરે કહ્યા વિના રહે નહીં. ને પછી બધા ભૂલ સુધારવાનું છોડી દીધા વિના પણ રહે નહીં. માલતુષમુનિના કેસમાં આવું બન્યું નથી. એ જણાવે છે કે સામેથી ગમે એટલી કર્કશતા-તિરસ્કાર થવા છતાં પોતે કોઈ અણગમો કર્યો નથી. માત્ર ને માત્ર ઉપકાર જ માન્યો છે. સામી વ્યક્તિને ફરી ફરી કહેવાનું મન થાય એવો જ વ્યવહાર રાખ્યો છે. આ બધું આત્માની કર્મોપાધિજન્ય અજ્ઞાનમય અવસ્થા, શુદ્ધસ્વરૂપ, એની પ્રાપ્તિના ઉપાયો વગેરેની સતત ફુરણા વિના શક્ય જણાતી નથી. માટે આપણે નિર્ણય કરી શકીએ છીએ કે માપતુષમુનિને પણ દ્રવ્યાનુયોગની ફળતઃ પ્રાપ્તિ હતી. ભલે દ્રવ્યાનુયોગનું અધ્યયન - પરિશીલન સાક્ષાત્ નહોતું, પણ તીવવૈરાગ્ય, ગુરુસમર્પણ વગેરે દ્વારા આ બધું (=દ્રવ્યાનુયોગનું ફળ) એમને પ્રાપ્ત હતું. આમ નિશ્ચિત થયું કે દ્રવ્યાનુયોગ વિના ચરણકરણનો કોઈ સાર નથી. આ જ વાતને શ્રીસમ્મતિગ્રન્થમાં આ રીતે જણાવી છે - અર્થ : ચરણસિત્તરી અને કરણસિત્તરીની સૂક્ષ્યકાળજીવાળી નિરતિચાર બાહ્ય સાધનાને જ જેઓ પ્રધાન માને છે, પણ સ્વસમય = જૈન સિદ્ધાન્ત અને પરસમય = અન્ય બૌદ્ધદર્શન વગેરેના સિદ્ધાન્તના અધ્યયનાદિની પ્રવૃત્તિ (અને એ દ્વારા આત્માનું સોપાધિક સ્વરૂપ, ઉપાધિનું સ્વરૂપ, આત્માનું નિરુપાધિક શુદ્ધ સ્વરૂપ આ બધાનો વાસ્તવિક નિશ્ચય) જેઓ કરતા નથી, એની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ઢાળ-૧ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સરાસર ઉપેક્ષાવાળા છે... તેઓ ચરણસિત્તરી અને કરણસિત્તરીની આરાધનાનો સાર ફળ જાણતા નથી. (અને તેથી પામતા નથી). અહીં ક્રિયાધર્મને વખોડવાનો આશય નથી. પણ જ્ઞાનધર્મની જે ધરાર ઉપેક્ષા છે, જ્ઞાનધર્મની આવશ્યકતાનો અહેસાસ કરવાની જે બિલકુલ તૈયારી નથી. એને વખોડવાનો આશય છે. કારણ કે જ્ઞાનમાર્ગે ચઢ્યા પછી પણ ક્રિયામાર્ગની જરૂર તો પડવાની જ છે. તરણકલા શીખી ગયા પછી પણ હાથ-પગને હલાવવાની ક્રિયા કરનારો તરવૈયો જ સમુદ્રને તરી શકે છે. સોય (જ્ઞાન) દોરાને (ક્રિયાને) દોરનાર છે. ને દોરો (ક્રિયા) સોયને (જ્ઞાનને) (ખોવાઈ ન જાય એ રીતે) રક્ષનાર છે. સોય વગર દોરો કપડામાં અંદર જઈ શકતો નથી ને દોરા વગર, જે સાંધો કરવો છે તે ચિરકાલીન બની શક્તો નથી. એમ જ્ઞાન વગર ક્રિયા અંતઃકરણ સુધી પહોંચી શકતી નથી, અને ક્રિયા વગર જ્ઞાનજન્ય દોષશુદ્ધિ ચિરકાલીન બની શકતી નથી. માટે બંને જરૂરી છે. છતાં જ્ઞાનની ખૂબ જ મહત્તા છે, કારણ કે આત્માના શુદ્ધિકરણમાં સિંહફાળો એનો જ છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે... વગેરે વાક્યો દ્વારા જ્ઞાનની મહત્તા ગાવામાં આવેલી જ છે. આશય એ છે કે પ્રવૃત્તિ અને વૃત્તિમાં જે દોષો રહેલા છે તે બધાનું મૂળ કારણ છે મોહવાસિત અંતઃકરણ. એ જ જીવને હંમેશ માટે ઉધી જ પ્રેરણા કરતું રહે છે ને પરિણામે જીવ એવી મોહજન્ય વૃત્તિ-પ્રવૃત્તિનો ભોગ બન્યા કરે છે. એટલે સાધકની મુખ્ય સાધના આ જ છે કે અંતઃકરણમાંથી મોહની વાસનાઓ દૂર કરતા રહેવું. આ કાર્ય ભાવિત થયેલું જ્ઞાન કરે છે. એટલે જ્ઞાન એ જ મુખ્ય ઔષધ છે, ને ક્રિયા એ અનુપાન છે. • વિષયપ્રવૃત્તિ દરમ્યાન રાગ-દ્વેષ... આ જીવનો અનાદિકાલીન અભ્યાસ છે. એટલે, વિષયપ્રવૃત્તિ કરવી અને છતાં રાગ-દ્વેષથી પર રહેવું એ સાધક માટે પ્રારંભે બિલકુલ અશક્ય હોય છે. તેથી જો વિષયપ્રવૃત્તિ ચાલુ હોય તો તો રાગ-દ્વેષનું પોષણ જ થતું હોવાથી જ્ઞાન રાગદ્વષને ઘટાડવાનું સ્વકાર્ય કરી જ શી રીતે શકે ? ધર્મ ક્રિયાઓ ધનમૂ-દેહમમત્વ-વિષયપ્રવૃત્તિ આ બધાને રોકી રાખે છે. ને તેથી જ્ઞાનને અંતઃકરણમાં એવું વાતાવરણ સાંપડી શકે છે કે જેથી એ શુદ્ધિ કરી શકે. પણ, આમ શુદ્ધિનું મુખ્ય કાર્ય જ્ઞાન જ કરતું હોવાથી એની મહત્તા • અનાદિકાળથી જીવ રાગાદિ દ્વારા સંસાર તરફ જ ધસી રહ્યો છે. એટલે કે વૈરાગ્ય અને વીતરાગતા દ્વારા મોક્ષ તરફ કરવાની ગતિ કરતાં બિલકુલ વિપરીત દિશામાં દોડી રહ્યો છે. વિપરીત દિશામાં ધસી રહેલી ગાડીને બ્રેક મારવી જરૂરી હોય છે ને પછી યુટર્ન લેવાનો હોય છે. આ બ્રેક મારવાનું કામ એટલે રાગ-દ્વેષજનક પ્રવૃત્તિઓ અટકાવી દેવી. આ કામ ધર્મક્રિયાઓમાં જોડાઈ જવાથી સહેજે થઈ શકે છે. • વળી ક્રિયા બાહ્ય પરિવર્તન કરે છે, જ્યારે જ્ઞાન આંતરિક પરિવર્તન કરે છે. હંમેશા બાહ્ય પરિવર્તન સરળ હોય છે, અંદરનું પરિવર્તન જ કઠિન હોય છે. (એટલે તો દાન દેવા છતાં મૂચ્છ કપાય નહીં. બ્રહ્મચર્ય પાળવા છતાં વાસના ઘટે નહીં. વગેરે જોવા મળે છે.) માટે Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૨ ક્રિયામાર્ગે જોડાવું સરળ હોય છે, જ્ઞાનમાર્ગે જોડાવું કિઠન. • ક્રિયા બાહ્ય છે, દૃશ્ય છે... એટલે બીજાઓની ક્રિયા જોઈને પ્રેરણા મળવી... વગે૨ે શક્ય હોવાથી જીવ ક્રિયામાર્ગે સહેલાઈથી જોડાય છે.. જ્યારે જ્ઞાન અતીન્દ્રિય હોવાથી આવી પ્રેરણા લઈને એમાં જોડાવું એટલું સરળ નથી હોતું. • બીજાની ભૂલ-ક્ષતિ પકડવી.. અનૌચિત્યને-દોષને પરખવો... આ બધું જીવને અનાદિસિદ્ધ છે. બીજાની પ્રવૃત્તિ દેખાય છે, માટે એમાં રહેલ અનૌચિત્ય... ત્યાજ્યતા પણ દેખાય છે. ને તેથી થોડી પણ સહૃદયતા હોય તો પોતાની પણ એવી પ્રવૃત્તિને જીવ ત્યાજ્ય તરીકે પરખી શકે છે. માટે પાપપ્રવૃત્તિઓનો ત્યાગ (અને તેથી ધર્મક્રિયામાં જોડાવું) સરળ હોય છે. પણ વૃત્તિની બાબતમાં આવું નથી. બીજાની વૃત્તિઓ પોતાને દેખાતી નથી ને પોતાની વૃત્તિ અનુભવસિદ્ધ હોવા છતાં એમાં રહેલી ત્યાજ્યતા પિછાણાતી નથી, કારણકે પોતાની ભૂલ જોવાની એને ટેવ જ નથી. ઊલટું પોતાનું તો બધું બરાબર જ છે એવું અભિમાન જ અનાદિસિદ્ધ છે. માટે અસવૃત્તિઓની પિછાણ અને ત્યાગ કઠિન છે. એટલે કે પ્રવૃત્તિપરિવર્તનરૂપ ક્રિયામાર્ગ સરળ છે, વૃત્તિપરિવર્તનરૂપ જ્ઞાનમાર્ગ કઠિન છે. ૧૩ નવમા ત્રૈવેયક સુધી જઈ શકાય એવો ઉત્તમ ક્રિયામાર્ગ પણ અભવ્ય પણ પામી શકે છે એ જણાવે છે કે ક્રિયામાર્ગ માટે મોહનીયનો ક્ષયોપશમ આવશ્યક નથી.. જ્યારે જ્ઞાનમાર્ગ તો મોહનીયના ક્ષયોપશમ વિના શક્ય જ નથી. એટલે જેમને મોહનીયનો એવો કોઈ વિશેષ ક્ષયોપશમ થયો નથી, એવા જીવો પણ ક્રિયામાર્ગે જોડાઈ શકે છે અને જો તીવ્રભવાભિષ્યંગ વગેરે રૂપ પ્રતિબંધક ન હોય તો આ ક્રિયામાર્ગ પણ મોહનીયનો ક્ષયોપશમ કરાવી જીવને જ્ઞાનમાર્ગે જોડી શકે છે. આવી બધી વાસ્તવિકતા એને નજરમાં રાખીને જ જ્ઞાનીઓએ આવાર: પ્રથમો ધર્મ: એમ કહ્યું છે. પ્રશ્ન : પણ ભરતચક્રવર્તી - પૃથ્વીચન્દ્ર ગુણસાગર વગેરે ઢગલાબંધ એવા દૃષ્ટાન્તો મળે છે જેઓએ ક્રિયામાર્ગે જોડાયા વિના જ જ્ઞાનમાર્ગે વૃત્તિઓનું પરિશોધન કરી દીધું હોય.. ઉત્તર : આ નરી ભ્રમણા છે. ચરમભવમાં ભલે ક્રિયામાર્ગે જોડાણ નથી દેખાતું.... પણ પૂર્વના કેટલાય ભવોમાં ક્રિયામાર્ગની પણ શ્રેષ્ઠ આરાધના કરતાં કરતાં જ તેઓ એવી ભૂમિકા પર પહોંચ્યા હોય છે કે ક્યારેક બાહ્યક્રિયામાર્ગ ન હોવા છતાં અંદર જ્ઞાનમાર્ગ જાજ્વલ્યમાન હોય. આ સિવાય (ક્રિયામાર્ગ સિવાય) જ્ઞાનમાર્ગની કોઈ શક્યતા જ નથી. આશય એ છે કે આહારસંશા જીવને અનાદિકાળથી વળગેલી છે. એટલે પ્રારંભે ઉપવાસ કરવા છતાં ખાવાના વિચારો આવ્યા કરવા... સ્વપ્નમાં પારણું થઈ જવું.. આવી બધા જ જીવોની પરિસ્થિતિ હોય છે, કોઈ આમાંથી બાકાત નથી. એટલે છતે ઉપવાસે પણ મન ખાવામાં રમ્યા કરે છે તો વગર ઉપવાસે - ખાધે-પીધે મન આહારમાં અનાસક્ત બની જાય એ Page #33 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧ : ગાથા-ર દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સ્વપ્નમાં પણ શક્ય નથી જ. પણ ભલે ખાવાના વિચાર આવ્યા કરે.. મારે ઉપવાસ કરવા જ.. આ રીતે ઉપવાસ કરવા જ માંડે એને પછી ખાવાના વિચારો આવતા બંધ થઈ જાય છે.. અને ઉપવાસ કરવાની સાથે સાથે ‘અણાહારીપણું મારો સ્વભાવ છે’ વગેરે રીતે મનને ભાવિત કરતો રહે તો આહારસંજ્ઞા પણ તૂટવા માંડે છે.. આ રીતે ઘણી ઘણી નોંધપાત્ર માત્રામાં આહારસંશા તૂટી જાય તો પછી એક એવી અવસ્થા આવે છે કે જેથી પરિસ્થિતિવશાત્ ખાવું પડે તો પણ અંદરથી અણાહારીપણાનું જ સંવેદન હોય.. ખાવામાં કોઈ જ આસક્તિ ન હોય. આવું જ વિષયપ્રવૃત્તિ વગેરે દરેક અંગે છે. ૧૪ ચરમભવમાં બાહ્ય કોઈ વિશેષ સાધના વિના જ સીધું કેવલજ્ઞાન પામી જનારા ભરતચક્રવર્તી વગેરે જેવા જે કોઈ દૃષ્ટાન્તો મળે એ દરેકના પૂર્વભવો જાણવા જોઈએ. અપ્રમત્ત ક્રિયામાર્ગ વિના આ રીતે કેવલજ્ઞાન પ્રાપ્તિ શક્ય નથી જ. પ્રશ્ન : મરુદેવા માતાએ તો પૂર્વભવમાં પણ ક્યાં ક્રિયામાર્ગ સેવ્યો છે ? ઉત્તર : એ અત્યંત અત્યંત અત્યંત વિરલ અચ્છેરા જેવો કેસ છે. પણ એમનું દૃષ્ટાન્ત કોઈપણ સાધકને ઉપયોગી બને એવું નથી, કારણ કે દેવ-નરકાદિ કોઈ જ ગતિ કર્યા વિના કેવલજ્ઞાન પામી જવાની એમની ચેનલ જ સાવ નિરાલી છે, સામાન્યથી આપણા જેવા તો દરેક સાધકો અનંતીવાર દેવાદિભવ કરી આવ્યા છીએ. એટલે નિશ્ચિત જાણવું કે પ્રથમ ક્રિયામાર્ગ છે ને એ જ જ્ઞાનમાર્ગની ભૂમિકા રચી આપે છે.. ને એ રચાઈ જાય પછી ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ બંને સાથે ચાલે છે. હજારો લાખો કિસ્સામાંથી કોઈ એકાદ કિસ્સો જ એવો બને છે કે ચરમભવમાં બાહ્યદૃષ્ટિનો ક્રિયામાર્ગ કોઈ એવા પ્રતિબંધકના કારણે ન હોય ને છતાં જીવ જ્ઞાનમાર્ગના બળે કેવલજ્ઞાન સુધી પહોંચ્યો હોય. પણ એવા જીવ પણ પૂર્વભવમાં તો ક્રિયામાર્ગના પણ અચ્છા સાધક હોય જ છે. વળી, નવા નવા જીવોને મોક્ષમાર્ગે ચડાવવા માટે અને એ રીતે મોક્ષમાર્ગને વહેતો રાખવા માટે પણ ક્રિયામાર્ગ જ મુખ્ય આલંબન છે. માટે સ્વસ્થાને ક્રિયામાર્ગ પણ મહત્ત્વનો છે જ. પ્રશ્ન : ક્રિયામાર્ગ જો મહત્ત્વનો છે તો ગ્રન્થકાર દ્રવ્યાનુયોગના ને એના દ્વારા પ્રાપ્ય જ્ઞાનમાર્ગના ગુણ કેમ ગાયા કરે છે ? ઉત્તર ઃ એનાં અનેક કારણો છે. જીવોને નવા નવા ધર્મમાર્ગમાં જોડવાના હોય તો ક્રિયામાર્ગના ગુણ ગાવાના હોય, કારણ કે એના દ્વારા જ એનું જોડાણ શક્ય બનવાનું હોય છે. પણ જેઓ ક્રિયામાર્ગમાં જોડાઈ ગયા છે, જોડાઈ ગયા છે એટલું જ નહીં પણ એવા સ્થિર થઈ ગયા છે કે (દ્રવ્યાનુયોગના અભાવમાં) ચરણકરણની અસારતા કહેવામાં આવે તો પણ એમને ચરણકરણ છોડી દેવાનો વિચાર સુધ્ધાં ન આવે. આવા જીવો જ દ્રવ્યાનુયોગના=જ્ઞાનમાર્ગ સંલગ્ન ગ્રન્થના અધિકારી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૨ ૧૫ પણ, આ જીવોને અત્યાર સુધી દ્રવ્યાનુયોગ આપવામાં આવ્યો નથી, કારણ કે અધિકાર જ નહોતો. એમને તો, ચરણકરણમાં જોડાય ને વધુ ને વધુ સ્થિર થાય એ માટે ચરણકરણની મહત્તા ગાનારા - એનું જ સૂક્ષ્મ નિરૂપણ કરનારા ગ્રન્થો ભણાવાયા છે. માટે એમાં જરા પણ દોષ લગાડાય નહીં. નાની નાનો દોષ પણ જીવને ખૂબ નુકશાન કરે.. ચરણકરણના પરિપૂર્ણપાલન વિના આત્મકલ્યાણ શક્ય નથી. આવી બધી વાતો એના દિલમાં આગ્રહપૂર્વક બંધાઈ ગયેલી હોવી પણ શક્ય છે ને આવી ભૂમિકા અત્યાર સુધી એના લાભમાં જ હતી. પણ હવે એને જ્ઞાનમાર્ગે જોડવો જરૂરી બન્યો છે, કારણ કે જેમ ક્રિયામાર્ગ વિના મોક્ષમાર્ગનો પ્રારંભ નથી, એમ જ્ઞાનમાર્ગ વિના એની પૂર્ણાહૂતિ નથી. એટલે જ્ઞાનમાર્ગની મહત્તા એના દિલમાં અંકાય એ માટે જ્ઞાનમાર્ગના ગુણ ગાવામાં આવી રહ્યા છે. વળી ચરણકરણને અસાર કહેવા છતાં એ એને છોડી દેવાનો નથી. એવી ભૂમિકા છે. માટે, જ્ઞાનમાર્ગની જિજ્ઞાસા જ ન થવા દે, આવશ્યકતા જ ન ભાસવા દે, ક્રિયામાર્ગમાં જ સંપૂર્ણ ઇતિ શ્રી મનાવી દે. ક્રિયામાર્ગનો આવો બધો જે વધારે પડતો આગ્રહ બંધાઈ ગયો હોય એને તોડવા માટે “ક્રિયામાર્ગ અસાર-નિષ્ફળ છે' વગેરે કહેવામાં આવે છે. પ્રશ્ન : તમે કહ્યું કે મોક્ષમાર્ગના પ્રારંભે ક્રિયામાર્ગ હોય છે. વસ્તુતઃ અંતે પણ ક્રિયામાર્ગ જ હોય છે. શૈલેશીકરણે સર્વસંવરરૂપ ચારિત્રથી જ છેવટે જીવનો મોક્ષ થાય છે ને? ઉત્તર : વીતરાગતા આવી ગયા પછી કેવલજ્ઞાન, યોગનિરોધ, સર્વકર્મક્ષય, મોક્ષ. આ બધું તો ગાયની પાછળ વાછરડાની જેમ આવી જ જાય છે. એ માટે કોઈ વિશેષ સાધના કરવાની હોતી નથી. સાધના તો વીતરાગતા મેળવવાની જ હોય છે. એ માટે અંતઃકરણમાં મોહની જે ઘેરી વાસનાઓ પડેલી છે એને દૂર કર્યા સિવાય કોઈ આરો નથી. એને દૂર કરવાનું મુખ્ય સામર્થ્ય જ્ઞાનમાં જ છે. તે પણ એટલા માટે કે એ વાસનાઓને ઘેરી કરવામાં પણ મુખ્ય ફાળો વિપરીતજ્ઞાનનો જ છે. વિપરીતક્રિયાનો (પાપક્રિયાનો) નહીં. આશય એ છે કે, ધારો કે આહારસંજ્ઞાનો વિચાર કરવો છે.. તો ખાવાની ક્રિયા કેટલી વાર કરી ? અને વિચારો કેટલીવાર ક્યું ? આ વિચારો તથા ખાદ્યપદાર્થો જોઈને કે બીજાને ખાતા જોઈને ખાવાની ઇચ્છા કરવી. ખાવાનું આકર્ષણ-મહત્ત્વ સાંભળવું-વાંચવું-વિચારવું-વાનગીઓની સરસતાના- એ સરસતા કઈ રીતે આવે એના... વિચારો કર્યા કરવાભક્ત કથા કરવી.. આ બધું વિપરીતજ્ઞાનરૂપ છે. એ બધું આહારસંજ્ઞાને પોષે છે. આજ સુધીમાં આહારસંન્ના જે અતિપુષ્ટ થયેલી છે એમાં આ જ્ઞાનનો જ મુખ્ય ફાળો છે. ક્રિયા તો એનાથી સોમા ભાગમી વાર પણ થઈ નથી. ને જ્યારે જ્યારે થઈ છે ત્યારે ત્યારે પણ ખાવામાં રમમાણતા વગેરે રૂપે વિપરીત જ્ઞાન એમાં ભળે તો જ એ આહાર સંજ્ઞાનું પોષણ કરી શકી છે, એ સિવાય નહીં. માટે આહારસંજ્ઞાની પુષ્ટિમાં ક્રિયાનો ફાળો અલ્પ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઢાળ-૧ : ગાથા-૩ શુદ્ધ આહારાદિક તનુયોગ, મોટો કહીઓ દ્રવ્ય અનુયોગ । એ ઉપદેશપદાદિક ગ્રંથિ, સાખી લહી ચાલો શુભપંથિ ॥૧-૩॥ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો : એ કહિઉં તેહ જ દૃઢઇ છઇ. શુદ્ધાહાર=૪૨ દોષરહિત આહાર, ઇત્યાદિક યોગ છઇ. તે તનુ કહેતાં-નાન્હા કહીઇ. દ્રવ્યાનુયોગ- જે સ્વસમય પરસમય પરિશાન, તે મોટો યોગ કહીઓ. જે માટઇ-શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છઇ. એ સાખિ ઉપદેશપદાદિક આમ આ વાસનાઓ જો મુખ્યતયા વિપરીત જ્ઞાનની જ પેદાશ છે, એનો નાશ પણ મુખ્યતયા સમ્યજ્ઞાનથી જ થાય છે. એમાં પણ એક કારણ તો આ જ છે કે મોહની વાસનાઓને તોડવા (તપ વગે૨ેરૂપ) સમ્યગ્ ક્રિયા તો કરી કરીને પણ કેટલી કરી શકાય ? વળી એ કરીએ ત્યારે પણ જો અણાહારીપદની ભાવના વગેરેરૂપ સમ્યજ્ઞાન ન ભળે તો માત્ર એ ક્રિયા મોહની વાસનાને (આહારસંજ્ઞા વગેરેને) કેટલી તોડી શકે જ્યારે અણાહારીપદની ભાવના, ખાદ્યપદાર્થોની અસારતા, વિષ્ઠામાં પરિણમનશીલતા, જીભ ક્યારેય ધરાતી નથી આ વાસ્તવિકતા.. આ બધાનું વારંવાર ચિંતન-મનન.. તપ વખતે તો ખરું જ, પણ એ સિવાય પણ સતત આ ચિંતનાદિરૂપ જ્ઞાન ભાવિત કર્યા કરાય.. તો એ આહા૨સંજ્ઞા પર કુઠારા ઘા માર્યા જ કરે છે, ને મોહની વાસનાને તોડ્યા જ કરે છે, જેથી એક દિવસ એનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. આમ, સર્વ પાપોનું ને સર્વ દોષોનું જે મૂળ છે, અંતઃકરણમાં પડેલી તે અસવૃત્તિઓનાવાસનાઓના નાશનું અતિ મહત્ત્વનું મુખ્ય સાધન જ્ઞાન હોવાથી જ્ઞાનમાર્ગને ખૂબ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે તે જાણવું. ને આ જ્ઞાનમાર્ગ દ્રવ્યાનુયોગથી લાધે છે, માટે દ્રવ્યાનુયોગની મહત્તા ગવાય છે. હવે પછીની ગાથાઓમાં પણ આ જ ક્રમ જે છે તેનું રહસ્ય આ બીજી ગાથાના વિવેચનને અનુસરીને સમજી લેવું. ॥ ૨ ॥ ગાથાર્થ : આહારાદિની શુદ્ધિ સાધવી એ નાનો યોગ છે ને દ્રવ્યાનુયોગ સાધવો એ મોટો યોગ છે. આ વાતમાં શ્રી ઉપદેશપદ વગેરે ગ્રન્થોની સાક્ષી છે. (એ સાક્ષી દ્વારા આ નિર્ણયને નિશ્ચિત કરીને દ્રવ્યાનુયોગના) શુભપંથે ચાલો. ॥ ૩ ॥ વિવેચન : દ્રવ્યાનુયોગની આ મહત્તા જે કહી તેને જ ઉપદેશપદાદિની સાક્ષી દ્વારા દૃઢ કરે છે. ગોચરીની નિર્દોષતા, વિધિવિધાનનું ઝીણવટપૂર્વક પાલન થાય એ રીતે પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે આલય-વિહારાદિ સંબંધી ક્રિયાઓ.. આ બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનાર હોવાથી ‘યોગ’ છે. આ ચરણકરણ છે. બીજી બાજુ સ્વસમય-પ૨સમયના પરિજ્ઞાનરૂપ દ્રવ્યાનુયોગ પણ જીવને મોક્ષ સુધી પહોંચાડનાર હોવાથી ‘યોગ’ સ્વરૂપ છે. આ બે યોગમાં આહારશુદ્ધિ આદિરૂપ પ્રથમયોગ નાનો છે અને દ્રવ્યાનુયોગરૂપ બીજો યોગ મોટો છે, કારણ કે છેવટે શુદ્ધ આહાર વગેરે પણ સ્વાધ્યાયનું જ સાધન છે, અર્થાત્ એનાથી પણ સ્વાધ્યાયમાં-જ્ઞાનમાર્ગમાં જ રમમાણ બનવાનું Page #36 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૩ ૧૭ ગ્રંથઇ લહીનઇ શુભપંથિ=ઉત્તમમાર્ગિ ચાલો. બાહ્યવ્યવહાર પ્રધાન કરીનઇ જ્ઞાનની ગૌણતા કરવી, તે અશુભ માર્ગ. જ્ઞાનપ્રધાનતા રાખવી, તે ઉત્તમ માર્ગ. અત વ જ્ઞાનાદિકગુણહેતુગુરુકુલવાસ છાંડી શુદ્ધાહારાદિક યતનાવંતનઇ મહાદોષઇ ચારિત્રહાનિ કહી છઈ. છે. આ વાતમાં શ્રીઉપદેશપદ ગ્રન્થનો ૬૭૭ થી ૬૮૨ ગાથા સુધીનો અધિકાર સાક્ષી છે. એ અધિકાર પરથી યોગ્ય નિર્ણય કરીને શુભપંથે=ઉત્તમ માર્ગે ચાલવું જોઈએ. સૌ પ્રથમ જયં ચરે જયં ચિટ્લે.. વગેરે રૂપ ચરણકરણને અત્યંત આત્મસાત્ કરવું જોઈએ. એનાથી જીવ પ્રમાદ પર વિજય મેળવીને અત્યંત અપ્રમત્ત બને છે. છેવટે હવે તો દ્રવ્યાનુયોગ એમાં ભળવો જ જોઈએ. કારણ કે એ ચરણકરણની ક્રિયાઓને યોગ્ય લક્ષ્ય-માર્ગ આપનાર છે. દેહ-આત્મભેદ પૂરેપૂરો સ્પષ્ટ થયો ન હોય તો આત્માની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું લક્ષ્ય પણ એટલું સ્પષ્ટ અને દૃઢ રહેતું નથી. આ દેહાત્મભેદવિજ્ઞાનની સ્પષ્ટતા દ્રવ્યાનુયોગના વધુ વધુ ઊંડા સૂક્ષ્મ ચિંતન-પરિશીલનાદિથી થાય છે. એકબાજુ ચરણકરણનું પરિપાલન અને બીજી બાજુ દ્રવ્યાનુયોગના અધ્યયનાદિ... આ બંને સાથે ચાલે તો તો સોનામાં સુગંધ ભળે. પણ ક્યારેક કોઈકને એવી પરિસ્થિતિ હોય છે કે જેથી બેમાંથી એકને જ પરિપૂર્ણ રીતે પકડી શકે. તો એ વખતે કોને પૂરેપૂરો પકડવો ને કોનામાં (કયા યોગમાં) કંઈક પણ ઢીલાશ ચલાવી લેવી ? આવી મૂંઝવણ ઊભી થાય છે. એ વખતે ઉપદેશપદ વગેરે ગ્રન્થો આપણી સહાયે આવે છે. આ ગ્રન્થો એકસૂરથી નિઃશંકપણે કહે છે કે ચરણકરણમાં કદાચ થોડી ઢીલ મૂકવી પડે તો પણ મૂકવી, પણ દ્રવ્યાનુયોગને તો સાધવો જ. આનું કારણ સ્પષ્ટ છે કે છેવટે તો પરિણતિ જ મુખ્ય છે. જેમ ગ્લાનાદિકારણે અશુદ્ધ આહારગ્રહણાદિ કરવામાં આવે તો પણ પરિણતિને તો અક્ષત રાખી શકાય છે એમ દ્રવ્યાનુયોગના ગ્રહણાદિ કારણે પણ ગોચરી વગેરેમાં થોડી ઢીલ મૂકવા છતાં પરિણિતને અક્ષત રાખી શકાય છે. એટલે એના કારણે આંતરિક દૃષ્ટિએ નુકસાન કોઈ નથી. પણ દ્રવ્યાનુયોગને જો સાધવામાં ન આવે તો તો પરિણિત ઘડાવી જ અશક્યશી બની જાય છે, કારણકે દ્રવ્યાનુયોગ-જ્ઞાનમાર્ગ જ પરિણતિને ઘડનાર મુખ્ય પરિબળ છે. એટલે ચરણકરણના બાહ્યવ્યવહારને પ્રધાન કરી જ્ઞાનમાર્ગને ગૌણ કરવો એ અશુભમાર્ગ છે. જ્યારે જ્ઞાનને પ્રધાન કરવું એ ઉત્તમમાર્ગ છે. માટે જ્ઞાનમાર્ગે ચાલી આશયને શુદ્ધ કરતા રહેવું એમાં આત્મકલ્યાણ છે. એટલે જ જે જ્ઞાનાદિક ગુણોમાં કારણભૂત છે એવા ગુરુકુલવાસને છોડી દેવો અને શુદ્ધ આહારાદિની જ પ્રધાનતા કરવી.. આવું કરનારને મહાદોષે ચારિત્રહાનિ થાય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. ૧. જ્ઞાનમાર્ગની અરુચિ જગાડે એવી બાહ્યવ્યવહારની પ્રધાનતા તો અશુભમાર્ગ જ છે. પણ, જ્ઞાનમાર્ગની અસિંચન જગાડે, પણ થોડી ઉપેક્ષા કરાવે એવી પ્રધાનતા અશુભમાર્ગ તરીકે અહીં જે જણાય છે તે જ્ઞાનની પ્રધાનતાવાળા ઉત્તમમાર્ગની અપેક્ષાએ જ, અન્યથા તે પણ શુભ છે જ. જેમ, શ્રી મહાનિશીથસૂત્રમાં દ્રવ્યસ્તવને અપ્રશસ્ત જે કહેલ છે તે ભાવસ્તવની અપેક્ષાએ જ, અન્યથા એ પ્રશસ્ત જ છે. એમ પ્રસ્તુતમાં જાણવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઢાળ-૧ : ગાથા-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ गुरुदोषारम्भितया लघ्वकरणयत्नतो निपुणधीभिः । નિર્દેશ તથા જ્ઞાયતે તનિયોરોન | ૧-૯ ષોડશકે / ૧-૩ || એ યોગિ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહી ભંગ / પંચકલ્પભાષ્યઅ ઇમ ભણિલું, સગુરુ પાસ ઇસ્યુ મેં સુણિઉં ૧-૪ આશય એ છે કે ગુરુકુલવાસમાં રહેવું હોય તો ગચ્છ મોટો હોવાના કારણે, બાળવૃદ્ધગ્લાનાદિ સાધુઓના કારણે ગોચરી વગેરેમાં સંપૂર્ણ નિર્દોષતા જાળવવી કઠિન હોય છે. બીજી બાજુ ગુરુકુલવાસમાં રહેવાથી જ્ઞાનાદિગુણોની નિર્મળતા થાય છે. તો કોને મહત્ત્વ આપવું ? જે નિર્દોષતાને મહત્ત્વ આપીને ગુરુકુલવાસને છોડી દે છે એ ક્રમશઃ ચારિત્રશૂન્ય બન્યા વગર પ્રાયઃ રહેતો નથી. કારણકે સ્વચ્છંદતા વગેરે ગુરુદોષનો એ ભોગ બને છે. તથા, એના મનમાં ગોચરીની નિર્દોષતા વગેરેની જ મહત્તા બેસેલી હોવાથી, આ બાબતમાં કંઈક ન્યૂન, પણ જ્ઞાનમાર્ગના કારણે ઘણા ઊંચા એવા ગુરુકુલવાસી સંયમીઓને એ નીચા જ માને છે કે તેથી એમની નિંદા વગેરે પણ કરે છે. આના કારણે એ મોહરાજાનો શિકાર બન્યા વગર રહેતો નથી, ને તેથી ચારિત્રભ્રષ્ટ થયા વિના પણ રહેતો નથી. - ષોડશક(૧-૯)માં કહ્યું છે કે લઘુ ગોચરીના દોષ વગેરે નાના દોષો. એ સેવાઈ ન જાય એવા પ્રયત્નના કારણે (ગુરુકુલવાસને છોડવો ને એથી સ્વચ્છંદતાનું પોષણ, બ્રહ્મચર્યનું જોખમ વગેરે) ગુરુદોષને સેવનારો હોવાથી તેમજ સુસંયમીઓની નિન્દા વગેરે કરતો હોવાથી એવો જીવ સંયમની હાનિ પામે છે. માટે નિપુણબુદ્ધિ ધરાવનારા જ્ઞાનીઓએ આ વાતને નિશ્ચયપૂર્વક જાણી છે કે ગુરુકુલવાસને છોડવા દ્વારા દ્રવ્યાનુયોગને-જ્ઞાનમાર્ગને ગૌણ કરવો અને નિર્દોષ ગોચરી વગેરેનો જ આગ્રહ રાખવો એ અશુભમાર્ગ છે. ગુરુકુલવાસના કેટલા કેટલા મહાન લાભો છે ને ગુરુકુલવાસને છોડવામાં કેવા કેવા ભારે નુકશાનો છે એનું વર્ણન શ્રીઉપદેશમાળા વગેરેમાં કરેલું છે. ગ્રન્થકાર શ્રીઉપાધ્યાયજી મહારાજે પણ સાડાત્રણસો ગાથાના સ્તવનની પાંચમી ઢાળની એકથી ત્રેવીશ સુધીની ગાથામાં એનું સુંદર વર્ણન કરેલ છે. ટૂંકમાં, ગોચરી વગેરેમાં દોષ લાગતા ન હોય, તો તો નહીં જ, પણ લાગતા હોય તો પણ, ગુરુકુલવાસને ન જ છોડવો. અને ગુરુકુલવાસમાં રહીને દ્રવ્યાનુયોગને અવશ્ય સાધવો. આ ઉત્તમ માર્ગ છે. તે આત્માર્થીઓ ! તમે આ ઉત્તમ માર્ગે ચાલો. | ૩ | ગાથાર્થ : આ દ્રવ્યાનુયોગરૂપ મોટા યોગમાં જો રંગ લાગે તો આધાકર્મ વગેરે ગોચરીના દોષ ચારિત્રના ભંગરૂપ બનતા નથી એવું શ્રી પંચકલ્પભાષ્યમાં કહ્યું છે ને મેં સદ્ગુરુ પાસે સાંભળ્યું છે. જે ૧-૪ || Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૪ ૧૯ ટબો ઃ એ યોગિ-દ્રવ્યાનુયોગવિચારરૂપ જ્ઞાનયોગઈ, જો રંગ-અનંગસેવારૂપ લાગઈ, સમુદાયમણે જ્ઞાનાભ્યાસ કરતાં કદાચિત્ આધાકર્માદિ દોષ લાગઈ, તો હિ ચારિત્રભંગ ન હોઈ, ભાવશુદ્ધિ બળવંત છઈ, તેણઈ, ઈમ પંચકલ્પભાષ્યએ ભણિઉં તથા સદ્ગુરુ પાસ સાંભલિઉં. મત gવ કધ્યાનધ્યનો અનેકાન્ત શાસ્ત્રો કહિઓ છછે. अहागडाई भुंजंति, अण्णमण्णे सकम्मणा ।। उवलित्ते वियाणिज्जा, अणुवलित्ते त्ति वा पुणो । २-५-८ । વિવેચન : શરીર વતુ ગાદ્ય ધર્મસાધનમ્ ધર્મસાધના માટે સૌથી પ્રથમ સાધન શરીર છે. માટે શરીરને ટકાવવું તો છે જ. એમ તો ગૃહસ્થો પણ શરીરને ટકાવે જ છે. પણ એ શરીરની મમતા ને રસનાની લંપટતા વધતી જાય એ રીતે ને એમાં ઢગલાબંધ ત્ર-સ્થાવર જીવોનો કચ્ચરઘાણ નીકળે એ રીતે. સાધુઓ પણ જો આ રીતે જ શરીરને ટકાવવા માગે તો આહારની અસર મન પર પડતી હોવાથી સંયમ દૂષિત થયા વિના રહે જ નહીં. માટે આવું કોઈ જોખમ ઊભું ન થાય એ રીતે આહારગ્રહણ કરવો જોઈએ. ૪૨ દોષરહિત આહાર ગ્રહણ કરવાથી આ બધું પ્રયોજન સધાય છે. માટે શ્રીદશવૈકાલિકસૂત્ર વગેરેમાં આહારની નિર્દોષતા પર ખૂબ જ ભાર મૂકાયો છે. પણ આ ઉત્સર્ગમાર્ગ છે. છેવટે તો આહાર પણ સંયમપાલન માટે જ છે ને સંયમપાલન પણ પરિણતિની વિશુદ્ધિ માટે છે. એટલે આ વિશુદ્ધિની જાળવણી-વૃદ્ધિ માટે ક્યારેક આહારાદિની અશુદ્ધિ ચલાવવી પડતી હોય તો એ પણ ચલાવવાની જ્ઞાનીઓએ અનુજ્ઞા આપી છે. આ દોષિત લેવામાં બાહ્યદૃષ્ટિએ જે વિરાધના દેખાય છે તે પણ અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અપ્રમત્ત જીવને નિર્જરાફલક બને છે, ચારિત્રભંગ થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, કારણ કે છેવટે ભાવશુદ્ધિ એ બળવાનું છે. - “અસંગસેવારૂપ રંગ” નો આવો અર્થ કરી શકાય છે. જેમ ચન્દ્રનગન્ધન્યાયે આત્મસાત્ થયેલું અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન કહેવાય છે. એમ દ્રવ્યાનુયોગ વિચારરૂપ જ્ઞાનયોગનો રંગ એવો લાગી જાય કે જેથી એ ચંદનગંધન્યાયે આત્મસાત્ થઈ જાય. અથવા દ્રવ્યાનુયોગનો એવો રંગ લાગે કે જેથી ઉપયોગ પુદ્ગલથી વિમુખ થઈને અંતર્મુખદશાવાળો બની આત્મસ્વભાવમાં રમતો થઈ જાય એને અસંગસેવારૂપ રંગ લાગ્યો કહેવાય. પણ આ રીતે એને અસંગસેવારૂપ બનાવવા માટે કદાચ આધાકર્માદિક દોષ લગાડવા પડે તો પણ ભાવશુદ્ધિ બળવાનું હોવાથી ચારિત્રભંગ થતો નથી એમ પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને સદ્ગુરુ પાસે મેં સાંભળ્યું છે. એટલે જ, આહાર વગેરે અંગે ‘આવો આહાર કથ્ય જ છે,” “આવો આહાર અકથ્ય જ છે' આવો કોઈ એકાન્ત નથી, પણ એમાં અનેકાન્ત છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. કથ્ય આહાર પણ જો સંયમપરિણતિની શુદ્ધિનો નાશક કે એ શુદ્ધિની વૃદ્ધિનો બાધક બનતો હોય તો અધ્ય બની જાય છે. અને એમ અકથ્ય આહાર પણ જો પરિણામશુદ્ધિનો સાધક બનતો હોય તો કથ્ય બની જાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઢાળ-૧ : ગાથા-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ एएहिं दोहिं ठाणेहिं, ववहारो न विज्जइ । પાર્દિ વોર્દિ કાર્દૂિ, માયા તું નાનું છે ૨-૨ || (સૂયગડાંગ-૨ અંગે) ૨૧ અધ્યયને किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात्, स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं 'औषधं भेषजाद्यं वा ।।१४५॥ देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । પ્રસપક્ષ્ય મવતિ રે, નૈનાત્ તે વ્યમ્ | ૨૪૬ || ૧-૪ શ્રી સૂયગડાંગના ૨૧ મા અધ્યયનમાં કહ્યું છે કે –આધાકર્માદિ દોષવાળો આહાર લેનાર અને આપનાર કર્મોથી લેપાય પણ ખરા કે ન પણ લેપાય. (પ્રબળ કારણ વગેરે હોય તો ન લેપાય.. નહીંતર લેપાય). એટલે “લેપાય જ' કે “ન જ લેપાય” આ બંને રીતે વ્યવહાર થઈ શકતો નથી. જો કોઈ આવો વ્યવહાર કરે તો અનાચાર જાણવો. શંકા : ગ્રન્થોમાં તો દોષિત લેનારને કર્મબંધ થાય વગેરે નિરૂપણ આવતું હોય છે. સમાધાન : એ એક નયની દેશનારૂપ સમજવું. એ વખતે એ નય પર જ ભાર આપવાનો અભિપ્રાય હોય તો કર્મબંધ ન પણ થાય” આવી બીજી વાત ન પણ કરે. છતાં ગર્ભિત રીતે એ પડેલું જ હોય. જો ગર્ભિત રીતે પણ એ ન પડેલું હોય તો એનું નિરૂપણ અનાચાર = ઉસૂત્રભાષણરૂપ બને જ. એટલે નિરૂપણાવસરે શ્રોતાની ભૂમિકા જોઈને એક જ નયની વાત ભારપૂર્વક હોય પણ ખરી, છતાં એમાં એકાન્ત ન હોય. ગર્ભિત રીતે તો અનેકાન્ત જ જોઈએ. અથવા, “ફલાણાએ દોષિત લીધું છે, એ કર્મબંધથી લેપાયો છે કે નથી લેપાયો ?’ એનો વ્યવહાર કરવાનો છે (ચુકાદો આપવાનો છે). તો “એણે દોષિત લીધું છે, તો એ કર્મબંધથી લેપાયો જ છે' એવો કે નથી જ લેપાયો” એવો... આ બેમાંથી એકપણ વ્યવહાર એકાન્ત કરી શકાતો નથી, પણ દેશ-કાળાદિની પરિસ્થિતિ વિચારીને યોગ્ય વ્યવહાર કરવાનો હોય છે. “લેપાયો જ હોય” કે “ન જ લેપાયો હોય' આ બેમાંથી કોઈપણ એક જ લાકડીએ જે બધાને હાંકવા માગતો હોય તે અનાચાર કરી રહ્યો છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં પણ કહ્યું છે કે- આહાર, શવ્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ કે ભેષજ. આમાંનું કાંઈ પણ શુદ્ધ હોય તો સામાન્યથી કષ્પ બને, પણ એ પણ અકથ્ય પણ બની શકે છે. એમ સામાન્યથી અકથ્ય હોય એવી પણ વસ્તુ ક્યારેક કધ્ય બની જાય છે. એટલે શુદ્ધ વસ્તુ પણ દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગશુદ્ધિ, ભાવી પરિણામો વગેરે વિચારીને જ કધ્ય બને છે. સામાન્ય પરિસ્થિતિમાં જે કથ્ય હોય તે બધી જ પરિસ્થિતિમાં કચ્યું હોય એવો એકાન્ત નથી. (૧૪૫-૧૪૬) (જે દવાને મુખેથી લઈને અંદર ઉતારવાની હોય છે એ ઔષધ કહેવાય છે અને જેનો લેપ વગેરે રૂપે માત્ર બાહ્ય ઉપયોગ જ કરવાનો હોય છે એ ભેષજ કહેવાય છે.) | ૪ || ૧. પ્રશમરતિમાં ઔષધે ના સ્થાને વા શબ્દ છે. પ્રશમરતી 1-૪|| Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૫ બાહ્યક્રિયા છઈ બાહિરયોગ, અંતરક્રિયા દ્રવ્ય અનુયોગ | બાહ્યહીન પણિ જ્ઞાનવિશાલ, ભલો કહિયો મુનિ ઉપદેશમાલ ૧-પા! ટબો - બાહ્યયોગ, આવશ્યકાદિરૂપ બાહ્યયોગ છઈ, દ્રવ્ય-અનુયોગ-સ્વસમય પરિજ્ઞાન, તે અંતરંગક્રિયા છઇ. બાહ્ય ક્રિયાઈ હીન, પણિ જે જ્ઞાનવિશાલમુનીશ્વર, તે ઉપદેશમાલા મળે ભલો કહિયો છઈ. યતિ: नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावंतो । ૨ ટુક્ષ વસંતો, સુકુ વિ પ્રણામો પુરિો ૪૨૩ તથા हीणस्सवि सुद्धपरूवगस्स, नाणाहिअस्स कायव्वं । (ન-ચિત્તરંપબ્લ્યુિ, વતિ નિંગાવલેણે વિ) રૂ૪૮ ) તે માટે ક્રિયાહીનતા દેખીનઈ પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન કરવી. તે જ્ઞાનયોગઈ કરી પ્રભાવક જાણવો. ૧-૫ છે ગાથાર્થ : આલય-વિહાર સંબંધી બાહ્યક્રિયારૂપ ચરણકરણ એ બાહ્યયોગ છે. દેહાત્મભેદ વિજ્ઞાન-શુદ્ધઆત્મસ્વરૂપનું સ્કુરણ વગેરરૂપ દ્રવ્યાનુયોગ એ અંતરક્રિયા = અંતર્યોગ છે. બાહ્ય આચરણમાં હીન (=થોડા શિથિલ) હોય એવા પણ મુનિ જ્ઞાનમાર્ગમાં વિશાલ = અધિક હોય તો ભલો = શ્રેષ્ઠ છે એમ ઉપદેશમાળામાં કહ્યું છે | ૧-૫ || વિવેચન : પવૂઆવશ્યક વગેરે બાહ્યયોગ છે. શ્રી તીર્થંકરપ્રભુના વચનો અને એને અનુસરીને પૂર્વાચાર્યોએ રચેલા ગ્રન્થો.. આ બધું સ્વસમય છે. આ સ્વસમયનું પરિજ્ઞાન એ અંતરંગક્રિયા છે. જેમ આંબલીને ચાખી હોય એને આંબાની મહત્તા વધારે સમજાય છે, એમ પરસમયને પણ જાણ્યા હોય તો સ્વસમયની મહત્તા-સ્પષ્ટતા વિશેષ પ્રકારે થાય છે. માટે અહીં સ્વસમયના ઉપલક્ષણથી પરસમયનું પરિજ્ઞાન પણ લઈ લેવું. જેઓ સ્વસમયના શ્રવણ-ચિંતનમનન-પરિશીલન અને પરિણમન દ્વારા જ્ઞાન માર્ગમાં ખૂબ આગળ વધ્યા છે. ને વધુ ને વધુ એમાં રમમાણ રહે છે તેઓ કદાચ બાહ્ય ક્રિયામાર્ગમાં એટલા ચુસ્ત ન હોય તો પણ સારા છે એમ ઉપદેશમાલા (૪૨૩) માં કહ્યું છે. ત્યાં કહ્યું છે કે - જે જ્ઞાનમાં અધિક છે તે પ્રવચનની પ્રભાવના કરે છે. તેથી કદાચ બાહ્ય ક્રિયામાર્ગમાં થોડા હીન હોય તો પણ, બહુ સારી રીતે બાહ્ય કઠોર આચારોનું પાલન કરનાર અલ્પજ્ઞાની કરતાં અધિક શ્રેષ્ઠ છે. તથા એ જ ગ્રન્થની ૩૪૮ મી ગાથામાં કહ્યું છે કે - ચારત્રિપાલનમાં થોડા ઊભા ઉતરતા હોવા છતાં જે જ્ઞાનાધિક મહાત્મા શુદ્ધ પ્રરૂપણા દેનારા છે એમની વૈયાવચ્ચ અવશ્ય કરવી. (લોકો શાસનની નિંદા ન કરે અને પ્રીતિ બહુમાનવાળા રહે એ માટે માત્રવેશધારી સાધુની Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઢાળ-૧ : ગાથા-પ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પણ આત્મહિતેચ્છુઓ સેવા કરે છે.) (જ્ઞાન અને ક્રિયા ઉભયગુણને જે સાધનારો છે તે તો, બેશક સર્વશ્રેષ્ઠ છે.. એના કરતાં ક્રિયાહીનજ્ઞાની-શુદ્ધપ્રરૂપક ન્યૂન જ છે.. પણ એ ક્રિયાશીલ અજ્ઞાની કરતાં સારો છે એવું જણાવવાનો અહીં આશય છે.) જે ખુદ પથ્યા-પથ્યની કાળજીવાળો છે અને વૈદકશાસ્ત્રનો જાણકાર છે એ તો નિઃશંક સારો જ છે. પણ ગામમાં બે માનવીઓ છે. એક પથ્યાપથ્યની કાળજીમાં થોડી કચાશવાળો છે, પણ વૈદકશાસ્ત્રનો અચ્છો જ્ઞાતા છે, અને બીજો પથ્યાપથ્યની સંપૂર્ણ કાળજીવાળો છે, પણ વૈદકશાસ્ત્રનો અજાણ છે. આ બેમાંથી સારું કોણ ? બિમારીમાં યોગ્ય દવા-માર્ગદર્શન વગેરે આપી આરોગ્ય અપાવનાર હોવાથી ગ્રામ્યલોકો માટે તો પ્રથમ જ સારો છે. પણ ખુદને માટે પણ બીજા કરતાં પ્રથમ જ સારો છે. કારણકે બીજો તો વૈદકશાસ્ત્રનો અજાણ હોવાથી, પરિસ્થિતિ બદલાવા પર પથ્યાપથ્ય બદલાઈ ગયા હશે (ક્યારેક સાવ વિપરીત થઈ ગયા હશે) તો પણ (એ જાણતો ન હોવાથી) પથ્યાપથ્યની જુની ઘરેડને જ મજબુત રીતે વળગેલો રહેશે ને પરિણામે રોગનો વધુ ભોગ બનશે. જ્યારે પ્રથમ માનવી તો, પથ્યાપથ્યમાં ભલે થોડી ગરબડ કરે છે, પણ જાણકાર હોવાથી મોટી ગરબડ તો નહીં જ કરે ને તેથી આરોગ્યથી સર્વથા ભ્રષ્ટ તો નહીં જ થાય, ને જેટલી કાળજી રાખે છે તથા ઔષધપ્રયોગ કરે છે એના પ્રભાવે આરોગ્ય તરફ આગળ તો વધતો જ રહેશે. જેવું શરીરની બાબતમાં છે, એવું જ આત્માની બાબતમાં છે. જેઓ ગીતાર્થ છે ને ચારિત્રપાલનમાં પણ ચુસ્ત છે તેઓ તો અતિશ્રેષ્ઠ છે જ. પણ એક મહાત્મા ગીતાર્થ છે ને ચારિત્રપાલનમાં થોડા ઢીલા છે.. બીજા મહાત્મા ચારિત્રપાલનમાં ચુસ્ત છે પણ અગીતાર્થ છે. તો આ બેમાં પ્રથમ ગીતાર્થ મહાત્મા જ શ્રેષ્ઠ છે, બીજા અગીતાર્થ નહીં. આ વાત એકદમ તર્કસંગત છે આપણે ઉપર કહેલા વૈદકના દૃષ્ટાન્તથી સમજી શકીએ છીએ. વળી પથ્યાપથ્યની કાળજીવાળો બીજો જે અજાણ માનવી છે તે જો કોઈ જાણકાર વૈદની નિશ્રા સ્વીકારી લે તો તો એ પથ્યાપથ્યની કચાશવાળા પ્રથમ માનવી કરતાં આરોગ્યપ્રાપ્તિની બાબતમાં આગળ વધી જ જાય. એમ એક જ્ઞાની છતાં શિથિલાચારી છે અને બીજો અગીતાર્થઆચારસંપન્ન છે ને ગીતાર્થનિશ્ચિત છે, તો બેશક બીજો જ વધારે સારો છે. એટલે ગ્રન્થકારશ્રી આત્માર્થીજીવોને હિતશિક્ષા આપે છે કે - થોડી ક્રિયાહીનતા હોય તો પણ જ્ઞાનીની અવજ્ઞા ન કરવી, કારણ કે એ મહાત્મા પોતાના જ્ઞાનયોગે શાસનના પ્રભાવક છે. સમ્યક્ત્વસઋતિકા અને સમ્યક્ત્વની ૬૭ બોલની સજ્ઝાય વગેરેમાં શાસનના ૮ પ્રભાવકો કહ્યા છે. પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપ, વિદ્યા, (અંજન-ચૂર્ણ) સિદ્ધ અને કવિ. તે તે કાળમાં વિદ્યમાન શાસ્ત્રોના પારગામી બહુશ્રુત ગીતાર્થ એ પ્રાવચનિક છે. ‘પાવયણી રિ જાણ’ શબ્દો દ્વારા એને આઠે પ્રભાવકોમાં અગ્રણી કહ્યા છે. જ્યારે ક્રિયાચુસ્ત સાધકને તો આ આઠમાંના કોઈ જ પ્રભાવક ન હોય ત્યારે જ પ્રભાવક કહ્યા છે. એટલે આના પરથી પણ આ બેનું અંતર જાણી શકાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૬ દ્રવ્યાદિક ચિંતાઈ સાર, શુક્લધ્યાન પણિ લહિઈ પાર / તે માટેિ એહિ જ આદરો, સગુરુ વિણ મત ભૂલા ફરો ૧-૬ll ટબી - કોઈ કહસ્થઈ, જે “ક્રિયાહીન જ્ઞાનવંતનઈ ભલો કહિયો, તે દીપકસમ્યકત્વની અપેક્ષાઈ, પણિ ક્રિયાની હીનતાઈ જ્ઞાનથી પોતાનો ઉપકાર ન હોઈ” તે શંકા ટાલવાનઈ દ્રવ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાન દ્વારઇ મોક્ષકારણ, માટેિ ઉપાદેય છઇઈમ, કહઈ છઇ. જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબવિધિપૂર્વ અનેક, યાત્રાપૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક.. આ રાસની પંદરમી ઢાળમાં ખુદ ગ્રન્થકાર પણ ક્રિયાહીન જ્ઞાનાધિકને સૂર્યસમાન અન ક્રિયાચુસ્ત જ્ઞાનહીનને આગીયા સમાન કહી આ બે વચ્ચેનું અંતર જણાવવાના છે. | ૫ | ગાથાર્થ : દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન કરનારો સાધક, સાધનાના સારભૂત શુકલધ્યાનનો પણ પાર પામે છે. તે માટે આ દ્રવ્યાનુયોગને જ આદરી. સદ્ગુરુ વિના ભૂલા ન ફરો. I૧-૬ll વિવેચન : કોઈ આવી શંકા કરે કે - ઉપદેશમાળામાં ક્રિયાહીનજ્ઞાનીને જે ભલો કહ્યો છે તે દીપકસમ્યકત્વની અપેક્ષાએ કહ્યો છે. અર્થાત્, “દીવાતળે અંધારું ન્યાયે પોતાની નીચે ભલે અંધારું હોય, પણ બીજાઓને તો પ્રકાશ મળતો હોવાથી બીજાઓ પ્રશંસે જ. એમ જ્ઞાનને જો પોતાના તરફ વાળવામાં આવે તો જ્ઞાનસ્ય ફલ વિરતિઃ ન્યાયે પાપ-દોષ-અતિચારથી વિરમવાનું આવે જ. ક્રિયાહીન જ્ઞાની દોષથી વિરમતા નથી એ જ સૂચવે છે કે જ્ઞાનપ્રકાશ માત્ર બહાર ફેલાઈ રહ્યો છે, અંદર તરફ વળતો નથી. આનો અર્થ એ થયો કે આવો જ્ઞાની દીપક તુલ્ય છે. એટલે કે દીપકસમ્યકત્વી છે. એના પ્રકાશમાં બીજાઓ જુએ છે અને એ રીતે એના જ્ઞાનનું ફળ બીજાઓ મેળવે છે. એટલે બીજાઓની અપેક્ષાએ ભલે એ પ્રશંસનીય છે. પણ પોતાને તો જ્ઞાનનું ફળ મળતું નથી. માટે પોતાની અપેક્ષાએ તો એ “ભલો' શી રીતે ? કોઈ આવી શંકા કરે તો એને ટાળવા માટે ગ્રન્થકાર કહે છે કે દ્રવ્યાદિનું જ્ઞાન જ શુકલધ્યાન દ્વારા મોક્ષનું કારણ બને છે. માટે એ ઉપાદેય છે. [સમ્યકત્વ ૩ પ્રકારનાં કહેવાયેલાં છે (૧) કારકસમ્યકત્વ : વિરતિધરનું સમ્યકત્વ કારકસમ્યકત્વ કહેવાય છે, કારણ કે પાપવિરામ કરાવે છે. (૨) રોચકસમ્યકત્વ : અવિરતસમ્યકત્વનું સમ્યકત્વ રોચકસમ્યકત્વ કહેવાય છે, કારણ કે પાપવિરામની રુચિ કરાવે છે. (અલબત્ અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય વગેરે કારણે પાપવિરામ થતો નથી, એ એક અલગ વાત છે.) (૩) દીપકસમ્યકત્વ : પોતે મિથ્યાત્વી છે. છતાં શાસ્ત્રબોધ-વાકછટા વગેરેના પ્રભાવે બીજાઓમાં સમ્યકત્વનો પ્રકાશ ફેલાવે છે. માટે એને દીપકસમ્યક્ત કહેવાય છે.] અલબત્ રોચકસમ્યવી પણ ક્રિયાહીન છે, છતાં શંકાકારે એનો ઉલ્લેખ ન કરતાં દીપકસમ્યક્તીનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે રોચકસમ્યક્તીને જ્ઞાનની સંવેદના છે. અર્થાત્ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઢાળ-૧ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્યાદિકની ચિંતાઈ શુકલધ્યાનનો પણિ પાર પામિઇ, જે માર્ટિ-આત્મદ્રવ્ય-ગુણપર્યાયભેદચિંતાઈ શુકલધ્યાનનો પ્રથમ ભેદ હોઈ, અનઈ તેહની અભેદચિંતાઈ દ્વિતીય પાદ હોઈ, તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાઈ “સિદ્ધસમાપત્તિ” હોઈ તે તો શુકલધ્યાનનું ફલ છઈ. प्रवचनसारेऽप्युक्तम्-जो जाणदि अरिहंते दव्वत्त गुणत्त पज्जयंतेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥१-८०।। હેય-ઉપાદેયની સંવેદના છે જે પાપવિરામની રુચિ-ઝંખના કરાવે છે... આ રુચિ ક્રમશઃ અંતરાય તોડીને નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ ક્રિયા-આચાર લાવી આપે છે. એટલે એનું જ્ઞાન તો એને ઉપકાર કરે જ છે, ઉપકારશૂન્ય નથી. એમ ભલે સમ્યક્ત પણ ન હોય, છતાં મિથ્યાત્વ મંદ હોય તો અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનથી માંડીને ૯ પૂર્વ સુધીનું જ્ઞાન સમ્યક્તને પ્રગટાવી શકે છે. ક્રમશઃ સંયમ પણ લાવી આપે છે. માટે એ પણ ઉપકારશૂન્ય નથી. તેથી અહીં અભવ્ય-દુર્ભવ્ય જેવા ગાઢ મિથ્યાત્વીના જ્ઞાનને જ ઉપકારશૂન્ય માનવું. આવા દીપકસમ્યક્તીનો શંકાકારે ઉલ્લેખ કર્યો છે, એમ જાણવું. શંકાકારે જે શંકા કરી છે એનો જવાબ આપતાં ગ્રન્થકારે જે કહ્યું છે કે – દ્રવ્યાદિનું ચિંતન કરતાં કરતાં જીવ શુકલધ્યાનનો પણ પાર પામે છે, તેમાં કારણ આ છે કે આત્મદ્રવ્યનો એના ગુણ-પર્યાયથી જે ભેદ છે એની સૂક્ષ્મ-સૂક્ષ્મતર એકાગ્રતાવાળી વિચારણા એ શુકલધ્યાનનો પૃથÇવિતર્ક સવિચાર નામનો પહેલો પાયો છે. અને જ્યારે દ્રવ્યથી ગુણ-પર્યાયના અભેદની પ્રધાનતાવાળી એકાગ્ર વિચારણા કરે છે ત્યારે શુકુલધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. આ બંને પાયા કેવલજ્ઞાનનું પ્રધાનતમ કારણ છે. ક્રિયાચુસ્તતાનો આગ્રહ રાખીને દ્રવ્યાનુયોગથી જે વંચિત રહે છે એ આવા લાભથી પણ વંચિત રહે છે. દ્રવ્યાનુયોગ વિનાની માત્ર ક્રિયાચુસ્તતાથી તો આવું સારભૂતફળ મળી શકતું નથી. એ વાત આગળ આવી ગઈ છે. દ્રવ્યાનુયોગધર પરિણામમાં કાંઈ ઊણા નથી, બાહ્ય સંયમમાં કદાચ થોડા ઊણા છે. પણ એટલા માત્રથી કાંઈ સર્વથા અસંયમી અને સમ્યકત્વશૂન્ય ગાઢ મિથ્યાત્વી નથી કે જેથી એમના સમ્યકત્વને દીપકસમ્યકત્વ કહી શકાય, અને સ્વની અપેક્ષાએ બિલકુલ નિષ્ફળ કહી શકાય. ઉપદેશમાળામાં દીપકસમ્યક્તીની નહીં, પણ આવા ક્રિયાહીનની વાત છે. ને એ તો સારો છે જ. તથા, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનામાં આગળ વધતાં જે સિદ્ધસમાપત્તિ થાય છે તે તો શુકલધ્યાનનું ફળ છે. શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત પ્રવચનસાર (૧-૮૦) માં પણ કહ્યું છે કે – જે સાધક અરિહંત પરમાત્માને દ્રવ્યત્વ-ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે પોતાના આત્માને જાણે છે. તે આત્માનો મોહ અવશ્ય લય = વિલય પામે છે. ગ્રન્થકાર શ્રીયશોવિજયજી મહારાજે પણ નવપદજીની પૂજામાં કહ્યું છે કે - Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૬ અરિહંતપદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમા અરિહંતરૂપી થાય રે. આ બે ગ્રન્થોમાં મોહવિલય અને ભેદછેદ જે કહ્યા છે એને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. જીવને સુખ મેળવવાના બે સ્થાન છે. પુદ્ગલના રૂપ-રસ વગેરે ગુણો અને આત્માના જ્ઞાનાદિ ગુણો. ધર્માસ્તિકાય વગેરેની ગતિ વગેરે માટે જીવ ઉપયોગ કરી લે છે, પણ સુખ માટે એના ગુણોનો ઉપભોગ ક્યારેય કરતો નથી. એટલે પુદ્ગલગુણો અને આત્મગુણો. આ બે જ બાકી રહ્યા.. “સુખ તો પૌદ્ગલિક જ હોય.. સુખ પુદ્ગલમાંથી જ મળેપુદ્ગલ સિવાય અન્ય ક્યાંયથી સુખ મળી શકે જ નહીં.” આવી બધી કલ્પના જીવમાં અનાદિકાળથી અત્યંત ગાઢ રીતે આત્મસાત્ થયેલી હોય છે. કોઈ જ પુદ્ગલ નહીં. રૂપ-રસ વગેરે કોઈ જ વિષય નહીં. અને છતાં સુખ હોય. આ વાત કોઈપણ રીતે એના દિલમાં જામી શકતી જ નથી. આ વાત એના માટે શશશૃંગ જેવી હોય છે. માટે તો આવી ભૂમિકામાં રહેલા જીવોને પુદ્ગલાનંદી કહેવાય છે. આવી માન્યતાના કારણે એને પુદ્ગલનું અતિ-અતિ ગાઢ વળગણ હોય છે. અને એટલે જ એને આત્મતત્ત્વની કાંઈ જ પડી હોતી નથી. બીજાના આત્માની તો કોઈ ચિંતા-કાળજી એને હોતા જ નથી.. પણ જો પુદ્ગલ મળતું હોય તો પોતાના આત્માની પણ એને કોઈ જ ચિંતા હોતી નથી. એને મન પુદ્ગલ એ જ સર્વસ્વ હોય છે. પુદ્ગલરસિકતાના કારણે એ ખુદના આત્માને ઘોર નુકશાન કર્યા જ કરતો હોય છે. એટલે આત્માની ઘોર નકરી ઉપેક્ષા.. અને પુદ્ગલનું ગાઢ-ગાઢઅતિગાઢ આકર્ષણ. આ સંસારી જીવોની પરિસ્થિતિ હોય છે. ટૂંકમાં આત્મપરા મુખતા અને પુદ્ગલાભિમુખતા.. આ પરિસ્થિતિ હોય છે. એને ઊલટાવવી એ સાધના છે. પૌગલિક સુખ મોહોદયજન્ય હોય છે, ક્ષણિક હોય છે, અસાર હોય છે, તૃપ્તિને નહીંઅતૃપ્તિને વધારનાર હોય છે, પરાધીન હોય છે તેને તેથી એને મેળવવાની લ્હાયમાં ડગલે ને પગલે પાપ કરવા પડતા હોય છે), રાગ-દ્વેષ કરાવનાર હોય છે, ચીકણાં કર્મો બંધાવનાર હોય છે ને પરિણામે દુર્ગતિમાં ભટકાવી જીવને દુ:ખી દુ:ખી કરી દેનાર હોય છે. આવી બધી જે વાસ્તવિકતા છે તે પુદ્ગલાનંદી જીવને સ્વમમાં પણ એક ક્ષણ માટે પણ દિલમાં જામતી નથી. આની સામે આત્મિક સુખ મોહનીયના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમજન્ય હોય છે, અક્ષણિક હોય છે, સારભૂત હોય છે, પરમતૃપ્તિને આપનાર હોય છે, બિલકુલ સ્વાધીન હોય છે, તેને તેથી એને મેળવવા કોઈ જ પાપ કરવું પડતું નથી), રાગ-દ્વેષને મારનાર હોય છે, ચીકણાં કર્મોની નિર્જરા કરાવનાર હોય છે. ને પરિણામે જીવને સદ્ગતિની પરંપરા દ્વારા શિવગતિના શાશ્વત સુખ સુધી પહોંચાડનાર હોય છે. પણ ગાઢ પગલાકર્ષણ આ સુખ તરફ જીવની નજર જ જવા દેતું નથી. સર્વોચ્ચ આત્મગુણોનો સરવાળો એટલે અરિહંત પરમાત્મા. એટલે રસપૂર્વક જે અરિહંતના સ્વરૂપમાં ડૂબકીઓ મારે છે ને એમાં આનંદ માણે છે અને આત્માનું - આત્મગુણોનું આકર્ષણ વધવા માંડે છે ને પુદ્ગલગુણોનું આકર્ષણ ઘટવા માંડે છે. પુદ્ગલરસિકતા તૂટતી જાય છે ને આત્મરસિકતા વધતી જાય છે. આ જ મોહનો વિષય છે. જેમ જેમ એ અરિહંતના સ્વરૂપમાં વધુ ને વધુ ઊંડો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઢાળ-૧ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે માર્ટિ એહ જ દ્રવ્યાનુયોગ આદરો, પણિ સદ્ગુરુ વિના સ્વમતિકલ્પનાઈ ભૂલા મ ફિરસ્યો. દા ઊતરતો જાય છે તેમ તેમ મોહનો વધુ ને વધુ વિલય થતો જાય છે ને તેથી એને પોતાના આત્મામાં પણ એવું જ શુદ્ધસ્વરૂપ પડેલું હોવાનું સંવેદન થાય છે. માટે પ્રવચનસારમાં “શો નારિ મખ્વાર્થ' તે પોતાના આત્માને જાણે છે' એમ કહ્યું છે. સિદ્ધ પરમાત્માઓના શુદ્ધસ્વરૂપની પોતાના આત્મામાં પણ આવી સમાનતા થવી એ સિદ્ધસમાપત્તિ કહેવાય છે. એ શુકલધ્યાનનું ફળ છે. આમ જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ કરતા સેંકડો-હજારો ગણો વધારે ઉપકારક હોવાથી અને જીવને ઠેઠ અંતિમફળ મોક્ષ સુધી પહોંચાડનાર હોવાથી જ્ઞાનમાર્ગના પ્રબળ ઉપાયરૂપ દ્રવ્યાનુયોગને અવશ્ય આદરો, એમ ગ્રન્થકાર કહે છે. પણ સદ્ગુરુ વિના સ્વમતિકલ્પનાથી ભૂલા ન ભટકશો. આશય એ છે કે સાધના માટે ઉદ્યમશીલ બનેલા સાધકોમાંથી પણ બહુ થોડા જીવો જ પંડિત હોય છે, બાકીના જીવો તો ક્યાં તો મધ્યમ ને ક્યાં તો બાળ જ હોય છે. એમાંથી બાળજીવોની તો સમજવા માટેની કોઈ વિશેષ કક્ષા જ નથી. પણ મધ્યમજીવો પણ, વૃત્તને–સૂક્ષ્મકાળજી ભરેલા ચરણકરણના પાલનને જ મહાનું માનતા હોવાથી દ્રવ્યાનુયોગને ગૌણ માનનારા હોય છે. એમની મતિ, દ્રવ્યાનુયોગ ન સાધીએ તો ચાલે, પણ ચરણકરણ તો એકદમ નિર્દોષ જ રાખવાના” આવું જ સૂઝાડતી હોય છે. એટલે તેઓ જો સદ્ગુરુનું શરણ ન લે અને સ્વમતિકલ્પના મુજબ જ સાધના કરવા ચાહે તો, શુકલધ્યાન દ્વારા પરમાનંદને પમાડનારા દ્રવ્યાનુયોગ સાધવાના શુભપંથને છોડી, આવા મહિમાવંતા દ્રવ્યાનુયોગની પણ ઉપેક્ષા અવહીલના કરવાના અશુભપંથે જ જઈ ચડે છે. ને પછી સાધ્યથી તો ક્યાંય ના ક્યાંય દૂર ફેંકાઈ જાય છે. એટલે ગ્રન્થકાર સાધકોને સલાહ આપે છે કે સદ્ગુરુની નિશ્રામાં રહેજો.. પણ સ્વમતિકલ્પનાથી ભૂલા ના ભટકશો. પણ સદ્ગુરુ વિના..” આ પંક્તિનો આવો અર્થ પણ થઈ શકે છે કે - “આ દ્રવ્યાનુયોગ દ્રવ્ય-ગુણ-પર્યાયની સૂક્ષ્મ-સૂક્ષ્મ જયોની વિચારણાથી ગૂંથાયેલો હોવાથી સરુની નિશ્રાએ જ ભણવો. પણ સ્વમતિકલ્પનાથી એનો અર્થ કરવા ગયા તો ક્યાંય ભૂલા ભટકાઈ જશો. માટે એ રીતે ભૂલા ના ભટકશો” પણ આ વાત આગળ આ જ ઢાળની નવમી ગાથામાં કહેવાના છે. માવજીવ માટે ગુરુકુલવાસ છોડવો ન જોઈએ. એને ન છોડનારા ધન્ય છે ગુરુકુલવાસમાં રહેલાને શું શું લાભ થાય છે ? એનું સુંદર માર્ગદર્શન શ્રીઉપદેશમાળામાં, ગ્રન્થકારશ્રીના સાડાત્રણસો ગાથાના સ્તવન વગેરેમાં આપેલું છે. ગુર્વાજ્ઞાપાતંત્ર્ય એ જ સંયમ છે, ગુર્વાજ્ઞા ભળેલી હોય તો જ આપણી ધર્મક્રિયાઓ આરાધના' રૂપ બને છે. શાસ્ત્રવચન (=શબ્દાત્મક જિનાજ્ઞા) કરતાં ગુરુવચન (ગુર્વાજ્ઞા કે જેમાં ઐદંપર્યાર્થરૂપ જિનાજ્ઞા ભળેલી જ હોય છે) બળવાનું છે. આ બધી વાતો મેં મારા દશવિધ સામાચારી Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૭ એહનો જેણઈ પામિઓ તાગ, ઓઘઈ એહનો જેહનઈ રાગ | એ બે વિન ત્રીજો નહીં સાધ” ભાષિઓ સમ્મતિ અરથ અગાધ ૧-૧-૭ ટબો – જ્ઞાન વિના ચારિત્રમાત્રિ જે સંતુષ્ટ થાઈ છઈ, તેહનાં શિક્ષા કહઈ છઇ: “એહનો-દ્રવ્યાનુયોગનો, જેણઈ તાગ પામિઓ, સમ્મતિ પ્રમુખ તર્કશાસ્ત્ર ભણીનઈ જે ગીતાર્થ થયો તેહ, તથા ઓઘઇ=સામાન્ય પ્રકારો, એહનો=દ્રવ્યાનુયોગનો જેહનાં રાગ છો તે ગીતાર્થનિશ્રિત. એ બે વિના ત્રીજો સાધુ (સાધક) નહીં.” એહવો અગાધ અર્થ સમ્મતિ મધ્ય ભાષિઓ છઈ. તે માટઇ જ્ઞાનવિના ચારિત્ર જ ન હોઈ. उक्तं च - गीयत्थो य विहारो, बीओ गीयत्थनिस्सिओ भणिओ । રૂત્તો તફવિહારો, નાગુIો નિવેદિં છે વ્યવહારસૂત્ર ર-૩૦ || ભાગ-૨ પુસ્તકમાં તથાકાર સમાચારીના વિવરણમાં વિચારેલી છે (ત્યાંથી જોઈ લેવી.) પણ ગુરુનિશ્રા ન હોય તો આ બધા લાભ શી રીતે મળે ? માટે ગુરુનિશ્રા ક્યારેય છોડવી નહીં, એ અહીં ઉપદેશ જાણવો. | ૬ || ગાથાર્થ : જે આત્માઓ આ દ્રવ્યાનુયોગનો તાગ=ઊંડો રહસ્યાર્થ પામ્યા છે, અને ઓધે સામાન્યથી જે આત્માઓને આ દ્રવ્યાનુયોગ પામવાનો રાગ= પ્રબળ ઇચ્છા છે (ને તેથી એ ભણવા માટે ગુરુનિશ્રામાં જ રહેવાનો નિશ્ચય છે).. આ બે પ્રકારના જીવો સિવાયના ત્રીજા કોઈ જીવો સાચા સાધક-સાધુ નથી એવો અગાધ અર્થ શ્રી સમ્મતિમાં કહ્યો છે. તે ૧-૭ | વિવેચન : પ્રથમ ક્રિયાયોગ પમાય છે, વળી અપેક્ષાએ ક્રિયાયોગ સરળ છે, આવા બધા કારણે તથા પોતાની મધ્યમકક્ષાના કારણે જેઓ જ્ઞાનયોગની ઉપેક્ષા કરી માત્ર ચારિત્રપાલનથી જાતને કૃતકૃત્ય માની લે છે તેવા સાધકોને ગ્રન્થકાર ચેતવણી આપે છે કે – સમ્મતિ વગેરે દર્શનશાસ્ત્રો ભણીને જે ગીતાર્થ બન્યો છે – ને એના દ્વારા જે દ્રવ્યાનુયોગનો તાગ=ઊંડા રહસ્ય પામ્યો છે તે પ્રથમ સાધક છે. તથા ઓધે-સામાન્ય પ્રકારે જેમને દ્રવ્યાનુયોગ પામવાનો તલસાટ છે ને એ માટે ગુરુનિશ્રામાં જે રહ્યો છે એ બીજો સાધક છે. આમ આ ગીતાર્થ અને ગીતાર્થ નિશ્રિત વિના ત્રીજો કોઈ સાચો સાધુ હોતો નથી. અર્થાત્ જે ગીતાર્થ નથી - ગીતાર્થ નિશ્રિત પણ નથી એમાં સાચું સાધુપણું હોતું નથી. આવો અગાધ અર્થ સમ્મતિતર્ક ગ્રન્થમાં કહેલો છે. શ્રી વ્યવહાર સૂત્ર (૨-૩૦) માં પણ કહ્યું છે કે - પહેલો ગીતાર્થ વિહાર કહ્યો છે અને બીજો ગીતાર્થ નિશ્રિત વિહાર કહ્યો છે. આ સિવાયના (એકલા અગીતાર્થોના) ત્રીજા વિહારની શ્રી જિનેશ્વરભગવંતોએ અનુજ્ઞા આપી નથી. (અને જેમાં શ્રીજિનેશ્વરદેવોની અનુજ્ઞાઆજ્ઞા ભળેલી ન હોય એ તો આત્મહિતકર બની શકતું જ નથી એ વાત પ્રસિદ્ધ છે.) માટે હે મધ્યમજીવો ! તમારે સાધનામાર્ગથી જો બહાર ફેંકાઈ જવું ન હોય તો તમે દ્રવ્યાનુયોગ ભણી સ્વયં ગીતાર્થ બનો અને એ બનવા માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહો. Page #47 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એટલો વિશેષ - જે ચરણકરણાનુયોગદષ્ટિ નિશિથ-કલ્પ-વ્યવહાર-દષ્ટિવાદાધ્યયનઈ જઘન્ય મધ્યમોત્કૃષ્ટ ગીતાર્થ જાણવા. દ્રવ્યાનુયોગદૃષ્ટિ તે સત્યાદિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ જાણવો. તેહની નિશ્રાઈ જ અગીતાર્થનઈ ચારિત્ર કહિયું. ll૧-૭ શંકા : શાસ્ત્રોમાં તો નિશીથ વગેરેના અધ્યયનથી ગીતાર્થ બનાય એમ કહ્યું છે, તો તમે કેમ સમ્મતિ વગેરેના અધ્યયનથી ગીતાર્થ બનાય એમ કહો છો ? સમાધાન - સાધનામાં બે માર્ગ છે-આચારમાર્ગ (ક્રિયામાર્ગ-ચરણકરણ) અને વિચારમાર્ગ (જ્ઞાનમાર્ગ-દ્રવ્યાનુયોગ). બંનેમાં ગીતાર્થનું માર્ગદર્શન અતિઆવશ્યક છે, એ વિના સાચી સાધના નથી. એમાં પ્રથમ જે ચરણકરણાનુયોગ છે એની અપેક્ષાએ – નિશીથસૂત્રના જાણકાર મહાત્માઓ જઘન્ય ગીતાર્થ છે, કલ્પ-વ્યવહાર સૂત્રના જાણકાર મહાત્માઓ મધ્યમગીતાર્થ છે અને દૃષ્ટિવાદના જાણકાર મહાત્માઓ ઉત્કૃષ્ટ ગીતાર્થ છે. આમાં એ જાણવા જેવું છે કે માત્ર તે તે ગ્રન્થ વાંચી - સાંભળી લેવાથી ગીતાર્થ બની જવાતું નથી. પણ એના પદાર્થો ઉપસ્થિત કર્યા હોય – અનુપ્રેક્ષા વગેરે દ્વારા પરિશીલન કર્યું હોય, દ્રવ્ય-ક્ષેત્રાદિને પરખવાની ક્ષમતા કેળવેલી હોય, અને એ પરખીને નિશીથ વગેરે ગ્રન્થાનુસાર ઉત્સર્ગ અપવાદનો નિર્ણય કરવાનો ક્ષયોપશમ પ્રગટાવ્યો હોય એ જ ગીતાર્થ છે. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ વિચારીએ તો - સમ્મતિ વગેરે તર્કશાસ્ત્રોનો જે પારગામી છે (તે તે દર્શનોમાં આત્મા વગેરેનું કેવું સ્વરૂપ કહ્યું છે ? એમાં કયા દર્શનની કઈ નદષ્ટિ છે? બધાનો સમન્વય કરીને પ્રમાણદષ્ટિએ આત્મા વગેરેનું સ્વરૂપ શું છે ? આ બધામાં જે નિષ્ણાત બન્યા છે) તે ગીતાર્થ છે. એટલે ગીતાર્થ મહાત્માઓમાં આ બે પ્રકારની વિશેષતાઓ જાણવી. શંકા - શ્રીદશવૈકાલિકસૂત્ર વગેરેમાં તો જણાવ્યું છે કે - ण या लभेजा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा । इक्कोवि पावाइं विवजयंतो विहरिज कामेसु असजमाणो ॥ અર્થ : પોતાના કરતાં અધિક ગુણવાળા કે સમાનગુણવાળા સાધકો નિપુણ સંઘાટક તરીકે ન મળે તો પાપને વર્જવાપૂર્વક અને વિષયોમાં આસક્ત થયા વિના એકાકી પણ વિહરવું.. એટલે, ગચ્છમાં તો અનેક દોષ લાગતા હોવાથી બધા મહાત્માઓ નિર્દોષ ચર્યાવાળા મહાત્મા કરતાં અધિક કે સમાન ગુણવાળા હોતા નથી એ સ્પષ્ટ છે. તો એમને છોડીને એકલા વિહરવાની અહીં વાત કરી જ છે ને ? સમાધાન - પોતે નિર્દોષચર્યા ગુણમાં અધિક છે તો જ્ઞાનગુણમાં હીન છે. ગચ્છમાં રહેલા ગીતાર્થો કદાચ નિર્દોષચર્યામાં થોડા ન્યૂન છે તો જ્ઞાનગુણમાં અધિક છે. એટલે બન્નેમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૮ એ કારણે ગુરુચરણ-અધીન, સમય સમય ઇણિ યોગó લીન । સારૂં જે કિરિયા વ્યવહાર, તેહ જ અમ્ડ મોટો આધાર ।।૧-૮॥ ટબો - એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાäિ પોતાના આત્માનઇ કૃતકૃત્યતા કહઇ છઇદ્રવ્યાનુયોગની બળવત્તાનઇ હેતઇ ગુરુચરણનઇ અધીન થકા, એણઇ કરી મતિકલ્પના પરિહરી-સમય સમય ઇણિ યોગઇ દ્રવ્યાનુયોગઇ, લીન=આસક્ત થકા, જે ક્રિયાવ્યવહાર સાધું છું તેહિ જ અમ્હનઇ મોટો આધાર છઇ, જે માર્ટિ-ઇમ ઇચ્છાનુયોગ સંપજઇ. તખ઼ક્ષામ્ તે કારણે = એક-એક વાતનું આધિક્ય ને એક-એક વાતનું હીનત્વ આવ્યું. પણ ક્રિયાશૂન્યજ્ઞાન સૂર્યસમાન છે ને જ્ઞાનશૂન્યક્રિયા આગિયા જેવી છે એવું જ્ઞાનીઓનું વચન જણાવે છે કે ક્રિયાની અપેક્ષાએ જ્ઞાન એ ખૂબ જ ખૂબ મોટો ગુણ છે અને તેથી, ક્રિયામાં કંઈક ન્યૂન એવા પણ ગીતાર્થ, જ્ઞાનશૂન્ય (અગીતાર્થ) ક્રિયાચુસ્ત સાધક કરતાં અત્યધિક ગુણવાન્ હોવાથી અગીતાર્થે તો એમની નિશ્રામાં જ રહેવું પડે. માટે આ ગાથા અગીતાર્થ માટે નથી. ૨૯ હવે, ગીતાર્થ માટે વિચારીએ તો - પોતે કોઈ પરિસ્થિતિવશાત્ એકલા પડી ગયા છે.. તો સ્થવિરકલ્પીને એકલા વિચરવાની અનુજ્ઞા ન હોવાથી અધિકગુણી કે સમાનગુણી ગીતાર્થો સાથે જોડાઈ જવાનું હોય. (આમાં પણ, ગચ્છવાસ વગેરેના કારણે તે તે કાળે જે દોષ ક્ષન્તવ્ય ગણાતા હોય એવા દોષ હોય તો પણ એ ગીતાર્થોને છેવટે સમાનગુણી તો ગણવાના જ). પણ આવા ગીતાર્થો હાલ દૂરના પ્રદેશમાં વિચરી રહ્યા છે.. ને પોતે ત્યાં પહોંચતા કેટલોક કાળ લાગે એવો છે.. તો એમને ભેગા થવા માટે જે વિહાર કરવો પડે, એમાં કોઈક શિથિલ પાસસ્થા વગેરેનો સાથ મળતો હોય તો એમની પણ સાથે જવું, પણ એકલા વિહાર ન કરવો. માત્ર એ પાસસ્થા વગેરેનો અત્યંત કુસંગ હોય કે પરિસ્થિતિ જ એવી હોય સામાન્ય પાસસ્થા વગેરેની પણ સોબત શક્ય ન હોય તો જ એકાકી વિહાર કરવો અને યથાશક્ય ઝડપથી સમાનગુણી ગીતાર્થોને ભેગા થઈ જવું.. પણ વધારે કાળ એકલા ન રહેવું.. એવો એ ગાથાનો રહસ્યાર્થ છે. છા ગાથાર્થ : એ કારણે સદ્ગુરુના ચરણોને આધીન રહીને, હંમેશ માટે આ જ્ઞાનયોગમાં તલ્લીન રહીને હું જે ક્રિયાવ્યવહાર સાધું છું તે જ અમારા જેવા સાધકો માટે મોટો આધાર છે. ।। ૧-૮ || વિવેચન : આ દ્રવ્યાનુયોગની પોતાને લેશથી પણ જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના આત્માને કૃતકૃત્યતા અનુભવાય છે એ વાત આ આઠમી ગાથામાં ગ્રન્થકાર કહી રહ્યા છે. એ કારણે = દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગાદિ કરતાં બળવાન હોવાથી (અથવા પ્રબળ એવા મોહરાજા કરતાં પણ બળવાન્ હોવાથી.. અને તેથી આત્મામાં રહેલા મોહને મોળો પાડતો હોવાથી) હું સમય-સમય દ્રવ્યાનુયોગમાં લીન રહું છું. પણ એમાં ય જો સ્વમતિકલ્પના ઘુસી જાય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩) ઢાળ-૧ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । વિનો થર્મયોગો ય, રૂછાયા સાહિતિઃ | શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય | ૩ ઈમ ઈચ્છાયોગઇ રહી અખ્ત પરઉપકારનઈ અર્થિ દ્રવ્યાનુયોગ વિચાર કહું છું. પર્ણિ એતલઈ જ સંતુષ્ટિ ન કરવી. ૧-૮ “વિશેષાર્થી ગુરુસેવા ન મૂકવી” ઈમ હિતશિક્ષા કહઈ છ0 - સમ્મતિ તત્ત્વારથ મુખ ગ્રન્થ, મોટા જે પ્રવચન નિન્ય છે તેહનો લેશમાત્ર એ લહો, પરમારથ ગુરુ વયણે લાહો ! ૧-૯ . તો તો ભૂલા જ ભટકવાનું થાય, એટલે એવું ન થાય એ માટે સ્વમતિકલ્પનાનો પરિહાર કરવો પડે.. અને એ પરિહાર કરવો છે, એ માટે હું દ્રવ્યાનુયોગમાં જે લીન રહું છું તે ગુરુચરણોમાં અધીન રહીને ( ગુરુપારતન્ય સ્વીકારીને) રહું છું. એટલે દ્રવ્યાનુયોગમાં રહેલી મારી આ લીનતા જ્ઞાનયોગરૂપ બને છે. વળી આ રીતે લીન રહેતાં રહેતાં શક્તિ-સંયોગ-ભાવના વગેરેને અનુસરીને હું જે કંઈ ક્રિયા વ્યવહાર સાધું છું - એ મારા માટે ક્રિયાયોગરૂપ બને છે. આમ આ બન્નેના સમન્વય સાધવાથી જે સર્વઆરાધકપણું મળે છે એથી હું કૃતકૃત્ય છું. અને એ જ અમારે મોટા આધારરૂપ છે, કારણકે આ રીતે ઇરછાયોગ સંપન્ન થાય છે. શ્રીયોગદષ્ટિ સમુચ્ચયની ત્રીજી ગાથામાં ઈચ્છાયોગનું લક્ષણ આવું આપ્યું છે કે – જે જીવ ધર્મક્રિયા કરવાની ઇચ્છાવાળો છે, જેણે એ ધર્મક્રિયાના નિરૂપક શાસ્ત્રો ગીતાર્થ ગુરુભગવંત પાસે સાંભળેલા છે, અને એના કારણે જે તે તે ધર્મક્રિયાના સૂક્ષ્મ વિધિવિધાનનો જાણકાર બન્યો છે, છતાં પ્રમાદને પરવશ બની વિધિ-વિધાનની કચાશવાળી જે ધર્મક્રિયા કરે છે તે ક્રિયા ઇચ્છાનુયોગરૂપ જાણવી. (આનાથી ઊંચી કક્ષાના બીજા બે શાસ્ત્રયોગ-સામર્થ્યયોગ છે તે જાણવું.) અહોભાવથી આપણું માથું ઝુકી જાય એવી ગ્રન્થકારની આ લઘુતા છે કે પોતાના કાળમાં અને પછીના આજ સુધીના કાળમાં સર્વમાન્ય ગીતાર્થ હોવા છતાં તથા અપેક્ષાએ સર્વાધિક જ્ઞાની હોવા છતાં પોતે દ્રવ્યાનુયોગનો લેશમાત્ર જ પામ્યા છે એમ તેઓ કહે છે. વળી તેઓ ક્રિયોદ્ધારમાં સહાયક જે બન્યા હતા, તે એમની કંઈક પણ અપ્રમત્તતાને જણાવે છે. છતાં તેઓ પોતાને ઈચ્છાયોગી જણાવી રહ્યા છે. (શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ પોતાને શ્રીલલિતવિસ્તરામાં ઇચ્છાયોગી જણાવ્યા છે.) ગ્રન્થકારની આ નમ્રતા તેઓશ્રીએ દ્રવ્યાનુયોગનું કોરું જ્ઞાન જ નથી મેળવ્યું પણ એને આત્મામાં પરિણામ પમાડીને અહંકારાદિરૂપ મોહને મોળો પાડવારૂપે એનું ફળ પણ મેળવ્યું છે, એનું સૂચન કરે છે. આમ, ઇચ્છાયોગમાં રહીને હું પરોપકાર કરવા માટે દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. (એ વિચારને જણાવનાર દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નામના ગ્રન્થને રચું છું.) હે અધિકારી જીવો! તમે Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૯ ટબો - સમ્મતિ-તત્ત્વાર્થ પ્રમુખ જે મોટા નિર્ઝન્થ-પ્રવચનરૂપ છો, તેહનો લવલેશમાત્ર એ લહો જે એ પ્રબંધમાંહિ બાંધ્યો છઈ. પણિ પરમારથઈ ગુરુવચનઈ રહ્યો. થોડું જાણીનઈ ગર્વ મ કરસ્યો. મંથન થન પ્રાપ્ત, તૃવત્ ચિંતે ગત્ એ દૃષ્ટાન્નઈ. અત એવ પણ આ ગ્રન્થને ભણી ને દ્રવ્યાનુયોગનો લેશ પામો. પણ એ પામવા માત્રથી સંતોષ નહીં પામી જતાં, કારણકે છેવટે એ પણ લેશ” રૂપ જ છે. વળી એ લેશથી અધિક મળવાની કદાચ સંભાવના ન હોય તો પણ, ‘હવે તો ભણવાનું બધું ભણાઈ ગયું. નવું કશું ભણવા મળવાનું નથી' એમ સંતોષ માનીને પણ ગુરુકુલવાસ ન છોડી દેવો, કારણકે એમાં સંયમનો મોટો જુગાર છે. . ૮. એટલે વિશેષાર્થીએ = દ્રવ્યાનુયોગ વગેરેના વિશેષ જ્ઞાનના અર્થીએ કે સંયમની વિશેષ નિર્મળતાના અર્થીએ ગુરુસેવા મૂકી દેવી નહીં - આવી હિતશિક્ષા ગ્રન્થકાર હવે પછીની ગાથામાં આપે છે - ગાથાર્થ : શ્રીસમ્મતિપ્રકરણ, તત્ત્વાર્થાધિગમસૂત્ર વગેરે ગ્રન્થરૂપ જે જે મોટું નિર્ઝન્ય પ્રવચન (જૈનશાસ્ત્ર) છે તેનો આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તો એક અંશ માત્ર છે, એ ગ્રન્થોનો અને આ ગ્રન્થનો પરમાર્થ ગુરુવચનથી મેળવો. | ૧-૯ || વિવેચન : ગીતાર્થનિશ્રા - ગુરુનિશ્રા વગેરે પર ખૂબ ભાર આપ્યા પછી આ ગાથામાં ઢાળનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે- પ્રભુએ આપેલો બોધ દ્વાદશાંગીમાં ગૂંથાયો. પંચમકાળપડતાકાળને નજરમાં રાખીને જ્ઞાની પુરુષોએ કાળ-કાળે, દ્વાદશાંગીને અનુસાર તે તે ગ્રન્થોની રચના કરી છે. આવા ગ્રન્થોમાં શ્રી સમ્મતિ શ્રીતત્ત્વાર્થ વગેરે ગ્રન્થો પણ મહાર્થવાળા છે. દ્રવ્યાનુયોગનું સચોટ નિરૂપણ કરનારા છે. એને અનુસરીને એના અંશરૂપ મેં આ દ્રવ્યગુણપર્યાયનો રાસ રચ્યો છે. પણ એ ગ્રન્થો કે આ ગ્રન્થને સ્વયં વાંચી લેવાથી માત્ર શબ્દાર્થ મળી શકે - પરમાર્થ નહીં. પરમાર્થ તો ગુરુભગવંતની નિશ્રામાં રહીને, વિનય-શ્રદ્ધા-ભક્તિપૂર્વક ગુરુમુખે આ ગ્રન્થો સાંભળવામાંભણવામાં આવે તો જ મળી શકે છે. આશય એ છે કે ભાષાની અમુક મર્યાદા હોય છે. સીધો અર્થ અલગ મળતો હોય ને આગળ પાછળના અનુસંધાનથી અર્થ અલગ મળતો હોય એવું બનવું પૂરેપૂરું શક્ય છે. જેમકે – “થર્મોમીટર મૂક્યું.. ને બે ડીગ્રી બતાવી.. તો એ ખુશીથી ઝુમી ઊઠ્યો..” આટલું વાક્ય સાંભળવા પર સીધો અર્થ તો એવો જ મળે કે – બે ડીગ્રી તાવ એ ખુશીનું કારણ છે. આ અર્થ ખોટો છે એ સ્પષ્ટ છે. આ વાક્યની પૂર્વે બોલાયેલા “અડધો કલાક પહેલાં તાવ માપેલો ત્યારે ચાર ડીગ્રી હતો' આવા વાક્યના અર્થનું અનુસંધાન કરવામાં આવે તો જ રહસ્યાર્થ પામી શકાય કે બે ડીગ્રી તાવનો આનંદ નથી, પણ બે ડીગ્રી જેટલો તાવ જે ઉતરી ગયો છે એનો આનંદ છે. આવું જ શાસ્ત્રવચનો અંગે છે. અન્ય-અન્ય શાસ્ત્રોમાં આગળ-પાછળ જે વાતો કરી હોય એના અનુસંધાન વિના તે તે શાસ્ત્રોના પરમાર્થ પામી શકાતા નથી. શિષ્ય તો હજુ નવું નવું ભણી રહ્યો છે.. બધા શાસ્ત્રાર્થોને જાણકાર પણ નથી, એ અનુસંધાન શી રીતે કરે? ગુરુભગવંત શાસ્ત્રાર્થોના જાણ હોવાથી અનુસંધાન કરીને ચાલના-પ્રત્યવસ્થાન વગેરે દ્વારા પરમાર્થ આપી શકે. માટે ગુરુનિશ્રાએ જ ભણવું હિતકર છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઢાળ-૧ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઉપરિત્યા ચ્યાર નય અતિગંભીર ઘણાનાં ન પરિણમઇ, ઇમ જાણીનો સિદ્ધાન્તઇ પહિલા દેખાડિયા નથી. અનઈ ગંભીર ગુરુઅધીનતાઈ જ લેવા-દેવા કહિયા છd. | ૧-૯ | હું પણ ભાષાનો ને જૈનશાસનની પરિભાષાનો જાણકાર છું. શાસ્ત્રવચનો પરથી પંક્તિઓ બેસાડીને અર્થ કરી શકું છું. પછી મારે ગુરુભગવંત પાસે જ ભણવું એવી શી જરૂર છે ? હું તો મારી મેળે ભણી ગણીને તૈયાર થઈ શકું એવો છું.. આવો બધો ગર્વ કરશો નહીં.. નિર્ધન માણસ થોડું ધન પામી જવા પર અભિમાની બની જાય અને જગતને તણખલાં જેવું “કુછ નહી” માને એના જેવું આ છે. શાસ્ત્રવચનો પરથી થોડો બોધ - યથાશ્રુત અર્થ કરીને મેળવી લીધો ને એવું ઘમંડ આવે કે બીજાઓ તો કાંઈ નથી.. હું જ અર્થબોધ કરી શકું છું.. વગેરે. આત્માર્થીએ આવો ગર્વ કરવો ન જોઈએ, કારણકે એમ કરવામાં પરમાર્થથી વંચિત રહેવાય છે. ક્યારેક ઉંધો જ અર્થ પકડાઈ જાય છે. વળી, જ્ઞાન પણ પરિણત થાય તો જ ઉપયોગી. વિનય-ભક્તિપૂર્વક લીધેલું જ્ઞાન પરિણત થવાની શક્યતા વધુ હોય છે, અભિમાનીનું જ્ઞાન તો કોરૂં ધાક રહી જવાની જ સંભાવના વિશેષ હોય છે. વળી ગુરુભગવંત પણ શબ્દો દ્વારા આપી આપીને કેટલું આપી શકે ? જો શિષ્ય સમર્પિત હોય - માર્ગસ્થ હોય - વિનીત હોય તો વિનય-સમર્પણના પ્રભાવે ગુરુભગવંત આપે એના કરતાં બોધ અનેક ગણો થાય (વૈનયિકી બુદ્ધિ). માટે પણ ગુરુગમથી જ પરમાર્થ મેળવવા એ હિતકર છે. આ જ કારણ છે કે ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત આ ઉપરના ચાર નો વિશેષ યોગ્યતાવાળા શિષ્યોએ સદ્ગુરુ પાસેથી સમજવા એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આશય એ છે કે પ્રથમના ત્રણ નયો સમજવામાં સરળ છે. વળી એ નયોને અનુસરીને જ્યારે સમજાવવામાં આવતું હોય ત્યારે વિપરીત અર્થબોધ થવાની શક્યતા ખાસ હોતી નથી. માટે એ ત્રણ નયોને, એવી વિશેષ ભૂમિકા ન હોય એવા પણ શિષ્યોને આપી શકાય છે. પણ પાછળના ચાર નવો અર્થગંભીર છે, જલ્દી સમજાય એવા નથી, ને ક્યારેક વિપરીત અર્થ પકડાઈ જાય એવી પણ એમાં શક્યતા રહેલી હોય છે. (નિશ્ચયનયની વાતો સાંભળીને ક્રિયાને બિલકુલ નકામી માનનારો વર્ગ પણ જોવા મળે છે ને ! આ વગરભૂમિકાએ અને અયોગ્ય વક્તા પાસે ઉપરના નયોની વાતો સાંભળવાનું કટુ પરિણામ છે.) માટે, વિશેષ ભૂમિકાવાળા શિષ્યોને જ ગીતાર્થ સદ્ગુરુ પાસેથી જ ઉપરના ચાર નયોની વાતો સાંભળવા-ભણવાનો અધિકાર જ્ઞાનીઓએ આપ્યો છે. આ વિશેષભૂમિકા પ્રારંભે હોતી નથી. માટે પ્રારંભે આ ચાર નવો આપવાનો નિષેધ છે. ઘણાને સમજાય નહીં - ઘણાને યોગ્ય રીતે પરિણમે નહીં. (અપરિણામ કે અતિપરિણામ થાય). પણ પ્રથમ, પ્રથમના ત્રણ નયો આપે... સમજાવે.. એ પરિણમવા સરળ હોવાથી પરિણમે.. એ પરિણમવાના કારણે તથા ગુરુચરણને આધીન રહેવાના પ્રભાવે (=સ્વમતિકલ્પનાનો સદંતર ત્યાગ કરીને ગુરુભગવંત કહે તે તહત્તિ.. આવી તથાકાર સામાચારીને કેળવવાના પ્રભાવે) શિષ્યની ભૂમિકા વિકસે છે. એ પછી પાછળના ચાર નય આપવાથી એ પણ પરિણમે છે. / ૯ // Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૯ ૩૩ આમ પ્રથમ ઢાળ પૂરી થઈ. એમાં પ્રથમ ચાર અનુયોગ કહીને પરસ્પર વિચારણા ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગની જ કરી એ સૂચવે છે કે ચારમાં પણ આ બે વધારે મહત્ત્વના છે. આમ તો આ બંને પોતપોતાના સ્થાનમાં બળવાનું છે. જેમ ચા બનાવવી હોય તો દૂધ, સાકર, ચાની ભૂકી વગેરે બધા જ પ્રધાન છે, કારણકે આમાંનું કાંઈપણ ન હોય તો ચા બનતી જ નથી. છતાં જેના મગજમાં એવું બેસી ગયું હોય કે ચા બનાવવા ચાની ભૂકી જ જોઈએ, માટે ભૂકી નાખ નાખ કરે, પણ દૂધ નાખે જ નહીં તો એને એમ પણ કહેવું પડે કે ચા દૂધથી જ બને. વળી બીજો કોઈ દૂધને જ આવશ્યક માની દૂધ જ નાખ્યા કરે છે, ભૂકી નાખતો જ નથી. તો એને સમજાવવા એમ પણ કહેવાય કે ચા બનાવવા ચાની ભૂકી જ જોઈએ. આમ બન્ને પોતપોતાના સ્થાનમાં મુખ્ય છે. બધાની પોતપોતાની રીતે પ્રધાનતા છે. બેશક, અલગઅલગ બે કરતાં બેનો સમુદાય જ વધારે મહાનું છે, કારણકે છેવટે કાર્ય સમુદાયથી જ થાય છે. આવું જ પ્રસ્તુતમાં પણ જાણવું. તેમ છતાં, દ્રવ્યાનુયોગને વિશેષરૂપે મહાનું કહેવામાં અનેક કારણો છે - (૧) ચારે અનુયોગનું બીજ દ્રવ્યાનુયોગ છે. આશય એ છે કે – ચારે અનુયોગ દ્વાદશાંગીને આધીન છે.. અને દ્વાદશાંગી ઉપ્પઈ વા વિગમે ઈ વા ધુવેઇ વા આ ત્રિપદીમાંથી ઉદ્ભવ પામી છે. આ ત્રિપદી દ્રવ્યાનુયોગનું પ્રતિનિધિત્વ કરે છે એ તો સ્પષ્ટ છે જ. (૨) ગણધરદેવો દ્વાદશાંગીની રચના કરે છે. પછી શ્રી તીર્થંકરભગવંતો “દવ્વ-ગુણપજવેહિ તિર્થં અણજાણામિ' એમ આખી દ્વાદશાંગી અને ચારે અનુયોગની અનુજ્ઞા જે આપે છે તે દ્રવ્યાનુયોગના મુખ્ય વિષયભૂત દ્રવ્ય-ગુણ-પર્યાયના ઉલ્લેખપૂર્વક આપે છે. (૩) દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગને યોગ્ય દિશામાં વાળે છે અને સ્થિરતા આપે છે. આશય એ છે કે – સંયમ શા માટે પાળો છો ? “મોક્ષ માટે આમ હોઠથી જવાબ આપી દેવો સહેલો છે. પણ અંતઃકરણના સંવેદનપૂર્વકનો આવો જવાબ ખૂબ દુષ્કર છે. દ્રવ્યાનુયોગથી આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ પર્યાયો, દેહાદિ અશુદ્ધ ઉપચરિત પર્યાયો.. દેહાદિ સાથેનો ભેદ. અહ-મમ વગેરેની નિરર્થકતા. આ બધું દ્રવ્યાનુયોગનું શ્રવણ-ચિંતન-મનન-પરિશીલન કરતાં કરતાં ખૂબ સ્પષ્ટ થાય છે. સંવેદનમાં ઉતરે છે. ને તેથી લક્ષ્ય નિશ્ચિત બને છે. પછી ચરણકરણનું પાલન જીવને શુદ્ધસ્વરૂપ તરફ આગળ વધારવા સક્રિય બને છે તથા આ શુદ્ધસ્વરૂપ મેળવવાનું પ્રણિધાન પણ સ્થિર થાય છે. દુનિયાને જે માન - અપમાનના પ્રબળ નિમિત્તરૂપ લાગે એવા પ્રસંગે પણ પછી માન - અપમાન અસર કરતા નથી, કારણકે આમાં મને કશું લાગતું નથી-જે કાંઈ થઈ રહ્યું છે તે બધું ઉપાધિને થઈ રહ્યું છે. જેમ શ્રીગજસુકુમાલમુનિની વિચારધારા આવે છે કે “જે બળે છે તે મારું નથી ને મારું છે તે બળતું નથી..” આવી વિચારધારાઓ દઢ બનીને જીવને સમતામાં રમતો રાખે છે, જેથી માર્ગભ્રષ્ટતા અટકે છે. દેહાધ્યાસ, મમત્વ, વાતવાતમાં ઓછું આવી જવું, અસહિષ્ણુતા, ઈર્ષા, અભિમાન વગેરે જે કોઈ ચરણકરણના પરિપૂર્ણ પાલનના પ્રતિબંધકો છે તે બધા દ્રવ્યાનુયોગના પુનઃ પુનઃ પરિશીલનથી દૂર થાય છે ને તેથી ચરણકરણની નિર્મળતા થાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઢાળ-૧ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (૪) પૂર્વે જણાવી ગયો તેમ, સર્વદોષોનું ને સર્વ પાપપ્રવૃત્તિઓનું મૂળ જ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ છે. એનું પ્રધાન રીતે શોધન કરનાર જ્ઞાનમાર્ગ દ્રવ્યાનુયોગથી પ્રાપ્ત થાય છે. આવા બધા અનેક કારણોએ દ્રવ્યાનુયોગ પ્રધાન છે. માટે જ સમ્મતિ પ્રકરણ વગેરેમાં એની મહત્તા ગાયેલી છે ને એને અનુસરીને ગ્રન્થકારશ્રી ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત ગ્રન્થમાં પણ એ મહત્તા દર્શાવેલી છે, એ જાણવું. (૫) દ્રવ્યાનુયોગના પરિશીલન દ્વારા આત્માનું જે શુદ્ધસ્વરૂપ સંવેદનમાં સ્કુરાયમાણ થાય છે, એ જ ચરણકરણાનુયોગનું પણ અંતિમ સાધ્ય છે. એટલે જેમ છેવટે વેપાર પણ પૈસા માટે જ છે. તેથી પૈસાનું નુકશાન પહોંચતું હોય તો એ વેપાર પણ છોડી દેવાય છે - બીજો વેપાર અપનાવાય છે. એમ પ્રસ્તુતમાં જાણવું. માટે દ્રવ્યાનુયોગ મહત્ત્વનો છે. (૬) દ્રવ્યાનુયોગના ગ્રન્થમાં દ્રવ્યાનુયોગની મહત્તા ગાઈ હોય. ચરણકરણાનુયોગના ગ્રન્થમાં ચરણકરણાનુયોગની મહત્તા હોય એ તો સમજાય છે. પણ શ્રી ઓઘનિર્યુક્તિ ગ્રન્થ તો ચરણકરણાનુયોગનો ગ્રન્થ છે. ને છતાં એમાં પણ ચારે અનુયોગનો ક્રમશઃ ઉલ્લેખ કરી છેલ્લો દ્રવ્યાનુયોગ કહ્યો છે ને યથાક્રમ તે અનુયોગોને મહદ્ધિક કહીને દ્રવ્યાનુયોગને સૌથી વિશેષ મહદ્ધિક કહ્યો છે. (અલબત્ ત્યાં દ્રવ્યાનુયોગથી સમ્યગદર્શનની નિર્મળતા થાય છે. ને એ નિર્મળતાથી ચરણકરણ વધુ નિરતિચાર બને છે. એટલે દ્રવ્યાનુયોગ પણ ચરણકરણની નિર્મળતા માટે હોવાથી ચરણકરણાનુયોગની મહત્તા પણ બતાવી છે.) ક્વનો છે. સ્યાદ્વાદ એટલે ? એક જ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો રહ્યા છે એવું જણાવનાર વચન નહિ. પણ, સામાન્યથી પરસ્પર વિરુદ્ધ ભાસતા ધર્મો વચ્ચે પણ અન્ય અપેક્ષાથી વિરોધ હોતો નથી એવું જણાવનાર સ્યાત્ પદથી અલંકૃત વચન એ સ્યાદ્વાદ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ઢાળ બીજી રે ગુણ પર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે ! તેહ દ્રવ્ય નિજ જાતિ કહીએ, જસ નહી ભેદ વિચાઈ રે ! જિનવાણી રંગછે મનિ ધરિઇ . ૨-૧ | ટબો-ગુણ નઈ પર્યાયનું ભાજન કહતાં સ્થાનક, જે ત્રિહું કાલિ અતીત-અનાગત-વર્તમાન કાલિં એક સ્વરૂપ હોઈ, પર્ણિ-પર્યાયની પરિ ફિરઇ નહીં તેહ દ્રવ્ય કહિ. નિજ જાતિ કહતાં પોતાની પ્રથમ ઢાળમાં દ્રવ્યાનુયોગની મહત્તા દર્શાવી. આ દ્રવ્યાનુયોગનો જે મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે તે દ્રવ્ય-ગુણ-પર્યાયને આ બીજી ઢાળમાં દર્શાવે છે. આ ત્રણમાં પણ ગુણ-પર્યાય કરતાં દ્રવ્ય પ્રધાન છે, કારણ કે દ્રવ્ય જ આ બંનેના આધારભૂત છે, ઉપાદાન કારણભૂત છે, સૈકાલિક છે, એક છે. જ્યારે ગુણ-પર્યાય આધેય છે, કાર્યભૂત છે, અનિત્ય છે, અનેક છે. આમ દ્રવ્ય પ્રધાન છે... અભ્યહિત છે, માટે જ દ્રવ્ય-ગુણ-પર્યાય આ ઇતરેતદ્વન્દ સમાસમાં દ્રવ્યનો સહુ પ્રથમ ઉલ્લેખ (પૂર્વનિપાત) છે. અને એટલે જ અનુયોગ પણ દ્રવ્યાનુયોગ કહેવાય છે. ગુણાનુયોગ કે પર્યાયાનુયોગ નહીં. આમ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં દ્રવ્ય પ્રધાન હોવાથી સહુ પ્રથમ દ્રવ્યનું જ નિરૂપણ ગ્રન્થકાર કરે છે. ગાથાર્થ : જે ગુણ અને પર્યાયનું ભાજન = આધાર છે, જે ત્રણે કાળમાં એકસ્વરૂપ જ રહે છે, જેનો વચલી વચલી અવસ્થામાં ભેદ થતો નથી. આવો પદાર્થ પોતાની જાતિની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે. હે ભવ્યજીવો ! શ્રી જિનવાણીને રંગથી = શ્રદ્ધા-રુચિપૂર્વક મનમાં ધારો. || ૨-૧/ વિવેચન : ભાજન = સ્થાનક = આધાર. જે ગુણ અને પર્યાયનું ભાજન છે, જે અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણે કાળમાં એકસ્વરૂપ જ રહે છે. પણ પર્યાયની જેમ ફરતું નથી, જેનો વચલી-વચલી સ્વાસ-કોશ-કુશૂલ વગેરે અવસ્થાઓમાં ભેદ (= ભિન્નતા = અન્યોન્યાભાવ) થતો નથી. એ દ્રવ્ય છે. એકરૂપ ત્રિહું કાલિં રે : ત્રણે કાળમાં એક જ સ્વરૂપવાળું-સ્વરૂપમાં જરા પણ ફેરફાર ન અનુભવનારું-નિત્ય દ્રવ્ય છે. કોઈપણ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. એના દ્રવ્યાંશનો આપણે વિચાર કરવો છે. આ દ્રવ્યાંશ બિલકુલ ફેરફાર વિનાનો છે. એનો અર્થ થયો એ કૂટનિત્ય છે. આવું ફૂટસ્થનિત્ય દ્રવ્ય શું છે? ઘડો એ દ્રવ્ય છે? ના, એ તો નાશ પામવાના સ્વભાવવાળો છે. પહેલાં પિંડરૂપ હતો.. પછી ઠીકરા (કપાલ)રૂપ બનવાનો છે. તો શું માટી એ દ્રવ્ય છે? ના, એ પણ પાર્થિવ હોવાથી આગળ-પાછળ સ્વરૂપ બદલે છે. એટલે કે ઔદારિકવર્ગણારૂપ હોવાથી જળ-તેજ-વાયુ વગેરે સ્વરૂપ પણ ધારણ કરે છે. માટે નિત્ય ન હોવાથી દ્રવ્ય ન કહેવાય. જે પોતાના સ્વરૂપને છોડી દે-બદલાઈ જાય તેને દ્રવ્ય શી રીતે કહી શકાય? જેમ પાણીનો Page #55 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જાતિ, જિમ જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપાદિક ગુણપર્યાયનું ભાજન પુદ્ગલ દ્રવ્ય, આકાર, વર્ણ, સ્વાદ વગેરે બદલાયા કરે છે માટે આકાર વગેરે દ્રવ્ય નથી, તો પાણી પણ પૃથ્વી-તેજ વગેરે રૂપે પરિણમે છે (સ્વરૂપ બદલે છે) માટે દ્રવ્ય ન કહેવાય. નૈયાયિકના મતે પાર્થિવ પરમાણુ ક્યારેય જલીયપરમાણુરૂપ બનતો નથી. પણ આપણા જૈન મતે આવું નથી. આજે જે દ્રવ્ય જલીયસ્કંધરૂપે છે. તે કાલે પાર્થિવસ્કંધરૂપ પણ બની શકે છે. એમ એ જ અગ્નિ-વાયુ વગેરે સ્કંધરૂપ પણ બની શકે છે. તો દ્રવ્ય તરીકે શું લેવું? ઔદારિક વર્ગણા? ના, કેમ કે જે પુદ્ગલો આજે ઔદારિકવર્ગણારૂપે છે એ જ કાળાન્તરે વૈકિયવર્ગણા વગેરે સ્વરૂપે બની શકે છે. પ્રશ્ન : તો પરમાણુને જ ‘દ્રવ્ય રૂપે કહી શકાશે ને? ઉત્તર : ના, કારણ કે એ પણ કાળાન્તરે ચણકાદિસ્કંધરૂપતાને ધારણ કરે છે. પ્રશ્ન : હયણુકાદિમાં પણ પરમાણુ તો પરમાણુ તરીકે રહ્યો જ છે ને? ઉત્તર : ના, કારણ કે આપણે ત્યાં પરમાણુ નિત્ય મનાયો નથી. પ્રશ્ન : એ શી રીતે? ઉત્તર : (૧) શ્રી અનુયોગદ્વાર વગેરે શાસ્ત્રોમાં પરમાણુનો અવસ્થાનકાળ અને અંતરકાળ બતાવેલા છે (બંને અસંખ્યકાળ છે.) જો પરમાણુ નિત્ય હોય તો અવસ્થાનકાળ અનાદિ-અનંત આવે અને અંતરકાળ તો આવે જ નહીં. (૨) પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. જો સ્કંધગત પરમાણુ-પરમાણુ સ્વરૂપને જાળવી રાખતો હોય તો એનો “પ્રદેશ” તરીકે સ્વતંત્ર ભેદ અને ભિન્ન નામોલ્લેખ થાય નહીં. જેમ છૂટા તંતુનો તંતુ રૂપે વ્યવહાર થાય છે એમ પટરૂપે પરિણમેલા-પટમાં રહેલાં તંતુનો પણ તંતુ તરીકે જ ઉલ્લેખ થાય છે, એનો કાંઈ અન્ય નામથી ઉલ્લેખ થતો નથી. એમ છૂટા પરમાણુનો “પરમાણુ' શબ્દથી જેમ વ્યવહાર થાય છે તેમ સ્કંધમાં પણ એ પરમાણુ સ્વરૂપને જાળવી રાખતો હોય તો એનો પરમાણુ’ શબ્દથી જ વ્યવહાર થવો જોઈએ અને તો પછી ‘પ્રદેશ' એવી સંજ્ઞાવાળો અલગ ભેદ કહેવો ન જોઈએ. પણ એ કહ્યો છે એ જણાવે છે કે એનું પરમાણુસ્વરૂપ હવે રહ્યું નથી, માટે પરમાણુ પણ નિત્ય ન હોવાથી ‘દ્રવ્ય રૂપે લઈ શકાય નહીં. પર્યાયરૂપે જ લેવો પડે. અલબત્ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં પરમાણુને શાશ્વત કહેલ છે. ગ્રન્થકારે પણ ૧૪મી ઢાળની આઠમી ગાથાના ટબામાં તે પરમાણુનો કહિએ નાશ નથી” એમ કહીને પરમાણુને નિત્ય તરીકે પણ કહેલ છે. એટલે પરમાણુ અંગે નિત્યતા અને અનિત્યતા. બન્ને જાણવા મળે છે. વળી પરમાણુ રૂપે જ તે બન્ને જણાય છે. પરમાણુ દ્રવ્યરૂપે નિત્ય અને એના વર્ણાદિ પર્યાયરૂપે અનિત્ય.. એમ નહીં... આની સંગતિ એ ૧૪ મી ઢાળના વિવેચન વખતે જ જોઈશું. પણ, “પરમાણુ” અને “પુદ્ગલ’ એ પર્યાયવાચી શબ્દો નથી તથા સ્કંધો પુદ્ગલના જ પર્યાય કહેવાય છે, પરમાણુના નહીં. એટલે પ્રધાનતયા તો પરમાણુ પણ જણકાદિની જેમ પુદ્ગલની એક અવસ્થારૂપ હોવાથી પર્યાયરૂપ જ છે, દ્રવ્યરૂપ નહીં ૧૪ મી ઢાળની ૧૬ મી ગાથાના ટબામાં પરમાણુને પર્યાયરૂપે કહેલ જ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧ ૩૭ રક્તત્વાદિ-ઘટાદિ-ગુણપર્યાયનું ભાજન મૃદ્રવ્ય. તંતુ પટની અપેક્ષાઇ દ્રવ્ય, તંતુ (સ્વ) અવયવની અપેક્ષાઇ પર્યાય, જે માટઇ પટનઇ વિચાલઇ = પટાવસ્થામધ્યઇ તંતુનો ભેદ નથી. તંતુ અવયવ માટે, દ્રવ્ય તરીકે પુદ્ગલત્વેન પુદ્ગલને જ લઈ શકાય. કારણ કે પરમાણુ, દ્રચણુકાદિ...ઔદારિકવર્ગણાદિ...પૃથ્વી-જલ-તેજ વગેરે... ઘટ-પટ વગેરે દરેક અવસ્થામાં પુદ્ગલત્વ અખંડ રહે છે. એ જરા પણ બદલાતું નથી. એટલે કે પુદ્ગલ ક્યારેય જીવરૂપ કે ધર્માસ્તિકાયાદિરૂપ બનતું નથી. માટે જ છએ દ્રવ્યોને ઇતરાપ્રવેશી કહ્યા છે. એ જ રીતે જીવત્વેન જીવને જ, ધર્માસ્તિકાયત્વેન ધર્માસ્તિકાયને જ દ્રવ્યરૂપે કહેલ છે. એમ જે ઇતરાપ્રવેશી હોય... પોતાનું સ્વરૂપ ક્યારેય બદલતા ન હોય એવા ૬ જ દ્રવ્યો છે. માટે શાસ્ત્રોમાં મૂળભૂત ૬ જ દ્રવ્યો કહ્યા છે. ઘટ-પટ વગેરે તો પોતાનું સ્વરૂપ બદલીને પટ-ઘટ વગેરે રૂપે બની શકતા હોવાથી ઇતર પ્રવેશી છે....ત્રિહું કાળ એકરૂપ વાળા નથી. માટે ‘દ્રવ્ય’ રૂપ નથી. પર્યાયરૂપ છે. પ્રશ્ન : અહીં અતીતાદિ ત્રણે કાળમાં એકરૂપ કહેલ છે, પણ સર્વ અતીતકાળમાં અને સર્વઅનાગતકાળમાં એકરૂપ જોઈએ એમ કહેલ નથી. એટલે, પિંડ-સ્થાસ-કોશ-કુશૂલરૂપ અતીત અવસ્થામાં, ઘટરૂપ વર્તમાન અવસ્થામાં અને કપાલરૂપ અનાગત અવસ્થામાં મૃદ્ તરીકે મૃદ્રવ્ય એક જ સ્વરૂપે રહેતું હોવાથી એને પણ દ્રવ્ય કેમ ન કહેવાય? ઉત્તર : જરૂર કહેવાય... ને તેથી જ ગ્રન્થકાર આગળ એને દ્રવ્ય તરીકે કહેવાના જ છે. લોકવ્યવહા૨માં પણ મૃદ્રવ્ય એમ કહેવાય જ છે. પણ એ આપેક્ષિક છે. પિંડાદિની અપેક્ષાએ જ ‘દ્રવ્ય’ રૂપ છે, પાર્થિવદ્રવ્યની અપેક્ષાએ કે ઔદારિક વર્ગણાદિની અપેક્ષાએ તો એ ‘પર્યાય’રૂપ બની જ જશે. જેમ નૈયાયિકને મતે ‘દ્રવ્યત્વ’ એ સત્તાની અપેક્ષાએ ‘અપર,' પૃથ્વીત્વ વગેરેની અપેક્ષાએ ‘પર...’ પૃથ્વીત્વ પણ દ્રવ્યત્વની અપેક્ષાએ અપર, ઘટત્વની અપેક્ષાએ પર... પણ જે માત્ર પરજાતિ જ હોય... ‘અપર’ ન જ હોય, આવી જાતિ તો માત્ર સત્તા જ છે. એમ માટી એ પિંડાદિની અપેક્ષાએ દ્રવ્ય, પણ પાર્થિવની અપેક્ષાએ પર્યાય... પાર્થિવ પણ માટીની અપેક્ષાએ દ્રવ્ય, પણ ઔદારિકવર્ગણાની અપેક્ષાએ પર્યાય... આમ માટી વગેરે દ્રવ્યરૂપ છે ખરા...પણ પાછા પર્યાયરૂપ પણ છે જ. અને એટલે જ એમનું દ્રવ્યત્વ આપેક્ષિક બની જાય છે. જે માત્ર ‘દ્રવ્ય’રૂપ હોય, અન્ય કોઈ જ દ્રવ્યના ‘પર્યાય’રૂપ ન જ હોય... આવાં દ્રવ્યો તરીકે તો ધર્માસ્તિકાય વગેરે છ જ કહેવા પડે. નિજ જાતિં કહીઇ : પોતાની જાતિથી તે તે દ્રવ્ય ઓળખાય છે શબ્દો દ્વારા કહેવાય છે. જેમ કે દેવ, મનુષ્ય... એ બધામાં જીવત્વ જાતિ તો છે જ, માટે બધું જીવદ્રવ્ય કહેવાય.... પરમાણુ, સ્કંધો, ઔદારિકાદિવર્ગણા, ઘટ,પટ, વગેરે બધામાં પુદ્ગલત્વ જાતિ છે જ. માટે આ જાતિને આગળ કરીને એ પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. આપેક્ષિક દ્રવ્ય માટે કહેવું હોય તો પિંડ-સ્થાસ વગેરે બધામાં મૃત્ત્વ જાતિ તો છે જ, માટે એ બધું મૃદ્રવ્ય કહેવાય. બાળ, યુવાન, વૃદ્ધ.... એ બધામાં મનુષ્યત્વજાતિ તો છે જ.... માટે એ બધું મનુષ્યદ્રવ્ય કહેવાય... જિમ જ્ઞાનાદિકગુણ : જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે ગુણોનું અને મનુષ્ય-દેવ વગેરે પર્યાયોનું : Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઢાળ-૨ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પયાના રાસ અવસ્થા મધ્યઈ અન્યત્વરૂપ ભેદ છઈ. તે માટઈ પુદગલસ્કંધમાંહિ દ્રવ્યપર્યાયપણું અપેક્ષાઈ જાણવું. આત્મતત્ત્વવિચાર પણિ-દેવાદિક આદિષ્ટ દ્રવ્ય, સંસારિ દ્રવ્યની અપેક્ષાઇ પર્યાય થાઈ. કોઈ કહસ્ય છે, જે “ઇમ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થયું. આપેક્ષિક થયું” તો કહિછે જે “શબલ વસ્તુનો અપેક્ષાઈ જ વ્યવહાર હોઈ, ઈહાં દોષ નથી.” જે સમવાયિકારણત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણ માનાં જે ભાજન છે તે જીવદ્રવ્ય છે. રૂપ-રસ વગેરે ગુણોનું અને પરમાણુ-સ્કંધ વગેરે પર્યાયોનું જે ભાજન છે તે પુદ્ગલદ્રવ્ય છે. એમ રક્તવાદિ ગુણોનું અને ઘટ વગેરે પર્યાયોનું જે ભાજન છે તે મૃદ્દવ્ય. તંતુ પટની અપેક્ષાએ દ્રવ્ય છે, પણ સ્વ અવયવોની અપેક્ષાએ પર્યાય છે, કારણ કે પટનાં વિચાલો = પટાવસ્થામધ્ય) તંતુનો ભેદ નથી. આશય એ છે કે તંતુમાંથી પટ બને ત્યારે તંતુ કાંઈ પોતાનું સ્વરૂપ છોડીને અતંતુ બની જતા નથી. માટે પટની અપેક્ષાએ તંતુ એ દ્રવ્ય છે. પણ તંતુના જે અવયવો છે, તે અવયવો જ્યારે તંતુરૂપ નહોતા બન્યા ત્યારે તંતુઓ તંતુસ્વરૂપવાળા હતા જ નહીં... એ અતંતુ જ હતા. માટે અવયવોની અપેક્ષાએ તંતુ એ પર્યાય છે. એટલે મુગલસ્કંધોમાં દ્રવ્ય-પર્યાયપણું આપેક્ષિક જાણવું. “આત્મતત્ત્વનો વિચાર કરવામાં આવે તો અપર્યાપ્તાવસ્થ દેવ, પર્યાપ્તાવસ્થદેવ, ચ્યવનાભિમુખ દેવ... વગેરે અપેક્ષાએ દેવી એ આદિષ્ટદ્રવ્ય.... (અહીં આદિષ્ટદ્રવ્ય એટલે આ બધી જુદીજુદી અવસ્થાઓને નજરમાં રાખીને આદિષ્ટ = ઉલ્લેખાયેલ દ્રવ્ય). પણ સંસારી જીવની અપેક્ષાએ વિચારીએ તો દેવ” એ પર્યાય છે અને સંસારીજીવ એ દ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્યની જુદીજુદી અવસ્થાઓ આપણા જ્ઞાનનો અને વ્યવહારનો વિષય બને છે. પણ આ રીતે ધર્માસ્તિકાય વગેરેની જુદી જુદી અલ્પાધિકકાલીન અવસ્થાઓ આપણા જ્ઞાનનો કે વ્યવહારનો વિષય બનતી નથી. માટે એમાં આપેક્ષિક દ્રવ્ય-પર્યાયપણાની વાત ગ્રન્થકારે કરી નથી. કોઈ કહસ્ય... કોઈ શંકા કરે છે – ઘટ-મૃદુ વગેરેને અને દેવ-મનુષ્ય વગેરેને આ રીતે દ્રવ્યરૂપે કહેવાથી દ્રવ્યત્વ આપેક્ષિક થયું... કાચો ઘડો-પાકો ઘડો વગેરે અપેક્ષાએ ઘડો એ દ્રવ્ય અને માટીની અપેક્ષાએ પર્યાય. એટલે દ્રવ્યત્વ એ સ્વાભાવિક ન થયું. સમાધાન : જે વસ્તુ શબલ હોય એનો અપેક્ષાથી જ વ્યવહાર થાય એમાં કોઈ દોષ નથી.. શબલ = જેમાં પ્રથમ નજરે વિરુદ્ધ જણાતા અનેક ધર્મોનો સમાવેશ હોય છે. જેમકે અનામિકામાં હૃસ્વત્વ અને દીર્ઘત્વ બને છે. માટે એ શબલ છે, તો મધ્યમાની અપેક્ષાએ જ એ હૃસ્વ કહેવાય અને કનિષ્ઠાની અપેક્ષાએ જ એ દીર્ધ કહેવાય. તો આમાં કોઈ દોષ નથી. નૈયાયિક : એમ તો અમે પણ સસંબંધિક (સાપેક્ષ) અને અસંબંધિક (નિરપેક્ષ) એમ બે પ્રકારના પદાર્થો માન્યા છે. એમાં હ્રસ્વત્વ-દીર્ઘત્વ સાપેક્ષ હોવાથી કોઈકની અપેક્ષાએ જ એનો વ્યવહાર છે... પણ એનું અંગુલિત્વ તો નિરપેક્ષ જ છે ને ! જૈન : એમ તો ઘડામાં ઘટત્વ પણ નિરપેક્ષ જ છે, દ્રવ્યત્વ જ સાપેક્ષ છે. નૈયાયિકઃ અમે તો દ્રવ્યત્વને પણ નિરપેક્ષ પદાર્થ માન્યો છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧ છો, તેહનઈ પણિં અપેક્ષા અવશ્ય અનુસરવી. “કુણનું સમાયિકારણ?”ઈમ આકાંક્ષા હોઈ તો કુણનું દ્રવ્ય? એ આકાંક્ષા કિમ ન હોઈ? જૈન : તમે પર્યાયત્વને જાણતા-સમજતા જ નથી એનો આ પ્રભાવ છે. એટલે કે દ્રવ્યત્વ જેની સાથે શખલિત થવાનું છે એને જ જાણતા નથી. માટે તમને એ અશબલ લાગવાથી નિરપેક્ષ લાગે છે. બાકી તો અમે તમને દ્રવ્યત્વની વ્યાખ્યા પૂછશું કે દ્રવ્યત્વ હિન્? તો તમે શું જવાબ આપશો ? ગુણવત્ત્વ કહી નહીં શકો, કારણ કે આધક્ષણાવચ્છિન્ન ઘટાદિ દ્રવ્યને તમે નિર્ગુણ માનેલ છે. (કોઈપણ દ્રવ્ય ઉત્પન્ન થાય એ પ્રથમ ક્ષણે નિર્ગુણ હોય એવી નૈયાયિકની માન્યતા છે). પર્યાયવર્ઘ તમે કહી શકતા નથી, કારણ કે પર્યાય જેવી કોઈ ચીજ જ તમે માની નથી. માટે તમારે સમવાિરત્વ દ્રવ્યત્વમ્ એમ જ કહેવું પડશે. હવે ઘટમાં દ્રવ્યત્વ છે... એ “સમવાયિકારણત્વ' રૂપ છે. પણ જેટલાં સમવેત કાર્યો છે એ બધાનું કાંઈ સમવાધિકારણત્વ ઘડામાં રહ્યું નથી....... પટીયવર્ણાદિનું ઘડો એ થોડું સમવાયિકારણ છે? એટલે તરત પ્રશ્ન થશે કે કોનું સમવાયિકારણત્વ? એટલે ઘડામાં સમવાયિકારણત્વસ્વરૂપ જે દ્રવ્યત્વ રહ્યું છે એ પણ આપેક્ષિક બની જ ગયું ને... એટલે, કોનું સમવાયિકારણ? એમ દ્રવ્ય આપેક્ષિક બન્યું તો કોનું દ્રવ્ય? એમ આપેક્ષિક બને એમાં શું વાંધો છે? અહીં આ ધ્યાનમાં રાખવું કે પુદ્ગલ સ્કંધોમાં ને દેવાદિ આદિષ્ટ દ્રવ્યોમાં જ દ્રવ્યત્વ આપેક્ષિક છે, માટે જ ગ્રન્થકારે ટબામાં પુદ્ગલકંધમાહિ.. અને દેવાદિક આદિષ્ટ દ્રવ્ય. એમ ઉલ્લેખ કર્યો છે. બાકી પુદ્ગલદ્રવ્યનું અને જીવદ્રવ્યનું દ્રવ્યત્વ તો સ્વાભાવિક છે, આપેક્ષિક નથી, કારણ કે એમાં દ્રવ્યત્વ અને પર્યાયત્વ એ બંને ધર્મો રહ્યા છે એવું નથી. માત્ર દ્રવ્યત્વ જ છે. ને તેથી એ “શબલ” નથી. પણ ગ્રન્થકારે એનો ઉલ્લેખ કર્યો નથી. તે એટલા માટે કે એવું દ્રવ્ય આપણા જ્ઞાનનો વિષય બની શકતું નથી. આશય એ છે કે પ્રતિ = તાંતાન યાન છતીતિ દ્રવ્યમ્ આવી દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ છે. તે તે પર્યાયોને જે પામે તે દ્રવ્ય. આમાં દ્રવ એટલે પ્રવાહી તો દ્રવ્યને પ્રવાહી જેવું કેમ કહ્યું? ઘન જેવું કેમ નહીં? તો એનો જવાબ છે કે પ્રવાહીને અવસ્થાન્તર પામવું બહું સહેલું છે. ધારો કે પાણી... ચોરસ વાસણમાં તરત ચોરસ આકારનું બની જશે... ગોળ વાસણમાં તરત વૃત્તાકાર. ત્રિકોણ આકારમાં તરત ત્રિકોણ આકારને ધારી લેશે. આવું કાષ્ઠ પથ્થર વગેરે ઘન પદાર્થો માટે સંભવિત નથી. આવું જ જીવાદિદ્રવ્યો માટે છે. ક્રોધાકારરૂપે પરિણમેલો આત્મા તરત જ ક્ષમાકારને ધારણ કરી શકે છે. એક જ સમયમાં મનુષ્ય દેવ બની શકે છે. પરમાણુ યણુકાદિ સ્કંધરૂપતાને ધારી લે છે. અથવા દ્રવ=વહેવું. ઘન પદાર્થ સ્વયં વહેતો નથી. પ્રવાહી સ્વયં વહીને દેશાન્તર પામે છે. દ્રવ્ય પણ સ્વયં પણ વહીને (રૂપાંતર પામીને) દશાન્તર પામતું રહે છે... માટે પ્રવાહી જેવું કહ્યું છે. હવે, પાણીના જે વૃત્ત-ત્રિકોણાદિ આકાર આધારવશાત્ થાય છે તે તો પર્યાય છે. જે આવા આવા આકારને ધારણ કરે છે એ પાણી કેવું હશે? એ વિચારમાં ચઢીએ તો આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય Page #59 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ “TUપર્યાયવદ્ દ્રવ્ય” તત્ત્વાર્થે (અ. ૫, સૂત્ર ૩૭). એ જિનવાણી રંગd=વિશ્વાસ મનમાહિં ધરિઈ -૧ ધરમ કહજઈ ગુણ-સહભાવી, ક્રમભાવી પર્યાયો રે ! ભિન્ન અભિન્ન ત્રિવિધિ ત્રિયલક્ષણ, એક પદારથ પાયો રે / જિન / ર-રા. ટબો - સહભાવી કહતાં યાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહિછે. જિમ જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિeતુત્વ, અધર્માસ્તિકાયની સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહના હેતુત્વ, કાલનો વર્તનાહેતુત્વ. ક્રમભાવી કહતાં અયાવદ્રવ્યભાવી, તે પર્યાય કહિછે. છે – કલ્પના અટકી પડે છે... કારણ કે જે આપણા જ્ઞાનનો વિષય બને છે તે તો આકાર વર્ણાદિ અવસ્થા જ બને છે. જે એ રૂપે પરિણમ્યું છે એ કેવું હશે? એ આપણી કલ્પનાનો વિષય બની શકતું જ નથી. આવું જ જીવ અને પુલ માટે છે. આપણા જ્ઞાનનો જે કાંઈ વિષય બને છે એ આ બેના ગુણ-પર્યાય જ બને છે. જે આ ગુણ-પર્યાયરૂપે પરિણમે છે એ મૂળભૂત દ્રવ્ય (જીવ-પુદ્ગલ) કેવું હશે? એની આપણને કોઈ કલ્પના જ આવી શકતી નથી. એટલે, આમ મૂળભૂત જીવ-પુદ્ગલ દ્રવ્ય આપણા જ્ઞાનનો-વ્યવહારનો વિષય ન હોવાથી ગ્રન્થકારે એનો ઉલ્લેખ કર્યો નથી. અથવા, આપેક્ષિકદ્રવ્યત્વ અંગે જ અન્યો સાથે મતભેદ હોવાથી એનો ઉલ્લેખ કરી સમાધાન કર્યું. મૂળભૂત જીવાદિ દ્રવ્યોના નિરપેક્ષદ્રવ્યત્વ અંગે કોઈ શંકા ન હોવાથી એનો ઉલ્લેખ કે સમાધાન કર્યા નથી, એમ પણ સમજી શકાય છે. જે સમવાધિકારણ હોય તે દ્રવ્ય” આવી વ્યાખ્યા ન આપતાં ગ્રન્થકારે ‘ગુણપર્યાયનું ભાન એ દ્રવ્ય આવી વ્યાખ્યા આપી છે એનું કારણ આવું વિચારી શકાય છે કે કારણતાનું પેટ બહુ મોટું હોવાથી ઘણું ગૌરવ થાય. જેમ તૈયાયિકે શબ્દસમવાયારત્વે નાશવં છોડીને શબ્દાશયત્વમાં રીત્વમ્ કહ્યું છે. તેમ -પર્યાયમવાયારત્વ દ્રવ્યત્વમ્ ના બદલે ગુખપર્યાયાશ્રયવં દ્રવ્યત્વમ્ કહેવામાં લાઘવ છે. આમ આવી વ્યાખ્યા કરવામાં તર્કસંગતિ તો છે જ, શાસ્ત્ર સંગતિ પણ છે એ દર્શાવવા માટે ગ્રન્થકારે તત્ત્વાર્થ સૂત્રોક્ત - TUપર્યાયવત્ દ્રવ્યમ્ સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. અહીં એ ધ્યાન રાખવું કે આ પણ દ્રવ્યનું સ્વરૂપકથન છે. બાકી લક્ષણ તરીકે તો ગુણવત્ દ્રવ્યમ્ કે પર્યાયવદ્ દ્રવ્યમ્ આટલું જ આવશ્યક છે, કારણ કે એમાં લાઘવ છે અને અતિવ્યાપ્તિ થતી નથી. અથવા, છેવટે ગુણો પણ પર્યાય જ છે. માટે પર્યાયવત્ દ્રવ્યમ્ આટલું જ લક્ષણ માનવામાં કોઈ દોષ નથી. દ્રવ્યનું આવું સ્વરૂપ દર્શાવનાર શ્રી જિનવાણીને રંગથી = વિશ્વાસથી મનમાં ધારો એવો ગ્રન્થકારનો આ ઢાળમાં ધ્રુવ ઉપદેશ છે. || ૧૦ || ગાથાર્થ દ્રવ્યમાં સહભાવી જે ધર્મ હોય તે “ગુણ' કહેવાય છે અને ક્રમભાવી જે ધર્મો હોય છે તે પર્યાય કહેવાય છે. આ ગુણ-પર્યાયો દ્રવ્યથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જગતમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ રહેલો તે તે કોઈપણ પદાર્થ આમ ત્રિવિધ છે અને ત્રિલક્ષણ છે એવું મેં શ્રી જૈનદર્શનમાં પામ્યું જાણ્યું છે. | ૨-૨ ॥ ઢાળ-૨ : ગાથા-૨ વિવેચન : પહેલી ગાથામાં દ્રવ્યનું લક્ષણ જણાવ્યું. હવે આ ગાથામાં પ્રથમપાદથી ગુણનું અને બીજા પાદથી પર્યાયનું લક્ષણ કહે છે. તથા ત્રીજા-ચોથા પાદમાં, દ્રવ્ય-ગુણ-પર્યાય અંગે જે જે દ્વારોથી વિચારણા કરવાની છે એનો ઉલ્લેખ કર્યો છે. સહભાવી કહતાં : જ્યારથી દ્રવ્ય હતું અને જ્યાં સુધી રહેશે ત્યારથી અને ત્યાં સુધી રહેનાર ધર્મ એ સહભાવી ધર્મ હોવાથી ‘ગુણ’ છે, જેમ કે જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહનાહેતુત્વ અને કાળનો વર્તનાહેતુત્વ. આમાં જીવનો ઉપયોગ ગુણ તો સ્પષ્ટ જ છે. પુદ્ગલનો ગ્રહણગુણ કહ્યો છે. આ ગ્રહણગુણ એટલે શું ? ૪૧ શંકા : આમાં પ્રશ્ન ક્યાં છે? જેનું પૂરણ-ગલન થાય તે ‘પુદ્ગલ’ આવી પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ છે. આમાં પૂરણ એટલે મૂળ સ્કંધ દ્વારા નવા પુદ્ગલોનું ગ્રહણ... અને ગલન એટલે સ્કંધોમાંથી પુદ્ગલોનું ગલી જવું-મોચન થવું... એટલે ગ્રહણ...મોચન (=પૂરણ-ગલન) એ પુદ્ગલનો ગુણ છે. એ સ્પષ્ટ છે. સમાધાન : જે સહભાવી ધર્મો હોય તે ‘ગુણ' કહેવાય છે. પૂરણ-ગલન કાંઈ સહભાવી=યાવદ્રવ્યભાવી નથી... ક્યારેક હોય, ક્યારેક ન હોય એવા છે. જેમ કે પરમાણુમાંથી ગલન નથી હોતું.... ઉત્કૃષ્ટ સ્કંધમાં પૂરણ નથી હોતું... વળી પરમાણુ કે સ્કંધોનો એની એ જ અવસ્થામાં ઉત્કૃષ્ટ અવસ્થાનકાળ અસંખ્યકાળ બતાવ્યો છે. એનો મતલબ આટલા કાળ સુધી એમાં પૂરણ-ગલન હોતું જ નથી... આમ પૂરણ-ગલન યાવદ્ દ્રવ્યભાવી ન હોવાથી એ ‘ગુણ' શી રીતે કહેવાય ? શંકા ઃ જો એ અવસ્થા દરમ્યાન પૂરણ-ગલન નથી, તો એ ‘પુદ્ગલ’ પણ શી રીતે કહેવાશે? કારણ કે જેનું પૂરણ-ગલન થાય એ ‘પુદ્ગલ’ આવી વ્યાખ્યા છે. સમાધાન : પૂરણ-ગલન એ પુદ્ગલનું પ્રવૃત્તિનિમિત્ત નથી, પણ વ્યુત્પત્તિનિમિત્ત છે. જેમ ગાયને જણાવનાર ગો શબ્દની વ્યુત્પત્તિ છે ‘ગચ્છતીતિ ગૌ:’ એટલે કે ‘ગમન’ એ વ્યુત્પત્તિનિમિત્ત છે. પણ એનો અર્થ એ નથી કે ગાય ગમન ન કરતી હોય, બેઠી હોય ત્યારે એ ‘ગાય’ ન કહેવાય. એમ, પૂરણ-ગલન તો ‘પુદ્ગલ’ શબ્દ કેવી રીતે બન્યો છે એને જણાવે છે....એટલે કે એ વ્યુત્પત્તિનિમિત્ત છે. તેથી એ ન હોય ત્યારે ‘પુદ્ગલ’ ન કહેવાય એવું નથી, કારણ કે એ વખતે પણ પ્રવૃત્તિનિમિત્ત તો હાજર છે જ. વળી, એક દશાણુક સ્કંધ છે, એમાંથી એક પરમાણુ છૂટો પડી ગયો-અર્થાત્ ગલન થયું ને એક નવાણુક સ્કંધ અને એક સ્વતંત્ર પરમાણુ એમ બે દ્રવ્ય બન્યા. હવે આ આ ‘ગલન’ને કોનો ગુણ કહેવો? Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઢાળ-૨ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા : કેમ ? જુના દશાણુક સ્કંધનો ગુણ કહેશું. સમાધાન : જ્યાં સુધી ગલન થયું નથી, ત્યાં સુધી તો એ “ગલન” એનો ગુણ કહી નહીં જ શકાય. ને જ્યારે ગલન થઈ ગયું ત્યારે તો પછી દશાણુક અંધ હાજર જ નથી. દ્રવ્ય જ નથી રહ્યું તો એનો ગુણ શી રીતે કહેવો? શંકા : તો પછી નવા બનતા નવાણુકર્કંધનો કે પરમાણુનો ગુણ કહેશું ? સમાધાન : એ પણ નહીં કહેવાય, કારણ કે એમાંથી તો કોઈ ગલન થયું જ નથી. આ જ રીતે એક નવાણુક સ્કંધ અને પરમાણુ જોડાઈને દશાણુક અંધ બને ત્યારે “પૂરણ” ને કોનો ગુણ કહેવો? કારણ કે પૂરણ થવા પર નવાણુક અંધ અને પરમાણુ તો નષ્ટ થઈ ગયા છે.. અને દશાણુકમાં તો કોઈ પૂરણ થયું નથી. વળી આ નિરૂપણ ટબામાં છે... પૂરણ-ગલન જ જો ગન્ધકારના મનમાં હોત તો તેઓશ્રીએ એ જ શબ્દો વાપર્યા હોત, કારણ કે એ શબ્દો ખૂબ પ્રચલિત છે. ને ટબામાં છે માટે છંદોભંગ વગેરેનો કોઈ પ્રશ્ન નહોતો. તથા, કદાચ “ગ્રહણ' શબ્દ પૂરણ માટે વાપર્યો તો “મોચન' શબ્દનો પણ ઉલ્લેખ તેઓશ્રી કરત જ. ગ્રહણ-મોચનને ગુણ તરીકે કહેવો હોય ને છતાં “મોચન' શબ્દનો ઉલ્લેખ જ ન કરે. એમ શી રીતે મનાય? શંકા : તો પછી તમે જ કહો કે “ગ્રહણ' એટલે કયો ગુણ? સમાધાનઃ વહિિિાતે તિ ગ્રહi... એમ કર્મ અર્થમાં અન પ્રત્યય લાગીને આ ગ્રહણ” શબ્દ બન્યો છે. અર્થાત્ બહિરિન્દ્રિય વડે જેનું ગ્રહણ =જ્ઞાન) થાય એવા ગુણ એ ગ્રહણગુણ વર્ણ-ગંધરસ અને સ્પર્શ આવા ગુણો છે. માટે આ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલગુણો છે એમ સમજવું. શંકા : ટબમાં આગળ ગ્રન્થકાર કહેવાના છે કે પુગલને રૂપરસાદિક પરાવૃત્તિ એ પર્યાય છે. એટલે પરાવર્તન પામીને કૃષ્ણ-નીલાદિ વર્ણો, મધુર-અલ્લાદિરસો જે ઉત્પન્ન થાય છે એ તો પર્યાયરૂપે કહેવા છે. વળી આ વાત બરાબર પણ છે જ. કારણ કે કૃષ્ણ-નીલાદિ કોઈપણ વર્ણ યુગલ માટે યાવહ્વવ્યભાવી હોતો નથી. બધા જ વર્ણ-રસાદિ કાળકાળે બદલાયા જ કરતાં હોય છે. માટે એ બધાને “ગુણ' તરીકે શી રીતે લઈ શકાય? સમાધાન : એમ વિચારશો તો મતિજ્ઞાન વગેરે પણ જીવના ગુણ નહીં કહી શકાય... કારણ કે ક્યારેક મતિજ્ઞાન હોય. ક્યારેક શ્રુતજ્ઞાન હોય.. ક્યારેક ચક્ષુદર્શન હોય. આમ પરિવર્તન થયા જ કરે છે. મતિજ્ઞાન વગેરેમાંનો તો કોઈપણ ઉપયોગ યાવદ્રવ્યભાવી હોતો નથી જ. શંકા : મતિજ્ઞાન વગેરે તો ઉપયોગના અવાંતરભેદો છે. એ અવાંતરભેદો ભલે બદલાયા કરે.. પણ એ બધા ઉપયોગત્વેન તો ઉપયોગરૂપ છે જ.. ને માટે ‘ગુણ'રૂપ પણ છે જ. એટલે જ ગ્રન્થકારે જીવગુણ તરીકે ઉપયોગનો જ ઉલ્લેખ કર્યો છે. મતિજ્ઞાનાદિનો નહીં. સમાધાન : ભલા આદમી! આ સમાધાન કૃષ્ણ-નીલાદિ વર્ણ માટે તમે કેમ નથી કરી લેતાં? Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૨ ૪૩. કૃષ્ણ-નીલ વગેરે વર્ણના અવાંતર ભેદો છે. એ અવાંતરભેદો ભલે બદલાયા કરે, પણ એ બધા વર્ણવેન વર્ણ” તરીકે તો યાવદ્રવ્યભાવી હોય જ. આવું જ મધુરરસ વગેરે બધા માટે જાણી લેવું. વિવક્ષિત કાલે મધુરાદિમાંનો ભલે ને કોઈ પણ રસ હોય. એ રસત્વેન રસ તો છે જ... ને માટે “ગુણ” રૂપ કેમ નહીં? જેમ જીવ-પુદ્ગલ વગેરે ઇતર અપ્રવેશી છે. અર્થાત્ કોઈપણ જીવ ક્યારેય પુદ્ગલરૂપ બની જતો નથી. એમ આ વર્ણ-રસ-ગંધ સ્પર્શ પણ ઇતર અપ્રવેશી છે. અર્થાત્ પુદ્ગલના વર્ણની ધારામાં કૃષ્ણ-નીલાદિ રૂપ ભલે આવ્યા કરે. પણ એ ધારામાં ક્યારેય, કૃષ્ણાદિ પાંચમાંનો કોઈ વર્ણ ન આવ્યો પણ મધુરાદિરસ આવી ગયો એવું બનતું નથી. એ જ રીતે રસધારામાં ક્યારેય વર્ણ-ગંધાદિ આવી શકતા નથી. નહીંતર તો ક્યારેક વર્ણ ધારામાં રસ આવ્યો, રસધારામાં પણ રસ આવ્યો, તો વર્ણશૂન્ય પુલ મળવાની આપત્તિ આવે. એટલે માનવું જ પડે કે દરેક પુદ્ગલમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચાર ધારાઓ ચાલે છે... અને એ ચારે યાવદ્ દ્રવ્યભાવી છે... માટે “ગુણરૂપ છે. શંકાઃ જો વર્ણાદિ ચાર “ગુણ” તરીકે અભિપ્રેત હતા. તો એનો જ ગ્રન્થકારે કેમ ઉલ્લેખ ન કર્યો? સમાધાન : એક જ શબ્દથી ચારેનો ઉલ્લેખ થઈ જાય એવી ગણતરીથી એ ચારનો અલગઅલગ ઉલ્લેખ ન કરતાં માત્ર “ગ્રહણ” શબ્દનો ઉલ્લેખ કર્યો હોય એવી આપણે કલ્પના કરી શકીએ. શંકા : હજુ એક શંકા રહી જાય છે. ક્રમભાવી પર્યાયોનું ઉદાહરણ આપતાં ગ્રન્થકારે પુદગલનઈ) રૂપરસાદિકપરાવૃત્તિ એમ કહ્યું છે. આનો અર્થ તો એવો જ સમજાય છે કે રૂપરસાદિ પરાવૃત્તિ પામીને નવા કૃષ્ણાદિરૂપ જે ઊભા થાય એ ક્રમભાવી હોવાથી પર્યાયરૂપ છે. આમ કૃષ્ણાદિ વર્ણોને પર્યાયરૂપે કહ્યા છે... તો એને જ ગુણરૂપે શી રીતે કહેવાય ? સમાધાન : ટબામાં પરાવૃત્તિ' એમ ત્તિ પર માથે અનુસ્વાર છે. આવા અનુસ્વારનો અર્થ જુની ગુજરાતીમાં તૃતીયા વિભક્તિ થતો હતો. જેમ કે પહેલી ઢાળની આઠમી ગાથાના ટબામાં આવી પંક્તિ છે - એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિ પોતાના આત્માનો કૃતકૃત્યતા કહઈ છો... આમાં પ્રાપ્તિ આવો અનુસ્વારવાળો જે શબ્દ છે એ તૃતીયાન્ત હોવો સ્પષ્ટ છે. ને તેથી ત્યાં, “એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિથી પોતાના આત્માને કૃતકૃત્યતા કહે છે...' વગેરે અર્થ સમજાય છે. એટલે પ્રસ્તુતમાં અર્થ આવો મળે છે કે રૂપરસાદિની પરાવૃત્તિથી જે નવી નવી અવસ્થાઓ ઊભી થાય એ પર્યાય છે. શંકા : આવો અર્થ કરવામાં તો “જે નવી નવી અવસ્થાઓ...' વગેરે કેટલો બધો અધ્યાહાર કરવો પડે છે. સમાધાન : અધ્યાહાર વિના તો તમારે પણ ક્યાં છૂટકો છે? તમે અનુસ્વાર વિનાનો પરાવૃત્તિ' શબ્દ લો છો. જેનો સીધો અર્થ થાય છે કે રૂપ રસાદિકનું પરાવર્તન. આ પરાવર્તન પોતે તો પર્યાય નથી. માટે તમારે પણ અર્થ કરવો પડશે કે રૂપ-રસાદિકના પરાવર્તનથી પેદા થતા કૃષ્ણાદિવર્ણો.. તો “આથી પેદા થતા કૃષ્ણાદિવર્ણો...' આ બધો તમારે પણ અધ્યાહાર કરવો પડ્યો ને! બાકી સૌથી મહત્ત્વની વાત એ છે કે આગળ ઉપર ગ્રન્થમાં પુદ્ગલના ગુણ તરીકે ક્યાંય પૂરણ-ગલનનો ઉલ્લેખ નથી. પણ કૃષ્ણ-ગૌર વગેરે વર્ણાદિનો જ છે.. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઢાળ-૨ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જિમ-જીવન નર-નાર કાદિક, પુદ્ગલનઈ રૂપરસાદિક પરાવૃત્તિ. ઇમ દ્રવ્યાદિક ૩ ભિન્ન છઈલક્ષણથી, અભિન્ન છો-પ્રદેશના અવિભાગથી, ત્રિવિધ છd, નવવિધ ઉપચારઈ, એક એકમાં ૩ ભેદ આવઈ તેહથી. તથા ત્રિલક્ષણ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છઇ. એહવો એક પદાર્થ જૈન પ્રમાણઈ પામ્યો. એ દ્વારરૂપ પદ જાણવાં. || ૨-૨ || અરે! આ જ ઢાળની પ્રથમ ગાથાના ટબામાં “રક્તત્વાદિ-ઘટાદિ ગુણ-પર્યાયનું ભાજન મૃદ્ધવ્ય' આવી પંક્તિ દ્વારા રક્ત વર્ણને ગુણરૂપે કહ્યો જ છે ને! આ બાબત પણ નિશ્ચિત કરે છે કે કૃષ્ણાદિવર્ણો જ ગુણરૂપે અભિપ્રેત છે. ને વર્ણાદિમાં ફેરફાર થવાથી પુગલની જે જુદી જુદી અવસ્થાઓ થાય છે એ પર્યાય છે. ધર્માસ્તિકાય વગેરેના ગતિ હેતુત્વ વગેરે ગુણો તો સ્પષ્ટ છે જ. માવી હતાં : જે ક્રમભાવી છે. અર્થાત્ કાળક્રમે બદલાયા કરે છે પણ યાવદ્રવ્યભાવી નથી... અયાવદ્રવ્યભાવી છે... તે પર્યાયો છે. જેમ કે મનુષ્ય-નરક વગેરે જીવના પર્યાયો છે. રૂપરસાદિકની પરાવૃત્તિ થવાથી થતી જુદી જુદી અવસ્થાઓ એ પુદ્ગલના પર્યાયો છે. આ જ રીતે ધર્માસ્તિકાય વગેરેમાં આ રીતે વિચારી શકાય... ધારો કે વિવક્ષિત સમયે ૧૦૦૦ પુદ્ગલોને એ ગતિસહાયક બની રહ્યો છે. પછીના સમયે ૧૧૦૦ પગલો ગતિશીલ બનવાથી એ ૧૧૦૦ પુદ્ગલોને ગતિસહાયક બની રહ્યો છે. આના કારણે એની અવસ્થામાં જે કાંઈ ફેરફાર થાય ને નવી અવસ્થા બને તે પર્યાય છે. આમાં ખ્યાલ રાખવો કે ૧OOO પુદ્ગલ ગતિસહાયકત્વ.. ૧૧૦૦ પુદ્ગલગતિસહાયકત્વ... આ તો એક ગુણ કૃષ્ણ... બે ગુણ કૃષ્ણ. વગેરેની જેમ “ગુણ' જ છે. પણ એક ગુણ કૃષ્ણ વગેરે થવાથી થયેલી પુદ્ગલની અવસ્થા જેમ એનો પર્યાય છે. એમ ૧OOO પુદ્ગલગતિસહાયકત્વ વગેરે થવાથી ધર્માસ્તિકાયની જે અવસ્થાવિશેષ થાય એ એનો પર્યાય છે. આ જ રીતે અધર્માસ્તિકાય વગેરે અંગે પણ જાણવું. ઈમ દ્રવ્યાદિક ૩ ભિન. આમ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ અંશમય બન્યો. આ ત્રણે અંશો પરસ્પર ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ત્રણેના લક્ષણ ભિન્ન છે માટે ત્રણે પરસ્પર ભિન્ન છે. જેમ કે ગુણ પર્યાયનું ભાજન એ દ્રવ્ય સહભાવી ધર્મ એ ગુણ.... ક્રમભાવી ધર્મ એ પર્યાય.. આમ ત્રણેનો લક્ષણભેદે ભેદ છે. વળી પ્રદેશનો અવિભાગ છે. માટે ત્રણે વચ્ચે અભેદ પણ છે. અર્થાત્ દ્રવ્યથી ગુણને કે પર્યાયને ક્યારેય અલગ કરી શકાતા નથી. જે પ્રદેશમાં દ્રવ્ય રહ્યું હોય છે એ જ પ્રદેશમાં એના ગુણ-પર્યાય રહ્યા હોય છે, વિભક્ત (ઋભિન્ન) પ્રદેશોમાં નહીં... પ્રશ્ન : અહીં પ્રદેશ એટલે કોના પ્રદેશ? ઉત્તર : દ્રવ્યના પોતાના પ્રદેશ અને આકાશના પ્રદેશ એમ બંને લઈ શકાય છે. ધારો કે દશાણુક સ્કંધ છે.. તો એનું દ્રવ્ય જે દશ પરમાણુપ્રદેશમાં રહ્યું છે એમાં જ એના ગુણ-પર્યાય પણ રહ્યા છે. અલગ પરમાણપ્રદેશોમાં નહીં. એમ જે આકાશપ્રદેશોને અવગાહીને આ સ્કંધનું દ્રવ્ય રહ્યું છે એ જ આકાશપ્રદેશોમાં એના ગુણ-પર્યાય પણ રહ્યા છે. અલગ આકાશપ્રદેશોમાં નહીં.. સ્કંધ Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૩ જિમ મોતી ઉજ્વલતાદિકથી, મોતીમાલા અલગી રે । ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્યશક્તિ તિમ વલગી રે || જિન૰ ॥ ૨-૩ | ટબો-તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ પર્યાયનો ભેદ યુક્તિ દેખાડઇ છઇ. જિમમોતીની માલા, મોતી-થકી તથા મોતીના ઉજ્જલતાદિક ધર્મથી અળગી છઇ, તિમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યક્તિથી અળગી છઇ. તથા એક પ્રદેશ સંબંધઇ વલગી છઇ, ઇમ જાણો. મોતી સમભૂતલાગત આકાશપ્રદેશોમાં રહ્યો છે અને એના ગુણ પર્યાય એની નીચેની પ્રતરમાં રહેલા છે આવું ક્યારેય બની શકતું નથી. ત્રિવિધ છઇ : આમ દરેક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ત્રિવિધ છે. દ્રવ્ય રહિતના ગુણપર્યાય ક્યારેક સ્વતંત્ર મળે કે ગુણ-પર્યાય શૂન્ય એકલું દ્રવ્ય ક્યાંક ક્યારેક મળે... એ ત્રણે કાળમાં ક્યારેય પણ ક્યાંય પણ સંભવિત નથી. માત્ર કલ્પનાનો વિષય બનનાર એવું દ્રવ્ય કે એવા ગુણ-પર્યાય શશશૃંગની જેમ અવસ્તુ છે. જો ઉપચાર કરવામાં આવે તો તે તે પદાર્થ નવવિધ છે... અર્થાત્ દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ઉપચાર, ગુણનો ઉપચાર અને પર્યાયનો ઉપચાર એમ ગુણમાં દ્રવ્યનો, અન્ય ગુણનો, પર્યાયનો, ઉપચાર... એમ પર્યાયમાં દ્રવ્યનો-ગુણનો અને અન્ય પર્યાયનો ઉપચાર... આના ઉદાહરણો ૭મી ઢાળની ૬થી૧૧ મી ગાથામાં આવશે. એટલે આ રીતે ઉપચારથી વિચારીએ તો, વિવક્ષિત તે પદાર્થનું દ્રવ્ય દ્રવ્ય-ગુણ-પર્યાયમય બન્યું. તે પદાર્થનો ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાયમય બન્યો. તે પદાર્થનો પર્યાય દ્રવ્યગુણ-પર્યાયમય બન્યો. આમ એ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક હોવાથી ઉપચારથી આ રીતે નવવિવધ બને છે. ૪૫ તથા દરેક પદાર્થ ઉત્પાદ (= ઉત્પત્તિ), વ્યય (= નાશ), ધ્રૌવ્ય (= સ્થિરતા = ન નાશ, ન ઉત્પત્તિ) આમ ત્રણ લક્ષણવાળો છે. અર્થાત્ દીવાથી લઈને આકાશ સુધીના બધા પદાર્થો પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને જેવા છે એવા રહે છે (નથી નાશ પામતા નથી ઉત્પન્ન થતા).. આમ શ્રી જૈનદર્શનમાં દરેક પદાર્થ પરસ્પર ભિન્નાભિન્ન એવા દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ત્રિવિધ છે, ઉપચારથી નવવિવધ છે અને ઉત્પાદાદિ ત્રિલક્ષણ છે. આ ગાથાનાં આ સર્વપદો દ્વારરૂપ સમજવાના છે. એટલે કે હવે પછી આ દ્વારોથી વિચારણા કરવામાં આવશે. ।। ૧૧ ।। = ગાથાર્થ : જેમ મોતીની માળા મોતીથી અને મોતીના ઉજ્જલતા વગેરે ધર્મોથી અળગી છે તેમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાય વ્યક્તિથી અલગી ભિન્ન છે. તથા, પ્રદેશના અવિભાગથી વળગી પણ છે અભિન્ન પણ છે. | ૨-૩ || - વિવેચન : તિહાં પ્રથમ એ.... પૂર્વની ગાથામાં જે જુદા જુદા દ્વારનો ઉલ્લેખ કર્યો હતો તેમાંથી પ્રથમ ભેદદ્વારને સમજાવે છે. એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ યુક્તિથી સમજાવે છે. (પૂર્વ સંસ્કરણોમાં યુક્તિ એવો અનુસ્વાર શૂન્ય શબ્દ છપાયો છે. પણ તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઢાળ-૨ : ગાથા-૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પર્યાયનઈ કામિં, ઉજ્વલતાદિક ગુણનઈ હામિ, માલા દ્રવ્યનઈ કામિ, ઈમ દૃષ્ટાન્ત જોડવો. ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણઈ સામાન્યવિશેષરૂપ અનુભવિઈ છઈ. તે સામાન્ય ઉપયોગઈ મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઈ છ0. વિશેષ ઉપયોગઇ ઘટાદિ વિશેષ જ ભાસઈ છ6. તિહાં સામાન્ય તે દ્રવ્યરૂપ જાણવું. વિશેષ, તે ગુણ-પર્યાય રૂ૫ જાણવાં. ર-૩ll ભેદ યુકિત દેખાડઈ છઈ આવો વાક્યપ્રયોગ અસંગત થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ. એમ અન્વય કર્યા પછી એ ભેદ શબ્દનો યુક્તિ શબ્દ સાથે ષષ્ઠી તપુરુષ સમાસ કરવો ઉચિત નથી અને “દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદની યુક્તિ....' આવું જે ફલિત થાય છે એ પણ અસંગત છે. દ્રવ્યગુણ-પર્યાયના ભેદની યુક્તિ. આવું સંગત ઠરે.. આવી અસંગતિઓ ટાળવા મેં યુક્તિ'ના સ્થાને અનુસ્વારવાળો “યુક્તિ' શબ્દ લીધો છે. જે તૃતીયાત્ત હોવાથી દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ યુક્તિથી દેખાડે છે. આવો અર્થ મળે છે.) (છેલ્લા પૂર સંશોધન દરમ્યાન “યુક્તિ” આવો સાનુસ્વાર પાઠ પણ મળ્યો છે). માળા અને મણકા.... આ બન્ને અલગ છે જ. નહીંતર તો છૂટાછવાયા મણકાને પણ માળા કહેવી પડે. ને મણકો એ જો માળા જ હોય તો મણકા ૧૦૮ હોવાથી માળા પણ ૧૦૮ કહેવી પડે. પણ માળા તો એક જ કહેવાય છે. માટે મણકો કરતાં માળા જુદી છે એમ ઉજ્જવલતા, સુંવાળો સ્પર્શ, ચમક, વગેરે ગુણો ઘણા છે. જ્યારે માળા તો એક જ છે. માટે ઉજ્જવલતા વગેરે ગુણો કરતાં પણ માળા અલગ છે. તેમ છતાં, માળા જમણા હાથમાં હોય ત્યારે મણકા – ઉત્તલતા વગેરે ડાબા હાથમાં હોય એવું સંભવતું નથી. અર્થાત્ જ્યાં માળા છે ત્યાં જ મણકા - ઉજ્વલતા વગેરે છે. માટે એ ત્રણ વળગેલા છે = કથંચિત્ અભિન્ન છે. આવું જ દ્રવ્ય-ગુણ-પર્યાય માટે છે. માટી એ દ્રવ્ય છે. શ્યામવર્ણ એ ગુણ છે. સ્વાસકોશ.... વગેરે અવસ્થા એ પર્યાય છે. આમાં શ્યામવર્ણ વગેરે ગુણ આધેય છે. માટી આધાર છે. માટે બંને ભિન્ન છે. સ્વાસ-કોશ વગેરે પર્યાયો નાશ પામે છે. માટી નાશ પામતી નથી. માટે ભિન્ન છે. આ રીતે બધા જ પદાર્થોની દ્રવ્યશક્તિ તેના ગુણ-પર્યાય વ્યક્તિથી ભિન્ન હોય છે. વળી તેમ છતાં માટી અને શ્યામાદિ વર્ણ કે સ્થાસાદિ પર્યાય એ અલગ-અલગ ભાસતા નથી... એક જ આકાશપ્રદેશોમાં રહેલા ભાસે છે. માટે દ્રવ્યશક્તિ ગુણ-પર્યાય વ્યક્તિને વળગેલી પણ છે જ (અભિન્ન પણ છે જ). ઉપરના ઉદાહરણમાં મોતી=પર્યાય... ઉજ્વલતાદિ = ગુણ અને માળા = દ્રવ્ય આમ ઘટના કરવી. માળા ફેરવતી વખતે મણકા ક્રમશઃ બદલાતા જાય છે. પણ માળા બદલાતી નથી. એમ પર્યાયો ફરતા રહે છે. દ્રવ્ય ફરતું નથી. ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ ઃ ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી સામાન્ય-વિશેષ ઉભય રૂપે જણાય છે - અનુભવાય છે. એક સામાન્ય ઉપયોગથી જ જોઈએ તો માટી વગેરે સામાન્ય જ ભાસે છે. ને એના આકારાદિ તરફ ધ્યાન નાખવા રૂપ વિશેષ ઉપયોગથી જોવામાં આવે તો ઘટાદિ વિશેષ જ ભાસે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ : ગાથા-૪ ૪૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઉરધતા સામાન્ય શક્તિ તે, પૂરવ અપર ગુણ કરતી રે ! પિંડ કુશલાદિક આકારિ, જિમ માટી અણફિરતી રે | જિન / ર-૪ | ટબો - સામાન્ય તે દ્રવ્ય કહિઉં. તે સામાન્ય ર પ્રકારઈ છઈ, તે દેખાડઈ છઈ ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યશક્તિ તે કહીઈ, જે પૂર્વ કહિછે - પહિલા, અપર ક. - (કહેતા) આગિલાં, ગુણ ક. વિશેષ, તેહનઈ કરતી, તે સર્વમાંહિ એકરૂપ રહો. જિમ-પિંડ-ક. માટીનો પિંડ, આમાં સામાન્ય ઉપયોગથી ભાસતું સામાન્ય એ દ્રવ્ય છે અને વિશેષ ઉપયોગથી ભાસતો વિશેષ એ ગુણ-પર્યાય છે. એક સામાન્ય દૃષ્ટિ નાખીએ તો માત્ર “માળા' જણાય છે. ને સૂક્ષ્મતાથી જોઈએ તો કોઈ નાનો મણકો.. કોઈ મોટો મણકો... કોઈ વધારે પાણીદાર મોતી... કોઈ ઓછું પાણીદાર મોતી... આવી બધી ઘણી વિશેષતાઓ જોવા મળે છે. માટે માળા એ સામાન્ય છે. એ દ્રવ્ય છે. મોતી-મણકા તથા ઉજ્વલતા વગેરે વિશેષ છે... ગુણ-પર્યાય છે. | ૧૨ || ગાથાર્થ : પિંડ વગેરે પૂર્વ અને સ્વાસ વગેરે અપર પર્યાયોને કરતી જે સામાન્ય શક્તિ છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. જેમ કે પિંડ-કુશૂલ વગેરે આકારોને કરતી.. ને છતાં એ આકારોમાં માટી અણફિરતી = નહીં બદલાતી છે. તે ઊર્ધ્વતા સામાન્ય છે. (૨.૪) વિવેચન : આગળની ગાથામાં જે સામાન્ય તે દ્રવ્ય એમ કહેલું હતું. આ સામાન્ય ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્ય એમ બે પ્રકારે છે. એક સરખી બુદ્ધિ કરાવવાની શક્તિ એ સામાન્ય છે. એ બે રીતે સમાનબુદ્ધિ કરાવે છે. માટે શક્તિ બે પ્રકારની છે. એટલે કે દ્રવ્યશક્તિ ઊર્ધ્વતા સામાન્ય શક્તિ અને તિર્યસામાન્યશક્તિ એમ બે પ્રકારે છે. આમાંથી ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યશક્તિ તે છે કે પૂર્વાપર ગુણ = વિશેષોને કરે છે અને છતાં એ સર્વવિશેષોમાં એકરૂપ રહે છે. જેમ કે માટીમાંથી ઘડો બનાવતી વખતે મૃત્યિંડ-સ્થાસ-કોશ-કુશૂલઘટ... આવી વિશેષ અવસ્થાઓ થાય છે. (માટીને પાણી નાખી મસળીને પિંડો બનાવી ચાકડા પર મૂકવામાં આવે. દંડ દ્વારા ચાકડો ઘુમાવવામાં આવે. કુંભાર પિંડાને ટીપીને પહેલાં રકાબી જેવો આકાર આપે. એ સ્થાસ કહેવાય છે. પછી બોર્ડર પરથી દિવાલ ઊભી કરતો જાય છે તે કોશ, પછી વધારે ઊંચી દિવાલો બનીને કોઠી જેવું થાય એ કુશૂલ.. અને છેવટે નીચે બેઠક. પહોળું પેટ.... ઉપર કાંઠો-મુખ. આવો આકાર સંપન્ન થાય એટલે ઘડો બન્યો કહેવાય.) આમ આ પિંડ-સ્થાઓ વગેરે વિશેષો પૂર્વોત્તરકાળમાં બને છે. પણ આ બધા જ આકાર દરમ્યાન “માટી'ની બુદ્ધિ તો થાય જ છે. એ પ્રામાણિક બુદ્ધિ ક્યારેય અશક્ય બનતી નથી. માટે જણાય છે કે માટી તો દરેકમાં પૂર્વવત્ એકરૂપે જ રહે છે... અવિચલિત રહે છે. આમાં ખાલી આકાર જ બદલાય છે. એવું નથી. કાર્યભેદ વગેરે પણ થાય છે. જેમ કે Page #67 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ : ગાથા-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કુશૂલ-ક. કોઠી, તે પ્રમુખ અનેક મૃત્તિકાના આકાર ફિરઈ છઇ, પણિ તેહમાંહિં માટી ફિરતી નથી. તે પિંડ કુશૂલાદિક આકારનું ઊર્ધ્વતાસામાન્ય કહિઇ. “જો પિંડ-કુશૂલાદિક પર્યાયમાંહિ અનુગત એક ૪૮ સોનાની વીંટી હતી ત્યારે આંગળીને શોભાવવાનું કામ કરતી હતી.. પણ બંગડી બનાવી તો હાથને શોભાવશે...... વળી હાર બનાવ્યો.. તો ગળું શોભાવશે... તેથી વીંટી-બંગડી વગેરે અલગ-અલગ જ છે. પણ સોનું બધામાં સોનારૂપે એકસ્વરૂપ છે... સાપ જ્યારે ફણા ફેલાવીને બેઠો હોય ત્યારે એની પાસેથી જતાં ડર લાગે. પણ ગોળ કુંડાળું વાળીને માથુ નીચે રાખીને પડ્યો હોય ત્યારે સૂતો હશે એવી કલ્પના આવવાથી ડર ઓછો લાગે.. આમ આકારભેદ સાથે ક્યાંક કાર્યભેદ... ક્યાંક લક્ષણભેદ વગેરે અનેક પ્રકારે ભેદ પડે છે. પણ માટી, સોનું કે સર્પ વગેરે પોતાના સ્વરૂપને બદલતા નથી. આ જ ઊર્ધ્વતાસામાન્યશક્તિ છે. પ્રશ્ન : દ્રવ્યમાં રહેલી ઊર્ધ્વતાસામાન્ય નામની આ શક્તિ દ્રવ્યથી ભિન્ન છે કે અભિન્ન? ઉત્તર : કથંચિત્ અભિન્ન છે. વસ્તુતઃ ઊંડાણથી વિચારતાં એવું લાગે છે કે જુદા જુદા આકારો-અવસ્થાઓ ધારવા.. અને છતાં પોતાનું અમુક સ્વરૂપ અક્ષતપણે જાળવી રાખવું આવી પદાર્થમાં જે શક્તિ છે એ જ ઊર્ધ્વતાસામાન્યશક્તિ છે, એ જ ‘દ્રવ્ય’ છે. આનાં સૂચક ઉલ્લેખ ગ્રન્થકારે પણ અનેકશઃ કર્યા છે. એમ પાંચમી ગાથાના ટબામાં ‘દ્રવ્યની શક્તિ' આવો જે ઉલ્લેખ છે તે તથા, દ્રવ્ય એક છે-શક્તિ બે પ્રકારની છે- આ વાસ્તવિકતા... આ બન્ને દ્રવ્ય અને શક્તિના કથંચિદ્ ભેદને પણ જણાવે છે. પ્રશ્ન : જ્યારે પિંડ સ્થાસ વગેરેનો આકાર સ્પષ્ટરૂપે અલગ ભાસે છે.. કાર્ય પણ અલગઅલગ છે... તો એ બધામાં અનુગત એવું ઊર્ધ્વતાસામાન્ય માનવાની જરૂર શી છે? જેમ ઘટ-પટના આકારભેદ-કાર્યભેદ વગેરે છે તો એમાં ઊર્ધ્વતાસામાન્ય ક્યાં માનો છો? એમ આમાં પણ માનવાની શી જરૂર છે? ઉત્તર ઃ ઘટ-પટમાં કાંઈ ‘આ એ જ માટી' ‘આ એ જ દ્રવ્ય’ આવી બુદ્ધિ થતી નથી. પિંડ વગેરેમાં એ થાય છે.. માટે પિંડ વગેરેમાં કંઈક અનુગત વસ્તુ માનવી પડે છે, જે ઊર્ધ્વતાસામાન્ય શક્તિ છે. નહીંતર તો એક ઘડાની પણ ભિન્ન ભિન્ન (કાચો ઘડો, પાકો ઘડો.... કાળો ઘડો, લાલ ઘડો.. નવો ઘડો, જુનો ઘડો..) અવસ્થાઓ ભાસે છે એ દરેકને સર્વથા સ્વતંત્ર માનવી પડશે.. એક જ ઘડાની જુદી જુદી અવસ્થાઓ છે એવું માની નહીં શકાય... પણ, ‘આ એ જ ઘડો છે' આવી પ્રત્યભિજ્ઞા એ દરેક અવસ્થામાં થતી હોવાથી ત્યાં જેમ એક ઘડો અનુગત મનાય છે તેમ પ્રસ્તુતમાં પણ એક જ માટી દ્રવ્યની આ પિંડ વગેરે જુદી જુદી અવસ્થાઓ છે, એમ માનવું જ જોઈએ, કારણ કે ‘આ એ જ માટી છે' એવી પ્રત્યભિજ્ઞા એ દરેક અવસ્થામાં થાય જ છે. પ્રશ્ન : જેમ નદીમાં પ્રતિક્ષણ પ્રવાહ બદલાય છે. ક્ષણ પૂર્વેના પાણીમાં, વર્તમાન પાણીમાં અને ક્ષણ પછીના પાણીમાં વચ્ચે અનુસ્યુત એક દ્રવ્ય કોઈ જ હોવા ન છતાં ‘આ એ જ પ્રવાહ છે’ Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૪ ૪૯ મૃદ્રવ્ય ન કહિઇ, તો ઘટાદિ પર્યાયમાંહિ અનુગત ઘટાદિ દ્રવ્ય પણિ ન કહવાઇ.” તિ વારઇ- સર્વ વિશેષ રૂપ થાતાં ક્ષણિકવાદી બૌદ્ધનું મત આવઇ. અથવા સર્વ દ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઇ. એમ બુદ્ધિ થાય છે, એમ પ્રસ્તુતમાં જાણવું જોઈએ. ઉત્તર : જો આમ કહેશો તો ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં તમારે બેસી જવું પડશે. કારણ કે... એ જ પ્રતિક્ષણ જુદા જુદા વિશેષને સર્વથા સ્વતંત્ર માને છે, એમાં અનુસ્યૂત કશું માનતો નથી. પણ એ ક્ષણિકવાદી મત પણ કાંઈ નિર્દોષ તો નથી જ. કારણ કે પ્રત્યભિજ્ઞા જ સર્વથા ક્ષણિકવાદનો વિરોધ કરે છે.. ‘આ એ જ જળપ્રવાહ છે' આમાં વસ્તુ એક નથી. એ બરાબર.. પણ સદેશ તો છે જ. અર્થાત્ સાદૃશ્ય દેખીને સાદૃશ્ય વિષયક પ્રત્યભિજ્ઞા થાય છે. પ્રસ્તુતમાં પિંડ-સ્થાસ.. વગેરે કે શ્યામઘટ-રક્તઘટ વગેરેમાં સાદૃશ્ય તો છે નહીં.. ને છતાં ‘આ એ જ' આવી બુદ્ધિ તો થાય જ છે. માટે એને એકત્વવિષયક જ માનવાની હોવાથી ત્યાં કશુંક અનુસ્મૃત માનવું જ પડે જે ઊર્ધ્વતાસામાન્ય શક્તિ છે. અથવા સર્વદ્રવ્યમાહિં. પિંડ-સ્થાસ વગેરે ભિન્ન આકારવાળી વસ્તુઓમાં કોઈ જ ઊર્ધ્વતા સામાન્ય માનીએ નહીં, અને છતાં બૌદ્ધમત ન આવી જાય એ માટે એ બધામાં એકત્વ માની લઈએ તો શું વાંધો છે? આવી શંકા નિવારવા ગ્રન્થકારે અથવા સર્વ... આ પંક્તિ કહી છે. કશા જ અનુસ્મૃત પદાર્થ વિના પણ જો ભિન્નાકાર વસ્તુઓ એક માની શકાતી હોય તો તો ઘટ-પટ-મઠ વગેરે બધાં દ્રવ્યો એક માની શકાતા હોવાથી બધાં દ્રવ્યો એક જ દ્રવ્ય બની જવાની આપત્તિ આવે. અથવા આ જ પંક્તિને સ્પષ્ટ કરવા બીજી રીતે વિચારીએ.... અથવા સર્વદ્રવ્યમાંહિ અથવા બધું દ્રવ્ય એકદ્રવ્ય રૂપ જ બની જવાની આપત્તિ આવે. આશય એ છે કે દરેક પદાર્થ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે. ‘આ ઘડો....’ ‘આ ઘડો...’ આવા સમાન આકારવાળી અનુગતાકાર બુદ્ધિ આમાંથી સામાન્યને વિષય બનાવે છે અને ‘આ ઘટ’, ‘આ પટ’, આવા અસમાન આકારવાળી વ્યાવૃત્તાકાર બુદ્ધિ વિશેષને વિષય બનાવે છે. આ બંને પ્રકારની બુદ્ધિઓ પ્રામાણિક છે અને સર્વજન અનુભવસિદ્ધ છે. આ બંનેને અનુસરીને જ પદાર્થને સામાન્યવિશેષોભયાત્મક માનવામાં આવે છે. = - પિંડ-સ્થાસ-કોશ-કુફૂલ-ઘટ-કપાલ.... આ હારમાળાના પૂર્વોત્તરકાલીન પદાર્થોમાં અયં પિંડ:, અયં સ્થાસ:... આવી બધી વ્યાવૃત્તાકાર બુદ્ધિને બૌદ્ધ સ્વીકારે છે ને તદનુસાર વિશેષને સ્વીકારે છે.. ને તેથી પ્રતિક્ષણ પદાર્થોમાં વિશેષ ભેદ માને છે.. ને તેથી ક્ષણિકતા માને છે. પણ આ જ હારમાળામાં પિંડ વગેરે અંગે વં મૃત્તિા... યં મૃત્તિા.. યં મૃત્તિા.. આવી અનુગતાકાર વાળી જે બુદ્ધિ થાય છે એ માનવા એ તૈયાર નથી.. અને તેથી સામાન્યને નકારે છે. તેથી દરેક પદાર્થોમાં માત્ર વિશેષરૂપતાને (પરસ્પર સર્વથા ભિન્નપણાને) એ માને છે. અર્થાત્ માત્ર ક્ષણિક પર્યાયોને સ્વીકારે છે. તો આની સામે બીજો નિત્યવાદી-સામાન્યવાદી (અદ્વૈતવાદી) એમ કહે છે કે તમે અનુગતાકારબુદ્ધિને નકારો છો તો અમે વ્યાવૃત્તાકારબુદ્ધિને નકારીએ છીએ. આશય એ છે કે ‘વયં = Page #69 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ : ગાથા-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે મા િઘટાદિદ્રવ્ય, અનઇ-તેહનાં સામાન્ય મૃદાદિ દ્રવ્ય, અનુભવનઇ અનુસારઇ પરાપર ઊર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવા, ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયનઇ વ્યાપઇ છઇ, અનઇ ૫૦ ‘સરસ્તેયં’ આવી ભિન્ન ભિન્ન આકારવાળી બુદ્ધિ એની એ જ આંગળી અંગે વક્રતા અને સરળતાની અવસ્થામાં થાય છે.. આ બે અવસ્થામાં આંગળી કાંઈ બદલાઈ જતી નથી એ સર્વાનુભવસિદ્ધ છે. એટલે આવી વ્યાવૃત્તાકાર બુદ્ધિ કે જે પદાર્થનો ભેદ સૂચવતી હોય છે તે પ્રમાણભૂત હોતી નથી. ‘અર્જુઝિરિયમ્...' ‘ઞ નિરિયમ્...’ એવી અનુગતાકારવાળી બુદ્ધિ જ પ્રમાણભૂત હોય છે. માટે અમે તો માત્ર એને જ સ્વીકારીએ છીએ અને એનો વિષય તો સામાન્ય (= દ્રવ્ય) જ છે જે વૈકાલિક છે. પિંડ-સ્થાસ વગેરે અંગે પણ અમે વં મૃત્તિા... યં મૃત્તિા.. એવી અનુગતાકાર બુદ્ધિને જ માનીએ છીએ, અયં પિણ્ડ:... યં સ્થાસ... વગેરે વ્યાવૃત્તાકાર બુદ્ધિને નહીં.. ગ્રન્થકાર આવા માત્ર અનુગતાકારબુદ્ધિને જ સ્વીકારનારા વાદીને નજરમાં રાખીને કહે છે અથવા સર્વદ્રવ્યમાં એક જ દ્રવ્ય માનવાનું રહેશે.. આશય એ છે કે વ્યાવૃત્તાકાર બુદ્ધિ માનવાની નથી ને માત્ર અનુગતાકાર બુદ્ધિ જ માનવાની છે તો રૂવું પુત્ત્ત.... મયં નીવ: આવી પણ બુદ્ધિ માનવાની જ નથી.. ને તેને અનુસરીને જીવ-પુદ્ગલ ભિન્ન ભિન્ન પણ માનવાના જ નથી.. માત્ર વ્યં... તૂં વ્યં.... એમ અનુગતાકાર બુદ્ધિને જ માનીને બધાને દ્રવ્યત્યેન એક દ્રવ્યરૂપે જ માનવાના રહેશે. એટલે કે આખા વિશ્વમાં એક જ દ્રવ્ય માનવાનું રહ્યું. તે માર્ટિ... આમ સર્વથા દ્વૈતવાદ કે સર્વથા અદ્વૈતવાદ ન આવી પડે એ માટે પદાર્થનો નિર્ણય અનુભવના આધારે જ કરવો જોઈએ. અને અનુભવ તો પિંડ-સ્થાસ-વગેરે પૂર્વાપરભાવી અવસ્થાઓમાં પણ વં મૃત્તિા... એવી અનુગતાકાર બુદ્ધિ રૂપ પણ છે જ, માટે એ બધામાં ઊર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવું. પણ બૌદ્ધની જેમ માત્ર ક્ષણિક પર્યાયો ન માનવા. શંકા :- ઘડાની પૂર્વાપર અવસ્થાઓ - કાચો ઘડો, પાકો ઘડો... વગેરે છે. આ દરેકમાં ગયં ઘટ: અયં ષટ: એવી અનુગતાકાર બુદ્ધિ પણ થાય છે ને ‘ડ્સ મૃત્તિા’ ‘યં મૃત્તિા’ એવી અનુગતાકાર બુદ્ધિ પણ થાય છે. તો શું આ બંનેના વિષય તરીકે એક જ ઊર્ધ્વતાસામાન્ય માનવું? સમાધાન ઃ ના, આમાં પ્રથમબુદ્ધિનો વિષય છે ઘટદ્રવ્યસામાન્ય.. અને બીજીનો વિષય છે મૃદ્રવ્યસામાન્ય... આ બંને અલગ અલગ ઊર્ધ્વતાસામાન્ય છે. આમાંથી પ્રથમ ઊર્ધ્વતાસામાન્ય ઘડાની જુદી જુદી અવસ્થાઓમાં રહ્યું છે, પણ ઘડાની આગળ પાછળની પિંડાદિ કે કપાલાદિ અવસ્થાઓમાં નથી રહ્યું. અર્થાત્ એ થોડા પર્યાયોને - થોડી અવસ્થાઓને જ વ્યાપે છે. માટે એ અ૫૨ઊર્ધ્વતાસામાન્ય છે. જ્યારે બીજું ઊર્ધ્વતાસામાન્ય તો ઘડાની દરેક અવસ્થાઓ ઉપરાંત આગળ પાછળની પિંડાદિ અવસ્થાઓને પણ વ્યાપીને રહ્યું છે. માટે એ પરઊર્ધ્વતાસામાન્ય છે. અલ્પપર્યાયોને વ્યાપે એ અપરઊર્ધ્વતાસામાન્ય અને અધિક પર્યાયોને વ્યાપે એ પરઊર્ધ્વતાસામાન્ય... આમ સર્વત્ર અનુભવને અનુસરીને ૫૨-અપરઊર્ધ્વતાસામાન્ય માનવા જોઈએ. પુદ્ગલદ્રવ્ય અંગે આ જેવી વિચારણા કરી એવી જ જીવદ્રવ્ય અંગે પણ થઈ શકે છે. બાળ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૪ એ મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાય નઈ. ઇમ નર-નારકાદિક દ્રવ્ય-જીવદ્રવ્યનો પણિ વિશેષ જાણવો.” એ સર્વ નૈગમનયનું મત. શુદ્ધસંગ્રહનયનઈ મતઈ તો સદતવાદઇ એક જ દ્રવ્ય આવઈ, તે જાણવું. તે ર-૪ યુવાન-વૃદ્ધ... આ દરેક અવસ્થાઓમાં મયં મનુષ્ય: મયં મનુષ્યઃ એવી અનુગતાકારવાળી બુદ્ધિ તો થાય જ છે. માટે એ દરેકમાં મનુષ્ય દ્રવ્ય છે. મનુષ્યત્વ નામે ઊર્ધ્વતાસામાન્ય છે. પણ ભવ પૂર્ણ થયા બાદ ધારો કે એ નારક બન્યો તો ત્યાં ય મનુષ્ય:.. એવી બુદ્ધિ થતી નથી. પણ મયં નીવડે.. એવી બુદ્ધિ તો થાય જ છે કે જે બુદ્ધિ બાળ-યુવા વગેરે અવસ્થાઓમાં પણ થતી હતી. એટલે જણાય છે કે બાળાદિ અવસ્થાઓની અપેક્ષાએ મનુષ્ય એ દ્રવ્ય છે. પણ જીવદ્રવ્યની અપેક્ષાએ મનુષ્ય એ ‘વિશેષ રૂપ હોવાથી જીવદ્રવ્યનો પર્યાય છે. શંકા - એક બાજુ તમે કહો છો કે માત્ર બાળ-તાદિ અલ્પઅવસ્થાઓને જ વ્યાપતું હોવાથી મનુષ્યત્વ એ અપર ઊર્ધ્વતા સામાન્ય છે ને જીવત્વ એ એની અપેક્ષાએ નારકાદિ અધિક પર્યાયોને વ્યાપતું હોવાથી પર ઊર્ધ્વતા સામાન્ય છે. બીજી બાજુ તમે મનુષ્ય એ પર્યાય છે ને જીવ એ દ્રવ્ય છે એમ કહો છો. તો આમાં પૂર્વાપર વિરોધ કેમ ન થાય? જીવની અપેક્ષાએ જ એને પર્યાયરૂપ પણ કહેવો છે ને વળી (અપર) ઊર્ધ્વતાસામાન્યરૂપ (એટલે કે દ્રવ્યરૂપ) પણ કહેવો છે. માટે આ પૂર્વાપર વિરોધ કેમ નહીં? સમાધાન : મયં મનુષ્ય:. મયં નાર:.. આવી બધી વ્યાવૃત્તાકારબુદ્ધિનો જ્યારે વિષય બને ત્યારે મનુષ્ય એ પર્યાય છે. બાળ-તરુણાદિ અવસ્થાઓને નજરમાં રાખીને મયં મનુષ્ય, મયં મનુષ્ય .... આવી બધી અનુગતાકાર બુદ્ધિનો જ્યારે વિષય બને ત્યારે એ દ્રવ્ય' છે, ઊર્ધ્વતાસામાન્ય છે.... ને વળી એ જ વખતે નર્ય નીવ: ૩યં નીવ:.. આવી અનુગતાકારબુદ્ધિનું પણ અનુસંધાન થાય તો મનુષ્ય એ અપરઉર્ધ્વતાસામાન્ય છે એમ જાણવું. યૌવનની વિવિધ અવસ્થાઓમાં યૌવનને ઊર્ધ્વતા સામાન્ય તરીકે લઈએ તો એ વખતે મનુષ્ય પરઊર્ધ્વતા સામાન્ય પણ બની શકે છે. આમ, મનુષ્ય એ પર્યાય પણ છે. પરઊર્ધ્વતાસામાન્ય પણ છે, ને અપરઊર્ધ્વતાસામાન્ય પણ છે. નૈગમનયને આ બધું જ માન્ય છે. કારણ કે એ અનેકદૃષ્ટિકોણથી જોનાર છે. શુદ્ધ સંગ્રહ..પણ શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ વિચારવાનું હોય તો એ નય બધાનો એક જ રૂપે સંગ્રહ કરતો હોવાથી (સત્તા મહાસામાન્યનો જ સ્વીકાર કરતો હોવાથી) માત્ર પરસામાન્યને જ માને છે. અપર- સામાન્યને કે પર-અપર બંને સ્વરૂપ બનતા સામાન્યને માનતો નથી. માટે એ સદ્ અદ્વૈતવાદી બનેલો છે. અર્થાત્ આ દુનિયામાં જે કાંઈ છે એ “સત્' (સત્તામહાસામાન્ય) છે. “સત્ સિવાય આ દુનિયામાં બીજું કશું જ નહીં. એક જ પદાર્થ માનવો... બીજું કશું માનવું નહીં.. આને અદ્વૈતવાદ કહેવાય છે. માત્ર બ્રહ્મ માનવું. બીજું કશું ન માનવું એ બ્રહ્મતવાદ કહેવાય છે. માત્ર શબ્દ જ માને - એ સિવાય કશું નહીં એ શબ્દાદ્વૈતવાદ કહેવાય છે. એમ શુદ્ધ સંગ્રહનય માત્ર “સતું' માને છે. બીજું કશું નહીં. એટલે એ સત્ અદ્વૈત (સદત) વાદ કહેવાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ઢાળ-૨ : ગાથા-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશક્તિ જગિ દાખઈ રે ! તે તિર્યસામાન્ય કહિજઇ, જિમ ઘટ ઘટ પણ રાખઈ રે // જિન ૨-૫ / ટબો- ભિન્ન વિગતિમાં-ભિન્ન પ્રદેશી વિશેષમાં જે દ્રવ્યની શક્તિ એકરૂપ=એકાકાર દેખાડઈ છઇ, તેહનાં તિર્યક્ષામાન્ય કહિછે, જિમ ઘટ, ઘટપણું = ઘટત્વ રાખઈ છઈ. - હિવઈ કોઈ ઈમ કહચઈ જે “ઘટાદિકભિન્ન વ્યક્તિમાં જિમ ઘટત્વાદિક એક સામાન્ય છઇ, તિમ પિંડ-કુશૂલાદિક ભિન્ન વ્યક્તિમાં મૃદાદિક એક સામાન્ય છે. તો તિર્યસામાન્ય-ઊર્ધ્વતા પટ” એ ઘટ છે? નથી. માટે પટમાં ઘટવાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ છે.. પટ” એ પટ છે? છે... માટે પટમાં પટ–ાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ નથી... અભેદ છે. જીવ એ સત્ છે? છે... માટે જીવમાં સત્તાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ નથી. અભેદ છે. પુદ્ગલ' એ સત્ છે? છે. માટે પુદ્ગલમાં સત્તાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ નથી... અભેદ છે. આમ જીવ-પુદ્ગલ-ધર્માસ્તિકાય.. વગેરે દરેકમાં “સત્'નો ભેદ નથી. અભેદ છે. એટલે કે બધું જ “સ” થી અભિન્ન છે. ભિન્ન નથી. અર્થાત્ આપણે જેને જીવ-પુગલ વગેરે કહીએ છીએ એ બધું જ સંગ્રહનયની દૃષ્ટિએ સત્ છે. સત્ સિવાય-સથી જુદું આ દુનિયામાં કશું છે જ નહીં. માટે સદત છે. આ પરસામાન્ય છે. વળી આ મતે જીવ-પુગલ વગેરે સત્થી ભિન્ન (જુદી) કોઈ ચીજ જ નથી. જેને અપરસામાન્ય કહી શકાય. માટે અપરસામાન્ય જેવું કાંઈ છે નહીં. (પરસામાન્ય આ પણ આપણા વ્યવહારની અપેક્ષાએ નામ છે. બાકી તો “અપર’ જેવું કશું છે જ નહીં, તેથી “પર” પણ નથી. અને વિશેષ જેવું કાંઈ છે જ નહીં. માટે “સામાન્ય’ પણ નથી. જે કાંઈ છે એ “સત્' છે, સત્' સિવાય કશું જ નથી.) આ સર્વશુદ્ધ સંગ્રહનય છે. || ૧૩ || ગાથાર્થ : ભિન્ન ભિન્ન વ્યક્તિમાં એક સ્વરૂપ જે દ્રવ્યશક્તિ જગમાં દેખાય છે તેને તિર્યસામાન્ય કહેવું. જેમ કે ઘડો ઘટપણું રાખે છે (આ ઘટપણું એ તિર્યક-સામાન્ય છે.) ૨-પા વિવેચન : ભિન્ન વિગતિમાં = ભિન્ન પ્રદેશી વિશેષમાં... ભિન્ન પ્રદેશી વ્યક્તિઓમાં=વિશેષ પદાર્થમાં દ્રવ્યની જે શક્તિ એકરૂપતા = એકાકારપણું દેખાડે છે તે શક્તિને તિર્યસામાન્ય કહેવું.... જેમ કે ભોંય પર, વેદિકા પર, શિકા પર જે ઘડા પડેલા છે તે દરેકમાં ઘટત્વ છે... ને એ બધાની ‘આ ઘડો' ‘આ ઘડો’ એમ એકાકાર પ્રતીતિ કરાવે છે. એટલે આ ઘટત્વ એ ઘટદ્રવ્યની તિર્યસામાન્ય શક્તિ છે. (તિર્યક્ સામાન્ય છે). આમાં ભિન્ન પ્રદેશી જે કહેલ છે તેનો અર્થ જેના પોતાના અવયવભૂત પ્રદેશો ભિન્ન ભિન્ન છે એવી ‘ભિન્ન પ્રદેશી વ્યક્તિઓ’ આમ પણ કરી શકાય, જેથી એની એ અવગાહનામાં રહેલાં જુદા જુદા સ્કંધોમાં પણ અંધત્વ વગેરે તિર્યક્ષામાન્ય અસંગત ન બને. બાકી ભિન્ન ભિન્ન આક્રશ Page #72 -------------------------------------------------------------------------- ________________ યનો રાસ ઢાળ-૨ : ગાથા-૫ પ૩ સામાન્યનો સ્યો વિશેષ?” તેહનઈ કહિછે જે-“દેશભેદો જિહાં એકાકાર પ્રતીતિ ઉપજઇ, તિહાં તિર્યસામાન્ય કહિછે. જિહાં કાલભેદકઈ-અનુગતાકાર પ્રતીતિ ઉપજો, તિહાં ઊર્ધ્વતા સામાન્ય કહિછે.” પ્રદેશોમાં (ક્ષેત્રમાં) રહેલ ઘડા વગેરે ભિન્નપ્રદેશી હોવા તો વ્યવહારસિદ્ધ પણ છે જ. હિવઈ કોઈ ઇમ... કોઈ એમ શંકા કરે છે. શંકા- દરેક ઘડામાં જેમ ઘટત્વ એ તિર્યક્ષામાન્ય છે. એમ પિંડ-સ્થાસ વગેરેમાં મૃદ્ધવ્ય એ સામાન્ય છે. બન્ને અનુગતાકાર પ્રતીતિ કરાવે છે. અર્થાત્ બનેનું સ્વરૂપ “સમાનતા છે અને બન્નેનું કાર્ય અનુગતાકાર પ્રતીતિ છે. તો પછી આ બેમાં વિશેષ = ભેદ શું રહ્યો ? એનાં કરતાં એક જ સામાન્ય કહો ને ! ગ્રન્થકાર આ શંકાનો જવાબ આપે છે સમાધાન - તેહનઈ કહિછે જે - જેનાથી દેશભેદે એકાકાર પ્રતીતિ થાય તેને તિર્યસામાન્ય કહેવાય અને જેનાથી કાળભેદે અનુગતાકાર પ્રતીતિ થાય તેને ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. અર્થાત્ એક જ કાળે ભોંય-વેદિકા-શીકું-વગેરે જુદા જુદા સ્થાનમાં રહેલા પદાર્થોમાં પણ જે દ્રવ્યશક્તિ આ ઘડો-આ ઘડો.. આવી એકાકારવાળી બુદ્ધિ કરાવે છે એ તિર્યસામાન્ય છે. પણ જ્યાં દેશભેદ નથી. કાળભેદ છે. કુંભારના ચાકડા પર જ ભિન્ન ભિન્ન કાળે પિંડ-સ્થાસ... વગેરે વિશેષ પદાર્થો રહ્યા છે. એટલે અહીં દેશભેદ નથી.... કાળભેદ છે. છતાં આ બધામાં પણ “આ પણ મૃન્મય' “આ પણ મૃન્મય’ આવી અનુગત આકારવાળી બુદ્ધિ જે કરાવે છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. (ઘડાને ઘડા તરીકે જે બોધ કરી શકે છે - કરે છે. એ ભેગો ભેગો જ ઘટત્વને પણ જાણી જ લે છે. એ જાણવું એને બિલકુલ કઠિન રહેતું નથી. પણ આવું ઊર્ધ્વતાસામાન્ય માટે નથી. પિંડ-સ્થાસ. વગેરેને તત્કાળ બનતા જોનારને હજુ કદાચ તરત ખ્યાલ આવી શકે કે બધું માટીમાંથી બની રહ્યું છે. પણ જે વસ્તુ બનીને પડેલી છે એ જોઈને એની પૂર્વાવસ્થા કે ઉત્તરાવસ્થા કે એ શેમાંથી બની છે? આ બધું બધાને ખ્યાલ આવી જ જાય એવું હોતું નથી. વસ્તુ શું છે એ ખબર પડી જવા છતાં “આ શેમાંથી બન્યું હશે? કશો ખ્યાલ આવતો નથી..” આવી પ્રતીતિ આપણને પણ ઘણીવાર થતી જ હોય છે ને! માટે ઊર્ધ્વતાસામાન્ય જાણવું એટલું સરળ હોતું નથી.) પ્રશ્ન : ગ્રન્થકારે તિર્યસામાન્ય માટે “એકાકારપ્રતીતિ’ કહી છે જ્યારે ઊર્ધ્વતા સામાન્ય માટે “અનુગતાકાર બુદ્ધિ” કહી છે. અલબત્ત બન્નેમાં સમાનતાની બુદ્ધિ હોય છે. જેમ કે જુદા જુદા ઘડાઓમાં બધામાં પરોવ્યું. પોષ્ય... વગેરે ને પિંડ-સ્થાસાદિમાં મૃયોડ્યું... મૃયોગ્ય એમ બુદ્ધિ થાય છે. એટલે કે ક્રમશઃ ઘટત્વ ને મૃન્મયત્વ સમાનતા રૂપે ભાસે છે... એટલે કે સમાનાકારક બુદ્ધિ કહેવાથી પતી જતું હતું. છતાં ગ્રન્થકારે એકાકાર અને અનુગતાકાર એમ અલગ અલગ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એ શા માટે? ઉત્તર : તિર્યસામાન્યના આધારભૂત બધા પદાર્થો એક જ આકારરૂપે પરિણમ્યા છે ને એ જ આકાર ભાસે છે.. (જેમ કે બધા જ ઘટાકાર રૂપે પરિણમ્યા છે ને બધાનો ઘટાકાર જ ભાસી રહ્યો છે...) માટે ત્યાં એકાકાર પ્રતીતિ કહેવાય છે. પણ ઊર્ધ્વતાસામાન્ય માટે એવું નથી. એમાં તો એક પિંડાકાર રૂપે તો બીજો સ્વાસાકારરૂપે.. વળી ત્રીજો કોશાકાર તો ચોથો કુશૂલાકાર. વળી ઘટાકાર.... Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઢાળ-૨ : ગાથા-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કોઈક દિગંબરાનુસારી ઇમ કહઈ છઇ, જે “ષ દ્રવ્યનઈ કાલપર્યાય રૂપ ઊર્ધ્વતાસામાન્ય પ્રચય છઇ. કાલ વિના પાંચ દ્રવ્યનઈ અવયવસંઘાતરૂપ તિર્યપ્રચય છઈ” તેહનાં મતઈ તિર્યકપ્રચયનો આધાર ઘટાદિક તિર્યકસામાન્ય થાઇ. તથા પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું કપાલાકાર.. આમ બધાના આકાર તો અલગ-અલગ છે. છતાં આ બધાંમાં અનુવૃત્ત થતો - સંકળાઈને રહેતો - અનુગત એવો એક મૃન્મયત્વઆકાર છે. પહેલી સ્કૂલ દષ્ટિએ તો પિંડાદિ આકાર જ ભાસે છે.. પણ પછી થોડા વધારે પટુ ક્ષયોપશમનો ઉપયોગ કરીને જોવામાં આવે તો બધામાં અનુગત એવો મૃન્મયત્વ આકાર પણ ભાસે છે ને તેથી અનુગતાકાર બુદ્ધિ થાય છે. એટલે જ તો ઉપર જણાવ્યું કે તિર્યક્ષામાન્ય જાણવું સહેલું છે. ઊર્ધ્વતાસામાન્ય જાણવું કઠિન છે. પ્રશ્ન : એમ તો ઘડાની પણ નવી-જૂની વગેરે અવસ્થાઓ હોય છે... એમ છતાં એ અવસ્થાઓને ગૌણ કરીને બધું ઘડા રૂપે જ જોવાય છે ને પછી એકાકાર પ્રતીતિ કહેવાય છે... એમ પિંડાદિ અવસ્થા ભલે જુદી જુદી છે. પણ એને ગૌણ કરીને બધું મૃત્મયત્વરૂપે જ જોવાય તો એ પણ એકાકાર પ્રતીતિ જ બની જાય ને? ઉત્તર : સામાન્યથી લોક વ્યવહારનયને આગળ કરનારો હોય છે.. અને વ્યવહારનય વસ્તુનું બહુલતાએ રહેલું પ્રયોજન એના જે સ્વરૂપને આગળ કરીને રહેલું હોય, તે સ્વરૂપને આગળ કરીને વસ્તુને જુએ છે. માટીનું પણ કંઈક પ્રયોજન અવશ્ય છે જ. પણ એ જ પ્રયોજનને સારવા માટે કાંઈ પિંડ-સ્થાસ વગેરે બનાવાતા નથી. પોચાશ આવે. ધારેલો આકાર આપી શકાય... ચાકડા પર ગોઠવી ફેરવવામાં સરળતા રહે... આ બધા પ્રયોજનથી માટીને પિંડાકાર બનાવાય છે... આ બધું પ્રયોજન એ પદાર્થમાં મૃન્મયત્વેન નથી હોતું (નહીંતર તો મૃન્મયત્વ તો પહેલાં પણ હતું જ, પિંડો બનાવવાની જરૂર જ ન રહે.) પણ પિંડત્વેન હોય છે. માટે વ્યવહારનય એને પિંડ તરીકે જુએ છે, મૃન્મય તરીકે નહીં... એમ કોશાકાર આપવાના પ્રયોજનથી સ્થાસ બનાવવામાં આવે છે. આ પ્રયોજન એમાં સ્થાસત્વેન જ હોય છે. પિંડત્વેન કે મૃત્મયત્વેન નહીં. માટે પ્રથમદષ્ટિએ એની પ્રતીતિ “સ્થાસ' તરીકે જ થાય છે. આ જ રીતે કોશાદિ અંગે જાણવું. એટલે પ્રતીતિઓ તો પિvgોડવું... આસોડ્યું... વોશોડવું.. વગેરે જ થાય છે. જે એકાકાર નથી. છતાં થોડી સૂક્ષ્મ દૃષ્ટિએ જોવામાં આવે તો પિંડાદિ દરેકમાં મૃન્મયત્વ અનુગત સંકળાયેલું હોવું તો ભાસે જ છે. માટે એ અનુગતાકાર બુદ્ધિ કહેવાય છે. પણ જુદા જુદા ઘડાઓ માટે આવું નથી. ઘડો ચાહે જુનો હોય યા નવો હોય.. રક્ત હોય આ શ્યામ હોય.... બધાનું મુખ્ય પ્રયોજન જવાહરણ છે ને એ ઘટત્વેન જ છે. માટે જ બધાની પ્રથમદષ્ટિએ પટોડ્યું. ઘટોડ્ય... એવી એકાકાર બુદ્ધિ જ થાય છે. એટલે તિર્યસામાન્ય અંગે એકાકાર બુદ્ધિ અને ઊર્ધ્વતા સામાન્ય અંગે અનુગતાકાર બુદ્ધિ... આવો અલગ-અલગ શબ્દ પ્રયોગ સપ્રયોજન છે એ જાણવું. કોઈક દિગંબરાનુસારી. દિગંબરોમાં ઊર્ધ્વતા સામાન્ય પ્રચય અને તિર્યપ્રચય એવા બે નામો પ્રચલિત છે. શ્રી કુંદકુંદાચાર્ય રચિત પ્રવચનસારની ૧૪૧-૧૪૨મી ગાથામાં અને એની શ્રી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૫ આધાર ભિન્ન દ્રવ્ય જોઈઇ, તે માર્ટિ-૫ દ્રવ્યનઈ બંધ દેશ પ્રદેશ ભાવઈ એકાનેક વ્યવહાર અમૃતચન્દ્રાચાર્યે રચેલી તત્ત્વદીપિકા વૃત્તિમાં આ અંગેની વાત આવે છે. ટૂંકમાં એમનો અભિપ્રાય આવો છે – છ એ દ્રવ્યો ત્રણે કાળમાં રહેનારા છે. ધારો કે કોઈ એક “” નામના જીવની આપણે વાત કરવી છે. તો, ગઈકાલ વિશિષ્ટ , આજ વિશિષ્ટ મ, આવતીકાલ વિશિષ્ટ મ.. આવા બધા માં ના ઢગલાબંધ (અનંતકાળમાં અનંત) કાળપર્યાયો થયેલા છે. આ બધા પર્યાયોનો પ્રચય = સમૂહ ક્યારેય પણ એક સમયમાં તો મળી શકે નહીં (કારણ કે એકકાળમાં એક જ પર્યાય હોય). માટે એનો તિર્યકપ્રચય કહી શકાતો નથી. પણ ત્રણે કાળને નજરમાં રાખીને તો સમૂહની વાત થઈ શકે છે. માટે આવા પર્યાયોનો સમૂહ એ ઊર્ધ્વતા સામાન્ય પ્રચય કહેવાય છે અને એ છ એ છ દ્રવ્યોમાં મળે છે, કારણ કે છ એ દ્રવ્યો ત્રિકાળ વર્તી છે. એક જ કાળમાં અવયવોનો સંઘાત-સમૂહ હોવો એ તિર્યપ્રચય છે. કાળ તો માત્ર એક સમયરૂપ છે. જેમ અનેક પરમાણુ ભેગા થઈને સ્કંધ બનેલા હોય છે એમ અનેક કાલાણ ભેગા થઈને કોઈ કાળખંધ ક્યારેય બનતો નથી. કાળ માત્ર એક – એક સમયરૂપ જ હોય છે. માટે કાળનો તિર્યક્ઝચય હોતો નથી. કાળ સિવાયના પાંચ દ્રવ્યોનો તિર્યક્ટચય પણ હોય છે. કારણ કે બધા અનેક પ્રદેશ છે. દિગંબરોની આવી પ્રરૂપણામાં ક્ષતિ દર્શાવવા ગ્રન્થકાર કહે છે – તેહનઈ મતદે... દિગંબરના મતે, અનેક પ્રદેશ નિષ્પન્ન જે ઘટ વગેરે છે તેમાં તો તિર્યકપ્રચય રહેશે. અને પુદ્ગલત્વ તિર્યક્રસામાન્ય પણ રહેશે. અર્થાત્ તિર્યપ્રચયના આધારભૂત જે ઘટાદિ છે તે બધાનો પુદ્ગલદ્રવ્યમાં અન્તર્ભાવ થઈ જશે.... પણ જેના અનેક પ્રદેશ નથી તે પરમાણુ રૂપ જે અપ્રચયપદાર્થ તેનો અન્તર્ભાવ કયા દ્રવ્યમાં કરશો? આશય એ છે કે પુગલાસ્તિકાય તો એમના મતે તિર્યકુપ્રચયના આધારભૂત દ્રવ્ય છે. એટલે અપ્રચય એવા પરમાણુનો એમાં અન્તર્ભાવ માની શકાય નહીં. એટલે એના આધાર તરીકે એક નવું જ દ્રવ્ય માનવાની આપત્તિ આવશે. પ્રશ્ન : એક સાતમું દ્રવ્ય માની લ્યો ને? શું વાંધો છે? ઉત્તર : તો પણ છૂટકો નથી. કારણ કે જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં બધા દ્રવ્યોને ઇતરઅપ્રવેશી જોયા છે અને તેથી એવા કહ્યા છે. હવે સાતમું દ્રવ્ય આ રીતે માનશો તો આ ઇતર- અપ્રવેશી વાત ઊભી નહીં રહે. આશય એ છે કે પરમાણુ અપ્રચયપર્યાય હોવાથી એનો સમાવેશ સાતમા દ્રવ્યમાં કર્યો. પણ એ જ પરમાણુ અન્ય પરમાણુઓનો સહયોગ મળતા સ્કંધરૂપ બને છે. હવે એ તિર્યક્મચયનો આધાર બની જવાથી પુદ્ગલાસ્તિકાયમાં એનો સમાવેશ થઈ જશે. આમ અપ્રચયપર્યાયના આધારભૂત સાતમા દ્રવ્યનો પુદ્ગલાસ્તિકાયમાં પ્રવેશ થઈ જવાથી ઇતરઅપ્રવેશિત્વનો વિરોધ થવાનો દોષ આવશે. માટે, પ્રચય શબ્દ જોડવાની વાત બરાબર નથી. શંકા :- પણ જો પ્રચય ન માનીએ તો ઘટાદિમાં એક-અનેકત્વ વ્યવહાર જે થાય છે એની Page #75 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ : ગાથા-૫ ઉપપાદવો, પણિ તિર્યક્મચય નામાત્તર ન કહેવું. ॥ ૨-૫ | ૫૬ સંગતિ શી રીતે કરશો? સમાધાન ઃ એ વ્યવહા૨ સ્કંધ-દેશ-પ્રદેશ દ્વારા કરવો. અર્થાત્ સ્કંધ તરીકે વિચારીએ તો ધર્માસ્તિકાય આખું અખંડ એક દ્રવ્ય છે. એના દેશ-પ્રદેશની અપેક્ષાએ વિચારીએ તો એ અનેક છે. આ જ રીતે દરેક દ્રવ્યોમાં સમજવું. પણ એ માટે તિર્યક્મચય એવું નામાન્તર જોડવાની જરૂર નથી. ટૂંકમાં, અવયવસંઘાતરૂપ તિર્યક્પ્રચય માનવાની જરૂર નથી. જેનાથી એકાકાર પ્રતીતિ થાય છે એવી દ્રવ્યશક્તિ-તિર્યક્સામાન્ય જ માનવું. આ અધિકારમાં દિગંબર સાથેની જે ચર્ચા આવી તેને થોડી આગળ ચલાવીએ - દિગંબર હજુ પોતાનો બચાવ કરી શકે છે કે - જ્યાં પ્રદેશસંઘાત હોય ત્યાં તિર્યક્મચય હોય... માત્ર આટલી જ વ્યાખ્યા અમે નથી કરતા... પણ જ્યાં પ્રદેશસંઘાતની યોગ્યતા હોય.. ત્યાં પણ તિર્યક્મચય કહીએ છીએ. ટૂંકમાં શક્તિથી (યોગ્યતારૂપે) કે વ્યક્તિથી (પ્રગટરૂપે) જ્યાં પ્રદેશસંઘાત હોય ત્યાં તિર્યક્મચય હોય. પરમાણુમાં વ્યક્તિથી પ્રદેશસંઘાત ન હોવા છતાં શક્તિથી તો એ હોય જ છે ને તેથી પુદ્ગલત્વ તિર્યક્મચય એમાં પણ અક્ષત હોવાથી અલગ દ્રવ્ય માનવાની આપત્તિ આવતી નથી. જ્યારે કાળ તો શક્તિથી અને વ્યક્તિથી બંને રીતે એકપ્રદેશરૂપ જ હોવાથી - પ્રદેશસંઘાતરૂપ ન જ હોવાથી એમાં તિર્યક્મચય નથી. (એટલે જ તત્ત્વદીપિકાવૃત્તિમાં આવી પંક્તિ છે કે પુન્નત્તસ્ય દ્રવ્યાને પ્રવેશદ્ઘશક્તિયુૌप्रदेशत्वात्, पर्यायेण द्विबहुप्रदेशत्वाच्चास्ति तिर्यक्प्रचयः, न पुनः कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात् । અર્થઃ દ્રવ્યરૂપે પુદ્ગલ પરમાણુ એક પ્રદેશી હોવા છતાં શક્તિથી અનેકપ્રદેશી (સ્કંધ) બનવાની યોગ્યતા હોવાથી અને પર્યાયરૂપે પુદ્ગલ ચણુક કે બહુપ્રદેશી કંધરૂપ હોવાથી પુદ્ગલમાં તિર્યક્મચય કે હોય છે. પણ એ રીતે કાળમાં તિર્યક્મચય હોતો નથી, કારણ કે કાળ શક્તિથી અને વ્યક્તિથી એક પ્રદેશરૂપ જ હોય છે.) દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એટલે, ગ્રન્થકારે આપેલી ‘અલગદ્રવ્ય માનવું પડવાની' આપત્તિ આમ ઊભી રહી શકતી નથી.. છતાં ગ્રન્થકાર અહીં જવાબ આપી શકે છે કે - તિર્યક્મચયનો આવો અર્થ તમને જે અભિપ્રેત છે એ તો અમને પણ માન્ય જ છે.. ને એ અર્થ અમે અસ્તિકાય' શબ્દથી મેળવીએ છીએ. અમે પણ કાળ સિવાયના પાંચ દ્રવ્યોને જ ‘અસ્તિકાય’ કહીએ છીએ. એટલે તમે તિર્યક્મચય કહો છો અમે અસ્તિકાય કહીએ છીએ. એટલે માત્ર શબ્દભેદ છે, અર્થભેદ નથી.. પણ એકાકારપ્રતીતિ કરાવનાર દ્રવ્યશક્તિ કે જેને અમે તિર્યક્સામાન્ય કહીએ છીએ એનું તમારે પ્રતિપાદન ન રહેવાથી એટલી ન્યૂનતા થશે. (શ્રી અમૃતચંદ્રાચાર્યની તત્ત્વદીપિકાવૃત્તિના અધિકાર જોતાં એક વસ્તુ એ જણાય છે કે એમને ‘૫૨માણુ’ એ દ્રવ્ય તરીકે અભિપ્રેત છે અને ચણુક વગેરે પર્યાય તરીકે.. એ શી રીતે ? આ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૫ રીતે – (૧) ઉપર કહેલા અધિકારમાં પરમાણું માટે દ્રવ્યેળનેપ્રવેશત્વ.....એમ ‘દ્રવ્ય' શબ્દ વાપર્યો છે જ્યારે દ્ધિપ્રદેશી-બહુપ્રદેશીસ્કંધો માટે પણ દિવ૬.. એમ ઉલ્લેખ કર્યો છે તથા (૨) આગળ આ જ બીજી ઢાળની ૧૦મી ગાથાના ટબામાં, ગુણના પણ પર્યાય હોવાની દિગંબરોની જે વાત છે તેને જણાવનાર શ્રીઅમૃતચંદ્રાચાર્યની પ્રવચનસારની ૯૩ મી ગાથાની વૃત્તિમાં આવો અધિકાર આવે छ तत्रानेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनो द्रव्यपर्यायः । स द्विविधः समानजातीयोऽसमानजातीयश्च । તત્ર સમાનગાતીયો નામ યથાડનેપુદ્રીત્મો ચિપુરાણુ ત્યાતા આનો સાર એ છે કે – અનેક પરમાણુ સ્વરૂપ અનેક દ્રવ્યાત્મક (જે સ્કંધ, તેમાં) એકત્વની બુદ્ધિ કરાવનાર જે છે તે દ્રવ્યપર્યાય છે. એ બે પ્રકારે હોય છે. સમાન જાતીય અને અસમાનજાતીય. એમાં અનેક પુદ્ગલાત્મક કચણુક-ચણુક વગેરે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. - આટલો અધિકાર સ્પષ્ટ જણાવે છે કે તેઓને “પરમાણુ' એ પર્યાય તરીકે અભિપ્રેત નથી. પણ માત્ર દ્રવ્ય તરીકે જ માન્ય છે. આપણને પણ જો એવું જ માન્ય હોય તો પૂર્વે જણાવ્યા મુજબ આ પ્રશ્નોના જવાબ વિચારી કાઢવાના રહે કે - તો પછી સ્કંધમાં પણ પરમાણુ તરીકે અક્ષત રહેવાથી “પ્રદેશ' એવો અલગ ભેદ શા માટે ? તથા પરમાણુનો “પરમાણુ તરીકેનો અવસ્થાનકાળ અસંખ્યકાળ જ જે બતાવ્યો છે તે પણ શા માટે ? બાકી આમ તો જેમ ચણુક વગેરે મુદ્દગલદ્રવ્યની અવસ્થાવિશેષ જ છે.. એમ પરમાણુ પણ એની અવસ્થાવિશેષરૂપ જ હોવાથી પર્યાયરૂપે જ પ્રતીત થાય છે. પૃ૦ ૩૬ ઉપર આની વિચારણા આવી ગઈ છે. તત્ત્વદીપિકાનો તિર્યકુપ્રચય અને ઊર્ધ્વપ્રચયને જણાવનાર ૧૪૧ મી ગાથાની વૃત્તિનો અધિકાર જોતાં બીજી આ વસ્તુ પ્રતીત થાય છે કે ઘટાદિની પ્રથમસમયવૃત્તિતા, દ્વિતીયસમયવૃત્તિતા, તૃતીયસમયવૃત્તિતા.. આવી બધી વૃત્તિતાઓનો પ્રચય એ ઊર્ધ્વપ્રચય.. અને એની અવગાહનાભૂત જે આકાશપ્રદેશો છે તેમાંના પ્રથમ આકાશપ્રદેશમાં પણ ઘટ વૃત્તિ છે, દ્વિતીય આકાશપ્રદેશમાં પણ એ વૃત્તિ છે. એમ યાવત્ અન્તિમ આકાશપ્રદેશમાં વૃત્તિ છે. એટલે કે ઘટમાં પ્રથમ આકાશપ્રદેશવૃત્તિતા પણ છે, દ્વિતીયપ્રદેશવૃત્તિતા પણ છે. એમ યાવત્ અન્તિમ જે આકાશપ્રદેશમાં ઘટનો અવગાહ હોય ત~દેશવૃત્તિતા પણ છે. આ વૃત્તિતાઓનો સમૂહ એ તિર્યકપ્રચય છે... પરમાણમાં જો કે એકાકાશપ્રદેશવૃત્તિતા જ છે. એટલે કે વૃત્તિતાઓનો સમૂહ નથી. છતાં અન્ય પરમાણુઓ સાથે જોડાઈને સ્કંધરૂપે પરિણમીને અનેકાકાશપ્રદેશવૃત્તિ બનવાની યોગ્યતા છે. શક્તિ પડેલી છે. માટે તિર્યકપ્રચય છે. પ્રશ્ન : પણ જ્યારે અનેક પ્રદેશીસ્કંધ બને ત્યારે તો એ “પરમાણુ’ સ્વરૂપ રહેતો જ નથી. પ્રદેશ” રૂપ બની જાય છે. એટલે પ્રદેશમાં ભલે તમે અનેકપ્રદેશવૃત્તિતાના સમૂહ રૂપ તિર્યકપ્રચય કહો, પણ પરમાણુમાં શી રીતે કહેવાય ? કારણ કે ત્રણે કાળમાં ક્યારેય પણ પરમાણુમાં એવો સમૂહ આવવાનો નથી. ઉત્તર : આવી જ કોઈ કલ્પનાથી ગ્રન્થકારે પરમાણુમાં તિર્યક્મચયના અભાવની અને તેથી નવું દ્રવ્ય માનવાની આપત્તિ આપી હોય એમ આપણે સમજી શકીએ છીએ. પણ દિગંબરો જો પરમાણુને ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યરૂપે જ માનતા હોય (પર્યાયરૂપે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઢાળ-૨ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શક્તિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણ પર્યાયની લીજડે રે કારયરૂપ નિકટ દેખીનઈ, સમુચિત શક્તિ કહી જઈ રે જિન. ર-૬II ટબો- હિવઈ ઊર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેખાડઇ છઈ, દ્રવ્ય સર્વની= આપ આપણાં ગુણ-પર્યાયની શક્તિમાત્ર લીજઇ, તે ઓઘ શક્તિ કહી છે. અને જે કાર્યનું રૂપ નિકટ નહીં) તો દિગંબરો આવો જવાબ આપી શકે છે એ જાણવું કે - સ્કંધરૂપ ધારણ કર્યા પછી પણ પરમાણુ પરમાણુત્વને પકડી જ રાખે છે (કારણ કે એ મૂળભૂત પુગલદ્રવ્યરૂપ જ છે) ને તેથી સ્કંધગત પરમાણમાં જો અનેક પ્રદેશવૃત્તિતા છે તો સ્વતંત્ર પરમાણમાં પણ એ છે જ. પ્રશ્ન : દિગંબરોની તિર્યપ્રચયની આ જે વાત છે એમાં પોતાના જ અનેક પ્રદેશની વાતના બદલે અવગાહનાભૂત આકાશના અનેક પ્રદેશની વાત તમે કેમ કરો છો ? ઉત્તર : તત્ત્વદીપિકાવૃત્તિના અક્ષરો એવી વાત સમજાવે છે – આ અક્ષરો આ પ્રમાણે છેतत्राकाशस्यावस्थितानन्तप्रदेशत्वाद् धर्माधर्मयोरवस्थितासंख्येयप्रदेशत्वाद् जीवस्यानवस्थितासंख्येयप्रदेशत्वात् પુદ્રની દ્રષr... આમાં આકાશના અને ધર્મ-અધર્માસ્તિકાયના અવસ્થિત પ્રદેશ કહ્યા છે જ્યારે જીવના અનવસ્થિતપ્રદેશ કહ્યા છે. જીવના આત્મપ્રદેશોની જો વાત હોત તો એ તો ત્રણે કાળમાં અવસ્થિત જ હોવાથી અનવસ્થિત કહેવાની જરૂર ન રહે. પણ અનવસ્થિતપ્રદેશ કહ્યા છે. માટે અવગાહનાભૂત આકાશપ્રદેશ લેવાના છે એ નિર્ણય થાય છે, કારણ કે એ જ ઓછાવત્તા થતા હોવાથી અનવસ્થિત હોય છે. એટલે દિગંબર પ્રક્રિયાનુસારે ઘટાદિની પ્રથમઆકાશપ્રદેશવૃત્તિતા, દ્વિતીયાકાશપ્રદેશવૃત્તિતા... આવી બધી અનેક આકાશપ્રદેશવૃત્તિતાઓનો સમૂહ ઘટાદિમાં જે રહ્યો છે તે તિર્યકપ્રચય છે. વળી, ઘટાદિમાં પ્રથમસમયવૃત્તિતા, દ્વિતીયસમયવૃત્તિતા. આવી બધી અનેક સમય વિશિષ્ટ વૃત્તિતાઓનો જે સમૂહ છે તે ઊર્ધ્વતાપ્રચય છે. એટલે આમ જોવા જઈએ તો તિર્યકસ્સામાન્ય-ઊર્ધ્વતાસામાન્ય.... અને આ તિર્યક્મચય-ઊર્ધ્વતાપ્રચય... એ બેનો વિષય જ સાવ અલગ છે એ જણાય છે.) હવે આપણા તિર્યસામાન્ય અંગે ઊઠતા એક પ્રશ્નને વિચારીએ - પ્રશ્ન : એકાકારપ્રતીતિ કરાવનાર શક્તિ એ જો તિર્યસામાન્ય છે તો આવી શક્તિ અને તિર્યસામાન્ય કૃષ્ણાદિ વર્ણો વગેરે ગુણમાં પણ માનવાં પડશે, કારણ કે માં M., : આવી એકાકાર પ્રતીતિ ત્યાં પણ થાય છે. ઉત્તર : વર્ણ-રસાદિના વાચક કૃષ્ણ-નીલ-મધુર વગેરે શબ્દો ગુણવાચક પણ હોય છે ને ગુણીવાચક પણ હોય છે. એમાંથી ગુણવાચક કૃષ્ણ વગેરે શબ્દોનો પ્રયોગ ઘટસ્થ #ો વર્ષ:, પટ Mો વ:, મોસ્ટ મધુરો રસ: વગેરે રૂપે થાય છે પણ મયં :, મયં નીત:, યું. મધુર:.. વગેરે રૂપે ક્યારેય થતો નથી. ગયે MI:, મયં નીતઃ વગેરે પ્રયોગમાં વપરાતા કૃષ્ણનીલ-મધુરાદિ શબ્દો ગુણવાચક જ હોય છે. અર્થાત્ દ્રવ્યવાચક જ હોય છે. અને દ્રવ્યમાં રહેલ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૬ કહતાં-વહિલું ઉપજતું દેખીતું, તે કાર્યની અપેક્ષા તેહની સમુચિત શક્તિ કહિછે, સમુચિત કહતાં-વ્યવહાર યોગ્ય. ર-૬ કૃષ્ણત્વાદિ તિર્યક સામાન્ય અર્થ વૃM:, કર્થ : વગેરે એકાકાર પ્રતીતિ કરાવે છે. શિષ્ટપુરુષોના શબ્દપ્રયોગોનું સૂક્ષ્મતાથી અવલોકન કરવાથી આ વાત નિઃશંક પ્રતીત થશે. માટે આવી એકાકાર પ્રતીતિ દ્વારા પણ ગુણમાં તિર્યક્ષામાન્ય સિદ્ધ થઈ શકતું નથી, એ નિશ્ચિત છે. ૧૪ ગાથાર્થ : પોતાના સર્વ ગુણ-પર્યાયો પામવાની દ્રવ્યમાં જે યોગ્યતા રહેલી છે તે તેની ઓઘ શક્તિ છે અને કાર્યના સ્વરૂપની નજીકનું સ્વરૂપ દ્રવ્યમાં આવવા પર જે વિશેષપ્રકારની શક્તિ હોય તેને સમુચિત શક્તિ કહેવી. /ર-૬// વિવેચનઃ હિવઈ ઊર્ધ્વતા... હવે ઊર્ધ્વતાસામાન્યશક્તિના બે ભેદ આ ગાથામાં દર્શાવવામાં આવે છે. કોઈ ગમે એટલી મહેનત કરે.. પણ એ, તંતુઓમાંથી ઘડો બનાવી શકતો નથી. બાવળ વાવીને આંબા પામી શકતો નથી. રેતીના પાંચ-પચ્ચીશ નહીં. કરોડો કણ પીસી નાખે તો પણ એક ટીપુંય તેલ મેળવી શકતો નથી. ગમે એટલો કાળ પસાર થાય ધર્માસ્તિકાય ક્યારેય એકાદ પરમાણુમાત્રને પણ સ્થિતિમાં સહાય બની શકતું નથી. આ બધી વાસ્તવિક્તા જણાવે છે કે ગમે એટલી મહેનત કરવામાં આવે કે ગમે એટલો કાળ પસાર થાય તો પણ જેમાં જે કાર્યની યોગ્યતા નથી એમાં એ કાર્ય પરિણમી શકતું નથી.. આનો અર્થ એ થાય છે કે સહજ રીતે કે મહેનત દ્વારા આજે કે કાલે. સંખ્યાતકાળે, અસંખ્યાતકાળે કે અનંતકાળે જે દ્રવ્ય જે કાર્યરૂપે પરિણમવાનું હોય છે તે દ્રવ્યમાં તે કાર્યરૂપે પરિણમવાની યોગ્યતા હોય જ છે. આ યોગ્યતાને શક્તિ કહેવાય છે. અર્થાત્ તે તે કાર્યને ઉત્પન્ન કરવાની (તે તે કાર્યરૂપે પરિણમવાની) શક્તિ.] કોઈ પણ દ્રવ્ય જે-જે કાર્ય ઉત્પન્ન કરે છે તે તે કાર્ય ક્યાં તો ગુણરૂપ હોય છે ને ક્યાં તો પર્યાયરૂપ હોય છે, આ સિવાયનું કોઈ કાર્ય હોતું નથી. માટે ગ્રન્થકારે કહ્યું છે કે – પોતાના જે કોઈ ગુણ-પર્યાયો સંભવિત હોય તે દરેક રૂપે પરિણમવાની પોતાની યોગ્યતા એ શક્તિ છે. હવે આ શક્તિ બે પ્રકારે છે. સુષુપ્ત શક્તિ અને જાગૃતશક્તિ. જે દ્રવ્ય પોતાના ગુણપર્યાયાત્મક જે કાર્યને અલ્પકાળે કે | અને અલ્પપ્રયાસ કરી શકે એમ હોય તે કાર્યની તે દ્રવ્યમાં જાગૃતશક્તિ કહેવાય અને આ સિવાયની બધી શક્તિઓ સુષુપ્ત શક્તિ કહેવાય. આ સુષુપ્ત અને જાગૃત એવા બે નામો આપણા કલ્પેલા છે. ગ્રન્થકારે એના બે નામો જે જણાવ્યા છે તે ક્રમશઃ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઢાળ-૨ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છૂતની શક્તિ યથા તૃણભાવછે, જાણી પિણ ન કહાઈ રે દુગ્ધાદિકભાઈ તે જનનઈ, ભાષી ચિત્ત સુહાઈ રે ! જિન) ૨-૭ - ટબો - ઇહાં દૃષ્ટાન્ત કહઈ છઈ - જિમ વૃતની શક્તિ તૃણભાવઈ-પુગલમાંહિ છાં નહીં તો તૃણ આહારથી ધેનુ દુધ દિઈ જઈ, તે દુધમાંહિ વૃતશક્તિ કિહાંથી આવી ? ઈમ ઓઘશક્તિ અને સમુચિતશક્તિ છે. એમાં ઓઘશક્તિ એટલે સામાન્ય રીતે જેનું અસ્તિત્વ માનવું પડે એમ છે, બાકી કાર્ય કરવા માટે મૂળ દ્રવ્ય ખુદ ઘણા પરિવર્તન પામવાની જરૂર છે. એવી શક્તિ એ ઓઘશક્તિ. કાર્યના કાળ કરતાં ઘણા દૂરના કાળમાં આ શક્તિ રહેલી હોય છે. વળી કાર્યના સ્વરૂપ કરતાં પણ ઘણા જ અંશે વિલક્ષણસ્વરૂપ હોય ત્યારે દ્રવ્યમાં રહેલી હોય છે. માટે સામાન્યથી શિષ્ટલક પણ એને પરખી શકતું નથી... કે ક્યારેક પરખ થઈ શકતી હોય તો પણ એનો વ્યવહાર કરતું નથી. પણ કાળક્રમે એ દ્રવ્ય એવી અવસ્થા પામ્યું કે જેથી પોતાના વિવક્ષિત ગુણપર્યાયાત્મક કાર્યથી એ કાળની દૃષ્ટિએ કેઅને સ્વરૂપની દૃષ્ટિએ એવું નિકટ આવેલું હોય કે જેથી હવે એમાં રહેલી તે કાર્ય કરવાની શક્તિને શિષ્ટલોક પરખી પણ શકે છે અને વ્યવહાર પણ કરે છે. તો હવે આવી શક્તિને સમુચિતશક્તિ કહેવાય છે. ગાય ઘાસ ખાય છે તો દૂધ આપે છે જેમાંથી ક્રમશઃ ઘી મળે છે. પ્લાસ્ટીકની થેલી ખાઈ જાય તો કાંઈ દૂધ આપતી નથી. શિષ્યલોક આ વાત જાણે જ છે ને તેથી ઘાસમાં કાળાન્તરે ઘી આપવાની શક્તિ પરખે પણ છે. માટે જ તો ગાયને ઘાસ ખવડાવે છે.) છતાં, કોઈને ઘી બનાવવું છે. તો શિષ્યલોક એને માખણ-છાશ કે છેવટે દૂધ લાવવાનું કહેશે. પણ “તારે ઘી બનાવવું છે ? તો જા ઘાસ લઈ આવ.” એમ કહેતું નથી. એટલે સમજાય છે કે શિષ્યલોક ઘાસમાં ઘીની શક્તિનો વ્યવહાર કરતું નથી. માટે ઘાસમાં એની ઓઘશક્તિ છે. દૂધ વગેરેમાં એવો વ્યવહાર કરે છે. માટે એમાં ઘીની સમુચિતશક્તિ છે. માટે જ ગ્રન્થકારે સમુચિતશક્તિ એટલે વ્યવહારોગ્યશક્તિ એવો અર્થ કર્યો છે. || ૧૫ | ગાથાર્થ : જેમ ઘાસઅવસ્થામાં ઘીની શક્તિ જાણવા છતાં કહેવાતી નથી (કહીએ તો એ. વાત લોકોને જચતી નથી.) પણ દૂધ વગેરે અવસ્થામાં એ શક્તિ હોવી કહેવામાં આવે તો એ વાત લોકોને રુચે છે. ૨-૭ || વિવેચન : ઓઘશક્તિ અને સમુચિતશક્તિને સમજાવવા માટે ગ્રન્થકાર લૌકિક દૃષ્ટાન્ત આપે છે. જેમ તૃણરૂપે પરિણમેલા યુગલોમાં ઘીની શક્તિ છે. નહીંતર તો ઘાસ ખાઈને ગાય જે દૂધ આપે છે એમાં પણ ઘીની શક્તિ ક્યાંથી આવે ? એટલે, તૃનિ વૃતશમિતિ, ધૃતરુમદ્રવ્યનનિર્વાત્ યથા નવનીતગન તન્ન, યદ્રા યુરૈવં તન્નેવં યથાર્મ – આવા અનુમાન પ્રમાણથી તણખલામાં પણ ધૃતની શક્તિ જણાય છે. છતાં એ કહેવાતી નથી, (આ વાત આગળ આવી ગઈ છે.) માટે તે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૭ અનુમાન પ્રમાણઈ તૃણમાંહિ જાણી, પિણ વૃતશક્તિ કહવાઈ નહી. તે માર્ટિ- તે ઓઘશક્તિ કહિછે, અન-તૃણનઈ દુગ્ધાદિક ભાવ= દુગ્ધ દધિ પ્રમુખ પરિણામઈ ધૃતશક્તિ કહી છે. તે ભાષી થકી જનનાં=લોકનઈ- ચિત્તિ સુહાઈ, તે માટે તે સમુચિતશક્તિ કહિછે, અનંતર કારણમાંહિ સમુચિત શક્તિ, પરંપરકારણમાંહિ ઓઘશક્તિ એ વિવેક. ઓઘશક્તિ કહેવાય છે. પણ જ્યારે એ જ તૃણદ્રવ્ય ગાયનો ખોરાક બનીને દૂધરૂપે પરિણમે છે ત્યારે એ દૂધ વગેરેમાં ઘીની શક્તિ છે એમ કહેવામાં આવે તો લોકોને રુચે છે. એટલે દૂધ વગેરેમાં એની સમુચિત શક્તિ કહેવાય છે. એટલે આવો વિવેક જાણવો કે અનંતર કારણમાં સમુચિતશક્તિ છે અને પરંપર કારણમાં ઓઘશક્તિ છે. આમાં અનંતરકારણ એટલે એકદમ અવ્યવહિત પૂર્વવર્તી કારણ એવો અર્થ નહીં કરવો. કારણ કે તો તો દૂધ વગેરેમાં પણ સમુચિતશક્તિ કહી નહીં શકાય... પણ કાર્યનું નિકટનું કારણ એ અનંતરકારણ એવો અર્થ કરવો. વળી કારણમાં કાર્યની નિકટતા જે કહેવાની છે તે પણ મુખ્યત્વે સ્વરૂપકૃતનૈકટ્ય જાણવું.. એટલે કે કાર્યનું જેવું સ્વરૂપ હોય.. એવા સ્વરૂપને ઘણું ખરું મળતું આવે એવું સ્વરૂપ દ્રવ્યમાં આવ્યું હોય ત્યારથી નિકટતા કહેવાય. ઘી માં પણ ગોરસત્વ - સ્નિગ્ધત્વ - શક્તિપ્રદત્વ વગેરે જે મુખ્યસ્વરૂપ છે તે ઘણે ખરે અંશે દૂધમાં પણ સમાન રીતે છે. પણ તૃણમાં એ નથી. માટે દૂધમાં કાર્યરૈર્ય છે. પ્રશ્ન : છઠ્ઠી ગાથામાં તો ગ્રન્થકારે નિકટ કહતાં = વહિલું ઉપજતું દેખીઈ.. એમ કરીને કાળકૃત નૈકટ્ય કહ્યું છે ને ? ઉત્તર : સ્વરૂપકૃતનૈકર્યોવાળું કારણ ઘણું ખરું નિકટકાળમાં જ કાર્ય કરી આપતું હોય છે.. એટલે કે એમાં કાળકૃતનૈકર્યો હોય જ છે. વળી કાળકૃત નૈકર્યો સમજવું સરળ હોય છે. માટે ગ્રન્થકારે એનો ઉલ્લેખ કર્યો છે. બાકી એ કાળકૃતનૈકટ્યથી પણ ગ્રન્થકારને સ્વરૂપકૃતનૈકય જ માન્ય છે, એ જાણવું નહીંતર તો જે દૂધમાંથી ઘી બન્યું જ નહીં. અથવા આજના ભક્ષ્યાભઢ્યના વિવેકની કચાશવાળા યાંત્રિક યુગમાં દૂધમાંથી દહીં – માખણ બનાવીને ડીપ ફ્રીઝમાં મૂકી દીધું.... છે - બાર મહિના બાદ ઘી બનાવ્યું. તો એ દૂધમાં સમુચિતશક્તિ શું ન કહેવાય ? એમ, શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના ૧૩ મા અધિકારમાં કહ્યું છે કે – “જે સાધુઓનું મન વિષયોમાં રમતું નથી ને કષાયોથી બળતું નથી તે સાધુઓ સંસાર તરી ગયા છે.” આમાં એ સાધુઓની સાધનાને મોક્ષનું એકદમ અનંતર કારણ કહી એમાં મોક્ષનો ઉપચાર કરી દીધો છે, એ જણાય છે. છતાં આવી સાધના કરનાર પણ ક્યારેક અનંતકાળ ભવભ્રમણ કર્યા બાદ મોક્ષે જાય એવું પણ અસંભવિત તો નથી જ. એટલે કાળકૃત નાટ્ય નથી.. પણ સંસારતરણનું સ્વરૂપકૃત નૈદ્ય તો છે જ, ને તેથી અનંતરકારણ તરીકે માન્ય છે. ટબામાં હવે પછીની પંક્તિ આ પ્રમાણે છે – એહ ૨ નું જ અન્ય કારણતા, પ્રયોજકતા એ બિ બીજાં નામ કહઈ છઇ, તે જાણવું. ટબાની આ પંક્તિનો વાસ્તવિક અર્થ આવો છે કે - આ સમુચિતશક્તિ અને ઓઘશક્તિ. આ બેનાં જ અન્ય = નૈયાયિક વગેરે કારણતા અને પ્રયોજકતા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઢાળ-૨ : ગાથા-૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એહ ૨ નું જ અન્ય કારણતા, પ્રયોજકતા એ બિ બીજાં નામ કહઈ છઈ તે જાણવું. ||ર-૭ || ધરમ શક્તિ પ્રાણીનઈ, પૂરવ પુગલનઈ આવર્તઈ રે ! ઓઘઈ, સમુચિત જિમ વલી કહિછે, છેહલિ આવર્તઈ રે ! જિન-૮ ટબો - આત્મદ્રવ્યમાંહિ એ બે શક્તિ ફલાવઈ છઇ-જિમ-પ્રાણીનઈ-ભવ્ય જીવન પૂર્વ કહેતાં પહિલા પુદ્ગલપરાવર્તન અનંત વીત્યાં, તેહમાં પણિ ઓઘઇ-સામાન્યઇ, નહી તો છેહલઈ પુદ્ગલપરાવર્તનઈ તે શક્તિ ન આવઈ, “નાસતો વિદતે માવ: રૂત્યવિવરના” અનઈ છેહલઈ પુગલપરાવર્તઇ ધર્મની સમુચિત શક્તિ કહિછે, મત વ - અચરમ પુદ્ગલપરાવર્ત ભવએવાં બે બીજાં નામ કહે છે એ જાણવું.... એટલે કે નૈયાયિક વગેરે સમુચિતશક્તિ (અનંતર કારણતા)ને કારણતા કહે છે. અને ઓઘશક્તિને (પરંપર કારણતાને) પ્રયોજકતા કહે છે. આ અર્થ એકદમ સ્પષ્ટ છે. સત્ય છે.. સરળ છે.. પણ કોઈપણ કારણવશાત્ પૂર્વના વિવેચનકારોએ ટબાના આ વાક્યમાં રહેલા “અન્ય’ શબ્દને કારણતા શબ્દની સાથે જોડી દીધો. અન્ય કારણતા શબ્દ બનાવી દીધોપછી સમુચિત શક્તિનું અન્ય કારણતા આવું નામ શી રીતે ઘટે એની ઘણી મથામણ કરી છે કે અહીં અનન્યકારણતા શબ્દ હોવો જોઈએ વગેરે કલ્પના કરી છે. પણ આ કશું આવશ્યક નથી એ જાણવું. I૧૬ો. ગાથાર્થ : પ્રાણીને પૂર્વ = અચરમ પુદ્ગલપરાવર્તમાં ઓઘથી ધર્મશક્તિ હોય છે અને છેલ્લા આવર્તમાં સમુચિતશક્તિ હોય છે એમ કહેવું. ર-ટા વિવેચન : આત્મદ્રવ્યમાંહિં. ઓઘશક્તિનું અને સમુચિતશક્તિનું લૌકિક (અથવા પૌલિક) દૃષ્ટાન્ન આપીને હવે અલૌકિક (અથવા આધ્યાત્મિક) દૃષ્ટાન્ન આપવું છે, માટે હવે એ બંને શક્તિઓને આત્મદ્રવ્યમાં ઘટાવે છે - ગાથામાં જે “પ્રાણીનઈ' શબ્દ છે એનો ટબામાં “ભવ્યજીવનઇ એવો અર્થ કર્યો છે.. અર્થાત્ અભવ્યમાં ધર્મની ઓઘશક્તિ પણ માન્ય નથી એ જાણવું. શંકા - અભવ્યજીવ પણ ઠેઠ નવમા રૈવેયકમાં લઈ જાય એવા નિરતિચાર સંયમધર્મની સાધના કરે છે. તો એનામાં શક્તિનો નિષેધ શા માટે ? સમાધાન - એ માત્ર બાહ્યદષ્ટિનો ધર્મ હોય છે, વાસ્તવિક નહીં, માટે. શંકા - દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે (બચાવે) તે ધર્મ. આવી ધર્મની વ્યાખ્યા છે. નવમા રૈવેયક વગેરેમાં જનારા અભવ્યની દુર્ગતિ પણ ટળે જ છે. આમ ધર્મ પોતાનું કાર્ય પણ કરી જ રહ્યો છે, પછી એને માત્ર દેખાવનો - બહારનો શી રીતે કહેવાય ? સમાધાન - છતાં એ દુર્ગતિનું ટાળવું કામચલાઉ હોય છે, હંમેશનું નહીં. અથવા તો ધર્મ Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૯ બાલ્યકાલ કહિઓ છઇ. અનઇ છેહલો પુદ્ગલપરાવર્ત ધર્મ યૌવનકાલ કહિઓ છઇ. अचरमपरिअट्टेसुं, कालो भवबालकालमो भणिओ । चरमो उ धम्मजुव्वणकालो, तहचित्तभेओ ति ॥ ઋતુવિંશતિવિંશિામધ્યે ૪-૫ કાર-૮।। “કારયભેદ, શક્તિભેદ” ઇમ વ્યવહારિ વ્યવહારઇ રે । નિશ્ચય “નાના કારય-કારણ એકરૂપ” તે ધરિઇ રે ! જિન૰ ॥ ૨-૯ ॥ ટબો - ઇમ એકેક કાર્યની ઓઘ-સમુચિત રૂપ અનેક શક્તિ એક દ્રવ્યની પામિઇ. તે વ્યવહારનયઇ કરીનઇ વ્યવહા(હ)રિઇ. તે નય કાર્ય કારણ ભેદ માનઇ છઇ. નિશ્ચયનયથી ૬૩ શબ્દનો એક અર્થ સ્વભાવ થાય છે.. આત્માના સ્વભાવને પ્રગટાવનારો કે સ્વભાવભૂત બનનારો ધર્મ અભવ્યના આત્મામાં ક્યારેય પ્રગટતો નથી.. માટે એ આત્માઓમાં ધર્મની ઓધશક્તિ પણ હોતી જ નથી. તેથી એની બાદબાકી કરવા અહીં ‘ભવ્યજીવને’ એમ ‘ભવ્ય' એવું વિશેષણ જોડ્યું છે. ભવ્યજીવને અચ૨માવર્તમાં પણ ધર્મની ઓઘશક્તિ તો હોય જ છે, નહીંતર ચ૨માવર્તમાં સમુચિતશક્તિ આવી શકે નહીં.. કારણકે જે બિલકુલ અસત્ હોય એ શશશૃંગ વગેરેની જેમ ક્યારેય આવિર્ભાવ પામતું નથી. પૂર્વે વીતેલા અનંતા અચરમાવર્તોમાં રહેલી આ ઓઘશક્તિ જ ચરમાવર્તમાં સમુચિતશક્તિમાં રૂપાંતરિત થાય છે. એટલે જ અચરમ પુદ્ગલપરાવર્તને ભવબાલ્યકાળ કહ્યો છે અને છેલ્લા પુદ્ગલપરાવર્તને ધર્મયૌવનકાળ કહ્યો છે. સૂરિપુરંદર શ્રીહરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે વિંશતિવિંશિકાની ચોથી વિંશિકાના ૧૯ માં શ્લોકમાં કહ્યું છે કે - અચરમાવર્તમાં કાળ સંસારના બાલ્યકાળ સમાન કહેવાયેલો છે. (સહજમળનો બિલકુલ હ્રાસ થયેલો ન હોવાથી ભવરોગ અસાધ્યકક્ષામાં હોવાના કારણે ધર્મઔષધ અકિંચિત્કર બની રહે એવો કાળ છે.) અને ચરમાવર્ત એ ધર્મયૌવનકાળ કહેવાયેલો છે, કારણકે પહેલાં જે ગાઢમિથ્યાત્વવાસિતચિત્ત હતું તે હવે ભેદાયેલું હોય છે. u૧૭ના ગાથાર્થ : કાર્યભેદે કારણભેદ હોય છે એમ વ્યવહારનય વ્યવહાર કરે છે કહે છે. જ્યારે નિશ્ચયનય તો કાર્ય નાના=અનેક છે, પણ એનું કારણ એક છે, એમ કહે છે, તે ધારો જાણો-સમજો. ૫૨-૯ા = વિવેચન : ચાનો સ્વાદ રોજ કરતાં જુદા પ્રકારનો આવે તો આદમી તરત પૂછશે ‘આજે : ચા કોને બનાવી છે ?” બનાવનાર વ્યક્તિ એ જ હશે તો પૂછશે કે ચાની ભૂકી વગેરે કશું બદલાઈ ગયું ?” આનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે કાર્યમાં ભેદ (જુદાઈ) પ્રતીત થતો હોય તો લોક કારણમાં પણ ભેદ માને જ છે. અર્થાત્ કાર્યભેદે કારણભેદ માને છે. વ્યવહારનય લોકને અનુસરનારો Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ઢાળ-૨ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્ય-નાનાકાર્ય કારણ એકશક્તિસ્વભાવ જ હૃદયમાંહિ ધરિઇ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ. તે દેશ કાલાદિકની અપેક્ષાઇ-એકનઈ અનેકકાર્યકારણ સ્વભાવ માનતાં કોઈ દોષ છે. માટે એ પણ કાર્યભેદે કારણભેદ માને છે. એટલે તે તે દ્રવ્યમાં કાળાન્તરે જે ગુણ-પર્યાયાત્મક કાર્યો સર્જાવાના છે એ બધાની ઓઘસમુચિત શક્તિઓ (કારણતાઓ) વ્યવહારનય અલગ-અલગ માને છે. એટલે વ્યવહારનયની માન્યતા મુજબ દરેક દ્રવ્ય પોતાના આવા સંભવિત જેટલાં કાર્યો હોય એટલી અલગ-અલગ શક્તિઓ પોતાના પેટમાં સંઘરીને રહેલું હોય છે. નિશ્ચયનયથી..પણ નિશ્ચયનયની માન્યતા એવી છે કે કાર્ય ભલે અનેક હોય. દ્રવ્ય પોતાના હૃદયમાં આ અનેક કાર્યના કારણભૂત શક્તિઓ અલગ-અલગ અનેક ધારી હોતી નથી, પણ એક જ ધારી હોય છે. કારણ કે આ શક્તિ એ દ્રવ્યના સ્વભાવરૂપ છે.. અને એક દ્રવ્યનો એક જ સ્વભાવ હોય શકે, અનેક નહીં. તે પણ એટલા માટે કે સ્વભાવભેદે વસ્તુભેદ થતો હોય છે. આશય એ છે કે જળનો સ્વભાવ અલગ છે. અગ્નિનો સ્વભાવ અલગ છે. માટે બન્ને વસ્તુ અલગ છે. તેથી જણાય છે કે સ્વભાવભેદે વસ્તુભેદ થતો હોય છે. સ્વભાવભેદ થયા છતાં પણ જો વસ્તુભેદ થતો ન હોય તો આખી દુનિયામાં પછી એક જ વસ્તુ માનવાની રહે. અદ્વૈત માનવાની આપત્તિ આવે. માટે સ્વભાવભેદે વસ્તુભેદ માનવો. એટલે દ્રવ્યમાં અલગ-અલગ શક્તિરૂપ અલગ-અલગ સ્વભાવ માનવામાં આવે તો તો પછી એ દ્રવ્ય એક રહી જ ન શકે. જેટલી શક્તિઓ માનો એટલા અલગ-અલગ દ્રવ્ય માનવા પડે. પણ દ્રવ્ય તો એક જ માનવું છે. માટે શક્તિ પણ એક જ માનવી જોઈએ. શંકા - એકની એક શક્તિએ પહેલાં એ કાર્ય કર્યું.. ને પછી ૨ કાર્ય કર્યું. આવું શી રીતે માની શકાય ? જો એ કાર્યકરણશીલ છે તો હંમેશા માં કાર્ય જ કરવું જોઈએ. જો એ વ કાર્યકરણશીલ છે તો હંમેશા વ કાર્ય જ કરવું જોઈએ. ને જો ઉભયકાર્યકરણશીલ છે તો હંમેશા ઉભયકાર્ય જ કરવા જોઈએ. પણ ક્યારેક આ કાર્ય કરે. ક્યારેક વે કાર્ય કરે. આવું શી રીતે માની શકાય ? સમાધાન - જેવા દેશ-કાળાદિ સહકારી કારણો મળે એ પ્રમાણે એ કાર્ય કરે છે. અમુક પ્રકારના સહકારી મળે તો માં કાર્ય કરે.. અમુક પ્રકારના મળે તો કાર્ય કરે. શંકા - તો પણ, અમુક સહકારી મળે તો માં કાર્ય કરવું. બીજાં અમુક સહકારી મળે તો વે કાર્ય કરવું. આમ બે રવભાવ થવાથી વસ્તુભેદ થઈ જ જશે ને ? સમાધાન - ના આવા બે સ્વભાવ માનેલા નથી. પણ આ બંનેના સરવાળારૂપ એક સ્વભાવ માનેલો છે. અર્થાત્ અમુક સહકારી મળે એ કાર્ય. બીજાં સહકારી મળે બે કાર્ય. આવો આખો એક અખંડ સ્વભાવ માનેલો છે. માટે કોઈ દોષ નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૯ નથી. કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિ જ અંતર્ભત છો. તેણઈ-તેહનું પણિ વિફલપણું ન હોઈ. શંકા - તમે જે સહકારી કારણ કહો છો તે સહકારીકારણ આ ઉપાદાનકારણભૂત દ્રવ્ય પર કોઈ ઉપકાર કરે છે ? જો “કરે છે એમ કહેશો તો વસ્તુભેદ થઈ જવાની આપત્તિ, કારણ કે પહેલાં એ દ્રવ્ય ઉપકારશૂન્ય હતું.. ને પછી ઉપકારવાળું બન્યું. “કશો ઉપકાર કરતું નથી” એમ જો કહેશો તો એની જરૂર જ શી છે ? સમાધાન - સહકારી કારણ ઉપકાર તો કશો કરતું નથી. તેથી વસ્તુભેદ થઈ જવાની આપત્તિ નથી. છતાં મૂળભૂત વસ્તુનો સ્વભાવ જ એવો છે (એની શક્તિ જ એવી છે) કે અમુક સહકારી મળે તો જ અમુક કાર્ય કરવું. (અર્થાત્ એને એવી અપેક્ષા છે કે એ સહકારી કારણ જોડાય તો જ કાર્ય કરવું.) માટે સહકારી કારણ પણ વિફળ=નિષ્ફળ નથી. આમ, અમુક સહકારીકારણની અપેક્ષા-એ કારણ મળે ત્યારે આ કાર્ય કરવું + બીજા સહકારીકરણની અપેક્ષા -એ કારણ મળે ત્યારે વે કાર્ય કરવું. આવો બધો એક જ સ્વભાવ ( આ બધાના સરવાળા જેવો એક જ સ્વભાવ) દ્રવ્યનો છે.. ને આ એક જ સ્વભાવભૂત શક્તિથી એ, જેવું સહકારી કારણ મળે એ મુજબ મ કે વે કાર્ય કરે છે. આવી નિશ્ચયનયની માન્યતા છે. હવે, આ વ્યવહાર અને નિશ્ચય. બંનેની માન્યતાને દૃષ્ટાન્ત દ્વારા સમજીએ.... કર્મસાહિત્યમાં સ્થિતિબંધના અધ્યવસાય, રસબંધના અધ્યવસાય, સ્થિતિસંક્રમના અધ્યવસાય. રસસંક્રમ.... સ્થિતિ ઉદીરણા.. રસઉદીરણા.. એમ ઉપશમ. નિધત્તિ. નિકાચના.. આ બધાના અધ્યવસાયો અલગ-અલગ બતાવેલા છે. વળી પ્રત્યેક સમયે સામાન્યથી આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. અર્થાત્ આ બધા જુદા જુદા અધ્યવસાયો હોય છે. ને વળી એક સમયે એક જીવને એક જ અધ્યવસાય હોવો પણ કહેવાય છે. તો એ શી રીતે ? આ પ્રશ્નનું સમાધાન આ બે નયથી કરવું જોઈએ. વ્યવહારનય સ્થિતિબંધ વગેરેના કારણભૂત અધ્યવસાયોને અલગ-અલગ કહે છે ને એને નજરમાં રાખીને અલગ-અલગ અધ્યવસાયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (પણ એના મતે સ્વભાવભેદે વસ્તુભેદનો નિયમ ન હોવાથી જીવ અનેક થઈ જવાની આપત્તિ નથી.) અને આ બધા અધ્યવસાયોથી સંવલિત થઈને બનેલો એક પરિણામ આ એક જ અધ્યવસાય છે...ને એ એક જ પરિણામ આ બધાં કાર્યો કરે છે..” એવું નિશ્ચયનય માને છે.. આશય એ છે કે – સૂતરના પાંચ રેસાઓ વણીને એક પાતળી દોરી બનાવી. આવી ચાર દોરીઓ વણીને એક દોરડી બનાવી. એવી પાંચ દોરડીઓ ભેગી કરીને એક જાડું મજબુત દોરડું બનાવ્યું. એટલે કે એક દોરડામાં પાંચ દોરડી.. ૨૦ દોરી. ૧૦૦ રેસા છે. આ દોરડાની જે ૨૦ દોરીઓ છે એ દરેકને છેડે એક-એક વસ્તુ બાંધી છે ને દોરડું ઊંચકવા દ્વારા બધી વસ્તુઓ ઊંચકાયેલી છે. આમાંથી વ્યવહારનય એમ કહે છે કે દોરડામાં ૨૦ અલગ-અલગ દોરીઓ છે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬ કચ્છ 3 ઢાળ-૨ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તથા શુદ્ધનિશ્ચયનયનઈ મતઈ કાર્ય મિથ્યા છઇ. “આતાવને યજ્ઞપ્તિ, વર્તમાનેડપિ તથા રૂતિ વેદનાત્ કાર્ય-કારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂ૫ દ્રવ્ય જ છે, તે જાણવું. પાર-તા ને એ દરેકે એક-એક વસ્તુ ઊંચકેલી છે. એટલે કે જુદી જુદી વસ્તુઓને ઊંચકવાનું કામ જુદી જુદી દોરીથી થઈ રહ્યું છે. નિશ્ચયનય તો દોરડાને એક જ અખંડ વસ્તુરૂપે જોઈ રહ્યો છે. એ કહે છે કે જો અલગ-અલગ દોરીઓ દેખાતી હોય તો એ અલગ-અલગ વસ્તુ જ થઈ જાય ને તો એક અખંડ દોરડું રહી શકે જ નહીં. માટે એક જ દોરડું છે ને એને જ વીસે વીસ વસ્તુઓને ઊંચકેલી છે. એટલે જ અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થમાં મોક્ષના અનંતરકારણની ચર્ચામાં ઋજુસૂત્રનય કેવલજ્ઞાન અને સર્વસંવરરૂપ ચારિત્ર આ બંનેને સ્વતંત્ર કારણરૂપે ન કહેતાં આ બંનેથી સંવલિત પરિણામરૂપ પરિણત થયેલ એક અખંડ ચરમક્ષણને કારણ કહે છે એમ દર્શાવ્યું છે. ઋજુસૂત્ર એ નિશ્ચયનય છે જ. પુદ્ગલમાં વિચારીએ તો.... ઉત્તરક્ષણીય પુદ્ગલમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ આ ચાર જે ઉત્પન્ન થયેલા છે એ બધા પ્રત્યે વ્યવહારનય અલગ-અલગ કારણ માને છે. અર્થાત્ ઉત્તરક્ષણાયરૂપ પ્રત્યે પૂર્વેક્ષણીય રૂપ કારણ છે. ઉત્તરક્ષણીય રસ પ્રત્યે પૂર્વેક્ષણીય રસ કારણ છે. આમ કાર્ય પણ અનેક ને કારણ પણ અનેક એમ માને છે. નિશ્ચયનય એમ કહે છે કે પૂર્વલણીય રૂપ-રસ-ગંધ-સ્પર્શ. આ ચારેથી સંવલિત જે એક પર્યાય છે તે જ ઉત્તરક્ષણીય આ ચારેને ઉત્પન્ન કરે છે. એટલે કે કાર્ય અનેક છે, કારણ એક છે. અલબત્ આ નિશ્ચયનય ખરો. પણ અશુદ્ધ છે. હજુ થોડા શુદ્ધ નિશ્ચયનયની વાત કરવી હોય તો, પૂર્વેક્ષણની જેમ ઉત્તરક્ષણને પણ રૂપ-રસાદિ ચારેથી સંવલિત એક જ પરિણામરૂપે પરિણમેલ પર્યાયરૂપ માનશે.. ને એ એક કાર્ય માટે પૂર્વેક્ષણ એ એક કારણ એમ કહેશે.. અત્યંત શુદ્ધ નિશ્ચયનયની વિચારણા કરતાં ગ્રન્થકાર કહે છે કે – તથા શુદ્ધનિશ્ચયનય. શુદ્ધ નિશ્ચયનયના મતે કાર્ય મિથ્યા છે, કારણ કે આગળ-પાછળ જે ન હોય તે મધ્યકાળમાં પણ ન જ હોય એવો નિયમ છે. અર્થાત્ માટીકાળે ઘડો નથી, કપાલકાળે ઘડો નથી. તો વચલાકાળમાં પણ ન જ હોવો જોઈએ. શંકા - પણ વચલા કાળમાં તો એ ઘડારૂપે દેખાય છે ને ! સમાધાન - દૃષ્ટિને જરા સૂક્ષ્મ બનાવો. માટી ઊભી છે કે નહીં ? જો ઊભી છે તો પછી ઘડો શી રીતે બને ? ૧૦૦ ગ્રામ માટી ને ૧૦૦ ગ્રામ ઘડો.. એમ ૨૦૦ ગ્રામ વજન શું થાય ? વજન તો ૧૦૦ ગ્રામ જ થાય છે. એટલે ક્યાં તો માટી છે ને ક્યાં તો ઘડો છે. બંને દેખાતા હોવા છતાં બંને હોય તો ન જ શકે. તો હવે કોનું અસ્તિત્વ માનવું? એટલે માવાવન્ત ૨ યુનાતિ... ન્યાય કહે છે કે તો પછી માટીનું જ અસ્તિત્વ માનવું જોઈએ. કારણ કે આગળ-પાછળની અવસ્થામાં તો Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૯ માટીને માનવાની જ છે. એટલે વચલી અવસ્થામાં એને ન માનવી ને ઘડાને માનવો એમાં ગૌરવ છે. તે આ રીતે-વચલી અવસ્થાના પ્રારંભે ઘટોત્પત્તિ, માટીનાશ, અને અંતે ઘટનાશ, માટી ઉત્પત્તિ... આ બધું માનવું પડે છે. વચલી અવસ્થામાં પણ માટી જ માનવામાં આમાંનું કશું માનવાનું ન રહેવાથી લાઘવ છે. માટે મધ્યમાં પણ માટી જ માનવી જોઈએ. આમ, આગળ-પાછળ ઘડો નથી.. તો વચ્ચે પણ નથી.. એ ન્યાયે ઘડા જેવા કાર્ય માત્રનો અભાવ સિદ્ધ થઈ ગયો.. હવે માટીનો વિચાર કરીએ તો એ પણ પૂર્વે ઔદારિકવર્ગણા હતી.. ને કાળાન્તરે ઔદારિકવર્ગણામાં જ ભળી જવાની છે. એટલે કે માટી પણ પોતાના અવસ્થાનકાળની આગળ-પાછળ હોતી નથી.. તો મધ્યકાળમાં પણ એને માનવાની જરૂર નથી જ, માત્ર ઔદારિકવર્ગણા જ માનવાની. કારણકે એમાં લાઘવ છે. એ જ રીતે ઔદારિકવર્ગણા પણ શાશ્વત તો નથી જ.. માટે આગળ-પાછળ હોતી નથી. હોય છે માત્ર પુગલ.. પુદ્ગલત્વેન શાશ્વત. એ નથી ઉત્પન્ન થતું.. નથી નાશ પામતું. નથી એમાં હોતો આગળ-પાછળ કે મધ્ય જેવો કાળ વિભાગ.. પૂર્વે જેવું પુદ્ગલરૂપે હતું.. એવું જ વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ એવું જ રહેવાનું છે. એમાં કોઈ જ ફેરફાર ક્યારેય પણ થતો નથી. (કારણ કે થાય તો એ ફેરફાર મધ્યકાલીન બનવાથી ઉપર જણાવ્યા મુજબ કાવત્તે. ન્યાયથી એને નાસ્તિ કહેવો જ ઉચિત રહે.) આમ ફેરફાર નથી એનો અર્થ કાર્ય નથી. કાર્ય જ નથી.. તો કારણ કોનું ? માટે કારણ પણ નથી. એટલે કાર્યકારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિત સ્વરૂપવાળું (કૂટસ્થનિત્ય) દ્રવ્ય જ છે, એ સિવાય કોઈ કાર્યકારણ છે નહીં, એમ શુદ્ધનિશ્ચયનય કહે છે. આ જ વાતને આત્મદ્રવ્યમાં પણ આ રીતે લાગુ પાડી શકાય છે - જીવ નિગોદાદિમાં પરિભ્રમણ કરી રહ્યો હોય છે ત્યારે એની ભીતરમાં – અંતસ્તલમાં કેવલજ્ઞાન અક્ષત હોય છે કે નાશ પામી ગયું હોય છે ? આ વિચારીએ. કાર્યને જે મહદંશે અનુરૂપ હોય એને જ કારણ માની શકાય. આગિયાએ સૂર્ય પેદા કર્યો આવું ક્યારેય સંભવી શકે નહીં. કેવલજ્ઞાન એક એવું અચિન્ત-મહિમાશાળી-(આપણા માટે) કલ્પનાતીત મહાસામર્થ્યવાળું તત્ત્વ છે કે એને ઉત્પન્ન કરવું હોય તો એને અનુરૂપ કારણ આખા વિશ્વમાંથી મળે જ શી રીતે ? મતિજ્ઞાનાદિ ચારે સંભવિત સર્વોત્કૃષ્ટ માત્રામાં હોય ને ભેગા થાય તો પણ સૂર્યની સામે આગિયા જેવા છે.. એ કેવલજ્ઞાનને પેદા કરી શકે એવી કોઈ સંભાવના જ નથી. એનો અર્થ જ કે કેવલજ્ઞાન ક્યારેય ઉત્પન્ન થઈ શકે એવી વસ્તુ નથી.. પણ સર્વજ્ઞના આત્મામાં એ હોય તો છે જ. માટે માનવું પડે કે એ પહેલાં પણ એવું અક્ષત જ હતું.. નવું ઉત્પન્ન થયેલું હોતું નથી. આને જ બીજી રીતે કહીએ તો. એક લેમ્પ ઝળહળી રહ્યો છે. એના પર ગ્લાસ મૂક્યો... ગ્લાસ પર તપેલી. તપેલી પર બાલ્દી. બાલ્દી પર ડબ્બો.. ડબ્બા પર કોઠી.. હવે એનો બહાર લગભગ કોઈ જ પ્રકાશ જણાતો નથી. એકાદ કિરણ પણ પ્રતીત થતું નથી. છતાં અંદર તો એ લેમ્પ એવો જ ઝળહળી રહ્યો છે. આ જ રીતે ગમે એટલાં ગાઢ આવારક કર્મો આવે તો પણ કેવલજ્ઞાન તો આત્માના ભીતરી સ્તરમાં એવું ને એવું ઝળહળી રહ્યું હોય છે. કર્મોની એને કોઈ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઢાળ-૨ : ગાથા-૧૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ગુણ પર્યાય વિગતિ બહુ ભેદઇ, નિજ નિજ જાતિ વરતઇ રે । શક્તિરૂપ ગુણ કોઈક ભાષઇ, તે નહી મારગી નિરતઇ રે । જિનol ૨-૧૦॥ ટબો-ઇમ શક્તિરૂપઇ દ્રવ્ય વખાણિઉં. હવઇ-વ્યક્તિરૂપ ગુણપર્યાય વખાણઇ છઇ. ગુણ પર્યાય વ્યક્તિ બહુ ભેદઇ=અનેક પ્રકારિ, નિજ નિજ જાતિં-સહભાવી, ક્રમભાવી, કલ્પનાકૃત આપ આપણઇ સ્વભાવ વર્તઈ છઈ. અસર હોતી નથી.. વળી કેવળજ્ઞાનની સાથે મતિજ્ઞાન વગેરે છાપ્રસ્થિકજ્ઞાન તો સંભવતા જ નથી.. એટલે, બહાર કેવો ને કેટલો જ્ઞાનપ્રકાશ રેલાય છે ? એ ગૌણ છે.. અંદર તો માત્ર ને માત્ર.. અક્ષત.. શુદ્ધ એકસમાન કેવલજ્ઞાનનો જ ઝળહળાટ હોય છે.. આવું જ આત્માના અન્ય બધા જ વિશુદ્ધ ગુણો માટે છે.. માટે આત્માના ભીતરીસ્તરમાં તો હંમેશા એનું શુદ્ધ અવિચલિત સ્વરૂપ જ સ્ફુરાયમાણ હોય છે. હવે x-ray જેમ ઉપરનાં વસ્ત્રો.. ઉપરની ચામડી... અંદરની ચામડી.. આ બધાને વીંધીને સીધું અંદરના દૃશ્યને જ જુએ છે.. એવી શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ છે.. એટલે બહારની ગમે તેવી વિવિધ-વિષમ પરિસ્થિતિઓ હોય.. એને એ લક્ષ્યમાં લેતો જ નથી. એ બધાને આરપાર વીંધી અંદરના શુદ્ધસ્વરૂપને જ જુએ છે.. ને એ તો જીવ બાહ્યદૃષ્ટિએ નિગોદમાં હોય.. પૃથ્વીકાયાદિમાં હોય.. વિકલેન્દ્રિયમાં હોય.. પંચેન્દ્રિયમાં હોય.. ક્રોધી હોય કે ઉપશાંત હોય.. જ્ઞાની હોય કે મૂરખ હોય.. એકથી ચૌદમાંના કોઈપણ ગુણઠાણે હોય કે સિદ્ધાવસ્થામાં હોય.. અંદરનું એ શુદ્ધ સ્વરૂપ તો એવું ને એવું અક્ષત ઝળહળાટ ભરેલું સ્કુરાયમાણ જ હોય છે. એમાં ત્રણેકાળમાં ક્યારેય પણ કોઈપણ ફેરફાર વિચલન થતો જ નથી.. ફેરફાર નથી એનો અર્થ જ કાર્ય નથી.. કાર્ય નથી.. માટે કારણ નથી.. એટલે કાર્ય કારણ કલ્પનારહિત શુદ્ધ અવિચલિત દ્રવ્ય જ આ વિશ્વમાં છે.. એ સિવાય કશું નથી.. એમ આ શુદ્ધ નિશ્ચયનય કહે છે. ॥ ૧૮ ॥ – ગાથાર્થ : ગુણ-પર્યાય વ્યક્તિઓ અનેક પ્રકારે વર્તે છે.. પણ પોતપોતાની જાતિને અનુસરીને વર્તે છે. કોઈક વિદ્વાન શક્તિરૂપ ગુણ કહે છે તે રૂડે માર્ગે નથી. II ૨-૧૦ ॥ વિવેચન : આમ શક્તિરૂપ દ્રવ્ય જણાવ્યું.. એમાં વ્યવહારનયે જેટલાં ગુણ-પર્યાયાત્મક કાર્ય એટલી કારણભૂત શક્તિઓ.. અશુદ્ધ નિશ્ચયનયે જેટલા ગુણ-પર્યાય એટલા કાર્ય પણ કારણભૂત શક્તિ એક. કંઈક શુદ્ધ નિશ્ચયનયે કાર્ય પણ એક, કારણ પણ એક.. અને સર્વશુદ્ધનિશ્ચયનયે કાર્યકારણભાવ છે જ નહીં.. માત્ર શુદ્ધ અવિચલિત સ્વરૂપવાળું દ્રવ્ય જ છે. આ રીતે દ્રવ્યનું નિરૂપણ કર્યા પછી હવે વ્યક્તિરૂપ ગુણ-પર્યાયનું નિરૂપણ કરે છે. ભિન્ન ભિન્ન આકારરૂપ પર્યાયને ધારણ કરવાની શક્તિ એ જ દ્રવ્ય છે. પાણીમાં કેટલા આકાર ધારણ કરવાની શક્તિ પડી છે ? જેવું પાત્ર મળે એવા બધા આકાર ધારણ કરી શકે. અરે ! પાણી જમીન પર ઢોળાયેલું હોય ત્યારે, આપણી નજરે પણ ન ચડે એવું જમીનનું જે Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૦ ૬૯ કોઈક દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાષઈ છઇ. જે માટછે તે ઈમ કહઈ છઈ જે - જિમ-દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિન ગુણપર્યાયનું કારણ ગુણ. દ્રવ્યપર્યાય = દ્રવ્યનો અન્યથા ભાવ. જિમ નર-નારકાદિક. અથવા ચણક-ચણકાદિક. ગુણપર્યાય-ગુણનો અન્યથાભાવ. જિમ ઊંચા-નીચાપણું હોય એને આધીન અમુક આકારને પાણી ધારણ કરી જ લેશે. આકાર વિનાના પાણીને જોઈ શકાય ? જાણી શકાય ? કલ્પી શકાય ? આપણા જ્ઞાનનો એ વિષય જ બની શકતું નથી.. અર્થાત્ એ અવ્યક્ત બની જાય છે. કોઈ પણ આકાર ધારણ કરીને જ એ આપણા જ્ઞાનનો વિષય બની શકે છે. અર્થાત્ વ્યક્ત થાય છે. માટે આકાર એ પાણીની વ્યક્તિ (અભિવ્યક્તિ) છે. આવું જ દ્રવ્ય માટે છે. પિંડ-સ્થાસાદિરૂપે જ મૃદ્ધવ્ય વ્યક્ત થઈ શકે છે. એ સિવાય નહીં. માટે પિંડ વગેરે વ્યક્તિ છે (અને મૃદ્દવ્ય શક્તિ છે). જેમ આકારવિના દ્રવ્યની અભિવ્યક્તિ નથી. એમ વર્ણાદિ વિના પણ દ્રવ્યની અભિવ્યક્તિ નથી. રક્તવર્ણ વિગેરે સિવાય ઘટદ્રવ્યનું પ્રત્યક્ષ શું છે ? વર્ણાદિ પ્રત્યક્ષને કાઢી નાખો તો પછી ઘટપ્રત્યક્ષ તરીકે કશું બાકી રહેશે જ નહીં. અર્થાત્ ઘટાદિ પોતાના રક્તવર્ણ વગેરે ગુણો દ્વારા જ વ્યક્ત થાય છે એટલે વર્ણાદિગુણો પણ દ્રવ્યની વ્યક્તિ (અભિવ્યક્તિ) છે. એક-એક દ્રવ્યની અભિવ્યક્તિ અનેકરૂપે થઈ શકતી હોવાથી ગુણ-પર્યાયરૂપ વ્યક્તિ બહુભેટે =અનેકપ્રકારે હોય છે. આમાં જે ગુણો હોય છે તે સહભાવી હોય છે. જે પર્યાય હોય છે તે ક્રમભાવી હોય છે. ગુણ-પર્યાય પોતાની જાતિને = આવા જાતસ્વભાવને અનુસરીને જ વર્તે છે. અલબત્ મૂળમાં તો બન્ને પર્યાયસ્વરૂપ જ છે. માત્ર કલ્પના દ્વારા જ એના બે ભેદ કરવામાં આવ્યા છે. જેમકે, જે કાંઈ ચારિત્ર છે તે બધું મૂળમાં તો સામાયિક જ છે. પણ પછી ઉપાધિવશાત્ એના છેદો પસ્થાપનીય વગેરે વિશેષો ભેદો કર્ભેલા છે. એટલે છેદ-ઉપસ્થાપના વિશિષ્ટ સામાયિક એ છેદોપસ્થાપનીયચારિત્ર. પરિહારવિશુદ્ધિ વિશિષ્ટ સામાયિક એ પરિહારવિશુદ્ધિચારિત્ર. એમ સૂક્ષ્મસંપરાય તથા યથાખ્યાત માટે જાણવું.. અને આ બધા સિવાય બાકી રહી ગયેલું સંયમ એ સામાયિકચારિત્ર. એમ પ્રસ્તુતમાં જે સહભાવી પર્યાયો છે તે બધા ગુણ કહેવાય.. અને બાકીના ( ક્રમભાવી) પર્યાયોને પર્યાય કહેવાના... આમ એક વિશિષ્ટ કલ્પના દ્વારા એ બેનો અલગ-અલગ સ્વભાવ-ભેદ કરવામાં આવ્યો છે એ જાણવું. કોઈક દિગંબરાનુસારી .. જેમ પિંડ-સ્થાસ વગેરે અનેક આકાર ધારણ કરવાની શક્તિ એ મૃદ્રવ્ય છે અને આ પિંડ વગેરે એના પર્યાય છે. એમ કૃષ્ણ-નીલ વગેરે તથા એક ગુણકૃષ્ણ... દ્વિગુણકૃષ્ણ.. શતગુણકૃષ્ણ. વગેરે રૂપ અનેક અવસ્થાઓને ધારણ કરવાની શક્તિ એ વર્ણ ગુણ છે અને આ કૃષ્ણ-નીલાદિ એના પર્યાય છે. એમ મધુર-તિક્તાદિ અવસ્થાઓને ધારણ કરવાની શક્તિ એ રસગુણ છે અને મધુર-તિક્તાદિ એના પર્યાય છે. આવું જ ગંધાદિ માટે જાણવું.. એમ, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે અવસ્થાઓને ધારણ કરવાની શક્તિ એ જ્ઞાનગુણ છે અને મતિજ્ઞાનાદિ અવસ્થાઓ એના પર્યાય છે. આ વર્ણ-રસાદિ શક્તિઓ કે જ્ઞાનાદિશક્તિઓ પણ ઇતર અપ્રવેશી છે. માટે વર્ણશક્તિ ક્યારેય મધુરરસારિરૂપે પરિણમતી નથી. અનંતાનંત કાળ પસાર થઈ જાય તો Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઢાળ-૨ : ગાથા-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ મતિ-શ્રુતાદિ વિશેષ. અથવા સિદ્ધાદિ કેવલજ્ઞાન વિશેષ. ઈમ દ્રવ્ય ૧, ગુણ ૨, એ જાતિ શાશ્વત, અનઇ-પર્યાયથી અશાશ્વત, ઈમ આવ્યું. એહવું કહઈ છઈ, તે નિરાઈ-રૂડઈ માર્ગઈ નહીં. જે માર્ટિ એ કલ્પના શાસ્ત્રિ તથા યુક્તિ ન મિલ. / ૨-૧૦ || પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખીઓ, સમ્મતિ ગ્રંથિં વિગતિ રે ! જેહનો ભેદ વિવફાવશથી, તે કિમ કહિઈ શક્તિ રે ! જિન) મે ૨-૧૧ ટબો - પર્યાયથી ગુણ ભિન્ન કહતાં - જુદો ભાખીઓ નથી. સમ્મતિ ગ્રંથિં, વ્યક્તિ પ્રગટ અક્ષરઈ. તથાતિપણ કોઈપણ પુદ્ગલ ક્યારેય પણ વર્ણાદિ ચારમાંથી એકથી પણ શૂન્ય બનતું નથી. કૃષ્ણાદિ કોઈક ને કોઈક વર્ણ.. મધુરાદિ કોઈક ને કોઈક રસ.. વગેરે હોય. હોય.. ને હોય જ. એટલે વર્ણશક્તિરૂપે ગુણ શાશ્વત છે ને કૃષ્ણાદિ પર્યાયરૂપે અશાશ્વત છે. રસશક્તિરૂપે ગુણ શાશ્વત છે.. ને મધુરાદિપર્યાયરૂપે અશાશ્વત છે. આ જ રીતે ઉપયોગશક્તિરૂપે ગુણ શાશ્વત છે અને મતિજ્ઞાનાદિ પર્યાયરૂપે અશાશ્વત છે.. કેવલજ્ઞાન થયા પછી પણ ભવસ્થકેવલજ્ઞાન - સિદ્ધસ્થ કેવલજ્ઞાન વગેરે ભેદો જાણવા. સિદ્ધાવસ્થામાં પણ પ્રથમસમયસિદ્ધસ્થ કેવલજ્ઞાન. દ્વિતીયસમયસિદ્ધસ્થ-કેવલજ્ઞાન વગેરે ક્ષણિક અવસ્થાઓરૂપ અશાશ્વત પર્યાય સંભવે છે. આ બધા ગુણરૂપ શક્તિના પર્યાયો છે. અર્થાત્ ગુણના પર્યાયો છે. એટલે, નર-નારકાદિરૂપે જીવ દ્રવ્યનો થતો અન્યથાભાવ એ જીવદ્રવ્યના પર્યાય છે. ચણક-ચણુકાદિરૂપે થતો પુદ્ગલદ્રવ્યનો અન્યથાભાવ એ પુદ્ગલદ્રવ્યના પર્યાય છે. એમ, કૃષ્ણનીલાદિરૂપે થતો વર્ણગુણનો અન્યથાભાવ એ વર્ણગુણના પર્યાય છે.. મતિજ્ઞાન વગેરે રૂપે થતો ઉપયોગગુણનો અન્યથાભાવ એ ઉપયોગગુણના પર્યાય છે. આમ શક્તિ બે પ્રકારની છે - દ્રવ્યશક્તિ અને ગુણશક્તિ.. અને પર્યાય પણ બે પ્રકારના છે - દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય. આ દિગંબરનો મત કહ્યો. ગ્રન્થકાર આ અંગે કહે છે કે આવું કહેનાર દિગંબર રૂડ યોગ્ય માર્ગ નથી. કારણકે આ વાત શાસ્ત્રસંમત નથી.. ને યુક્તિસંગત નથી. ૧૯ | ગાથાર્થ સમ્મતિગ્રંથમાં વિગતિ = વ્યક્તપણે = સ્પષ્ટ અક્ષરો દ્વારા પર્યાયથી ગુણ ભિન્ન ન હોવો ભાખીયો = કહ્યો છે. એવા પ્રકારની ચોક્કસ વિવક્ષાવશાત્ જ જેનો ભેદ છે તેને શક્તિરૂપે શી રીતે કહેવાય ? || ૨-૧૧ | વિવેચન : ગુણના પણ પર્યાય માનનારો દિગંબર રૂડે માર્ગે નથી એ હવે ગ્રન્થકાર દર્શાવી રહ્યા છે. સમ્મતિગ્રન્થમાં પર્યાયથી ગુણ ભિન્ન હોતા નથી.... ( પર્યાય અને ગુણ ભિન્ન ભિન્ન Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૧ परिगमणं पज्जाओ, अणेगकरणं गुणत्ति एगट्ठा । तह वि ण गुण त्ति भण्णई, पज्जवणयदेसणा जम्हा ॥ ३-१२ ।। જિમ ક્રમભાવિપણું પર્યાયનું લક્ષણ છઇ, તિમ અનેક કરવું તે પણિ-પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય તો એક જ છઇ. જ્ઞાન-દર્શનાદિક ભેદ કહઈ છઈ તે પર્યાય જ છઇ, પણિ ગુણ ન કહિછે. જે માર્ટિ-દ્રવ્ય-પર્યાયની દેશના ભગવંતની છઇ. પણિ-દ્રવ્ય-ગુણની દેશના નથી એ ગાથાર્થ. નથી.... પણ એક જ છે) આવું સ્પષ્ટ અક્ષરો દ્વારા કહ્યું છે. ત્યાં ૩-૧૨ મી ગાથામાં કહ્યું છે કે –પરિગમન, પર્યાય, અનેકકરણ અને ગુણ... આ ચારે શબ્દો એકાર્થક છે. (અથવા પરિગમન = ચારે બાજુથી-સર્વથા પિંડાદિ અવસ્થાને પામવું એ પર્યાય છે. ગુણન = અનેકકરણ એ ગુણ છે. આમ વ્યુત્પત્તિ અલગ-અલગ હોવા છતાં, આ ગુણ અને પર્યાય એ બન્ને શબ્દો એકાર્થક છે.) પર્યાયવાચી છે. જેમ મૃદ્ધવ્ય પિંડ-સ્થાસ વગેરે જે આકારને ધારણ કરે છે તે સર્વથા કરે છે... અમુકભાગ પિંડાકાર અમુક સ્થાસાકાર.. આમ નથી હોતું..એમ પરમાણુ કે યણુકાદિ સ્કંધ જે રક્તાદિ વર્ણને ધારણ કરે છે તે સર્વથા કરે છે...અંશતઃ નહીં...બન્નેના મિશ્રણવાળી અવસ્થા પણ જે મળતી હોય છે, તે મિશ્રણ” (ચિત્રરૂપ)... આ પણ એક સ્વતંત્ર અલગ જ પ્રકાર છે. ને એને દ્રવ્ય સર્વથા અપનાવ્યો હોય છે. આત્મા પણ મતિ-શ્રુતજ્ઞાનાદિરૂપે સર્વથા જ પરિણમે છે. એટલે પર્યાયનું પરિગમન=સર્વતો વ્યાપ્તિ એવું જે લક્ષણ છે તે ગુણમાં પણ હોય જ છે. માટે “ગુણ” પણ મૂળમાં તો પર્યાય છે જ. શંકા - તો પછી ક્રમભાવીપર્યાયરૂપ પિંડસ્થાસાદિને પણ “ગુણ' જ કહો ને ? સમાધાન - ના, પિંડાદિને “ગુણકહેવાતા નથી, કારણ કે ભગવાનૂની દેશના પણ ગુણનયદેશના એવું નામ ધારણ કરતી નથી, પણ પર્યાયન દેશના એવું જ નામ ધારણ કરે છે..... (અર્થાત્ “પર્યાય શબ્દ જ મુખ્ય છે.. “ગુણ” શબ્દ ગૌણ છે.) (તે પણ એટલા માટે કે પર્યાય શબ્દથી ગુણ પકડાઈ જાય છે. ગુણ શબ્દથી પર્યાયો પકડાતા નથી.) સમ્મતિગ્રન્થના આ અધિકારથી સ્પષ્ટ થાય છે કે ગુણ કાંઈ પર્યાયથી અલગ નથી. પોતે જ પર્યાયસ્વરૂપ છે. માટે એના પણ પર્યાય હોવાની વાત ઊભી રહી શકતી નથી. આ જ ગાથાને ટબામાં કંઈક ખોલે છે. જિમ ક્રમભાવિપણું... જેમ ક્રમભાવિત્વ એ પર્યાયનું લક્ષણ છે એમ અનેકકરણ એ પણ પર્યાયનું જ લક્ષણ છે. દ્રવ્ય તો એક જ છે. એના એ જ જીવના જ્ઞાનાદિગુણો જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા.. વગેરે અનેક ભેદ કરે છે. એટલે જ્ઞાનાદિમાં અનેકકરણત્વ છે જ જે પર્યાયનું લક્ષણ હોવાથી જ્ઞાનાદિ પણ પર્યાયરૂપ જ છે. એટલે જો બેમાંથી એક જ શબ્દ વાપરવાનો હોય તો એને “પર્યાય” જ કહેવા. “ગુણ' ન કહેવા. કારણકે શાસ્ત્રકારોને “પર્યાય’ શબ્દ જ અધિક માન્ય છે. એટલે જ પ્રભુની પર્યાયોને પ્રધાન કરનાર દેશના પર્યાયદેશના કહેવાય છે, પણ ગુણદેશના કહેવાતી નથી. જો ઈમ ગુણ. શંકા - જો આ રીતે ગુણ પર્યાયથી ભિન્ન નથી તો દ્રવ્ય-ગુણ-પર્યાય એમ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ : ગાથા-૧૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ “જો ઇમ-ગુણ, પર્યાયથી ભિન્ન નથી, તો દ્રવ્ય-ગુણ-પર્યાય એ ૩ નામ કિમ કહો છો?” ઇમ કોઇ કહઇ, તેહનઇ કહિ જે વિવક્ષા કહિઇ ભેદનયની કલ્પના, તેહથી. જિમ તૈતસ્ય ધારા ઇહાં તેલ નઈ ધારા ભિન્ન કહી દેખાડ્યાં, પણિ ભિન્ન નથી. તિમ સહભાવી ક્રમભાવી કહીનઇ ગુણ-પર્યાય ભિન્ન કહી દેખાડ્યાં, પણિ પરમાર્થઇ ભિન્ન નથી. ઇમ જેહનો ભેદ ઉપચરિત છઇ, તે શક્તિ કિમ કહિઇ ? જિમ ઉપચરિત ગાય દુઝેઇ નહીં, તિમ ઉપચરિત ગુણ શક્તિ ન ધરઈ. || ૨-૧૧ ॥ ૭૨ જો ગુણ ત્રીજો હોઈ પદારથ, તો ત્રીજો નય લહિઇ રે । દ્રવ્યારથ પર્યાયારથ નય, દોઇ જ સૂત્રિં કહિઈ રે ॥ જિન૦ | ૨-૧૨ ॥ ટબો - હવઇ જે ગુણ, પર્યાયથી ભિન્ન માનઇ છઇ, તેહનઇ દૂષણ દિઇ છઇ – જો ગુણ, ત્રીજો પદાર્થ-દ્રવ્ય પર્યાયથી જુદો ભાવ હોઈ, તો ત્રીજો નય લહીઇ=પામિઇ, અનઇ સૂત્રઇ તો દ્રવ્યાર્થ પર્યાયાર્થ એ બિહુ જ નય કહિયા છઇ. ગુણ હોઇ, તો ગુણાર્થ નય પણિ કહિઓ જોઇઇ. વતં ત્ર સમ્મતૌ : ત્રણ નામ કેમ કહો છો ? સમાધાન : ભેદનયની કલ્પનારૂપ વિવક્ષાથી ગુણ અને પર્યાયનો અલગ ઉલ્લેખ કરી એ ત્રણ નામ કહેવાય છે. જેમ તેલની ધાર પડે છે.. આવા વાક્યમાં તેલ કરતાં ધારનો ભેદ દર્શાવાઈ રહ્યો છે.. પણ જે તેલ છે એ જ ધારરૂપે પડે છે. ધાર કાંઈ તેલ કરતાં અલગ નથી.. તેમ છતાં જથ્થાને તેલ કહેવું અને ધારને ધાર.. આવી વિવક્ષાથી ભેદ કહેવાય છે. એમ, સહભાવીને ગુણ કહેવા.. ક્રમભાવીને પર્યાય કહેવા.. આવી વિવક્ષાથી બંનેને ભિન્ન કહેવાય છે.. બાકી પરમાર્થથી એ બે કાંઈ ભિન્ન નથી. આમ જેનો ભેદ વાસ્તવિક નથી.. ઉપચરિત છે... તેને શક્તિ શી રીતે કહેવાય ? આશય એ છે કે ધા૨ કાંઈ તેલથી જુદી નથી. માત્ર ઉપચારથી જુદી કહેવાય છે.. તો આવા ઉપચિરત ભેદવાળી ધારમાં તેલને ઉત્પન્ન કરવાની શક્તિ હોતી નથી જ . છેવટે ધાર પોતે પણ તેલ જ છે ને.. પોતે જ પોતાને ઉત્પન્ન શી રીતે કરી શકે ? એમ છેવટે ગુણ પોતે ‘પર્યાય' જ છે.. તો પોતે પોતાને ઉત્પન્ન શી રીતે કરી શકે ? માટે ગુણને શક્તિરૂપ કહી શકાય નહીં. જેમ ઉપચિરત ગાય ક્રૂઝતી નથી એમ ઉપચિરત ગુણ શક્તિને ધારી શકતા નથી. ॥ ૨૦ ॥ ગાથાર્થ : જો ગુણ એ સ્વતંત્ર ત્રીજો પદાર્થ હોત તો ત્રીજો નય પણ શાસ્ત્રોમાં કહેલો મળત. પણ સૂત્રમાં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ નય કહેલા છે. ॥ ૨-૧૨ ॥ વિવેચન : હવઇ જે ગુણ.. જે દિગંબર ગુણને પર્યાયથી ભિન્ન માને છે એને ગ્રન્થકાર દૂષણ આપે છે - જો ગુણ એ દ્રવ્ય અને પર્યાય આ બન્નેથી અલગ સ્વતંત્ર એક ત્રીજો પદાર્થ હોત તો ત્રીજો નય પણ મળવો જોઈએ.. પણ સૂત્રમાં તો દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ એમ બે જ નય કહ્યા છે. દ્રવ્યને Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૨ दो उण नया भगवया, दव्वट्ठिय पज्जवट्ठिया णियया । ન ચ પુગુણો વિ હુંતો, ગુપટ્ટમ-નોવિ સુન્નતો | રૂ-૧૦ | (સ.પ્ર.) जं च पुण भगवया, तेसु तेसु सुत्तेसु गोयमाईणं । પષ્યવસUT ળિયા, વારિયા તેમાં પન્નાયા ! રૂ-૧૧ |(સ.પ્ર.) રૂપાદિકનઈ ગુણ કહી સૂત્રિ બોલ્યા નથી. પણિ “વUUUMવી નથuઝવ' ઇત્યાદિક પર્યાય શબ્દો બોલાવ્યા છો. તે માહિં તે પર્યાય કહિછે, પણ ગુણ ન કહિછે. અનઈ “ગુણવાન, ઈત્યાદિક ઠામિ જે ગુણ શબ્દ છઈ, તે ગણિત શાસ્ત્રસિદ્ધ પર્યાયવિશેષ સંખ્યાવાચી છઈ, પણ તે વચન ગુણાસ્તિકનયનો વિષયવાચી નથી. उक्तं च सम्मतौजंपति अस्थि समये, एगगुणो दसगुणो अणंतगुणो । વોર્ડ પરિપામો, પાડું તણાં વિસો રૂ-શરૂ (સઅ.) गुणसद्दमंतरेणवि, तं तु पज्जवविशेषसंखाणं । સિફ પાવર, સંરવા સત્યધખો અ ય મુળત્તિ // રૂ-૨૪ . (સ.પ્ર.) जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । દિગ્ય ગુરૂદે, તહેવ અ પિ વધ્યું છે રૂ-૨ | (સ.અ.) ઈમ ગુણ, પર્યાયથી પરમાર્થષ્ટિ ભિન્ન નથી. તો તે દ્રવ્યની પરિ શક્તિરૂપ કિમ કહિછે ? ર-૧૨ . મુખ્ય કરનાર નય એ દ્રવ્યાર્થિક .. પર્યાયને મુખ્ય કરનાર નય એ પર્યાયાર્થિક. હવે ગુણ પણ જો સ્વતંત્ર પદાર્થ હોય તો એને મુખ્ય કરનાર દૃષ્ટિકોણ પણ હોય તો ખરો જ. માટે એનો ગુણાર્થિક નય. પણ કહેલો હોવો જોઈએ. શ્રી સમ્મતિપ્રકરણમાં કહ્યું છે કે – ભગવાન્ વડે નિયત રીતે દ્રવ્યાથિર્ક અને પર્યાયાર્થિક એમ બે જ નય કહેવાયા છે. જો ગુણ પણ સ્વતંત્ર પદાર્થ હોત તો ગુણાર્થિક નય હોવો પણ યુક્ત હોત. વળી ભગવાનું વડે શ્રી ગૌતમગણધર વગેરેને તે તે સૂત્રોમાં રૂપાદિ ગુણોની “પર્યાય' સંજ્ઞા જ કહેવાયેલી છે. માટે પણ રૂપાદિ ગુણો એ પર્યાયો જ છે. શ્રી ભગવતી વગેરે સૂત્રોમાં શ્રીગૌતમ ગણધર વગેરે વડે પ્રશ્નો પૂછાયા. અને ભગવાનું વડે જવાબ અપાયા.. આમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરેને ગુણ કહીને નથી કહ્યા.. પણ વણપજ્જવા... ગંધપજવા. આમ “પર્યાય’ શબ્દથી જ કહ્યા છે, માટે એને પર્યાય કહેવા જોઈએ, પણ ગુણ નહીં. શંકા - સૂત્રમાં તો ગુણ શબ્દ પણ વાપરેલો જોવા મળે છે. જેમકે એક ગુણકાળો. દ્વિગુણ કાળો વગેરે... સમાધાન - આમાં જે “ગુણ' શબ્દ છે તે તમે કહો છો એ રૂપાદિ ગુણોને જણાવનાર “ગુણ શબ્દ નથી. પણ જે ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને પર્યાયવિશેષરૂપ છે એવી સંખ્યાને જણાવનાર ગુણ' શબ્દ છે. એટલે કે તે “ગુણ” શબ્દ ગુણાસ્તિક નયનો જે વિષય બને એવા ગુણને જણાવનાર નથી. શ્રી સમ્મતિગ્રન્થમાં કહ્યું જ છે કે – ગુણને સર્વથા સ્વતંત્ર માનનાર કેટલાક એમ કહે છે કે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઢાળ-૨ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જો ગુણ દલ પર્યવનું હોવાં, તો દ્રવ્યઈ ચૂં કીજઈ રે ! ગુણ-પરિણામ પટંતર કેવલ, ગુણ-પર્યાય કહી જઈ રે ! જિન. ર-૧૩ ટબો- પર્યાયરલ, માટેિ ગુણનઈ શક્તિપ કહઈ છો, તેહનઈ દૂષણ દિઈ જઈને જો ગુણ, પર્યાયનું દલ કહિતા-ઉપાદાન કારણ હોઈ, તો દ્રવ્યો ચૂં કીજઇ ? દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં, તિ વારd, ગુણ ૧, પર્યાય ૨, જ પદાર્થ કહો, પણિ ત્રીજો ન હોઈ. કોઈ કહસ્ય“દ્રવ્યપર્યાય ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ, તે માર્ટિ દ્રવ્ય ૧, ગુણ - શાસ્ત્રમાં એકગુણકાળો, દસગુણકાળો... અનંતગુણકાળો... વગેરે ઉલ્લેખ દ્વારા રૂપાદિ વિશે ગુણ શબ્દ કહેવાય જ છે ને ? તેથી રૂપાદિપરિણામ એ ગુણવિશેષ જ છે. અને તેથી ભગવાને ગુણાર્થિકનય પણ ઉપદેશ્યો જ છે, એ સાબિત થાય છે. સિદ્ધાન્તવાદી હવે એનો જવાબ આપે છે ગુણસન્મત્તેરે.. એકગુણકાળો વગેરે શબ્દ, રૂપાદિને જણાવનાર “ગુણ’ શબ્દ વિના પણ “અમુક માત્રાની કાળાશ વગેરે રૂપ વિશેષ પ્રકારની સંખ્યાના વાચક તરીકે સિદ્ધ થાય છે. પણ અતિરિક્ત ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરવાના તાત્પર્યવાળો નથી. કારણ કે એ “ગુણ' શબ્દ પ્રસ્તુત ભાવ કેટલો ન્યૂ યા અધિક છે એને જણાવે છે. જેમ દશ દ્રવ્યો હોય અથવા એક દ્રવ્યને દશ ગુણ કર્યું હોય તો બંનેમાં દશત્વ સમાન છે. એટલે કે દશગુણએક...એમ “ગુણ' શબ્દનો પ્રયોગ કર્યો હોય એને ગુણ' શબ્દનો પ્રયોગ વિના દશ” એટલા શબ્દથી જેમ જણાવી શકાય છે (અને પછી એ ગુણ શબ્દ વધારાનો બની જાય છે) એમ પ્રસ્તુતમાં પણ “દસગુણકાળો'ના સ્થાને “દસમાત્રાની કાળાશવાળો” એમ ગુણ શબ્દ વિના પણ અભિપ્રેત અર્થ જણાવી શકાય છે. આમ ગુણ એ પર્યાયથી પરમાર્થદષ્ટિએ ભિન્ન નથી. તેથી પર્યાયની જેમ એ પણ શક્તિરૂપ નથી. / ૨૧ ગાથાર્થ : જો ગુણ એ પર્યાયનું દલ (=ઉપાદાનકારણ) હોય તો પછી દ્રવ્ય શું કરવાનું રહે ? તેથી ગુણનો પરિણામ એ ગુણપર્યાય... એ વાત માત્ર પટંતર = ભેદની કલ્પનારૂપ જ છે. વાસ્તવિક નથી. || ૨-૧૩ ૫. વિવેચન - “ગુણો’ એ પર્યાયનું ઉપાદાન કારણ છે. અર્થાત્ વર્ણગુણ કૃષ્ણ-નીલાદિ પર્યાયોનું ઉપાદાનકારણ છે. રસગુણ મધુર-અમ્લાદિ પર્યાયોનું ઉપાદાનકારણ છે.. ઉપયોગગુણ મતિજ્ઞાનાદિનું ઉપાદાનકારણ છે... આમ ગુણો એ પર્યાયનું ઉપાદાન કારણ હોવાથી ગુણને પણ શક્તિરૂપ માનવા જોઇએ એવું જે દિગંબરો કહે છે તેને ગ્રન્થકાર દૂષણ દેખાડે છે – જો કૃષ્ણ-નીલાદિ પર્યાયોને વર્ણાદિ ગુણ જ ઉત્પન્ન કરી દેતા હોય તો પછી દ્રવ્ય કશું કરવાનું રહ્યું જ નહીં.... આવા બધા જુદા જુદા પર્યાયો ઉત્પન્ન કરવાનું કામ દ્રવ્યનું હતું. એ તો ગુણે કરી દીધું... તો હવે દ્રવ્ય કશું કરવાનું રહ્યું જ નહીં ને ! અને તો પછી દ્રવ્યને માનવાની જરૂર જ ન રહેવાથી ગુણ અને પર્યાય એ બે પદાર્થો જ માનવાના રહે. ત્રીજો દ્રવ્ય પદાર્થ નહીં. કોઈ કહસ્યાં... શંકા - પર્યાય એ કાર્યરૂપ છે. કારણ કે ઉત્પન્ન થાય છે. આ પર્યાયો બે પ્રકારના છે...પિંડ-સ્થાસ વગેરે રૂપ અને નર-નારકાદિક વગેરે રૂપ દ્રવ્યપર્યાય અને કૃષ્ણ Page #94 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૩ ૭૫ ૨, રૂપ કારણ ભિન્ન કલ્પિઇ” તે જૂઠું. જે માર્ટિ-કાર્યમાંહિ કારય શબ્દનો પ્રયોગ છઇ. તેણઇ કારણભેદઇ કાર્યભેદ સિદ્ધ થાઇ. અનઇ કાર્યભેદ સિદ્ધ થયો હોઇ, તો કારણભેદ સિદ્ધ થાઇ. એ અન્યોન્યાશ્રય નામઇ દૂષણ ઉપજઇ. તે માટઇ ગુણ-પર્યાય જે કહિઇ, તે ગુણ-પરિણામનો નીલાદિરૂપ કે મતિજ્ઞાનાદિરૂપ ગુણપર્યાય...કાર્યભેદે કારણભેદ હોય એ તમે પણ માનો જ છો. એટલે બન્નેના કારણરૂપ શક્તિ પણ અલગ-અલગ હોવી જ જોઇએ. તેથી પિંડ-સ્થાસાદિ કે નરનારકાદિક પર્યાયના કારણ તરીકે દ્રવ્યશક્તિ સિદ્ધ થશે... (અને તેથી તમે જે કહ્યું હતું કે દ્રવ્યે કશું જ કરવાનું ન રહેવાથી દ્રવ્યને માનવાની જરૂર જ નહીં રહે... વગેરે, તે પ્રશ્ન હવે રહેશે નહીં.) અને કૃષ્ણ-નીલાદિ કે મતિજ્ઞાનાદિ પર્યાયના કારણ તરીકે ગુણશક્તિ સિદ્ધ થશે. સમાધાન - આ વાત જૂઠી છે = બરાબર નથી. કારણ કે આમાં અન્યોન્યાશ્રય દોષ આવે છે. તે આ રીતે કાર્યનો તમે જે ઉલ્લેખ કરો છો એમાં ‘કારણ' શબ્દનો પ્રવેશ છે... આશય એ છે કે કાર્ય શું છે ? આના જવાબમાં તમે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય... આમ જે કહો છો એનો તમને દ્રવ્યજન્યપર્યાય અને ગુણજન્યપર્યાય આવો અર્થ અભિપ્રેત છે... એટલે કે આમાં કારણભૂત દ્રવ્ય અને ગુણનો સમાવેશ છે. આમાં પર્યાયના કારણ તરીકે દ્રવ્ય તો સિદ્ધ જ છે અને ઉભયમાન્ય છે... પણ પર્યાયના કારણ તરીકે ગુણ હજુ સિદ્ધ થયેલ નથી... (ઊલટું અમને તો એ પર્યાયના કારણ તરીકે પણ દ્રવ્ય જ સિદ્ધ છે.) એટલે જ્યાં સુધી ‘ગુણ' પણ પર્યાયના કારણ છે એ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી ગુણજન્યપર્યાય જેવી ચીજ જ અસિદ્ધ હોવાથી પર્યાયાત્મક જે કાર્ય છે એનો ગુણપર્યાય અને દ્રવ્યપર્યાય એવો ભેદ જ સિદ્ધ નહીં થાય અને જ્યાં સુધી આ રીતે કાર્યભેદ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી કારણભેદ સિદ્ધ ન થવાથી દ્રવ્યાત્મક કારણ કરતાં અલગ ગુણાત્મક કારણ પણ સિદ્ધ નહીં થાય. કારણ કે તમે કાર્યભેદે કારણભેદ સિદ્ધ કરવા મથી રહ્યા છો. આમ કાર્યભેદ સિદ્ધ થાય તો કારણભેદ સિદ્ધ થાય... અને કારણભેદ સિદ્ધ થાય તો કાર્યભેદ સિદ્ધ થાય. એટલે અન્યોન્યાશ્રયદોષ આવતો હોવાથી ગુણ, પર્યાયના કારણ તરીકે સિદ્ધ થઈ શકતા નથી. એટલે ‘વર્ણાદિ ગુણનો કૃષ્ણાદિ પરિણામ જે થાય છે તે ગુણપર્યાય છે' આ વાત માત્ર કલ્પનારૂપ છે, પરમાર્થથી નથી... અર્થાત્ વર્ણાદિ ગુણ એ પરિણામી છે ને કૃષ્ણાદિ ગુણ એના પરિણામરૂપ છે વગેરે વાત પારમાર્થિક નથી... પણ કાલ્પનિક છે એમ જાણવું. અને તેથી કૃષ્ણાદિ ગુણ પણ પર્યાયાત્મક જ હોવાથી દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ૩ નામ જે કહેવાય છે તે ગુણ-પર્યાયનો ભેદોપચાર કરીને જ કહેવાય છે એમ જાણવું. 1 આમ, ગ્રન્થકારે અન્યોન્યાશ્રય દોષ આપીને ગુણજન્યપર્યાયની વાતનું નિરાકરણ કર્યું એ એકદમ સ્પષ્ટ છે... (પણ માનો કે દિગંબર આના પર એવી શંકા કરે કે - દ્રવ્યજન્ય પર્યાય એ દ્રવ્યપર્યાય... ગુણજન્ય પર્યાય એ ગુણપર્યાય... આવી દ્રવ્યપર્યાય-ગુણપર્યાયની વ્યાખ્યા કરવામાં આવે તો તો તમે આપેલો અન્યોન્યાશ્રય દોષ બરાબર છે... પણ અમે ધારો કે આવી વ્યાખ્યા કરીએ છીએ કે - પિંડ-સ્થાસાદિ કે નર-નારકાદિ દ્રવ્યાત્મક પર્યાય એ દ્રવ્યપર્યાય અને કૃષ્ણ · નીલાદિ કે મતિજ્ઞાનાદિ ગુણાત્મક પર્યાય એ ગુણપર્યાય... એટલે કાર્યભેદ આ રીતે કારણના પ્રવેશ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઢાળ-૨ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જે પટંતર-ભેદ કલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઇ, પણિ પરમાર્થ નહીં. અનઈ એ ૩ નામ કહઈ છઈ તે પણિ-ભેદોપચારઈ જ, ઈમ જાણવું. . ૨-૧૩ . વિના પણ સિદ્ધ થઈ જશે...... ને તેથી કાર્યભેદે કારણભેદ ન્યાયે દ્રવ્યાત્મકકારણ કરતાં અલગ પ્રકારના કારણ તરીકે ગુણ પણ સિદ્ધ થઈ જશે. તો આવી શંકાનું ગ્રન્થકાર આ રીતે સમાધાન કરી શકે છે - સમાધાન - કાર્યભેદ સિદ્ધ થયો એ વાત બરાબર. અને તેથી કારણભેદ સિદ્ધ થશે એ પણ બરાબર... છતાં એ દ્રવ્યભિન્ન ગુણાત્મક જ હશે એ શી રીતે સિદ્ધ થશે ? આશય એ છે કે વ્યવહારનયને અનુસરીને પૂર્વે અમે કહી જ ગયા છીએ કે દ્રવ્યના પર્યાયાત્મક કાર્યો અનેક છે... અને જેટલાં કાર્ય છે એટલી કારણભૂત શક્તિઓ દ્રવ્યમાં રહેલી છે. આ શક્તિઓ કાર્યભેદે અલગ અલગ હોવા છતાં એ દરેક કાર્યના કારણ તરીકે દ્રવ્ય જ આવીને ઊભું રહે છે... દ્રવ્યભિન્ન ગુણ નહીં... જેમકે પરમાણુમાં કચણુકજનિકા શક્તિ પણ છે અને ત્રણકજનિકા શક્તિ પણ છે...આ બંને શક્તિઓ અલગ-અલગ છે. (કારણ કે કાર્યભેદ છે.) પણ એટલા માત્રથી, કચણુકજનિકા શક્તિ જો દ્રવ્ય છે તો વ્યયુકજનિકા શક્તિ ગુણાત્મક હોય એવું કાંઈ કહી શકાતું નથી... એમ, પિંડ-સ્થાસાદિજનિકા શક્તિ કરતાં કૃષ્ણ-નીલાદિનિકા શક્તિ અલગ છે એટલું ભલે સિદ્ધ થાય. પણ એટલા માત્રથી કૃષ્ણ-નીલાદિનિકા શક્તિ ગુણમાં રહી છે એમ કાંઈ સાબિત થઈ જતું નથી... એ સાબિત થવા માટે તો કૃષ્ણ-નીલાદિ પર્યાયોમાં ગુણજન્યતા સાબિત કરવી જ પડે..... ને તો પછી પૂર્વવત્ અન્યોન્યાશ્રયદોષ ઊભો જ રહે. શંકા - મૃદ્ધવ્ય ઐકાલિક છે. પિંડ-સ્થાસાદિ અવસ્થાઓની ધારા ચાલે છે... આ અવસ્થાથી ભિન્ન મૃદ્ધવ્ય ક્યારેય જોવા મળતું નથી... એમ આમાંની કોઈપણ અવસ્થા ન હોય. સર્વઅવસ્થાશૂન્ય હોય એવું મૃદ્રવ્ય પણ ક્યારેય હોતું નથી. આવું બધું વર્ણ માટે પણ સમાન છે. વર્ણ શૈકાલિક છે.. કૃષ્ણ-નીલાદિ અવસ્થાઓની ધારા ચાલે છે... આ અવસ્થાથી ભિન્ન વર્ણ ક્યારેય જોવા મળતો નથી. એમ, કૃષ્ણાદિમાંની કોઈપણ અવસ્થા ન હોય.. કૃષ્ણ-નીલાદિ સર્વ અવસ્થાઓથી શૂન્ય હોય એવો વર્ણ પણ ક્યારેય હોતો નથી.. (અર્થાત્ કૃષ્ણ-નીલ-પીત વગેરેમાંનો કોઈ વર્ણ ન હોય... ને છતાં વર્ણ હોય આવું ક્યારેય બનતું નથી...) મૃદ્રવ્ય એક છે, પિંડાદિ અવસ્થાઓ અનેક છે. વર્ણગુણ એક છે... કૃષ્ણ-નીલાદિ અવસ્થાઓ અનેક છે. આમ એકબાજુ મૂદ્રવ્ય ને પિંડાદિધારા છે... તો બીજી બાજુ વર્ણગુણ અને કૃષ્ણાદિધારા છે. બન્ને વચ્ચે બધી રીતે સમાનતા છે. તેથી, પિંડાદિ અવસ્થાઓ જો મૃદ્દવ્યજન્ય છે. તો કૃષ્ણાદિ અવસ્થાઓ વર્ણગુણજન્ય હોવી માની જ શકાય છે ને ! સમાધાન - તમે બધી સમાનતા જુઓ છો...પણ એમ ઘણાં ઘણાં વૈષમ્ય પણ છે તે જોતાં નથી.. માટે કૃષ્ણ-નીલાદિ વર્ણો વર્ણજન્ય છે એવો આગ્રહ છોડી શકતા નથી... એ વૈષમ્ય આવાં જાણવા. (૧) પિંડ-સ્થાસ વગેરે આધેય છે ને એના આધાર તરીકે મૃદ્રવ્ય કહેવાય છે... એમ કૃષ્ણ-નીલ વગેરે આધેય છે. પણ એના આધાર તરીકે વર્ણ નથી કહેવાતો, ઘટાદિદ્રવ્ય જ કહેવાય છે. કારણ કે વર્ણ ખુદ ગુણ હોવાથી, દ્રવ્યાશ્રયા: નિ: શુ: સૂત્રાનુસારે સ્વયં નિર્ગુણ Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૪ એક અનેક રૂપથી ઇણિ પરિ, ભેદ પરસ્પર ભાવો રે | આધારાધેયાદિકભાવિ, ઇમજ ભેદ મનિ લ્હાવો રે જિન| ૨-૧૪ હોય છે. તેથી સ્વયં કૃષ્ણાદિ વર્ણવાનું બની શકે નહીં. (૨) માટી પિંડ રૂપે પરિણમી.... વગેરે વ્યવહાર થાય છે. એટલે મૃદ્ધવ્ય પરિણામ અને પિંડ એના પરિણામ કહેવાય છે. પણ એ રીતે વર્ણ “કૃષ્ણ' રૂપે પરિણમ્યો એવો વ્યવહાર ક્યારેય થતો નથી. એટલે વર્ણ પરિણામી છે. ને કૃષ્ણ એનો પરિણામ છે એમ કહી શકાતું નથી... આ જ જણાવે છે કે કૃષ્ણ-નીલાદિ વર્ણજન્ય નથી.. (૩) પિંડ સ્થાસ બની ગયો. સ્થાસ કોશ બની ગયો. આવો બધો પણ વ્યવહાર થાય છે... પણ એ રીતે કાળો વર્ણ રક્તવર્ણ બની ગયો... વગેરે વ્યવહાર ક્યારેય થતો નથી... હા કાળો ઘડો લાલ બની ગયો. એવો વ્યવહાર થાય છે. એટલે કે ઘડામાં શ્યામપરિણામ હતો તે હવે રક્તપરિણામ બન્યો. અર્થાત્ અલગ-અલગ કૃષ્ણ-રક્તાદિ પરિણામના આધાર તરીકે ઘટાદિદ્રવ્ય જ ભાસે છે, વર્ણાદિગુણ નહીં. એનો અર્થ એ બધા પરિણામનો પરિણામી દ્રવ્ય છે, પણ વર્ણગુણ નહીં.. અર્થાત્ કૃષ્ણ-રક્તાદિ પરિણામો દ્રવ્યજન્ય છે, વર્ણજન્ય નહીં. (૪) શ્યામઘટ રક્ત બન્યો હોય ત્યારે પણ તે એવાર્થ પટ: એવી પ્રત્યભિજ્ઞા થાય છે, પણ સ મેવયં વઈ: એવી પ્રત્યભિજ્ઞા થતી નથી. આ જણાવે છે કે પ્રત્યભિજ્ઞાન વિષયભૂત એકત્વ ઘટમાં છે પણ વર્ણમાં નથી... અર્થાત્ શ્યામ અને રક્ત.. આ બંને પરિણામોનો આધાર જે એક છે તે ઘટ છે, પણ વર્ણ નથી. એનો અર્થ જ એ કે શ્યામાદિ અવસ્થાઓ ઘડાની છે, પણ વર્ણની નથી. (૫) મય :... મયં કૃM:.. આવી એકાકાર પ્રતીતિ હોવા છતાં તિર્યક સામાન્ય ગુણમાં નથી હોતું, પણ દ્રવ્યમાં જ હોય છે એ આપણે પૂર્વે જોઈ ગયા છીએ. એમ મૃદ્દવ્ય... પિંડાદિધારા તથા વર્ણગુણ.... કૃષ્ણાદિધારા.... આ બંને વચ્ચે અમુક સમાનતા હોવા છતાં એ કૃષ્ણાદિધારાને દ્રવ્યની જ માનવાની, વર્ણની નહીં... ને તેથી ઊર્ધ્વતા સામાન્ય પણ દ્રવ્યમાં જ માનવાનું - વર્ણમાં નહીં. એ નિશ્ચિત થાય છે. એટલે જો ઊર્ધ્વતા સામાન્ય વર્ણાદિગુણમાં નથી. તો એમાં કૃષ્ણ-નીલાદિજનન શક્તિ પણ નથી જ એ સાબિત થઈ જ ગયું, કારણ કે એ શક્તિ હોત તો મૃદ્રવ્ય વગેરેની જેમ ઊર્ધ્વતા સામાન્યરૂપ જ હોત. આમ, ગુણપર્યાયોની શક્તિ ગુણમાં માનવાની દિગંબરોની વાત જુઠી છે એ નિઃશંક નિશ્ચિત થાય છે. || ૨૨ || ગાથાર્થ - આ પ્રમાણે એક-અનેક રૂપથી દ્રવ્યનો ગુણ-પર્યાય સાથે પરસ્પર ભેદ વિચારવો. એમ આધાર-આયભાવ વગેરે રૂપે પણ એ ભેદને મનમાં વિચારવો. ૨-૧૪ વિવેચન - આમ, દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યા કહી.. પ્રાસંગિક દિગંબર સાથેની ચર્ચા વિચારી... હવે, દ્રવ્યનો ગુણ-પર્યાયથી જે (કથંચિ) ભેદ છે તે સમજાવે છે – આમ, મૃદ્રવ્ય એક છે એમાં વર્ણ-ગંધ વગેરે અનેક ગુણો છે.... એમ પિંડ-સ્થાસ વગેરે Page #97 -------------------------------------------------------------------------- ________________ ७८ ઢાળ-૨ : ગાથા-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો- એપ્તિ પરિ દ્રવ્ય એક, ગુણ-પર્યાય અનેક, એ રૂપઈ પરસ્પર ક. માંહોમાંહિં ભેદ ભાવો વિચારો, ઈમ જ આધાર આધેય પ્રમુખ ભાવ ક.-સ્વભાવ, તેણઈ કરી મનમાંહિ લ્યાવો, જે માર્ટિ પરસ્પરઅવૃત્તિ ધર્મ પરસ્પરમાંહિ ભેદ જણાવઈ| ૨-૧૪ છે. દ્રવ્ય આધાર ઘટાદિક દસઇ, ગુણ પર્યાય આધેયો રે ! રૂપાદિક એકેન્દ્રિયગોચર, દોહિં ઘટાદિક તેઓ રે ! જિન | ર-૧૫ | ટબો- તેહિ જ વિવરી દેખાડઈ છ0- દ્રવ્ય ઘટાદિક આધાર દીસઇ છઇ, જે માટઈ એ ઘટઈ રૂપાદિક ઇમ જાણીતું છ0. ગુણ - પર્યાય રૂપ-રસાદિક, નીલ - પીતાદિક આધેય = દ્રવ્ય ઉપરિ રહિયાં. ઈમ આધારાધેયભાવઈ દ્રવ્યથી ગુણપર્યાયનો ભેદ છઇ, તથા રૂપાદિક અનેક પર્યાય છે. એકનો અભેદ હોય તો એકની સાથે જ હોય શકે, અનેકની સાથે નહીં... એ સ્પષ્ટ છે... માટે એક એવા દ્રવ્યથી અનેક એવા ગુણ-પર્યાય ભિન્ન છે એ સાબિત થાય છે. એમ દ્રવ્ય આધાર છે. ગુણ-પર્યાય આધેય છે...તેથી જેમ આધારભૂત ભૂતલ અને આધય ઘટનો ભેદ છે તેમ આધારભૂત દ્રવ્ય અને આયભૂત ગુણ-પર્યાયનો ભેદ છે... આદિ શબ્દથી એકેન્દ્રિયગોચરતા. અનેકેન્દ્રિયગોચરતા વગેરે રૂપે પણ ભેદ જાણવો. કારણ કે પરસ્પર અવૃત્તિ ધર્મ પરસ્પરનો ભેદ જણાવે છે... અર્થાત્ મ માં જે ધર્મ છે તે છે માં નથી.... અને હું માં જે ધર્મ છે તે ન માં નથી... તો સ્પષ્ટ છે કે , અને વે એક ન હોય શકે. જુદા જ હોય. દ્રવ્યમાં જે આધારતા ધર્મ છે તે ગુણ-પર્યાયમાં નથીગુણ-પર્યાયમાં જે આધયતા ધર્મ છે તે દ્રવ્યમાં નથી... માટે આ પરસ્પરઅવૃત્તિ આધારતા વગેરે ધર્મ દ્રવ્યનો ગુણ-પર્યાય સાથેનો ભેદ જણાવે છે. || ૨૩ || ગાથાર્થ – ઘટ વગેરે દ્રવ્ય આધારરૂપે દીસે છે.. રૂપ વગેરે ગુણો અને નવાજુનાપણું વગેરે પર્યાય આધેયરૂપે ભાસે છે. રૂપાદિક ગુણ એકેન્દ્રિય ગોચર છે, ઘટાદિ દ્રવ્ય બેઇન્દ્રિયથી જણાય છે. માટે દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. | ૨-૧૫ | વિવેચન - પૂર્વ ગાથામાં જે આધાર-આધેયાદિક ભાવે ભેદને મનમાં વિચારવાનું કહેલું તેહિ જ વિવરી... તેનું જ વિવરણ કરીને દેખાડે છે - ઘટ વગેરે દ્રવ્ય આધારરૂપે દીસે છે, કારણ કે “આ ઘડામાં રૂપ વગેરે છે” એમ આપણને જણાય છે. રૂપ-રસાદિક તથા નીલ-પીતાદિક ગુણપર્યાય આધેય દ્રવ્યમાં રહ્યા હોવા જણાય છે. આમ આધાર-આયભાવે દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ છે તથા રૂપ વગેરે ગુણ-પર્યાય એક ઇન્દ્રિયના વિષય બને છે... (જેમ કે રૂપ આંખનો વિષય છે, કાન વગેરેનો નહીં.. એમ બધા વિષય જાણવા.) જ્યારે ઘટાદિ દ્રવ્ય બે ઇન્દ્રિયનો ચક્ષુ અને સ્પર્શનો..) વિષય છે.. અંધારામાં હાથથી સ્પર્શ કરીને પણ ઘડાનું અસ્તિત્વ જાણી શકાય છે.... આ વાત નૈયાયિકના મતને અનુસરીને કહી છે, એ જાણવું.. સ્વમતે = જૈન મતે તો ગંધ વગેરે પર્યાય દ્વારા ધ્રાણેન્દ્રિય વગેરેથી પણ દ્રવ્ય પ્રત્યક્ષ થઈ શકે છે, નહીંતર “ફૂલ સુવું છું એવી Page #98 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૫ ૧૯ ગુણ-પર્યાય એક ઇન્દ્રિય-ગોચર ક. વિષય છઇ. જિમ રૂપ ચક્ષુરિન્દ્રિયઇ જ જણાઇ, રસ તે રસનેન્દ્રિયઇ જ, ઇત્યાદિક. અનઇ ઘટાદિક દ્રવ્ય છઇ, તે દોહિં-ચક્ષુરિન્દ્રિય અનઇ સ્પર્શનેન્દ્રિય એ ૨ ઇન્દ્રિયઇ કરીનઇ જાણો છો. એ નઇયાયિકમત અનુસરીનઈ કહિઉં. સ્વમતઇ ગંધાદિક પર્યાય દ્વારઇ ઘ્રાણેન્દ્રિયાદિકઇ પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઇ. નહી તો- ‘કુસુમ ગંધું છું' ઇત્યાદિ પ્રતીતિને ભ્રમણારૂપ માનવાની આપત્તિ આવે. નૈયાયિક એમ કહે છે કે ઘ્રાણેન્દ્રિય દ્વારા તો ફૂલની ગંધનું જ પ્રત્યક્ષ થયું છે... પણ એ ગંધ પરથી ગંધવાન્ એવા ફૂલદ્રવ્યનું અનુમાન થાય છે. જૈન - ‘ફૂલદ્રવ્યનું જે જ્ઞાન થાય છે તે અનુમાન છે, પ્રત્યક્ષ નથી.' એમ શાના આધારે કહો છો ? નૈયાયિક સ્પષ્ટ પ્રત્યક્ષમ્... વસ્તુનો પ્રત્યક્ષબોધ ઘણો વિશદ હોય છે... પરોક્ષ જ્ઞાન એટલું વિશદ હોતું નથી... જેમકે ધૂમાડો જોઇને વહ્નિનું અનુમાન થાય છે. ત્યારે માત્ર વહ્નિનો જ બોધ હોય છે... એનો વર્ણ... આકૃતિ... પરિમાણ વગેરે કશાનો બોધ થતો નથી... જ્યારે વહ્નિનું પ્રત્યક્ષ હોય તો ભૂરો-લાલ કે પીળો છે ? જ્વાલાઓ નીકળે છે કે શાંત છે ? જ્વાલાઓ કેટલી ઊંચી છે ? વગેરે ઘણું ઘણું જણાય છે... આ પ્રત્યક્ષ બોધ છે. એમ ફૂલ જો પ્રત્યક્ષ હોય તો એની સાઇઝ... કલર... પાંખડીઓ... વગેરે ઘણું ઘણું દેખાય છે... આ પ્રત્યક્ષ બોધ છે. પણ અંધકારની અંદ૨ ફૂલને સુંઘતા હોઈએ ત્યારે ઘ્રાણેન્દ્રિયથી માત્ર ગંધનું પ્રત્યક્ષ થાય છે... કયું ફૂલ ? કેવા રંગનું છે ? કેટલી-કેવી પાંખડીઓ છે ? વગેરે કશું જણાતું નથી... (અનુમાનથી કલ્પના કરીએ એ વાત જુદી...) માટે ઘ્રાણેન્દ્રિયથી માત્ર ગંધનું જ પ્રત્યક્ષ માની શકાય... ફૂલનું નહીં... કારણ કે ફૂલનો વિશદ બોધ નથી. જૈન - સ્પર્શનેન્દ્રિયથી તો તમે ધટાદિનું પ્રત્યક્ષ માન્યું છે... તો સ્પર્શનેન્દ્રિયથી ઘડાનો રંગ દેખાય કે નહીં ? નૈયાયિક ના, ન જ દેખાય... જૈન - ઘડો લાલ છે કે કાળો ? એ જણાતું ન હોય તો પણ સ્પર્શનેન્દ્રિયથી થતા ઘડાના જ્ઞાનને વિશદ માનીને પ્રત્યક્ષરૂપ કહો છો ? નૈયાયિક એ તો રંગ સ્પર્શનેન્દ્રિયનો વિષય નથી, માટે શી રીતે જણાય ? જે સ્પર્શનેન્દ્રિયના વિષય હોય એ તો સ્પષ્ટ જણાય જ છે, માટે એને પ્રત્યક્ષ કહેવાય છે. જૈન ભલા આદમી ! આ વાત ઘ્રાણેન્દ્રિય માટે પણ કેમ નથી લગાવતો ? ઘ્રાણેન્દ્રિયનો જેટલો વિષય હોય એટલા અંશમાં ગંધ દ્વારા ફૂલ પણ વિશદરૂપે ભાસે જ છે... બાકી ફૂલ લાલ છે કે પીળું ? નાનું છે કે મોટું ? વગેરે જે નથી ભાસતું એ બોધ અસ્પષ્ટ છે એ કારણે નહીં, પણ એ બધું ઘ્રાણેન્દ્રિયનો વિષય નથી, એ કારણે... બસો-ત્રણસો ડગલાં દૂર ઊભેલા માણસે ફૂલ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઢાળ-૨ : ગાથા-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જ્ઞાનનઈ ભ્રાન્તપણું થાઈ, તે જાણવું. ઈમ - એક - અનેક ઈન્દ્રિયગ્રાહ્યપણઈ દ્રવ્યથી ગુણપર્યાયનો ભેદ જાણવો. ગુણ - પર્યાયનઈ માંહોમાંહિ ભેદ, તે સહભાવી ક્રમભાવી એ કલ્પનાથી જ. || ૨-૧૫ | સંધ્યું.. ચહેરો ખીલી ઊઠ્યો... એ ખીલવટ પરથી સુગંધી ફૂલનું જે અનુમાન થાય... એની અપેક્ષાએ પોતે જ ફૂલને સુંઘી રહ્યો હોય ત્યારે સુગંધી ફૂલનું જે જ્ઞાન થાય એ ઘણું વિશદ હોય જ છે. પછી એને પ્રત્યક્ષ શા માટે નહીં કહેવાનું ? નહીંતર “હું ફૂલ સૂવું છું.” આવા જ્ઞાનને શી રીતે ઘટાવશો ? નૈયાયિક - વસ્તુતઃ એ ફૂલની ગંધને જ સૂધી રહ્યો છે... ને પછી એનો ગંધવાનું એવા ફૂલમાં ઉપચાર કરે છે. જૈન - નિર્મળવ:... માણવક (નામનો માણસ) અગ્નિ છે. આવો વાક્યપ્રયોગ થયો હોય ત્યાં વાસ્તવિક અગ્નિ અસંભવિત હોવાથી ઉપચરિત લેવાય છેપણ ચૂલામાં અગ્નિ છે” આમ કહ્યું હોય ત્યાં મૌલિક અગ્નિ સંભવિત છે તો કાંઈ ઔપચારિક અગ્નિ લઈ ન શકાય.. અર્થાત્ મૌલિક વાત સંભવતી હોય ત્યાં ઉપચાર કરવો અયોગ્ય છે. એટલે પ્રસ્તુતમાં, “હું ફૂલ સૂવું . આ વાત મૌલિક રીતે સંભવિત છે... તો એને ઉપચરિત માનવી યોગ્ય નથી. એટલે નક્કી થયું કે દ્રવ્યનું ધ્રાણેન્દ્રિય વગેરે દ્વારા પણ પ્રત્યક્ષ થાય જ છે. નહીંતર, “હું ઘડો જોઉં છું આવી પ્રતીતિ અંગે પણ “ઘડાનું રૂપ (લાલવર્ણ) જ એ જોઈ રહ્યો છે ને પછી રૂપવાન્ એવા ઘડામાં ઉપચાર કરે છે એમ કહેવું પડશે...એટલે સામાન્યથી જેમ, ઘડાના રૂપ વગેરે ગુણના પ્રત્યક્ષ દ્વારા જ ગુણીદ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે. એમ પ્રસ્તુતમાં પણ સુગંધના પ્રત્યક્ષ દ્વારા સુગંધી ફૂલનું પ્રત્યક્ષ આ ક્રમ હોવાથી.. “ફૂલ સૂવું છું' આ પ્રતીતિને ફૂલના પ્રત્યક્ષરૂપે માનવામાં કોઈ વાંધો નથી. આમ, દ્રવ્ય અનેક ઇન્દ્રિયનો વિષય છે જ્યારે ગુણ-પર્યાય એક-એક ઇન્દ્રિયના વિષય છે... માટે પણ પરસ્પર ભેદ છે. શંકા : સ્થાસ-કોશ વગેરે તો અનેક ઇન્દ્રિયગ્રાહ્ય છે. માટે પર્યાય પણ અનેક ઇન્દ્રિયગ્રાહ્ય છે જ ને ? સમાધાન : અહીં ‘ગુણપર્યાય” શબ્દ જે રહેલો છે તેનો ગુણ અને પર્યાય એવો ઇતરેતરદ્વન્દ્ર સમાસ કરવાનો નથી પણ ગુI વ પર્યાયા: એમ કર્મધારય સમાસ કરવાનો છે. માટે ગુણાત્મકપર્યાયો જ લેવાના છે. તદ્ધિન પર્યાયો નહીં. સ્થાસાદિ કાંઈ ગુણાત્મક પર્યાય નથી. શંકા : કયા પર્યાય ગુણાત્મક છે અને કયા તદ્ધિન્ન છે ? સમાધાન : કેમ કહ્યું જ છે ને - સહભાવી ધર્મો એ ગુણ છે, અને ક્રમભાવી ધર્મો એ તદ્ધિન પર્યાયો છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય યનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૫ શંકા : કૃષ્ણ-નીલાદિ વર્ણો ક્રમભાવી હોય છે... તિક્ત-કટુ વગેરે રસો ક્રમભાવી હોય છે. તો શું આ કૃષ્ણાદિ વર્ણો કે તિક્તાદિ રસો વગેરે ગુણાત્મક નથી ? સમાધાન : ના, એ બધા પણ ગુણાત્મક તો છે જ. એટલે જ તો એકેન્દ્રિયગ્રાહ્ય છે. શંકા : પણ તો ગુણાત્મક પર્યાયને અલગ શી રીતે પાડશો ? સમાધાન : વ્યાકયા વિના જુના: આ સૂત્રનો સહારો લઈશું.... જે આશ્રિત હોય પણ આશ્રયભૂત ન હોય તે ગુણાત્મક પર્યાયો છે. અથવા, જે નિર્ગુણ છે તે ગુણાત્મક પર્યાયો છે... આવી વ્યાખ્યા કરવાથી કોઈ વાંધો નહીં આવે. સ્થાસાદિ તો વર્ષાદિગુણોના આશ્રયભૂત છે, સગુણ છે.. શંકા : પણ તો પછી ગ્રન્થકારે કેમ ક્રમભાવી-સહભાવી... એ રીતે વ્યાખ્યા કરી ? સમાધાન : ગુણભિન્ન પર્યાયો ક્રમિક જ હોય છે. તેથી એક સાથે એક જ હોય છે એવો નિયમ છે. ગુણાત્મક પર્યાયો તો એક કાળે અનેક સહભાવી જ હોય છે. કૃષ્ણ નીલાદિવષ્ણ ભલે પરસ્પર સહભાવી નથી. ક્રમિક છે, પણ રસાદિને તો સહભાવી છે જ. આ ક્રમભાવી જ હોવું ને સહભાવી જ હોવું... આવા નિયમને જણાવવા માટે ગ્રન્થકારે એવી વ્યાખ્યા આપી છે, એમ વિચારી શકાય છે. શંકા : એમ તો પાર્થિવદ્રવ્યની અપેક્ષાએ માટી પણ પર્યાય છે ને ઘડો પણ પર્યાય છે... આ બન્ને તો સાથે હોય છે ને ! સમાધાન : ઘડાને જ્યારે પર્યાય તરીકે લેવામાં આવે ત્યારે માટીને દ્રવ્ય જ કહેવાય છે, પર્યાય નહીંએટલે આ દ્રવ્ય અને પર્યાય ભેગા થયા કહેવાય, બે પર્યાયો નહીં. એટલે, જે સહભાવી જ હોય તે ગુણાત્મક પર્યાય અને ક્રમભાવી જ હોય તે તદ્ધિન પર્યાય એવો અર્થ સમજવો જોઈએ. આમાંથી એકેન્દ્રિયગ્રાહ્યત્વનું જ જે નિયંત્રણ કરવું છે તે ગુણાત્મક પર્યાય માટે જ કરવું છે એ સમજાય છે. અથવા સ્થાસાદિ જે ક્રમભાવી પર્યાય છે તે પોતાની અવાંતર અવસ્થાઓની અપેક્ષાએ તો દ્રવ્યાત્મક છે જ, માટે અનેકેન્દ્રિયગ્રાહ્ય છે. માત્ર એક-એક સમયભાવી જે ક્રમિક અવસ્થાઓ હોય છે તેની અવાન્તર અવસ્થાઓ અશક્ય હોવાથી એ દ્રવ્યાત્મક હોતી નથી... પણ એ તો છદ્મસ્થનો વિષય જ ન હોવાથી - ઇન્દ્રિયગ્રાહ્ય જ ન હોવાથી કોઈ આપત્તિ આવતી નથી. શંકા : વાયુ દ્રવ્ય પણ એકેન્દ્રિયગ્રાહ્ય જ છે ને ! સમાધાન : ના, વાયુ સ્પર્શેન્દ્રિય ઉપરાંત ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય પણ છે જ. શંકા : ધ્રાણેન્દ્રિયથી જે ગંધપ્રત્યક્ષ થાય છે તે વાયુ સાથે આવેલા સૂક્ષ્મ પાર્થિવ અંશોનું હોય છે, વાયુનું નહીં.. સમાધાન : નૈયાયિકે વાયુમાં શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, ગંધ વગેરે માન્યા નથી, માટે એણે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઢાળ-૨ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંજ્ઞા સંખ્યા લક્ષણથી પણિ, ભેદ એહોનો જાણી રે | સુ-જસકારિણી શુભમતિધારો, દુરમતિ વેલી કૃપાણી રે ! જિન | ૨-૧૬ છે. આ બધા ગુણો ઔપાધિક માનવા પડે છે. આપણા જૈન મતે તો વાયુ એ બાદરસ્કંધ (ઔદારિક સ્કંધ) રૂપ હોવાથી બધા જ વર્ણ-સ્પર્શાદિ એમાં સંભવે છે. એટલે ગંધાદિ પણ સંભવિત હોવાથી ફૂલની જેમ વાયુનું પણ ધ્રાણપ્રત્યક્ષ શક્ય છે. નહીંતર શિયાળામાં ઠંડોગાર વાયુ જે વાય છે તેના શીતસ્પર્શની સંગતિ માટે જો એમાં જલીય અંશો ભેગા માનવામાં આવે તો ભેજનું પ્રમાણ વધારે માનવું પડવાથી કપડાં જલ્દી સૂકાય નહીં. અને અમુક પદાર્થો ચોમાસામાં જેમ ભેજ પકડી લે છે એમ શિયાળામાં પણ પકડવા માંડવા જોઈએ. અને તો પછી શિયાળામાં પણ એ પદાર્થો જલ્દી બગડી જવા જોઈએ. પણ એ બગડતા નથી. ઉપરથી વધારે દીર્ધકાળ ટકે છે... માટે ઠંડા પવનમાં પાણીનો અંશ હોતો નથી એ માનવું આવશ્યક છે ને તેથી ઠંડો સ્પર્શ વાયુનો પોતાનો જ છે ઔપાધિક નથી, એ પણ માનવું જરૂરી છે. એ જ રીતે ગંધ પણ વાયુની પોતાની છે, ઔપાલિક નથી ને તેથી વાયુનું ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ પણ શક્ય છે જ. એમ અન્ય અમુક વાયુ રસનેન્દ્રિયગ્રાહ્ય પણ હોય છે. શંકા : ધર્માસ્તિકાયનો ગતિસહાયકત્વ ગુણ કઈ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે ? સમાધાન : એક પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી.. જે દ્રવ્ય અનેકેન્દ્રિયગ્રાહ્ય હોય એના જ ગુણાત્મકપર્યાયની અહીં વાત છે...ને એના પણ ઇન્દ્રિયગ્રાહ્યગુણાત્મક પર્યાયની જ અહીં વાત છે. એટલે, જો ઈન્દ્રિયગ્રાહ્યત્વ હોય તો, દ્રવ્ય અને કેન્દ્રિયગ્રાહ્ય છે. અને અદ્રવ્યાત્મપર્યાય એકેન્દ્રિયગ્રાહ્ય છે. આવો ભેદ નિશ્ચિત કરી શકાય છે. (બધા જ દ્રવ્ય અને અદ્રવ્યાત્મક-ગુણાત્મક પર્યાયના ભેદને વણી લેવો હોય તો તૈયાયિક જેમ અવ્યાપ્તિના વારણ માટે લક્ષણને જાતિઘટિત બનાવી દે છે એમ પ્રસ્તુતમાં બનાવી શકાય છે.) અહીં જે આધાર-આધેયભાવે ભેદ કહ્યો એમાં ધારો કે કોઈ શંકા કરે છે.... “એવંભૂત નયે તો એમ કહેવાય છે કે હું મારા આત્મામાં (આત્મપ્રદેશોમાં) જ રહું છું.... તો આધેય હું એ પણ આત્મા. અને આધાર પણ આત્મા.. એટલે કે આધાર-આધેયભાવ હોવા છતાં ભેદ નથી.” તો એને જવાબ આપવો કે શિષ્યલોકની આધાર-આધેયની પ્રતીતિની અહીં વાત છે. અને શિષ્ટલોક વ્યવહારનયને અનુસરનારો હોવાથી હાલ “હું આસન પર છું...' વગેરે કહેશે, પણ “મારામાં છું” એમ નહીં જ. આસન કરતાં તો “હું જુદો છે જ. માટે ભેદ સિદ્ધ થાય છે જ. ગુણ અને પર્યાયનો પરસ્પર જે ભેદ છે તે પરમાર્થથી નથી.... પણ સહભાવી હોય તે ગુણ અને ક્રમભાવી હોય તે પર્યાય.. આવી કલ્પનાથી છે એ જાણવું. | ૨૪ / ગાથાર્થ - વળી, દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી પણ જાણવો. Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-ર : ગાથા-૧૬ ૮૩ ટબો- તથા સંજ્ઞા ક. નામ, તેહથી ભેદ, ‘દ્રવ્ય” નામ ૧, “ગુણ” નામ ૨, પર્યાય” નામ ૩. સંખ્યા - ગણના, તેહથી ભેદ, દ્રવ્ય ૬, ગુણ અનેક, પર્યાય અનેક. લક્ષણથી ભેદ - દ્રવણ = અનેકપર્યાયગમન દ્રવ્યલક્ષણ, ગુણન = એકથી અન્યનઈ ભિન્નકરણ તે ગુણલક્ષણ, પરિગમન = સર્વતો વ્યાપ્તિ તે પર્યાય લક્ષણ, ઈમ એહોનો = દ્રવ્ય ગુણ પર્યાયનો, માંહોમાંહિ ભેદ જાણીનઈ, ઉત્તમ યશની કરણહાર ભલી મતિ ધરો. કેહવી છઇ ? જે દુરમતિ કહિછે - જે દ્રવ્યાપક્ષની માઠી મતિ, તે રૂપિણી જે વેલી, તેહનાં વિષઈ કૃપાણી = કુહાડી. એ ઢાલ - દ્રવ્ય - ગુણ - પર્યાયનો ભેદ દેખાડ્યો. હિવઈ - ત્રીજો ઢાલઈ એકાંતિ જે ભેદ માનઈ છઇ તેહનઈ અભેદપક્ષ અનુસરીનઈ દૂષણ દિઈ છઈ. / ર-૧૬ એ જાણીને સારો યશ ફેલાવનારી, દુર્મતિરૂપ વેલડી માટે કુહાડી સમાન શુભમતિને ધારણ કરો. || ૨-૧૬ || વિવેચન - સંજ્ઞા એટલે નામ.. નામભેદે વસ્તુભેદ હોય છે. જેમકે ઘટ નામ વાળી વસ્તુ કરતાં પટ નામવાળી વસ્તુ જુદી છે... માત્ર પર્યાયવાચી શબ્દો હોય ત્યાં જ નામભેદે વસ્તુભેદ હોતો નથી. (જેમકે ઘટ-કુંભ-કળશ વગેરે નામભેદ છે, પણ વસ્તુભેદ નથી...) દ્રવ્ય, ગુણ, પર્યાય... આ પર્યાયવાચી-એકાર્થક શબ્દો નથી....અને છતાં નામભેદ છે.માટે પરસ્પર વસ્તુભેદ છે. સંખ્યાનો ભેદ છે... દ્રવ્ય ૬ છે. ગુણ અનેક છે. પર્યાય અનેક છે... માટે દ્રવ્ય - ગુણ - પર્યાયનો ભેદ છે. લક્ષણભેદે ભેદ છે... (ક્રમશ:) અનેક પર્યાયોને પામવું. આવું દ્રવણ એ દ્રવ્યનું લક્ષણ છે. ગુણન = એકથી અન્યને ભિન્ન કરવું એ.. આવું ગુણન એ ગુણનું લક્ષણ છે... (લાલ રંગ... શ્યામઘટથી રક્તઘટને અલગ પાડે છે... વગેરે). પરિગમન = સર્વતો વ્યાપ્તિ એ પર્યાયનું લક્ષણ છે. અર્થાત્ આખા દ્રવ્યની અવસ્થાંતરપ્રાપ્તિ.... આખું દ્રવ્ય નવા સ્વરૂપને વ્યાપ્ત રહે. એ સર્વતો વ્યાપ્તિ કહેવાય છે. આ પર્યાયનું લક્ષણ છે... આમ દ્રવ્યાદિ ત્રણેના લક્ષણ અલગ-અલગ હોવાથી ત્રણેનો પરસ્પર ભેદ છે. આમ એકત્વ-અનેકત્વ.. આધાર-આધેયભાવ. એકઇન્દ્રિય ગોચરતા-અનેક ઈન્દ્રિય ગોચરતા, નામભેદ, સંખ્યાભેદ, લક્ષણભેદ.. વગેરે દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ જાણીને શુભમતિ ધારો. જે શુભમતિ ઉત્તમ યશને ફેલાવનાર છે, તથા (ગુણ-પર્યાય દ્રવ્યથી સર્વથા અભિન્ન હોવાથી વસ્તુતઃ દ્રવ્યરૂપ જ છે ને તેથી આ વિશ્વમાં દ્રવ્ય સિવાય બીજું કશું નથી એવી) દ્રવ્યાÁત પક્ષની જે માઠી = દુષ્ટ મતિ = બુદ્ધિ. એ દુર્બુદ્ધિ રૂપી વેલડી માટે આ શુભમતિ કુહાડી જેવી છે... અર્થાત્ આ કુહાડી એ દુબુદ્ધિનો નાશ કરનાર છે. આમ આ ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ બતાડ્યો છે. હવે આગળની ત્રીજી ઢાળમાં, દ્રવ્યાદિનો પરસ્પર જે એકાંતે ભેદ માને છે તેને, અભેદ પક્ષની દલીલો દ્વારા દૂષણ દેખાડશે. ર૫TT Page #103 -------------------------------------------------------------------------- ________________ ને - ટાળ ત્રીજી એકાંતિ જો ભાષિઈજી, દ્રવ્યાદિકનો રે ભેદ | તો પરદ્રવ્ય પરિ હુઇજી, ગુણ-ગુણિભાવ ઉચ્છેદ રે . ભવિકા, ધારો ગુરુ ઉપદેશ ૩-૧ | ટબો- દ્રવ્યાદિકનો - દ્રવ્ય - ગુણ પર્યાયનો જો એકાંતઈ ભેદ ભાષિઈ, તો પરદ્રવ્યનઈ પરિ સ્વદ્રવ્યનઈ વિષે પણિ ગુણ - ગુણિભાવનો ઉચ્છેદ થઈ જાઈ. જીવ દ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહનો ગુણી જીવદ્રવ્ય, પુદ્ગલ દ્રવ્યના ગુણ રૂપાદિક, ગુણી પુગલદ્રવ્ય, એ વ્યવસ્થા છd, શાસ્ત્ર પ્રસિદ્ધ. ભેદ માનતાં તે લોપાઈ, જીવદ્રવ્યનઈ પુદગલ ગુણસું જિમ ભેદ છઈ તિમ નિજ ગુણસ્ય પણિ ભેદ છઠ, તો “એહનો એહ ગુણી, એહના એહ ગુણ' એ વ્યવહારનો વિલોપ થઈ આવઈ. તે માટો દ્રવ્ય ગુણ પર્યાયનો અભેદ જ સંભવઈ. એહવો અભેદનયનો ગુરુનો ઉપદેશ ભણીનઈ ભવ્ય પ્રાણી ધારો. | ૩-૧ . ગાથાર્થ - જો દ્રવ્યાદિકનો એકાંતે ભેદ કહેવામાં આવે તો પરદ્રવ્યની જેમ ગુણ - ગુણીભાવનો ઉચ્છેદ થઈ જાય. હે ભવ્યજીવો ! ગુરુના ઉપદેશને હૃદયમાં ધારો. || ૩-૧ || વિવેચન - દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયનો ભેદ છે એ વાત બીજી ઢાળમાં ઘણી દલીલો સાથે સમજાવી. પણ આટલા માત્રથી જો એકાંતે ભેદ માની લેવામાં આવે તો ઘણી અસંગતિઓ ઊભી થાય છે. માટે હવે આ ઢાળમાં એ અસંગતિઓનું વર્ણન કરીને એકાંતભેદનો નિષેધ કરવા દ્વારા કથંચિદ્ ભેદભેદનું સ્થાપન કરવામાં આવશે. દ્રવ્યાદિકનો = દ્રવ્ય-ગુણ-પર્યાયનો જો એકાંતે = સર્વથા = અભેદનિરપેક્ષ એવો ભેદ કહેવામાં આવે તો પરદ્રવ્યની જેમ સ્વદ્રવ્ય સાથે પણ ગુણ-ગુણીભાવ ઊભો રહી શકે નહીં. આશય એ છે કે જીવદ્રવ્યના જ્ઞાન વગેરે ગુણ છે અને એ જ્ઞાનાદિકગુણોનો ગુણી જીવદ્રવ્ય છે... પુદ્ગલદ્રવ્યના ગુણ રૂપ વગેરે છે અને એ રૂપ વગેરેનો ગુણી પુદ્ગલ દ્રવ્ય છે. આવી વ્યવસ્થા શાસ્ત્રમાં કહેલી છે. પણ જો ગુણ-ગુણી (દ્રવ્ય)નો એકાંતે ભેદ માનવામાં આવે તો આ વ્યવસ્થા લોપાઈ જાય છે. જીવદ્રવ્ય પુદ્ગલના ગુણભૂત રૂપાદિથી જેમ સર્વથા ભિન્ન છે, માટે જીવદ્રવ્યના રૂપાદે ગુણ.... ને રૂપાદિ ગુણનો જીવદ્રવ્ય એ ગુણી’ એમ જેમ નથી કહેવાતું તેમ “જીવદ્રવ્યના જ્ઞાનાદિ ગુણ... ને જ્ઞાનાદિગુણનો જીવદ્રવ્ય એ ગુણી” એમ પણ કહી નહીં શકાય, કારણ કે જીવદ્રવ્યને જ્ઞાનાદિથી પણ સર્વથા ભિન્ન માન્યું છે. એ જ રીતે રૂપાદિથી પુદ્ગલદ્રવ્યનો સર્વથા ભેદ જો હોય તો તો જીવની જેમ પુદ્ગલ સાથે પણ રૂપાદિનો ગુણ-ગુણીભાવ કહી નહીં શકાય.. કારણ કે એકાંત ભેદ બંનેની સાથે એક સમાન રીતે રહ્યો છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ 2પ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૨ દ્રવ્યઈ ગુણ પર્યાયનો જી ઈ અભેદ સંબંધ | ભિન્ન તેહ જો કલ્પિઈ છે, તો અનવસ્થા બંધ રે | ભવિકા ૩-રા. ટબો- વળી અભેદ ઉપરિ યુક્તિ-કહઈ છઈ - દ્રવ્ય ક. દ્રવ્યનઈ વિષ, ગુણ - પર્યાયનો અભેદ સંબંધ છઇ. જો દ્રવ્યનઇ વિષઈ ગુણ - પર્યાયનો સમવાય નામઈ ભિન્ન સંબંધ કલ્પીછે, તો અનવસ્થા દોષનું બંધન થાઈ. જે માટd ગુણ - ગુણીથી અલગો સમવાય સંબંધ જે બે પદાર્થોને પરસ્પર કશું લાગતું વળગતું જ ન હોય.. સર્વથા જુદા હોય એ બે પદાર્થો વચ્ચે સંબંધ હોવો શક્ય જ શી રીતે બને ? એટલે જીવનો રૂપાદિ સાથે જેવો સર્વથા ભેદ છે. એના કરતાં જ્ઞાનાદિ સાથે કંઈક વિલક્ષણતા તો હોવી જ જોઈએ. અન્યથા જ્ઞાનાદિ પણ રૂપાદિની પંક્તિમાં જ બેસવાથી રૂપાદિની જેમ જીવના હોવા સંભવી જ ન શકે. આ વિલક્ષણતા એટલે જ કથંચિત્ અભેદ. તેથી જીવદ્રવ્યના જ્ઞાનાદિ ગુણો... પુદ્ગલદ્રવ્યના રૂપાદિગુણો.... આવા બધા વ્યવહારની સંગતિ માટે ગુણ-ગુણી વચ્ચે અભેદ માનવો પણ આવશ્યક છે. આવો અભેદનયનો ગુરુનો ઉપદેશ સાંભળીને હે ભવ્યજીવો ! હૃદયમાં ધારો. | ૨૬ | ગાથાર્થ - દ્રવ્યમાં ગુણ અને પર્યાયનો અભેદ સંબંધ છે. એને જો ભિન્ન કલ્પીએ તો અનવસ્થા દોષનું બંધન આવે છે. ૩-૨ | વિવેચન - વળી અભેદ સંબંધને દર્શાવવા માટે યુક્તિ દર્શાવે છે. દ્રવ્યમાં ગુણ - પર્યાયનો અભેદ સંબંધ છે. નૈયાયિક - ગુણ-ગુણી ભાવની સંગતિ કરવા માટે બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ... એટલી વાત બરાબર છે. કારણ કે કોઈપણ પદાર્થ બીજા પદાર્થમાં વગર સંબંધ રહી શકતો નથી. પણ આ સંબંધ અભેદ સંબંધ જ જોઈએ એવો નિયમ નથી. ભેદસંબંધથી પણ કામ ચાલી શકે છે. જેમ કે અમે નિત્ય એવા સમવાય સંબંધથી બધી સંગતિ કરીએ છીએ. જીવથી જ્ઞાન રૂપાદિકની જેમ જ સર્વથા ભિન્ન હોવા છતાં જીવનું જ્ઞાન કહેવાય છે, રૂપાદિક નથી કહેવાતા એમાં કારણ એ છે કે જ્ઞાનનો સમવાય સંબંધ જીવમાં રહ્યો છે, રૂપાદિકનો નથી રહ્યો. જૈન - જ્ઞાનનો સમવાય જીવમાં રહ્યો છે, એમ તમે માનો છો.. પણ સમવાય પણ તમારા મતે એક સ્વતંત્ર પદાર્થ હોવાથી વગર સંબંધે જીવમાં રહી શકશે નહીં. માટે એનો મા નામનો સંબંધ માનવો પડશે. વળી એ એ ને પણ જીવમાં રહેવું પડશે, કારણ કે તો જ એ સંબંધનું કામ કરી શકે. એટલે એને રહેવા માટે વે નામનો સંબંધ માનવો પડશે. વળી વ ને જીવમાં રહેવું પડશે. એ માટે તે સંબંધ જોઈએ. આમ અનવસ્થા ચાલશે... નવો નવો સંબંધ માન્યા જ કરવો પડશે.. ક્યાંય અટકી નહીં શકાય. નિયાયિક - અમે સમવાયને જીવમાં રહેવાનો જે સંબંધ માનીએ છીએ તે સ્વરૂપસંબંધ છે. અર્થાત્ જીવનું એક સ્વરૂપ જ સમવાયને રહેવાના સંબંધનું કામ કરે છે... અને આ સ્વરૂપ Page #105 -------------------------------------------------------------------------- ________________ ८६ ઢાળ-૩ : ગાથા-૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કહિછે તો તે સમવાયનઈ પણિ અનેરો સંબંધ જોઇઇ. તેહનઈ પણ અનેરો, ઇમ કરતાં કિહાંઈ ઠરાવ ન થાઈ. અનઈ જો સમવાયનો સ્વરૂપ સંબંધ જ અભિન્ન માનો તો ગુણ-ગુણીનઈ સ્વરૂપસંબંધ માનતાં હૂં વિઘટઈ છઈ ? જે ફોક નવો સંબંધ માનો છો. ૫ ૩-૨ | સ્વર્ણ કુંડલાદિક હુઉં જી,” “ઘટ રક્તાદિક ભાવ” એ વ્યવહાર ન સંભવઇજી, જો ન અભેદસ્વભાવ રે સંભવિકા ૩-૩ / ટબો- વળી અભેદ ન માનઇ, તેહનાં બાધક કહઈ છઈ- “સોનું તેહ જ કંડલ થયું “ઘડો પહિલાં શ્યામ હુતો, તેહ જ રાતો વર્ણઈ થયો” એહવો સર્વલોકાનુભવસિદ્ધ વ્યવહાર ન ઘટઈ, જો અમેદસ્વભાવ દ્રવ્યાદિક ૩ નઈ ન હુઈ તો. ૩-૩ તો જીવનું પોતાનું સ્વરૂપ હોવાથી અભિન્ન હોય છે. માટે એને રહેવાનો કોઈ નવો સંબંધ માનવો જરુરી ન હોવાથી અનવસ્થા આવતી નથી... જૈન - સમવાયનો જો જીવમાં અભિન્ન એવો સ્વરૂપ સંબંધ માનો છો તો એના કરતાં જ્ઞાનાદિ ગુણનો જ અભેદ સંબંધ માની લ્યો ને. એ માનવામાં તમને શું તકલીફ પડે છે ? નાહકનું સમવાય નામનો નવો પદાર્થ-સંબંધ માનવાનું ગૌરવ કરવું. માટે ગુણ-ગુણીનો અભેદ સંબંધ માનવો જરુરી છે. ટૂંકમાં ઘડાનું પાણી પણ બોલાય છે ને ઘડાનું રૂપ પણ બોલાય છે. પણ પાણી ઘડાનું મટીને તપેલીનું થઈ શકે છે... રૂપ ઘડાનું મટીને અન્યનું થઈ શકતું નથી. તેથી જળ-ઘટ વચ્ચેના સંબંધ કરતાં રૂપ-ઘટ વચ્ચેનો સંબંધ ઘણો જ વિલક્ષણ હોવો જ જોઈએ..ને એટલે એ અભેદ સંબંધ છે. | ૨૭ | ગાથાર્થ - જો દ્રવ્ય અને ગુણ-પર્યાયનો અભેદ સ્વભાવ ન હોય, તો “સોનું કુંડલ વગેરે બન્યું “ઘડો લાલ વગેરે બન્યો” આવો વિશ્વપ્રસિદ્ધ વ્યવહાર સંગત નહીં થાય. | ૩-૩ ||. વિવેચન - આ ગાથામાં દ્રવ્ય-પર્યાયનો અને દ્રવ્ય-ગુણનો અભેદ ન માનનારને બાધક આપવામાં આવે છે. સોનાના કુંડલ-કંકણ વગેરે પર્યાયો છે. ઘડાના શ્યામરૂપ-રક્તરૂપ વગેરે ગુણો છે. જો સોનું-કુંડલ વચ્ચે અભેદ ન હોય તો સર્વલોકને જે અનુભવસિદ્ધ છે કે “સોનું કુંડલ બન્યું તે ઘટી શકશે નહીં. એમ ઘડા અને રૂપ વચ્ચે અભેદ નહીં હોય તો, પહેલાં જે ઘડો શ્યામ હતો. તે હવે (પાક આપ્યા પછી) લાલ બન્યો” આવો શિષ્ટજન વ્યવહાર પણ ઘટી શકશે નહીં, કારણ કે એમાં ઘડાને જ શ્યામ-લાલ કહેવાઈ રહ્યો છે. નૈયાયિક - સોનું કુંડલ બન્યું...” આવા વ્યવહારની સંગતિ માટે અમે કુંડલ શબ્દની લક્ષણા કુંડલઆકારવાળામાં કરીએ છીએ. એટલે અર્થ આવો મળશે કે “સોનું કુંડલ આકારવાળું બન્યું...” એમ લાલ = લાલરંગવાળો એવી લક્ષણા કરીને “ઘડો લાલરંગવાળો બન્યો' આવો અર્થ કરીએ છીએ. માટે કોઈ અસંગતિ રહેતી નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૪ બંધ દેશ ભેદઇ હુઇ જી, બિમણી ગુરુતા રે ખંધિ । પ્રદેશ ગુરુતા પરિણમઇજી, બંધ અભેદહ બંધ રે ।। ભવિકા૰ ॥ ૩-૪ ॥ ટબો વળી બીજું બાધક કહઇ છઇ- બંધ કહિઇ - અવયવી, દેશ કહિઇ અવયવ, એહોનઇ જો ભેદ માનઇ તો બિમણો ભાર ખંધમાંહિ થયો જોઈઇ, જે મા િશત તંતુના પટમાંહિ - શતતંતુનો જેટલો ભાર, તેટલો પટમાંહિઁ પણિ જોઈઇ. અનઇ જે કોઇ નવા નઇયાયિક ઇમ કહઇ છઇ જે અવયવના ભારથી અવયવીનો ભાર અત્યન્ત હીન છઇ, તે માટઇ તેહનઇ મતઇ દ્વિપ્રદેશાદિક ખંધમાંહિં કિહાંઈ ઉત્કૃષ્ટ ८७ જૈન - એક તો લક્ષણા કરવાનું ગૌરવ થાય છે... બીજું, લક્ષણા ત્યારે જ થાય જ્યારે અસંગતિ ઊભી થતી હોય... અભેદ માનવામાં કોઈ અસંગતિ રહેતી જ નથી, પછી લક્ષણા શા માટે ? ભેદસંબંધ માની સમવાય નામનો નવો પદાર્થ કલ્પવાનું ગૌરવ... ને પાછું આ લક્ષણાનું ગૌરવ... આમ બમણું ગૌરવ વહોરી લેવામાં ડહાપણ તો નથી જ. ॥ ૨૮ 11 ગાથાર્થ - સ્કંધ=અવયવી અને દેશ–અવયવ... આ બંનેનો જો સર્વથા ભેદ હોય તો સ્કંધમાં બમણું વજન આવવું જોઈએ. પણ આવતું નથી. પ્રદેશઅવયવોનું જે વજન હોય છે તે જ અવયવીનું વજન બની જાય છે... માટે અવયવ - અવયવીનો અભેદ સંબંધ માનવો જોઈએ. || ૩-૪ || વિવેચન – સર્વથા ભેદ માનનારને બીજો બાધક આપે છે જો સ્કંધ=અવયવી અને દેશ=અવયવ... એનો એકાંતે ભેદ કહીએ તો સ્કંધમાં બમણું વજન થવું જોઈએ. આશય એ છે કે ૧૦૦ તંતુનો પટ બન્યો. એ વખતે ૧૦૦ તંતુ તો ઊભા જ છે ને તેથી એનું વજન તો ઊભું જ છે. હવે પટ જે પેદા થયો તે જો તંતુથી સર્વથા ભિન્ન છે... તો એનું વજન પણ સર્વથા ભિન્ન રહેવાથી કુલ બમણું વજન થવું જ જોઈએ. - - અનઇ જે કોઇ... નવ્યનૈયાયિક - અવયવના ભાર કરતાં અવયવીનો ભાર અત્યંત અલ્પ (નહીવત્ - શૂન્ય જેવો) જ હોય છે. એટલે અવયવીને જ્યારે તોલવામાં આવે ત્યારે અવયવોનો ભાર જ જણાય છે... પણ બમણો ભાર જણાતો નથી. ગ્રન્થકાર - તો પછી ઉત્કૃષ્ટ ગુરુતા ચણુક ઋણુક વગેરે કોઈપણ સ્કંધમાં ક્યારેય નહીં મળે... પરમાણુમાં જ મળવી જોઈએ... કારણ કે છેવટે ચણુક પણ પરમાણુના અવયવી છે ને પરમાણુ એનો અવયવ છે. તમારી વાત બરાબર છે... ઉત્કૃષ્ટ ગુરુતા પરમાણુમાં જ હોય છે, એમ અમે નૈયાયિક માની લઇશું. ગ્રન્થકાર તો તો પછી વિશેષ પ્રકારના રૂપ વગેરે પણ પરમાણુમાં જ હોય છે, એમ Page #107 -------------------------------------------------------------------------- ________________ ८८ ઢાળ-૩ : ગાથા-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ગુરુતા ન થઇ જોઇઇ, જે માટઇ દ્વિપ્રદેશાદિક બંધ એકપ્રદેશાદિકની અપેક્ષાઇ અવયવી છઇ. અનઇ પરમાણુમાંહિં જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિંઇ તો રૂપાદિક વિશેષ પણિ પરમાણુમાં િમાન્યા જોઇઇ, દ્વિપ્રદેશાદિકમાંહિ ન માન્યાં જોઇઇ. અભેદનયનો બંધ માનઇ-તો પ્રદેશનો ભાર તેહ જ ખંધભારપણઇ પરિણમઇ, જિમ-તંતુરૂપ પટરૂપપણઇ, તિવારઇ ગુરુતાવૃદ્ધિનો દોષ કહિઓ, તે ન લાગઇ. ।। ૩-૪ || ભિન્ન દ્રવ્યપર્યાયનઇ જી, ભવનાદિક નઇ રે એક । ભાષઇ, કિમ દાખઇ નહીજી, એક દ્રવ્યમાં વિવેક રે ।। ભવિકાo ।।૩-૫ ॥ પણ માની લ્યો ને ! આશય એ છે કે અવયવીને તોલવાથી જણાતું વજન જો અવયવોનું જ છે. અવયવીનું નથી... તો એ રીતે તો અવયવીને જોવાથી જોવા મળતું રૂપ પણ અવયવોનું જ માનવું જોઈએ... એમ અવયવીને ચાખવાથી માણવા મળતો સ્વાદ પણ અવયવોનો જ માનવો જોઈએ... અને ચણુક સુધીના તો બધા અવયવી જ છે... એટલે જે કાંઈ સારા-સારા વિશેષ પ્રકારના રૂપ-૨સ વગેરે લોક અનુભવમાં આવે છે એ બધાને પરમાણુના જ માનવા જોઈએ, એ સિવાય કશાના નહીં... પણ આવું મનાતું નથી... કારણ એ અનુભવ વિરુદ્ધ છે... યુક્તિ વિરુદ્ધ છે... એટલે જેમ ઉત્કૃષ્ટ રૂપ વગેરે પરમાણુના નહીં પણ સ્કંધના જ હોય છે એમ ઉત્કૃષ્ટ ગુરુતા પણ પરમાણુમાં નહીં, પણ સ્કંધમાં જ માનવી જોઈએ. ને તેથી બમણાવજનની આપત્તિ ઊભી જ રહેશે... પણ જો અભેદનયનો સંબંધ માનવામાં આવે તો અવયવોનો ભાર જ અવયવીના ભારરૂપે પરિણમતો હોવાથી બમણાવજનનો જે દોષ કહ્યો છે તે લાગતો નથી. આશય એ છે કે જેમ તંતુનું રૂપ જ પટના રૂપ રૂપે પરિણમે છે તેમ તંતુનું વજન જ પટના વજન તરીકે પરિણમે છે. એમ માનવામાં કોઈ દોષ રહેતો નથી. પણ એવું તો જ માની શકાય છે જો તંતુ અને પટ વચ્ચે અભેદ સંબંધ મનાયો હોય. ।। ૨૯ ।। ગાથાર્થ - જુદા જુદા દ્રવ્યોના પર્યાયરૂપે બનેલા ભવન વગેરેને તું એક કહે છે, તો એક જ દ્રવ્યના પર્યાયમાં આવો વિવેક કેમ દાખવતો નથી ? ॥ ૩-૫ || વિવેચન - દ્રવ્ય-ગુણ-પર્યાયનો જે અભેદ માનતો નથી એને ઉપાલંભ આપે છે કે પાષાણ, કાષ્ઠ, પૃથ્વી-જળ વગેરે ભિન્ન દ્રવ્યો મળીને ઘર વગેરે જે પર્યાય નિર્માણ પામ્યા છે તેને ‘આ એક ઘર છે' આવા લોકવ્યવહારને અનુસરીને તું પણ ‘એક’ તરીકે સ્વીકારે છે. તો એક દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ હોય છે એવો વિવેક તું કેમ નથી દાખવતો? કારણ કે આત્મદ્રવ્ય...એ જ આત્મગુણ... એ જ આત્મપર્યાય... આવો વ્યવહાર અનાદિ સિદ્ધ છે. અલબત્ નૈયાયિકના મતે પાર્થિવ અવયવો અને જલીય અવયવો (પરમાણુ વગેરે) સાથે મળીને કોઈ અવયવી બની શકતો નથી... નહીંતર તો એ એક અવયવીના સમવાયિકારણ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૬ ટબો- દ્રવ્યાદિકનઈ અભેદ ન માનઈ છઇ, તેહનઈ ઉપાલંભ દિઇ છઈ - ભિન્ન દ્રવ્ય - જે પાષાણ, કાષ્ઠ, પૃથિવી, જલાદિક. તેહનો પર્યાય જે ભવનાદિક - ઘરપ્રમુખ, તેહનઈ તુ “એક' કહઈ છઇ. “એક ઘર એ' ઇત્યાદિ લોકવ્યવહાર માટઇ. તો એક દ્રવ્યમાં - દ્રવ્ય, ગુણ, પર્યાયનો અભેદ હોઈ, એહવો વિવેક કાં નથી કહિતો ? જે માટછે - આત્મદ્રવ્ય, તેહ જ આત્મગુણ, તેહ જ આત્મપર્યાય, એહવો વ્યવહાર અનાદિસિદ્ધ છઇ. I ૩-૫ | ગુણ પર્યાય અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર | પરિણતિ જે છઈ એકતા જી, તેણેિ તે એક પ્રકાર રે ભવિકાd I ૩-૬ . ટબો- જીવદ્રવ્ય, અજીવદ્રવ્ય, ઇત્યાદિ જે નિયત કહતાં વ્યવસ્થા સહિત વ્યવહાર થાઈ તરીકે પૃથ્વી - જળ બંને દ્રવ્યોને માનવાની આપત્તિ આવે. પરંતુ પાર્થિવ સાથે પાર્થિવ મળીને.... જલીય સાથે જલીય મળીને... એ જ રીતે અવયવી બને છે. માટે જ તેઓ આપણા શરીરને પાર્થિવ જ માને છે. અર્થાત્ શરીરનું ઉપાદાનકારણ તો પાર્થિવ પરમાણુ જ.. જળાદિનો જે અંશ છે તે બધું નિમિત્તકારણ. એટલે તેમના મતે તો પાષાણ-કાષ્ઠ-જળ વગેરે મળીને કોઈ એક અવયવી બની શકે નહીં. તેથી ટબામાં “એ એક ઘર છે' એવો લોકવ્યવહાર હોવાથી એમ જણાવ્યું છે. શિષ્ટજનપ્રસિદ્ધ આવા જે કોઈ વ્યવહારો હોય તે કોઈક ને કોઈક નયથી તો સંગત હોય જ. અર્થાત્ કોઈક નયથી એને સંગત કરવો જ પડે. માટે તો કહ્યું છે કે જેટલા વચનપ્રયોગો છે તેટલા નય છે. બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે તો એ પણ સંગત કરી શકે છે. ને સાંખ્ય આત્માને પુષ્કર પલાશવત્ નિર્લેપ કહે છે તો એ પણ સંગત ઠરી શકે છે. નય શોધી કાઢવો જોઈએ. જેમકે પૂર્વે વિશુદ્ધ નિશ્ચયનયની વાત કરી ગયા.... જાત્યરત્ન પર ગમે એટલો મેલ જામી ગયો હોય.... અને બહાર કોઈ જ ચમક ન દેખાતી હોય.. તો પણ તેનું અંદરનું તેજ-મહિમા વગેરે બધું અક્ષત જ હોય છે. એ જ રીતે નિગોદના જીવમાં પણ અંદર કેવલજ્ઞાન તો એવું જ અક્ષત હોય છે. એ જ રીતે અન્ય પણ બધા ગુણો એવા ને એવા અક્ષત હોય છે. એમાં જરા પણ ફેરફાર થતો નથી. (બહારથી ભલે આવરાઈ ગયેલા દેખાય) આને જ કહેવાય.. અંદરખાને આત્મા પુષ્કર પલાશવત્રિપ છે. || ૩૦ || ગાથાર્થ - દ્રવ્યોનો જે નિયત વ્યવહાર થાય છે તે ગુણ-પર્યાયના અભેદના કારણે થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયની એકતા પરિણતિ જે થઈ છે તેથી તે ત્રણે પ્રકાર એક કહેવાય છે. || ૩-૬ | વિવેચન - આ જીવદ્રવ્ય.. આ અજીવદ્રવ્ય... આવો ચોક્કસ વ્યવસ્થાવાળો જે નિયત વ્યવહાર થાય છે તે ગુણ-પર્યાયનો દ્રવ્ય સાથે જે અભેદ છે એના કારણે થાય છે. એટલે Page #109 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૩ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છઈ, તે ગુણ પર્યાયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ પર્યાયથી અભિન્ન દ્રવ્ય તે જીવદ્રવ્ય, રૂપાદિક - ગુણપર્યાયથી અભિન્ન તે અજીવદ્રવ્ય. નહી તો દ્રવ્ય સામાન્યથી વિશેષસંજ્ઞા ન થાઈ. દ્રવ્ય ગુણ પર્યાય એ ૩ નામ છઈ. પણિ સ્વજાતિ ૩ નઈ એકત્વ પરિણામ છઈ, તે માટિ - તે ૩ પ્રકાર એક કહઈ (હિ), જિમ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, તત્પર્યાય એ સર્વ એક જ કિહિઈ, જિમ રત્ન ૧, કાન્તિ ૨, જ્વરાપહાર શક્તિ ૩, પર્યાયનઈ, એ ૩ નઈ એક જ પરિણામ છઈ, તિમ - દ્રવ્ય - ગુણ - પર્યાયનઈ ઇમ જાણવું. ૩-૬ છે. જ્ઞાનાદિથી કે નરનારકાદિકથી જે અભિન્ન છે તે જીવદ્રવ્ય... રૂપાદિથી કે પિંડ-સ્થાસાદિથી જે અભિન્ન છે તે પુદ્ગલદ્રવ્ય.... નહીંતર = ગુણ-પર્યાયનો જો અભેદ ન હોય. જ્ઞાનાદિ કે રૂપાદિ બધા જ ગુણપર્યાયોનો જીવ-પુદ્ગલ વગેરે બધા દ્રવ્યો સાથે સમાન રીતે ભેદ હોય તો બધા દ્રવ્ય સમાન રીતે દ્રવ્ય સામાન્ય રૂપ જ બની જવાથી “દ્રવ્ય' તરીકે ઓળખાઈ શકાશે પણ “આ જીવ' આ પુદ્ગલ' વગેરે વિશેષ સંજ્ઞાથી નહીં બોલાવી શકાય. આશય એ છે કે સંજ્ઞાઓ આડેધડ નથી. હોતી. જેનો ઉલ્લેખ કરવો છે એ પદાર્થના ધર્મને નજરમાં રાખીને બોલાય છે. જેમ કે ધન જોઈને ધનવાન.. રૂપ જોઈને રૂપવાન્... જ્ઞાન જોઈને જ્ઞાની.... વગેરે સંજ્ઞાઓ વપરાય છે. જીવપુદ્ગલાદિ દ્રવ્યો કરતાં જ્ઞાન-રૂપાદિ સર્વથા ભિન્ન હોય તો આ જ્ઞાનવાન્ જીવ... આ રૂપવાનું પુગલ વગેરે બોલી જ શી રીતે શકાય ? જે દ્રવણશીલ = પર્યાયપ્રાપણશીલ છે તે દ્રવ્ય, સહભાવી ધર્મ તે ગુણ અને ક્રમભાવી ધર્મ તે પર્યાય.. આવી પોતપોતાની જાતિને આગળ કરીને દ્રવ્ય, ગુણ અને પર્યાય એવા ૩ નામ છે અને કથંચિદ્ ભેદ હોવાથી એ ત્રણ પદાર્થ પણ છે. છતાં એ ત્રણેનો કથંચિત્ એકત્વ પરિણામ = અભેદ પણ છે જ.. જ્ઞાનાદિ ગુણો અને નરનારકાદિક પર્યાયો જીવની સાથે અભિન્ન છે, પણ પુદ્ગલની સાથે નહીં.. રૂપાદિ ગુણો અને પિંડ-સ્થાસાદિ પર્યાયો પુદ્ગલ સાથે એકમેક છે, જીવ સાથે નહીં. આ સમજાવવાને દૃષ્ટાંત આપે છે – જેમ રત્ન (દ્રવ્ય), એની કાન્તિ (ગુણ) અને એની વરાપહાર શક્તિ (= તાવને દૂર કરવાનું સામર્થ્ય-પર્યાય) આ ત્રણે બાબતો કથંચિત્ ભિન્ન હોવા છતાં, ત્રણેનો એકત્વ પરિણામ પણ છે જ એમ પ્રસ્તુતમાં જાણવું જોઈએ. શંકા - સ્વરાપહાર શક્તિ તો રતને સહભાવી છે, તો એને પર્યાયના સ્થાને કેમ કરી? સમાધાન - કોઈ રત વ્યાધિને દૂર કરે. કોઈ રત વિજય અપાવે. કોઈ રત ધન અપાવે. આવી જાતજાતની શક્તિઓ હોય છે. એ શક્તિઓ એના લક્ષણને આધીન હોય છે. રતની ચમક, વર્ણ, અમુક સ્થળે કાળું ટપકું... આવું બધું ચોક્કસ પ્રકારનું અવસ્થાન એ લક્ષણ છે... માટે લક્ષણ એ પર્યાયરૂપ હોવું સ્પષ્ટ હોવાથી એને આધીન શક્તિને અહીં પર્યાય તરીકે કહેલ છે. | ૩૧ | Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૭ જો અભેદ નહીં એહોનો જી, તો કારય કિમ હોઇ ? । અછતી વસ્તુ ન નીપજઇજી, શવિષાણ પર જોઇ રે ।। ભવિકાo ।। ૩-૭ ।। ટબો- વળી અભેદ ન માનઇ, તેહનઇ દોષ દેખાડઇ છઇ જો એહનઈ - દ્રવ્ય ગુણ પર્યાયનઇ અભેદ નથી, તો કારણ કારયનઇ પણિ અભેદ ન હોઇ, તિ વારઇ કૃત્તિકાદિક કારણથી ઘટાદિકાર્ય કિમ નીપજઇ ? કારણમાંહિ કાર્યની શક્તિ હોઇ તો જ કાર્ય નીપજઈ, ગાથાર્થ - આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો જો અભેદ ન હોય તો કાર્ય શી રીતે થશે? કારણ કે શવિષાણની જેમ સર્વથા અસત્ વસ્તુ ક્યારેય ઉત્પન્ન થતી નથી. ।। ૩-૭ || ૯૧ = વિવેચન - વળી- દ્રવ્યાદિનો અભેદ ન માનનારને નવું દૂષણ આપે છે કારણ એ દ્રવ્ય છે અને કાર્ય એ પર્યાય છે. એટલે જો દ્રવ્ય-પર્યાયનો અભેદ ન હોય તો કારણ-કાર્ય વચ્ચે પણ અભેદ નહીં જ માની શકાય, અને તો પછી માટી-તંતુ વગેરે કારણથી ઘટ-પટ વગેરે કાર્ય શી રીતે ઉત્પન્ન થશે ? કારણમાં કાર્યની શક્તિ યોગ્યતા હોય તો જ કાર્ય નીપજે... કારણમાં જે જે કાર્ય વસ્તુની શક્તિ યોગ્યતા નથી એ કાર્ય પરિણામ પામતું જ નથી, જેમ કે શવષાણ. અને જો આ રીતે કારણમાં કાર્યસત્તા માનીએ તો કારણ-કાર્ય (દ્રવ્ય – પર્યાય) વચ્ચે અભેદ સહજ રીતે જ આવી ગયો. આશય એ છે કે કુંભાર માટી જ કેમ લાવે છે ? ને વણકર તાંતણા જ કેમ શોધે છે ? જો માટી-ઘટને કશું લાગતું વળગતું ન હોય તો માટીનો જ આગ્રહ શા માટે ? કોઈપણ સુશે કહેવું જ પડે કે માટીમાં જ ઘડાની યોગ્યતા છે... તંતુમાં જ પટની યોગ્યતા છે. માટીમાં આ ઘડાની યોગ્યતા છે એનો મતલબ જ છે કે ઘડો માટીમાં યોગ્યતા રૂપે હાજર છે... જેમ, ઠંડામાં મોરની યોગ્યતાનો મતલબ જ છે કે મોર ઇંડામાં યોગ્યતારૂપે હાજર છે અને ‘હાજર છે’ એનો અર્થ જ ‘સત્' છે. એટલે માટીમાં ઘડો સત્ છે... ને કારણસામગ્રીથી એ ઉત્પન્ન થાય છે. માટીમાં પટ હાજર નથી માટે લાખ પ્રયત્વે પણ ઉત્પન્ન થતો નથી... માટીમાં શવિષાણ હાજર નથી... એટલે કરોડો પ્રયને પણ ઉત્પન્ન થઈ શકે જ નહીં. શંકા - ગ્રન્થકારે, માટીમાં પટની યોગ્યતા જ નથી... માટે પટ ઉત્પન્ન થાય જ નહીં... એમ પટનું દૃષ્ટાન્ત ન આપતા ઠેઠ શશિવષાણ સુધી કેમ ગયા ? સમાધાન ગાથામાં ગ્રન્થકારે કારણ તરીકે કશાનો ઉલ્લેખ કર્યો નથી... એટલે કારણ તરીકે તંતુ વગેરે પણ લઈ શકાય જેમાં પટની યોગ્યતા છે જ. શશવિષાણની યોગ્યતા તો કશામાં જ નથી... માટે એનો ઉલ્લેખ કર્યો છે. ઘડામાં જેમ ઘટત્વ ધર્મ છે, એમ મૃત્મયત્વ ધર્મ પણ છે... એટલે, ઘટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ઘટભેદ જેમ વિચારી શકાય એમ મૃત્મયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ઘટભેદ પણ વિચારી શકાય છે. પિંડ-સ્થાસ વગેરેમાં ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ઘટભેદ હોવા છતાં મૃત્મયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ઘટભેદ તો નથી જ... ઘટભેદ નથી... એનો અર્થ જ ઘટનો અભેદ છે... એટલે કે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઢાળ-૩ : ગાથા-૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કારણમાંહિ અછતી કાર્યની પરિણતિ ન નીપજઇ જ જિમ શવિષાણ. જો કારણમાંહિં કાર્યસત્તા માનિઇ, તિવારઇ અભેદ સહજ જ આવ્યો. ॥ ૩-૭૪॥ દ્રવ્યરૂપ છતી કાર્યની જી, તિરોભાવની રે શક્તિ । આવિર્ભાવઇ નીપજઇજી, ગુણપર્યાયની વ્યક્તિ રે ।। ભવિકા૰ ।। ૩-૮ ॥ ટબો- કારણમાંહિં કાર્ય ઉપના પહિલા જો કાર્યની સત્તા છઇ, તો કાર્યદર્શન કાં નથી થાતું ? એ શંકા ઉપર કહઇ છઇ - કાર્ય નથી ઉપનું તિ વારઇ કારણમાંહિ કાર્યની દ્રવ્યરૂપઇ પિંડ વગેરેમાં પણ માટીરૂપે ઘડો હાજર જ છે... સત્ છે... ને પછી એ જ ઘડારૂપે ઉત્પન્ન થાય છે. ।। ૩૨ ।। ગાથાર્થ – કારણમાં કાર્યની દ્રવ્યરૂપે - તિરોભાવે શક્તિ રહેલી હોય છે. જ્યારે કારણસામગ્રી મળે છે ત્યારે એ શક્તિ આવિર્ભાવે નીપજે છે ને તેથી ગુણ-પર્યાયની વ્યક્તિ-અભિવ્યક્તિ થાય છે. ।। ૩-૮ ।। વિવેચન - કાર્યોત્પત્તિ પૂર્વે પણ જો કારણમાં કાર્ય હાજર છે, તો એ દેખાતું કેમ નથી? આવી શંકાને ટાળવા માટે ગ્રન્થકાર કહે છે કારણકાળે કારણમાં કાર્ય હાજર છે જ... પણ તિરોભાવની શક્તિએ રહેલ છે... અર્થાત્ તિરોભૂત છે... અંધારામાં ઘડો જણાતો નથી... જણાતો નથી એનો અર્થ એ નથી કે એનો અભાવ જ હોય... જેમ અભાવ હોય તો ન જણાય એમ તિરોભૂત હોય તો પણ ન જણાય. શંકા - અંધારામાં તો અંધકારથી જ તિરોભૂત હોવાના કારણે ઘડો ન જણાય એ બરાબર છે.. પણ પિંડાવસ્થામાં અંધકાર વગેરે તો કશું નથી... તો ઘડો શાનાથી તિરોભૂત છે ? સમાધાન માટીમાં પિંડ-સ્થાસ... ઘડો વગેરે બધું જ હાજર હોય છે... પણ જ્યારે પિંડાકાર પ્રગટ હોય છે... ત્યારે એ જ બાકીના બધા આકારોને તિરોભૂત કરી દે છે... એમ જ્યારે સ્થાસાકાર પ્રગટ થાય છે ત્યારે એ જ પિંડાકાર કે કોશાકાર વગેરે દરેકને તિરોભૂત કરી દે છે... એટલે પિંડ વગેરે અવસ્થા દરમ્યાન પણ ઘડો હાજર જ હોય છે. માત્ર તિરોભૂત હોવાથી દેખાતો નથી. પણ જ્યારે કારણસામગ્રી હાજર થાય છે ત્યારે એ આવિર્ભૂત થાય છે. કારણ કે એના ગુણપર્યાય વ્યક્ત થયા હોય છે... અને કાર્ય આવિર્ભૂત થાય છે, માટે દેખાય છે. શંકા - આનો અર્થ એ થયો કે કાર્યનો તિરોભાવ હોય ત્યારે ન દેખાય.. આવિર્ભાવ થાય ત્યારે દેખાય... તો આ તમારો આવિર્ભાવ, કાર્ય થયા પૂર્વે સત્ હતો કે અસત્ ? જો અસત્ કહેશો તો, એ ક્યારેય ઉત્પન્ન જ નહીં થાય... કારણ કે જે અસત્ હોય તે શવિષાણની જેમ ક્યારેય પેદા થતું નથી... અને છતાં અસત્ એવો પણ આવિર્ભાવ ઉત્પન્ન થઈ શકે છે એમ જો કહેશો તો એની જેમ કારણકાળમાં અસત્ એવા ઘટને પણ ઉત્પન્ન થવામાં શું તકલીફ છે ? એટલે પૂર્વકાળમાં આવિર્ભાવને અસત્ માની શકાતો નથી. એટલે એને સત્ માનવો પડશે... હવે Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૮ ૯૩ તિરોભાવની શક્તિ છઇ, તેણઇ કરી છઇ, પણિ - કાર્ય જણાતું નથી, સામગ્રી મિલઇ, તિ વારઇ - ગુણ પર્યાયની - વ્યક્તિથી આવિર્ભાવ થાઇ છઇ, તેણઇ કરી કાર્ય દીસઇ છઇ. ઘટોત્પત્તિ પૂર્વે સત્ એવો એ આવિર્ભાવ પોતે આવિર્ભૂત છે કે તિરોભૂત? જો આવિર્ભાવ આવિર્ભૂત હોય તો તો ઘટોત્પત્તિ પૂર્વે ઘટ પણ દેખાવો જ જોઈએ. કારણ કે એ આવિર્ભાવ પોતે જ તો ઘટના દર્શનનો નિયામક છે. એટલે એને જો તિરોભૂત માનશો તો અનવસ્થા આવી પડશે. કારણ કે હવે આવિર્ભાવનો આવિર્ભાવ માનવો પડશે...ને એના માટે આ બધા વિકલ્પો ઊભા થશે... આમ આવિર્ભાવને સત્ કહો કે અસત્... દૂષણ જ દૂષણ છે. માટે આવિર્ભાવ કહીને તમે છૂટી શકતા નથી... સમાધાન આવિર્ભાવ-તિરોભાવ એ કાર્યના દર્શન-અદર્શનના નિયામક છે... પણ એ કાર્યના અમુક ચોક્કસ પ્રકારના પર્યાયરૂપ જ છે... જેમ ઘડાનું રૂપ... ઘડાનો આકાર... આ બધા જ ઘડાના પર્યાય છે... એમ ઘડાનો આવિર્ભાવ... ઘડાનો તિરોભાવ... આ પણ ઘડાના જ પર્યાયો છે. એટલે ઘડાના રૂપ વગેરે પર્યાયો જેમ પિંડાદિરૂપે સત્ હોવા છતાં તિરોભૂત હતા.. અને ઘટકાળે આવિર્ભૂત થાય છે... એ જ પ્રમાણે આવિર્ભાવ માટે પણ જાણવું... - - શંકા - આ તો અમે પૂર્વે જણાવ્યું એમ તમે આવિર્ભાવનો આવિર્ભાવ માન્યો... ને તેથી, અમે જણાવ્યા મુજબ એમાં અનવસ્થા આવશે જ. સમાધાન - ના, આવી અનવસ્થાની કોઈ આપત્તિ નથી... કારણ કે પર્યાયોની કલ્પના અનુભવને અનુસારે થાય છે... આડેધડ થતી નથી... ‘ઘડાનો આવિર્ભાવ થયો...' આવો અનુભવ થાય છે... એટલે આવિર્ભાવ થવો તો માનવો જ પડે... વળી એને પૂર્વે સર્વથા અસત્ તો માની શકાતો નથી... (નહીંતર તો શવિષાણની જેમ એનું થવું અશક્ય બની જાય.) માટે એનો પણ પૂર્વે તિરોભાવ માનીને કાર્યકાળે આવિર્ભાવ માની શકાય. પણ આ રીતે ‘આવિર્ભાવનો આવિર્ભાવ થયો’ ‘આવિર્ભાવના આવિર્ભાવનો આવિર્ભાવ થયો' આવા બધા અનુભવો કાંઈ થતા નથી કે જેથી એ બધા માનવા પડે ને તેથી અનવસ્થા ચાલે... શંકા - આવી બધી વિચારણામાં અનુભવના આધારે ચાલવાનું હોતું નથી... પણ તર્કના આધારે ચાલવાનું હોય છે... કારણ કે અનુભવ તો આપણો ક્યારેક ભ્રાન્ત પણ સંભવે છે (જેમ કે રેલવેના બે પાટા ભેગા થતા દેખાય છે, વગેરે). ને તર્ક તો ઘડાને જે દલીલ લાગુ પડે છે એ જ એના આવિર્ભાવને લાગુ પડતી જણાવે છે... વળી એ આવિર્ભાવના આવિર્ભાવને... વળી પણ એના આવિર્ભાવને... બધે સમાન રીતે લાગુ પડતી હોવાથી અનવસ્થા તો આવશે જ. આમ તર્કને આટલો બધો વહાલો કરવા જશો તો તમે પણ ફસાઈ જશો. તે આ રીતે - અમે તમને પૂછીએ છીએ કે ઘટ એ કાર્ય છે... એની ઉત્પત્તિ જ્યારે થાય છે... એ પહેલાં એ ઉત્પત્તિ હતી કે નહીં ? જો હતી એમ કહેશો તો ઘડો પહેલેથી જ ઉત્પન્ન હતો.. પછી દંડ-ચક્રાદિએ શું કર્યું ? જો નહોતી... તો એનો અર્થ એ થયો કે એ ઉત્પત્તિ પણ ઉત્પન્ન સમાધાન - - Page #113 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૩ : ગાથા-૯ ૯૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ આવિર્ભાવ - તિરોભાવ પણ દર્શન - અદર્શન નિયામક કાર્યના પર્યાય વિશેષ જ જાણવા.” તેણઈ કરી આવિર્ભાવનઈ સત્, અસત્ વિકલ્પઈ દૂષણ ન હોઈ, જે માટઇ અનુભવનઈ અનુસારો પર્યાય કલ્પિછે. . ૭-૮ છે. નઇયાયિક ભાષઈ ઈમ્યું , “જિમ અછતાનું રે જ્ઞાન | હોવઈ વિષય અતીતનું જી, તિમ કારય સહી નાણ રે ભવિકાઢે છે. ૩-૯ | થાય છે. અર્થાત્ ઘટોત્પત્તિ એ પણ કાર્ય છે. વળી ઘટ તો કાર્ય છે જ.. હવે, માટી-દંડ-ચક્રકુંભાર વગેરે ઘટની સામગ્રી છે ? ઘટોત્પત્તિની સામગ્રી છે ? કે તે બંનેની સામગ્રી છે? બંનેની સામગ્રી છે, એમ કહી શકાતું નથી, કારણ કે કાર્યભેદે કારણભેદ જોઈએ જ. એટલે જ ઘટોત્પત્તિની એ સામગ્રી છે, એવું પણ નથી, કારણ કે ઘટની સામગ્રી તરીકે પ્રસિદ્ધ છે. તો ઘટોત્પત્તિની સામગ્રી શું છે ? એ કહો. વળી, ઘટ એ કાર્ય છે.... તો એની ઉત્પત્તિ થાય છે. એમ ઘટોત્પત્તિ એ પણ કાર્ય છે... તો ઘટોત્પત્તિની પણ ઉત્પત્તિ માનવી પડશે. વળી એ (બીજા નંબરની) ઉત્પત્તિ પણ પહેલાં નહોતી. ને પછી થાય છે, માટે એ પણ કાર્ય છે. એટલે ઘટોત્પત્તિની એ ઉત્પત્તિની પણ ઉત્પત્તિ (ત્રીજા નંબરની ઉત્પત્તિ) માનવી પડશે... આમ ઉત્પત્તિની ઉત્પત્તિ. વળી એની ઉત્પત્તિ.. પાછી એની પણ ઉત્પત્તિ... આમ ક્યાંય પાર જ નહીં આવવાથી અનવસ્થા પણ આવશે. એ ટાળવા માટે તમારે તર્કનું પૂછડું છોડીને અનુભવનું શરણ લેવા સિવાય છૂટકો જ નથી. અને અનુભવને અનુસરશો એટલે અનુભવ તો “ઘટોત્પત્તિ થઈ આટલો થાય છે.... પછી ઘટોત્પત્તિની ઉત્પત્તિ થઈ.” વગેરે અનુભવો કોઈપણ ડાહ્યા માણસને તો ક્યારેય થતા નથી.... માટે એની પંચાતમાં પડવાનું હોતું નથી... ને તેથી અનવસ્થા આવતી નથી. આ જ વાત આવિર્ભાવને લાગુ પાડવાથી પૂર્વે જણાવ્યું એમ આવિર્ભાવ અંગે પણ કોઈ દૂષણ રહેતું નથી. (અહીં ટબામાં “આવિર્ભાવનઈ સત્ અસત્... એમ કહ્યું છે, આવિર્ભાવાદિનઈ સત્ અસત્... એમ નહીં... એટલે આવિર્ભાવ અંગેના દૂષણ અને એના વારણ જ વિવક્ષિત છે. તિરોભાવ અંગેના નહીં. અને આવશ્યકતા પણ આવિર્ભાવ અંગે જ છે.... તિરોભાવ અંગેની વિચારણા તો જ જરૂરી બને. જો નાશ” પ્રસ્તુત હોય.) || ૩૩ | ગાથાર્થ - અહીં, નૈયાયિક આ પ્રમાણે કહે છે કે - અતીત વિષય અસત્ થઈ ગયો છે, તેમ છતાં જેમ એનું જ્ઞાન થાય છે... તો અસત્ કાર્ય જ ઉત્પન્ન થાય છે, એમ હે સખિ ! તું જાણ. ૩-૯ વિવેચન - ઉત્પત્તિપૂર્વે પણ કાર્ય સર્વથા સત્ હોય છે... આવું સર્વથા સત્ કાર્ય જ ઉત્પન્ન થાય છે. આવું માનનારા દાર્શનિકો સત્કાર્યવાદી કહેવાય છે. કાર્ય, ઉત્પત્તિ પૂર્વે સર્વથા અસત્ હોય છે... આવું સર્વથા અસત્ કાર્ય જ ઉત્પન્ન થાય છે. આવું માનનારા દાર્શનિકો અસત્કાર્યવાદી કહેવાય છે. આપણે જૈનો સદસત્કાર્યવાદી છીએ.... અર્થાત્ ઉત્પત્તિપૂર્વે જે કાર્ય કથંચિત્ સત્ હોય Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૯ ટબો- ઇહાં તૈયાયિક એહવું ભાષઈ છઈ “જિમ - અતીત વિષય જે ઘટાદિક, અછતા છઈ, તેહનું જિમ જ્ઞાન હોઈ, તિમ - ઘટાદિક કાર્ય અછતાં જ, મૃત્તિકાદિક દલથકી સામગ્રી મિલ્યુઇ નીપજચઇ. અછતાની શક્તિ હોઇ, તો અછતાની ઉત્પત્તિ કિમ ન હોઈ ? ઘટનું કારણ છે, કથંચિત્ અસત્ હોય છે એવું સદસત્ કાર્ય ઉત્પન્ન થાય છે. જેમકે ઘડો ઉત્પત્તિપૂર્વે ઘડારૂપે અસત્ હોય છે. પણ માટીરૂપે યોગ્યતારૂપે તો સત્ હોય જ છે. આમ સદસત્ હોય છે. નૈયાયિક અસત્કાર્યવાદી છે. જે પૂર્વે સર્વથા અસતું હોય તે શશવિષાણની જેમ ક્યારેય ઉત્પન્ન થઈ શકે નહીં... થાય નહીં. આવી આપણે અસત્કાર્યવાદીને જે આપત્તિ આપેલી, એનું વારણ કરવા તૈયાયિક દલીલ કરી રહ્યો છે કે સર્વથા અસત્ની જો જ્ઞપ્તિ થાય છે, તો એ રીતે ઉત્પત્તિ પણ થઈ શકે છે. નૈયાયિક - જે ઘટાદિ વિષય અતીત થઈ ગયો હોવાથી = નાશ પામી ગયો હોવાથી વર્તમાનમાં અસત્ છે, છતાં તેનું સ્મરણાદિ જ્ઞાન થાય છે... અર્થાત્ અસત્ની જ્ઞપ્તિ થાય છે તો એ રીતે પૂર્વે અસત્ એવા ઘટાદિ કાર્ય માટી વગેરે ઉપાદાનકરણમાંથી દંડ-ચક્ર વગેરે સામગ્રી મળે ત્યારે ઉપજશે.... ટૂંકમાં અછતાની જ્ઞપ્તિ થાય છે તો અછતાની ઉત્પત્તિ કેમ ન થાય ? વળી, ઘટને પહેલાં પણ સત્ માનો છો એટલે તમને બીજી પણ એક આપત્તિ આવે છે. તે આ રીતે - ઘડો પહેલાં પણ સત્ છે. (પણ તિરોભૂત છે, માટે તો દેખાતો નથી.) એટલે દંડાદિ સામગ્રીએ એને તો ઉત્પન્ન કરવાનો રહે નહીં. સને શું ઉત્પન્ન કરવાનો ? નહીંતર તો એને ફરી ફરી ઉત્પન્ન કર્યા જ કરવો પડે. પણ ઘડો પહેલાં તિરોભૂત છે, એને આવિર્ભત કરવાનો છે. માટે, તમારે દંડાદિ સામગ્રીને ઘટનું નહીં, પણ ઘટાભિવ્યક્તિનું કારણ માનવું પડશે, જેમાં ગૌરવ સ્પષ્ટ છે. ઘટવાવચ્છિન્નકાર્યતાનિરૂપિતદંડવાવચ્છિન્નકારણતા. આવો કાર્યકારણભાવ માનવાના બદલે ઘટાભિવ્યક્તિત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિતદંડવાવચ્છિકારણતા...આ રીતે કાર્યકારણભાવ માનવામાં ગૌરવ છે એ સ્પષ્ટ જ છે. અંધારામાં રહેલા ઘડાને વ્યક્ત કરવા માટે દીવો કરવો. આંખ ખોલવી (એ તરફ નજર નાખવી...) વગેરે જ લોકો કરે છે.. દંડ-ચક્ર વગેરે કાંઈ ભેગું કરતા નથી, એટલે જણાય છે કે અભિવ્યક્તિના કારણ તરીકે ચક્ષુ વગેરે પ્રસિદ્ધ છે. પણ દંડ-ચક્રાદિ કાંઈ એના પ્રમુખ કારણ તરીકે કહેવાતા નથી. તેથી ભેદપક્ષ જ માનવો યોગ્ય છે. એટલે કે દંડ-ચક્રાદિ ઘટને જ ઉત્પન્ન કરે છે... ઘટાભિવ્યક્તિને નહીં. એટલે જ ઉત્પત્તિ પૂર્વે ઘડાને અસત્ માનવાનો જ રહે છે. વળી એ વખતે કારણ તો હાજર (સતુ) હોય છે. માટે કારણ કરતાં કાર્ય ભિન્ન જ હોય છે, એમ ભેદપક્ષ માનવો ઉચિત છે. કારણ કે અસત્ અને સત્નો અભેદ ન હોય શકે. તમે જૈનો કદાચ જો એમ કહો કે દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડ વગેરે અને ભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ... તો એમાં ગૌરવ હોવાથી એ પણ ઘટતું નથી. આશય એ છે કે દ્રવ્યરૂપે ઘટને અભિવ્યક્ત થવા માટે આવિર્ભત થવા માટે દંડ વગેરે કારણ છે. અને ભાવરૂપે Page #115 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૩ : ગાથા-૧૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દંડાદિક અહે કહું છું, તિહાં લાઘવ છઇ, તુહરિ મતિ ઘટાભિવ્યક્તિનું દંડાદિક કારણ કહેવું તિહાં ગૌરવ હોઈ. બીજુ અભિવ્યક્તિનું કારણ ચક્ષુ: પ્રમુખ છઈ, પણિ દંડાદિક નથી. તે માટે ભેદ પક્ષ જ. દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડ, ભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ, તિહાં ગૌરવ છઇ, તે ન ઘટછે. ૩-૯ | તે મિથ્યા, નહીં સર્વથાજી, અછતો વિષય અતીત | પર્યાયારથ તે નહીં જી, દ્રવ્યારથ છઈ નિત્ય રે ભવિકા | ૩-૧૦ | ટબો- હવઈ એ મત દૂષઈ છઇ- “અછતાની શક્તિની પરિ અછતાની ઉત્પત્તિ હોઈ ઇમ =જ્ઞાનરૂપે ઘટને અભિવ્યક્ત થવા માટે ચક્ષુ વગેરે કારણ છે. “અર્થાભિધાનપ્રત્યયાઃ તુલ્યનામધયા” [અર્થ : પદાર્થ(ઘડો), અભિધાન (ઘડો એવો શબ્દ), તથા પ્રત્યય(= જ્ઞાન) આ ત્રણેનું નામ તુલ્ય હોય છે. એટલે કે ત્રણ માટે “ઘડો' શબ્દ વપરાય છે. એટલે ઘડાનું જ્ઞાન પણ ઘડો કહેવાતું હોવાથી “ઘટી છે... વળી એ જ્ઞાન છે, તેથી ભાવાત્મક હોવાથી “ભાવરૂપે ઘડો આવિર્ભત થયો એમ કહી શકાય છે. (ઘડાનું જ્ઞાન થયું હોય ત્યારે.) (અહીં દ્રવ્યઘટ એટલે ઘડાનો દ્રવ્યનિક્ષેપો.. અર્થાત્ ઘડાના કારણભૂત મૃર્લિંડ.. અને ભાવઘટ એટલે ભાવનિક્ષેપો. એટલે કે કંબુગ્રીવાદિમાનું પદાર્થ... આવો અર્થ સંગત નથી એ એકદમ સ્પષ્ટ છે, કારણ કે દ્રવ્યઘટની = મૃપિંડની કોઈપણ પ્રકારની અભિવ્યક્તિ માટે દંડ કારણ નથી એ નાનું બાળક પણ સમજે છે.) જૈનો કદાચ આ રીતે દંડ અને ચક્ષુરૂપ કારણના કાર્યનો વિભાગ કરી નાખે છે તો પણ એ બરાબર નથી, કારણ કે કાર્ય-કારણભાવમાં ગૌરવ જે ઉપર દોષરૂપે અમે (નૈયાયિકો) કહી ગયા છીએ એ ગૌરવ ઊભું જ છે. | ૩૪ | ગાથાર્થ - નૈયાયિકની આ વાત મિથ્યા છે, કારણ કે અતીતવિષય સર્વથા અસત્ હોતો નથી. માત્ર પર્યાયરૂપે તે નથીeતે અતીત થયો છે... દ્રવ્યરૂપે તો એ નિત્ય છે. (તેથી સત્ પણ છે જ.) | ૩-૧૦ |. વિવેચન - અતીત પદાર્થ અસત્ છે... અને છતાં એનું જ્ઞાન થાય છે. એટલે, અસત્ની જો જ્ઞપ્તિ થાય છે તો અસત્ની ઉત્પત્તિ કેમ ન થાય ? અર્થાત્ થાય જ.. આવી તૈયાયિકે જે વાત કરી છે એને દૂષિત ઠેરવવા ગ્રન્થકાર કહે છે કે અતીત વિષય પણ સર્વથા અસત્ થયો હોતો નથી. માત્ર પર્યાયાર્થિક નયથી જ તે ત્યાં નથી. દ્રવ્યાર્થિક નયથી તો નિત્ય હોવાથી તે ત્યાં છે જ. નષ્ટ ઘટ પણ સર્વથા નષ્ટ થઈ ગયો હોતો નથી. માટીરૂપે તો હાજર જ રહે છે. જો એનો સર્વથા અભાવ થઈ જતો હોય તો એ શશશંગ જેવો તુચ્છ બની જાય. પણ તૈયાયિકોએ પણ ઘટવૅસને શશશૃંગકલ્પ નથી માન્યો... કિન્તુ સાતમા પદાર્થરૂપે માન્યો છે જેમાં શેયત્વાદિ ધર્મો પણ માન્યા છે... શશશૃંગમાં તો શેયત્વ પણ હોતું નથી. એટલે જણાય છે કે ઘડો નાશ પામી જાય તો પણ શશશૃંગ જેવો સર્વથા અસત્ થઈ જતો નથી. સર્વથા અસત્ થયો નથી, એનો Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૧૧ કહિઉં, તે મત મિથ્યા, જે માટો - અતીત વિષય ઘટાદિક સર્વથા અછતો નથી, તે પર્યાયારથથી નથી, દ્રવ્યારથથી નિત્ય છઈ, નષ્ટ ઘટ પણિ મૃત્તિકારૂપઈ છઇ, સર્વથા ન હોઈ તે શશશ્ચંગ સરખો થાઇ. ૫ ૩-૧૦ | અછતું ભાસદે જ્ઞાનનો જી, જો “સ્વભાવિ સંસાર | કહતો જ્ઞાનાકાર” તો જી, જીપઈ યોગાચાર રે ભવિકાo || ૩-૧૧ | ટબો- “સર્વથા અછતો અર્થ જ્ઞાનમાંહિ ભાસઈ કઈ’ એહવું કહઈ છઈ, તેહને બાધક દેખાડઈ છઈ = જો “જ્ઞાનનો સ્વભાવઇ, અછતો અર્થ અતીત ઘટ પ્રમુખ ભાઈ એહવું માનઈ, તો “સારો સંસાર જ્ઞાનાકાર જ છઈ, બાહ્ય આકાર અનાદિ અવિદ્યા વાસનાઈ અછતા જ ભાસઈ છઇ, જિમ - સ્વપ્રમાંહિ અછતા પદાર્થ ભાસઈ છઇ, બાહ્યાકાર રહિત શુદ્ધ જ્ઞાન, મતલબ જ કથંચિત્ સત્ છે જ. વળી કંબુગ્રીવાદિમાનું આકાર વગેરે રૂપ પર્યાયરૂપે નથીઅને માટીરૂપે છે એ પ્રત્યક્ષથી જણાય છે. એટલે સાબિત થાય છે કે પર્યાયાર્થથી જ તે અસત્ થયો છે... દ્રવ્યાર્થથી તો સત્ જ છે. એટલે અતીતવિષયની જે જ્ઞપ્તિ થાય છે તે સર્વથા અસત્ની નથી હોતી. પણ (કથંચિત) સની જ હોય છે. એટલે અમે કહીશું કે જ્ઞપ્તિ જો સની જ હોય છે તો ઉત્પત્તિ પણ સની જ હોય... અસત્ની નહીં. હવે, સત્ની જ જો ઉત્પત્તિ માનવાની છે તો એને અભિવ્યક્તિરૂપ જ તમારે પણ માનવી પડશે. અને તો પછી તમારા કાર્યકારણભાવમાં પણ અભિવ્યક્તિનો સમાવેશ તમારે કરવો આવશ્યક બનવાથી (એ સિવાયનો કાર્યકારણભાવ સંભવિત ન હોવાથી) ગૌરવદોષ રહેતો નથી. જે ૩૫ || ગાથાર્થ – જ્ઞાનને સ્વભાવે કરીને જ અસત્ પદાર્થ ભાસે છે. એમ જ કહેશો સંસાર માત્ર જ્ઞાનાકારરૂપ જ છે એવું કહેતો યોગાચાર જીતી જશે. | ૩-૧૧ || | વિવેચન - સર્વથા અસત્ પદાર્થનું પણ જ્ઞાન થાય છે એવું કહેતા નૈયાયિકને બાધક દેખાડે છે. એનો ભાવાર્થ આવો છે – સામે ઘડો પડ્યો હોય ત્યારે “યં ધટ: જ્ઞાન થાય છે. સામે કપડું પડ્યું હોય ત્યારે “ર્ય પર:' એવું જ્ઞાન થાય છે. જ્ઞાનનો આવો આવો આકાર વિષયને આધીન હોય છે. જેવો વિષય હોય એવું જ્ઞાન થાય છે. જેવો શેયાકાર હોય એવો જ્ઞાનાકાર થાય. પણ વિષય જો સર્વથા અસત્ છે. શશશંગ જેવો છે... તો વિષયનો તો કોઈ જ આકાર ન હોવાથી એ તો જ્ઞાનને આકાર આપતો નથી, એ સ્પષ્ટ છે. પણ તે તે જ્ઞાનમાં ચોક્કસ આકાર તો હોય જ છે. ઠીકરાને જોઈને થતાં (સ્મૃત્યાદિ) જ્ઞાનમાં ઘટાકાર જ હોય છે, પટાકાર કે કટાકાર નહીં... તંતુમાં વણકરને પટ જ દેખાય છે, ઘટ કે કટ નહીં.. તો સર્વથા અસત્ વિષયના જ્ઞાનમાં આ આ ચોક્કસ આકાર કોના પ્રભાવે આવે છે ? વિષય તો છે જ નહીં, માટે વિષયના પ્રભાવે આવે છે એમ તો કહી શકાતું નથી... એટલે ન છૂટકે પણ તમારે માનવું જ પડશે કે Page #117 -------------------------------------------------------------------------- ________________ ८८ ઢાળ-૩ : ગાથા-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જ્ઞાનના જ તેવા તેવા સ્વભાવના પ્રભાવે આ - આ આકાર ઊભા થાય છે... હવે, અસવિષયક જ્ઞાનમાં જ્ઞાનના જ તેવા સ્વભાવથી જ જો આકાર ઊભા થાય છે, તો તમે જેને સદ્વિષયકજ્ઞાન કહો છો ને તેથી વિષયના પ્રભાવે જ્ઞાનાકાર માનો છો તે માનવાની પણ શી જરૂર છે ? ત્યાં જ્ઞાનનો સ્વભાવ ક્યાં ભાગી ગયો ? જ્યાં અસર્વિષય હોય ત્યાં જ્ઞાનનો સ્વભાવ.... ને જ્યાં સદ્વિષય હોય ત્યાં વિષયનો પ્રભાવ. આવું અલગ-અલગ માનવાનું ગૌરવ શા માટે ? બધે જ, જ્ઞાનને તેવા તેવા આકાર માટે બાહ્ય કોઈ જ વિષયની જરૂર નથી.. જ્ઞાનના તેવા પ્રકારના સ્વભાવે જ - વગર વિષયે જ તેવો તેવો આકાર ભાસે છે. શંકા - પણ, બાહ્યવિષયનો કોઈ પ્રભાવ ન હોય, તો ક્યારેક ઘટાકાર ને ક્યારેક પટાકાર કેમ ભાસે છે ? સમાધાન - અનાદિકાલીન અવિદ્યા - વાસનાના કારણે એવું થાય છે... જીવને અનાદિકાળથી અવિદ્યા વળગેલી છે... એના કારણે જ્ઞાનના આકારોની હારમાળા પણ નિશ્ચિત થયેલી છે. પ્રથમક્ષણે ઘટાકાર, દ્વિતીય ક્ષણે પટાકાર... વગેરે વગેરે.. બાહ્યવિષયની તો આકાર માટે કોઈ જ જરૂર નથી. નહીંતર તમારે પણ સર્વથા અસત્ વિષય અંગે પ્રશ્ન આવશે જ કે ક્યારેક (= ઠીકરાની ઉપસ્થિતિમાં) ઘટાકાર ને ક્યારેક ( ચીંથરાની ઉપસ્થિતિમાં) પટાકાર આવું શા માટે ? એટલે જેમ સ્વમમાં વગર બાહ્ય વિષયે પણ ક્યારેક બગીચો તો ક્યારેક ઉકરડો... ક્યારેક મહેલ... તો ક્યારેક ઝૂંપડું. તેવી તેવી વાસનાવશાત્ ભાસે છે... એમ બાહ્ય ઘટ-પટાદિ વિના જ અનાદિવાસનાવશાત્ જ્ઞાનમાં ઘટાકાર-પટાકાર ભાસે છે. અને વસ્તુ તો એ જ માની શકાય છે જ્ઞાનમાં ભાસતી હોય.. (જે જ્ઞાનમાં ભાસતી ન હોય એવી પણ વસ્તુ માનવાની હોય તો તો શશશૃંગ પણ માનવું પડે..) હવે જ્ઞાનમાં તો માત્ર પોતાના આકાર જ ભાસે છે. બાહ્ય ઘટ-પટાદિ ક્યારેય ભાસતા જ નથી. માટે ઘટ-પટાદિ કોઈ જ વસ્તુ આ સંસારમાં છે જ નહીં. જે છે એ માત્ર જ્ઞાનાકાર જ છે. માટે આખો સંસાર માત્ર જ્ઞાનાકાર છે. એ સિવાય કશું નથી... બીજી રીતે કહીએ તો... બારીની સામી ભીંતે દર્પણ છે. એમાં જોનારને દર્પણમાં અંદર - અંદર વૃક્ષ દેખાય છે. એની પાછળ નદી. એની પાછળ પર્વત... હકીકતમાં આ કશું દર્પણમાં છે જ નહીં. કારણ કે દર્પણની તો લંબાઇ – પહોળાઈ જ છે. જાડાઈ નથી.. ને એની પાછળ તો ભીંત છે.. જોનાર ભલે ‘આ વૃક્ષ છે. એની પાછળ આ નદી દેખાય છે...” વગેરે બોલતો હોય... પણ હકીકતમાં એ વૃક્ષ - નદી વગેરેને જોતો જ નથી... એ તો દર્પણમાં જે જે આકાર ઉપસેલા છે (પ્રતિબિંબિત થયેલા છે) એને જ જોઈ રહ્યો છે અને એનો જ ઉલ્લેખ કરી રહેલો છે. આપણું જ્ઞાન પણ દર્પણ જેવું છે. એમાં જે આકારો ઉપસે છે એ જ આપણે જોઈ શકીએ છીએ. ને એનું જ આપણે વર્ણન કરીએ છીએ. વળી જ્ઞાનમાં તો આકાર ઉપસવા માટે પણ બાહ્ય કોઈ પદાર્થની જરૂર જ નથી, એ આપણે ઉપર વિચારી ગયા છીએ.) માટે જે કાંઈ છે તે જ્ઞાનના જ આકારો છે. બીજું કશું નથી. કોઈ જ આકાર ઉપસેલો ન હોય. એવું દર્પણ કેવું દેખાય ? આપણી કલ્પના જ પહોંચી શકતી નથી. કારણ કે છેવટે આકાશનું પ્રતિબિંબ તો Page #118 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૩ : ગાથા-૧ ર ૯૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે બુદ્ધનાં જ હોઈ. ઈમ કહતો યોગાચાર નામઈ ત્રીજો બૌદ્ધ જ જીપઇ, તે માટd = અછતાનું જ્ઞાન ન હોઇ. ૩-૧૧ ૫. હમણાં જાણ્યો અર્થ તે જી,” ઈમ અતીત જે જણાઈ | વર્તમાન પર્યાયથી જી, વર્તમાનતા થાઈ રે ભવિકાળ ૩-૧૨ . ટબો- “જો અછતાનું જ્ઞાન ન હોઈ, તો હમણાં મઈ અતીત ઘટ જાણ્યો” ઈમ કિમ પડતું જ હોય છે. એમ કોઈપણ આકાર વિનાનું જ્ઞાન કેવું હોય ? એ આપણા માટે કલ્પનાતીત છે. પણ જ્યારે અવિદ્યાનો સર્વથા ઉચ્છેદ થઈ જાય છે, ત્યારે બાહ્યાકાર વિનાનું શુદ્ધજ્ઞાન થાય છે, (કારણ કે આકાર ઊભો કરનાર અવિદ્યા હતી.. ને એ તો હવે વિચ્છિન્ન થઈ ગયેલી છે.) આવું બાહ્યાકાર વિનાનું શુદ્ધ જ્ઞાન બુદ્ધને જ હોય છે. એટલે હે મૈયાયિક ! અતીત - અનાગત વિષય સર્વથા અસત્ હોવા છતાં જ્ઞાનમાં ભાસે છે. આટલી આંગળી જો તું બૌદ્ધના ત્રીજા ભેદ યોગાચારને આપીશ, તો એ આખું પોચું પકડી લેશે. ને તું જેને વર્તમાન - સત્ વિષય કહે છે... એને પણ અસત્ કહી દેશે.. જ્ઞાન થાય છે, એટલા જ માત્રથી એની સત્તા માની શકાય નહીં, એમ કહીને બાહ્ય બધા પદાર્થોને અસત્ જાહેર કરી દેશે. જો આવી ઉપાધિ હોરી લેવી ન હોય તો “અછતાનું પણ જ્ઞાન થાય' આવી દુર્બુદ્ધિને છોડી દે. ને જો જ્ઞાન થાય છે તો વિષય કોઈ ને કોઈ રૂપે તો વિદ્યમાન છે જ.. એવી સબુદ્ધિને સ્વીકારી લે.... | ૩૬ / ગાથાર્થ - તે અતીત અર્થ હમણાં જાણ્યો’ આ રીતે અતીત પદાર્થ જે જણાય છે. ત્યાં વર્તમાનપર્યાયથી વર્તમાનતા થાય છે, એમ જાણવું. તે ૩-૧૨ || વિવેચન - જો અસત્ પદાર્થનું જ્ઞાન થતું ન હોય... સનું જ જ્ઞાન થતું હોય.... તો હમણાં મેં અતીત ઘટ જાણ્યો. એમ જે કહેવાય છે તે શી રીતે કહેવાય ? એમ તૈયાયિક પૂછી રહ્યો છે. એનો આશય એવો છે કે - “તે ઘડો ફૂટી ગયેલો છે એની મને હમણાં ખબર પડી..” આવું જે કહેવાય છે. એમાં સ્પષ્ટ રીતે બોલાય જ છે કે ઘડો ફૂટી ગયેલો છે ને તેથી અસત્ થયેલો છે. તે છતાં હમણાં એનું જ્ઞાન થઈ રહ્યું છે. એટલે જ્ઞાન સતનું જ થાય એવો નિયમ નથી.. તૈયાયિકની આવી દલીલ અંગે ગ્રન્થકાર કહે છે - “તે અતીત ઘટ મેં હમણાં જાણ્યો.” આમ જે જણાય છે તે દ્રવ્યથી સત્ એવા જ અસત્ ઘટને વિષે વર્તમાનશેયાકારરૂપ પર્યાયથી હમણાં જ્ઞાન થાય છે. આશય એ છે કે સામે જે ઠીકરા પડેલા છે ને એ જોઈને ઘડો ફૂટી ગયો છે એની જેને ખબર પડી છે એ બોલે છે કે સ નો પટોડધુના મયા જ્ઞાતિ:... અને ક્યારેક તો આ રીતે પણ બોલાય છે કે... ઓહોહો ! આ ઘડો ફૂટી ગયો. મને તો હમણાં જ (= આ ઠીકરા જોવા પર જ) ખબર પડી.. આમાં નષ્ટ ઘટ એ વિષય = વિષયતાવાન્ ધર્મી છે. અને વિષયતા એ ધર્મ છે. જો Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઢાળ-૩ : ગાથા-૧૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કહવાઈ છઇ ? તે ઉપરિ કહઇ છઇ- તે અતીત ઘટ માં હમણાં જાણ્યો' ઇમ જે જણાઈ છઇ, તિહાં દ્રવ્યથી છતા અતીત ઘટનઈ વિષઈ વર્તમાનયાકારરૂપ પર્યાયથી “હમણાં અતીત ઘટ સર્વથા નથી. તો એનો અર્થ ધર્મ નથી.. અને ધર્મ ન હોય તો ધર્મ શી રીતે હોય? વળી, આ ઠીકરા જોઈને થતું જ્ઞાન છે. માટે ચાક્ષુષપ્રત્યક્ષ છે. હવે ચાક્ષુષ પ્રત્યક્ષ માટે ચક્ષુસંનિકર્ષ જોઈશે.. જે ઠીકરાં સાથે છે... માટે ઠીકરામાં પણ કથંચિત્ સરૂપે ઘડો છે ને એની સાથે સંનિકર્ષ છે એમ તમારે માનવું જ પડશે. નૈયાયિક - આવા સ્થળે અમે અલૌકિક સંનિકર્ષ માનીએ છીએ. જેમ સુક્તિમાં રજતનું જ્ઞાન થાય છે... ત્યારે ચક્ષુસંનિકર્ષ સુક્તિ સાથે છે.. રજત સાથે નથી. પણ ચાકચીજ્યાદિ જોઈને રજતનું સ્મરણ થાય છે... ને પછી અલૌકિક સંનિકર્ષ દ્વારા રજતને સુક્તિમાં જોડી રૂટું રતમ્ જ્ઞાન થાય છે. એમ પ્રસ્તુતમાં ઠીકરાને જોઈને ઘટનું સ્મરણ થાય છે. પણ અલૌકિક સંનિકર્ષથી એ પ્રત્યક્ષ જ્ઞાનમાં ભાસે છે. ગ્રન્થકાર - પ્રભાકર ભ્રમને નથી માનતો, પણ ભેદાગ્રહ માને છે. અર્થાત્ સુક્તિ પ્રત્યક્ષથી ઉપસ્થિત થયેલ છે. રજત સ્મરણથી ઉપસ્થિત થયેલ છે. આ બંને ભિન્ન ભિન્ન છે.. પણ બે વચ્ચેના ભેદનું જ્ઞાન થતું ન હોવાથી (ભેદાગ્રહ હોવાથી રૂર્વ અને વચ્ચેનો ભેદ ખ્યાલમાં ન આવવાથી) રૂટું રગતમ્ જ્ઞાન થાય છે. બાકી સુક્તિ ક્યારેય રજત તરીકે પ્રતીત ન થઈ શકે. આવું કહેતાં પ્રભાકરને તમે (નૈયાયિક) કહો છો કે “રજત રજત તરીકે જ ભાસ્યું છે ને મુક્તિ રૂદ્ર તરીકે ભાસી છે.. પણ સુક્તિ કાંઈ રજત તરીકે ભાસતી નથી' આવી તમારી (પ્રભાકરની) વાત ખોટી છે, કારણ કે પાછળથી ભ્રમ દૂર થવા પર આવી પ્રત્યભિજ્ઞા થાય છે કે “આ સુક્તિને મેં રજત તરીકે જાણી હતી.” આમ પાછળથી થતા અનુભવને આગળ કરીને પૂર્વની પ્રતીતિ શું જણાવે છે ? એનો તમે નિર્ણય કરો છો.. તો એ જ રીતે પ્રસ્તુતમાં પણ વિચારવું જોઈએ. શિષ્ટપુરુષોને એવી અભ્રાન્ત પ્રતીતિ થાય જ છે કે “ઘડો ઠીકરું થઈ ગયો.” આ પ્રતીતિ જણાવે જ છે કે ઠીકરાં એ ઘટનું જ સ્વરૂપ છે. આશય એ છે કે “ઘડો રીઢો થઈ ગયો...” “ઘડો જુનો થઈ ગયો.' વગેરે પ્રતીતિ પરથી રીઢાપણું કે જુનાપણું જેમ ઘડાના સ્વરૂપ તરીકે જણાય છે. તેમ “ઘડો ઠીકરું થઈ ગયો” એવી અભ્રાન્તપ્રતીતિ પરથી આ પણ જણાય જ છે કે ઠીકરાં એ પણ ઘડાનું સ્વરૂપ જ છે. જો એ ઘડાનું સ્વરૂપ નથી ને સાવ સ્વતંત્ર પદાર્થ જ છે.... ઘડાએ પોતાનો કોઈ અંશ છોડ્યો જ નથી.. આવું બધું માનવાનું હોય તો પ્રતીતિ “ઘડો ઠીકરું થઈ ગયો’ એવી ન થવી જોઈએ, પણ ઘડો શશશંગ બની ગયો...” એવી થવી જોઈએ... પણ એવી થતી નથી. એટલે જણાય છે કે ઘડો સર્વથા અસત્ - શશશૃંગ જેવો તુચ્છ બની ગયો નથી ને ઠીકરાં એ ઘડાનું જ સ્વરૂપ છે. હવે, સ્વરૂપવાનું વિના તો સ્વરૂપ ક્યારેય રહી જ શકતું નથી, એ બધાને માન્ય છે. માટે માનવું પડે કે ફૂટી ગયા પછી પણ ઘડો ઠીકરા સ્વરૂપે વિદ્યમાન છે જ.. સાવ અસત્ બની ગયો નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૧૩ ૧૦૧ ઘટ જાણ્યો જાઇ છઇ. અથવા નૈગમનયથી અતીતનઇ વિષઇ વર્તમાનતાનો આરોપ કીજઇ છઇ. પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઇ. ।। ૩-૧૨ ॥ ધર્મી અછતઇ, ધર્મ જો જી, અછતઇ કાäિ સુહાઇ । સર્વકાલિં નિર્ભયપણઇ જી, તો શશશૃંગ જણાઇ રે ।। ભવિકા॰ ।। ૩-૧૩ ।। ટબો- ધર્મી અતીત ઘટ અછતઇ, ધર્મ-ઘટત્વ, અછત, કાલિં ઘટનઇ અભાવ કાલઇ ભાસઇ છઇ. અથવા ધર્મી = અતીત ઘટ, અછતઇ - ધર્મ - જ્ઞેયાકાર, અછતઇ કાલઇ અને ‘ઘડો ઠીકરું બની ગયો' એવા સર્વશિષ્ટજનને થતા અભ્રાન્ત અનુભવનો પણ જો અપલાપ કરશો તો તો પ્રભાકર પણ ‘સુક્તિને મેં રજત તરીકે જાણી હતી...' એ અનુભવનો અપલાપ કરશે ને પોતાની અનુભવવિરુદ્ધ એવી પણ વાતને પકડી રાખશે તો શું કરશો ? એટલે એક સ્થળે અનુભવને અનુસરવું અને બીજા સ્થળે ન અનુસરવું... (ઉપરથી એનો અપલાપ કરવો) આવો અદ્ભુજરતીયન્યાય ન અપનાવવો જોઈએ... પણ ‘ઘડો ઠીકરું બની ગયો...' એવા અનુભવને અનુસરીને ઠીકરાં એ ઘડાનું જ સ્વરૂપ છે અને સ્વરૂપ જો હાજર છે તો સ્વરૂપવાન એવો ઘડો પણ હાજર જ છે... સાવ અસત્ નથી... એ પણ સ્વીકારવું જ જોઈએ.... એટલે, ‘હમણાં મેં અતીત ઘટને જાણ્યો...' વગેરે પ્રતીતિ પણ ઘટનો જે વર્તમાનશેયાકાર પર્યાય (= ઠીકરાં સ્વરૂપ) છે તે અંગે હોવાથી ‘હમણાં' (વર્તમાનતા) પણ અસંગત રહેતી નથી.. અથવા નૈગમનય અતીત અંગે પણ વર્તમાનતાનો આરોપ કરે છે (આ વાત આગળ આવશે.) એટલે અતીત ઘટ અંગે પણ એ વર્તમાન હોય એમ ઉપચાર કરીને વર્તમાનજ્ઞાનનો વિષય બને એમ સંગતિ કરી શકાય છે. પણ એ આરોપ પણ, સર્વથા અસત્ પદાર્થમાં થઈ શકતો નથી. કિન્તુ સમાં જ થાય છે. માટે સત્ પદાર્થનું જ જ્ઞાન થાય છે. પણ સર્વથા અસત્ વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી. ।। ૩૭ || ।। ૩-૧૩ ।। ગાથાર્થ - ધર્મી અછતે પણ-અછતાપણાના કાળમાં પણ ધર્મ જો જણાતો હોય તો સર્વકાળમાં નિર્ભયપણે શશશૃંગ પણ જણાવું જોઈએ. વિવેચન - ધર્મી આ સર્વથા અભાવવાળા કાળમાં પણ જો એનો ધર્મ ઘટત્વ ભાસતો હોય તો શશશૃંગ પણ ત્રણેકાળમાં નિઃશંકપણે ભાસવું જોઈએ. અતીત ઘટ... એ અછતે એનો સર્વથા અભાવ હોય તો... એના = = = આશય એ *લાગે છે કે અતીતો (નષ્ટો) પટોડધુના જ્ઞાત: વગેરે પ્રતીતિમાં ઘટનો ઘટત્વ ધર્મને આગળ કરીને ઉલ્લેખ થયેલો છે. ઘટત્વ ધર્મ આગળ તો જ થઈ શકે જો એ જણાયેલો *‘લાગે છે કે' એમ એટલા માટે લખ્યું છે કે ટબાના શબ્દો પરથી નિઃશંકપણે અર્થ મને સ્પષ્ટ થયો નથી... એટલે સંભાવના છે... આમાં ફેરફાર પણ હોય શકે છે. અન્યત્ર પણ વિવેચનમાં જ્યાં જ્યાં ‘લાગે છે' જેવા શબ્દો વાપર્યા હોય ત્યાં આવી સંભાવના જાણવી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઢાળ-૩ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છો, ઈમ જો તુજને ચિત્તમાંહિ સુહાઈ, તો સર્વ-અતીત અનામત વર્તમાન કાલઈ નિર્ભયપણ અષ્ટશંકારહિતપણાં શશશ્ચંગ પણિ જણાણું જોઈએ. મે ૩-૧૩ ૫ તે માટછે અછતા તણોજી, બોધ ન, જનમ ન હોઈ | કારય કારણનઈ સહીજી, છઈ અભેદ ઈમ જોઈ રે ! ભવિકા ૩-૧૪ ટબો- “ઈમ નથી' તે માટઈ અછતા અર્થનો બોધ ન હોઈ, જન્મ પણિ ન હોઈ, ઈમ નિર્ધાર, કાર્ય-કારણનો અભેદ છઇ, તે દૃષ્ટાન્નઈ દ્રવ્ય, ગુણ, પર્યાયનો પણિ અભેદ છઇ, ઇમ સદહવું. ૫ ૩-૧૪ હોય.. એટલે ઘટવનું જ્ઞાન થયું છે એ નક્કી છે. અલબત્ નૈયાયિકના હિસાબે ઘટત્વ એ જાતિ હોવાથી નિત્ય હોવાના કારણે ઘટનાશે પણ નાશ પામ્યું નથી. છતાં, ઘટત્વનું જ્ઞાન તે તે ઘટવ્યક્તિને આગળ કરીને જ થાય છે, એ વિના નહીં. નહીંતર તો આકાશમાં નજર નાખતાં જ ઘટત્વ, પટવ, કટવ, ગોત્વ વગેરે બધા સામાન્યનું જ્ઞાન (વટાદિ વ્યક્તિ વિના જ) થઈ જવું જોઈએ, પણ થતું નથી. એટલે જણાય છે કે ઘટ સર્વથા અસતું હોય ત્યારે એનો ધર્મ ઘટત્વ જણાઈ શકે નહીં. અને છતાં એ જો જણાઈ શકે છે તો આકાશપુષ્પનો ધર્મ એવું શશશૃંગ પણ હંમેશાં ભાસવું જોઈએ. અથવા, ધર્મી = અતીતઘટ અછત = એ સર્વથા અસત્ હોય ત્યારે પણ જો એનો શેયાકારધર્મ = વિષયતારૂપ ધર્મ અછતકાળે = સર્વથા અભાવના કાળમાં છ = અસ્તિત્વ ધરાવે છે, એમ જો તારા મનમાં બેસે છે તો શશશૃંગનું પણ ત્રણે કાળમાં અસ્તિત્વ હોવું જોઈએ (અને તેથી એ નિઃશંકપણે જણાવું જોઈએ.) આશય એ છે કે અતીતો પટોડધુના જ્ઞતિઃ વગેરે રૂપે જે જ્ઞાન થાય છે એની વિષયતા એ અતીત ઘટમાં છે જ એ સ્પષ્ટ છે. હવે જો એ ઘટ વર્તમાનમાં સર્વથા અસત્ હોય તો એનો વિષયતા ધર્મ પણ સર્વથા અસત્ જ હોય અને છતાં એ છે' અર્થાત્ એનું અસ્તિત્વ છે એવું જો તમને સૂઝે છે તો તમારે ત્રણેકાળમાં અસત્ એવા પણ શશશૃંગનું ત્રણે કાળમાં અસ્તિત્વ માનવું જ પડે. ને તેથી એ નિઃશંકપણે જણાવું જ જોઈએ. / ૩૮ | ગાથાર્થ - તે માટે સર્વથા અસત્નો ન બોધ થાય... ન જન્મ થાય.... એ જોઈને = વિચારીને કાર્ય-કરણને અભેદ છે, એમ શ્રદ્ધા કરવી. | ૩-૧૪ || વિવેચન - ઇમ નથી = એ પ્રમાણે છે નહીં = સર્વથા અસત્ પદાર્થ એવા શશશૃંગનું નથી જ્ઞાન થતું કે નથી અસ્તિત્વ હોતું. માટે ઘટાદિ પદાર્થો પણ જો કારણકાળ વગેરેમાં સર્વથા અસત્ હોય તો ન એનો બોધ થાય કે ન એનું અસ્તિત્વ થાય = ન એની ઉત્પત્તિ થાય. પણ ઘટનો બોધ ને જન્મ બંને થાય તો છે જ. માટે એને મૃપિંડાદિકાળે પણ કથંચિત્ સત્ માનવો જ પડે... ને એ મૃતિંડરૂપે જ સત્ માનવો પડે છે... માટે ઘટ (= કાર્યો અને કારણનો (મૃતિંડનો) Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૧૫ ૧૦૩ આ ભેદના ઢાળ ઉપરિ અભેદનો ઢાળ કહિયો. જે માટઇ ભેદનય પક્ષનો અભિમાન અભેદનયે ટાલઇ. હવઈ એ બિહુ નયના સ્વામી દેખાડીનઈ સ્થિતપક્ષ કહઈ છઈભેદ ભણઈ નઈયાયિકોજી, સાંખ્ય અભેદ પ્રકાશ | જઈને ઉભય વિસ્તારતોજી, પામઈ સુજસ વિલાસ રે ભવિકા ૫ ૩-૧૫ા ટબો- ભેદ, તે તૈયાયિક ભાસઇ, જે માટછે તે અસત્કાર્યવાદી છઇ. સાંખ્ય, તે અભેદનય પ્રકાશમાં છઈ. જઈન, તે બેહનય સ્યાદ્વાદઈ કરીનઈ વિસ્તારતો ભલા યશનો વિલાસ પામઈ. અભેદ છે એમ માનવું જ જોઈએ. વળી માટી એ દ્રવ્ય છે અને ઘડો એ પર્યાય છે... માટે આ દૃષ્ટાન્ત દ્રવ્ય-ગુણ-પર્યાયનો પણ અભેદ હોય છે એમ શ્રદ્ધા કરવી જોઈએ. || ૩૦ | એ ભેદના ઢાળ.. બીજી ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદની વાત કરેલી... એના પર આ ત્રીજી એ ત્રણના પરસ્પરના અભેદને જણાવનાર ઢાળ કહી... કારણ કે ભેદનયપક્ષના અભિમાનને = દ્રવ્યાદિનો પરસ્પર ભેદ જ છે એવા આગ્રહને અભેદ જણાવનાર અભેદનય જ ટાળે છે. અર્થાત્ અભેદનયની દલીલો ભેદનો આગ્રહ બંધાવા દેતી નથી. પણ આ એકાન્ત ભેદ માનનાર કોણ છે ? અને અભેદ માનનાર કોણ છે ? એ સ્વામી હવે દેખાડીને પછી સ્થિતપક્ષ કહે છે... ભેદની વાતો સાંભળવા પર મનમાં એની શ્રદ્ધા જાગે છે.... પણ જેવી અભેદની વાતો જાણવા મળે એટલે ભેદની વાતો મનમાં ઢીલી પડવા માંડે છે... એમ ભેદની વાતો જાણવાથી અભેદનો નિર્ણય પણ સ્થિર થઈ શકતો નથી. આ બંને અસ્થિર થયા છે.. તો સ્થિર થાય એવી જે વાત હોય એને સ્થિતપક્ષ કહેવાય છે. ગાથાર્થ - કાર્ય-કારણનો ભેદ તૈયાયિક કહે છે.. અભેદ સાંખ્ય કહે છે. જૈનમત ભેદ - અભેદ બંનેને કહે છે ને માટે સુજશવિલાસ પામે છે. ૩-૧૫ || વિવેચન - ભેદ તે તૈયાયિક.. નૈયાયિક અસત્કાર્યવાદી છે. એટલે કારણકાળે કારણ છે પણ કાર્ય છે જ નહીં. જે બેનો અભેદ હોય એ બેમાં હોય તો બંને હોય...” “ન હોય તો બંને ન હોય' આવું જ મળે... ‘એક હોય ને એક ન હોય આવું મળી શકે નહીં.. પણ કારણ - કાર્ય અંગે તો આવું મળે છે. માટે તૈયાયિક કારણ-કાર્ય વચ્ચે ભેદ માનનાર છે અને તેથી દ્રવ્યગુણ-પર્યાય વચ્ચે ભેદ માનનાર છે, એમ સાબિત થાય છે. સાંખ્ય તે અભેદનય.. સાંખ્ય સત્કાર્યવાદી છે... કારણકાળે પણ કાર્ય, કારણરૂપે હાજર જ હોય છે, માટે કારણ-કાર્યનો અભેદ હોવો સ્પષ્ટ છે ને એથી દ્રવ્યાદિ ત્રણનો અભેદ પણ સ્પષ્ટ જ છે. આમ સાંખ્ય અભેદનયને પ્રકાશે છે. જઈન.. જૈનમત આ બન્ને મતોને સ્યાદ્વાદથી સાંકળીને વિસ્તાર છે. કારણકાળમાં કાર્યને સર્વથા અસત્ માનવામાં આવતા દોષોને કથંચિત્ સત્ માનીને દૂર કરે છે... કાર્યને સર્વથા સત્ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઢાળ-૩ : ગાથા-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જે માર્ટિ-પક્ષપાતી બિહુનય માંહોમાંહિ ઘસાતાં, સ્થિતપક્ષ અપક્ષપાતી સ્યાદ્વાદીનો જ દીપઇ. ૩ - अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिण: प्रवादाः ।। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ तथा - य एव दोषा: किल नित्यवादे, विनाशिवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ।। २६ ।। (ત્રિમાનસર્વજ્ઞશ્રી હેમન્દ્રાચાર્ય – કચોવચ્છેવિI) / રૂ-૨૫ . માનવામાં જે દોષો આવે છે (કે સત્ જો છે તો એને કરવાનું કશું રહે જ નહીં. તો દંડાદિ સામગ્રી નિષ્ફળ જાય.. તેમજ પિંડો સર્વથા ઘટ રૂપે તો ભાસતો નથી જ... એટલે પ્રત્યક્ષ વિરોધ થાય.. વગેરે) એ દોષોને કથંચિત્ અસત્ માનીને દૂર કરે છે.... (ઘડો, પિંડાદિ અવસ્થામાં માટીરૂપે ભલે સત્ છે... પણ ઘડારૂપે તો અસત્ છે જ ને એટલે દંડાદિ એને એ રૂપે ઉત્પન્ન કરે છે... વળી એટલે જ ઘડારૂપે પિંડો નથી ભાસતો એમાં પ્રત્યક્ષવિરોધ પણ નથી. આ રીતે એ દોષોને દૂર કરે છે..). પણ આ બે નયો (મતો) તો એકાંતપક્ષવાળા હોવાથી એમને દોષો લાગુ પડે જ છે.... જૈનમત સ્યાદ્વાદ દ્વારા બધા દોષોને દૂર કરીને નિર્દોષ સાબિત થાય છે. માટે એનો ભલો યશ વિલસે છે. બે નય એકબીજા પર દોષારોપણ કર્યા કરે... ઘસાતું બોલ્યા કરે.... ત્યારે અપક્ષપાતી - સ્થિતપક્ષ એવો જૈનમત દીપી જ ઊઠે એ સ્પષ્ટ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અન્યયોગવ્યવચ્છેદ દ્વાäિશિકામાં કહ્યું જ છે કે – બીજા તૈયાયિક વગેરેના પ્રવાદો પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવને વરેલા હોવાથી પરસ્પર માત્સર્યવાળા હોય છે. પણ હે પ્રભુ બધા જ નયોને સમાન રીતે ઇચ્છતો એવો તારો સ્યાદ્વાદ - અનેકાન્તવાદ સિદ્ધાંત પક્ષપાતી નથી. તથા, એકાન્તનિત્ય વાદમાં જે દોષો છે તે એકાન્ત ક્ષણિકવાદમાં પણ સમાન રીતે લાગુ પડે જ છે... માટે પરસ્પરનો ધ્વંસ-પરસ્પર દોષોદ્ભાવન કરનાર કંટક જેવા એ વાદો છે... એ બધા વાદોની વચમાં હે જિનેશ્વર પ્રભુ ! તારું અપૃષ્ય શાસન જય પામે છે.... || 10 || द्रव्याश्रयाः विधिनिषेधकृताश्च भङ्गाः, कृत्स्नैकदेशविधया प्रभवन्ति सप्त । आत्माऽपि सप्तविध इत्यनुमानमुद्रा त्वच्छासनेऽस्ति विशदव्यवहारहेतोः ।।६९ ॥ -महावीरस्तवे श्रीमन्त उपाध्यायाः। ૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચોથી ભેદ અભેદ ઉભય કિમ માનો, જિહાં વિરોધ નિરધારી રે ! એક ઠામિ કહો કિમ કરે રહવઈ, આતપનઈ અંધારી રે ! મૃતધર્મઈ મન દઢ કરિ રાખો, જિમ શિવસુખફળ ચાખો રે ! શ્રતધર્મઈ મન દઢ કરિ રાખો ! ૪-૧ | ટબો- હવઈ ચઉથી ઢાલમાંહિ ભેદભેદનો વિરોધ આશંકીનઈ ટાલઇ છS - પરવાદી કહઈ છઇ. ‘દ્રવ્યાદિકનઈ ભેદ - અભેદ બહુ ધર્મ કિમ માનો છો ? જિહાં વિરોધ નિર્ધાર છઈ, ભેદ હોઈ તિહાં અભેદ ન હોઈ, અભેદ હોઈ તિહાં ભેદ ન હોઈ, એ બહુ ભાવાભાવ ગાથાર્થ - દ્રવ્યાદિનો પરસ્પર ભેદ અને અભેદ. એમ બંને કેમ માનો છો ? કારણ કે બે વચ્ચે વિરોધ હોવો નિશ્ચિત છે. એક જ સ્થાનમાં પ્રકાશ અને અંધકાર એ બે સાથે શી રીતે રહે ? (આવી શંકા અંગે કહે છે -) શ્રતધર્મમાં મનને દઢ કરીને રાખો જેથી શિવસુખફલ ચાખનારા બનો.. ૪-૧ | વિવેચન - બીજી ઢાળમાં દ્રવ્યાદિ ત્રણનો પરસ્પર ભેદ સમજાવ્યો. ત્રીજી ઢાળમાં અભેદ સમજાવ્યો.. બન્ને પક્ષની દલીલોમાં તથ્ય પણ છે જ... માટે જ બન્ને માનવા આવશ્યક હોવાથી બેમાંથી એકનો પણ એકાન્તઆગ્રહ નિર્દોષ નથી. એટલે એ બંને માનવાનો (ભેદાનુવિદ્ધ અભેદ માનવાનો) સ્થિતપક્ષ છે. આટલી વાત ત્રીજી ઢાળની છેલ્લી ગાથામાં કરેલી હતી. જેમાં પરસ્પર ભેદ છે... તેઓમાં જ પરસ્પર અભેદ પણ છે... આવી વાત એકાન્તવાદીના દિલમાં જામી શકતી જ નથી. માટે એ પ્રશ્ન ઊઠાવી રહ્યો છે... - હવઈ ચઉથી. હવે ચોથી ઢાળમાં ભેદ-અભેદનો વિરોધ આશંકાને ટાળે છે. એમાં પરવાદી (એકાન્તવાદી) પહેલાં પ્રશ્ન ઊઠાવે છે - પરવાદી - દ્રવ્યનો ગુણ-પર્યાય સાથે ભેદ પણ છે ને અભેદ પણ છે એમ બન્ને ધર્મ કેમ માનો છો ? કારણ કે એ બેમાં પરસ્પર વિરોધ છે એ વાત નિશ્ચિત છે. ભેદ અને અભેદ એ ભાવ અને અભાવરૂપ છે ને તેથી ભાવ-અભાવરૂપે પરસ્પર વિરોધી છે... જેમ ઘટ અને ઘટાભાવ ભાવઅભાવરૂપ હોવાથી પરસ્પર વિરોધી છે અને તેથી એક સ્થાને રહેતા નથી... જ્યાં ઘડો છે ત્યાં ઘટાભાવ નથી. જ્યાં ઘટાભાવ છે ત્યાં ઘડો નથી.. એમ ભેદ અને અભેદ એ બે પણ એકસ્થાને રહી શકતા નથી. અર્થાત્ ગુણમાં (કે પર્યાયમાં) જો દ્રવ્યનો ભેદ છે... તો દ્રવ્યનો અભેદ રહી શકતો નથી... અને જો દ્રવ્યનો અભેદ છે તો ભેદ રહી શકતો નથી. બેમાંથી એક રહી શકે, પણ બન્ને રહી શકતા નથી. જેમ જ્યાં આતપ = પ્રકાશ છે ત્યાં અંધારું ન હોય... જ્યાં અંધારું હોય ત્યાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૪ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ રૂપઇવિરોધી છઇ, વિરોધી બહુ એક ઠામિ ન રહઇ. જિમ આતપ હોઇ, તિહાં અંધારો ન રહઇ. અંધારો હોઇ, તિહાં આતપ ન રહઇ. તિમ ભેદાભેદ એકત્ર ન હોઇ.' ૧૦૬ ઇહાં-શ્રુતધર્મઇ=સ્યાદ્વાદ પ્રવચનમાંહિ, મન દ્રઢ વિશ્વાસવંત કરી રાખો. જિમ-શાસનશ્રદ્ધા દ્રઢપણઇ મોક્ષરૂપ-કલ્પવૃક્ષનાં ફળો સુખરૂપ ચાખો. શ્રુતધર્મ વિના ચારિત્રધર્મ ફળવંત ન હોઇ, જે માર્ટિં શંકા સહિત ચારિત્રીઓ પણિ સમાધિ ન પામઇ. ń -વિચ્છિસમાવનેનું અખાનેનું નો તમતિ સમાäિ ૫-૫ આચારાંગે. ।। ૪-૧।। ઇસી શિષ્યની શંકા જાણી, પરમારથ ગુરુ બોલઇ રે । અવિરોધઇ વિઠામઇ દીસઇ, દોઇ ધર્મ એક તોલઇ રે ।।૪-૨ ॥ પ્રકાશ ન હોય... એમ ભેદ અને અભેદ એક સ્થળે રહી શકતા નથી. (જો પરસ્પર વિરોધી ચીજ પણ એક સ્થળે રહી જતી હોય તો તો દુનિયામાંથી ‘વિરોધ’ જેવી વાત જ ઊડી જશે.) પરવાદીની આવી દલીલો સાંભળવા મળે તો પણ, ગ્રન્થકાર કહે છે કે અહીં શ્રુતધર્મમાં શ્રી જિનપ્રણીત સ્યાદ્વાદસિદ્ધાન્તમય પ્રવચનમાં મનને દૃઢ રીતે વિશ્વાસયુક્ત રાખવું... અર્થાત્ ભગવાને સર્વત્ર સ્યાદ્વાદ જે કહેલો છે એની શ્રદ્ધાને વિચલિત ન થવા દેતાં વધુ ને વધુ દૃઢ કરવી. જિમ જે રીતે, શાસન પરની = પ્રવચન પરની આ શ્રદ્ધાના દઢપણેજ (શ્રદ્ધાની દૃઢતાથી જ) મોક્ષરૂપ કલ્પવૃક્ષના સુખરૂપ ફળ ચાખો. અર્થાત્ રીતે શાસનશ્રદ્ધા દૃઢ કરવાથી મોક્ષફળ મળે એ રીતે એને દૃઢ કરો અને એની આવી શ્રદ્ધા શ્રુતધર્મ વિના સંભવિત નથી. માટે જ જણાય છે કે શ્રુતધર્મ વિના (પ્રવચનના પરિશીલન વિના) અને તેથી શ્રદ્ધાની દૃઢતા વિના ચારિત્રધર્મ ફળવંત=સફળ બનતો નથી. માટે જ શ્રી આચારાંગજીમાં કહ્યું છે કે - શંકાસહિત ચારિત્રીઓ પણ સમાધિ ન પામે તે આ રીતે વિતિગિચ્છા=શંકાશીલ આત્મા સમાધિને પામતો નથી. ચારિત્રના આચારોનું પાલન બરાબર કરતો હોય... પણ અંદર શંકાનો કીડો કોર્યા જ કરતો હોય - શું સ્યાદ્વાદ સિદ્ધાન્ત સાચો હશે ? શું એનું પ્રતિપાદન કરનાર જૈન પ્રવચન સાચું હશે ? એ જો સાચું નહીં હોય તો એમાં દર્શાવેલાં આ બધા આચારોનું પાલન તો કરું છું... પણ મને એનું ફળ મળશે ? એનાથી મારું આત્મકલ્યાણ થશે ? આવા બધા અનેક શંકારૂપ કીડા ખદબદ્યા કરતાં હોય એ ચિત્તમાં ખળભળાટ-ક્ષોભ જ હોય... સ્વસ્થતા-શાંતિ-સમાધિ ન જ હોય એ સ્પષ્ટ છે અને સમાધિ જ જો નથી... તો મોક્ષફળની આશા પણ ક્યાંથી ? આવા બધા = નુકશાનોને ટાળવા હોય તો પ્રવચનમાં - શ્રુતધર્મમાં મનને દૃઢ કરી રાખવું. ।। ૪૧।। પણ આ આ શ્રદ્ધા એમ કહેવા માત્રથી થોડાં દૃઢ બની જાય છે ? માટે ગ્રન્થકાર હવે પછીની ગાથાઓમાં પરવાદીઓની શંકાનું નિરાકરણ કરતી દલીલો જણાવશે મન - ગાથાર્થ - શિષ્યની આવા પ્રકારની શંકા જાણીને ગુરુ ૫૨માર્થ કહે છે. સર્વસ્થાનોમાં આ બન્ને ધર્મ સમાન રીતે વિના વિરોધ (રહેલા હોવા) દેખાય જ છે. ।। ૪-૨ ।। પરવાદીની આવી શંકા જાણીને કરુણાસાગર ગુરુ વિવેચન - શિષ્યની સ્યાદ્વાદી = - = Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૨ ૧૦૭ ટબો- એહવી શિષ્યની શંકા જાણી કરી, ગુરુ-સ્યાદ્વાદી, પરમાર્થ બોલઇ છઇ, જે ઘટઘટાભાવાદિક નઇ યદ્યપિ વિરોધ છઇ, તો પણિ ભેદાભેદનઇ વિરોધ નથી, જે માટઇ સર્વ ઠામઇ, દોઇ ધર્મ ભેદ – અભેદ અવિરોધઇ = એકાશ્રયવૃત્તિપણઇ જ, દીસઇ છઇ, ઇક તોલઇ પણિ. ‘અભેદ સ્વાભાવિક સાચો, ભેદ ઔપાધિક જૂઠો' ઇમ કોઇ કહઇ છઇ, તે = પરમાર્થ કહે છે... એટલે કે હકીકતમાં ભેદ-અભેદ વચ્ચે વિરોધ છે કે નહીં ? એ કહે છે અને એ પરમાર્થ આ છે કે આ ભેદ-અભેદ વચ્ચે વિરોધ નથી, બન્ને પરસ્પર અવિરોધી છે. ઘડો અને ઘડાનો અત્યન્નાભાવ (ઘટ-ઘટાભાવ) વચ્ચે જો કે વિરોધ છે... એટલે જ્યાં ઘટ છે ત્યાં ઘટાભાવ નથી હોતો... જ્યાં ઘટાભાવ હોય છે ત્યાં ઘટ નથી હોતો... પણ આવું ભેદ - અભેદ માટે નથી... (ઘડાના) શ્યામવર્ણમાં ઘડાનો ભેદ પણ છે (કારણ કે માટે તો ઘડાનો શ્યામવર્ણ’ એમ ભેદાર્થક ષષ્ઠીવિભક્તિથી બોલાય છે તથા ઘડાનો નાશ ન થવા છતાં શ્યામવર્ણનો નાશ થઈ શકે છે...) અને ઘડાનો અભેદ પણ છે જ (કારણ કે માટે તો શ્યામવર્ણ ઘડાથી અલગ જોવા મળતો નથી... અને શ્યામ વર્ણ સાથેના ઘડાના સંબંધની અનવસ્થા નથી ચાલતી...) એમ (ઘડાની) નવાપણાની અવસ્થા-જુનાપણાની અવસ્થા વગેરેમાં ઘડાનો ભેદ પણ છે ને અભેદ પણ છે જ. માટે ભેદ-અભેદને વિરોધ નથી એ સ્પષ્ટ છે. શંકા - ઘડામાં ઘટત્વેન ઘટનો અભેદ છે, તો ભેદ નથી... ને પટમાં ભેદ છે તો અભેદ નથી... જો બે વચ્ચે વિરોધ નથી તો આવું શા માટે ? સમાધાન - ધટ અને પટને વિરોધ નથી એ વાત તો બધાને માન્ય છે... પણ એનો અર્થ એ નથી કે જ્યાં જ્યાં ઘટ હોય ત્યાં ત્યાં સર્વત્ર પટ જોઈએ જ. એક સ્થળે પણ જો બન્ને સાથે જોવા મળી ગયા, તો વિરોધ નથી એમ સાબિત થઈ જ ગયું... એમ એક શ્યામવર્ણ માત્રમાં પણ જો ઘટનો ભેદ અને અભેદ બન્ને જોવા મળી ગયા... તો બેને વિરોધ નથી એ સાબિત થઈ જ ગયું... પછી પટમાં ભલે ને ઘટભેદ અને ઘટઅભેદ એ બન્ને સાથે જોવા મળતા ન હોય... શંકા - પણ તમે તો કહ્યું છે ને કે સર્વ ઠામે બન્ને ધર્મ અવિરોધપણે જોવા મળે છે. તો પટમાં ઘટનો ભેદ અને અભેદ બન્ને કેમ જોવા મળતા નથી ? સમાધાન અહીં સર્વ ઠામેનો અર્થ સર્વસ્મિન્ નથી, પણ પ્રત્યેકસ્મિન્ છે. અર્થાત્ ‘ઘટપટાદિ પ્રત્યેક દ્રવ્યમાં' એવો અર્થ છે. એટલે કે ‘દ્રવ્યનો, સ્વકીયગુણ-પર્યાયમાં ભેદ અને અભેદ બન્ને છે' આ વાત જેમ ઘટદ્રવ્યમાં જોવા મળે છે, એમ પટ-કટ વગેરે બીજાં પણ બધા જ દ્રવ્યમાં જોવા મળે છે. કોઈજ દ્રવ્ય એવું બાકી નથી જેનો ભેદ અને અભેદ... એ બંને પોતાના ગુણપર્યાયમાં ના રહ્યા હોય. આમ ભેદ અને અભેદ બન્ને સર્વત્ર અવિરોધપણે એક આશ્રયમાં રહેવા રૂપે દેખાય જ છે... વળી બન્ને રહ્યા હોય છે એટલું જ નહીં. બન્ને તુલ્યપણે રહ્યા હોય છે. અર્થાત્ ભેદ મુખ્યપણે હોય છે ને અભેદ ગૌણપણે હોય છે... અથવા અભેદ મુખ્યરૂપે હોય છે ને ભેદ ગૌણપણે હોય છે... આવું નથી હોતું... પણ બન્ને સમાન પ્રાધાન્ય સાથે રહ્યા હોય છે. = અહીં ભેદ-અભેદ બંનેની તુલ્યતા જે કહી એ અંગે કોઈ શંકા ઊઠાવે છે - - Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઢાળ-૪ : ગાથા-૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અનુભવતા નથી. વ્યવહારઇ - પરાપેક્ષા બેહુનઇ, ‘ગુણાદિકનો ભેદ, ગુણાદિકનો અભેદ' એ વચનથી. ।। ૪-૨ ॥ એક ઠામિ વિ જનની સાર્ખિ, પ્રત્યક્ષઇ જે લહીઇ રે । રૂપ રસાદિકની પરિ તેહનો, કહો વિરોધ કિમ કહિઇ રે ।।૪-૩ ।। = શંકા - અભેદ સ્વાભાવિક હોવાથી સાચો છે... ભેદ ઔપાધિક હોવાથી જુઠો છે... આશય એ છે કે અભેદ એટલે તાદાત્મ્ય... એ તો પોતાનું જ પોતાની સાથે હોવાથી એમાં બીજા કોઈની અપેક્ષા નથી... માટે એ ઔપાધિક પરાપેક્ષ નથી... અને તેથી સ્વાભાવિક છે. (જેમકે અંગુલિમાં અંગુલિત્વ હોવા માટે બીજા કોઈની અપેક્ષા નથી... એ સ્વાભાવિક હોય છે.) પણ ભેદ માટે તો ‘કોનો ભેદ ?” એ પ્રશ્ન ઊભો થાય જ... એને પ્રતિયોગીની અપેક્ષા હોય જ... એટલે એ પરાપેક્ષ હોવાથી સ્વાભાવિક નથી, પણ ઔપાધિક છે. (જેમકે અનામિકા અંગુલિમાં હ્રસ્વત્વ... એને મધ્યમાની અપેક્ષા છે... મધ્યમાની અપેક્ષાએ જ ધ્રૂસ્વત્વ છે... જો મધ્યમાનું અનુસંધાન ન હોય, માત્ર અનામિકા જ નજરમાં હોય તો હૃસ્વત્વ કહી શકાતું નથી... માટે એ પરાપેક્ષ હોવાથી ઔપાધિક છે. વળી આ તો ઔપાધિક છે. એટલે, ઉપાધિ બદલાય તો હ્રસ્વત્વ ઊડી પણ જાય... જેમકે કનિષ્ઠાનું અનુસંધાન કરવામાં આવે તો અનામિકામાં હ્રસ્વત્વ નહીં, પણ દીર્ઘત્વ આવી જાય છે. એટલે જ જણાય છે કે જે ઔપાધિક હોય છે તે વાસ્તવિક નથી હોતું... જૂઠું - ગલત હોય છે.) એટલે પ્રસ્તુતમાં ભેદ ઔપાધિક હોવાથી જૂઠો છે... અભેદ સ્વાભાવિક હોવાથી સાચો છે - સબળ છે... માટે ‘ભેદ અને અભેદ બન્ને તુલ્યપ્રાધાન્યવાળા છે' આ વાત બરાબર નથી... પણ ભેદ નિર્બળ છે-ગૌણ છે... અને અભેદ જ બળવાન્ છે, મુખ્ય છે. = સમાધાન - તે અનુભવતા નથી... જેઓ આવું અભેદ-ભેદનું સાચા-જૂઠાપણું કહે છે તેઓ અનુભવતા નથી અભેદ-ભેદના પરમાર્થને અનુભવતા નથી, માટે આમ કહે છે... એ પરમાર્થ આ છે કે વ્યવહાર કરવા માટે અભેદ અને ભેદ એ બન્નેને પરાપેક્ષા છે જ. અભેદને પરાપેક્ષા નથી અને ભેદને છે... એવું નથી. એટલે કે અભેદ માટે પણ કોનો અભેદ એવી અપેક્ષા છે જ. આશય એ છે કે ષટપયોર્ભેદ્દઃ આવો વ્યવહાર ક્યારેય કોઈ કરતું નથી... નીયિયોમેવઃ એવો વ્યવહાર કરે છે... તૈતતૈયોમેવઃ આવો વ્યવહાર કોઈ ક્યારેય કરતું નથી... તૈલધાયોરમેનઃ આવો વ્યવહાર કરે છે... એટલે અભેદ વ્યવહાર માટે પણ નીલ... ધારા વગેરેની અપેક્ષા છે જ. અર્થાત્ નીલનો ભેદ... નીલનો અભેદ... ધારાનો ભેદ... ધારાનો અભેદ... આમ બન્નેને પરાપેક્ષા છે જ... એટલે જ આવું શાસ્ત્રવચન છે જ કે (દ્રવ્યમાં) ગુણાદિકનો ભેદ... ગુણાદિકનો અભેદ...’ માટે આ વચનથી બંનેને પરાપેક્ષા જણાતી હોવાથી બન્ને તુલ્યબળી છે એ સ્પષ્ટ છે. ।। ૪૨ ।। ગાથાર્થ - સર્વ જનની સાક્ષીએ એક જ સ્થાનમાં જે પ્રત્યક્ષથી જોવા મળે છે તે ભેદ અભેદનો, રૂપરસાદિકની જેમ વિરોધ કેમ કહેવાય ? એ, હે પરવાદીઓ ! (અથવા હે શિષ્યો!) તમે કહો. (અર્થાત્ ન જ કહેવાય...) ।। ૪-૩ ।। વિવેચન - એક ઠામિ... એક સ્થાનમાંઘટાદિ દ્રવ્યને વિષે સર્વલોકની સાક્ષીએ પ્રત્યક્ષપ્રમાણથી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૩ ટબો- એક ઠામિ, ઘટાદિક દ્રવ્યન વિષઇ, સર્વલોકની સાખી પ્રત્યક્ષ પ્રમાણઇ, રક્તત્વાદિક ગુણ - પર્યાયનો ભેદાભેદ જે લહિઇ છઇ, તેહનો વિરોધ કહો કિમ કહિઇ ? જિમ રૂપ - રસાદિકનો એકાશ્રયવૃત્તિત્વાનુભવથી વિરોધ ન કહિઇ, તિમ ભેદાભેદનો પણ જાણવો. ૩૪ ઘ- ન હિ પ્રત્યક્ષવૃèડર્થે વિરોધો નામ । તથા-પ્રત્યક્ષર્દષ્ટ અર્થ દૃષ્ટાન્તનું પણિ કાર્ય નથી. उक्तं च क्वेदमन्यत्र दृष्टत्वमहो ! निपुणता तव । તૃષ્ટાન્ત યાચક્ષે યજ્યું, પ્રત્યક્ષેત્તુમાનવત્ ।। ↑ || ૪-રૂ | - રક્તત્વાદિક ગુણપર્યાયનો ભેદ- અભેદ જે જોવા મળે છે તેનો વિરોધ–તે બેનો પરસ્પર વિરોધ છે એવું કહો, શી રીતે કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. જેમકે રૂપ-રસ વગેરેનો એકાશ્રયવૃત્તિત્વાનુભવથી=રૂપ-રસ વગેરે એક આશ્રયમાં રહેલા છે એવો સ્પષ્ટ અનુભવ છે તો જેમ આપણે રૂપ-રસાદિકનો પરસ્પર વિરોધ હોવો કહેતા નથી, તેમ ભેદ-અભેદનો પણ ન કહેવો જોઈએ. કહ્યું જ છે કે (અબાધિત) પ્રત્યક્ષથી જોયેલા પદાર્થમાં વિરોધ હોતો નથી... અર્થાત્ અબાધિત પ્રત્યક્ષથી જે જેવું દેખાયું હોય એ કદાચ એવું નહીં હોય... ને બીજા પ્રકારનું હોય... આવા વિરોધનું ઉદ્ભાવન કરી શકાતું નથી. વળી, જે બાબત પ્રત્યક્ષથી દેખાતી હોય ત્યાં દૃષ્ટાન્તની પણ જરુર હોતી નથી... આશય એ છે કે ‘તમે સર્વત્ર ભેદ-અભેદ સાથે રહ્યા હોવાથી એ બેનો પરસ્પર વિરોધ નથી... આવું સાબિત કરવા માગો છો... પણ આવો વિરોધ ન હોય એનું ઉભયમાન્ય હોય એવું એકાદ દૃષ્ટાન્ત તો આપો કે જેથી અમને પણ એની પ્રતીતિ થાય...' આવું કોઈ પરવાદી કહે તો એનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે કે અનુમાનથી સિદ્ધિ કરવાની હોય ત્યાં દૃષ્ટાન્તની જરુર પડે... જેમકે ધૂમાડો જોઈને અગ્નિની સિદ્ધિ કરવાની હોય તો જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ, જેમકે રસોડામાં... એમ દૃષ્ટાન્ન આપવું પડે. પણ પર્વત પર અગ્નિ પ્રત્યક્ષ જ દેખાતો હોય તો પછી કાંઈ કોઈ દૃષ્ટાન્ત આપવાની જરુર હોતી નથી. પ્રસ્તુતમાં પણ ભેદ-અભેદ - બન્ને સાથે રહેલા હોવા પ્રત્યક્ષથી જ દેખાય છે... પછી દૃષ્ટાન્તની ક્યાં જરુર છે ? કહ્યું જ છે કે પ્રશ્ન તમે આ જે સાબિત કરવા ઇચ્છો છો તે અન્યત્ર ક્યાં - મળે છે, તે કહો. ઉત્તર - અહો તત્ત્વનિર્ણય કરવાની તારી નિપુણતા ! કે જેથી તું પ્રત્યક્ષમાં પણ અનુમાનની જેમ દૃષ્ટાન્ત માગે છે... = કયા દૃષ્ટાન્તમાં જોવા એટલે ભેદ-અભેદનો પરસ્પર વિરોધ નથી એ જો પ્રત્યક્ષથી જ દેખાય છે તો એમાં કોઈ દૃષ્ટાન્તની પણ જરુર નથી... ।। ૪૩ || Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઢાળ-૪ : ગાથા-૪-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શ્યામભાવ જે ઘટ છઇ પહિલાં, પછઇ ભિન્ન તે રાતો રે .. ઘટભાવઇ નવિ ભિન્ન જણાઈ, સી વિરોધની વાતો રે | ૪-૪ | ટબો- ભેદભેદનો પ્રત્યક્ષનો અભિશાપ પુદ્ગલ દ્રવ્યઈ દેખાડઈ છઇ- જે ઘટ પહિલા - શ્યામભાવ છઇ, તે પછઈ - રાતો ભિન્ન જણાઈ છઇ, અનઈ બિહું કાલિં ઘટભાવઇ અભિન્ન જ જણાઈ છઇ, શ્યામ રક્ત અવસ્થાભેદઈ ઘટ એક જ છે. તો ઇહાં વિરોધની વાત સી કહેવી ? | ૪-૪ બાલભાવ જે પ્રાણી દીસઇ, તરુણ ભાવ તે ન્યારી રે ! દેવદત્ત ભાવઈ તે એક જ, અવિરોધઈ નિરધારો રે | ૪-૫ ૫. - ટબો- હવઇ આત્મદ્રવ્યમાંહિ ભેદભેદનો અનુભવ દેખાડઈ છઇ. બાલભાવઈ = બાલકપણે, જે પ્રાણી દીસઇ છઈ, તે તરુણ ભાવે ન્યારો કહતાં - ભિન્ન છઈ. અનઈ દેવદત્તભાવઈ તે મનુષ્યપણાનાં પર્યાયછે તે એક જ છછે. તો એકનો વિષઈ બોલતરુણભાવતું ભેદ, દેવદત્તભાવઈ અભેદ એ અવિરોધે નિર્ધારો. ૩ રં ગાથાર્થ - જે ઘડો પહેલાં શ્યામભાવવાળો છે એ પછી ભિન્ન એવા રક્તભાવવાળો થાય છે અને ઘટપણાંથી તો ભિન્ન જણાતો નથી. માટે વિરોધની શી વાતો છે ? / ૪-૪ | વિવેચન - ભેદ અને અભેદ... બન્ને પ્રત્યક્ષથી જણાય છે એ વાત પહેલાં પુદ્ગલદ્રવ્યમાં જણાવે છે... જે ઘડો પહેલાં શ્યામભાવ છે (= કાળો છે) તેને પાક આપવાથી એ રક્ત બને છે અને શ્યામો ન ર¢: એવું સ્પષ્ટ પ્રત્યક્ષ થાય જ છે, જે ભેદને જણાવે છે. વળી બન્ને કાળમાં ઘટ તરીકે એ અભિન્ન જ જણાય છે. એટલે જ તો સ વાર્થ પટે: એવી પ્રત્યભિજ્ઞા થાય છે. જો ઘડો બદલાઈ ગયો હોય તો રક્ત ઘટને જોઈને પર્વ એવી અભેદને જણાવનાર પ્રતીતિ થાય જ નહીં. પણ થાય છે એટલે એ જ ઘટરૂપે એના અભેદને પણ જણાવે છે. આમ શ્યામરક્તપણામાં ઘડો એક જ છે. એટલે કે અભેદ પણ છે જ. તો પછી ભેદ-અભેદમાં વિરોધ હોવાની વાત ક્યાં રહી ? || ૪૪ | ગાથાર્થ - બાળભાવે પ્રાણી જે (= જેવો) દેખાય છે. એના કરતાં તરુણભાવે તે ન્યારો જણાય છે. વળી દેવદત્ત તરીકે તો અવિરોધપણે તે એક જ હોવો નિરધાર થાય છે. | ૪-૫TI વિવેચન - હવે, આત્મદ્રવ્યમાં ભેદ અને અભેદનો પ્રત્યક્ષ અનુભવ દેખાડે છે - બાળભાવે જે જીવ જણાય છે તે તરુણભાવે જુદો જ હોય છે. નિર્દોષતા-કુતૂહલવૃત્તિ વગેરેથી સભર બાલ્યાવસ્થા કરતાં તરુણાવસ્થા અત્યંત ન્યારી હોય છે એ સર્વજનપ્રસિદ્ધ છે અને છતાં, આ એ જ દેવદત્ત છે... વગેરે રૂપે મનુષ્યપણાના પર્યાયથી તે એક જ છે. આમ એક જ વસ્તુમાં બાળ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૬ पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपजंतो । तस्स उ बालाईया, पज्जवभेया बहुवियप्पा ।। सम्मतौ ।। १,३२ ।। ४-५ ।। ધર્મભેદ જો અનુભવભાઈ, ધર્મિભેદ નવિ કહિઈ રે ! ભિન્નધર્મનો એક જ ધર્મી, જડ ચેતન પણિ લહિઈ રે ! ૪-૬ . ટબો- ભેદ હોઈ, તિહાં અભેદ ન હોઈ જ. ભેદ વ્યાપ્યવૃત્તિ છઈ. તે માર્ટિ' એહવી પ્રાચીન નૈયાયિકની શંકા ટાલ છાં- “શ્યામો ર?' ઇહાં શ્યામત્વ રક્તત્વ ધર્મનો ભેદ - તરુણભાવે ભેદ અને દેવદત્તભાવે અભેદ છે. આ વાત વિના વિરોધ નિશ્ચિત કરો. કહ્યું જ છે કે – પુરુષ અંગે પુરુષ શબ્દ જન્મથી લઇને મરણકાલ પર્વત સમાન રીતે વપરાય છે. માટે દરેક અવસ્થામાં અભેદ છે.) અને તે પુરુષના બાળ વગેરે પર્યાયોના ભેદો ઘણા વિકલ્પવાળા હોય છે. IT ૪૫ || ગાથાર્થ - જ્યાં અનુભવથી ધર્મભેદ ભાસતો હોય ત્યાં પણ જો ધર્મીનો ભેદ ન જ કહીએ તો અને તેથી ભિન્ન ધર્મનો પણ એક જ ધર્મી કહીએ તો જડને ચેતનપણે પણ કહેવો પડે. || ૪-૬ // વિવેચન - આ ઢાળની ચોથી ગાથામાં પુદ્ગલ અંગેના ભેદભેદના અનુભવ અંગે શ્યામો ન ર: પ્રતીતિ પરથી શ્યામઘટ કરતાં રક્તઘટનો ભેદ બતાવેલો.. ને પાછો ઘટરૂપે અભેદ બતાવેલો... ને એ રીતે ભેદ-અભેદ પુગલદ્રવ્યમાં અવિરોધે એકસાથે રહે છે એ પ્રત્યક્ષસિદ્ધ દર્શાવેલું... એ અંગે ભેદને વ્યાપ્યવૃત્તિ માનનાર પ્રાચીન નૈયાયિકની શંકા ટાળવા માટે આ ગાથા ગ્રન્થકારે કહેલ છે. પ્રાચીન તૈયાયિક સાથેની આ ચર્ચા જોઈએ. પ્રા.નૈ. - જ્યાં ભેદ રહ્યો હોય ત્યાં અભેદ ન જ રહ્યો હોય. કારણ કે ભેદ વ્યાપ્યવૃત્તિ છે. અર્થાત્ પોતાના આધારને વ્યાપીને રહેનારો છે. પછી એ આધારમાં અભેદને રહેવાની જગ્યા જ છોડતો નથી. માટે ત્યાં અભેદ ન જ હોય. જૈન - પણ એકબાજુ શ્યામો ન ર: બુદ્ધિ થાય છે. અર્થાત્ શ્યામઘટમાં રક્તઘટનો ભેદ જણાય છે. ને બીજી બાજુ સ વાય ધર્ટ: (પહેલાં જે શ્યામ હતો) તે જ આ (હાલ લાલ) ઘડો છે એવી પ્રત્યભિજ્ઞાથી બન્નેનો અભેદ પણ જણાય છે. માટે ભેદ-અભેદ બન્ને સાથે રહ્યા જ ને! પ્રા.નૈ. - તમે જે પ્રત્યભિજ્ઞા કહો છો ને એને અનુસરીને બન્ને વચ્ચેનો અભેદ કહો છો એ તો અમને પણ માન્ય જ છે. પણ શ્યામો રજીદ્વારા શ્યામઘટ અને રક્તઘટ વચ્ચેનો ભેદ જે કહો છો તે બરાબર નથી. કારણ કે એ પ્રતીતિ ર મેકવાન શ્યામપટે: (કાળોઘડો રક્તઘડાના ભેદવાળો છે) એવો અર્થ નથી જણાવતી. પણ શ્યામવં ત્વમેવત્ (શ્યામપણું = શ્યામવર્ણ રક્તપણાના = રક્તવર્ણના ભેદવાળું છે.) એવો અર્થ જણાવે છે... અર્થાત્ એ પ્રતીતિ ધર્મી એવા ઘટનો ભેદ નથી જણાવતી... પણ (ઘટના ભિન્નકાલીન) બે ધર્મોનો = શ્યામ7 - રક્તત્વનો ભેદ જણાવે છે. એટલે કે સ્થાન ન ર: આવા પ્રયોગમાં અર્થ મલ્વે ને જીવંત Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઢાળ-૪ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ભાસઈ છઈ, પણિ ધર્મિ ઘટનો ભેદ ન ભાસઈ ઇમ જો કહિછે, તો જડ ચેતનનો ભેદ ભાઈ છો, તિહાં જડત્વ ચેતનવ ધર્મનો જ ભેદ, પણિ - જડ - ચેતન દ્રવ્યનો ભેદ નહીં. ઇમ - અવ્યવસ્થા થાઈ. ધર્મનો પ્રતિયોગિપણ ઉલ્લેખ તો બિહુ ઠામે સરખો છો. અનઈ પ્રત્યક્ષસિદ્ધ - અર્થઈ બાધક તો અવતરઈ જ નહીં. જે ૪-૬ | એવો કરવાનો હોય છે. એટલે શ્યામઘટમાં રક્તઘટનો ભેદ છે જ નહીં, માત્ર અભેદ જ છે. માટે ભેદ-અભેદ બન્ને એક જ સ્થાને રહે છે એ વાત બરાબર નથી. જૈન - આ રીતે, ધર્મી વાચક શબ્દ સાથે બોલાયેલ નગુથી (નકારથી) પણ જો ધર્મીનો ભેદ ન માનતા માત્ર ધર્મનો ભેદ માનવાનો હોય તો તો ખડો ન વેતનઃ આવી પ્રતીતિ પણ ધર્મી જડમાં ધર્મી ચેતનનો ભેદ નહીં જણાવે, માત્ર ધર્મ જડત્વમાં ચેતનત્વના ભેદને જ જણાવશે. એ જ રીતે “ધર્મો નાધર્મ આવી પ્રતીતિ પણ ધર્મી ધર્માસ્તિકાયમાં ધર્મી અધર્માસ્તિકાયનો ભેદ નહીં દર્શાવે, માત્ર ધર્માસ્તિકાયત્વધર્મમાં અધર્માસ્તિકાયત્વધર્મનો જ ભેદ દર્શાવશે. આ રીતે સર્વત્ર જ્યાં જ્યાં ધર્મી સાથે નકાર બોલાયેલો હશે એ ધર્મનો જ ભેદ દર્શાવશે, ધર્મીનો ભેદ તો દર્શાવશે જ નહીં... અને તો પછી ધર્મીમાં ક્યાંય ભેદ પ્રતીત જ ન થવાથી જડ ચેતન જુદા જુદા છે એમ કહી જ નહીં શકાય. અને શ્યામો ન ર: પ્રતીતિ હોવા છતાં શ્યામઘટ અને રક્તઘટ જેમ એક જ છે એમ જડ અને ચેતન પણ એક જ થઈ જશે... એટલે કે જડને પણ ચેતનરૂપે સ્વીકારવો પડવાથી દ્રવ્યવ્યવસ્થા જ ઊડી જશે. નૈયાયિક - ગcો વેતનઃ પ્રતીતિમાં ચેતનધર્મીનો જ પ્રતિયોગી તરીકે ઉલ્લેખ છે. આશય એ છે કે પટો પટ: માં જેમ, ઘટ પ્રતિયોગીરૂપે ભાસે છે... ને તેથી પટમાં ઘટપ્રતિયોગિક ભેદ (ઘટનો ભેદ) ભાસે છે.. એમ પ્રસ્તુતમાં પણ જડમાં ચેતનપ્રતિયોગિક ભેદ જણાય છે.. ને તેથી જડ-ચેતન અલગ હોવાથી દ્રવ્યવ્યવસ્થાને કોઈ વાંધો નથી. જૈન - તો પછી એ રીતે શ્યામો ર માં પણ રક્તઘટનો પ્રતિયોગી તરીકે સમાન રીતે ઉલ્લેખ છે. એટલે જડ-ચેતનની જેમ આ પ્રતીતિ પણ ધર્મીના ભેદને જણાવે જ છે, નથી જણાવતી એમ નહીં, એ તમારે માનવું જ પડશે. (નહીંતર તો પટો ન ધટ: શું તમે જે દૃષ્ટાન્ત આપ્યું છે એ પણ તમે આપી શકવાના નથી જ.... કારણ કે અમારો એ પ્રતીતિ માટે પણ તમને પ્રશ્ન છે જ કે ત્યાં પણ શ્યામો ને રજી: ની જેમ માત્ર ધર્મભેદ જ પ્રતીત થાય છે, ધર્મભેદ નહીં... એવું જ તમારે માનવું પડશે...) એટલે આવી બધી પ્રતીતિઓમાં સમાન રીતે ધર્મીનો ભેદ ભાસે છે એમ તમારે સ્વીકારવું જ પડશે ને આ રીતે પ્રત્યક્ષથી જ જે વાત (પરસ્પર ભેદ) સિદ્ધ થાય છે એમાં પછી બાધક તો અવતરતો જ નથી. કારણ કે પ્રત્યક્ષસિદ્ધ વાતમાં પણ બાધક સંભવતો હોય તો દુનિયાનો કોઈ વ્યવહાર જ ઊભો નહીં રહી શકે. પ્રત્યક્ષથી જ મયં ધટ: એમ જોઈને કહેવા પર કોઈ કહી શકે છે કે આમાં કોઈ બાધક હશે તો ? માટે આવો નિર્ણય નહીં કરી શકાય.. અને તો પછી કોઈ નિર્ણય કે તદનુસાર વ્યવહાર ઊભા જ શી રીતે રહી શકશે ? માટે પ્રત્યક્ષસિદ્ધ ભેદ સ્વીકારવો જોઈએ. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૬ નૈયાયિક - પ્રત્યક્ષથી જણાતી પણ બધી વાતો કાંઈ સ્વીકારાતી નથી. જેમકે રેલના બે પાટા ભેગા થતા દેખાતા હોવા છતાં એમાં પાછળનું પ્રત્યક્ષ જ બાધક હોવાથી એને ભેગા મનાતા નથી. એમ શ્યામો ન ર: પ્રતીતિ, વડો વેતનઃ ની પ્રતીતિને સમાન હોવા છતાં, બન્નેના અર્થ અલગ-અલગ કરવા પડે છે. જડધર્મીમાં ચેતનનો ભેદ માની લેવામાં કોઈ બાધક ન હોવાથી ત્યાં ધર્મીભેદ માનવાનો.પણ શ્યામધર્મીમાં રક્તધર્મીનો ભેદ માનવામાં બાધક હોવાથી ત્યાં ધર્મીભેદ નહીં માનવાનો. જૈન - એ બાધક કોણ છે ? નૈયાયિક - સ એવાર્થ પટ: આવી પ્રત્યભિજ્ઞા જ એમાં બાધક છે. આ પ્રત્યભિજ્ઞા ધર્મીના અભેદને જણાવે છે. પછી એનો ભેદ શી રીતે માની શકાય ? નડ વેતન:, પટો ને પટ: આ બધામાં પાછળથી કોઈ પ્રત્યભિજ્ઞા થતી નથી કે જે અભેદને જણાવીને ભેદને બાધિત કરે. માટે ત્યાં ધર્મીનો ભેદ માનવાનો. પણ શ્યામો ર માં, પ્રત્યભિજ્ઞા ભેદને બાધિત કરતી હોવાથી ધર્મીનો ભેદ માનવાનો નહીં. જૈન - શ્યામો : પ્રત્યક્ષ ભેદને જણાવે છે. તે એવયં પટે: પ્રત્યભિજ્ઞા અભેદને જણાવે છે. તમે કહો છો કે પ્રત્યભિજ્ઞાથી જણાતા અભેદને માનવાનો.. અને પ્રત્યક્ષથી જણાતા ભેદને (પ્રત્યભિજ્ઞાથી બાધિત થતો હોવાથી) નહીં માનવાનો. તો કોઈ આનાથી ઊંધું પણ કહી શકે છે ને કે પ્રત્યક્ષથી જણાતા ભેદને માનવાનો ને એનાથી બાધિત થતો હોવાથી, પ્રત્યભિજ્ઞાથી જણાતા અભેદને નહીં માનવાનો... તો હવે આમાં વિનિગમક કોણ ? અર્થાત્ તમારી જ વાત સાચી છે કે તમારાથી ઊંધું જે કહી રહ્યો છે એની વાત ખોટી છે. એવો નિર્ણય કરાવી આપે એવી યુક્તિ શું છે ? નૈયાયિક - ૪ એવાર્થ પટ: આવી પ્રત્યભિજ્ઞા બધા જ શિષ્ટોને સમાન રીતે થાય છે.. ને પાછળથી પણ કોઈ એવી પ્રતીતિ થતી નથી કે જે આ પ્રયભિજ્ઞાને ભ્રમણારૂપ ઠેરવી દે... માટે એના વિષયભૂત અભેદને તો માનવો જ પડે. જૈન - શ્યામો ન રW: એવું પ્રત્યક્ષ પણ બધા જ શિષ્ટોને સમાન રીતે થાય છે. અલબત્ બે પાટા ભેગા થતાં પણ બધા શિષ્યોને સમાન રીતે દેખાય છે... પણ એમાં તો પાછળથી બધાને - જ્યાં એ ભેગા થતા દેખાય ત્યાં પહોંચવા પર અલગ દેખાવા સ્પષ્ટ હોય છે... માટે ભેગા થતા જે દેખાય છે તે પ્રત્યક્ષ ભ્રાન્ત હોવાનો નિર્ણય છે... પણ) શ્યામો ન ર માં એવી કોઈ પ્રતીતિ તો પાછળથી પણ થતી નથી જ કે જે આ પ્રત્યક્ષને ભ્રાન્ત ઠેરવે. માટે એના વિષયભૂત ભેદને પણ માનવો જ પડે ને.. નૈયાયિક -શ્યામો ર: પ્રત્યક્ષને અમે કાંઈ બ્રાન્ત કહેતા નથી. પણ એની સંગતિ તો શ્યામવં રત્નમિત્રમ્ એવો અર્થ કરીને થઈ શકે છે.. પછી ધર્મીનો ભેદ માનવો જરુરી રહેતો નથી. જૈન - એમ તો ભેદવાદી પણ તમને કહી શકે છે કે એવાર્થ પટ: એવી પ્રત્યભિજ્ઞાને અમે કાંઈ બ્રાન્ત કહેતા નથી... પણ કાપ્યા પછી ફરીથી ઊગેલો નખ જુદો જ હોવા છતાં “આ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઢાળ-૪ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એ જ નખ છે' એવી જે પ્રત્યભિજ્ઞા થાય છે એને અભેદવિષયક ન માનતા સાદશ્યવિષયક માની સંગતિ કરાય છે. એમ ૫ એવાર્થ પટ: એવી પ્રત્યભિજ્ઞાની પણ તેને સાદશ્યવિષયક માની સંગતિ કરી શકાય છે. ને તેથી અભેદ માનવાની જરુર નથી. વળી પરિમાણ-આકાર વગેરેનું સાશ્ય તો છે જ, એટલે સાદૃશ્ય કાંઈ અસંગત નથી.. નૈયાયિક - નખમાં તો પ્રત્યક્ષ જ અભેદબાધક છે, માટે સાદૃશ્ય મનાય છે. જૈન - ભેદવાદી પણ તમને કહેશે કે શ્યામો ન ર$: પ્રત્યક્ષ જ ભેદસાધક હોવાથી અભેદબાધક છે, માટે જ એવા પટ: પ્રત્યભિજ્ઞાન વિષય તરીકે સાદશ્ય જ માનવું પડશે. નૈયાયિક - પણ શ્યામો ન ર. પ્રત્યક્ષના વિષયભૂત ભેદ ખુદ જ બાધિત હોવાથી એ પ્રત્યભિજ્ઞાના વિષયભૂત અભેદને શી રીતે બાધિત કરશે ? જૈન - પણ ભેદ બાધિત છે એ કયાં હજુ સિદ્ધ થયું છે ? એટલે પાછી એ જ વાત આવીને ઊભી રહી કે પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાન વિષયભૂત અભેદને બાધિત કરશે ? કે પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષના વિષયભૂત ભેદને બાધિત કરશે ? એનો નિર્ણય કરાવનાર કોઈ વિનિગમક નથી... માટે કોઈ કોઈને બાધિત કરી ન શક્વાથી ભેદ અને અભેદ બન્ને માનવા જ પડશે. હવે, બીજી રીતે આ જ વાત વિચારીએ.. જૈન - તમે કહો છો.. ન એવાર્થ પટ: આવી પ્રાભિજ્ઞા અભેદને જણાવે છે. તો એ અમને માન્ય જ છે. પણ એ ભલે અભેદને જણાવે.. એમાં ભેદને ત્યાંથી ભાગી જવાની શી જરુર છે ? નૈયાયિક - પણ અભેદ અને ભેદને વિરોધ છે, માટે ભેદ ત્યાં શી રીતે રહી શકે ? જૈન - પણ, શ્યામો ન રજી: પ્રતીતિ ભેદને જણાવે જ છે ને.. નૈયાયિક – એ પ્રતીતિ ધર્મીભેદને નથી જણાવતી. (પણ ધર્મભેદને જણાવે છે.) જૈન - એવું શા માટે ? નૈયાયિક - એટલા માટે કે ભેદ-અભેદને વિરોધ છે... ને અભેદ પ્રત્યભિજ્ઞાથી સિદ્ધ થયેલ છે. જૈન - તો પછી અન્યોન્યાશ્રયદોષ આવશે. ભેદ-અભેદને વિરોધ છે એ સિદ્ધ થાય તો સિદ્ધ થાય કે શ્યામો ન રW: એ પ્રતીતિ ધર્મભેદને જણાવતી નથી. અને એ પ્રતીતિ ધર્મીભેદને જણાવતી નથી એ સિદ્ધ થાય તો ભેદ-અભેદને વિરોધ હોવો સિદ્ધ થાય છે. આમ, ભેદ-અભેદને વિરોધ છે નહીં. ને તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ-અભેદ બન્ને હોવામાં કોઈ વાંધો નથી. || ૪૬ || Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૭ ભેદભેદ તિહાં પણિ કહતાં, વિજય જઇને મત પાવઈ રે ! ભિન્નરૂપમાં રૂપાંતરથી, જગિ અભેદ પણિ આવઈ રે | ૪-૭ | ટબો- તિહાં = જડ - ચેતનમાંહિ, પણિ ભેદભેદ કહતાં જૈનનું મત વિજય પામઈ, જે માટઈ - ભિન્ન રૂપ જે જીવાજીવાદિક તેહમાં, રૂપાન્તર દ્રવ્યત્વ - પદાર્થત્યાદિક, તેહથી જગમાંહિ અભેદ પણિ આવઈ. એટલઈ-ભેદભેદનાં સર્વત્ર વ્યાપકપણું કહિઉં. . ૪-૭ ગાથાર્થ - ત્યાં પણ ભેદભેદ કહેતાં જૈનમત વિજય પામે છે. આ જગમાં ભિન્ન રૂપવાળા પદાર્થોમાં પણ અન્યરૂપે અભેદ પણ આવે છે. ૪-૭ / વિવેચન - જડ-ચેતનમાં પણ ભેદ-અભેદ જો કહેશો તો જૈનમતનો જ વિજય થવાનો છે. કારણ કે જેનો જ, સાવ ભિન્ન જેવા દેખાતા પદાર્થોમાં પણ કથંચિત્ અભેદ પણ માને જ છે. આશય એ છે કે, જડ અને ચેતન ભિન્ન ભિન્ન છે. એ તો વિશ્વપ્રસિદ્ધ છે. હવે મને ને ર માં નૈયાયિકને જેમ માત્ર ધર્મભેદ માન્ય છે, ધર્મભેદ નહીં તો એને સમાન રીતે જ થતી નવો ન વેતન: એવી પ્રતીતિથી પણ ધર્મભેદ જ માનવાનો રહે, ધર્મીભેદ માની શકાય નહીં અને તેથી જડ-ચેતન વચ્ચે પણ અભેદ માનવાનો રહે. એટલે જડ-ચેતન વચ્ચે ભેદ અને અભેદ બન્ને જ માનવામાં આવે તો જૈનમતનો વિજય સિદ્ધ થઈ જ ગયો. શંકા - જે અત્યંત ભિન્ન સ્વરૂપવાળાં જડ-ચેતન દ્રવ્યો છે એમાં ભેદ હોવો તો સમજાય જ છે. પણ અભેદ શી રીતે માની શકાય ? સમાધાન - જે પ્રસિદ્ધ સ્વરૂપે પરસ્પર બિલકુલ ભિન્નરૂપવાળા છે એવા પણ જીવ-અજીવ વગેરે પદાર્થોમાં રૂપાંતરથી–એ પ્રસિદ્ધ સ્વરૂપ કરતાં અલગ દ્રવ્યત્વ-પદાર્થત્વ સ્વરૂપથી અભેદ પણ આવે જ છે. આશય એ છે કે જડમાં જીવત્વ ધર્મને આગળ કરીને તો જીવનો ભેદ છે જ... અર્થાત્ જીવતાવચ્છિન્નપ્રતિયોગિતાકજીવભેદ તો જડમાં રહ્યો જ છે.. પણ દ્રવ્યત્વ ધર્મને આગળ કરીને જીવનો ભેદ જડમાં રહ્યો છે ? આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ના જ પાડવી પડે, કારણ કે જડદ્રવ્યમાં પણ દ્રવ્યવાવચ્છિન્નભેદ તો રહ્યો હોતો નથી જ, એ સ્પષ્ટ છે. એમ જડમાં પદાર્થત્વ રહ્યું હોવાથી પદાર્થવાવચ્છિન્ન હોય એવો કોઈ પણ ભેદ એમાં રહી શકતો નથી. એટલે કે પદાર્થવેન રૂપેણ જીવનો ભેદ પણ જડમાં રહ્યો નથી.. ભેદ નથી રહ્યો એનો અર્થ જ કે અભેદ રહ્યો છે આ જ રીતે પટમાં ઘટવેન ઘટભેદ રહ્યો છે, પણ દ્રવ્યત્વેન તો ઘટભેદ રહ્યો નથી જ, માટે અભેદ રહ્યો છે. એમ શ્યામઘટમાં પણ રક્તઘટનો રક્તત્વન ભેદ રહ્યો છે, પણ ઘટવેન અભેદ રહ્યો છે. આમ ભેદ અને અભેદ સર્વત્ર સાથે રહ્યા હોવાથી એ બે વચ્ચે વિરોધ નથી......અને એ સર્વત્ર વ્યાપક છે. શંકા - આ ઢાળની બીજી ગાથાના વિવેચનમાં શંકા-સમાધાન દરમ્યાન તમે પટમાં ઘટનો ભેદ છે-અભેદ નથી.. (અર્થાત્ ભેદ-અભેદ બન્ને છે એવું નથી) એવું પછી પટમાં ભલે ને ઘટભેદ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઢાળ-૪ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અને ઘટઅભેદ એ બન્ને સાથે જોવા મળતા ન હોય...' આવા વાક્ય દ્વારા જણાવ્યું છે (પૃ. ૧૦૭) અને હવે અહીં પટમાં પણ ઘટના ભેદ-અભેદ બન્ને રહ્યા છે એમ જણાવી રહ્યા છો... તો તમારા આ વિવેચનમાં પૂર્વાપરિવરોધ નથી ? સમાધાન નથી. શંકા - કઈ રીતે નથી ? સમાધાન આ રીતે ‘અભેદ’ શબ્દનો અર્થ વિચારવો જોઈએ. ‘અભેદ' શબ્દના બે અર્થ છે તાદાત્મ્ય અને સાદૃશ્ય... વિવક્ષિતઘડાનો પોતાનામાં જ જે અભેદ કહેવાય છે એ તાદાત્મ્યરૂપ (= ઐક્યરૂપ) અભેદ છે... પણ અન્યઘડામાં જે અભેદ કહેવાય છે એ તાદાત્મ્યરૂપ નથી... પણ સાદૃશ્યરૂપ અભેદ છે. આશય એ છે કે અન્ય ઘડો પણ ઘટ' છે જ. માટે એમાં ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકઘટભેદ છે નહીં... ભેદ નથી એનો મતલબ જ કે અભેદ છે. એટલે કે વિવક્ષિતઘટનો એ અન્યઘટમાં અભેદ છે... પણ એ વિવક્ષિતઘટનું તાદાત્મ્ય તો એમાં નથી જ એ, બન્ને ઘડા જુદા જુદા સ્પષ્ટ દેખાતા હોવાથી જણાય જ છે. તો આ અભેદ શાને જણાવે છે ? ઘટત્વરૂપે એ અન્યઘડામાં વિવક્ષિતઘટનું જે સાદૃશ્ય છે એને જણાવે છે. પટમાં એ સાદૃશ્ય પણ ન હોવાથી ઘટભેદ કહેવાય છે. પણ અભેદ નથી કહેવાતો. છતાં પટમાં પણ, વિવક્ષિતઘટનું દ્રવ્યત્વરૂપે તો સાદશ્ય છે જ. માટે પટમાં દ્રવ્યત્વાવચ્છિન્ન ઘટભેદ નથી... અર્થાત્ ઘટઅભેદ છે. અભેદ સાદૃશ્યરૂપ છે આ વાત સાવ અપૂર્વ જેવી નથી લાગતી ? શંકા સમાધાન - - - ના, રૈયાયિકને પણ એ માન્ય છે. તે આ રીતે આપણે જોયું કે પટમાં ઘટઅભેદ દ્રવ્યત્વાવચ્છિન્નઘટભેદાભાવરૂપ છે. વળી ભેદનો અભાવ એ પ્રતિયોગિતાવચ્છેદકરૂપ હોય છે. (આ વાત વ્યાપ્તિપંચકમાં આવે છે.) એટલે ઘટઅભેદ ઘટભેદાભાવ એ પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યત્વરૂપ છે. વળી તૈયાયિકના મતે સાદશ્ય એ તદ્ભિજ્ઞત્વે સતિ તદ્ગતભૂયોધર્મ રૂપ છે. એટલે પટમાં ઘટનું સાદૃશ્ય ઘટભિન્નત્વ + ઘડામાં રહેલા દ્રવ્યત્વ, પૃથ્વીત્વ, પદાર્થત્વ વગેરે ધર્મરૂપ જ છે. આમ, પટમાં રહેલો ઘટઅભેદ, ઘટભેદના અભાવરૂપ છે, માટે દ્રવ્યત્વરૂપ છે ને તેથી સાદશ્યરૂપ છે, એમ નૈયાયિકને પણ માન્ય છે જ. ને તેથી આ કોઈ સાવ નવી અપૂર્વ (=કાલ્પનિક) વાત નથી. - = એટલે નિશ્ચિત થયું કે ‘અભેદ’ શબ્દના બે અર્થ છે, સાદૃશ્ય અને તાદાત્મ્ય... ગ્રન્થકારે આ ગાથામાં જડમાં પણ ચૈતન્યનો જે અભેદ કહ્યો છે એ સાદૃશ્યરૂપ અભેદ છે એ સ્પષ્ટ છે. કારણ કે જડ વસ્તુ કાંઈ પોતે ચેતનાત્મક હોતી નથી... અર્થાત્ ચેતનનું તાદાત્મ્ય એમાં હોતું નથી. પણ દ્રવ્યત્વન સાદૃશ્ય તો છે જ. એમ, પટ પોતે કાંઈ ઘટાત્મક નથી... અર્થાત્ એમાં ઘટનું તાદાત્મ્ય નથી એ સ્પષ્ટ જ છે... છતાં પટમાં દ્રવ્યત્વન ઘટનું સાદૃશ્ય છે... ને માટે દ્રવ્યત્યેન ઘટનો ભેદ રહ્યો ન હોવાથી અભેદ રહ્યો છે... એટલે પ્રસ્તુતગાથાના વિવેચનમાં પટમાં ઘટનો અભેદ જે કહ્યો છે તે સાદૃશ્યરૂપ અભેદ કહ્યો છે. - Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૭ પણ પૂર્વે આ ઢાળની બીજી ગાથાના વિવેચનમાં તમે કહ્યું એ મુજબ શંકા-સમાધાન દરમ્યાન મેં પટમાં ઘટનો અભેદ નથી... એમ જે નિષેધ કહેલો છે તે તાદાત્મ્યરૂપ અભેદનો નિષેધ કહેલો છે... માટે કોઈ વિરોધ નથી... (અથવા ‘સાદશ્ય’ અર્થ લેવો હોય તો પણ કશો વાંધો નથી... કારણ કે પટમાં ઘટત્વેન ઘટનો ભેદ છે, અભેદ નથી એમ કહ્યું છે... ને એ તો સ્પષ્ટ જ કે વિવક્ષિત ઘટનું અન્યઘટમાં ઘટત્વેન જેમ સાદૃશ્ય હોય છે, એમ પટમાં હોતું નથી. એટલે પટમાં ‘સાદૃશ્ય’ નથી, માટે અભેદ નથી.) ગ્રન્થકાર દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે જે અભેદ કહેવા માગે છે તે તાદાત્મ્યરૂપ અભેદ છે, એમ સમજવું. એટલે કે ઘડાનો પોતાના શ્યામવર્ણ સાથે જે અભેદ છે તે તાદાત્મ્યરૂપ અભેદ છે.. એમ ઘડાનો પોતાની નવી અવસ્થા, જુની અવસ્થારૂપ પર્યાય સાથે જે અભેદ છે તે પણ તાદાત્મ્યરૂપ અભેદ છે... એટલે જ ગુણ કે પર્યાય ક્યારેય દ્રવ્યથી અલગ જોવા મળતા નથી. નહીંતર તો જેમ એક ઘડામાં બીજા ઘડાનો સાદશ્યરૂપ અભેદ હોવા છતાં એ બંને અલગ-અલગ જોવા મળે છે... એમ દ્રવ્ય કરતાં ગુણ-પર્યાય પણ અલગ જોવા મળત. ૧૧૭ વળી, દ્રવ્યનો ગુણ-પર્યાયમાં જે ભેદ પણ કહેવો છે... તે પણ તાદાત્મ્યરૂપ અભેદથી ભિન્ન એવો ભેદ જ કહેવો અભિપ્રેત છે... એટલે કે ઘડાનું શ્યામવર્ણમાં તાદાત્મ્ય જેમ છે, (માટે શ્યામવર્ણ અલગ જોવા મળતો નથી), એમ તાદાત્મ્ય નથી પણ ખરું, એટલે જ પાક આપવા પર શ્યામવર્ણ નાશ પામવા પર પણ ઘડો નાશ પામતો નથી. એમ ‘નવાપણાંની' અવસ્થા નાશ પામીને ‘જુનાપણાંની’અવસ્થા આવવા છતાં ઘડો નાશ પામતો નથી. જો અભેદ તાદાત્મ્યરૂપ અને સાદશ્યરૂપ એમ બે પ્રકારે છે, તો ભેદ પણ તાદાત્મ્યાભાવરૂપ અને સાદૃશ્યાભાવરૂપ એમ બે પ્રકારે ઘટી શકે છે. વિક્ષિતઘટનો અન્યઘટમાં જે ભેદ છે તે તાદાત્મ્યાભાવરૂપ છે અને પટમાં જે ભેદ છે તે સાદશ્યાભાવરૂપ છે. (અલબત્ પટમાં ઘટનો તાદાત્મ્યાભાવરૂપ ભેદ પણ છે જ. પણ ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ જે કહેવાય છે તે સાદૃશ્યાભાવરૂપ ભેદને નજરમાં રાખીને...નહીંતર એ ભેદ અન્યઘટમાં પણ કહી શકાત...કારણ કે એમાં પણ તાદાત્મ્યાભાવ તો છે જ.) પ્રસ્તુતમાં, ગુણ-પર્યાયમાં દ્રવ્યનું સાદૃશ્ય નથી જ. કારણ કે દ્રવ્યના દ્રવ્યત્વ-આધારતા વગેરે ધર્મો નથી. તો સાદૃશ્યાભાવરૂપ ભેદ ઘટાવવો જોઈએ ને ? સમાધાન- એ જરૂર ઘટાવી શકાય છે. પણ આ રીતે સાદૃશ્યસંલગ્ન અભેદ ઘટાવી શકાતો નથી, કારણ કે ગુણ-પર્યાયમાં દ્રવ્યનું સાદૃશ્ય નથી. જ્યારે તાદાત્મ્ય સંલગ્ન વિચાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણ-પર્યાયમાં દ્રવ્યનો ભેદ અને અભેદ બન્ને ઘટાવી શકાય છે... માટે એ રીતે અહીં ઘટાવ્યા છે, એમ જાણવું. આમ, ગ્રન્થકાર દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ અને અભેદ સર્વત્ર ઠામે દીસે છે... વગેરે જે કહી રહ્યા હતા તે તાદાત્મ્ય સંલગ્ન ભેદ-અભેદ માટે કહી રહ્યા હતા... એ સંદર્ભમાં તો પટમાં ઘટનું તાદાત્મ્ય ન હોવાથી અભેદ નથી જ, માત્ર ભેદ જ છે... માટે મેં પણ એ રીતે કહ્યું હતું... Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઢાળ-૪ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અને પ્રસ્તુત ગાથામાં, જડમાં ચેતનનો દ્રવ્યત્વેન અભેદ હોવો ગ્રન્થકાર જે કહી રહ્યા છે તે સાદૃશ્યરૂપ અભેદ છે એ આપણે જોઈ ગયા છીએ. માટે પ્રસ્તુતગાથામાં સારશ્યરૂપ અભેદનો સંદર્ભ હોવાથી ને એ તો પટમાં પણ દ્રવ્યત્વેન રૂપેણ ઘટનો અભેદ અક્ષત હોવાથી મેં પણ અભેદ હોવો કહ્યો છે. હવે, એક બીજી વાત પણ વિચારી લઈએ.. જડમાં ચેતનનો ભેદ જે છે તે ચેતનવેન છે ને અભેદ જે છે તે દ્રવ્યત્વેન છે. અર્થાત્ અલગ-અલગ ધર્મને આગળ કરીને છે... પણ, વર્ણાદિ ગુણોમાં કે ભિન્ન-ભિન્ન અવસ્થાઓ રૂપ પર્યાયોમાં ઘટદ્રવ્યનો અભેદ જે છે તે પણ ઘટત્વન જ છે ને ભેદ જે છે તે પણ ઘટત્વેન જ છે.. ભેદ અને અભેદ.. બન્ને અલગ-અલગ ધર્મને આગળ કરીને છે, એવું નથી. શંકા - પણ જેમ જડમાં ચેતનનો ભેદ-અભેદ ક્રમશઃ ચેતન—ન અને દ્રવ્યત્વેન એમ જુદા જુદા ધર્મોથી છે, એમ ઘટનો શ્યામવર્ણરૂપ ગુણમાં જે ભેદ અને અભેદ છે તે પણ જુદા જુદા ધર્મોથી છે એમ જ માનો ને ! સમાધાન - એ જુદા જુદા ધર્મો કયા માનવાના ? શંકા - કેમ ? ઘટત્વેન ભેદ માનવાનો અને શ્યામÖન અભેદ માનવાનો.. સમાધાન - તમે જે જડ-ચેતનનું દૃષ્ટાન્ન આપ્યું છે એમાં જડમાં ચેતનત્વ નથી અને દ્રવ્યત્વ છે. માટે ચેતન—ન ભેદ અને દ્રવ્યત્વેન અભેદ છે. એટલે એને અનુસરવાનું હોય તો શ્યામમાં જો ઘટવ ન હોય તો જ ઘટવેન એમાં ભેદ કહી શકાય. પણ એવું તો નથી. કારણ કે જે શ્યામ છે એ જ ઘટ છે. શ્યામ અને ઘટ કાંઈ અલગ-અલગ નથી. માટે શ્યામમાં ઘટત્વ છે જ. ને તેથી પછી ઘટત્વેન ઘટભેદ એમાં શી રીતે કહી શકાય ? શંકા - તમે ઘટ-શ્યામના અભેદને અનુસરીને આ કહી રહ્યા છો. અમે તો ઘટથી સ્વતંત્ર શ્યામવર્ણમાં ભેદ-અભેદની વિચારણા કરી રહ્યા છીએ. સમાધાન - દ્રવ્યવિયુક્ત ગુણ-પર્યાય તો શશશૃંગકલ્પ છે.. પછી એમાં વિચારણા શું કરવાની? શંકા - છતાં બુદ્ધિથી તો દ્રવ્ય કરતાં ગુણને અળગા કરી શકાય છે ને ! ને એ રીતે બુદ્ધિથી અલગા કલ્પેલા ગુણમાં ભેદ-અભેદનો વિચાર કરી શકાય છે ને! સમાધાન - એ રીતે વિચાર કરશો તો ઘટત્વેન ઘટભેદ શ્યામવર્ણમાં આવશે. પણ પછી શ્યામવેન ઘટનો અભેદ શ્યામવર્ણમાં નહીં આવે... શંકા - એ શી રીતે ? સમાધાન - આ રીતે – તમે દ્રવ્ય-ગુણને બુદ્ધિથી સર્વથા અલગા કરીને વિચાર કરી રહ્યા છે. એટલે શ્યામવર્ણમાં જેમ ઘટત્વ નથી... એમ ઘટમાં શ્યામત્વ પણ નથી જ, કારણ કે શ્યામવર્ણ તો ઘટથી સર્વથા અળગો છે. હવે, ભેદ-અભેદનો વિચાર કરવા માટે આ નિયમ છે Page #138 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૭ ૧૧૯ કે જે વસ્તુના ભેદ-અભેદનો વિચાર કરવાનો હોય એ, એ વસ્તુમાં રહેલા ધર્મને આગળ કરીને જ કરવાનો હોય છે. જેમ કે ચેતનના ભેદ – અભેદનો જડમાં વિચાર કરવાનો હોય તો ચેતનત્વદ્રવ્યત્વ વગેરે ચેતનમાં રહેલા ધર્મને આગળ કરીને જ કરવાનો હોય છે. જે ધર્મ ચેતનમાં રહ્યો જ નથી, જેમ કે આકાશવ.. તે ધર્મને આગળ કરીને ચેતનનો ભેદ-અભેદ અપ્રસિદ્ધ વસ્તુ છે... અર્થાત્ આકાશવાવચ્છિન્નચેતનભેદ-અભેદ અપ્રસિદ્ધ છે. શંકા - એ શી રીતે ? સમાધાન - આ રીતે - આકાશત્વ ધર્મને આગળ કરીને ભેદ-અભેદનો વિચાર એટલે જેમાં આકાશત્વ હોય એમાં અભેદ.. અને જેમાં ન હોય એમાં ભેદ.. આમ માનવાનું રહે. આકાશમાં આકાશત્વ છે. માટે એમાં ચેતનનો અભેદ માનવાનો રહે. પણ એ માની શકાય એમ નથી, કારણ કે આવા અભેદનો અર્થ સાદૃશ્ય છે.. અને આકાશ–નરૂપણ ચેતન-આકાશમાં સાદેશ્યા તો છે નહીં. (કારણ કે ચેતનમાં આકાશત્વ નથી.) એટલે આકાશમાં અભેદ માની શકાતો નથી. વળી આકાશ સિવાયના ઘટ-પટ-ધર્માસ્તિકાયાદિમાં તો આકાશત્વ છે જ નહીં. માટે એમાં પણ અભેદ માની શકાતો નથી, માટે અભેદ અપ્રસિદ્ધ છે. એમ, ભેદ માટે પણ, જ્યાં જ્યાં આકાશત્વ ન હોય ત્યાં ત્યાં આકાશવેન રૂપેણ ભેદ માનવાનો હોય. પણ આ પણ શક્ય નથી, કારણ કે આકાશત્વ તો ચેતનમાં પણ નથી, જ્યાં ચેતનનો ભેદ નથી, પણ અભેદ છે. શંકા - પણ, ઘટ-પટ-ધર્માસ્તિકાયાદિમાં તો ભેદ આવશે ને ? સમાધાન - ના, એ પણ નહીં આવે, કારણ કે પ્રસ્તુતમાં અભેદ એટલે સાદૃશ્ય છે એનો અર્થ ભેદ એટલે વૈસાદૃશ્ય..જેમકે જડમાં ચેતનત્વેન ચેતનનો ભેદ છે એનો અર્થ જ ચેતનમાં ચેતનત્વ છે, પણ જડમાં નથી... અર્થાત્ ચેતનવ ધર્મને આગળ કરીને જડમાં ચેતનનું વૈસાદશ્ય છે, માટે ચેતનનો ભેદ છે. પણ એવું પ્રસ્તુતમાં નથી....આકાશત્વ ધર્મને આગળ કરીને ઘટ-પટધર્માસ્તિકાયાદિમાં ચેતનનું વૈસાદેશ્ય નથી, પણ સાદશ્ય છે... કારણ કે જેમ ચેતન આકાશત્વાભાવવાનું છે, એમ ઘટ-પટાદિ પણ આકાશત્વાભાવવાનું જ છે. એટલે આકાશત્વની દૃષ્ટિએ બન્ને સરખા જ છે.. પછી ભેદ શી રીતે કહી શકાય ? એટલે આકાશત્વેન ચેતનનો ભેદ પણ અપ્રસિદ્ધ છે. આમ, જે આકાશત્વાદિધર્મ ચેતનમાં નથી રહ્યા. એ ધર્મથી ચેતનના ભેદ-અભેદ બન્ને અપ્રસિદ્ધ છે. એટલે નિશ્ચિત થયું કે જે વસ્તુના ભેદ-અભેદનો વિચાર કરવાનો હોય એ, એ વસ્તુમાં રહેલા ધર્મને આગળ કરીને જ કરવાનો હોય છે, નહીં રહેલા ધર્મને આગળ કરીને નહીં. એટલે પ્રસ્તુતમાં, પણ, બુદ્ધિથી ગુણથી અળગો થયેલો જે ઘટ છે એમાં શ્યામત્વધર્મ રહ્યો નથી, માટે શ્યામત્વ ધર્મને આગળ કરીને એના ભેદ-અભેદનો વિચાર કરી શકાય જ નહીં. અને તેથી શ્યામવેન ઘટનો શ્યામવર્ણમાં અભેદ છે એમ કહી શકાતું નથી. માટે, ઘટત્વેન ભેદ ને શ્યામત્વેન અભેદ એમ કહી શકાતું નથી.. શંકા - તો ઊંધું કહો...ઘટનો શ્યામવર્ણમાં શ્યામત્વેન ભેદ છે અને ઘટત્વેન અભેદ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઢાળ-૪ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સમાધાન - આમાં તો ભેદ અને અભેદ બન્ને જ અસંગત છે. બુદ્ધિથી અલગ કલ્પેલા ઘટમાં શ્યામત્વ ન હોવાથી શ્યામવેન ઘટભેદ અપ્રસિદ્ધ હોવાથી શ્યામવર્ણમાં કહી શકાતો નથી...અને ઘટત્વ’ ધર્મ શ્યામવર્ણમાં ન હોવાથી ઘટવેન અભેદ પણ કહી શકાતો નથી. દ્રવ્યત્વ-ગુણત્વ વગેરરૂપ જુદા-જુદા ધર્મો લઈને ભેદ-અભેદ કહેવામાં પણ આવી જ આપત્તિ જાણવી.. માટે, દ્રવ્યનો ગુણ-પર્યાયમાં જે ભેદ અને અભેદ છે તે જુદા-જુદા ધમોથી નથી, પણ દ્રવ્યત્વેન જ છે, એ નિર્ણત થાય છે. શંકા - તર્કથી એવું નિર્ણત તો થાય છે.... પણ... હજુ મન માનતું નથી. સમાધાન - સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાથી આ વાત મનમાં જચી જશે. માટે ખૂબ સાવધાની પૂર્વક સૂક્ષ્મતાથી વિચારવું. તે વિચારણા આવી પણ કરી શકાય. ઘડાએ શ્યામત્વ જે અપનાવ્યું છે (અર્થાત્ એ શ્યામ જે છે) તે ઘટત્વ ધર્મને આગળ કરીને જ (અર્થાત્ ઘડા સ્વરૂપે જ). માટે અભેદ ઘટત્વેન જ છે.. એમ પાક આપવા પર ઘડો શ્યામત્વને જે છોડી દે છે અને રક્ત બની જાય છે) તે પણ ઘટવધર્મને આગળ કરીને જ (અર્થાત્ ઘડા સ્વરૂપે જ.), પોતે ઘડાસ્વરૂપે મટી જઈ કપાલાદિ સ્વરૂપ અપનાવીને પછી શ્યામત્વ ધર્મને છોડે છે એવું નથી.) માટે ભેદ પણ ઘટત્વેન જ છે. શંકા - વૈશેષિકે તો માન્યું છે કે ઘડો પરમાણુશઃ નષ્ટ થઈને પછી જ શ્યામવર્ણને છોડે છે (ને રક્તવર્ણને અપનાવે છે.) અર્થાત્ ઘડો પરમાણુરૂપે બનીને પછી શ્યામવર્ણને છોડે છે, ઘટન્ટેન નહીં. માટે ભેદ ઘટત્વેને ન કહેવો જોઈએ. સમાધાન - વૈશેષિકની આ માન્યતાનું ખંડન એના મિત્ર જેવા તૈયાયિકે જ કર્યું છે, માટે એને બહુ મહત્ત્વ આપવા જેવું રહેતું નથી. વળી પરમાણુ જો પરમાણુત્વને જાળવી રાખીને શ્યામ મટી રક્ત બની શકે છે તો ઘડો ઘટત્વને જાળવી રાખીને શ્યામ મટી રક્ત બની શકે એમાં કોઈ વિરોધ માની શકાતો નથી. એટલે ભેદ અને અભેદ બને ઘટત્વેન છે એ નિઃશંકપણે ભાસે છે. એના એ જ ધર્મથી આ જે ભેદ-અભેદ કહ્યા તે દ્રવ્યના ગુણ-પર્યાયમાં જાણવા પણ ગુણનો ગુણોત્તરમાં કે પર્યાયમાં... ને એમ પર્યાયનો ગુણમાં કે પર્યાયાન્તરમાં જે ભેદ-અભેદ હોય છે એ જુદા-જુદા ધર્મોથી હોય છે. જેમ કે ઘટના શ્યામવર્ણનો ઘટની ગંધમાં શ્યામવેન ભેદ અને ઘટત્વેન અભેદ. એમ વૃત્તાકારાદિ પર્યાયમાં પણ શ્યામવેન ભેદ અને ઘટવેન અભેદ... શ્યામઘટને પાક આપવાથી રક્તઘટ બન્યો.. આમાં શ્યામઘટ અને રક્તઘટ આ બંનેને પર્યાયરૂપે લઈએ તો શ્યામઘટનો રક્તઘટમાં શ્યામવેન ભેદ છે ને ઘટત્વેન અભેદ છે. બીજી એક વાત જાણવા જેવી એ છે કે.. નૈયાયિકે કપિસંયોગ અને કપિ યોગાભાવ બન્નેને ભેગા વૃક્ષમાં માન્યા છે... ને માટે એને અવ્યાપ્રવૃત્તિ કહેલ છે. પણ આ બન્ને જુદાજુદા અવયવાપેક્ષા છે. અર્થાત્ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ (શાખાવચ્છેદન) કપિસંયોગ છે અને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૮ જેહનો ભેદ અભેદ જ તેહનો, રૂપાન્તર સંયુતનો રે | રૂપાન્તરથી ભેદ જ તેહનો, મૂલ હેતુ નય શતનો રે || ૪-૮ | ટબો- હિવઇ એહ જ વિવરીનઈ દેખાડઈ છઈ- જેહનો ભેદ, તેહનો જ રૂપાન્તરસહિતનો અભેદ હોઈ, જિમ-સ્થાસ-કોશ-કુશલ-ઘટ આદિકનો ભેદ છઇ, અનઇ તેહ જ મૃદ્ધવ્યત્વવિશિષ્ટ અનર્પિતસ્વપર્યાયનો અભેદ છઇ. તેહનો જ રૂપાન્તરથી ભેદ હોઈ, જિમ-સ્થાસ કોશ કુશૂલાદિક વિશિષ્ટ-મૃદ્ધવ્યપણઈ તેહનો જ ભેદ હોઈ. મૂળની અપેક્ષાએ (મૂલાવચ્છેદન) કપિસંયોગાભાવ છે. પણ આપણે દ્રવ્યનો ગુણ-પર્યાયમાં જે ભેદ-અભેદ બન્ને કહીએ છીએ તે આમ જુદા-જુદા અવયવાપેક્ષા નથી કહેતા. અર્થાત્ કાંઠાની અપેક્ષાએ ભેદ છે ને બેઠકની અપેક્ષાએ અભેદ છે આવું કાંઈ કહેતા નથી. આખા ઘડામાં જ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ-અભેદ બન્ને વ્યાપીને જ રહ્યા છે.... || ૪૭ | ગાથાર્થ :- જેનો ભેદ હોય છે તેનો જ રૂપાંતરસંયુક્તનો અભેદ હોય છે, અને એનો જ અન્યરૂપે આગળ કરીને ભેદ હોય છે. આ ભેદ અને અભેદ જ પ્રત્યેકનયના જે ૧૦૦-૧૦૦ ભેદ થાય છે એનો મૂળહેતુ છે. / ૪-૮ , વિવેચન :- હિવઇ. પૂર્વની ગાથામાં, જડમાં ચેતનનો ભેદ પણ છે અને અભેદ પણ છે વગેરે જે વાત કરી, એનું જ વિવરણ આ ગાથામાં ગ્રન્થકાર કરી દેખાડે છે. જેનો ભેદ હોય છે એનો જ રૂપાન્તરથી અભેદ પણ હોય છે. જેમ કે સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ આદિકનો ભેદ છે. એટલે કે સ્થાસાદિનો કોશાદિમાં ભેદ છે એ, આકૃતિભેદ-પરિમાણભેદ-અર્થક્રિયાકારિત્વભેદ વગેરેથી પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે કે કોશત્વને આગળ કરીને-અર્થાત્ કોશત્વને મુખ્ય કરીને. અર્થાતું, કોશપર્યાયની અર્પણ કરીને-જો વિચારવામાં આવે તો શાસ: ન કોશ: = “થાસ: #ોશમન્ન: (કારણકે સ્થાસમાં કોશત્વ નથી) એમ જણાય છે. અર્થાત્ કોશમાં મૃદ્દવ્યત્વ જે છે તેને આગળ કર્યા વગર=ગૌણ કરીને=અનર્પિત કરીને અને કોશપર્યાયને અર્પિત કરીને વિચારીએ તો સ્વાસમાં કોશભેદ છે. અને કોશમાં રહેલ કોશત્વપર્યાયને ગૌણ અનર્પિત કરીને અને મૃદ્ધવ્યત્વને અર્પિત કરીને (અર્થાત્ કોશતવિશિષ્ટકોશનો વિચાર નથી કરવાનો પણ મૃદ્દવ્યત્વવિશિષ્ટકોશનો વિચાર કરીએ તો) Dાસ પણ મૃદ્દવ્યત્વવિશિષ્ટ હોવાથી અભેદ છે. અને એ જ કોશનો કોશવિશિષ્ટ મૃદ્ધવ્યરૂપે ભેદ છે. (આ આપણે હમણાં જ આગળ વિચારી ગયા છીએ કે કોશપર્યાયને અર્પિત કરીને અને મૃદ્ધવ્યને અનર્પિત કરીને વિચારતાં સ્થાસમાં કોશનો ભેદ છે.) આ જ રીતે સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ. આ બધાને પરસ્પર, પર્યાયની અર્પણા હોય તો ભેદ છે. ને દ્રવ્યની અર્પણા હોય તો અભેદ છે. શંકાઃ- આમાં તો ઘટના પણ સ્થાસાદિમાં ઘટત્વેન ભેદ.. મૃદદ્રવ્યત્વેન અભેદ. એમ સાબિત થયું... તમે તો ઘટદ્રવ્યનો ભેદ-અભેદ બંને એક જ ધર્મથી હોવા કહ્યા હતા. એટલે વિરોધ નહીં થાય? Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એ ભેદ નઈ અભેદ છઇ, તે સઇગમે નયનો મૂળહેતુ છઇ. સાત નયના જે સાતસઈ ભેદ છો, તે એ રીતે = દ્રવ્ય-પર્યાયની અર્પણા-અર્પણાઈ થાઈ. તે શતાનિયફ્રાધ્યયન માંહિ પૂર્વિ-હંતા, હવણાં-દ્વાદશાનિયચક્રમાંહિ વિધિ , વિધિવિધિઃ, ઈત્યાદિ રીતિ એકેક નયમાંહિ ૧૨-૧૨ ભેદ ઉપજતા કહિયા છઈ. ૪-૮ || ક્ષેત્ર-કાલ-ભાવાદિક યોગઇ, થાઈ ભંગની કોડી રો સંખેપઈ એ ઠામિ કહિઇ, સપ્તભંગની જોડી રે / ૪-૯ | ટબો-વ્યાદિક વિશેષણઈ ભંગ થાઈ, તિમ-ક્ષેત્રાદિક વિશેષણ પણિ અનેક ભંગ સમાધાનઃ- શ્યામદિવર્ણ.. કે જૂનાપણાંની અવસ્થા વગેરે પર્યાય. એની અપેક્ષાએ ઘટ એ દ્રવ્ય છે અને આ શ્યામાદિ ગુણ-પર્યાય છે. મેં આમ ઘટનો પોતાના ગુણ-પર્યાય સાથે વિચાર કરેલો. અર્થાત્ ઘટને દ્રવ્ય તરીકે લીધેલું.. જ્યારે પ્રસ્તુતમાં ગ્રન્થકાર ઘટના સ્થાસાદિ સાથે વિચાર કરી રહ્યા છે. એટલે દ્રવ્ય તરીકે મૃદું છે અને ઘટ તો સ્થાસાદિની જેમ એક પર્યાય જ છે. તેથી ઘટના સ્થાસાદિ સાથે વિચાર એ એક પર્યાયનો પર્યાયાન્તર સાથે વિચાર કરવારૂપ છે. અને એમાં તો મેં જણાવેલું જ છે કે એ ભેદ-અભેદ જુદા-જુદા ધર્મોથી હોય છે માટે કોઈ વિરોધ નથી. આ ભેદ અને અભેદ એ પ્રત્યેક નયના ૧૦૦-૧૦૦ ભેદ જે થાય છે એનો મૂળ હેતુમુખ્ય કારણ છે. આશય છે કે સાતમૂળનયના સાતસો ભેદ જે કહેવાય છે તે આ રીતે દ્રવ્યપર્યાયને અર્પણા-અર્પણા (મુખ્ય-ગૌણ) કરવાથી થાય છે. તે પૂર્વે શતારનયચક્ર અધ્યયનમાં નિરૂપાયેલા હતા. પણ હાલ એ અધ્યયન મળતું નથી. હાલ તો દ્વાદશાનિયચક્રમાં વિધિ, વિધિર્વિધિ. વગેરે રૂપે એક-એક નયના ૧૨-૧૨ ભેદ ઉપજે છે એમ કહેલું મળે છે. || ૪૮ | ગાથાર્થ - ક્ષેત્ર-કાળ-ભાવાદિના યોગે કરોડો ભાંગા (= નયના કરોડો પ્રકાર) થાય છે. આ સ્થાનમાં સંક્ષેપથી સપ્તભંગની જોડી = બે સપ્તભંગીઓ કહીએ છીએ. || ૪-૯ , વિવેચન - દ્રવ્યાદિક વિશેષણઈ.... જેમ દ્રવ્યાદિક વિશેષણે નયના ભંગ=પ્રકાર થાય છે તેમ ક્ષેત્રાદિક વિશેષણે પણ અનેક ભંગ=અનેક પ્રકાર થાય છે. આશય છે કે આગલી ગાથામાં આ જણાવ્યું હતું કે સ્વાસ-કોશ-કુશૂલ-ઘટનો સ્થાસાદિરૂપે નહીં, પણ મૃદ્રવ્યત્વવિશિષ્ટરૂપે વિચાર કરીએ તો પરસ્પર અભેદ છે..અને સ્થાસાદિ પર્યાયને જ મુખ્ય કરીને મૃદ્ધવ્યનો વિચાર કરવામાં આવે (મૃદ્રવ્યને ગૌણ કરીને.અર્થાત્ મૃદ્રવ્યનો મૃદુદ્દવ્યરૂપે નહીં, પણ સ્થાસપર્યાયવિશિષ્ટરૂપે, કોશપર્યાયવિશિષ્ટરૂપે..વિચાર કરવામાં આવે, તો પરસ્પર ભેદ છે. આ અભેદ-ભેદના કારણે નૈગમાદિનયના ૧૦૦-૧૦૦ પ્રકાર થાય છે. આમાં દ્રવ્યને વિશેષણરૂપે લીધું ત્યારે અભેદ આવ્યો ને પર્યાયને વિશેષણ તરીકે લીધું ત્યારે ભેદ આવ્યો..ને આ અભેદ-ભેદના પ્રભાવે નયના પ્રકારો પડ્યા. હવે ગ્રન્થકાર કહે છે કે આ રીતે ક્ષેત્રાદિકને વિશેષણ તરીકે લઈએ તો પણ નયના Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૧૨૩ થાઇ. તથા દ્રવ્યઘટઃ સ્વ કરી વિવલિઇ, તિવરાઈ-ક્ષેત્રાદિક ઘટ પર થાઈ, ઈમ પ્રત્યેકસપ્તભંગી પણિ કોડીગમાં નીપજઈ, તથાપિ લોકપ્રસિદ્ધ જે કંબુ-ગ્રીવાદિપર્યાયોપેત ઘટ છઈ, પ્રકારો પડે છે. ધારો કે અમદાવાદી માટીમાં આ બધી પ્રક્રિયા થઈ છે ને છેવટે અમદાવાદી ઘડો બન્યો છે. તો સ્થાસાદિપણ અમદાવાદી જ હોય... એટલે અમદાવાદીત્વવિશિષ્ટ સ્થાસ, અમદાવાદીત્વવિશિષ્ટકોશ.. આ રીતે અમદાવાદીત્વને વિશેષણ બનાવીને=મુખ્ય કરીને (ક્ષેત્રને અર્પિત કરીને) સ્થાસાદિ પર્યાયને ગૌણ કરીને (અર્થાત્ સ્થાસાદિનો સ્થાસાદિરૂપે નહીં, પણ અમદાવાદીત્વવિશિષ્ટરૂપે વિચાર કરવામાં આવે તો) બધાનો અભેદ ભાસે છે.. ને અમદાવાદીત્વને ગૌણરૂપે=અનર્પિત કરીને-સ્થાસાદિપર્યાયને મુખ્ય કરીને વિચાર કરવામાં આવે તો- અર્થાત્ સ્થાસવિશિષ્ટઅમદાવાદીત્વ.. કોશવિશિષ્ટ અમદાવાદીત્વ....... આ રીતે પર્યાયને વિશેષણ બનાવીને= મુખ્ય કરીને વિચાર કરવામાં આવે તો ભેદ ભાસે છે. આમ ક્ષેત્રને વિશેષણ બનાવ્યું તો અભેદ આવ્યો અને સ્થાસાદિ પર્યાયને વિશેષણ તરીકે લીધા તો ભેદ આવ્યો. આ ભેદ-અભેદના કારણે પણ એક-એક નયના અનેક ભંગ = અનેક પ્રકાર થાય છે. આ જ રીતે ધારો કે શિશિરઋતુજન્ય ઘડો છે. તો શિશિરજત્વવિશિષ્ટ સ્થાસાદિનો વિચાર કરવામાં આવે ત્યારે અભેદ જણાશે અને સ્થાસાદિવિશિષ્ટશિશિરજન્યત્વનો વિચાર કરતાં ભેદ જણાશે. આ ભેદ-અભેદથી પણ પ્રત્યેકનયના અનેકભંગ થાય છે. એમ ધારો કે સ્થાસાદિનો શ્યામવર્ણ છે. તો શ્યામવિશિષ્ટરૂપે સ્થાસાદિનો વિચાર કરતાં અભેદ જણાશે ને સ્થાસાદિવિશિષ્ટરૂપે શ્યામવર્ણનો વિચાર કરતાં ભેદ જણાશે. આમ ભાવને વિશેષણરૂપે ને પર્યાયને વિશેષણરૂપે વિચારતાં ક્રમશઃ અભેદ-ભેદ જણાય છે. આ અભેદ-ભેદના કારણે પણ પ્રત્યેકના અનેક ભંગ થાય છે. તથા દ્રવ્યઘટઃ સ્વ કરી. આ અધિકારમાં દ્રવ્યઘટનો અર્થ શું કરવો? ક્ષેત્રઘટનો અર્થ શું કરવો ? આ ગૂઢ છે. દ્રવ્યઘટ એટલે ઘટનું દ્રવ્ય મૃદ્રવ્ય લઈએ. અથવા ઘટને પોતાને જ દ્રવ્ય લઈએ.. તો ક્ષેત્રઘટ એટલે ઘટનું ક્ષેત્ર સંબંધી સ્વરૂપ જેમ કે અમદાવાદીપણું (અથવા ભૂમિસ્થત), કાળઘટ એટલે ઘટનું શિશિરજન્યત્વ. વગેરે લેવું પડે.. પણ એ તો ઘટ માટે “સ્વ” જ છે. “પર” શી રીતે થાય ? અમદાવાદી ઘડા માટે સુરતજન્યત્વ વગેરે રૂપે પરક્ષેત્ર વગેરે લેવાના હોય તો એનો વિચાર તો તથાપિ લોકપ્રસિદ્ધ વગેરે પંક્તિ દ્વારા ગ્રન્થકાર ખુદ કરવાના જ છે. વળી આપણાં અનુભવનાં વિષયભૂત જે કંબુગ્રીવ્રાદિમાન ઘટ છે... એની તો લોકપ્રસિદ્ધ જે કંબુગ્રીવાદિ. વગેરે પંક્તિ દ્વારા ગ્રન્થકારે વિચારણા કરી છે. એટલે આ દ્રવ્યઘટ અને ક્ષેત્રઘટ વગેરે... અપ્રસિદ્ધ વસ્તુઓ છે. જ્યાં સુધી એની સ્પષ્ટ કલ્પના ન આવે ત્યાં સુધી વિવેચન શી રીતે થાય? જે આકાશપ્રદેશોને અવગાહીને ઘડો રહ્યો છે, તે આકાશપ્રદેશોના સમૂહનો આકાર પણ ઘડા જેવો જ થવાનો છે. માટે એને ઘટાકાશ કહેવાય છે. એને જ ક્ષેત્રઘટ તરીકે લઈએ... તો એ દ્રવ્યઘટ માટે “પર” બનશે. કારણ કે દ્રવ્યઘટ મૃન્મય છે. ક્ષેત્રઘટ આકાશપ્રદેશમય છે. એટલે આ બે ઘટને નજરમાં રાખીને અદ્રિત્યેવ... નાચે... વગેરે સપ્તભંગી થઈ શકે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા - ચાનાયૅવ... ભંગ શી રીતે આવશે? કારણ કે ‘પર' તરીકે તમે જે ક્ષેત્રઘટ લીધો છે તે પણ દ્રવ્યઘટ જ્યાં રહ્યો છે ત્યાં રહ્યો જ છે ને.. સમાધાન - દ્રવ્યઘટ જ્યાં (= જે આકાશપ્રદેશમાં) રહ્યો છે ત્યાં ક્ષેત્રઘટ છે એવું નથી પણ તે (આકાશપ્રદેશો) પોતે જ ક્ષેત્રઘટ છે. પણ એ દ્રવ્યઘટથી તો ભિન્ન જ છે. માટે ક્ષેત્રઘટરૂપે દ્રવ્યઘટ તો રહ્યો નથી જ.. અને તેથી સ્થાનાયૅવ... વગેરે ભંગ મળશે જ. એમ જે કાળખંડમાં (સમય-આવલિકાના સમૂહરૂપ કાળમાં) ઘડાનું અસ્તિત્વ છે એ કાળખંડને કાળઘટ કહીએ તો એ પણ દ્રવ્યઘટ માટે “પર” બનશે, કારણ કે કાળ એ છઠું સ્વતંત્ર દ્રવ્ય છે. એટલે દ્રવ્ય-ઘટ-કાળઘટની વિચારણામાં પણ સપ્તભંગી મળશે. પણ, હવે ‘ભાવઘટ' તરીકે શું લેવાનું? એ પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે ભાવ= સ્વભાવ=સ્વરૂપ. ઘડાના ગુણ-પર્યાય એ જ ઘડાનો ભાવ છે... ને તેથી જેમ ઘડાનું ક્ષેત્ર એ ક્ષેત્રઘટ તરીકે લીધું. તો ઘડાના ગુણ-પર્યાયરૂપ ભાવને જ ભાવઘટ તરીકે લેવો પડે. અને એ તો ઘડા માટે “સ્વ” જ છે, “પર” નથી. એટલે બીજા ભંગ માટે “શ્યામ' રૂપે ઘડો છે? વૃત્તાકારરૂપે ઘડો છે? વગેરે પ્રશ્નોનો જવાબ “ચાયૅવ’.. મળશે, ને તેથી બીજો “ચાનાયૅવ... વગેરે ભંગ ન મળવાથી સપ્તભંગી શી રીતે થાય? એટલે ઘડાનો ભાવ એ ભાવઘટ તરીકે લઈ શકાતો નથી. તેથી, ઘડાનો ભાવ એ “ભાવઘટ’ તરીકે જો અભિપ્રેત ન હોય તો ઘડાનું ક્ષેત્ર એ ક્ષેત્રઘટ.. વગેરે પણ અભિપ્રેત હશે કે કેમ? એ પ્રશ્ન ઊભો રહે છે. અથવા ટબામાં “ક્ષેત્રાદિક-ઘટ પર થાઈ' આવી જે પંક્તિ છે તેમાં રહેલા “આદિ શબ્દથી માત્ર કાળઘટ-લેવાનો હોય, ભાવઘટ લેવાનો ન હોય તો વાંધો ન આવે. અથવા શાસ્ત્રોમાં પ્રજ્ઞાપકની અપેક્ષાએ પણ વિવક્ષા આવતી હોય છે. ઘટની પ્રજ્ઞાપના=પ્રરૂપણા કરનારા પ્રજ્ઞાપકનું ક્ષેત્ર એ ક્ષેત્રઘટ, પ્રજ્ઞાપકનો (એ પ્રજ્ઞાપના કરવાનો) કાળ એ કાળઘટ અને પ્રજ્ઞાપકનો ઘટવિષયક ઉપયોગ એ ભાવઘટ, આવા ક્ષેત્રઘટ વગેરેને “પર” તરીકે લઈને સપ્તભંગી સંભવી શકે છે. છતાં આવાં દ્રવ્યઘટ-ક્ષેત્રઘટ-કાળઘટ અપ્રસિદ્ધ હોવાથી અને એની અપેક્ષાએ દ્રવ્યઘટની (ઘટદ્રવ્યની) વિચારણાના પ્રશ્નો ઊઠવા વગેરે પણ અસંભવિત જેવું હોવાથી એની સપ્તભંગીની વાત ન કરતાં ગ્રન્થકાર, લોકમાં ઘડા તરીકે કંબુગ્રીવાદિપર્યાયોપેત = નીચે બેઠક. વચ્ચે મોટું પેટ ઉપર કાંઠો... આવા આકારયુક્ત જે પદાર્થ પ્રસિદ્ધ છે તેની વિચારણા કરીને જ સપ્તભંગીનુ વિવરણ કરે છે. શંકા :- અહીં લોકપ્રસિદ્ધ જે ઘટ છે..” એટલું જ ન કહેતાં “કંબુગ્રીવાદિપર્યાયોપેત એવું વિશેષણ લગાડીને કેમ કહ્યું છે? સમાધાન - આ વિશેષણ અહીં મૂક્યું છે એના પરથી પૂર્વે દ્રવ્યઘટની જે વાત કરી છે તે આવા પર્યાયરહિતના-બુદ્ધિથી અલગ કલ્પલા- ઘટદ્રવ્યની (= મૃદ્ધવ્યની... ઔદારિક વર્ગણાની.. થાવત્ ઘટરૂપે પરિણમેલા પુદ્ગલોની) વાત કરવાનો ગ્રન્થકારનો અભિપ્રાય હશે એમ કલ્પી શકાય Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૧૨૫ તેહનઇ જ- સ્વદ્રેવડીનઇ સ્વરૂપઇ - અસ્તિત્વ, પરરૂપઇ-નાસ્તિત્વ, ઇમ લેઇ સપ્તભંગી દેખાડિઇ. તથાહિ: ૧. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઇ ઘટ છઇ જ. છે. અર્થાત્ આવા કંબુગ્રીવાદિ પર્યાયને બુદ્ધિથી અળગો કરીને એ પુદ્ગલદ્રવ્યને દ્રવ્યઘટ તરીકે જણાવવાનો ગ્રન્થકારનો અભિપ્રાય છે, એમ સમજાય છે.. આવો અભિપ્રાય માનવો એ ઉચિત પણ લાગે છે, કારણ કે કંબુગ્રીવાદિપર્યાયોપેત ઘટને લોકપ્રસિદ્ધ ઘટ તરીકે કહેવા દ્વારા ગ્રન્થકારે આ દ્રવ્યઘટ-ક્ષેત્રઘટ વગેરે તરીકે એવા ઘટ કહેવા છે જે લોકમાં ‘ઘટ' તરીકે અપ્રસિદ્ધ હોય... તો આ મૃદ્રવ્યથી લઈને પુદ્ગલ સુધીનું દ્રવ્ય લોકને તો ઘટ તરીકે પ્રસિદ્ધ નથી જ. (આ જ વિચારણાને આગળ વધારીએ તો આગળતિવારઇ ક્ષેત્રાદિક ઘટ પર થાઇ’ આવી પંક્તિના આદિ શબ્દથી માત્ર કાળઘટ લેવો-ભાવઘટ નહીં લેવો.. એવી જે વિચારણા આપણે કરેલી છે.. તેમાં ભાવઘટ લેવો પણ શક્ય બની શકે.. કારણ કે દ્રવ્યઘટ તરીકે પર્યાયમુક્તબુદ્ધિથી કલ્પેલ મૃદ્રવ્ય લીધેલ છે.. તો એનો પર્યાય, દ્રવ્યમુક્ત-બુદ્ધિથી કલ્પેલ કંબુગ્રીવાદિઆકાર વગેરેરૂપે સ્વતંત્ર ‘ભાવ’ તરીકે મળી શકે. અને એ તો બુદ્ધિકલ્પિત દ્રવ્યઘટ=મૃદ્રવ્ય માટે ‘પર’ છે જ. આમ, આ દ્રવ્યઘટ-ક્ષેત્રઘટ.. વગેરે ચારમાં દ્રવ્યઘટ અને ભાવઘટ કાલ્પનિક આવશે. ક્ષેત્રઘટ-કાળઘટ વાસ્તવિક આવશે... દ્રવ્યઘટ માટે શેષ ત્રણે ‘પર’ રૂપ બની શકે છે. પણ મૂળમાં પર્યાવિયુક્ત દ્રવ્યઘટ બુદ્ધિકલ્પિત હોવાથી લોકપ્રસિદ્ધ ન હોવાથી... પર એવા ક્ષેત્રાદિઘટ સાથેની વિચારણા પણ અપ્રસ્તુત જેવી રહે છે ને માટે ગ્રન્થકારે એ સપ્તભંગીઓનું કોઈ વિવરણ કર્યું નથી...) હવે, પ્રસ્તુતમાં આવીએ... લોકપ્રસિદ્ધ જે કંબુગ્રીવાદિપર્યાયોપેત ઘડો.. તેને કેન્દ્રમાં રાખીને ગ્રન્થકાર સપ્તભંગી દેખાડવા ચાહે છે. એ માટે ગ્રન્થકારે પંક્તિ લખી છે- સ્વત્રેવડીનઇ સ્વરૂપઇ... અહીં ‘સ્વત્રેવડી’ એટલે શું લેવું? મને, સ્વ દ્રવ્ય-ગુણ-પર્યાય એવો અર્થ યોગ્ય લાગે છે... એટલે આખા વાક્યનો અર્થ આવો મળશે કે સ્વ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપે અસ્તિત્વ છે, અને સ્વદ્રવ્યગુણ-પર્યાયની અપેક્ષાએ જે ‘પર’ છે.. અર્થાત્ પર દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે એ ‘પરરૂપ’ છે. એવા પરરૂપે નાસ્તિત્વ છે... આમ પાયાના બે ભાંગા લઈ આખી સપ્તભંગી દેખાડાય છે. તે આ રીતે ૧. સ્વદ્રવ્ય-ક્ષેત્ર...:- ઘડો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ છે જ. ધારો કે આપણો વિવક્ષિત ઘડો માટીનો છે, અમદાવાદી છે, શિશિરઋતુજન્ય છે અને વૃત્તાકાર છે. તો મૃયત્વેન ધટોઽસ્તિ ન વા..? આવો ઊઠેલો પ્રશ્ન એ સ્વદ્રવ્યને-માટીને નજરમાં રાખીને ઊઠેલો પ્રશ્ન છે.. ને તેથી સ્વાદસ્યેવ ઘટઃ એવો જ જવાબ આપવો પડે છે, એ સ્પષ્ટ છે. આ જવાબમાં સ્યાદ્, અસ્તિ અને એવકાર એમ ત્રણ અંશ છે. આમાં એવકાર જે છે તે ક્રિયાપદ સાથે જોડાયેલો હોવાથી અત્યન્તઅયોગનો વ્યવચ્છેદ કરે છે. એટલે કે જેમ શશશ્ચંગમાં ક્યારેય પણ-કોઈપણ રીતે અસ્તિત્વનો યોગ હોતો નથી. (અર્થાત્ અસ્તિત્વ હોતું નથી) એમ, ઘડામાં નથી.. અર્થાત્ ઘડામાં અસ્તિત્વનો અત્યંત અયોગ છે એવું નથી. અમુકકાળે અમુકરૂપે ઘટમાં અસ્તિત્વ હોય છે પણ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ખરું... ‘અસ્તિ’ શબ્દ અસ્તિત્વ=સત્ત્વને (=અર્થક્રિયાકારિત્વને) જણાવે છે. એટલે પ્રસ્તુતમાં સત્ત્વાસત્ત્વ સંબંધી સપ્તભંગી મળશે, પણ ભેદાભેદ સંલગ્ન સપ્તભંગી નહીં. ‘સ્યાદ્’ શબ્દ સ્યાદ્વાદને જણાવે છે.. ઘડામાં જેમ અસ્તિત્વ છે એમ ‘નાસ્તિત્વ' પણ છે જ, માત્ર-સર્વથા અસ્તિત્વ જ છે એવું નથી...એ રીતે ગર્ભિતપણે એ અસ્તિત્વની નાસ્તિત્વસાપેક્ષતાને સૂચિત કરે છે... આ જ રીતે ક્ષેત્ર અંગે જાણવું... સામાન્યથી શિષ્ટલોકમાં ક્ષેત્ર તરીકે ઉત્પત્તિક્ષેત્ર કે સ્થિતિક્ષેત્ર એ બંનેનો પણ ઉલ્લેખ થતો હોય છે... જેમ કે અમદાવાદમાં બનેલો ઘડો અમદાવાદી ઘડો કહેવાય છે. (પછી ભલે વિવક્ષિતકાળે એ સુરત કે મુંબઇમાં પણ રહ્યો હોય.) એમ ભૂમિ પર રહેલો ઘડો ભૂમિસ્થ કહેવાય વેદિકા પર રહેલો ઘડો વેદિકાસ્થ કહેવાય છે. કાળ અંગે પણ ઉત્પત્તિકાળ-સ્થિતિકાળ વગેરેનો શિષ્ટ પુરુષોમાં વ્યવહાર છે... જેમ કે આ ઘડો શિશિરઋતુજન્ય છે.. ચાર મહિના જૂનો છે.. વગેરે... ભાવમાં તો વર્ણ-રસ-ગંધ-સ્પર્શ-સંસ્થાન... વગેરે બધું જ આવે છે... વિવક્ષિત ઘડાના જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય તે એના ‘સ્વ’રૂપ કહેવાય છે...અને એ સિવાયના જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય તે એના ‘પર’રૂપ કહેવાય છે.. એટલે, ઘડો મૃન્મય છે, અમદાવાદી છે, (ભૂમિસ્થ છે), શિશિરઋતુજન્ય છે (ચાર મહિનાથી છે) શ્યામ છે, સુગંધી છે, લીસી સપાટીવાળો છે, વૃત્તાકાર છે.. આવું બધું જે કાંઈ વિવક્ષિત ઘડાનું ‘સ્વરૂપ' છે એ બધાં સ્વરૂપોનો સરવાળો એ ઘડાનું પૂર્ણ ‘સ્વ’રૂપ છે.. આ ‘સ્વ’રૂપ સિવાયનાં સુવર્ણમયત્વ-તામ્રમયત્વાદિ, વાપીયાપણું વગેરે, (વેદિકાસ્થત્વાદિ), ગ્રીષ્માદિઋતુજન્યત્વાદિ, ન્યૂનાધિકકાલીનત્વ, રક્તત્વાદિ, કર્કશસ્પર્શાદિ, વૃત્તભિન્નાકારાદિ જે જે કાંઈ આ વિવક્ષિત ઘડામાં છે નહીં, તે બધું વિવક્ષિત ઘડાનું ‘પર’રૂપ છે... સપ્તભંગીના પ્રથમભંગમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિચારવાનું છે. એટલે કે આમાં ઘડાના ‘સ્વ’રૂપ માત્રની અપેક્ષાએ પ્રશ્ન છે ને એના ઉત્તરરૂપે વિવક્ષિત ભંગ છે.. અર્થાત્ આ ઘડો માટીનો-અમદાવાદી-શિશિરઋતુજન્ય-શ્યામ-સુગંધી-લીસી સપાટીવાળો વૃત્તાકાર છે?” આવો પ્રશ્ન છે.. ને એના જવાબમાં સ્થાવસ્યેવ... કહેવું એ સપ્તભંગીનો પ્રથમ ભંગ છે. આમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘડાનાં જેમ મૃત્મયત્વાદિ ‘સ્વ’રૂપ છે એમ પાર્થિવત્વ-ઔદારિકત્વ-પુદ્ગલમયત્વાદિ, અમુકમાસજન્યત્વઅમુકતિથિજન્યત્વ-અમુકનક્ષત્રજન્યત્વ... લઘુત્વ-મહત્ત્વ... આવા બધાં સેંકડો ‘સ્વ’રૂપ છે... આ બધાને જ સાંકળીને પ્રશ્ન પૂછવો શક્ય નથી... એટલે જેવી-જેટલી જિજ્ઞાસા હોય એ પ્રમાણે પ્રશ્ન પૂછાતો હોય છે... એમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારે સંકળાયેલા પણ હોઈ શકે... ચારમાંથી કોઈપણ ત્રણ જ સંકળાયેલા હોય એવું પણ બની શકે... ક્યારેક કોઈપણ બે જ કે ક્યારેક કોઈપણ એક જ સંકળાયેલ હોય એવું પણ બની શકે છે... (જેમકે ટોયું મૃયોક્તિ ન વા? આટલી જ જિજ્ઞાસા હોય ત્યારે આટલો જ માત્ર દ્રવ્યસંલગ્ન પ્રશ્ન હોય...) પણ દરેક વખતે જવાબ તો સ્વાસ્યેવ આટલો જ હોય છે. એટલે જણાય છે કે આ પ્રથમભંગના પ્રશ્નમાં ઉલ્લેખ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૨. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ નથી જ. ૩. એક વારઈ-ઉભય વિવફાઈ અવક્તવ્ય જ, ૨ પર્યાય એક શબ્દ મુખ્યરૂપઈ ન કહવાઈ જ. ભલે જિજ્ઞાસાનુસાર એક-બે-પાંચ-સાત ગમે એટલા “સ્વરૂપોનો હોય. પણ એ બધો માત્ર સ્વરૂપોનો જ હોય છે... એક પણ પર'રૂપનો પ્રશ્નમાં સમાવેશ હોતો નથી... અર્થાત્ હાલ આપણા વિચારણાધીન ઘડા અંગે, એ માટીનો-અમદાવાદી-શિશિરઋતુજન્ય-શ્યામસુગંધી-લીસી સપાટીવાળો-ચતુષ્કોણાકાર છે ? આવો પ્રશ્ન પ્રથમભંગમાં આવી શકતો નથી. કારણ કે માટીનો. વગેરે “સ્વરૂપ હોવા છતાં “ચતુષ્કોણાકાર’ એ અધિકૃતઘડા માટે “પરરૂપ છે. ને એ “પરરૂપ છે, માટે “ચોક્લેવ એવો જવાબ મળી શકતો નથી. એટલે, નિશ્ચિત થાય છે કે પ્રથમભંગ માટે, દ્રવ્ય-ક્ષેત્રાદિ અપેક્ષાએ જે “સ્વરૂપ હોય એના જ જિજ્ઞાસાનુસારે ઓછા-વત્તા ઉલ્લેખવાળો પ્રશ્ન જોઈએ... પણ એમાં એકાદ પણ “પરરૂપનો ઉલ્લેખ ન જોઈએ.. (અર્થાત્ આવા પ્રકારની જિજ્ઞાસા. ને તદનુસાર પ્રશ્ન હોય તો જ જવાબ તરીકે પ્રથમભંગ મળે છે.) શંકા : તમે તો “સ્વત્રેવડીનઈ' નો અર્થ સ્વદ્રવ્ય-ગુણ-પર્યાય કર્યો છે... ને અહીં તો દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ... એ ચારની અપેક્ષાએ “સ્વરૂપ-પરરૂપનો વિચાર કર્યો છે.. તો અસંગતિ નહીં થાય ? સમાધાન : ના.... ક્ષેત્ર-કાળ-ભાવ... આ ત્રણેની અપેક્ષાએ જે “સ્વ”-પરરૂપ હોય છે એનો જ ગુણ-પર્યાયની અપેક્ષાએ જે “સ્વ”-‘પરરૂપ હોય એમાં અન્તર્ભાવ થઈ જતો હોય છે... આ સિવાય અલગ કાંઈ હોતું નથી. માટે કોઈ અસંગતિ નથી. હવે બીજો ભંગ... પરદ્રવ્ય-ક્ષેત્ર દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ જે પરરૂપ હોય, જેમકે અધિકૃત ઘટ માટે સુવર્ણમયત્વ, વાપીયાપણું, રક્તત્વ વગેરે.... જિજ્ઞાસાનુસાર આવા એક-બે-પાંચ-સાત વગેરે ‘પર’રૂપના ઉલ્લેખવાળો જ્યારે પ્રશ્ન હોય... ત્યારે જવાબ તરીકે થાનાયૅવ એવો બીજો ભંગ મળે છે. કારણ કે અધિકૃતઘટ સુવર્ણમય નથી જ, વાપીયો નથી જ, રક્ત નથી જ. પ્રથમભંગના પ્રશ્નમાં જેમ માત્ર સ્વરૂપનો જ ઉલ્લેખ જોઈએ એમ બીજાભંગના પ્રશ્નમાં માત્ર “પર”રૂપનો જ ઉલ્લેખ જોઈએ. એકપણ “સ્વરૂપનો ઉલ્લેખ હોવો ન જોઈએ... તો જ યાની ફ્લેવ એવો બીજો ભંગ ઉત્તર તરીકે મળી શકે.. નહીંતર નહીં. આ વાત પ્રથમભંગના કરેલા વિવેચનને અનુસરીને સમજાય એવી છે. હવે ત્રીજો ભંગ. એક વારછે ઉભયવિવફાઈ.. આ ભંગને સમજતા પહેલાં પદાર્થના સ્વરૂપને બરાબર સમજીએ.. યો યસ્તત્મિસ્તત્ત્વમ્... જે, જે હોય, તેમાં તેપણું હોય.. જેમકે ઘડો મૃત્મય છે, શ્યામ છે, વૃત્ત છે. તો ઘડામાં મૃત્મયત્વ છે, શ્યામત્વ (= શ્યામવર્ણ) છે, વૃત્તત્વ (= વૃત્તાકાર) છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્યમાં આવા જે કોઈ ધર્મો રહ્યા હોય છે એ બધા એના ‘પર્યાય' હોય છે... (ગુણો પણ મૂળભૂત રીતે તો પર્યાય જ છે.) વળી આ મૃયત્વ, શ્યામત્વ વગેરે એનું સ્વરૂપ પણ કહેવાય છે... આ દરેક સ્વરૂપ ઘડાને કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ બક્ષે છે... જેમકે મૃત્મયત્વના કારણે ઘડો પાણીને અમુક ચોક્કસ પ્રકારની શીતલતા બક્ષે છે... પાણીમાં કોઈક વિશેષ પ્રકારની મીઠાશ ભેળવે છે... સોનાના કે પિત્તળના ઘડાથી આવું પ્રયોજન સરી શકતું નથી... ઘડો શ્યામ છે. આ શ્યામત્વના કારણે હાથ-કપડાંને ઘડો કાળાં કરી શકે છે... પાણીમાં અમુક ચોક્કસ પ્રકારની ઠંડક જાળવી શકે છે... કાળાશના આવા જે કાંઈ લાભ-નુક્શાનો હોય એ, એનાં અર્થક્રિયાકારિત્વરૂપ છે. ઘડો વૃત્ત છે... માટે એનાથી વર્તુળ દોરી શકાય છે... એને ગબડાવી શકાય છે... ઘડો અમદાવાદી છે... માટે વજનમાં હલકો હોય છે... ને પાણીને જલ્દી ઠારે છે... (એમ જલ્દી રીઢા થઈ જવું, જલ્દીથી ફૂટી જવું... આ બધો પણ એના અમદાવાદીપણાંનો પ્રભાવ છે...) ઘડો જૂનો થાય છે - એટલે કે રીઢો થાય છે... તો એ પાણીને ઠરવા દેતો નથી... અર્થાત્ કંઈક ઊંચા ઉષ્ણતામાનને અપેક્ષાએ દીર્ઘકાળ જાળવી રાખવાનું એ કામ કરે છે... સામાન્ય ટક્કર લાગે તો એની સામે ટકી રહેવાનું કામ કરે છે. (નવો ઘડો સામાન્ય ટક્કરથી પણ ફૂટી જાય છે...) ઘડાનું નવાપણું કપડાંને રંગ લગાડવો... પાણીને જલ્દી ઠારવું વગેરે કામ કરે છે... ઘડાનું નાનું-મોટું પિરમાણ એવા ઓછા-વધારે પાણીને ધારી રાખવાનું કામ કરે છે... પાક આપતી વખતે આખો ઘડો લાલ થઈ ગયો... પણ અમુક જગ્યાએ વધારે પાક થવાથી કાળો ડાઘ પડી ગયો છે... આટલો આ કાળો ભાગ પણ પાણીને ઠારવા વગેરે કાર્યમાં પોતાનો ચોક્કસ ભાગ ભજવતો જ હોય છે... ભલે આપણે એની નોંધ લઈ શકીએ કે નહીં... એ એક અલગ વાત છે... ૧૨૮ આમ ઘડાના જે કાંઈ સેંકડો ‘સ્વ’રૂપ છે એ દરેક ‘સ્વ’રૂપનું પોતપોતાનું કંઈક ને કંઈક કામ તો હોય જ છે... જેનું કશું જ કામ (પ્રયોજન) ન હોય એવું કોઈ જ ‘સ્વ’રૂપ ઘડાનું હોતું નથી... આ વાત યોગ્ય પણ છે જ... નહીંતર તો (અર્થાત્ જેનું કોઈ જ પ્રયોજન ન હોય એવા નિષ્પ્રયોજન ‘સ્વ’રૂપ પણ સંભવિત હોય તો તો) એવા ‘સ્વ’રૂપ શશશૃંગમાં પણ માનવાની આપત્તિ આવે. બીજી રીતે કહીએ તો, કાળાશનું જે પ્રયોજન છે તે સારનારો હોય તો જ ઘડાને ‘કાળો’ કહી શકાય ને ! અમદાવાદીપણાંના પ્રયોજનને સારનાર ન હોય એ ઘડાને પણ જો ‘અમદાવાદી’ માનવાનો હોય તો તો દેશીયા ઘડાને પણ અમદાવાદી ઘડો માનવો પડે એ આપત્તિ સ્પષ્ટ છે જ. આમ નક્કી થયું કે ઘડાના જે જે ‘સ્વ'રૂપ છે... ધર્મો છે... પર્યાય છે એ દરેક પ્રયોજનવાળા છે - પ્રયોજનને અર્થને સારનારા છે, (સ્વરૂપ-સ્વરૂપવાનો અભેદ પણ હોવાથી ‘સ્વ’રૂપ પણ અર્થક્રિયાકારી છે.) માટે આ દરેક ‘સ્વ’રૂપ ‘અર્થપર્યાય' કહેવાય છે. ઘડો વૃત્તાકાર હોય તો જેમ એનું ચોક્કસ પ્રયોજન હોય છે... એમ અન્ય ઘડો ચતુષ્કોણાકાર હોય તો એનું પણ (એનાથી ચોરસ દોરવો... વગેરે રૂપ) ચોક્કસ પ્રયોજન હોય છે... જે આ Page #148 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૧૨૯ અધિકૃત “વૃત્ત” ઘડાથી સરી શકતું નથી. માટે આ ચતુષ્કોણાકાર એ અધિકૃતઘડાનો પરપર્યાય. કહેવાય છે... “પરરૂપ કહેવાય છે. એમ વાપીયા ઘડાનું પણ કંઈક વિશેષ પ્રયોજન હોય છે... એ વિશેષ પ્રયોજનને ઘડાનું વાપીયાપણું સારે છે. માટે વાપીયાપણું એ “અર્થપર્યાય' તો છે જ. પણ અધિકૃતઘડાથી એ પ્રયોજન સરી શકતું નથી... માટે “વાપીયાપણું' એ અધિકૃતઘડાનું પરરૂપ છે. આ રીતે જે જે પ્રયોજન વિશ્વમાં સંભવિત છે, અન્ય ચીજોથી સરી શકે છે... પણ અધિકૃત ઘડાથી સરી શકતા નથી. તે તે પ્રયોજનને સારનાર તે તે ચીજના તે તે “સ્વરૂપ એ અધિકૃતઘડા માટે “પર”રૂપ છે-“પર”પર્યાય છે. એક આદમીને વાપીયાઘડાનાં જે પ્રયોજન છે (અમદાવાદી ઘડા કરતાં કંઈક વજન વધારે હોવા છતાં - અન્ય ઘડાની અપેક્ષાએ ઓછું વજન.... ને તેથી વહન કરવામાં સરળતા. ને અમદાવાદી ઘડા કરતાં ટકાઉપણું વધારે.. વગેરે) એવા પ્રયોજનની અપેક્ષા છે.... એ ઘડાની શોધમાં નીકળ્યો છે. એને અધિકૃત અમદાવાદી ઘડો દેખાયો.” પણ એનાથી એને કોઈ હરખ થવાનો નથી કે એની શોધ અટકી જવાની નથી... આનો અર્થ એ જ થાય કે અધિકૃતઘડો એના માટે ન હોવા તુલ્ય જ છે. માટે એની અપેક્ષાએ અધિકૃતઘડો નાચેવ... રૂપ બની રહે છે. આ રીતે જે જે પ્રયોજનને અધિકૃતઘડો સારી શકતો નથી તે તે દરેક પ્રયોજનની અપેક્ષાના સંદર્ભમાં અધિકૃત ઘડો ન હોવા બરાબર જ છે. માટે નાત્યે જ કહેવાય છે. વિશ્વમાં એવો કોઈ પદાર્થ છે નહીં, જે વિશ્વમાં સંભવિત સર્વ અર્થપ્રયોજનોને સારી શકતો હોય. પણ ધારોકે આવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો હોય... તો એના માટે ક્લેિવ કહેવાનું ન રહેત.. પણ સર્વથાયૅવ એમ જ કહેવાનું રહેત.... કારણ કે કોઈપણ પ્રયોજનના અર્થીનું કામ એનાથી સરી જ જવાનું છે. કોઈ પ્રયોજન એવું બચ્યું જ નથી કે જેની અપેક્ષાએ એ પદાર્થ માટે ચાનીયેવ કહેવાનું ઊભું રહે.. બીજી રીતે કહીએ તો તે તે સર્વપ્રયોજનોને અનુકૂળ તે તે સર્વધર્મો એ પદાર્થમાં રહ્યા જ છે. (નહીંતર તો = અર્થાત્ અમુક ધર્મ પણ જો ન રહ્યા હોય તો, એ ધર્મસાધ્ય પ્રયોજન એનાથી સરી શકે એવું સંભવે જ નહીં.) આ સિવાય તો કોઈ ધર્મ વિશ્વમાં ક્યાંય છે જ નહીં, કારણ કે જેનું કોઈ પ્રયોજન જ ન હોય એવો કોઈ ધર્મ વિશ્વમાં હોવો સંભવિત નથી. આપણે છદ્મસ્થો પણ આ નિર્ણય કરી શકીએ છીએ, કારણ કે આવો ધર્મ માનવામાં કોઈ પ્રમાણ જ નથી... દુનિયાની કોઈ ઘટના એવી છે જ નહીં કે જે, આવા ધર્મને ન માનવામાં અસંગત ઠરી જતી હોય ને તેથી પછી એને સંગત ઠેરવવા માટે એ ધર્મને માનવો આવશ્યક બની જતો હોય. એટલે નિમ્પ્રયોજન કોઈ ધર્મ છે નહીં. ને સપ્રયોજન જે કોઈ ધર્મો છે એ બધા તો એ ધારેલા સર્વાર્થસાધક પદાર્થમાં માનવા જ પડે છે... એટલે સર્વપ્રયોજનોનો સંપાદક હોય એવો જો કોઈ પદાર્થ હોય તો સર્વધર્મો એના માટે “સ્વરૂપ જ બની જશે... પરરૂપ બની શકે એવો કોઈ ધર્મ છે જ નહીં. “પર”રૂપ નથી, માટે નાસ્તિત્વ કહેવાનો અવસર જ નથી. અને કોઈ જ પ્રકારનું નાસ્તિત્વ છે નહીં, એટલે અસ્તિત્વ જે કહેવાનું છે અને સ્થાન્તિ લગાડવાની જરૂર રહે નહીં, કારણ કે કથંચિહ્નાસ્તિત્વ હોય તો જ એનું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંકલન-સૂચન કરવા “સ્યાદ્ પદ વાપરવાનું હોય છે. માટે, ધારો કે એવો કોઈ પદાર્થ વિશ્વમાં હોય કે જે સર્વપ્રયોજનોને સારવાર હોય.. તો એ પદાર્થનું અસ્તિત્વ “સ્યાઅસ્તિત્વ ન રહેતા સર્વથા અસ્તિત્વ' બની જાય. એટલે કે એના માટે સર્વથાણ્યેવ કહેવાનું રહે.. પણ આવો કોઈ પદાર્થ છે નહીં, માટે સર્વથા સ્લેવ એમ કહી શકાતું નથી. અને જે જે પદાર્થો છે તે બધા અમુક-અમુક પ્રયોજનના જ સંપાદક છેશેષ પ્રયોજનના સંપાદક નથી... માટે દરેક પદાર્થો માટે અમુક ધર્મો “સ્વરૂપ છે, અમુક ધર્મો પરરૂપ છે... ને તેથી દરેક પદાર્થો માટે દ્વિફ્લેવ અને નાયૅવ... આ બન્ને ભંગ કહેવા જ પડે છે. (જે કોઈ જ પ્રયોજનને સારતો ન હોય, અર્થાત્ કોઈ જ ધર્મ જેના “સ્વરૂપ ન હોય આવો કોઈ પદાર્થ પણ આ વિશ્વમાં છે જ નહીં. માટે સર્વથા નાસ્તેવ આવું પણ કોઈ જ પદાર્થ માટે કહી શકાતું નથી... ખપુષ્પ વગેરે માટે કહી શકાય છે... પણ એ કોઈ પદાર્થ નથી, માત્ર કલ્પના છે.) આ બધી વિચારણાથી ટૂંકમાં આટલું નિશ્ચિત થયું કે - અધિકૃત ઘડા માટે મૃત્મયત્વ, વૃત્તાકાર વગેરે “સ્વરૂપ છે, એની અપેક્ષાએ ચાયૅવ... એવો પ્રથમભંગ અને સુવર્ણમયત્વ, ચતુષ્કોણાકાર વગેરે “પર”રૂપ છે, એની અપેક્ષાએ ચા-નાસ્થેવ... એવો બીજો ભંગ આવે છે. અને આ મૃન્મયત્વ-સુવર્ણમયત્વ વગેરે બધા અર્થપર્યાય છે. (અલબત્ ઘડાની અપેક્ષાએ માટી એ દ્રવ્ય છે - પર્યાય નથી - પણ મૃન્મયત્વ એ ઘડાનો ધર્મ હોવાથી - ઘડામાં રહેલો ધર્મ હોવાથી એ એનો પર્યાય છે એમ અહીં જણાવ્યું છે, એ જાણવું) (જે અર્થપર્યાયરૂપ નથી હોતા એવા પણ વ્યંજનપર્યાયરૂપ જે ધર્મો પદાર્થોમાં હોય છે એની વાત આગળ આ જ ઢાળની ૧૩ મી ગાથાના ટબાના વિવેચન વખતે કરીશું.) હવે, ઘટ અંગેની વિચારણાને આગળ ચલાવીએ.. ઘડો કયા દ્રવ્યથી બનેલો છે ? અર્થાત્ એ મૃન્મય છે કે સુવર્ણમય છે કે પિત્તળમય છે..? આમાંનું જે હોય એ, ઘડાના પૂર્ણ સ્વરૂપનો એક અંશ છે... એમ ઘડાનું કયું ક્ષેત્ર છે ? ઉત્પત્તિક્ષેત્ર અને સ્થિતિક્ષેત્ર.... આ પણ એક-એક અંશ છે. જેમ ઉત્પત્તિક્ષેત્રના કારણે આવતા અમદાવાદપણું... વાપીયાપણું.... વગેરે “સ્વરૂપ હોય છે. એમ સ્થિતિક્ષેત્રના કારણે આવતા ધર્મ પણ અર્થપર્યાયરૂપ બનીને “સ્વરૂપ બનતા હોય છે. જેમકે ગુજરાત-મહારાષ્ટ્રમાં અમદાવાદી ઘડો પાણીને ઠંડુ કરીને શાતાપ્રદ બને છે, પણ એ જ ઘડો કાશ્મીરમાં પાણીને ખૂબ ઠંડુ કરીને શરદી દ્વારા અશાતાપ્રદ પણ બની શકે. અથવા ભૂમિ પર રહેલો ઘડો પાણીમાં સામાન્ય ઠંડક લાવે અને બારી પાસે ટેબલ પર રહેલો ઘડો પાણીમાં વિશેષ ઠંડક લાવે. એમ શિશિરજન્યત્વ વગેરે રૂપ કાળસંલગ્ન ધર્મ પણ, ઘડાના “સ્વરૂપનો એક અંશ છે. એ જ રીતે વર્ણ-રસ-ગંધ-સ્પર્શ-આકાર વગેરે સંલગ્ન ધર્મો પણ એક એક અંશરૂપ હોય છે... આવા સેંકડો અંશોથી ઘડાનું પરિપૂર્ણ “સ્વરૂપ બનેલું હોય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૧૩૧ આ જુદા-જુદા અંશસંલગ્ન જુદા-જુદા ધર્મોમાંથી ક્યારેક કોઈક ધર્મસાધ્ય પ્રયોજનનો જીવ અર્થી બન્યો હોય છે તો ક્યારેક અન્ય ધર્મસાધ્ય પ્રયોજનનો અર્થી બન્યો હોય છે. મૃન્મય, અમદાવાદી, વૃત્તાકાર જે ઘડો આપણી વિચારણાધીન છે... તેની અપેક્ષાએ વિચારીએ તો અમદાવાદી-માટીના ગોળાકાર ઘડાથી સાધ્ય પ્રયોજનનો અર્થી હોય ત્યારે તો પૂર્વે જણાવ્યા મુજબ એની જિજ્ઞાસાના જવાબમાં સ્થાવસ્યેવ આવો પ્રથમભંગ જ આવવાનો છે... વાપીયાપિત્તળના-ચોરસ ઘડાથી.... (આવા બધા ધર્મયુક્ત ઘડાથી) સાધ્ય પ્રયોજનનો અર્થી હોય ત્યારે એની જિજ્ઞાસાના જવાબમાં સ્થાનાસ્યેવ આવો બીજો ભંગ જ આવવાનો છે. પણ કોઈક વ્યક્તિને ક્યારેક અમદાવાદી ઘડાનું કામ હોય છે ને વળી ચોરસ ઘડાનું કામ હોય છે... આવા વખતે એને અધિકૃત ઘડો સ્થાવસ્યેવ પણ જણાય છે ને સ્થાનાત્યેવ પણ જણાય છે. એટલે પ્રસ્તુતમાં ગ્રન્થકારે દર્શાવેલો ચોથો ભંગ એની જિજ્ઞાસાને સંતોષવા માટેના ઉત્તરરૂપે પ્રવર્તે છે. પણ જ્યારે કોઈક વ્યક્તિને અમદાવાદી ચોરસ ઘડાથી સાધ્ય પ્રયોજન ઊભું થયું છે... (અમદાવાદીપણું અને ચતુષ્કોણાકાર... આ બન્ને ધર્મો ભેગા થઈને જે પ્રયોજન સાધી આપે એવું એક વિશિષ્ટ પ્રયોજન ઊભું થયું છે...) એટલે એ તદનુરૂપ જિજ્ઞાસાથી જ્યારે અધિકૃતઘડાને વિચારશે ત્યારે સ્વાસ્યેવ કે મ્યાન્નાસ્યેવ એ બેમાંનો તો એક પણ જવાબ નહીં ઊઠે... પણ સ્થાવત્યેવ-સ્થાનાત્યેવ એવો ઉપર કહેલો ચોથો ભંગ પણ જવાબમાં આવતો નથી... કારણ કે ચોરસ નથી, માટે મ્યાવસ્થેવ કહી શકાતું નથી... અમદાવાદી છે, માટે મ્યાન્નાસ્યેવ કહી શકાતું નથી... અને આ બંને જવાબ નથી કહી શકાતા માટે એ બેના સરવાળારૂપ ચોથો ભંગ પણ કહી શકાતો નથી... માટે આવી જિજ્ઞાસાના સંદર્ભમાં ચાવવòવ્ય એવ... એવો જ જવાબ આપવો પડે છે જે પ્રસ્તુતમાં સપ્તભંગીનો ત્રીજો ભંગ છે. શંકા : જેમ ખાલી ઘડો હોય ત્યારે પણ, પાણીવાળો ઘડો છે ? આવા પ્રશ્નના જવાબમાં ‘નથી' (નલવાન્ ટો નાસ્તિ) એમ જવાબ અપાય છે... એમ પ્રસ્તુતમાં પણ ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદીપણાની જિજ્ઞાસા છે... ને અધિકૃતઘડામાં અમદાવાદીપણું ભલે છે... પણ ચતુષ્કોણાકાર નથી... માટે ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદીપણું પણ નથી જ... માટે ‘નથી જ’ એવો (અર્થાત્ સ્થાનાત્યેવ ઘટ: એવો બીજો ભંગ જણાવનાર) જવાબ આપી જ શકાય છે ને? સમાધાન ઃ ખાલી ઘડો હોય ત્યારે પણ ‘પાણીવાળો ઘડો છે ?” એવા પ્રશ્નના જવાબમાં, લોકવ્યવહારમાં ‘નથી' એમ કહેવાય છે... ને નૈયાયિકને પણ આ જવાબ માન્ય છે... પણ સૂક્ષ્મતાથી વિચારીએ તો જણાય છે કે આ જવાબ બરાબર નથી. નૈયાયિકની પરિભાષામાં આને વિશિષ્ટાભાવ' કહે છે... આવો વિશિષ્ટાભાવ ત્રણ રીતે મળે છે... માત્ર વિશેષણ (જળ) હાજર હોય ત્યારે વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ, માત્ર Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિશેષ્ય (ઘટ) હાજર હોય ત્યારે (ખાલી ઘડો હોય ત્યારે) વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ... અને વિશેષણ-વિશેષ્ય. બેમાંથી એકે ન હોય ત્યારે ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ.. ' અર્થાત્ માત્ર વિશેષ્ય ન હોય.. માત્ર વિશેષણ ન હોય... અને બન્ને ન હોય... આ ત્રણે પરિસ્થિતિનો ઉલ્લેખ કર્તવયરો નાસ્તિ... આ જ વાક્ય દ્વારા થાય છે. એટલે જેને જલવદ્યટની અપેક્ષા છે ને તેથી પ્રશ્ન પૂછી રહ્યો છે, એને નત્રવટો વાત કહેવા પર ખરેખર આ ત્રણમાંથી કઈ પરિસ્થિતિ છે ? એનો ખ્યાલ આવી શકે જ નહીં.. ત્રણેની સંભાવના રહેશે. પણ વાસ્તવિકતા શું છે ? એનો નિર્ણય નહીં જ થાય. ને એ નહીં થાય એટલે પોતાની જલવદ્યટની અપેક્ષાની પૂર્તિ માટે પોતે, માત્ર જળ લાવવાની જરૂર છે ? કે માત્ર ઘડો લાવવાની જરૂર છે ? કે બન્ને લાવવાની જરૂર છે ? એનો પણ એને નિર્ણય નહીં થાય.. શંકા : પાણી અને ઘડો બને જ લાવે.. એટલે અપેક્ષાની પૂર્તિ થઈ જ જશે... સમાધાન : પણ જો ત્યાં ખાલી ઘડો એમ પણ હાજર જ છે, તો વળી નવો એક વધારાનો ઘડો લાવવાનું ગૌરવ શા માટે ? આમ તો તૈયાયિક અત્યંત લાધવપ્રિય છે. પ્રસ્તુતમાં પણ આવું જ છે. અમદાવાદીવૃત્ત ઘડો એ અધિકૃત ઘડો છે. ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદી ઘડો છે ? આવો પ્રશ્ન ઊઠ્યો છે.... નીચેવ આ જવાબ જો આપવામાં આવે તો શ્રોતાને ત્રણમાંથી કઈ પરિસ્થિતિ હોવાનો નિર્ણય થાય ? માત્ર ચતુષ્કોણાકાર અહીં હાજર નથી એનો... માત્ર અમદાવાદીપણું નથી એનો કે બન્ને નથી એનો ? આમ તો, ચતુષ્કોણાકાર વિશિષ્ટ વાપીયો ઘડો છે ? આવું પૂર્વે પૂછાયેલું હોય.... ને એના જવાબમાં સ્થાનીયેવ આવું સાંભળવા મળવા પર ચતુષ્કોણાકાર અને વાપીયાપણું. એ બન્ને અધિકૃત ઘડા માટે “પરરૂપ છે. અધિકૃતઘડામાં રહેલ નથી. એમ નિર્ણય થયેલ હતો. એટલે હવે, ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદી ઘડો છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં પણ જો ચાના ફ્લેવ સાંભળવા મળે તો શ્રોતાને, અધિકૃતં ઘટમાં ચતુષ્કોણાકાર અને અમદાવાદીપણું... આ બન્ને નથી એવી જ પ્રતીતિ થાય... આ બને એના માટે પરરૂપ છે. એવી જ પ્રતીતિ થાય. જે પ્રતીતિ ખોટી હોવી સ્પષ્ટ છે. ચોરસ વાપીયો ઘડો છે ? આવા પ્રશ્નના ઉત્તર તરીકે કહેવાયેલ ચાના એવા જવાબને સાંભળીને ચોરસાકાર અને વાપીયાપણું. બંનેને “પર'રૂપ તરીકે સમજનાર શ્રોતાને, ચોરસ અમદાવાદી ઘડો છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં પણ અન્યૂનાધિકપણે સમાન રીતે રચાનાર્યેવ એમ સાંભળવા મળે, ને છતાં અહીં બેમાંથી એક જ “પરરૂપ છે, બીજું “સ્વરૂપ જ છે. આવું એને જાણવા મળી જાય એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. વળી કદાચ એ જાણવા મળી જાય Page #152 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૧૩૩ તો પણ કોઈ વિનિગમક ન હોવાથી કયું “સ્વરૂપ ને કયું “પર”રૂપ એ પણ શી રીતે ખબર પડે? એટલે વિનિગમકાભાવ હોવાથી ક્યાં તો બંનેને “સ્વરૂપ માનવા પડે ને ક્યાં તો બંનેને “પર”રૂપ માનવા પડે.. જે બંને ગલત છે. શંકા : નૈયાયિકે એક નિયમ માનેલો છે - વિશિષ્ટ શુદ્ધનીતિરિતે... વિશિષ્ટ (= વિશેષણયુક્ત પદાર્થ) શુદ્ધ (= વિશેષણશૂન્ય માત્ર વિશેષ્ય) પદાર્થથી ભિન્ન હોતો નથી. (જેમકે તર્જની આંગળી પર લાલ પટ્ટી લગાવવામાં આવે તો લાલ પટ્ટીવાળી તર્જની આંગળી થાય. પણ એટલા માત્રથી એ કાંઈ તર્જની આંગળી કરતાં અલગ થઈ જતી નથી....) એમ પ્રસ્તુતમાં ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદીપણું એ શુદ્ધ અમદાવાદીપણાંરૂપ જ હોવાથી ફ્લેવ એવો જ જવાબ આપી દઈએ તો ? સમાધાન - તો તો ઘણા પ્રશ્નો નિર્માણ થશે. વૃત્તાકારવિશિષ્ટ અમદાવાદી ઘડો છે? આવા પ્રશ્નના જવાબમાં થયેવ કહેવાયેલું... ને ત્યારે વૃત્તાકાર તથા અમદાવાદીપણું બન્ને સ્વરૂપે સમજાયેલા... એટલે પ્રસ્તુતમાં ચતુષ્કોણાકાર તથા અમદાવાદીપણું... બન્ને “સ્વરૂપે સમજાશે, જે ગલત છે. અને જો કોઈ અમદાવાદીપણાં વિશિષ્ટ ચતુષ્કોણ ઘડો છે ? એમ પ્રશ્ન પૂછશે ત્યારે, અમદાવાદીપણાં વિશિષ્ટ ચતુષ્કોણાકાર એ શુદ્ધ ચતુષ્કોણાકાર રૂપ જ બનવાથી યાત્રાવ જવાબ આપવાનો રહેશે. જે સાંભળીને શ્રોતાને અમદાવાદીપણું અને ચતુષ્કોણાકાર એ બન્ને પર' રૂપે પ્રતીત થવાની આપત્તિ આવશે, કારણ કે વાપીયાપણાં વિશિષ્ટ ચતુષ્કોણ ઘડો છે? એવા પ્રશ્નના જવાબમાં ચોસીયેવ સાંભળીને વાપીયાપણું અને ચતુષ્કોણાકાર.... એ બન્ને પર”રૂપે પ્રતીત થયેલા હતા આમ, પ્રસ્તુત અમદાવાદીવૃત્ત ઘડા અંગે, આ અમદાવાદી ચોરસ ઘડો છે ? એવો પ્રશ્ન પૂછાયો હોય (અર્થાત્ એક “સ્વરૂપ અને બીજું પર'રૂપ.... એ બે સંવલિત હોય એ રીતે પ્રશ્ન પૂછાયો હોય) ત્યારે વિયે.. કે યાસીયૅવ... આ બેમાંથી તો કોઈપણ જવાબ કોઈપણ રીતે ઉચિત ઠરતો જ નથી. ને એ બે ઉચિત ઠરતા નથી. માટે જ એ બેના સરવાળારૂપ છે ને નથી' એવા ચોથા ભંગને જણાવનાર દ્રિત્યે-ચીચેવ એવો જવાબ પણ ઉચિત નથી. કારણ કે એવો જવાબ તો “પ્રસ્તુત ઘડે અમદાવાદી છે ? ને ચોરસ છે ?’ આ રીતે ક્રમશઃ બે પ્રશ્નોનો ઉલ્લેખ હોય ત્યારનો છે. (જો પ્રશ્ન આ રીતે પૂછવામાં આવ્યો હોય કે “પ્રસ્તુત ઘડો ચોરસ છે ? ને અમદાવાદી છે ? તો જવાબ યાત્રીચેવ... યેવ - એ રીતે અપાય. પણ આવા જવાબમાં, પ્રશ્નગત ક્રમને અનુસરીને અતિ – નાસ્તિ ના ક્રમનો જ તફાવત છે, બીજો કોઈ તફાવત નથી. માટે એનો પણ ચોથા ભંગમાં જ સમાવેશ હોય છે... નવો સ્વતંત્રભંગ હોતો નથી. નહીંતર તો આગળ પાંચમા વગેરે ભંગમાં પણ ક્રમના ફેરફાર દ્વારા અનેક નવા ભંગ થવાથી સપ્તભંગી ઊભી રહી શકે નહીં...). Page #153 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પ્રસ્તુતમાં ‘પ્રસ્તુત ઘડો અમદાવાદી છે ? ને ચોરસ છે ?' એમ બે પ્રશ્નના ક્રમિક ઉલ્લેખવાળો પ્રશ્ન નથી, પણ ‘પ્રસ્તુત ઘડો અમદાવાદીચોરસઘડો છે ?' એમ એક જ અખંડ ઉલ્લેખવાળો પ્રશ્ન છે... ને એટલે જવાબ પણ ક્રમિક ન આપતા એક જ અખંડ આપવો જોઈએ. પણ એ માટે અસ્તિ કે નાસ્તિ એ બેમાંથી કોઈ શબ્દ ઉચિત ઠરતો નથી. એ આપણે વિચારી ગયા છીએ... માટે પ્રશ્નને પૂરેપૂરો ન્યાય આપે એવો કોઈ શબ્દ જવાબ તરીકે કહી શકાતો ન હોવાથી સ્થાવત્તવ્ય વ્... એમ જ કહેવાનું રહે છે. અર્થાત્ અમદાવાદી ચોરસ ઘડો છે? (કે ચોરસ અમદાવાદી ઘડો છે?) આવા પ્રશ્નના સંદર્ભમાં અધિકૃત ઘડાને જણાવી શકે એવો કોઈ એક શબ્દ છે નહીં... માટે એ અવાચ્ય છે. અર્થાત્ અધિકૃતઘડા અંગે ‘આ ઘડો અમદાવાદી ચોરસ ઘડો છે? આવા પ્રશ્નના જવાબમાં નથી હા પાડી શકાતી... નથી ના પાડી શકાતી... કે નથી અન્ય કોઈ શબ્દ કહી શકાતો... માટે સ્યાદ્બવાવ્ય એવ... એમ જ કહેવાનું બાકી રહે છે. ૧૩૪ શંકા - પ્રસ્તુત ભંગમાં પ્રશ્ન એવો છે કે જેમાં એક ‘સ્વ’રૂપ છે ને અન્ય ‘પર’રૂપ છે... એકની અપેક્ષાએ અધિકૃતઘટમાં અસ્તિત્વ છે, અન્યની અપેક્ષાએ નાસ્તિત્વ છે. ક્રમશઃ આ બન્નેનો ઉલ્લેખ તો ચોથા ભંગમાં છે જ. એક જ શબ્દથી આ બન્નેને એક જ વારમાં કહેવાનો આ ત્રીજા ભંગમાં અભિપ્રાય છે ને એવો એક શબ્દ કોઈ મળતો ન હોવાથી ‘અવાચ્ય’ તમે કહો છો... પણ જેમ આગળ પાંચમી ઢાળની પ્રથમ ગાથામાં જ ગ્રન્થકાર શક્તિ અને લક્ષણા... એમ વૃત્તિદ્વયથી એક જ શબ્દના બે અર્થ (ભેદ અને અભેદ વગેરે) જણાવવાના છે, તો એમ અહીં પણ એક જ શબ્દ દ્વારા અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ બન્ને અર્થ મળી શકે છે ને ? સમાધાન ૨ પર્યાય એક શબ્દધું... આ ‘સ્વ’-પર' રૂપ બન્ને પર્યાય એક જ શબ્દ દ્વારા મુખ્યરૂપે (= શક્તિ સંબંધથી.) કહી શકાતા નથી જ. આશય એ છે કે અમે યાદ્દવાવ્ય એવ... એમ જે કહ્યું છે તે શક્તિસંબંધને નજરમાં રાખીને જ... એવો કોઈ શબ્દ જ નહીં જે મુખ્યવૃત્તિએ શક્તિ દ્વારા આ બન્ને પર્યાયોને જણાવતો હોય... (અસ્તિત્વ નાસ્તિત્વને જણાવતો હોય...) - શંકા - શક્તિ સંબંધનો આવો આગ્રહ રાખવાની શી જરુર છે ? એવો આગ્રહ રાખીને સાવ અવાચ્ય કહેવું એના કરતાં લક્ષણા તો લક્ષણા સહી... શબ્દવાચ્ય કહેવું જ સારું કહેવાય ને? = સમાધાન એક જ શબ્દ દ્વારા શક્તિથી એકનો અને લક્ષણાથી અન્યનો ઉલ્લેખ થાય એમ તમે કહેવા માગો છો... પણ તો પ્રશ્ન આવશે કે શક્તિથી કોણ જણાશે ? સ્વપર્યાય કે પરપર્યાય ? આમાં કોઈ વિનિગમક ન હોવાથી ક્યાં તો બન્ને જણાશે કે ક્યાં તો બેમાંથી એકે નહીં જણાય... બન્ને તો જણાઈ શકતા નથી... એ આપણે વિચારી ગયા છીએ... એટલે બેમાંથી એકે જણાતા નથી એમ જ માનવું પડે... એ જ રીતે લક્ષણાથી - Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ પણ જણાશે નહીં. કારણ કે લક્ષણા તો શક્યાર્થસંબંધરૂપ છે. તથા શક્તિથી એ કે પર્યાય જણાતો નથી... એટલે એક શક્તિથી જણાય ને એક લક્ષણાથી આ અભિગમ ઊભો જ રહી શકતો નથી. શંકા - જે મુખ્ય હોય તે શક્તિથી જણાય અને ગૌણ હોય તે લક્ષણાથી જણાય આમ વિનિગમક માનીએ તો ? સમાધાન - સ્વ-સ્વસ્થાને “સ્વ” ને “પર” બન્ને પર્યાય મુખ્ય જ છે. એ બેમાં ગૌણમુખ્યભાવ નથી... માટે વિનિગમકાભાવ યથાવસ્થિત જ છે. શંકા - જે “સ્વ”પર્યાય હોય એને શક્તિથી જાણવાનો.. જે “પર”પર્યાય હોય એને લક્ષણાથી જાણવાનો... આ રીતે લેવામાં શું વાંધો છે ? સમાધાન - અધિકૃતઘડા માટે “સ્વ”પર્યાય શું છે ? ને “પર”પર્યાય શું છે ? એ ખબર જ યાચે... વગેરે જવાબ પરથી પડવાની હોય છે. જો એ ખબર હોય (અર્થાત્ અમદાવાદીપણું એ અધિકૃતઘડાનો સ્વપર્યાય છે એમ ખબર હોય. એટલે કે અધિકૃત ઘડો અમદાવાદી છે... એમ શ્રોતાને પહેલેથી ખબર જ હોય) તો તો “અધિકૃત ઘડો અમદાવાદી છે કે નહીં ?” વગેરે જિજ્ઞાસા કે પ્રશ્ન ઉદ્ભવે જ શી રીતે ? એટલે શ્રોતાને સ્વ-પર પર્યાયની ખબર ન હોવાથી એને શક્તિથી સ્વપર્યાય જણાશે. ને લક્ષણાથી પરપર્યાય જણાશે... વગેરે કહી શકાતું નથી. ને એટલે આમ વૃત્તિદ્વયથી એક જ શબ્દથી બન્ને જણાઈ જાય એમ કહી ન શકાવાથી “અવાચ્ય” એવો જવાબ જ ઉચિત ઠરે છે. એટલે નિશ્ચિત થયું કે જ્યારે પ્રશ્ન એવી રીતે ઉદ્ભવે કે જેથી એમાં એક સ્વપર્યાય ને એક પરપર્યાય... એમ બન્ને સંવલિત થયેલ હોય ત્યારે જવાબમાં ચાવી મેવ... એમ ત્રીજો ભંગ જ કહેવાનો રહે છે... (અહીં એ ધ્યાનમાં રાખવું કે એક સ્વપર્યાય ને એક પરપર્યાય. આવો જ ઉલ્લેખ છે તે પ્રજ્ઞાપકની અપેક્ષાએ છે. જેમ શ્રીનન્દીસૂત્રમાં અર્થાવગ્રહના નિરૂપણમાં સુપ્તપ્રબોધ દૃષ્ટાન્તમાં હે અમુક ! હે અમુક ! એમ જગાડવામાં આવે ત્યારે કેટલીક વાર પછી “હું” એમ એ જવાબ આપે છે. એટલે જણાય છે કે એને શબ્દને જાણ્યો. આમાં એ સૂતેલા માણસે શબ્દને જામ્યો છેપણ “મને શબ્દ જણાઈ રહ્યો છે' એવી એને કાંઈ ખબર હોતી નથી... માત્ર પ્રજ્ઞાપક જણાવે છે કે એને શબ્દને જાણ્યો... એવું પ્રસ્તુતમાં છે. એક સ્વપર્યાય.. એક પરપર્યાય.... વગેરે ઉલ્લેખ પ્રજ્ઞાપક કરે છે. જિજ્ઞાસુને પ્રશ્નકર્તાને તો કશી ખબર જ નથી. માટે જ એ પૂછી રહ્યો છે કે “આ અમદાવાદી ચોરસ ઘડો છે ?” ઉત્તરદાતા પ્રજ્ઞાપકને ખબર છે કે અધિકૃતઘડામાં અમદાવાદીપણું રહ્યું છે, ચોરસ આકાર છે નહીં. એટલે કે એક સ્વપર્યાય છે ને એક પરપર્યાય છે. ને તેથી પછી એ ચાવીએ ... એમ જવાબ આપે છે.) આમ, ત્રીજા ભંગનું વિવેચન પૂર્ણ થયું. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૪. એક અંશ સ્વરૂપઇ, એક અંશ પરરૂપો, તિવારઈ - છઇ-નથી. હવે “છે ને નથી' એવો ચોથો ભંગ... એક અંશ સ્વરૂપ છે. અમદાવાદી ઘડાથી સરી શકે એવું એક પ્રયોજન અને ચોરસ ઘડાથી સરી શકે એવું એક પ્રયોજન... આવા બે પ્રયોજનો ઊભા થયા હોય ત્યારે આ ઘડો અમદાવાદી છે ? આ ઘડો ચોરસ છે ?” આવો એક “સ્વરૂપના ઉલ્લેખવાળો અને એક “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થાય છે. આનો જવાબ છે અને નથી' ફ્લેવ યાજ્યેિવ.. (ઘડો અમદાવાદી છે ને ચોરસ નથી....) આવો હોવો સ્પષ્ટ છે... આમાં “આ ઘડો ચોરસ છે ? અમદાવાદી છે ? આ રીતે વિપરીતક્રમે પ્રશ્ન ઊઠ્યો હોય અને તેથી “નથી અને છે' આ ક્રમે જવાબ આપવામાં આવે તો પણ એનો આ જ ભંગમાં સમાવેશ જાણવો... એમ ઘડો શ્યામ છે ? અમદાવાદી છે ? ચોરસ છે ? આવા બે ‘સ્વરૂપના અને એક “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થયો હોય.. ક્યારેક ઘડો અમદાવાદી છે ? કર્કશ સપાટીવાળો છે ? ચોરસ છે ? આવા એક “સ્વરૂપના ને બે “પર'રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થયો હોય.... ક્યારેક ઘડો શ્યામ છે ? અમદાવાદી છે ? કર્કશ સપાટીવાળો છે ? ચોરસ છે ? આવો બે “સ્વરૂપના ઉલ્લેખવાળો ને બે “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન ઊભો થયો હોય... આવા બધા પ્રશ્નોને ક્રમશઃ “સ્વરૂપના ને “પર”રૂપના ઉલ્લેખવાળો સમજીને “છે અને નથી' એવો જ, આ જ ભગવાળો ઉત્તર જાણવો.. આમ માત્ર બબ્બે સ્વરૂપના ને “પર'રૂપના ઉલ્લેખવાળો જ નહીં... ગમે એટલા સ્વરૂપના અને ગમે એટલા “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય. જવાબ છે અને નથી” આ જ જાણવો... કારણ કે છે-છે-છે. આવું અનેકવાર બોલવાનો કે નથી-નથી-નથી... આવું અનેકવાર બોલવાનો કશો મતલબ નથી.. છે અને નથી” આટલા ઉત્તરમાં જ બધું આવી જાય છે. એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે પ્રજ્ઞાપક આવા સ્થળોમાં જેટલા “સ્વરૂપનો ઉલ્લેખ થયો હોય એ બધાને ભેગા કરીને એક “સ્વરૂપ તરીકે અને એમ જેટલા “પર”રૂપોનો ઉલ્લેખ થયો હોય એ બધાને ભેગા કરીને એક “પર”રૂપ તરીકે ઉલ્લેખ સમજી લે છે ને પછી છે અને નથી' એમ જવાબ આપે છે. જેમકે ઘડો મૃન્મય છે ? અમદાવાદી છે ? શ્યામ છે ? કર્કશસપાટીવાળો છે ? ચોરસ છે ? આવો પ્રશ્ન ઊઠ્યો હોય તો આમાંના પ્રથમ ત્રણ “સ્વરૂપો છે ને છેલ્લા બે “પર' રૂપો છે.... તો પ્રજ્ઞાપક ઘડો મૃન્મયઅમદાવાદી-શ્યામ છે ? કર્કશ સપાટીવાળો ચોરસ છે ? આ રીતે પ્રશ્ન સમજી બધાનો જવાબ આવી જાય એ રીતે “છે અને નથી' એમ જવાબ આપે છે... અર્થાત્ “મૃન્મયઅમદાવાદી-શ્યામ છે જ અને કર્કશ સપાટીવાળો ચોરસ નથી જ' એમ જવાબ આપે.. આ રીતે સર્વત્ર જાણવું. Page #156 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા પ્રશ્નકર્તાને તો અધિકૃત ઘડાના ‘સ્વ’રૂપ કયા કયા છે ? ને ‘પર’રૂપ કયા કયા છે ? એ ખબર નથી... ને તેથી એ તો પોતાના પ્રશ્નમાં ‘સ્વ’-‘પર' રૂપોનો આડોઅવળો પણ ઉલ્લેખ કરી શકે છે... જેમકે પ્રસ્તુતમાં ઘડો મૃન્મય છે ? ચોરસ છે ? શ્યામ છે ? કર્કશ સપાટીવાળો છે ? અમદાવાદી છે ? આવો પ્રશ્ન ઊઠાવ્યો હોય (અર્થાત્ સ્વપર-સ્વ-પર-સ્વરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય...) તો પ્રજ્ઞાપક શું કરશે? ઢાળ-૪ : ગાથા-૯ સમાધાન - તો પણ, પ્રજ્ઞાપક બધા ‘સ્વ’રૂપોને ભેગા કરીને ને પર’રૂપોને ભેગા કરીને ઉ૫૨ મુજબનો જ ‘ઘડો મૃય-અમદાવાદી-શ્યામ છે ? કર્કશસપાટીવાળો ચોરસ છે?” આવો જ પ્રશ્ન બનાવીને છે અને નથી' એમ જ જવાબ આપશે. ૧૩૭ આવું માનવું આવશ્યક છે, કારણ કે આપણા વ્યવહારમાં આવતાં પણ, (તે તે ઘટાદિ પદાર્થના) ઢગલાબંધ ‘સ્વ’રૂપો હોય છે ને ઢગલાબંધ ‘પર’રૂપો હોય છે... એના આડાઅવળા ક્રમે હજારો સંવેધ થાય... છે-નથી, નથી-છે, છે-છે-નથી, છે-નથી- છે, છેનથી-નથી-છે... આવા કેટલા ભંગ માનવાના ? કોઈ આરો જ ન આવે... વળી, આ રીતે જો બધા ‘સ્વ'રૂપોને ભેગા કરવાની ને ‘પર’રૂપોને ભેગા કરવાની વાત માનવામાં ન આવે તો તો, પ્રથમ ભંગના પણ સેંકડો ભંગ બની જાય... કોઈ પૂછે કે ઘડો અમદાવાદી છે ? મૃન્મય છે ? તો ‘છે-છે' જવાબ આપવો પડે... કોઈ પૂછે કે ઘડો અમદાવાદી છે ? મૃત્મય છે ? વૃત્તાકાર છે ? તો ‘છે-છે-છે' જવાબ આપવો પડે... આમ પ્રથમભંગના ઢગલાબંધ અલગ-અલગ ભંગ થઈ જાય... આ જ રીતે બીજા ‘નથી જ’ ભંગના પણ ‘નથી-નથી', ‘નથી-નથી-નથી' વગેરે ઢગલાબંધ ભંગ થઈ જવાની આપત્તિ આવે... આવું જ ત્રીજા વગે૨ે દરેક ભંગો માટે માનવાનું ઊભું થાય... ને તો પછી ‘સપ્તભંગી' જેવું કાંઈ રહે જ નહીં. શાસ્ત્રકારોને પણ આવું જ માન્ય છે... એટલે જ આગળના ભાંગાઓમાં એક અંશ સ્વરૂપે... એક અંશ ૫૨રૂપે વગેરે જણાવ્યું છે... પણ અનેક અંશની વાત કરી નથી... એટલે જણાય છે કે જ્યારે પ્રશ્નમાં ‘સ્વ’રૂપના અનેક અંશનો ઉલ્લેખ હોય તો એ બધાને ભેગા કરી એક (મોટો) અંશ બનાવી દેવો અભિપ્રેત છે... આવું જ ‘૫૨'રૂપ માટે છે. એટલે, બધા ‘સ્વ’રૂપોને ભેગા કરીને એક ઉલ્લેખ... તથા બધા ‘પર’રૂપોને ભેગા કરીને એક ઉલ્લેખ... આવું માનવું આવશ્યક છે ને પછી ઉત્તર છે અને નથી’ આટલો જ જાણવો... પ્રશ્ન - તો આ રીતે, ‘સ્વ' ને ‘પર' બધા જ રૂપોને ભેગા કરીને એક ઉલ્લેખ કરી નાખવામાં આવે તો? ઉત્તર - પ્રશ્નકર્તાનો એવો અભિપ્રાય હોય તો એણે જ બધાને ભેગા કરીને પૂછ્યું હોય... જેમ કે ઘડો અમદાવાદી ચોરસ છે? આવા પ્રશ્નમાં... પણ તો પછી ઉત્તર સ્થાવત્ત વ્યમેવ એવો ત્રીજા ભંગનો આવી જાય, ચોથો ભંગ ન રહી શકે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ઢાળ૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પ્રશ્ન - પ્રશ્નકર્તાનો બધા ‘સ્વ’રૂપોને ભેગા કરવાનો અભિપ્રાય ન હોય... ને તેથી એણે બધાને અલગ - અલગ જ પૂછ્યા હોય (જેમ કે ઘડો મૃન્મય છે ? અમદાવાદી છે?) તો પણ એનો ભેગો ઉલ્લેખ કરી શકાય... એમ ‘પર’રૂપોને પણ, પ્રશ્નકર્તાએ અલગ-અલગ ઉલ્લેખ કર્યો હોય છતાં ભેગા કરી શકાય... તો, ભલે ને પ્રશ્નકર્તાએ પ્રશ્નમાં ‘સ્વ’‘પર’રૂપોને ભેગા કર્યા ન હોય... પ્રજ્ઞાપક ભેગા કરીને જવાબ આપે તો શું વાંધો છે ? ૧૩૮ ઉત્તર - ઉત્તર બદલાઈ જવો ને તેથી પ્રશ્નકર્તાની જિજ્ઞાસા યથાર્થ રીતે ન સંતોષાવી એ વાંધો છે... ઘડો મૃન્મય છે? અમદાવાદી છે? આ બે ‘સ્વ’રૂપોને ભેગા કર્યા વગર અલગ અલગ છે-છે જવાબ આપવામાં આવે કે ‘ઘડો મૃન્મય અમદાવાદી છે ?' એમ ભેગો ઉલ્લેખ કરી છે' એટલો જ જવાબ આપવામાં આવે તો પ્રશ્નકર્તાને કશો ફરક પડતો નથી... ઘડો મૃન્મય પણ છે ને અમદાવાદી પણ છે... ને તેથી મૃન્મયઘડાનું પ્રયોજન અને અમદાવાદી ઘડાનું પ્રયોજન અધિકૃત ઘડાથી સરી શકે છે... આવો બોધ બન્ને રીતે (બે સ્વરૂપોને ભેગા કરીને કે ભેગા કર્યા વગર...) અન્ય્નાધિકપણે મળી જ શકે છે... એ જ રીતે ઘડો વાપીયો છે? ચોરસ છે? આ બે ‘પર’રૂપોને ભેગા કર્યા વગર અલગ-અલગ ‘નથી-નથી' જવાબ આપવામાં આવે કે ઘડો વાપીયો ચોરસ છે?” -એમ ભેગો ઉલ્લેખ કરીને ‘નથી' એટલો જ જવાબ આપવામાં આવે તો પ્રશ્નકર્તાને કશો ફરક પડતો નથી...બન્ને રીતમાં, ઘડો વાપીયો પણ નથી ને ચોરસ પણ નથી...ને તેથી વાપીયા ઘડાનું પ્રયોજન અને ચોરસ ઘડાનું પ્રયોજન અધિકૃતઘડાથી સરી શકવાનું નથી, આવો બોધ અન્ય્નાધિકપણે થઈ જ શકે છે. પણ આવું સ્વરૂપ-પરૂપને ભેગા કરવામાં થઈ શકતું નથી. આશય એ છે કે પ્રશ્નકર્તાને બે પ્રયોજન ઊભા થયા છે... એક અમદાવાદી ઘડાનું પ્રયોજન ઊભું થયું છે ને બીજું ચોરસ ઘડાનું... ને તેથી પોતે, ઘડો અમદાવાદી છે? ચોરસ છે? એમ બે અલગ-અલગ ઉલ્લેખવાળો પ્રશ્ન પૂછ્યો છે... પ્રજ્ઞાપક આના જવાબમાં જો ‘છે અને નથી' એમ કહે તો (અર્થાત્ પ્રશ્નમાં રહેલા સ્વ-પરૂપને ભેગા કર્યા વગર અલગઅલગ રાખીને જ તદનુસાર જવાબ આપે તો) પ્રશ્નકર્તાને ઘડો અમદાવાદી છે પણ ચોરસ નથી...' એવો બોધ ને તેથી ‘અધિકૃતઘડાથી અમદાવાદી ઘડાનું પ્રયોજન સરી શકશે પણ ચોરસ ઘડાનું પ્રયોજન નહીં સરી શકે' એવો બોધ થાય છે, જે એની જિજ્ઞાસાને યથાર્થ રીતે સંતોષી શકે છે. પરંતુ જો આવા સ્થળે પ્રજ્ઞાપક પોતે સ્વ-પરરૂપના ઉલ્લેખને ભેગા કરીને ઘડો અમદાવાદી ચોરસ છે ?' એ રીતે પ્રશ્નને સમજે તો જવાબમાં ‘સ્થાવવવ્યમેવ' એમ જ કહેવું પડે... જવાબમાં આવું સાંભળવા મળે તો પ્રશ્નકર્તાને... ઘડો અમદાવાદી છે પણ ચોરસ નથી... એનાથી અમદાવાદી ઘડાનું પ્રયોજન સરી શકશે, પણ ચોરસ ઘડાનું પ્રયોજન નહીં સરી શકે...' આવો કશો બોધ થઈ શકે નહીં, એ સ્પષ્ટ છે. એ તો એમ જ સમજી બેસશે કે આમાં કશું કહેવાય એવું નથી...આ બોધ એની જિજ્ઞાસાને ખોટી રીતે સંતોષે છે... Page #158 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૧૩૯ ૫. એક અંશ સ્વરૂપઈ, એક અંશ-યુગપ-ઉભયરૂપઈ વિવક્ષીઈ, તિ વારઈ-છઇ, અનઈ અવાચ્યઃ ૬. એક અંશ પરરૂપઈ, એક અંશ-યુગપ-ઉભયરૂપઈ વિવક્ષીઇ, તિ વારઈ-નથી નઈ અવાચ્યઃ માટે, પ્રશ્નકર્તાએ જો “સ્વરૂપ અને પર'રૂપનો અલગ-અલગ ઉલ્લેખ કર્યો હોય તો પ્રજ્ઞાપક એ બેનો ભેગો ઉલ્લેખ કરીને જવાબ આપે એ ઉચિત નથી.... ને તેથી બન્નેને અલગઅલગ રાખવા જ યોગ્ય હોવાથી જવાબમાં ચોથો “છે અને નથી' એવો ભંગ મળે છે, એ નિઃશંક છે. હવે, પાંચમો ભંગ છે અને અવાચ્યઃ એક અંશ સ્વરૂપમાં... એક પ્રયોજન એવું ઊભું થયું છે કે જે મૃન્મયઘડાથી સરી શકે અને એક પ્રયોજન એવું ઊભું થયું છે જે અમદાવાદી ચોરસ ઘડાથી સરી શકે. એટલે એવો પ્રશ્ન નિર્માણ થાય છે જેમાં એક “સ્વરૂપનો ઉલ્લેખ છે ને બીજો “સ્વ-પરરૂપનો ભેગો-યુગપત્ ઉલ્લેખ છે... અર્થાત્ “ઘડો મૃત્મય છે? અમદાવાદી ચોરસ છે? આવો પ્રશ્ન નિર્માણ થયો છે. એટલે પ્રજ્ઞાપક ચાર્ક્સવ-ચાવવામેવ (‘ઘડો મૃત્મય છે અને અવાચ્ય છે') આવો જવાબ આપે છે... આ ભંગમાં પણ જુદા-જુદા અનેક “સ્વરૂપોનો સ્વતંત્ર ઉલ્લેખ હોય તો પ્રજ્ઞાપક એ બધાનો ભેગો ઉલ્લેખ સમજી લે છે... તથા યુગપત ઉભયરૂપના અનેક ઉલ્લેખ હોય તો એ બધાનો પણ ભેગો ઉલ્લેખ સમજી લે છે. (જેમકે ઘડો મૃત્મય છે? શ્યામ છે? અમદાવાદી ચોરસ છે? લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવો પ્રશ્ન છે. અર્થાત્ સ્વ-સ્વ-સ્વપર ઉભયસ્વપરઉભયરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન છે....) તો પ્રજ્ઞાપક આ પ્રશ્નને ઘડો મૃન્મયશ્યામ છે? અમદાવાદી ચોરસ લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવા પ્રશ્નરૂપે બનાવીને છે અને અવાચ્ય” આવો જ જવાબ આપે છે. કારણ કે આટલા જ જવાબથી પ્રશ્નકર્તાને યથાર્થ બોધ થઈ જાય છે અને નહીંતર આના પણ પાર વિનાના ભંગ ઊભા થઈ શકે છે. હવે નથી અને અવાચ્ય” એવો છઠ્ઠો ભંગ - એક અંશ પરરૂપઈ... એક પ્રયોજન એવું ઊભું થયું છે જે રક્તઘડાથી સરી શકે એવું છે ને એક પ્રયોજન એવું ઊભું થયું છે કે જે અમદાવાદી ચોરસ ઘડાથી સરી શકે એવું છે. આવા અવસરે ઘડો રક્ત છે ? અમદાવાદી ચોરસ છે ?” આવો પ્રશ્ન ઊભો થાય છે જેમાં એક “પર”રૂપનો ઉલ્લેખ છે ને બીજો “સ્વ-પર' રૂપનો ભેગો-યુગપત્ ઉલ્લેખ છે. એટલે પ્રજ્ઞાપક સીફ્લેવસ્વાદવાળે ૩૬ (ઘડો ૨ક્ત નથી અને અવાચ્ય છે) આવો જવાબ આપે છે. આ ભંગમાં પણ જુદા-જુદા અનેક “પર”રૂપોનો સ્વતંત્ર ઉલ્લેખ હોય તો પ્રજ્ઞાપક એ બધાનો ભેગો ઉલ્લેખ સમજી લે છે... તથા યુગપત્ ઉભયરૂપના અનેક ઉલ્લેખ હોય તો એ બધાનો પણ ભેગો ઉલ્લેખ સમજી લે છે. (જેમ કે ઘડો રક્ત છે? સુવર્ણમય છે? અમદાવાદી ચોરસ છે? લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવો પ્રશ્ન છે. અર્થાત્ પર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૭. એક અંશ સ્વરૂપઈ, એક (અંશ) પરરૂપો, એક (અંશ) યુગપત્ ઉભયરૂપો વિવલીધું. તિવારઈ-છો, નથી, કંઈ અવાચ્ય ૪-૯ . પર-સ્વપરઉભય-સ્વપરઉભયરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન છે....) તો પ્રજ્ઞાપક આ પ્રશ્નને ઘડો રક્ત-સુવર્ણમય છે? અમદાવાદી ચોરસ લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવા પ્રશ્નરૂપે બનાવીને “નથી અને અવાચ્ય” આવો જ જવાબ આપે છે, કારણ કે આટલા જ જવાબથી પ્રશ્નકર્તાને યથાર્થ બોધ થઈ જાય છે... અને નહીંતર આના પણ પાર વિનાના ભંગ ઊભા થઇ શકે છે... હવે “છે-નથી અને અવાચ્ય' એવો છેલ્લો સાતમો ભંગ. એક પ્રયોજન એવું ઊભું થયું છે જે મૃન્મયઘડાથી સરી શકે એવું છે, બીજું એક પ્રયોજન એવું ઊભું થયું છે જે રક્તઘડાથી સરી શકે એવું છે ને ત્રીજું એક પ્રયોજન એવું ઊભું થયું છે જે અમદાવાદી ચોરસઘડાથી સરી શકે એવું છે. આવા અવસરે “ઘડો મૃત્મય છે? રક્ત છે? અમદાવાદી ચોરસ છે?” આવો પ્રશ્ન ઊભો થાય છે. જેમાં એક “સ્વરૂપનો, એક “પર”રૂપનો અને એક સ્વ-પર ઉભયરૂપનો ઉલ્લેખ છે. એટલે પ્રજ્ઞાપક “દ્રિત્યેવ, યાત્રીત્યેવ, દ્રિવાળે એવ' (ઘડો મૃત્મય છે, રક્ત નથી અને અવાચ્ય છે) આવો જવાબ આપે છે. આ ભંગમાં પણ જુદા-જુદા અનેક સ્વરૂપોનો સ્વતંત્ર ઉલ્લેખ હોય તો પ્રજ્ઞાપક એનો ભેગો એક ઉલ્લેખ કરી દે છે. એ રીતે પરરૂપોનો એક ભેગો ઉલ્લેખ અને યુગપત્ ઉભયરૂપોનો એક ભેગો ઉલ્લેખ કરીને પ્રશ્ન બનાવે છે. જેમ કે ઘડો મૃન્મય છે? ભૂમિસ્થ છે? રક્ત છે? બહુ નાનો છે? અમદાવાદી ચોરસ છે? લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવો પ્રશ્ન હોય. અર્થાત્ સ્વ-સ્વ-પર-પર-સ્વપ૨ઉભય-સ્વપ૨ઉભયરૂપના ઉલ્લેખવાળો હોય. તો પ્રજ્ઞાપક એને “ઘડો મૃન્મયભૂમિસ્થ છે? બહુ નાનો રક્ત છે? અમદાવાદી ચોરસ લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે?” આવો બનાવીને “છે-નથી ને અવાચ્ય” આટલો જ જવાબ આપે છે. કારણ કે આટલા જ જવાબથી પ્રશ્નકર્તાને આવશ્યક યથાર્થ બોધ થઈ જ જાય છે. નહીંતર, આ ભંગમાં પણ અનેક ભંગ થઈ જવાની આપત્તિ આવે. આમ સાત ભંગનું નિરૂપણ જોયું. આમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ પદાર્થના અસ્તિત્વ અંગે જ્યારે પ્રશ્ન ઉઠે ત્યારે એ “આ ઘડો છે?” “એ માટીનો છે?” “એ રક્ત છે? આવા બધા “સ્વરૂપના ઉલ્લેખવાળો હોય અથવા “એ સુવર્ણનો છે?” “શ્યામ છે?” વગેરે રૂપે “પર”રૂપના ઉલ્લેખવાળો હોય કે “એ મૃન્મયશ્યામ છે?” “વેદિકાસ્થવૃત્ત છે?” વગેરે રૂપે સ્વ-પર ઉભયરૂપના ઉલ્લેખવાળો હોય... આમ, સ્વ-પર કે ઉભયરૂપના ઉલ્લેખ સિવાયના અન્ય કોઈ જ ઉલ્લેખ ક્યારેય પણ શક્ય હોતો જ નથી. હવે, આ સ્વ, પર અને ઉભય. આ ત્રણ પદના એક સંયોગી ત્રણ ભંગ, દ્ધિક સંયોગી ત્રણ ભંગ અને ત્રિકસંયોગી Page #160 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગીથી-૯ ૧૪૧ એક ભંગ થાય છે. એટલે કુલ ૭ ભંગ થાય છે. આમાં એક-“સ્વરૂપનો પ્રશ્ન... બે “સ્વરૂપનો પ્રશ્ન... વગેરે કે એક “પર'રૂપનો પ્રશ્ન.. બે “પ૨'રૂપનો પ્રશ્ન.... વગેરે રૂપે પ્રશ્રોની વિવિધતા વધી શકે છે, પણ આપણે જોઈ ગયા છીએ કે પ્રજ્ઞાપક તો બધા “સ્વરૂપોને, બધા “પર”રૂપોને અને બધા “ઉભય'રૂપોને ભેગા કરીને એક-એક સ્વ-પર કે ઉભયરૂપ જ સમજીને જવાબ આપે છે... ને તેથી એક-અનેકના કારણે ભંગ વધી શકતા નથી... એમ, ક્રમ-ઉત્ક્રમાદિના કારણે પણ ભંગ વધતા નથી, કારણ કે ચોથા વગેરે ભંગની વિવક્ષામાં ક્રમ-ઉત્ક્રમાદિની વિવક્ષા નથી. અર્થાત્ ઘડો મૃન્મય છે? શ્યામ છે? આવા પ્રશ્નના જવાબમાં છે અને નથી' એમ જે કહેવાય છે અને “ઘડો શ્યામ છે? મૃન્મય છે?” એવા પ્રશ્નના જવાબમાં “નથી અને છે' એમ જે કહેવાય છે એનો એક જ ભંગ ગણાય છે, અલગ-અલગ નહીં. અથવા, પ્રશ્નકારે ભલે ગમે તે ક્રમે પ્રશ્ન પૂછયો હોય, પ્રજ્ઞાપક એને સ્વ-પર-ઉભય... આ ક્રમને કલ્પીને એ જ ક્રમે ઉત્તર આપે છે. એટલે કે ધારો કે ઘડો શ્યામ છે? મૃન્મય ચોરસ છે? ભૂમિસ્થ છે? આ ક્રમે પૂછાયો હોય તો પણ પ્રજ્ઞાપક “સ્યાત્ ભૂમિસ્થ છે જ, શ્યામ નથી જ, અવાચ્ય જ’ આ જ ક્રમે જવાબ આપે છે. માટે ક્રમોત્ક્રમાદિના કારણે પણ ભંગ સંખ્યા વધતી નથી. આમ, . એક કે અનેક માત્ર “સ્વરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો પ્રથમ ભંગ... . એક કે અનેક માત્ર પર’રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો બીજો ભંગ... એક કે અનેક સ્વરૂપ અને એક કે અનેક “પર”રૂપના યુગપતુ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો ત્રીજો ભંગ.. એક કે અનેક સ્વરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો અને એક કે અનેક ‘પર'રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો ચોથો ભંગ.. એક કે અનેક “સ્વરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક “સ્વરૂપ + એક કે અનેક “પર”રૂપના યુગપત્ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો પાંચમો ભંગ. એક કે અનેક “પર”રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક “સ્વરૂપ + એક કે અનેક ‘પ૨'રૂપના યુગપતું એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો છઠ્ઠો ભંગ. એક કે અનેક સ્વરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો, એક કે અનેક “પર”રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક “સ્વરૂપ + એક કે અનેક “પર”રૂપના યુગપત્ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો સાતમો ભંગ. ટૂંકમાં, સ્વ, પર, ઉભય... આ એક સંયોગી પ્રથમ ત્રણ ભંગ છે. સ્વ-પર, સ્વ-ઉભય, પર-ઉભયઆ બ્રિકસંયોગી પછીના ત્રણ ભંગ છે.. અને સ્વ-પર-ઉભય. આ ત્રિકસંયોગી છેલ્લો એક ભંગ છે. પ્રયોજનને અનુસરીને થતી જિજ્ઞાસાઓ(પ્રશ્નો)નો વિચાર કરવામાં આવે તો એ દરેકનો આ સાતમાંથી જ કોઈક ને કોઈક ભંગમાં સમાવેશ થતો હોય છે... આમાંના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઢાળ-૪ : ગાથા-૧૦-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પર્યાયરથ ભિન્ન વસ્તુ છઇ, દ્રવ્યારથઈ અભિન્નો રે, ક્રમાં ઉભય નય જો અર્પજઈ, તો ભિન્ન નઈ અભિન્નો રે / ૪-૧૦ || ટબો - હવઈ એ સપ્તભંગી ભેદભેદમાં જોડાઈ છU - પર્યાયાથે નયથી સર્વ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય, લક્ષણઈ કથંચિત્ ભિન્ન જ છઇ ૧. દ્રવ્યર્થ નથી કથંચિ અભિન્ન જ છે. જે માર્ટિ ગુણ પર્યાય દ્રવ્યના જ આવિર્ભાવ તિરોભાવ છઈ ૨. અનુક્રમાં જો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક અપઇ, તો કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્ન કહિએ ૩. ૪-૧૦ || જો એકદા ઉભય નય ગહિછે, તો અવાચ્ય તે લહિદે રે એકઈ શબ્દઇ એક જ વારઈ, દોઈ અર્થ નવિ કહિછે રે ૪-૧૧ | એકપણ ભંગમાં સમાવેશ ન પામતો હોય એવો પ્રશ્ન ક્યારેય કોઈને પણ ઉઠવાની સંભાવના જ નથી. આમ પ્રશ્નો સાત પ્રકારના હોય છે, માટે ઉત્તર પણ સાત પ્રકારના હોય છે... માટે સપ્તભંગી જ હોય છે. નાધિક ભંગ હોતા નથી... એવું જ્ઞાનીઓ નિઃશંકપણે કહે છે. || ૪૯ | ગાથાર્થ – પર્યાયાર્થિકનયાનુસારે વસ્તુ ભિન્ન છે. દ્રવ્યાર્થિકનયાનુસાર અભિન્ન છે. જો બન્ને નયને ક્રમશઃ અર્પિત કરવામાં આવે તો ભિન્ન ને અભિન્ન છે. || ૪-૧૦ || વિવેચન – હવઈ એ સપ્તભંગી.. પૂર્વની ગાથામાં અસ્તિ-નાસ્તિની સપ્તભંગી કહી. હવે ભેદ-અભેદની સપ્તભંગી કહેવી છે. એમાંના પ્રથમ ત્રણ ભંગ આ ગાથામાં દર્શાવ્યા છે. સર્વપદાર્થો દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે. એ આપણે આગળ જોઈ ગયા છીએ. આ દ્રવ્યગુણ અને પર્યાયના લક્ષણ અલગ અલગ છે. માટે આ ત્રણે પરસ્પર કથંચિ (સ્યા) ભિન્ન જ છે એમ પર્યાયાર્થિક નય કહે છે.... જ્યારે દ્રવ્યાર્થિકનય એમ કહે છે કે આ ત્રણે પરસ્પર કથંચિત્ અભિન્ન જ છે. કારણ કે ગુણ-પર્યાય એ કોઈ નવી ઉત્પન્ન થનાર વસ્તુ નથી... પૂર્વે એ યોગ્યતારૂપે-તિરોભૂતપણે દ્રવ્યમાં રહેલ. ને પછી આવિર્ભૂત થાય છે.. આમ દ્રવ્યના જ આવિર્ભાવ-તિરોભાવરૂપ હોવાથી એ દ્રવ્યસ્વરૂપ જ છે. જેમ સાપનું કુંડલાકારપણું કે વિસ્તૃતફેણવાળાપણું સાપથી કાંઈ અલગ-અલગ નથી. ટૂંકમાં પર્યાયાર્થિક દ્રવ્યાદિ ત્રણ પરસ્પર ભિન્ન છે, દ્રવ્યાર્થિકનયે પરસ્પર અભિન્ન છે એટલે ભેદ-અભેદની સપ્તભંગી થાય છે. પર્યાયાર્થિકનયની અર્પણ કરવામાં આવે તો સ્વાદ્ધિસમેવ.. દ્રવ્યાર્થિકનયની અર્પણ કરવામાં આવે તો ચોમિક્સમેવ... બન્ને નયની ક્રમશઃ અર્પણ કરવામાં આવે તો સિમેવ-સામગ્નમેવ... // ૫૦ || Page #162 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૧ ૧૪૩ ટબો - જો એકવાર ૨ નયના અર્થ વિવક્ષિઇ. તો તે અવાચ્ય લહિઇ. જે માર્ટિએક શબ્દઇ એક વારઇ ૨ અર્થ ન કહીયા જાઇ. “સંકેતિત શબ્દ પણિ એક જ સંકેતિત રૂપ (અર્થ) કહઇ. પણિ ૨ રૂપ (અર્થ) સ્પષ્ટ ન કહી શકઇ” પુષ્પદંતાદિક શબ્દ પણિ ગાથાર્થ જો એક સાથે બન્ને નયને ગ્રહણ કરવામાં આવે તો તે અવાચ્ય જણાય છે, કારણ કે એક શબ્દથી એક જ વારમાં બે અર્થ કહી શકાતા નથી. || ૪-૧૧ || વિવેચન - જો બન્ને નયની એક સાથે અર્પણા ક૨વામાં આવે... અર્થાત્ બન્ને નયની દૃષ્ટિથી એકસાથે જોવામાં આવે તો દ્રવ્ય-ગુણ-પર્યાયને પરસ્પર ભિન્ન પણ કહી શકાતા નથી ને પરસ્પર અભિન્ન પણ કહી શકાતા નથી... કારણ કે પરસ્પર ભિન્ન કહીએ તો દ્રવ્યાર્થિકનયને અન્યાય થાય છે ને પરસ્પર અભિન્ન કહીએ તો પર્યાયાર્થિકનયની ગૌણતા થઈ જાય છે... શંકા પણ બન્ને જ કહીએ તો=પરસ્પર ભિન્ન પણ છે ને અભિન્ન પણ છે... એમ જ કહીએ તો ? . સમાધાન તો એમાં ક્રમશઃ ઉલ્લેખ થતો હોવાથી ત્રીજા ભંગમાં સમાવેશ થઈ જશે... આપણે તો બન્ને એક સાથે ઉલ્લેખ થઈ જાય એ રીતે કથન કરવું છે... ને એ રીતે એકસાથે જ એક જ શબ્દથી બન્ને જણાઈ જાય એવો કોઈ શબ્દ મળતો નથી... માટે ‘અવાચ્ય' કહેવા સિવાય છૂટકો નથી. શંકા પણ એના કરતાં કોઈપણ એક શબ્દ લઈને એનો સંકેતવિશેષ દ્વારા ભેદ અને અભેદ એવો અર્થ નિશ્ચિત કરીએ તો એ એક જ શબ્દ એક જ વાર બોલવા છતાં બન્ને અર્થ જણાવી દેશે ને ! - - સમાધાન સંકેતિત શબ્દ પણિ... સંકેત કરાયેલો શબ્દ પણ એનો જેમાં સંકેત હોય એને ઉપસ્થિત ક૨શે, પણ બન્ને અર્થને સ્પષ્ટરૂપે કહી શકતો નથી. - શંકા - પણ જેમ ‘પુષ્પદંત' વગેરે શબ્દોની ચન્દ્ર-સૂર્યમાં શક્તિ હોવાથી એ બન્નેને આ શબ્દ ઉપસ્થિત કરે છે. એમ પ્રસ્તુતમાં પણ કોઈ (ધારો કે અ નામનો) શબ્દ લીધો, એનો સંકેત કર્યો તો એ પણ ભેદ-અભેદ બન્નેને જણાવી શકશે જ ને. સમાધાન પુષ્પદંત વગેરે શબ્દો સૂર્ય-ચન્દ્રને જણાવે છે... પણ એ એકોક્સિં જણાવે છે, પણ ભિશોક્તિ જણાવતા નથી... અર્થાત્ એક શક્તિથી જણાવે છે... પણ બે શક્તિથી બન્નેને સ્વતંત્રરૂપે જણાવતા નથી. આશય એ છે કે જેમ ‘હરિ' શબ્દ કૃષ્ણત્વેન કૃષ્ણને જણાવે છે... ને ઇન્દ્રત્યેન ઇન્દ્રને જણાવે છે... પણ એકવાર જો ‘હરિ' શબ્દ વપરાયો હોય તો એ પ્રકરણને અનુસરીને ક્યાં તો કૃષ્ણને જણાવશે ને ક્યાં તો ઇન્દ્રને જણાવશે... પણ બન્નેને જણાવી શકતો નથી. એ જ રીતે ‘પુષ્પદંત' શબ્દની શક્તિ સૂર્ય અને ચન્દ્ર બન્નેમાં છે. પણ જો એ શક્તિ અલગ-અલગ હોય... ને તેથી ‘પુષ્પદંત' શબ્દ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઢાળ-૪ : ગાથા-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એકોક્તિ ચંદ્ર સૂર્ય કહઈ, પણ ભિન્નોક્તિ ન કહી શકઈ. અનઈ ૨ નયના અર્થ મુખ્યપણાં તો ભિન્નોક્તિ જ કહવા ઘટઈ. ઈત્યાદિક યુક્તિ શાસ્ત્રાન્તરથી જાણવી. . ૪-૧૧ / એક શક્તિથી સૂર્યત્વેન સૂર્યને અને બીજી શક્તિથી ચન્દ્રત્વેન ચન્દ્રને જણાવતો હોય તો તો એકવાર ઉચ્ચારાયેલો “પુષ્પદંત' શબ્દ પ્રકરણાનુસારે ક્યાં તો સૂર્યને જણાવી શકશે ને ક્યાં તો ચન્દ્રને જણાવી શકશે.. પણ બન્નેને જણાવી નહીં શકે... શંકા - પણ પ્રકરણ વગેરે એવા હોય કે જેથી બન્નેની સંભાવના સંભવિત હોય તો તો બન્નેને જણાવી શકે ને ? સમાધાન - તો તો બેમાંથી એકેયનો નિર્ણયાત્મક બોધ નહીં થઈ શકે. મન ડોલાયમાન જ રહે. જેમ કે “હરિ' શબ્દ વાપર્યો હોય.... અને પ્રકરણ વગેરે એવા હોય કે જેથી કૃષ્ણની ને ઇન્દ્રની.. બન્નેની સંભાવના રહ્યા કરતી હોય.. એવો કોઈ વિનિગમક મળે જ નહીં કે જે બેમાંથી એકનો અસંદિગ્ધ નિર્ણય કરાવી શકે તો અહીં કૃષ્ણની વાત હશે કે ઇન્દ્રની ? આ સંદેહ રહ્યા જ કરે છે. એમ પ્રસ્તુતમાં પણ અહીં ચંદ્રની વાત હશે કે સૂર્યની ? એમ સંદેહ જ રહેશે, સૂર્ય - ચન્દ્ર બન્નેનો નિર્ણય નહીં જ થાય. પણ અનુભવ તો એવો છે કે “પુષ્પદંત' શબ્દ સાંભળવાથી સૂર્ય-ચન્દ્ર બન્નેનો અસંદિગ્ધ બોધ જ થાય છે. માટે જણાય છે કે એ શબ્દ બે અલગ-અલગ શક્તિથી સૂર્યચન્દ્રને જણાવતો નથી, પણ એક જ શક્તિથી બોધ કરાવે છે. અને એક જ શક્તિથી બોધ માનવાનો છે એટલે સૂર્યત્વેન સૂર્યનો બોધ માની શકાતો નથી, કારણ કે તો ચન્દ્રની ઉપસ્થિતિ થઈ ન શકે.. એમ ચન્દ્રત્વેન પણ ન માની શકાય, કારણ કે તો સૂર્યની ઉપસ્થિતિ થઈ ન શકે. એટલે એવું માનવું પડે છે કે “પુષ્પદંત' શબ્દની સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન સૂર્ય-ચન્દ્ર બન્નેમાં શક્તિ રહેલી છે. અર્થાત્ એ સૂર્ય-ચન્દ્રને જે જણાવે છે તે સૂર્યત્વેન કે ચન્દ્રત્વેન નહીં. પણ સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન... એમ પ્રસ્તુતમાં ધારો કે આપણે “ગ' શબ્દનો સંકેત ભેદ-અભેદ બન્નેમાં કરીએ તો એ શબ્દ એક જ વારમાં બન્નેને ઉપસ્થિત કરાવી શકશે. પણ એ ભેદવેન કે અભેદત્યેન નહીં, પણ ભેદ-અભેદઉભયત્વેન, અને તો પછી એ ઉપસ્થિત થયેલો ભેદ પર્યાયાર્થિકનયનો વિષય છે. અને અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, એમ કહી નહીં શકાય. કારણ કે પર્યાયાર્થિકનય તો ભેદત્વેન જ ભેદને જ એ છે, ભેદ-અભેદઉભયત્વેન નહીં... તે પણ એટલા માટે કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી મુખ્યરૂપે અભેદ ક્યારેય જણાતો જ નથી.. તો ભેદઅભેદ ઉભયત્વ પણ જણાઈ શકતું નથી જ. ને એ જણાઈ શકતું નથી તો એને આગળ કરીને કોઈ જ પદાર્થ ઉપસ્થિત થઈ શકે નહીં. જેમ કે જે, ઘડામાં રહેલા મૃન્મયત્વને જાણે છે પણ ઘટત્વને જાણતો નથી એ માણસ ઘડાનો મૃન્મયત્વેન બોધ કરી શકશે. પણ ઘટવેન નહીં કરી શકે. અજ્ઞાત-અપ્રસિદ્ધ ધર્મથી પણ જો પદાર્થનો બોધ થઈ શકતો હોય તો તો આપણે સર્વજ્ઞ જ બની જઈએ. એ શી રીતે ? આ રીતે - ઘટત, મૃન્મયત્વ, Page #164 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૨ ૧૪૫ પર્યાયારથકલ્પના ઉત્તર-ઉભય વિવક્ષા સંધિ રે || ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહીઈ સ્યાત્કારને બંધિ રે કે ૪-૧૨ || ટબો - પ્રથમ પાયાર્થકલ્પના, પછઈ એકદા ઉભયજયાર્પણા કરિ, તિ વારઈ ભિન્ન અવક્તવ્ય કથંચિત્ ઇમ કહઇ ૫. | ૪-૧૨ || કંબુગ્રીવાદિમત્ત્વ વગેરે પ્રસિદ્ધધર્મોથી તો આપણે ઘડાને જાણી જ શકીએ છીએ. એટલે અપ્રસિદ્ધધર્મોથી પણ જો જાણી શકીએ છીએ તો ઘડાનું પ્રસિદ્ધ - અપ્રસિદ્ધ બધા જ ધર્મોથી જ્ઞાન થઈ જશે અને તો પછી જે સર્વ ધર્મથી એક પદાર્થને જાણે છે તે સર્વધર્મોથી સર્વપદાર્થને જાણે છે” આવું જણાવનાર નો એક નાડું સો સળં ગાડું વચન મુજબ સર્વજ્ઞતા આવે જ. માટે નિશ્ચિત થાય છે કે અજ્ઞાત ધર્મથી કોઈ પણ ચીજને જાણી શકાતી નથી. એટલે પર્યાયાર્થિકનયને ભેદ-અભેદ ઉભયત્વ જ અપ્રસિદ્ધ હોવાથી જે કાંઈ એ ધર્મને આગળ કરીને ઉપસ્થિત કરવાનું હોય એ એના વિષયરૂપ હોય શકે જ નહીં, એ સ્પષ્ટ છે. માટે “ગ' શબ્દથી ભેદ-અભેદઉભયત્વેન જે ભેદ ઉપસ્થિત થશે એ પર્યાયાર્થિકનયના વિષયભૂત નહીં હોય, એ સ્પષ્ટ છે. એ જ રીતે “ગ' શબ્દથી ભેદ-અભેદ ઉભયત્વેન જે અભેદ ઉપસ્થિત થશે એ દ્રવ્યાર્થિકના વિષયભૂત પણ નહીં હોય.... કારણ કે દ્રવ્યાર્થિકનયનો મુખ્યરૂપે ભેદ એ વિષયભૂત જ ન હોવાથી ઉભયત્વ એને અપ્રસિદ્ધ છે. આમ નિશ્ચિત થયું કે કોઈ એક શબ્દનો ભેદ-અભેદ બન્નેમાં સંકેત કરવામાં આવે તો એનાથી ભેદ-અભેદ બન્ને ઉપસ્થિત થઈ શકશે... પણ પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિકના વિષયભૂત જે ભેદ અને અભેદ છે એ એનાથી ઉપસ્થિત થઈ શકતા નથી. એ ભેદ અને અભેદ તો ભેદત્વેન અને અભેદત્વેન જે ઉપસ્થિત થયા હોય એ જ સંભવી શકે. અર્થાત્ અલગ-અલગ શક્તિથી જે ઉપસ્થિત થયા હોય તે જ સંભવી શકે. આવા અભિપ્રાયથી જ ગ્રંથકારે ટબામાં “અનઈ ૨ નયના અર્થ મુખ્યપણઈ તો ભિન્નોક્તિ જ કહવા ઘટઈ” ઈત્યાદિ કહ્યું છે.... આ અંગેની યુક્તિઓ શાસ્ત્રાન્તરથી જાણવી. આમ યુગપત ઉભયનયની અર્પણાથી વિચારીએ તો કોઈપણ શબ્દ ભેદ-અભેદ બન્નેને મુખ્યવૃત્તિથી એક જ વારમાં જણાવી શકે એવો ન હોવાથી દ્રિવાળે એવ. એ જ કહેવાનું રહે છે. શંકા - ગ્રન્થકારે પહેલાં અસ્તિ-નાસ્તિની સપ્તભંગી કહી એમાં ચાવવા મેવ એ ત્રીજાભંગ તરીકે કહેલ, તો અહીં કેમ ચોથાભંગ તરીકે કહેલ છે ? સમાધાન - ચાદ્દવારા મેવ આ ભંગ સમ્મતિતર્કમાં ત્રીજો કહેલ છે અને પ્રમાણનયતત્ત્વાલકાલંકાર વગેરેમાં ચોથો કહેલ છે. આ બન્ને આમ્નાય માન્ય છે એવું સૂચિત કરવા માટે આમ કહેલ છે, એમ વિચારી શકાય છે. એ ૫૧ || ગાથાર્થ - પ્રથમ પર્યાયાર્થિની કલ્પના.. ને ઉત્તર=પછી યુગપત્ ઉભયની વિવક્ષા કરવામાં આવે ત્યારે સ્વાત્કાર લગાવીને ભિન્ન-અવાચ્ય' તે વસ્તુ કહેવી જોઈએ. I૪-૧૨ા. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્યારથ નઈ ઉભય રહિયાથી, અભિન્ન તેહ અવાચ્યો રે | ક્રમ યુગપત નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન અભિન્ન અવાચ્યો રે . ૪-૧૩ ટબો - પ્રથમ દ્રવ્યાર્થકલ્પના, પછઇ-એકદા ઉભયનયાર્પણા કરિઇ, તિ વારઈ કથંચિત્ અભિન્ન અવક્તવ્ય ઈમ કહિએ, ૬. અનુક્રમઈ ૨ નયની પ્રથમ અર્પણા, પછઈ ૨ નયની એકવાર અર્પણા કરિઇ, તિ વારઈ કથંચિત્ ભિન્ન અભિન્ન અવક્તવ્ય ઇમ કહિએ (૭). એ ભેદભેદ પર્યાયમાંહિ સપ્તભંગી જોડી, ઇમ સર્વત્ર જોડવી. વિવેચન - આ ગાથામાં ભેદ-અભેદની સપ્તભંગીનો પાંચમો ભંગ કહ્યો છે. પહેલાં સ્વતંત્ર રીતે પર્યાયાર્થિકનયની અર્પણ કરવામાં આવી હોય ને પછી યુગપત્ ઉભયનયની અર્પણા કરવામાં આવી હોય તો સ્વાદ્ધિ મેવ, ચાલવાચ એવ... આવો, પાંચમો ભંગ આવે છે. | પર છે ગાથાર્થ - પ્રથમ દ્રવ્યાર્થનયની અર્પણા. ને પછી ઉભયનયની યુગપત અર્પણા... આ રીતે લેવાથી પદાર્થ “અભિન્ન-અવાચ્ય ભાસે છે... ને ક્રમથી બન્ને નયની અર્પણા તથા પછી યુગપત્ બન્ને નયની અર્પણ કરવાથી પદાર્થ ભિન્ન-અભિન્ન-અવાચ્ય ભાસે છે. I૪-૧૩ - વિવેચન - આ ગાથામાં ભેદ-અભેદની સપ્તભંગીના છેલ્લા બે ભંગ સમજાવ્યા છે. એમાં પ્રથમ દ્રવ્યાર્થકલ્પના અને પછી એકસાથે ઉભયનય અર્પણ કરવામાં આવે તો ત્યારે થંવિ(ચ) ખિન્ન-નવજી વ્ય મેવ એમ કહેવું જોઈએ. આ છઠ્ઠો ભંગ છે. અનુક્રમે બે નયની પ્રથમ અર્પણા... અર્થાત પર્યાયાર્થિનયની અર્પણા... ને પછી દ્રવ્યર્થનયની અર્પણા. આમ બન્નેની સ્વતંત્ર અર્પણા... તથા પછી બન્ને નયની એકસાથે અર્પણા કરવામાં આવે તો થંવિદ્ મિશ્ન-મન્ન-નવજીવ્ય (મેવ) એવો સાતમો ભંગ આવે છે. આમ ભેદ-અભેદ પર્યાયમાં સપ્તભંગી જોડી... આ જ રીતે સર્વત્ર જોડવી. અર્થાત એક-અનેક... સામાન્ય-વિશેષ. નિત્ય-અનિત્ય... વગેરે બધા પર્યાયોમાં સમભંગી લગાડવી. ઘડા કરતાં એના શ્યામવર્ણ વગેરે ગુણ-પર્યાય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? આવા પ્રશ્નના ઉત્તરમાં આ સાત જવાબો જાણવા. એટલે કે જો પર્યાયાર્થિકનયથી વિચારીએ તો સ્થાત્રિ મેવ, જો દ્રવ્યાર્થિકનયથી વિચારીએ તો મિત્ર એવ... વગેરે રીતે સપ્તભંગી થાય છે. શંકા - આ સપ્તભંગીમાં ચાવી કહ્યું છે. આ અવાચ્ય શબ્દ અને અનભિલાખ શબ્દ એ બે શબ્દો સમાનાર્થક છે. એટલે કે અવાચ્યના બદલે અનભિલાખ પણ કહી શકાય છે... વળી શાસ્ત્રોમાં અનંતા પદાર્થોને અભિલાપ્ય હોવા કહ્યા છે અને એના કરતાં અનંતગુણા પદાર્થોને અનભિલાપ્ય હોવા કહ્યા છે... એટલે શું એમ કહી શકાય કે ત્રીજા વગેરે જે જે ભંગમાં “અવાચ્ય' છે ત્યાં ત્યાં સર્વત્ર વિવક્ષિત પદાર્થ આ અનંતાનંત અનભિલાપ્ય પદાર્થોનો જે રાશિ છે, એમાં ભળી જાય છે ? Page #166 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૪૭ સમાધાન - ના, એમાં ભળી જતો નથી, કારણ કે સપ્તભંગીમાં રહેલ અવી શબ્દ અને અનભિલાપ્ય પદાર્થોને જણાવનાર જે શાસ્ત્રોક્ત મિતાણે શબ્દ.. આ બન્ને શબ્દો સમાનાર્થક નથી... તે પણ એટલા માટે કે સપ્તભંગીમાં રહેલ અવી શબ્દ સર્વપવીત્વાભાવ ને જણાવે છે જ્યારે શાસ્ત્રોક્ત મનપસાપ્ય શબ્દ સમતાથપવીત્વ ને જણાવે છે. તે આ રીતે-જે અનંતાનંત પદાર્થોને અભિલાપ્ય પદાર્થોથી જુદા પાડ્યા છે તે પદાર્થોમાં જો વાચ્યતા હોય જ નહીં, તો એ પદાર્થોનો અનમનાપ્ય પદથી પણ ઉલ્લેખ થઈ શકે જ નહીં, ને આપણને પણ એ પદ સાંભળવા છતાં, એ પદાર્થોની ઉપસ્થિતિ થઈ શકે જ નહીં. આશય એ છે કે જેમ આપણને “ઘટ' પદ સાંભળતા પટની કંઈ ઉપસ્થિતિ થતી નથી, કારણ કે પટમાં ઘટ’પદવાણ્યતા નથી. એમ અનભિલાપ્યત્વેન અભિમત જે અનંતાનંત પદાર્થો છે તેમાં જો અનભિલાપ્યપદવાચ્યતા ન હોય તો તો એ પદાર્થોની પણ “અનભિલાપ્ય” પદથી ઉપસ્થિતિ થઈ શકે જ નહીં.. પણ એ થાય તો છે. માટે એ બધામાં અનભિલાપ્યપદવાચ્યત્વ છે એ નિશ્ચિત છે... આમાં પ્રથમ નજરે, અનભિલાપ્ય કહ્યા પછી એ જ પદાર્થને (વાચ્ય=) અભિલાય કહેવામાં વિદતોવ્યાઘાત-વિરોધ દોષ ભાસે છે. એનો પરિહાર કરવો જરૂરી છે, કારણ કે અભિલાપ્યત્વ અને અનભિલાપ્યત્વ બને માન્ય છે. એટલે, “કોઈપણ પદથી અભિલાપ્ય હોય તે અભિલાપ્ય આવી સામાન્ય પરિભાષાને તિલાંજલિ આપીને કોઈ વિશેષ પરિભાષા માનવી જરૂરી છે. એ આ રીતે માની શકાય છે. પદવિશેષથી (=વિશેષપદથી) જે અભિલાપ્ય હોય તે “અભિલાપ્ય અને પદવિશેષથી જે અભિલાપ્ય ન હોય, માત્ર પદસામાન્યથી અભિલાપ્ય હોય તે, અભિલાપ્યપદાર્થથી ભિન્ન હોવાથી “અનભિલા....” શાસ્ત્રોમાં જે અનભિલાપ્યભાવો કહ્યા છે તેમાં ‘ઘટ'પદ, “પટ'પદ વગેરે રૂપ પદવિશેષના અભિલાપ્યત્વનો અભાવ છે, ને છતાં “અનભિલાપ્ય એવા પદસામાન્યના અભિલાપ્યત્વનો અભાવ નથી. માટે કોઈ વિરોધ રહેતો નથી. શંકા - એમ તો મનમિત્તાપ્ય એ પણ પદવિશેષ જ છે ને ! ને તવાગ્યત્વ તો આ પદાર્થોમાં તમે કહો છો જ ! સમાધાન - જેમ કંબુગ્રીવાદિમાન્ પદાર્થના વાચક તરીકે “ઘટ' એવું એક ચોક્કસ પદ છે... તાણાવાણાવાળા પદાર્થના વાચક તરીકે “પટ' એવું એક ચોક્કસ પદ (પદવિશેષ) છે.... આવું આ અનંતાનંત પદાર્થો માટે નથી... અર્થાત્ બધા માટે અલગ - અલગ પદ (પદવિશેષ) નથી... પણ બધા માટે વાચક તરીકે એક સામાન્ય (Common) મનમિત્તાપ્ય એવું એક જ પદ - માટે આ પદવિશેષ નથી, પણ પદસામાન્ય છે અને આવા પદસામાન્યનું અભિલાપ્યત્વ એ અનંતાનંત પદાર્થોમાં છે, માટે અમિતાપ્ય પદથી એ બધા વાચ્ય બને છે... અને તેથી એ અનંતાનંત પદાર્થોમાં નમિતાણપતવાત્વ જણાય છે, પણ સર્વપ વાળવામાંવ નહીં. શંકા - એમ તો સપ્તભંગીના ત્રીજા ભંગમાં, ચાહે ઘટ હોય કે ચાહે પટ હોય-બધા માટે ચાવીન્ય મેવ એ જ જવાબ હોય છે. એટલે કે માત્ર એ પણ પદસામાન્ય છે. ને તદ્વાચ્યતા ઘટ-પટ વગેરેમાં છે... માટે એ પણ મનમતાથ પદને સમાનાર્થક કેમ નહીં ? Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સમાધાન - અરે ભલા આદમી. મેં કહ્યું ને કે અમિતાપ્ય પદ તો મનમિત્તાવેપદ્રવીધ્યત્વ એ અનંતાનંત પદાર્થોમાં હોવું જણાવે છે. માત્ર પદવિશેષવાચ્યત્વાભાવ હોવાથી જ નમિનાથ કહેવાય છે. જ્યારે પ્રસ્તુત અવાચ પદ તો સર્વપદવાચ્યત્વાભાવને જણાવે છે. એટલે કે પદવિશેષવાચ્યત્વાભાવ તો છે જ, પદસામાન્ય વાચ્યત્વાભાવ પણ છે જ. શંકા - પણ, ઘટાદિમાં વાવવાવ્યત્વ તો છે જ, પછી પદસામાન્યવાચ્યવાભાવ કેમ કહો છો ? સમાધાન - ના, અવીચવવાંચત્વ પણ છે જ નહીં શંકા - જો એ ન હોય, તો તો ઘટાદિનો મુવીચ્ય પદથી ઉલ્લેખ પણ ન જ થવો જોઇએ. સમાધાન - તે નથી જ થતો ને... કોણે કહ્યું કે આવા પદથી ઘટાદિનો ઉલ્લેખ થાય છે ? શંકા - દ્રિવાળે કોણ છે ? સમાધાન - કેમ આવો પ્રશ્ન કરો છો ? જે ઘટાદિ અંગે સપ્તભંગી પ્રવર્તી રહી છે, તે ઘટાદિ જ. શંકા - રામનાથ કોણ છે ? સમાધાન - એ જ અભિલાખભિન્ન અનંતાનંત પદાર્થો.. શંકા - બરાબર.. જો આ અનંતાનંત પદાર્થોની મનપત્તાપ્ય પદથી ઉલ્લેખ થાય છે, તો ઘટાદિનો માર્ગ પરથી ઉલ્લેખ કેમ ન થાય ? સમાધાન - ઘટાદિનો તો “ઘટાદિ'પદથી જ ઉલ્લેખ થઈ જાય છે, પછી એનો અવાચ્ય'પદથી ઉલ્લેખ માનવાની શી જરૂર છે? ને છતાં ઘટનો “અવાચ્ય'પદથી પણ ઉલ્લેખ થાય છે, એમ માનીએ તો પણ એમાં, “ઘટ’પદાભિલાપ્યત્વ તો છે જ, પછી એનો અનભિલાપ્યપદાર્થોની રાશિમાં પ્રવેશ થઈ જવાની તો શંકા જ ક્યાં ઊભી રહે? વસ્તુતઃ, “અનભિલાપ્ય'પદ “અનભિલાપ્ય'પદવાણ્યત્વને જેમ જણાવે છે, એમ “અવાચ્ય'પદ અવાચ્ય'પદવાણ્યત્વને જણાવતું નથી. તે પણ એટલા માટે કે એનો અર્થ આવો થાય છે કે આ અવાચ્ય'પદ એ વાચક છે, પણ આ અર્થ નીચે પ્રમાણે બાધિત છે. ગ્રંથકારે કહ્યું છે ને આપણે પણ તર્કથી વિચારી ગયા છીએ કે કોઈ એક “ગ” કે એવો કોઈપણ નવો શબ્દ સંકેતિત કરવામાં આવે તો પણ એ, મુખ્યવૃત્તિએ યુગપત ઉભયધર્મને જણાવવા સમર્થ નથી. એટલે જો આવી કે મનમતાણ... એવો કોઈ શબ્દ વાચક તરીકે શક્ય હોય તો તો એનો જ સંકેત કરી દેવામાં ન આવે ? એટલે નવીન્યપદ્રવીત્વ પણ નથી જ, એ સ્પષ્ટ છે. શંકા - તો પછી પટોડવા: એમ શા માટે કહેવાય છે? સમાધાન - જ્યારે સ્વ-પર ઉભયધર્મોથી યુગપ વિચારવામાં આવે છે ત્યારે ટોડ Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૪. નવાગ્ય મેવ એનો અર્થ પટોડવીચવા એવ એવો સૂચિત થતો નથી, પણ પટ: (સર્વ)વાખ્યત્વમાવવાન એવ એવો સૂચિત થાય છે... શંકા - તો “અનંતાનંત પદાર્થો અનભિલાખ છે આમાં પણ આવો જ અર્થ સૂચિત થવો કહો ને ? અર્થાત્ અમિતાણવીત્વ નહીં, પણ સર્વ વાવ્યત્વભાવ જ કહો ને! સમાધાન - આ સર્વપદવાણ્યત્વાભાવ ક્યાં રહેશે ? શંકા - કેમ ? એ અનભિલાપ્યપદાર્થોમાં... સમાધાન - એટલે અર્થ આવો મળશે કે સર્વપવધ્યત્વાકાવવાન મનમતાથઃ પાર્થ...આમાં, પટામીવવત્ ભૂતલમ્ માં જેમ ભૂતન નું જ્ઞાન જરૂરી છે...તો જ એના ધર્મ તરીકે પટાપાવ ભાસી શકે છે. એમ પ્રસ્તુતમાં અનભિલાપ્ય પદાર્થરૂપ ધર્માનું જ્ઞાન પણ જોઈશે જ, તો જ એના ધર્મ તરીકે સર્વપદવાણ્યત્વાભાવ ભાસી શકે. તો આ જ્ઞાન શી રીતે કરશો? શંકા - તો તમે ઘડાનું જ્ઞાન શી રીતે કરશો ? સમાધાન - ભલા આદમી!... એ તો ચાક્ષુષપ્રત્યક્ષસિદ્ધ છે. એટલે પ્રત્યક્ષથી ઉપસ્થિત છે. પછી એમાં વાચ્યત્વાભાવ જણાઈ શકે છે. અનભિલાપ્ય પદાર્થો તો શાસ્ત્રગત અનભિલાખ શબ્દથી જ જાણી શકાય એવા છે, એ સિવાય આપણા માટે એ જાણવાનો કોઈ ઉપાય જ નથી.... એટલે, “અનભિલાપ્ય એવા શબ્દથી પણ એ ઉપસ્થિત થતા નથી.... પણ સર્વપદાભિલાપ્યત્વાભાવ જ એનાથી ઉપસ્થિત થાય છે. એવું જો માનશો તો એ પદાર્થો કશાથી ઉપસ્થિત જ નહીં થઈ શકે.. ને એ જો ઉપસ્થિત નહીં થાય તો એમાં સર્વપદાભિલાપ્યત્વાભાવ પણ જાણી નહીં જ શકાય. એટલે નક્કી થાય છે કે “અનભિલાપ્યપદ અનભિલાપ્યપદવાચ્યત્વને સૂચવે છે અને “અવાચ્ય'પદ સર્વપદવાચ્યવાભાવને સૂચવે છે, માટે એ બન્ને પદ સમાનાર્થક નથી. શંકા - ત્રીજા ભંગમાં ઉત્તર દિવષ્ય મેવ છે. આમાં યાતકાર પડેલો છે. એટલે કથંચિત્ અવાચ્યત્વ જ માનવાનું છે. સર્વથા અવાચ્યત્વ નહીં. એટલે અવાચ્યપદવાચ્યત્વ તો માનવું જ જોઈએ. નહીંતર મ્યાત્કારની સંગતિ કઈ રીતે કરશો ? સમાધાન - સ્વરૂપ-પરરૂપની ક્રમિક અપેક્ષા હોય ત્યારે અસ્તિ-નાસ્તિ પદનું વાચ્યત્વ તેમાં છે જ. સ્યાત્કાર કથંચિત્ વાચ્યત્વ તરીકે આ વાચ્યત્વને ખેંચી લાવે છે. એટલે સ્વાત્કારની સંગતિ માટે અવાચ્યપદવાધ્યત્વ માનવું જરૂરી નથી... શંકા - આ તો અપેક્ષા બદલીને કથંચિદ્વાચ્યત્વ આવ્યું... યુગ૫દ્ અપેક્ષાને ઊભી રાખીને તો ન આવ્યું ને ? સમાધાન - સ્યાત્કાર વિરુદ્ધધર્મને કથંચિત્ જે ખેંચી લાવે છે તે અપેક્ષા બદલીને જ, અપેક્ષા બદલ્યા વગર કાંઈ નહીં. જેમ કે પ્રથમ ભંગમાં સ્વરૂપની (મૃન્મયત્વની) અપેક્ષાએ ચેવ જે કહેવાય છે તેમાં રહેલો સ્યાત્કાર કથંચિ નાસ્તિત્વને જે ખેંચી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ લાવે છે તે સ્વરૂપની અપેક્ષાને ઊભી રાખીને નહીં, પણ પરરૂપની અપેક્ષાને અપેક્ષિત કરીને જ. સ્વરૂપની અપેક્ષાને જ વળગી રહેવામાં આવે તો નાસ્તિત્વ કહી શકાય જ નહીં, કારણ કે મૃત્મયત્વેન ઘડામાં નાસ્તિત્વ છે જ નહીં. આમ અવાચ્યપદવાચ્યત્વ માન્યા વિના પણ, અપેક્ષા બદલીને વાચ્યત્વ આવી જ શકે છે. માટે અવાચ્યપદવાચ્યત્વ માનવાની જરૂર નથી. ને તેથી સર્વપદવાચ્યત્વાભાવ માનવામાં કશો વાંધો નથી. તથા, આમાં આવું પણ વિચારવું જોઈએ કે, ઘટમાં ઘટપદવાચ્યત્વ તો છે જ. તેથી સીધે સીધો સર્વપદવાચ્યત્વાભાવ કહેવો તો યોગ્ય નથી જ. તો પછી આનો વિશેષ અર્થ હોવો જોઈએ. તે આવો જણાય છે. જ્યારે સ્વદ્રવ્યાદિગ્રાહક નયે જોવામાં આવે ત્યારે ‘અસ્તિત્વ' જણાય છે, ને એને જણાવવા માટે સ્થાવત્યેવ એમ ‘મસ્તિ' શબ્દ વપરાય છે. જ્યારે પરદ્રવ્યાદિગ્રાહકનયે જોવામાં આવે છે ત્યારે ‘નાસ્તિત્વ' જણાય છે...ને એને જણાવવા માટે ‘યાન્નાસ્યેવ' એમ ‘નાસ્તિ' શબ્દ વપરાય છે. જ્યારે આ બન્ને નયની અર્પણા કરવામાં આવે છે ત્યારે જે દેખાય એને જણાવવા માટે માન્ય શબ્દ વપરાય છે. એટલે જેમ, અસ્તિ-નાસ્તિ શબ્દ મુખ્યતયા ઘટને જણાવવા માટે નથી, પણ અસ્તિત્વ-નાસ્તિત્વને જણાવવા માટે છે, એમ અાન્ય શબ્દ સર્વપદવાચ્યત્વાભાવને જે જણાવે છે તે મુખ્યતયા ઘટ અંગે નથી, પણ ઉભયનયની અર્પણા વખતે બનતા વિષય અંગે છે. એટલે કે અસ્તિત્વ-નાસ્તિત્વ સિવાય કંઈક છે જેમાં સર્વપદવાચ્યત્વાભાવ છે. ને સર્વપદવાચ્યત્વાભાવ છે માટે કોઈ પણ પદથી એ (કંઈક) વાચ્ય ન હોવાથી એનો ઉલ્લેખ શક્ય ન હોવાના કારણે સ્વાવાદ્ય વ ધટ: એમ કહેવાય છે. વળી ઉભયનયઅર્પણા વખતે બનતા વિષયનો અહીં મેં ‘કંઈક' તરીકે ઉલ્લેખ કર્યો છે. પણ કદાચ એવું જ હોય કે ઉભયનયઅર્પણા કરીને જોવામાં આવે તો કશું જણાય જ નહીં... એટલે વિષય તરીકે કંઈક' કહ્યું છે, પણ વસ્તુતઃ કશું હોય જ નહિ...એટલે જ સમ્મતિતત્ત્વસોપાનમાં તથામૃતસ્ય વસ્તુનોઽભાવાત્ એમ પણ કહ્યું છે. એટલે ઉભયનયઅર્પણાએ જોતાં કોઈ ધર્મ કોઈ પર્યાય-કોઈ વસ્તુ...કશું કહેતાં કશું જણાતું જ નથી...માટે સ્થાવવાવ્ય ડ્વ કહેવાય છે. ને કોઈ ધર્મ વગેરે કશું છે જ નહિ, માટે સર્વપદવાચ્યત્વાભાવ જ સૂચિત થતો માનવો પડે. કારણ કે અવાચ્યપદવાચ્યતા કહેવા માટે પણ કશુંક તો જોઈએ જ ને ! આમ મને લાગે છે. આ અંગે મેં થોડી વિશેષ વિચારણા સપ્તભંગીવિંશિકા ગ્રન્થમાં કરી છે. તૃતીયાદિભંગગત ‘અવાચ્ય’પદનો સૂચિતાર્થ શું છે ? એ માટે ખૂબ જ ઊહાપોહ કરીને...અનેક વિદ્વાનો સાથે પત્ર-વ્યવહાર કરીને આ એક અનુપ્રેક્ષા શ્રી સંઘ સમક્ષ મૂકી છે. બહુશ્રુતગીતાર્થોને આ અંગે વિશેષ વિચારણા કરીને યોગ્ય નિર્ણય પર આવવા વિનંતી છે. છતાં જો ‘અવાચ્યપદવાચ્યત્વ' તો માનવું જ, એમ જ દિલ કહ્યા કરતું હોય તો પણ અવાચ્યપદ અનભિલાપ્યપદને સમાનાર્થક તો બની જવાનું નથી જ, કારણ કે જે રીતે અભિપ્રેત છે એ રીતે જણાવનાર કોઈ શબ્દ (કે સંકેત) શક્ય જ નથી, માટે અવાચ્યત્વ છે. જ્યારે અનભિલાપ્યપદાર્થો માટે એવું નથી. ત્યાં શબ્દ (કે સંકેત) સાવ અશક્ય છે એવું Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૫૧ નથી. સંકેત્યમાનનું જ્ઞાન ન હોવાથી પ્રસ્થાને ઉદેશીને સંકેત કરાતો નથી. પ્રયોજન ન હોવાથી કેવલીને ઉદેશીને પણ સંકેત કરાતો નથી. અર્થાત્ શબ્દ કે સંકેત અશક્ય જ છે એવું નથી...પણ કરાતા નથી...માટે અનભિલાપ્યત્વ છે. આ વાત આગળ વધારે સ્પષ્ટ થશે. આ જ વાતને હવે બીજી રીતે વિચારીએ. . સ્વગત કે અન્યગત મનના અભિપ્રાયને જાણવા કે જણાવવા માટે વચન-વ્યવહાર હોય છે. જ્યાં આવું પ્રયોજન ન હોય એવા વચનપ્રયોગો એ બકવાસરૂપ છે ને એ શિષ્ટપુરુષોને સંભવતા નથી. . એટલે, વચનવ્યવહાર છ%-છપ્રસ્થ વચ્ચે, છદ્મસ્થ-કેવલી વચ્ચે અને કેવલીછvસ્થ વચ્ચે હોય શકે છે, પણ કેવલી-કેવલી વચ્ચે હોવો સંભવતો નથી. કારણ કે શ્રોતા અને વક્તા બન્ને કેવલી હોવાથી બન્ને બધું જ જાણે છે. કશું અજ્ઞાત છે જ નહીં જેને જણાવવા વચન વ્યવહાર આવશ્યક બને. અને કેવલી ભગવંતો તો મહાશિષ્ટ પુરુષો છે.. બકવાસની તો ગંધ સુદ્ધાં સંભવતી નથી જ. - સંકેત જાણવા-જણાવવા માટે જ જે વચનપ્રયોગ થાય છે એમાં વક્તા - શ્રોતા બેમાંથી એક સંકેતનો જાણકાર હોય છે અને બીજો અજાણ હોય છે. જેમ કે બાળક બાપને પૂછે છે - આ સામા પદાર્થને શું કહેવાય ? આમાં વક્તા બાળક અજાણ છે ને શ્રોતા બાપ જાણકાર છે. પછી બાપ જવાબ આપે કે “આ સામા પદાર્થને “ઘટ’ કહેવાય. ત્યારે વક્તા જાણકાર છે ને શ્રોતા અજાણ છે, ને હવે જાણકાર બને છે. સંકેતને જાણવા - જણાવવા માટેના આ વચનપ્રયોગો સિવાયના તો બધા વચનપ્રયોગો માટે શ્રોતા અને વક્તા બન્ને સંકેતના જાણકાર જોઈએ. અન્યથા બોધ થાય નહીં. - જ્યારે સંકેત કરવામાં આવે છે, ત્યારે જે સંકેત કરી રહ્યો છે તેને આપણે સંકેત કરનાર કહીશું.. અને જે સંકેતનું ગ્રહણ કરનાર છે એને આપણે સંકેત ઝીલનાર કહીશું... આમાંથી જે સંકેત કરનાર હોય છે એ વાચ્યાર્થનો વિવક્ષિતપદવાણ્યત્વેન પણ જાણકાર હોય છે ને એ સિવાય અન્ય રીતે પણ જાણકાર હોય છે. જે સંકેત ઝીલનાર છે એ વાચ્યાર્થનો અન્ય રીતે જાણકાર હોય છે.... (અથવા પહેલાં કલ્પના આપવા વગેરે દ્વારા એને જાણકાર બનાવવો પડે છે) પણ વિવક્ષિતપદવાણ્યત્વેન જાણકાર હોતો નથી. (એનો સંકેત ઝીલવાથી એ જાણકાર બનવાનો છે). જેમકે-સંકેત કરનાર વાચ્યાર્થઘટનો કંબુગ્રીવાદિમત્તેન ચાક્ષુષપ્રત્યક્ષાદિથી જાણકાર છે અને ઘટપદવાણ્યત્વેન પણ (પોતે જ્યારે સૌપ્રથમ સંકેત અન્ય પાસેથી ઝીલ્યો હતો ત્યારથી) જાણકાર છે. સંકેત ઝીલનારો પણ ચાક્ષુષપ્રત્યક્ષાદિથી વાચ્યાર્થ ઘટનો જાણકાર છે, ક્યારેક ચાક્ષુષાદિ પ્રત્યક્ષ ન હોય ત્યારે “જેની પહોળી બેઠક હોય. મોટું પેટ હોય. ઉપર કાંઠો હોય..” વગેરે રૂપે એને કલ્પના આપીને જાણકાર બનાવાતો હોય છે. પણ આમ સંકેત કરતાં પૂર્વે એ વાચ્યાર્થનો જાણકાર બનેલો હોવો જ જોઈએ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તો જ સંકેતને એ સમજી શકે છે... અને ઘટપદવાણ્યત્વેન વાચ્યાર્થનો એ જાણકાર નથી... પણ સંકેત દ્વારા જાણકાર બનવાનો છે. પરમાણુ જેવા અતીન્દ્રિય પદાર્થનો સંકેત કરવાનો હોય ત્યારે પણ પ્રથમ પરમાણુની કલ્પના તો આપવી જ પડે છે. જેમ કે – ઘટ-કપાલકપાલિકા-ઠીકરી-નાની ઠીકરી-એનાથી પણ નાની ઠીકરી. આમ વિભાગ કરતાં કરતાં જે અવયવધારા મળે છે એ ક્યાંક અટકે છે. અર્થાત્ આ અવયવધારામાં છેલ્લે એવું દ્રવ્ય આવે છે જે અવિભાજ્ય (નિરવયવ) હોય છે. આ રીતે વાચ્યાર્થને સંકેત ઝીલનારની બુદ્ધિમાં નિરવયવત્વેન ઉપસ્થિત કરવામાં આવે છે ને પછી એનો સંકેત થાય છે કે આવું જે નિરવયવદ્રવ્ય છે એને “પરમાણુ' કહેવાય છે. એટલે નિશ્ચિત થયું કે સંકેત ઝીલનારને પણ વાચ્યાર્થની કોઈક ને કોઈક રીતે જાણકારી હોવી જ જોઈએ. આટલી પાયાની વિચારણા બાદ હવે પ્રસ્તુતમાં આવીએ.. જે અનભિલાપ્ય પદાર્થો છે એને કેવલીભગવાન્ પોતાના કેવલજ્ઞાનથી સાક્ષાત્ જાણે છે. બીજા કેવલી ભગવાન પણ એ રીતે જાણે છે. એટલે એક કેવલી ભગવાન્ ધારે તો અન્ય કેવલી પ્રતિ “આ વિવક્ષિત પદાર્થને “' કહેવો” એમ સંકેત કરી શકે છે. પણ પ્રયોજન ન હોવાથી ક્યારેય સંકેત કરતા નથી... સંકેત ઝીલનાર છદ્મસ્થ હોય તો એને સંકેત કહેવો એ કેવલીને પણ સપ્રયોજન બની શકે છે ને તેથી કેવલી ભગવંતો એવા કેટલાય સંકેત કરતાં જ હોય છે. પણ પ્રસ્તુતમાં અનભિલાપ્ય પદાર્થો છદ્મસ્થના જ્ઞાનનો અન્ય કોઈ રીતે વિષય બની જ શકતા નથી. એટલે કેવલી ભગવંતો પણ, “જો આ પદાર્થને મ કહેવાય. આને બે કહેવાય...” આવો કોઈ સંકેત કરી શકતા નથી. એટલે છાસ્થને તો અન્ય રીતે પણ જાણકારી નથી.. ને અમુકપડવાચ્યત્વેન પણ જાણકારી નથી... માટે છઘો વચ્ચે પણ અનભિલાપ્ય પદાર્થો સંકેતનો વિષય બની શકતા નથી.. શંકા - એ પદાર્થોમાં અનિભલાપ્યપદવાણ્યત્વ છે એ તો તમે જ કહી ગયા છો. તો એમાં “અનભિલાપ્ય' પદનો સંકેત થયેલો જ છે ને ? સમાધાન - ના, એ પદાર્થોમાં અમે માત્ર વાચ્યત્વ જ કહેલું છે. સંકેત નથી કહ્યો. કારણ કે સંકેત માનવામાં એ પદાર્થોનું અનભિલાપ્યત્વ જ હણાઈ જાય છે. તે આ રીતે.. આ પદાર્થોમાં પણ શેયત્વ - સત્ત્વ હોવાથી શેયપદાભિલાતૃત્વ અને સત્પદાભિલાપ્યત્વ માનવું જ પડે છે. એટલે અનભિલાપ્યત્વ જ ઊડી ન જાય એ માટે નીચેમાંનો કોઈપણ નિયમ (કે વિશેષ પ્રકારની પરિભાષા) માનવો જ પડે છે. (૧) પૂર્વે કહ્યા મુજબ પદવિશેષાભિલાપ્યત્વ જ “અભિલાપ્યત્વ' કહેવાય. આ પદાર્થોમાં તે ન હોવાથી અનભિલાપ્યત્વ છે... અથવા (૨) અર્થપર્યાય પ્રવૃત્તિનિમિત્તક પદથી અભિલાખ જે ન હોય તે અનભિલાપ્ય. (પરિભાષાના અજાણ પાઠકો માટે – વાચ્યાર્થમાં રહેલ જે ધર્મને નજરમાં રાખીને સંકેત કરવામાં આવે છે ને તેથી પછી તે તે શબ્દની-પદની એ વાચ્યાર્થને જણાવવા માટે પ્રવૃત્તિ(=પ્રયોગો કરવામાં આવે છે તે ધર્મને પદપ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે. જેમકે Page #172 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૫૩ ઘટત્વને નજરમાં રાખીને ઘટ શબ્દ બોલાય છે. તો ઘટત્વ એ ઘટપદપ્રવૃત્તિનિમિત્ત છે. એમ લાલાશ એ રક્તપદપ્રવૃત્તિનિમિત્ત છે, શ્રીમંતાઈ એ શ્રીમંતપદપ્રવૃત્તિનિમિત્તક છે. આવા ઘટ, રક્ત વગેરે જે શબ્દો વ્યવહારમાં વપરાયા કરે છે એ બધાના પદપ્રવૃત્તિનિમિત્તભૂત ઘટત્વ-રક્તત્વ વગેરે ધર્મો અર્થપર્યાયરૂપ જ હોય છે ને તેથી આ પદાર્થો અભિલાપ્ય જ છે.) અનભિલાપ્ય પદાર્થોમાં પણ અર્થપર્યાય હોય તો છે જ. પણ આપણે એને કોઈપણ રીતે જાણી શકતા જ નથી. તેથી એને આગળ કરીને સંકેત થઈ શકતો નથી. એટલે કે એના અર્થપર્યાયો પદપ્રવૃત્તિનિમિત્ત બનતા નથી. એ સિવાય શેયત્વ-સત્ત્વવગેરે ધર્મોને નજરમાં રાખીને એ પદાર્થોને શેય-સત્ કહેવાય છે. પણ એ શેયત્વ વગેરે અર્થપર્યાયરૂપ નથી. વાચ્યત્વ એ અર્થપર્યાય નથી, આ વાત આગળ સવિસ્તર કહેવાશે. એ જ રીતે શેયત્વ પણ અર્થ પર્યાય નથી એ જાણી લેવું. શંકા - પણ સત્ત્વ તો ખુદ જ અર્થક્રિયાકારિત્વરૂપ છે..તો એ તો અર્થપર્યાય છે જ ને? સમાધાન - ના, અર્થક્રિયાકારિત્વ પોતે અર્થપર્યાય નથી, પણ જે ધર્મને કારણે પદાર્થમાં અર્થક્રિયાકારિત્વ આવે છે તે ધર્મ અર્થપર્યાય છે, માટે સત્ત્વ એ પણ અર્થપર્યાય નથી. એટલે અર્થપર્યાયપ્રવૃત્તિનિમિત્તકપદથી વાચ્ય ન હોવાના કારણે અનભિલાખ પદાર્થોમાં અભિલાપ્યત્વ નથી.) અથવા (૩) સંકેતિતપદાભિલાપ્યત્વ એ જ વાસ્તવિક અભિલાપ્યત્વ છે.. અનભિલાપ્ય પદાર્થોમાં એ ન હોવાથી અભિલાપ્યત્વ નથી... એ પદાર્થો અનભિલાપ્ય પદથી બોલાય છે ખરા, પણ “અનભિલાપ્ય' એ સંકેતિત પદ નથી, કારણ કે વાચ્યાર્થભૂત અનભિલાપ્ય પદાર્થોનું સંકેતકરણપૂર્વે જ્ઞાન સંભવિત નથી. વળી, વચનવ્યવહારનો અવિષય હોવાથી પણ એ સંકેતિત નથી. આશય એ છે કે - “પરમાણુ' એ સંકેતિત પદ છે. માટે તેનાથી વાચ્ય પરમાણુઓ, અતીન્દ્રિય હોવા છતાં બે પરમાણુ મળીને કયણુક બને છે' “પરમાણુમાં બે અવિરુદ્ધ સ્પર્શ, એક રસ, એક ગંધ અને એક વર્ણ હોય છે' “અધોલોકની સર્વાન્તિમ પ્રતરમાંથી ઊર્ધ્વલોકની સહુથી ઉપરની પ્રતરમાં પરમાણુ એક જ સમયમાં પહોંચી જાય છે” આવી બધી રીતે વચનવ્યવહારનો વિષય બને છે. પણ અનભિલાપ્ય પદાર્થો અંગે આવો કશો વ્યવહાર ક્યારેય થતો નથી. “વિશ્વમાં અભિલાપ્ય કરતાં અનન્તગુણ અનભિલાપ્ય પદાર્થો છે' આટલો બોધ કે વચનવ્યવહાર શાસ્ત્રમાં તેઓની જે વાત કરી છે, તતૂપે મળે છે. આ સિવાય કશું જ નહીં. સંકેત કર્યા પછી જે ક્યારેય પણ કોઈના પણ કશા પણ વચનવ્યવહારનો વિષય બનતા જ નથી. એનો સંકેત થયેલો કહેવાય જ શી રીતે ? કારણ કે છેવટે સંકેત પણ વચનવ્યવહાર માટે જ હોય છે, એ જ જો ક્યારેય પણ ક્યાંય પણ શક્ય બનતો જ ન હોય તો સંકેત કર્યો છે એમ કહેવાનો મતલબ જ શું? Page #173 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શિષ્ય પુછઇ છઈ – ‘જિહાં ૨ જ નયના વિષયની વિચારણા હોઇ, તિહાં એક એક ગૌણ મુખ્યભાવઇ સપ્તભંગી થાઓ. પણિ-જિહાં પ્રદેશ પ્રસ્થકાદિ વિચારઇ સાત છ ૧૫૪ એટલે, નિશ્ચિત થયું કે છદ્મસ્થોનો અન્ય કોઈ રીતે વિષય બની શકતા ન હોવાથી અનભિલાપ્ય પદાર્થો અંગે સંકેત હોતો નથી... પણ આ સંકેત ન હોવામાં કોઈ શબ્દ એનો વાચક મળી શકતો નથી...' એ કારણ નથી... પણ છદ્મસ્થોના જ્ઞાનનો અન્ય રીતે એ વિષય બની શકતા નથી... એ કારણ છે... એટલે જ કેવલીઓ ધારે તો પરસ્પર સંકેત કરી શકે છે... (એનો અર્થ જ એ કે એના વાચક શબ્દો તો મળી જ શકે છે...) પણ તેઓને પ્રયોજન ન હોવાથી સંકેત કરતા નથી. શંકા ઘણા પદાર્થો આપણા જ્ઞાનનો વિષય બનતા હોય છે, છતાં આપણે શબ્દ દ્વારા એને વ્યક્ત કરી શકતા હોતા નથી... એટલે ઘણીવાર ડૉક્ટરને કહેતા હોઈએ છીએ કે મને વેદના થાય છે... પણ કેવા પ્રકા૨ની થાય છે ? એ કહી શકતો નથી... અથવા ગોળની મિઠાશ અને સાકરની મિઠાશના તફાવતને પકડી શકીએ છીએ, પણ શબ્દ દ્વારા આપણે વ્યક્ત કરી શકતા નથી... તો આમ કેમ? સમાધાન એમ તો, આપણે જે તફાવત અનુભવ્યો છે... એને ઝૂ કહેવો એમ આપણે સંકેત કરી શકીએ છીએ... એમ આપણને જે વિલક્ષણ પીડા અનુભવાઈ રહી છે... એનો આપણે ‘આ પીડાને પ કહેવી...' એમ સંકેત કરી શકીએ છીએ... ને સામે જો સર્વજ્ઞ હોય તો તેઓ આપણા સંકેતને પકડી શકે છે. ને તેથી આપણે પૂછીએ કે ‘પ્રભુ ! આ મારી પ નામની પીડા પૂર્વના કયા કર્મના કારણે આવી છે ?' તો તેઓ જવાબ પણ આપી જ શકે છે.. પણ સામો જો છદ્મસ્થ હોય તો એને વાચ્યાર્થનો બોધ આપણે અન્ય રીતે કરાવી શકતા નથી... માટે સંકેત શક્ય બનતો નથી... શંકા જે સાકર-ગોળ આપણે ચાખ્યા છે એ જ સાકર-ગોળના અન્ય અંશ સામી વ્યક્તિને ચાખવા આપીએ તો એ પણ તફાવત અનુભવી શકે ને ! સમાધાન તો પણ આપણે જેવો તફાવત પકડ્યો છે એવો જ એ પકડશે એ નિશ્ચિત નથી... કારણ કે સાકર-ગોળના કણિયા બદલાયા એટલે સ્વાદ અલગ હોય શકે... મુખમાંથી ઝરતા રસોમાં તરતમતા હોવાથી સ્વાદના અનુભવમાં ફેર પડી શકે... તથા મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમની તરતમતાના પ્રભાવે પણ ફેર પડી શકે. (એટલે તો શાસ્ત્રોમાં મતિજ્ઞાનના બહુ-અબહુ-બહુવિધ-અબહુવિધ વગેરે ભેદો દર્શાવેલા છે.) છતાં જેટલા અંશે શ્રોતા અન્ય રીતે જાણકારી મેળવી શકે એટલા અંશે સંકેત થવામાં કોઈ પ્રશ્ન જ નથી... પણ જે અનંતાનંત પદાર્થો આપણા જ્ઞાનનો વિષય જ બનતા નથી એ અભિલાપ્ય પદાર્થો અંગે તો સંકેત શક્ય બનતો જ નથી... પણ, એમાં આગળ જણાવ્યું એમ શબ્દોની અક્ષમતા કારણ નથી... પણ આપણી એનું જ્ઞાન કરી-કરાવી ન શકવાની અક્ષમતા એ કારણ છે... - Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ પાંચ પ્રમુખ નયના ભિન્ન ભિન્ન વિચાર હોઈ, તિહાં અધિક ભંગ થાઇ, તિવારછે સપ્તભંગીનો નિયમ કિમ રહઈ ?” ગુરુ કહઈ છઈ - તિહાં પણિ એક નયાર્થનો મુખ્યપણ વિધિ, બીજા સર્વનો નિષેધ, ઈમ લેઈ પ્રત્યેકિં અનેક સપ્તભંગી કીજ'' અડે તો ઈમ જાણું છું, “સત્નનાર્થપ્રતિપવિતાત્પર્યાધિરાવાયં પ્રમવાક્યમ” એ લક્ષણ લેઇનઈ, તેહવે ઠામે-ચાત્કારલાંછિત સકલનયાર્થ - સમૂહાલંબન એક હવે સપ્તભંગીના તૃતીયભંગમાં જે “અવાચ્ય' શબ્દ છે એનો વિચાર કરીએ અહીં પૂર્વે જણાવ્યું એમ, કોઈ શબ્દ જ એવો મળી શકતો નથી જે મુખ્યવૃત્તિએ, બન્ને ધર્મોને નજરમાં રાખીને યુગપત્ ઉલ્લેખ કરી શકે. એનો અર્થ, અહીં શબ્દની જ અક્ષમતા છે કે આવી બાબતનો ઉલ્લેખ કરવાનું એનામાં (કોઈ પણ શબ્દમાં) સામર્થ્ય જ નથી... એટલે જ કેવલી ધારે તો પણ એવા કોઈ શબ્દનો ઉલ્લેખ અન્ય કેવલી પ્રત્યે પણ કરી શકતા નથી જ. આમ, અનભિલાપ્યતા આપણી અક્ષમતાના કારણે છે, જ્યારે અવાચ્યતા શબ્દની અક્ષમતાના કારણે છે... માટે, અનભિલાપ્ય અને અવાચ્ય એ સમાનાર્થક શબ્દો નથી. શિષ્ય પૂછઈ છઇ. શંકા - જ્યાં બે જ નયના વિષય અલગ-અલગ પડતા હોય. જેમ કે - પર્યાયાર્થિકનયનો વિષય ભેદ છે અને દ્રવ્યાર્થિકનયનો વિષય અભેદ છે... અહીં બે જ નય છે ને બે જ વિષય છે... એટલે એકને મુખ્ય કરીએ. બીજાને ગૌણ કરીએ... તો સપ્તભંગી મળે છે. દ્રવ્યાર્થિકને ગૌણ-પર્યાયાર્થિકને મુખ્ય કરીએ ત્યારે સ્વાદ્ધિન્નમેવ એવો પ્રથમ ભંગ. પર્યાયાર્થિકને ગૌણ-દ્રવ્યાર્થિકને મુખ્ય કરીએ ત્યારે અમિવ એવો બીજો ભંગ... ને પછી ક્રમશઃ બાકીના ભંગ... એમ સપ્તભંગી મળે છે, એ તો બરોબર છે. પણ જ્યારે પ્રદેશ-પ્રસ્થકાદિનો વિચાર હોય છે ત્યારે કોઈકમાં સાતે નયોનો વિષય અલગ - અલગ પડતો હોય છે. ક્યાંક બે નય ભેગા થતા હોય (= સમાન માન્યતાવાળા હોય) ને બાકીના અલગ - અલગ માન્યતા ધરાવતા હોવાથી કુલ ૬ વિષયો બનતા હોય.. એમ ક્યાંક પાંચ વિષય. ક્યાંક ચાર વિષય વગેરે મળતા હોય ત્યારે અધિક ભંગ પણ થઈ શકે છે.. પછી સપ્તભંગીનો નિયમ ક્યાં રહે ? અર્થાત્ સાત પ્રકારની જ જિજ્ઞાસા.. ને સાત પ્રકારના જ ઉત્તરના ભંગ. આવો નિયમ ક્યાં રહ્યો ? પ્રકારનો આશય એ છે કે – પહેલાં પ્રથમ મુખ્ય, બીજો ગૌણ.... એક ભંગ.. પછી પ્રથમનય મુખ્ય, ત્રીજો નય ગૌણ... બીજો ભંગ... એમ ચોથા વગેરે નયને ગૌણ તરીકે લઈને ત્રીજા, ચોથો, પાંચમો અને છઠ્ઠો ભંગ મળશે. પછી પ્રથમ ગૌણ, બીજો મુખ્ય.... ૭મો ભંગ.... પ્રથમ ગૌણ-ત્રીજો મુખ્ય.૮મો ભંગ...આ રીતે ઢગલાબંધ ભંગ કેમ નહીં આવે? ગુરુ કહઈ છો. સમાધાન - આવા અનેક ભિન્ન ભિન્ન વિષયવાળા સ્થળે એક બાજુ એક નય લેવો. ને બીજી બાજુ બાકીના બધા નય ભેગા લેવા.. જે એક નય લીધો હોય એનો મુખ્યરૂપે વિધિ (= વિધાન) ને અન્ય સર્વનો નિષેધ... આ રીતે એક સપ્તભંગી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ભંગઈ પણિ નિષેધ નથી. જે માર્ટિ - વ્યંજનપર્યાયનઈ કામિ - ૨ ભંગઈ પણિ અર્થસિદ્ધિ સમ્મતિનાં વિષઈ દેખાડી છઈ. તથા તથા - एवं सत्तविअप्पो, वयणपहो होइ अत्थपज्जाए । વિંઝાના પુજ, વડો બિલ્વિો ૨ પ્રથમકાડ ૪૧ | એહનો અર્થ - એવ=પૂર્વોક્ત પ્રકાર, સપ્ત વિકલ્પ સપ્તપ્રકાર વચનપથ, કરવી... પછી બીજા નયને મુખ્યરૂપે લઈ વિધાન અને પ્રથમ તથા તૃતીય વગેરે બધા નયનો નિષેધ. આ બીજી સપ્તભંગી. આમ અનેક અલગ - અલગ સપ્તભંગી કરવી. પણ બધા ભંગને ભેગા કરીને સાત કરતાં અધિક ભંગ ન માનવા. ગ્રંથકાર શ્રી યશોવિજયજી મહારાજ પોતાનો અભિપ્રાય આપે છે કે અડે તો ઈમ. સકળ નયને માન્ય અર્થનું પ્રતિપાદન કરવાના તાત્પર્યથી એ બધા અર્થનો સમાવેશ કરતું એવું જે અધિકરણભૂત - આધારભૂત વાક્ય હોય છે તે પ્રમાણવાક્ય છે... આવી પ્રમાણવાક્યની વ્યાખ્યા છે. આ વ્યાખ્યાને અનુસરીને તેહવે ઠામે = જ્યાં અનેકનયના અનેક અલગ-અલગ વિષય હોય ત્યાં એક જ ભંગ બનાવવો... જે સમૂહાલંબન જ્ઞાનનો પ્રતિપાદક હોય. અને આ સમૂહાલંબનજ્ઞાન શાનું હોય ? સકળનયના અર્થોનું હોય. ને એકાન્ત ન પકડાય એ માટે દરેક અર્થને સ્યાત્ લગાડેલો હોય.. અર્થાત્ જુદા-જુદા બધા નયના વિષયનો સ્યાત પદની સાથે ઉલ્લેખ ધરાવતું એક મહાવાક્ય.. એ જ એક ભંગ.. ને એ જ બધા નયના અર્થનું પ્રતિપાદન કરી દેનાર હોવાથી અન્ય ભંગની જરુર પણ રહેતી નથી.. શંકા - પણ આ રીતે એક જ ભગવાક્યથી, જે પદાર્થ જેવો છે એવો પ્રસિદ્ધ કરી શકાય એવું શક્ય છે ? કારણ કે પદાર્થને સંપૂર્ણ રીતે જણાવવા માટે તો સાત ભંગ જોઈએ જ એવો નિયમ છે ને ? સમાધાન - જે માર્ટિ.... ના, એવો નિયમ છે નહીં. કારણ કે શ્રી સમ્મતિગ્રંથમાં વ્યંજનપર્યાય અંગે માત્ર બે ભંગથી જ અર્થસિદ્ધિ થાય છે એમ દેખાડ્યું જ છે. એટલે ત્યાં જો સપ્તભંગીનો નિયમ નથી. બે જ ભંગથી પણ પદાર્થને જણાવી શકાય છે, તો આવા સ્થળે આવા એક પ્રમાણવાક્યરૂપ એક ભંગથી એ જણાવી શકાય એવું માનવામાં કોઈ વાંધો નથી. સમ્મતિગ્રંથનો એ અધિકાર આવો છે - ગાથાર્થ - આમ અર્થપર્યાય અંગે વચનમાર્ગ સાત વિલ્પ (ભંગ)વાળો હોય છે. પણ વ્યંજનપર્યાય અંગે તો એ સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે જ ભગવાળો હોય છે. ટબામાં આ ગાથાનો ગ્રંથકારે આપેલો અર્થ આવો છે - Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૫૭ સપ્તભંગીરૂપ વચનમાર્ગ તે અર્થપર્યાય, અસ્તિત્વ - નાસ્તિત્વાદિકનઇ વિષઇ હોઇ. વ્યંજન પર્યાય જે ઘટકુંભાદિશબ્દવાચ્યતા, તેહનઇ વિપદં સવિકલ્પ વિધિરૂપ, નિર્વિકલ્પ નિષેધરૂપ એ ૨ જ ભાંગા હોઇ, પણિ અવક્તવ્યાદિ ભંગ ન હોઇ, જે માર્ટિ અવક્તવ્ય શબ્દવિષય કહિઈ તો વિરોધ થાઇ. એહનો અર્થ - એવં=પૂર્વોક્ત પ્રકારે=સ્થાÒવ વગેરે પ્રકારે પૂર્વે જે કહી ગયા છીએ એ રીતે અર્થપર્યાયને વિષે=અસ્તિત્વ-નાસ્તિત્વાદિને વિષે સમવિકલ્પ=સાત પ્રકારવાળો= સાત ભંગવાળો વચનપથ=વચનમાર્ગ=વચનવ્યવહાર હોય છે. જ્યારે ઘટ- કુંભાદિશબ્દવાચ્યતારૂપ જે વ્યંજનપર્યાય હોય છે, તેને વિષે સવિકલ્પ=વિધિરૂપ અને નિર્વિકલ્પ=નિષેધરૂપ... એમ બે જ ભંગ હોય છે. પણ અવક્તવ્ય વગેરે ભંગ હોતા નથી, કારણ કે અવક્તવ્ય કહેવું અને પાછો શબ્દનો વિષય કહેવો... તો એમાં વિરોધ થાય એ સ્પષ્ટ છે. વ્યંજનપર્યાય અંગે બે જ ભંગ હોય છે' આ વાતનો જરા ઊંડાણથી વિચાર કરવો છે. એ વિચાર કરવા માટે વ્યંજનપર્યાય શું છે ? એ બરાબર સ્પષ્ટ થવું જોઈએ. પૂર્વે આપણે વિચારી ગયા છીએ કે પદાર્થમાં રહેલા ધર્મોનું કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ હોય છે... કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટપણું છે, માટે એ જલાહરણાદિ કરે છે... શ્યામત્વ છે, માટે હાથ-કપડાં વગેરેને કાળાં કરે છે.. અમદાવાદીપણું છે, માટે ઊંચકીને વહન કરવામાં સરળતાકષ્ટÇાસ કરે છે...મૃન્મયત્વ છે, માટે પાણીને ઠંડું કરે છે...વૃત્તાકાર છે, માટે આમ-તેમ દડી શકે છે...આમ જે-જે ધર્મો છે એ બધાનું કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ=અર્થ=પ્રયોજન છે... માટે આ બધા અર્થપર્યાય છે. આ બધા એના ‘સ્વ’રૂપ છે...અસ્તિત્વેન રહ્યા છે...એમ એ કંબૂગ્રીવાદિમાન્ પદાર્થમાં પટપણું નથી, માટે એનાથી પ્રાવરણ થઈ શકતું નથી...આવા તાણાવાણા-પટત્વ વગેરેરૂપ અર્થપર્યાય એનાં ‘પર’રૂપ છે... નાસ્તિત્વેન રહ્યા છે... હવે, કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં જેમ ઘટપણું છે... અથવા અધિકૃતઘટમાં જેમ શ્યામત્વાદિ ધર્મો છે... એમ, ઘટપદવાચ્યતા, શ્યામપદવાચ્યતા વગેરે ધર્મો પણ છે... અને જે કોઈ ધર્મ રહ્યા હોય તે ‘પર્યાય’રૂપ હોય જ છે... એટલે કે આ ઘટપદવાચ્યતા, શ્યામપદવાચ્યતા વગેરે પણ અધિકૃતઘડાના પર્યાયરૂપ છે જ. પણ આ બધા ધર્મોથી ઘડામાં કયું અર્થક્રિયાકારિત્વ આવે છે? અર્થાત્ આ તે તે વાચ્યતારૂપ ધર્મ હોવાના કા૨ણે ઘડો કયા અર્થને = પ્રયોજનને સારવાનું સામર્થ્ય પામે છે? એ જો વિચારવામાં આવે તો જણાય છે કે એના કારણે ઘડો કોઈ જ પ્રયોજન સારી શકતો નથી... અર્થાત્ એ ધર્મો અર્થ પ્રયોજનવાળા નથી... માટે આ ધર્મોને અર્થપર્યાય કહી શકાતા નથી. શંકા ઘટપદવાચ્યતા છે, માટે ‘ઘટ' એવા શબ્દથી કંબુગ્રીવાદિમાન્ પદાર્થનો ઉલ્લેખ થઈ શકે છે ને શ્રોતાને એ શબ્દ સાંભળીને એ પદાર્થનો બોધ થઈ શકે છે... એટલે આ દૃષ્ટિએ એ પર્યાય પણ સાવ નિષ્પ્રયોજન નથી જ, સપ્રયોજન જ છે... તો એને પણ અર્થપર્યાય જ કહેવો જોઈએ ને ! - = Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સમાધાન - તમારી વાત સાચી છે... ઘટપદવાચ્યતા છે માટે જ “ઘટ' શબ્દથી એ પદાર્થ વ્યક્ત થાય છે. આમ એ ઘટપદવાચ્યતા નામનો ધર્મ-પર્યાય, ઘટની અભિવ્યક્તિ = વ્યંજન કરે છે, માટે એને વ્યંજનપર્યાય કહેવાય છે. વ્યથતે = પ્રક્રિય = बोध्यतेऽर्थोऽनेन पर्यायेणेति व्यञ्जनपर्यायः । શંકા - પણ ઘટપદવાણ્યતા વગેરે ધર્મરૂપ પર્યાયો પણ જો સપ્રયોજન છે, તો એને વ્યંજનપર્યાય' એવું અલગ નામ આપીને અર્થપર્યાયથી અલગ પાડવાની શી જરુર છે ? સમાધાન - વ્યંજનપર્યાય અર્થપર્યાયથી અનેક રીતે સાવ અલગ પડી જાય છે, માટે એને અલગ પાડવામાં આવ્યા છે. જેમ કે - . ઘટ-પટ વગેરે સર્વ પદાર્થોમાં યોગ્યતારૂપે સર્વપદવાણ્યતા રહી હોય છે. અર્થાત્ સર્વવ્યંજનપર્યાયો યોગ્યતારૂપે રહ્યા હોય છે. પણ અર્થપર્યાય માટે એવું નથી, કોઈ એક પણ પદાર્થ એવો નથી જેમાં યોગ્યતારૂપે સર્વ અર્થપર્યાયો રહ્યા હોય. જેમ કે પુદ્ગલદ્રવ્યમાં પુગલ સંબંધી અર્થપર્યાયો યોગ્યતારૂપે રહ્યા હોય તો પણ જીવસંબંધી અર્થપર્યાયો યોગ્યતારૂપે પણ રહ્યા હોતા નથી જ. અરે ! અભવ્ય પણ જીવ હોવા છતાં સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ કરાવી આપે એવા જીવસંબંધી અર્થપર્યાયો એનામાં યોગ્યતારૂપે પણ રહ્યા હોતા નથી. પદાર્થના સ્વરૂપમાં બિલકુલ ફેરફાર ન થાય ને છતાં યોગ્યતારૂપે રહેલો વ્યંજનપર્યાય વ્યક્તરૂપે બની શકે છે. જેમ કે ઘડો એવો ને એવો જ રહ્યો હોવા છતાં કોઈ જો એવો સંકેત કરે કે આ પદાર્થને હવેથી “પટ' કહેવો... તો એમાં પટપદવાણ્યતા નામનો વ્યંજનપર્યાય, જે હાલ સુધી યોગ્યતારૂપે હતો, તે વ્યક્તિ બની જાય છે અને તેથી હવે “પટ' શબ્દ બોલવા દ્વારા એનો ઉલ્લેખ થઈ શકે છે ને શ્રોતાને “પટ” શબ્દ સાંભળવા દ્વારા એનો બોધ થઈ શકે છે. અર્થપર્યાય માટે આવું હોતું નથી. વસ્તુનું વ્યક્તિ સ્વરૂપ બદલાયા વિના એમાં નવા અર્થપર્યાય પેદા થઈ શકતા નથી... પાક આપીને ઘડાના કણ-કણ પકવ થાય નહીં ત્યાં સુધી રક્તપર્યાય આવી શકતો નથી. શંકા - ઘડો ફૂટીને ઠીકરારૂપ બની જાય.. પછી જ એમાં “કપાલ'પદવાણ્યતા આવે છે. એટલે વ્યંજનપર્યાયને પેદા થવા માટે પણ વસ્તુસ્વરૂપમાં ફેરફાર આવશ્યક છે જ ને? સમાધાન - કપાલપદવાચ્યતા મેળવવા માટે ઘડાને ફૂટવાની જરુર નથી. કપાલરૂપ બનવા માટે જ ઘડો તો ફૂટે છે. બાકી ઘડો અખંડ હોય ને એવો સંકેત કરવામાં આવે કે હવેથી આને “કપાલ” કહેવો તો એમાં કપાલપદવાણ્યતા વિના વિરોધ આવી જ શકે છે. એટલે નિશ્ચિત થયું કે પદાર્થમાં કોઈ જ ફેરફાર થયા વિના પણ વ્યંજનપર્યાય પેદા થઈ શકે છે. આનાથી એ પણ સાબિત થાય છે કે – વ્યંજનપર્યાયને પેદા કરવા માટે (સંકેત સિવાય બીજો કોઈ જ કારણસામગ્રીની જરૂર હોતી નથી. જ્યારે અર્થપર્યાય માટે તો જાતજાતની કારણસામગ્રી જોઈતી હોય છે. (જેમ કે માટીમાં ઘટપર્યાય પેદા કરવા માટે દંડ, ચક્ર, ચીવર, કુલાલ વગેરે.) Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૫૯ # તથા આ વાતો પરથી એ પણ સાબિત થાય છે કે વ્યંજનપર્યાય માટે વસ્તુનું સ્વરૂપ કેવું છે ? એની કોઈ વિશેષ અપેક્ષા હોતી નથી... જ્યારે અર્થપર્યાય માટે વસ્તુનું સ્વરૂપ જ મુખ્ય ભાગ ભજવતું હોય છે. જો આવું ન હોત તો, (૧) તે તે પદાર્થમાં યોગ્યતારૂપે સર્વવ્યંજનપર્યાયોની જેમ સર્વઅર્થપર્યાય પણ રહ્યા હોત... (૨) પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થયા વિના પણ નવા નવા અર્થપર્યાય, વ્યંજનપર્યાયની જેમ પેદા થઈ શકતા હોત... (૩) કોઈ જ વિશેષ પ્રકારની કારણસામગ્રીની, અર્થપર્યાયની ઉત્પત્તિ માટે પણ જરૂર ન હોત. – કારણભેદે કાર્યભેદ હોય છે... વ્યંજનપર્યાય માટે કારણભેદ હોતો નથી. ઉપાદાનકારણ (= વ્યંજનપર્યાયના આધારભૂત પદાર્થ) તરીકે માત્ર વસ્તુરૂપે વસ્તુ જોઈએ છે (પછી એ જડ હોય કે ચેતન... કોઈ જ ફરક હોતો નથી...) અને વસ્તુ તરીકે તો બધી જ વસ્તુઓ એક સરખી હોવાથી ઉપાદાનકારણનો ભેદ નથી... તથા નિમિત્તકા૨ણ તરીકે સર્વ વ્યંજનપર્યાયો માટે સંકેતની જ જરુર હોય છે... એટલે નિમિત્તકારણનો પણ ભેદ નથી. એટલે કારણભેદ ન હોવાથી કાર્યભેદ પણ હોતો નથી... એટલે કે બધા જ વ્યંજનપર્યાયો એકસરખા જ હોય છે... અલગ-અલગ અનેક પ્રકારના હોતા નથી... પણ અર્થપર્યાય માટે આવું નથી... જીવ, જીવ તરીકે જ જીવસંબંધી અર્થપર્યાયોનું કારણ છે ને પુદ્ગલ પુદ્ગલ તરીકે જ પુદ્ગલસંબંધી અર્થપર્યાયોનું કારણ છે... બન્ને વસ્તુ તરીકે જ ઉપાદાનકારણ છે એવું નથી, નહીંતર તો વસ્તુત્યુંન બન્ને સરખા હોવાથી બન્નેમાં બન્ને પ્રકારના અર્થપર્યાયો પેદા થઈ શકતા હોવા જોઈએ... એટલે ઉપાદાનકારણનો ભેદ છે... એમ નિમિત્તકારણોનો પણ ભેદ છે... ઘડા માટે દંડ-ચક્ર વગેરે જોઈએ છે જ્યારે પટ માટે તુરી-સાલ-વણકર વગેરે જોઈએ છે.. એટલે નિમિત્તકારણનો પણ ભેદ છે..આમ અર્થપર્યાય માટે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ..બન્નેનો ભેદ હોય છે ને તેથી કાર્યરૂપ અર્થપર્યાય પણ અનેકવિધ-જુદા જુદા હોય છે. = જળ અને અગ્નિ... બન્ને પુદ્ગલના પર્યાય છે... પણ પરસ્પર અત્યંતવિરુદ્ધ છે ને તેથી એના એ જ પદાર્થમાં આ બન્ને એકસાથે હોઈ શકતા નથી... વ્યંજનપર્યાય માટે આવું નથી... જ્યારે જળપદવાચ્યતા છે ત્યારે જ બીજાઓએ એ જ પદાર્થ માટે ‘અગ્નિ’ પદનો સંકેત કર્યો હોય તો ભેગી અગ્નિપદવાચ્યતા પણ આવી જ શકે છે... આનાથી જણાય છે કે કોઈપણ વ્યંજનપર્યાયો વચ્ચે પરસ્પરવિરોધ ક્યારેય હોતો નથી.. જ્યારે અર્થપર્યાયો વચ્ચે તો ઢગલાબંધ વિરોધો પણ હોઈ શકે છે.. જળપર્યાય હોય તો અગ્નિપર્યાય ન હોય... શ્યામવર્ણ હોય તો રક્તવર્ણ ન હોય... વૃત્તાકાર હોય તો ચતુષ્કોણાકાર ન હોય... # સામાન્યથી અર્થપર્યાય અજ્ઞાત રહીને પણ સ્વકાર્ય કરે છે... ઝેરને જાણ્યું ન હોય તો પણ મૃત્યુ થાય જ છે... પણ વ્યંજનપર્યાય માટે આવું નથી... કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટપદવાચ્યતા રહેલી છે... છતાં એ વાચ્યતા, જે આદમીને એનો બોધ નથી (કારણ કે સંકેતને જાણતો નથી) એ આદમીને ‘ઘટ' શબ્દનું શ્રવણ હોવા છતાં ‘ઘટ' પદાર્થનો બોધ કરાવતી નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અર્થપર્યાયો વસ્તુસ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવતા હોય છે... વ્યંજનપર્યાયોનો એમાં કોઈ હિસ્સો હોતો નથી... આશય એ છે કે મૃત્મયત્વ, શ્યામવર્ણ, વૃત્તાકાર, અમુક પરિમાણ.. આવા બધા અર્થપર્યાયો ભેગા થઈને જ ઘટનું સ્વરૂપ પરિપૂર્ણ નિર્માણ થતું હોય છે... કોઈ પણ અર્થપર્યાય નાશ પામે કે નવો ઉમેરાય... તો એ ઘડાના સ્વરૂપને અસર કરે જ છે. માટે જ તે તે અર્થપર્યાય ઘડાના પરિપૂર્ણસ્વરૂપના એક-એક અંશભૂત હોય છે.. પણ આવું વ્યંજનપર્યાય માટે નથી. નવા નવા સંકેત દ્વારા વ્યંજનપર્યાયો વધારો કે જુના જુના સંકેતને ૨દ કરવા દ્વારા વ્યંજનપર્યાય ઘટાડો... ઘડાના સ્વરૂપમાં કોઈ વધ-ઘટ થતી નથી. એટલે જણાય છે કે વ્યંજનપર્યાયોનો વસ્તુના અર્થક્રિયાકારી સ્વરૂપમાં કોઈ ફાળો હોતો નથી અને તેથી જ વ્યંજનપર્યાયો વસ્તુસ્વરૂપના અંશરૂપે કહેવાતા નથી. ૧૬૦ ટૂંકમાં, અર્થપર્યાયો વસ્તુસ્વરૂપને અસર કરનારા છે... વસ્તુસ્વરૂપના અંશભૂત છે.. અને વસ્તુસ્વરૂપને આધીન છે. જ્યારે વ્યંજનપર્યાયો આવા નથી... ને માત્ર સંકેતને આધીન છે... માટે વ્યંજનપર્યાયો અર્થપર્યાયથી સાવ અલગ છે. શંકા - વ્યંજનપર્યાયો માત્ર સંકેતને આધીન છે... વસ્તુસ્વરૂપને આધીન નથી... આવું તમે જે કહો છો તે બરાબર નથી... જેમ કે નૈગમનય, પ્રસ્થક માટે છેદાતા લાકડામાં પણ પ્રસ્થકપદવાચ્યતા માને છે... વ્યવહારનય એમાં નથી માનતો... પણ પ્રસ્થક તૈયાર થઈ જાય-પ્રસ્થકાકાર ધારણ થાય ત્યારે માને છે... જ્યારે એની પણ ઉપરના નયો ધાન્ય મપાતું હોય વગેરે અવસ્થામાં માને છે... આમ વસ્તુના સ્વરૂપને નજરમાં લેવામાં આવે જ છે ને.. એ વગર ક્યાં પ્રસ્થકપદવાચ્યતા મનાય છે ? સમાધાન તે તે નયોએ, કેવા પદાર્થમાં કયો સંકેત કરવો એ માટે પોતપોતાની દૃષ્ટિ નક્કી કરી છે... ને એટલે તે તે સંકેત કરવા માટે વસ્તુનું અમુક ચોક્કસ સ્વરૂપ થયું છે કે નહીં ? તે તેઓ જુએ છે... જેમ કે એવંભૂતનય કહે છે કે ઘટનાત્ जलाहरणात् ઘટ: જે જળાહરણ કરતો હોય એમાં ‘ઘટ’પદવાચ્યતા છે. આમાં ઘટન = જળાહરણ આવો જે સંકેત છે તેને ધારો કે બદલીને પટન = જળાહરણ... આવો સંકેત કરી દેવામાં આવે તો પછી પટનાત્ ઞતાહરાત્ પટ: એમ વ્યુત્પત્તિ કરીને જળાહરણમાં વ્યાવૃત એ જ કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ‘પટ’પદવાચ્યતા પણ એ કહી શકે છે... શ્ ટ્ અ... આવી વર્ષાવલિથી નિષ્પન્ન ‘ઘટ’પદની વાચ્યતા કરતાં પ્ અ ટ્ અ... આવી વર્ષાવલીથી નિષ્પન્ન ‘પટ’પદની વાચ્યતા અલગ હોય જ, છે જ એ સ્પષ્ટ છે. એટલે વસ્તુસ્વરૂપમાં ફેરફાર વિના પણ સંકેત બદલીને તત્પદવાચ્યતાને બદલી શકાય છે, જુની કેન્સલ કરી શકાય છે. આવી બધી અન્ય પણ જે પૂર્વે કહી ગયો છું - તેવી તેવી વાસ્તવિકતા હોવાથી, નિશ્ચિત છે કે વ્યંજનપર્યાય મુખ્ય રીતે વસ્તુસ્વરૂપને આધીન નથી. = વ્યંજનપર્યાય અંગેની આટલી સ્પષ્ટતાને સ્થિર કર્યા પછી હવે શ્રી સમ્મતિગ્રંથમાં જે કહ્યું છે કે વ્યંજનપર્યાય અંગે પ્રથમ અને દ્વિતીય આ બે ભંગ જ સંભવે છે... એનો વિચાર = Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૬૧ કરીએ.. એ માટે સહુપ્રથમ અર્થપર્યાયના ત્રીજા વગેરે ભંગોનો વિચાર જરૂરી છે. આ વિચાર કરતાં કેટલીક વાતો ખ્યાલમાં આવે છે તે નીચે મુજબ છે - (૧) નયવિશારદ ગુરુભગવંત હોય.. ને શિષ્ય પણ નયોનું યથાયોગ્ય વિનિયોજન કરવાની પ્રતિભા ધરાવતો હોય... તો જ સૂક્ષ્મ રીતે નયો દ્વારા વિચારણા કરવી જોઈએ. આમ શાસ્ત્રમાં કહ્યું છે... કારણ કે નહીંતર અપરિણામ-અતિપરિણામ વગેરે દોષો થવાની સંભાવના ઊભી થાય છે... જેમ નયોની વિચારણા સૂક્ષ્મબુદ્ધિ માગે છે... એમ સપ્તભંગીની વિચારણા પણ સૂક્ષ્મબુદ્ધિની-જ્ઞાનાવરણ કર્મના વિશેષ પ્રકારના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે.. નહીંતર સાત ભાંગાઓનો માત્ર પોપટપાઠ જેવું થાય.. એના સૂક્ષ્મ રહસ્ય જાણવામાં આવતા નથી. ને તેથી વિપરીત બોધ-વિપરીત નિરૂપણ-વિપરીત વિવેચન બધાં જ દોષોની સંભાવના ઊભી થાય છે. એટલે પહેલી શરત આ સ્વીકારવા જેવી છે કે સપ્તભંગીના સંલગ્ન પ્રશ્નો-જિજ્ઞાસા ઊઠાવનાર શિષ્ય વગેરે પણ મેધાવી છે, જડબુદ્ધિ-અલ્પબુદ્ધિ નથી. () પ્રશ્નકર્તા મંદબુદ્ધિ નથી, એટલે નક્કી છે કે “ઘડો ક્રમશઃ શ્યામ અને રક્ત છે?” “ઘડો યુગપત્ શ્યામ અને રક્ત છે ?” “ઘડો વૃત્ત અને ચતુષ્કોણ છે ?” “ઘડો (ક્રમશ: કે યુગપત) અમદાવાદી અને વાપીયો છે ?” આવા બધા પ્રશ્ન એને ઊઠે જ નહીં, કારણ કે એ જાણતો જ હોય છે કે ઘડો જો શ્યામ હોય તો રક્ત ન જ હોય.... વૃત્ત હોય તો ચતુષ્કોણ ન જ હોય... એમ અમદાવાદી હોય તો વાપીયો ન જ હોય. શંકા - તો પછી ત્રીજાચોથા વગેરે ભંગમાં કેવા પ્રશ્ન હોય ? સમાધાન - એક આકાર અંગેનો પ્રશ્ન હોય તો એક વર્ણ અંગેનો હોય... (ને એ બેમાં એક “સ્વરૂપ હોય, એક “પરરૂપ હોય.. જો બન્ને “સ્વરૂપ હોય તો પ્રથમ ભંગમાં જ આવી જાય. બન્ને “પર”રૂપ હોય તો બીજા ભંગમાં જ આવી જાય.) અથવા એક દ્રવ્ય અંગેનો હોય ને એક ક્ષેત્ર અંગેનો હોય. (જેમ કે ઘડો મૃત્મય છે ? અને અમદાવાદી છે ?) અથવા એક દ્રવ્ય અંગેનો હોય ને એક કાળ અંગેનો હોય... (જેમ કે ઘડો અમદાવાદી છે ? ગ્રીષ્મઋતુજન્ય છે ?) ટૂંકમાં, ઘડામાં દ્રવ્યકૃતધર્મ, ક્ષેત્રકૃતધર્મ (તે પણ ઉત્પત્તિક્ષેત્રકૃતધર્મ, સ્થિતિક્ષેત્રકૃતધર્મ), કાળકૃતધર્મ (તે પણ ઉત્પત્તિકાળકૃતધર્મ, સ્થિતિકાળકૃતધર્મ), વર્ણકૃતધર્મ-રસકૃતધર્મ. સંસ્થાનકૃતધર્મ-પરિણામકૃતધર્મ વગેરે રૂપ ભાવકૃતધર્મ... આવા ઢગલાબંધ ધર્મો હોય છે... આ દરેક ધર્મ, તે વસ્તુના એક-એક અંશભૂત હોય છે. એમાં પણ દ્રવ્યકૃતધર્મરૂપ અંશ માટે અનેક વિકલ્પ સંભવિત હોય છે, જેમ કે મૃન્મયત્વ-સુવર્ણમયત્વ વગેરે.. એમ ક્ષેત્રાદિકૃતધર્મ રૂપ અંશ માટે પણ અમદાવાદીપણું-વાપીયાપણું વગેરે અનેક વિકલ્પો હોય છે. તે તે અનેક १. नत्थि नहिं विहणं सुत्तं, अत्थो य जिणमओ किंचि । आसज्ज उ सोयारं, नओ नयविसारओ बूया ॥ वि.आ.भा. २२७७ ।। Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિકલ્પોમાંથી એક “સ્વરૂપ હોય છે ને શેષ “પર”રૂપ હોય છે. મેધાવી શિષ્ય એક જ અંશના અનેક વિકલ્પોમાંથી બે વિકલ્પો ક્રમશઃ કે યુગપત્ સંભવી શકે નહીં. આ સ્વયં જાણી લેવાની પ્રતિભા ધરાવતો હોય છે. ને તેથી એવો - “ઘડો (ક્રમશઃ કે યુગપત) મૃન્મય અને સુવર્ણમય છે ?' આવા બધા આકારવાળો પ્રશ્ન એને ક્યારેય ઊઠતો નથી.. બે જુદા જુદા અંશસંલગ્ન પ્રશ્ન એને ઊઠી શકે છે. ભલે એ જાણતો નથી કે હું જે પૂછી રહ્યો છું તે “સ્વરૂપ છે કે “પર”રૂપ ? એટલે પ્રયોજનવશાત્ ઊઠેલી જિજ્ઞાસા ને ત ન્ય પ્રશ્નમાં જાતજાતની સંભાવના હોય છે. બન્ને અંશ “સ્વરૂપ હોય તો જવાબ પ્રથમ ભંગમાં ચાલ્યો જાય છે... બન્ને અંશ “પરરૂપ હોય તો જવાબ બીજા ભંગનો હોય છે. પણ બેમાંથી એક અંશ “સ્વરૂપ ને બીજો “પરરૂપ હોય તો ત્રીજો-ચોથો ભંગ આવે છે. યુગપતું હોય (= બન્ને અંશને ભેગા કરીને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય-જેમ કે “ઘડો મૃન્મયરક્ત છે ?' એવો પ્રશ્ન હોય) તો ત્રીજો ભંગ આવે છે અને ક્રમશઃ હોય ( બન્ને અંશના અલગ-અલગ સ્વતંત્ર ઉલ્લેખવાળા બે પ્રશ્ન ભેગા કર્યા હોય - જેમ કે “ઘડો મૃત્મય છે ? રક્ત છે ?”) તો ચોથો ભંગ આવે છે. આને અનુસરીને જ પાંચમો, છઠ્ઠો ને સાતમો ભંગ પણ સમજી શકાય છે. (આપણે આ વિચારણા પૂર્વે સવિસ્તર કરી ગયા છીએ.) એટલે નક્કી થાય છે કે સમભંગીના ત્રીજાથી સાતમા ભંગ માટે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપના વિવિધ અંશાત્મક અનેક ધર્મો જોઈએ છે. એટલે જ ચોથા ભંગમાં એક અંશ “સ્વરૂપે ને એક અંશ “પર”રૂપે... એમ કહ્યું છે. પણ એક અંશ “સ્વરૂપે ને એ જ અંશ “પર” રૂપે એમ નથી કહ્યું... માટે સ્પષ્ટ છે કે એ બન્ને અંશ અલગ-અલગ પ્રકારના હોવા જોઈએ. ક્રમશઃની વિરક્ષાવાળા ચોથા ભંગમાં જો આમ કહ્યું છે તો યુગપત્ની વિવક્ષાવાળા ત્રીજા વગેરે ભંગમાં પણ એવું જ હોવું જોઈએ એ સ્પષ્ટ છે. વળી, ઉપર કહ્યા મુજબ અર્થપર્યાય રૂપે ધર્મો તો અનેક અંશરૂપે સંભવિત હોય છે જ ને તેથી એ અંગે સપ્તભંગી સંભવિત છે જ. પણ વ્યંજનપર્યાય અનેક = વિવિધ અંશરૂપ હોતા જ નથી. માત્ર સંકેતકૃતવાચ્યતા. આ એક જ સ્વરૂપના વ્યંજનપર્યાયો હોય છે. તેથી દ્રવ્યકૃતધર્મ, ક્ષેત્રકૃતધર્મ. વગેરે રૂપ જુદા-જુદા અંશ જેવું કશું છે જ નહીં. માટે એક અંશ “સ્વરૂપે ને એક (= બીજો) અંશ “પર”રૂપે આવું કશું સંભવિત જ ન હોવાથી ત્રીજા વગેરે ભંગ વ્યંજનપર્યાય અંગે મળી શકતા નથી. અથવા બીજી રીતે કહીએ તો, અર્થપર્યાયો અલગ-અલગ પ્રયોજન સારે છે. તેમજ ભેગા થઈને વસ્તુનું સ્વરૂપ ઘડે છે. એટલે ઘડાના અમદાવાદીપણાંનું પણ પ્રયોજન હોય ને ચોરસપણાનું પણ પ્રયોજન હોય. આવું સંભવિત હોવાથી બન્નેની અપેક્ષા નિર્માણ થાય છે ને તેથી ક્રમશઃ વાળો ભંગ અસ્તિત્વમાં આવે છે. તેમજ ઘડામાં અમદાવાદીપણું ને ચોરસપણે બન્ને ભેગા થાય તો કોઈક નવી વિશેષતા પણ આવે છે. જેના કારણે, અમદાવાદીપણાનું ને ચોરસપણાનું જે જે સ્વતંત્ર પ્રયોજન હોય છે તે વિશેષરૂપે સરે છે... અથવા ક્યારેક એ બે સિવાય ત્રીજું પણ કોઈક નવું જ પ્રયોજન સારવાનું સામર્થ્ય પણ Page #182 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૬૩ ઘડામાં પેદા થાય છે... ને તેથી આ બન્ને ભેગા હોય એવી અપેક્ષા પણ ઊભી થતી હોય છે... ને એના કારણે યુગપાળા ભંગો અસ્તિત્વમાં આવે છે. પણ વ્યંજનપર્યાયોમાં આવું કશું સંભવિત હોતું નથી... પદાર્થને શબ્દ દ્વારા વ્યક્ત કરવો... આ એક માત્ર પ્રયોજન સિવાય એનું કોઈ જ પ્રયોજન હોતું નથી. એટલે બે અલગ-અલગ પ્રયોજનથી બેની જિજ્ઞાસા નિર્માણ થાય.. વગેરે સંભવિત જ નથી. વળી વ્યંજનપર્યાયો પરસ્પર એકદમ નિરપેક્ષ હોય છે... એટલે બે પર્યાય ભેગા થઈને ત્રીજું કોઈ નવું જ પ્રયોજન સારે એવી કશી પણ એમાં સંભાવના હોતી નથી... શંકા ઊભી કરે છે ને ! આ જ એક નવું પ્રયોજન ન કહી શકાય ? - ‘નીલ’પદવાચ્યતા ને ‘ઘટ’પદવાચ્યતા ભેગી થઈને ‘નીલઘટ’પદવાચ્યતા સમાધાન ના, આવું પણ કહેવું આવશ્યક નથી, કારણ કે વાચ્યતાત્વેન બધી વાચ્યતાઓ એક સમાન હોય છે... ને શબ્દ દ્વારા પદાર્થનું અભિવ્યંજન કરવું એ રૂપે બધાનું પ્રયોજન પણ એકસરખું જ હોય છે... એમાં કોઈ વિશેષ વિશેષતા સંભવિત જ નથી... એમ નવા-નવા સંકેત કરવામાં આવે તો એકલો ‘ઘટ' શબ્દ પણ નીલઘટને જણાવી શકે છે. ને ખાલી ‘ઘ’વર્ણ પણ નીલઘટને જણાવી શકે છે. અર્થાત્ નીલઘટમાં માત્ર ‘ઘટ’પદવાચ્યતાં પણ સંભવી શકે છે ને માત્ર ‘ધ’પદવાચ્યતા પણ સંભવી શકે છે... અને એ માટે ‘નીલ’પદવાચ્યતા અને ઘટ'પદવાચ્યતા કશો જ ભાગ ભજવતી હોતી નથી... એટલે બે વાચ્યતાઓ ભેગી થઈને કોઈ વિશિષ્ટ પ્રયોજન સારે છે એવું પણ કશું છે નહીં... માટે પણ એવી કોઈ જિજ્ઞાસાઓ કે તદનુરૂપ પ્રશ્ન નિર્માણ થતા ન હોવાથી ત્રીજો વગે૨ે ભંગ વ્યંજનપર્યાય અંગે હોતો નથી. હવે એક બીજો વિચાર કરીએ... ઘડાને ‘ઘટ' જે કહેવાય છે તે, એ કંબુગ્રીવાદિમાન છે ને જળાહરણ કરે છે... માત્ર આટલા કારણે જ નહીં... પણ એમાં ‘ઘટ'પદવાચ્યતા છે એ કારણે પણ... નહીંતર ધારો કે સંકેત બદલી નાખવામાં આવે કે કંબુગ્રીવાદિમાન્ પદાર્થને ‘પટ’ કહેવો... તો એ કંબુગ્રીવાદિમાન્ વગેરે રહેવા છતાં ‘ઘટ' નહીં જ કહેવાય... એ વખતે ઘટોઽસ્ત ન વા? એવા પ્રશ્નનો જવાબ મ્યાત્રાત્યેવ એવો જ આપવો પડે. એમ કાળાશ હોવા માત્રથી ઘડાને ‘શ્યામ' નથી કહેવાતો, પણ ‘શ્યામ'પદવાચ્યતા પણ એમાં રહેલી છે, માટે એને ‘શ્યામ' કહેવાય છે... અન્યથા સંકેત બદલી નાખવામાં આવે ને કાળાશને 'શ્વેત' શબ્દથી બોલાવવાનો સંકેત કરવામાં આવે તો એ જ ઘડાને ઉદ્દેશીને શ્વેતોઽસ્તિ નવા ? પ્રશ્નના જવાબમાં સ્વાસ્યેવ કહેવું પડે ને શ્યામોઽસ્ત ન વા? પ્રશ્નના જવાબમાં સ્થાન્નાસ્યેવ કહેવું પડે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એટલે, શ્યામોડસ્તિ ન વા એવા પ્રશ્નના જવાબમાં સ્વાસ્યેવ શ્યામ: જે કહેવાય છે તે ઘડાની કાળાશરૂપ અર્થપર્યાયને પણ જણાવી શકે છે ને ‘શ્યામ’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયને પણ જણાવી શકે છે... એમ રોડક્તિ 7 વા એવા પ્રશ્નના જવાબમાં સ્વાસ્ત્યિવ રહ: જે કહેવાય છે તે ઘડામાં લાલાશરૂપ અર્થપર્યાયના નિષેધને પણ જણાવી શકે છે ને ‘રક્ત’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયના નિષેધને પણ જણાવી શકે છે. ૧૬૪ શંકા - શ્યામ-વૃત્ત ઘડા અંગે જ્યારે ઘડો વૃત્ત છે ? રક્ત છે ? આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે સ્વાસ્યેવ વૃત્ત: (અથવા સ્વાર્ વૃત્ત વ) સ્વાશાસ્યેવ રૉઃ (અથવા સ્માર્ત્ત એવ) આવો જવાબ આપવામાં આવે છે જે અર્થપર્યાયસંલગ્ન સપ્તભંગીના ચોથા ભંગ તરીકે લેવાયેલ છે... તો ઉપર જણાવ્યા મુજબ આ જવાબ ‘વૃત્ત’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયને પણ જણાવી શકે છે અને ‘રક્ત’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયના નિષેધને પણ જણાવી શકે છે... તો વ્યંજનપર્યાય અંગે પણ ક્રમશઃ વિધિ-નિષેધવાળો ચોથો ભંગ સંભવિત છે જ ને ? સમાધાન - ના, કારણ કે આ જવાબમાં સ્થાવસ્ક્લેવ વૃત્ત: જવાબનો વ્યંજનપર્યાયના સંદર્ભમાં જે અર્થ છે કે સ્વાવÒવ ‘વૃત્ત‘પવવાચ્યતા... તેનો પ્રથમ ભંગમાં સમાવેશ થઈ જાય છે ને સ્વાન્નાસ્ચેન રહ: જવાબનો વ્યંજનપર્યાયના સંદર્ભમાં જે યાત્રાત્યેવ રપાન્યતા એવો અર્થ છે તેનો દ્વિતીયભંગમાં સમાવેશ થઈ જાય છે... માટે સ્વતંત્ર ચોથા ભંગ જેવું કશું રહેતું જ નથી. શંકા - તો પછી અર્થપર્યાય અંગે પણ એ જવાબનો ક્રમશઃ પ્રથમ અને દ્વિતીયભંગમાં જ સમાવેશ કરી દ્યો ને... ત્યાં પણ સ્વતંત્ર ચોથો ભંગ માનવાની શી જરૂર છે ? સમાધાન જ્યારે વૃત્તઘટનું પ્રયોજન ઊભું થયું હોય ત્યારે ‘ઘડો વૃત્ત છે ?' આટલો પ્રશ્ન ઊઠે છે ને પ્રથમભંગનો સ્વાસ્યેવ જવાબ અપાય છે... જ્યારે રક્તઘટનું પ્રયોજન ઊભું થયું હોય છે ત્યારે ઘડો રક્ત છે ?' પ્રશ્ન ઊભો થાય છે અને સ્વાશાસ્ત્યવ એવા બીજા ભંગનો જવાબ અપાય છે.. પણ જ્યારે વૃત્તઘડાનું પણ પ્રયોજન ઊભું થયું છે ને રક્તઘડાનું પણ પ્રયોજન ઊભું થયું છે... એટલે કે બે પ્રયોજન ઊભા થયા છે... ને અધિકૃત એક જ ઘડાથી આ બન્ને પ્રયોજન સરી જાય એવી અપેક્ષા ઊભી થઈ છે... માટે એ એક જ ઘડા અંગે બન્નેના ભેગા ઉલ્લેખવાળો એક ઘડો વૃત્ત છે ? અને ૨ક્ત છે ?” એવો પ્રશ્ન પૂછાયો છે... માટે એનો જવાબ પણ સ્વાસ્યેવ-સ્યાત્રાત્યેવ આવો વિધિ-નિષેધ બન્નેના ઉલ્લેખવાળો એક જ અપાય છે. એટલે એના ટુકડા કરીને બે અલગ-અલગ જવાબ બનાવી પ્રથમ-દ્વિતીયભંગમાં એનો સમાવેશ કરાતો નથી. - પણ વ્યંજનપર્યાય માટે એવું નથી.. પદ દ્વારા પદાર્થનું અભિવ્યંજન કરવું એ એનું પ્રયોજન છે. એક પદ દ્વારા બે પદાર્થોનું અભિવ્યંજન કરવાનો અહીં પ્રસ્તાવ નથી... બે Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૬૫ અલગ-અલગ પદ છે.. ને એનાથી વિક્ષિત પ્રયોજન સરી શકે એમ છે કે નહીં? એનો વિચાર છે... ‘વૃત્ત’પદ્મવાવ્યોઽસ્તિ? ‘રત્ન'પવવાયોઽસ્તિ ? માટે બન્નેને સ્વતંત્ર પ્રશ્ન તરીકે લઈ શકાય છે ને તેથી પ્રથમ-દ્વિતીય ભંગમાં એનો સમાવેશ થઈ જતો હોવાથી નવો સ્વતંત્ર ભંગ માનવાનો રહેતો નથી. શંકા - છતાં, અર્થપર્યાયમાં જેમ ત્રીજા ભંગમાં વૃત્તરક્તઘટનો અખંડ વિચાર યુગપત્ છે અને ઘડો વૃતરક્ત છે ? એવા પ્રશ્નના જવાબમાં સ્થાવાત્ત્વ એવ એમ કહેવાય છે... એમ વ્યંજનપર્યાયમાં પણ ‘વૃત્ત' પદ એક જ લેવાથી (વૃત્ત અને રક્ત પદને અલગઅલગ ન લેવાથી) પ્રશ્ન આવો બનશે કે વૃત્તાપવાવ્યોઽસ્તિ 7 વા?... ને એના જવાબનો કાંઈ પ્રથમ-બીજા ભંગમાં સમાવેશ કરી શકાવાનો નથી, કારણ કે બે પદ અલગ અલગ નથી, એક અખંડપદ છે... એટલે, વૃત્તત્વ હોવાથી ને રક્તત્વ ન હોવાથી-યુગપત્ કહેવા માટે અર્થપર્યાયમાં જેમ સત્ત્વ-અસત્ત્વ કશું કહી શકાતું ન હોવાથી સ્યાદ્વાવ્ય એવ કહેવું પડેલું એમ પ્રસ્તુતમાં પણ અધિકૃત ઘડો ‘વૃત્ત’પદવાચ્ય છે, ‘રક્ત'પદવાચ્ય નથી... માટે ‘એ વૃત્તરક્તપદવાચ્ય છે કે નહીં ?' એ પ્રશ્નના જવાબમાં સ્થાવાત્ત્વ એવ એમ કહેવું જ પડશે ને? ને તો પછી ત્રીજો ભંગ કેમ નહીં મળે? સમાધાન - ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજે આમાં વિરોધ દર્શાવ્યો છે. કારણ કે એક બાજુ અવક્તવ્ય = અવાચ્ય કહેવું... ને એને જ શબ્દવિષય = વાચ્ય કહેવું એમાં વિરોધ હોવો સ્પષ્ટ છે જ. આમાં આશય એ છે કે જે ઘડો વૃત્તરક્ત છે જ એ અંગે આ પ્રશ્ન પૂછાયો હોય કે વૃત્તરોઽસ્તિ 7 વા ? તો વ્યંજનપર્યાયના સંદર્ભમાં એ પ્રશ્ન વૃત્તરòપવવાવ્યોઽસ્ત 7 વા ? આવો બને, ને એનો જવાબ સ્વાસ્યેવ વૃત્તાપાત્ત્વ: આવો આવે. એમ ધારો કે ચોરસ શ્યામઘટ અંગે આ પ્રશ્ન હોય તો વ્યંજનપર્યાયના સંદર્ભમાં એનો જવાબ સ્વાશાસ્ત્રેવ વૃત્તાપવવા: એવો આવે, કારણ કે ચોરસશ્યામઘડા માટે એ ‘પર’પર્યાયરૂપ છે. હવે આ જ રીતે વૃત્તશ્યામ ઘડા અંગે પ્રશ્ન હોય ત્યારે એનો જવાબ ‘સ્થાવાચ્ય એવ વૃત્તરત્ત્તપાત્ત્વ:' આવો જ આપવો પડે. એટલે કે પહેલાં ‘અવાચ્ય' કહેવું પડે ને પછી વાચ્ય કહેવું પડે જેમાં વિરોધ હોવો સ્પષ્ટ છે જ. શંકા આમાં વિરોધ નથી. કારણ કે શાસ્ત્રોમાં ભાવો બે પ્રકારના કહ્યા છેઅભિલાપ્ય અને અનભિલાપ્ય... આમાં જે ભાવોને અભિલાપ્ય કહ્યા છે તે પણ છેવટે ‘અનભિલાપ્ય’ શબ્દથી અભિલાપ્ય છે જ ને. એવું જ પ્રસ્તુતમાં છે. સ્થાવાત્ત્વ એવ નો અર્થ યાત્‘અવાવ્ય 'પાત્ત્વ એવ એવો છે. એટલે ‘અવાચ્ય' પણ વાચ્ય હોવામાં કોઈ વિરોધ નથી... - સમાધાન સ્વાદ્બવાવ્ય એવ આવા ભંગમાં અવાચ્ય પદ છે એનો અર્થ શું છે? એ વિચારવાથી આ શંકા ઊભી નહીં રહે... ‘અવાચ્ય' પદ ‘અવાચ્ય’પદવાચ્યતાને પણ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જણાવી શકે છે ને સર્વપદવાચ્યત્વાભાવને પણ જણાવી શકે છે... અર્થપર્યાયઅંગેની સપ્તભંગીના ત્રીજા ભંગમાં આ શબ્દ છે જ.. ને ત્યાં એનો અર્થ ‘અવાચ્યપદવાચ્યતા' આવો લઈ શકાતો નથી. તે પણ એટલા માટે કે કોઈપણ એક પદ મુખ્યવૃત્તિએ એક સાથે અસ્તિત્વ-નાસ્તિત્વને જણાવી શકે એમ નથી એ આપણે વિચારી ગયા છીએ... એટલે જો અવાચ્યપદવાચ્યતાને જણાવનારો આ ‘અવાચ્ય' શબ્દ હોય તો તો એ શબ્દની વાચ્યતા જ યુગપત્ અસ્તિત્વ નાસ્તિત્વમાં આવી જવાથી કોઈપણ એક શબ્દ એ જણાવી શકતો નથી... વગે૨ે વાત ઊભી જ ન રહી શકે. પણ એ વાત તો સિદ્ધ થયેલી જ છે. માટે સ્યાદ્વાવ્ય એવ દ્વારા યુગપત્ અસ્તિત્વ-નાસ્તિત્વમાં ‘અવાચ્ય’પદવાચ્યતા જણાવવાનો અભિપ્રાય નથી જ એ સ્પષ્ટ છે. તેથી ત્યાં ‘ઘટ' ‘પટ' વગેરે સંભવિત સર્વપદોથી અવાચ્ય છે-એવું જ જણાવવાનો આશય છે એ સ્પષ્ટ છે. ઢાળ-૪ : ગાથા-૧૩ એટલે પ્રસ્તુતમાં વ્યંજનપર્યાય અંગે જો ‘ચાવવાવ્ય એવ વૃત્તરરુપવાસ્થ્ય:' આવો ભંગ લઈએ તો એમાં પૂર્વાપરિવરોધ આવે જ, કારણ કે આનો અર્થ આવો થાય છે કે ‘વૃત્તરક્ત’પદથી વાચ્ય જે પદાર્થ તે અવાચ્ય છે... જેને વાચ્ય કહ્યો એને જ અવાચ્ય કહેવો એમાં વિરોધ સ્પષ્ટ છે. માટે વ્યંજનપર્યાય અંગે ‘અવાચ્ય’પદના ઉલ્લેખવાળા ભંગ સંભવિત નથી. પ્રશ્ન - પણ જો આ રીતે ચાવવાજ્ય એવ એવો ભંગ વ્યંજનપર્યાયમાં સંભવતો નથી, તો અધિકૃતઘડા વિશે, વ્યંજનપર્યાય અંગે ‘આ ઘડો વૃત્તરક્ત છે?” (અર્થાત્ આ ઘડો ‘વૃત્તરક્ત’પદવાચ્ય છે?) આવા પ્રશ્નનો જવાબ શું આપશો? ઉત્તર સ્યાશાસ્ત્યવ એવા બીજા ભંગનો જ જવાબ અહીં પણ સમજવો.... પ્રશ્ન - તો પછી અર્થપર્યાયમાં પણ આવા પ્રશ્નના ઉત્તરમાં આ બીજા ભંગનો જ જવાબ સમજી લેવો જોઈએ... ત્રીજા વગે૨ે ભંગની શી જરૂર છે? ઉત્તર - ત્યાં એવો અર્થ સમજવામાં એ આપત્તિ આવે છે કે - અધિકૃત વૃત્તશ્યામઘડા અંગે આ ચોરસરક્ત ઘડો છે?” આવા પ્રશ્નના જવાબમાં સ્યાશાસ્ત્યવ એવો જે જવાબ અપાય છે ને એનાથી, અધિકૃતઘડામાં ચોરસપણાંનો ને રક્તપણાંનો બન્નેનો નિષેધ જણાય છે તેમ પ્રસ્તુતમાં પણ એ જ જવાબ આપવામાં આવે તો એનાથી અધિકૃતઘડામાં વૃત્તપણાંનો અને શ્યામપણાંનો... બન્નેનો અભાવ (નિષેધ) જણાશે, જે ગલત છે, કારણ કે અધિકૃતઘડામાં વૃત્તપણું તો રહેલું જ છે. પ્રશ્ન - તો પછી વ્યંજનપર્યાયમાં પણ આ આપત્તિ નહીં આવે ? અર્થાત્ યાત્રાસ્યું... આવો જવાબ તમે આપશો તો ‘વૃત્ત’પદવાચ્યતાનો અને ‘રક્ત’પદવાચ્યતાનો... બન્નેનો અધિકૃત ઘડામાં નિષેધ જણાશે, જે ગલત છે જ, કારણ કે અધિકૃતઘડામાં ‘રક્ત’પદવાચ્યતા ભલે નથી... ‘વૃત્ત’પદવાચ્યતા તો છે જ. Page #186 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૬૭ ઉત્તર - ના, વ્યંજનપર્યાયમાં આવી આપત્તિ આવતી નથી. પ્રશ્ન - એ શી રીતે ? ઉત્તર - આ રીતે આપણે વિચારી ગયા છીએ કે અર્થપર્યાયો વસ્તુના પરિપૂર્ણસ્વરૂપના એક-એક અંશભૂત છે. એનો અર્થ જ કે અર્થપર્યાયો પરસ્પર મળી શકે છે. ને પરસ્પર ભેગા થઈને વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને ઘડે છે. એટલે અર્થપર્યાયની દૃષ્ટિએ વિચારીએ તો વૃત્તરક્ત' એટલે વૃત્તપણે + રક્તપણું. ને તેથી જવાબમાં યાત્રીક્વેવ કહેવાથી બન્નેનો નિષેધ થઈ જાય છે, જેમ “ચોરસરક્ત' અંગેના જવાબમાં એ કહેવાથી ચોરસપણું અને રક્તપણું... એ બન્નેનો નિષેધ થઈ જાય છે, તેમ. પણ અધિકૃતઘડામાં વૃત્તપણું તો છે જ, માટે સ્થાધૈિવ જવાબ સાચો ઠરી શકતો નથી. પણ વ્યંજનપર્યાયમાં આવું નથી. આપણે વિચારી ગયા છીએ કે વ્યંજનપર્યાયો વસ્તુસ્વરૂપને ઘડતા નથી... વસ્તુસ્વરૂપને અસર કરતા નથી... પરસ્પર સાવ નિરપેક્ષ હોય છે... એક બીજા વ્યંજનપર્યાયો ભેગા મળતા નથી... એટલે “વૃત્તરક્ત પદવાણ્યતા એ એક સ્વતંત્ર વાચ્યતા છે. એ કાંઈ “વૃત્ત’પદવાણ્યતા + “રક્તપદવાણ્યતા... એમ બે વાચ્યતાઓ ભેગી મળીને બનેલી-બંનેના મિશ્રણરૂપ વાચ્યતા નથી, અર્થાત્ એ “વૃત્ત'પદવાણ્યતા વિશિષ્ટ રક્ત'પદવાણ્યતારૂપ કે “રક્ત'પદવાચ્યતાવિશિષ્ટ “વૃત્ત’પદવાણ્યતારૂપ નથી. આમ માનવું આવશ્યક પણ છે જ, કારણ કે - (૧) “હરિમૈગમેષી' પદવાણ્યતા હરિશૈગમેલી દેવમાં છે, પણ “હરિ’પદવાચ્યતા નથી... (૨) ઉપકુમ્ભ નર પશ્ય...માં નરમાં ‘ઉપકુંભ'પદવાણ્યતા છે, પણ “કુંભ'પદવાણ્યતા નથી. (૩) ધારો કે વાચ્યતાઓ પણ ભેગી થતી હોય એટલે કે એક વાચ્યતા વિશિષ્ટ અપરવાચ્યતા બની શકતી હોય તો નીલઘટમાં “ઘટનીલ'પદવાણ્યતા પણ આવવી જોઈએ. આશય એ છે કે “ઘટ' શબ્દ “ઘટત્વજાતિમાને જણાવે છે જ્યારે “નીલ” શબ્દ નીલવર્ણાત્મક ગણવાનને જણાવે છે. એવો નિયમ છે કે આવી પરિસ્થિતિઓમાં જાતિમાનને જણાવનાર જ વિશેષ્ય બને. એટલે “નીલ ઘટ’ એવો જ સમાસ થઈ શકે છે, પણ “ઘટનીલ એવો સમાસ નહીં. પણ વાચ્યતાઓમાં તો આવો કોઈ ભેદ નથી. બધી વાચ્યતાઓ સરખી જ છે. એટલે “નીલ”પદવાતા વિશિષ્ટ “ઘટ’પદવાણ્યતા જેમ બની શકે એમ “ઘટ’પદવાણ્યતા વિશિષ્ટ 'નીલ'પદવાણ્યતા પણ બની શકવી જ જોઈએ. અને તો પછી નીલઘટમાં ઘટનીલ'પદવાણ્યતા પણ આવવી જોઈએ. પણ એ મનાતી નથી. આ બધી હકીકતો તથા પૂર્વે કરેલી વિચારણાઓ સાબિત કરે છે કે વાચ્યતાઓ ભેગી થતી નથી.... બધી સ્વતંત્ર જ રહે છે... અને તેથી “વૃત્તરક્ત'પદવાચ્યતા એ કાંઈ “વૃત્ત'પદવાણ્યતા વિશિષ્ટ (+) રક્તપદવાચ્યતા સ્વરૂપ નથી કે જેથી એના અંગે ફ્લેવ એવો જવાબ આપવામાં વૃત્ત’પદવાણ્યતાનો પણ નિષેધ થઈ જાય, જે ગલત હોવાથી સ્ત્રીચેવ જવાબ ખોટો ઠરી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અથવા સવિકલ્પ શબ્દ - સમભિરૂઢ નયમતાં, અનઈ નિર્વિકલ્પ એવંભૂતનયમતાં, ઈમ ૨ ભંગ જાણવા. અર્થનય પ્રથમ ૪ તો વ્યંજનપર્યાય માનઈ નહીં. તે માટS - તે નયની ઇહાં પ્રવૃત્તિ નથી. અધિકું અનેકાન્ત વ્યવસ્થાથી જાણવું - __ तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयप्रतिपत्तिस्थले स्यात्कारलाञ्छिततावन्नयार्थप्रकारकसमूहालम्बनबोधजनक एक एव भङ्ग एष्टव्यः, व्यञ्जनपर्यायस्थले भङ्गद्वयवद् । यदि च सर्वत्र सप्तभङ्गीनियम एव आश्वासः, तदा - चालनीयन्यायेन तावन्नयार्थनिषेधबोधको द्वितीयोऽपि भङ्गः तन्मूलकाश्चान्येऽपि तावत्कोटिकाः पंच भङ्गाश्च कल्पनीयाः, इत्थमेव निराकाङ्क्षसकलभङ्गनिर्वाहाद् इति युक्तं पश्यामः । શકે.. “વૃત્તરક્ત' પદવાણ્યતા એ “વૃત્ત'પદવાણ્યતા કે “રક્ત'પદવાણ્યતાથી સર્વથા ભિન્ન એવી એક સ્વતંત્રવાચ્યતા છે. (જેમ કે વૃત્તરક્તઘટને “ક” કહેવો આવો સંકેત કર્યો હોય તો એમાં ‘ક’ પદવાણ્યતા આવે જે “વૃત્ત'પદવાણ્યતા કે “રક્ત'પદવાણ્યતાથી સર્વથા ભિન્ન છે, તેમ). આવી સર્વથા અલગ એવી “વૃત્તરક્તપદવાણ્યતા અધિકૃત વૃત્તશ્યામઘટમાં છે જ નહીં (અર્થાત્ એનું માત્ર નાસ્તિત્વ જ છે... “અસ્તિત્વ-નાસ્તિત્વ' બન્ને છે એવું નથી...) માટે એવા પ્રશ્નના જવાબમાં નીચે જ કહેવાનું રહે છે, જે બીજા ભંગ રૂપ હોવાથી સ્વતંત્ર ત્રીજો ભંગ માનવાનો હોતો નથી. આ બધી વિચારણાઓથી નક્કી થાય છે કે અર્થપર્યાય અંગે સાતે ભંગ હોય છે ને વ્યંજનપર્યાય અંગે માત્ર પ્રથમ બે ભંગ હોય છે. અથવા સવિકલ્પ શબ્દ... ‘યંજનપર્યાય અંગે તો સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે જ હોય છે' આવું સમ્મતિતર્કપ્રકરણની ગાથામાં જે કહ્યું છે એની ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ અથવા કહીને જુદી રીતે વ્યાખ્યા કહે છે. અથવા સવિકલ્પ શબ્દ અને સમભિરૂઢનયમતે... અને નિર્વિકલ્પ = એવંભૂતનયમતે.... (શબ્દનય ઘટમાં ઘટ'પદવાણ્યતાની જેમ “કળશ”પદવાણ્યતા-કુંભ'પદવાણ્યતા વગેરે વિકલ્પો પણ માને છે. સમભિરૂઢનય ઘટન= જળાહરણક્રિયામાં જોડાયેલા અને નહીં જોડાયેલા એવા બશે વિકલ્પવાળા ઘડામાં ઘટ'પદવાણ્યતા માને છે. આમ આ બન્ને નયો વિકલ્પવાળા હોવાથી “સવિકલ્પ' શબ્દથી ગૃહીત થાય છે. જયારે એવંભૂતનય તો ઘટનક્રિયામાં જોડાયેલા ઘટમાં જ “ઘટપદવાણ્યતા માને છે, એ સિવાયના ઘડામાં પણ માનતો નથી. માટે એને કોઈ વિકલ્પ ન હોવાથી એ નિર્વિકલ્પ છે.) એટલે અર્થ આવો મળશે કે વ્યંજનપર્યાયમાં સવિકલ્પ = શબ્દ-સમભિરૂઢ આ બે નયમને અને નિર્વિકલ્પ=એવંભૂતનયમિતે જ વિચારણા હોય છે અને તેથી બે ભંગ જ મળે છે. નૈગમ વગેરે પ્રથમ ચાર નયો તો અર્થનય છે, તેઓ વ્યંજનપર્યાય માનતા નથી. તેથી તે નયોની ઈહા = વ્યંજનપર્યાયમાં પ્રવૃત્તિ હોતી નથી (= વ્યંજનપર્યાય અંગે વિચારણા હોતી નથી). આ અંગેની અધિક વિચારણા અનેકાન્તવ્યવસ્થા ગ્રંથથી જાણવી. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટાળ-૪ : ગાથા-૧૩ એ વિચાર સ્યાદ્વાદ પંડિતઈ સૂક્ષ્મ બુદ્ધિ ચિત્તમાંહિ ધારવો. / ૪-૧૩ || ત્યાં જણાવ્યું છે કે તે આ પ્રમાણે : એક જ વિષયમાં (પ્રસ્થક - વસતિ - પ્રદેશાદિ અંગે) જ્યાં દરેક નયની પોતપોતાની માન્યતા અલગ હોય ત્યાં, સ્વાત્કાર લગાડેલો, તે બધા નયમાન્ય અર્થ જેમાં પ્રકારરૂપે ભાસે એવા સમૂહાલંબન બોધનો જનક એક જ ભંગ માનવો જોઈએ. અર્થાત્ આવા એક જ ભંગથી પણ જુદા-જુદા નિયમાન્ય સ્વરૂપોની સંક્લના થઈ જવાથી વસ્તુનો નિરાકાંક્ષ બોધ થઈ જાય છે. શંકા - પદાર્થના સંપૂર્ણ બોધ માટે સાતે ભંગ જોઈએ જ એવો નિયમ નહીં ? સમાધાન - ના, જેમ વ્યંજનપર્યાયમાં બે જ મંગથી નિરાકાંક્ષ બોધ થઈ જાય છે, એમ પ્રસ્તુતમાં એક ભંગથી પણ એ થઈ જવામાં કોઈ વાંધો જણાતો નથી... શંકા - વ્યંજનપર્યાયમાં તો ત્રીજા વગેરે સંગ સંભવતા જ નથી, માટે માત્ર બે ભંગ છે. અર્થપર્યાયમાં તો સાતે ભંગ સંભવે છે. માટે સાતે ભંગ ન જોઈએ ? સમાધાન - જો આ રીતે સાતે ભંગ હોવા જ જોઈએ એવા નિયમમાં જ શ્રદ્ધા છે, તો ચાલનીન્યાયથી, વિવક્ષિતનયભિન્ન બધા નયને માન્ય અર્થનો નિષેધ જણાવનાર બીજો ભંગ સમજવો. આશય એ છે કે પહેલા નૈગમનયમાન્ય અર્થનો વિધિ (સાયેવ) લેવો. પછી બાકીના બધા નયને માન્ય અર્થનો નિષેધ (યાત્રત્યેવ) એવો બીજો ભંગ લેવો... ને પછી આ બન્ને ભંગને અનુસરીને બાકીના પાંચ ભંગ પણ સમજી લેવા. આ એક સપ્તભંગી થઈ. હવે, સંગ્રહમાન્ય અર્થનો વિધિ... અને બાકીના નૈગમ વ્યવહાર વગેરે બધા નયને માન્ય અર્થનો નિષેધ.. આને અનુસરીને સાતભંગ કરવા... ત્યારબાદ વ્યવહારનયમાન્ય અર્થનો વિધિ જણાવતો પ્રથમ ભંગ” અને બાકીના નગમ-સંગ્રહ-જુસૂત્ર વગેરે બધા નયને માન્ય અર્થનો નિષેધ જણાવતો બીજો ભંગ... અને પછી એને અનુસરીને ત્રીજી સપ્તભંગી... આમ ચાલનીયન્યાયથી નૈગમ વગેરે બધા એક-એક નયને વિધિપક્ષમાં રાખી-શેષનયોને નિષેધપક્ષે રાખી જેટલા નયનો વિષય અલગ પડતો હોય એટલી સાત-છ-પાંચ વગેરે સપ્તભંગીઓ માનવી. આ રીતે જ નિરાકાંક્ષપણે સકલ ભંગનો નિર્વાહ શક્ય બને છે. એમ અમને (ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને) યુક્ત લાગે છે. સપ્તભંગી અંગેનો આ વિચાર ઘણો સૂક્ષ્મ છે. માટે સ્યાદ્વાદને પરિણમાવનાર પંડિતે સૂક્ષ્મબુદ્ધિ દ્વારા એને ચિત્તમાં ધરવો જોઈએ. || પ૩ // Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઢાળ-૪ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સપ્તભંગ એ દઢ અભ્યાસી, જે પરમારથ દેખાઈ રે ! જસ કીરંતિ જગિ વાધઈ તેહની, જન ભાવ તસ લેખઈ રે ! ૪-૧૪ | ટબો - ફલિતાર્થ કહઈ છઈ - એ કહિયા જે સપ્તભંગ, તે દૃઢ અભ્યાસ સકલાદેશ વિકલાદેશ નયસભંગ પ્રમાણસપ્તભંગ ઇત્યાદિ ભેદઈ ઘણો અભ્યાસ કરી, જે પરમાર્થ દેખઈ, જીવાજીવાદિ પરમાર્થ રહસ્ય સમજઇ, તેહની યશકીર્તિ વાધઈ. જે માટઈ સ્યાદ્વાદપરિજ્ઞાન જ જૈનનઈ તર્કવાદનો યશ છઇ. અનઈ જૈનભાવ પણ તેહનો જ લેખઈ. જે માર્ટેિ નિશ્ચયથી સમ્યકત્વ સ્યાદ્વાદપરિજ્ઞાને જ છd. उक्तं च सम्मतौ - चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा ।। વરVIRUસ સારં, નિચ્છથયુદ્ધ યાતિ / રૂ-૬૭ | (સ0 પ્ર0) ગાથાર્થ - આ સપ્તભંગીના દૃઢ અભ્યાસ દ્વારા જે પરમાર્થને દેખે છે તેના યશ અને કીર્તિ વિશ્વમાં ખૂબ વધે છે. તેને મળેલું જૈનપણું લેખે છે. ૪-૧૪ || વિવેચન - ફલિતાર્થ કહઈ છઈ....સપ્તભંગીનું નિરૂપણ વગેરેનો ફલિતાર્થ કહે છે - અર્થાત્ એનો મહિમા દર્શાવે છે-આ જે સાત ભંગ કહ્યા તેનો પૂર્વાપરવિરોધ ન થાય...એવા ઊંડા પરિશીલન પૂર્વક જ્યારે દૃઢ અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગ, પ્રમાણ સપ્તભંગ...વગેરે ભેદો સ્પષ્ટ થાય છે. આ રીતે આ બધા ભેદોની સ્પષ્ટતા થાય એ રીતે જે દૃઢ અભ્યાસ કરે છે તે પરમાર્થને દેખે છે = જીવ-અજીવ વગેરે પારમાર્થિક સ્વરૂપને – એના ઊંડા રહસ્યભૂત સ્વરૂપને સમજે છે... ને તેની યશ-કીર્તિ વધે છે. કારણ કે સ્વાવાદના ઊંડા રહસ્યો પામવા પૂર્વકના પરિજ્ઞાનથી જ જૈનો તર્કવાદમાં (= અન્યદર્શનો સાથેની તત્ત્વવિચારણા-ચર્ચામાં) વિજય પામી શકે છે ને એ રીતે એનો યશ ફેલાય છે. વળી આ રીતે વાદવિજેતા બનવા જ આનું ઊંડું જ્ઞાન આવશ્યક છે એવું નથી. પોતાને જૈનત્વ જે મળ્યું છે તે સફળ કરવા માટે પણ સ્યાદ્વાદનો સૂક્ષ્મબોધ જરુરી છે. કારણ કે નિશ્ચયનયાનુસારે સમ્યકત્વ સ્વાવાદના પરિજ્ઞાન દ્વારા જ સંભવે છે. શ્રી સમ્મતિગ્રંથમાં કહ્યું છે કે - ચરણસિત્તરી અને કરણસિત્તરીને જ પ્રધાન કરનારા (= એના સૂક્ષ્મકાળજીવાળા પાલનમાં જ ઇતિશ્રી માની લેનારા. ને તેથી) સ્વસમય = જૈનશાસ્ત્રોમાં તત્ત્વનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે? પરસમયમાં = જૈનેતરદર્શનોના ગ્રંથમાં જીવાદિ તત્ત્વનું સ્વરૂપ કેવું કહ્યું છે ? આ બધું સૂક્ષ્મતાથી જાણવું... કષ-છેદ-તાપ પરીક્ષાથી પરીક્ષવું... તત્ત્વના યર્થાથ સ્વરૂપનો નિર્ણય કરવો... ને એની શ્રદ્ધા કરવી... અયથાર્થ સ્વરૂપનું નિરાકરણ કરવું... નયદષ્ટિથી બધા દર્શનોને વિચારવા. બધાને સાત કારવાંછિત કરી સુનય બનાવવા... આવો બધો વ્યાપાર જેઓ કરતા નથી, તેઓ ચરણ-કરણના પાલનનો જે નિશ્ચયશુદ્ધ સાર=નિશ્ચયનયમાન્ય શુભ-શુદ્ધ પરિણતિ, તેને જાણતા નથી-પામતા નથી. આવી પરિણતિનો પ્રારંભ પ્રધાનપણે સમ્યકત્વ પરિણામથી થાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૪ ૧૭૧ એ ચોથઇ ઢાલઇ ભેદાભેદ દેખાડ્યો. અનઇ સપ્તભંગીનું સ્થાપન કરિઉં. ॥ ૪-૧૪ ॥ જૈનપણું પામવા દ્વારા સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિ વગેરે ક્રમે આગળ વધવાનું છે... જે પાયામાં સમ્યક્ત્વ પણ પામી શકતા નથી... એ આગળ-આગળના ગુણો તો પામવાના જ નથી... પછી એમને મળેલું જૈનપણું સફળ શી રીતે ગણાય ? એટલે મહાદુર્લભ એવું જૈનત્વ જે મળ્યું છે એને સફળ બનાવવા અને વાદમાં સફળતા મેળવી જૈનશાસનનો જયજયકાર કરવા માટે પણ આ સમભંગીનું ખૂબ ઊંડાણથી અધ્યયન-ચિંતન-મનન કરવું જોઈએ. આમ આ ચોથી ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદાભેદ દેખાડ્યો અને સપ્તભંગીનું સ્થાપન કર્યું. ॥ ૫૪ ॥ આ ઢાળના વિવેચનમાં સપ્તભંગીનું-અર્થપર્યાય-વ્યંજનપર્યાયનું જે સવિસ્તર વિવેચન કર્યું છે તે શાસ્ત્રસાપેક્ષ રહીને તર્કપૂર્ણ અનુપ્રેક્ષા દ્વારા કર્યું છે... છતાં વિદ્વાનોને એ અપૂર્વ લાગે એવી પૂર્ણ શક્યતા છે.. પૂર્વાચાર્યકૃત વિવરણ કરતાં ઘણી જ ઘણી વાતો નવી જેવી લાગે એને નકારી શકાય એમ નથી... છતાં હું બધાને વિનંતી કરવા માગું છું કે આ મારી અનુપ્રેક્ષા છે, એ વાત સાચી છે. હાલ ઉપલબ્ધ પૂર્વગ્રંથોમાં એ મળતી નથી એ વાત પણ સાચી છે... પણ એટલા માત્રથી એને ગલત કહી ન દેવાની બહુશ્રુતગીતાર્થોને પુનઃ પુનઃ નમ્રવિનંતી છે. કાંઈપણ શાસ્ત્રવિરુદ્ધ કે તર્કવિરુદ્ધ ભાસે તો એ મને જણાવવાની પણ ફરી ફરી નમ્ર વિનંતી છે જ. સપ્તભંગીનું આવું જ વિસ્તૃત નિરૂપણ કરતા મારા સ્વોપક્ષવૃત્તિથી અલંકૃત સપ્તભંગીવિંશિકા ગ્રન્થનું અધ્યયન કરવા પણ નમ્ર વિનંતી છે. या प्रश्नाद् विधिपर्युदासभिदया बाधच्युता सप्तधा, धर्मं धर्ममपेक्ष्य वाक्यरचना नैकात्मके वस्तुनि । 'निर्दोषा निरदेशि देव ! भवता सा सप्तभङ्गी यया, जल्पन् जल्परणांगणे विजयते वादी विपक्षं क्षणात् ॥ ॥ રત્ના અવતારા 10 Page #191 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પાંચમી એક અરથ ત્રયરૂપ છઈ, દેખ્યો ભલઈ પ્રમાણમાં રે ! મુખ્યવૃત્તિ ઉપચારથી, નયવાદી પણિ જાણઈ રે ! જ્ઞાનદૃષ્ટિ જગ દેખિઈ / પ-૧ . ટબો - હિવઈ પાંચમાં ઢાળઈ નય પ્રમાણ વિવેક કરઈ છઈ . એક અર્થ ઘટ પટાદિક, જીવ અજીવાદિક, ત્રય રૂપ કહતાં, દ્રવ્ય - ગુણ - પર્યાય રૂ૫ છઈ. જે માર્ટિ ઘટાદિક મૃત્તિકાદિરૂપઇ દ્રવ્ય, ઘટાદિરૂપઈ સજાતીય દ્રવ્ય પર્યાય, રૂપ-રસાદ્યાત્મકપણઈ ગુણ. ઈમ જીવાદિકમાં જાણવું. એહવું પ્રમાણઈ=સ્યાદ્વાદવચનો દેખ્યું, જે માર્ટિ પ્રમાણઈ સપ્તભંગાત્મકઇ ત્રયરૂપપણું મુખ્યરીતિ જાણિઈ. ગાથાર્થ - કોઈપણ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ રૂપવાળો છે. આવું નિર્દોષ પ્રમાણ વડે જણાય છે. નયવાદી પણ આ ત્રણરૂપવાળા પદાર્થને જાણે છે... પણ એમાંથી એકરૂપ મુખ્યવૃત્તિથી જાણે છે.. ને અન્ય બે રૂપ ઉપચારથી જાણે છે. જ્ઞાનદૃષ્ટિથી જગતને દેખો... | પ-૧ || વિવેચન - હિવઈ પાંચમાં ઢાળઈ. બીજી ઢાલમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ દેખાડ્યો... ત્રીજી ઢાળમાં પરસ્પર અભેદ જણાવ્યો.. ચોથી ઢાળમાં ભેદભેદ દર્શાવ્યા... હવે પાંચમી ઢાળમાં આ દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન પ્રમાણ શી રીતે કરે છે અને નય શી રીતે કરે છે? એ દર્શાવે છે. ને એ દર્શાવવા દ્વારા પ્રમાણ - નયનો વિવેક કરે છે એનો ભેદ દર્શાવે છે.... ઘટ-પટ વગેરે લૌકિક.. કે જીવ-અજીવ વગેરે લોકોત્તર... કોઈપણ પણ પદાર્થ દ્રવ્યાત્મક છે, ગુણાત્મક છે અને પર્યાયાત્મક છે. આમ ત્રણરૂપ છે. કારણ કે ઘડો માટીથી અભિન્ન હોવાથી માટીરૂપ દ્રવ્યાત્મક છે. એમ ઘટરૂપે (એ માટી દ્રવ્યના) સજાતીય પર્યાયાત્મક છે.. ને રૂપ-રસાદિ ગુણોથી અભિન્ન હોવાથી રૂપ-રસારિરૂપે ગુણાત્મક છે... એ જ રીતે જીવાદિકમાં પણ જાણવું... અર્થાત્ જીવ, જીવદ્રવ્યાત્મક છે, મનુષ્યાદિ પર્યાયાત્મક છે... અને જ્ઞાનાદિ ગુણાત્મક છે... પ્રશ્ન - દરેક પદાર્થ આમ દ્રવ્યાદિત્રયાત્મક છે, એવું શી રીતે જાણ્યું? ઉત્તર - એવું પ્રમાણથી = સ્યાદ્વાદગર્ભિત વચનથી અમે જાણ્યું છે. કારણ કે સપ્તભંગાત્મક પ્રમાણથી દરેક પદાર્થનું ત્રણરૂપપણું મુખ્ય રીતિએ = મુખ્યવૃત્તિએ જણાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧ ૧૭૩ અહીં જે સપ્તભંગીની વાત કરી છે તે પ્રમાણની-સકલાદેશની સપ્તભંગી જાણવી. આ સપ્તભંગી પરથી, પદાર્થ ત્રયાત્મક હોય છે એનો નિર્ણય શી રીતે થાય છે? એ ખોળી કાઢવા જેવું છે... અલબત્ યે સ્થાનો પટો પૃદ્રવ્ય ર વી ? ચીચેવ માં રામો પટો પૃદ્રવ્યમ્ અથવા घटो मृद्रव्यं न वा ? स्यादस्त्येव मृद्रव्यम् घटो श्यामो न वा ? स्यादस्त्येव श्यामः अयं घटो न वा ? स्यादस्त्येव घटः આવા ભંગથી વિવક્ષિત પદાર્થ – શ્યામ (વર્ણાત્મક ગુણમય) છે, ઘટ (પર્યાયાત્મક) છે અને મૃદ્રવ્ય (દ્રવ્યાત્મક) છે એમ જણાય છે... પણ આ તો સપ્તભંગીનો માત્ર પ્રથમ ભંગ જ છે. સાતે ભંગોના સમૂહરૂપ સપ્તભંગ્યાત્મક પ્રમાણથી આ નિશ્ચય થાય છે... એવું આનાથી સિદ્ધ થઈ શકતું નથી.. બહુશ્રુત ગીતાર્થ મહાત્માઓએ આ રહસ્ય શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. જે નયવાદી હોય છે તે એકાંશગ્રાહી હોય છે. જેમકે દ્રવ્યાર્થિકનય પદાર્થને દ્રવ્યાત્મક માને છે. પર્યાયાર્થિકનય પદાર્થને પર્યાયાત્મક માને છે. પણ તેઓની આ માન્યતા મુખ્યવૃત્તિએ હોય છે. ગૌણવૃત્તિએ તો તેઓ પણ પદાર્થના શેષ અંશને માટે જ છે. જો ન માને ને ઉપરથી ઇતરાંશનું ખંડન કરે તો એ નય સુનય ન રહેતાં દુર્નય બની જાય છે. અલબત્ત સુનય પણ સ્વાભિપ્રેત અંશથી ભિન્ન અંશનું ખંડન કરતો હોય છે, પણ એ સ્વાભિપ્રેતઅંશની દઢ સિદ્ધિ કરવા માટે હોય છે. નહીં કે ‘ઇતરાંશ પદાર્થમાં છે જ નહીં' એ રીતે ઇતરાંશનો નિષેધ કરવા માટે.. એ જાણવું.) એટલે જણાય છે કે નયવાદીને પણ બન્ને અંશ માન્ય હોય છે... (ગુણ-પર્યાયને અલગ ગણીએ તો ત્રણે અંશ...) શંકા - પ્રમાણને પણ બન્ને (કે ત્રણે) અંશ માન્ય છે. નયને પણ એ માન્ય છે. તો બેમાં ફરક શું રહ્યો ? સમાધાન - પ્રમાણને બન્ને અંશ મુખ્યવૃત્તિથી = શક્તિસંબંધથી માન્ય છે. અર્થાત્ પ્રમાણ ઘટાદિપદની શક્તિ ગુણપર્યાયથી અભિન્ન મૃદદ્રવ્ય અંગે માને છે... જયારે નય એક અંશમાં શક્તિ માને છે અને અન્ય અંશમાં લક્ષણા માને છે... માટે બન્નેમાં ફરક સ્પષ્ટ છે. શંકા - તમે સપ્તભંગીના ત્રીજા ભંગના વિવરણમાં જણાવેલું છે કે સંકેતિત શબ્દથી પણ (ધારો કે 5' એવા શબ્દથી પણ) અસ્તિત્વ-નાસ્તિત્વ એક સાથે જણાઈ શકતા નથી... એમાં એકનો શક્તિથી અને એકનો લક્ષણાથી બોધ કરવાની શંકામાં જણાવેલ કે શાનો શક્તિથી ને શાનો લક્ષણાથી બોધ કરવો ? એમાં વિનિગમકાભાવ છે (જુઓ પૃષ્ઠ નંબર ૧૩૪). તો અહીં પ્રસ્તુતમાં પણ વિનિગમકાભાવ નહીં આવે ? અને વિનિગમકાભાવ આવવાથી ક્યાં તો બન્નેમાં શક્તિ જ માનવી પડશે (ને તો પછી પ્રમાણથી કોઈ ભેદ નહીં Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઢાળ-પ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નયવાદી જે એકાંશવાદી, તે પણિ મુખ્યવૃત્તિ અનઈ ઉપચારઈ એક અર્થનઈ વિષઈ ત્રયરૂપપણું જાણઈ. યદ્યપિ નયવાદીનઈ એકાંશ વચનઈ શક્તિ એક જ અર્થ કહિછે. તો પણિ લક્ષણારૂપ ઉપચારો બીજા ૨ અર્થ પણિ જાણિ. એકદા વૃત્તિકય ન હોઈએ પણિ તંત નથી. ફિલાં મરો' ઇત્યાદિ રહે.) ને ક્યાં તો એકેમાં શક્તિ માની નહીં શકાય. ને તેથી પછી લક્ષણા પણ માની નહીં શકાય... સમાધાન - ના. અહીં આવી શંકા ઉચિત નથી. કારણ કે દ્રવ્યાર્થિકનયની વિચારણા ચાલતી હોય તો એનું દ્રવ્યાર્થિકપણું જ વિનિગમક બની દ્રવ્યાંશમાં શક્તિ અને પર્યાયાંશમાં લક્ષણા... એવો વિવેક કરી આપે છે. એમ પર્યાયાર્થિકનયની વિચારણા ચાલતી હોય તો એનું પર્યાયાર્થિકપણું જ વિનિગમક બની પર્યાયાંશમાં શક્તિ અને દ્રવ્યાંશમાં લક્ષણા... એવો વિભાગ કરી આપે છે. અહીં ગ્રંથકારે ટબામાં “લક્ષણારૂપ ઉપચારઇ એમ જણાવીને લક્ષણાને ઉપચાર તરીકે જણાવેલ છે. આમાં આશય એ છે કે જયાં પોષ: આવો વાક્યપ્રયોગ થયેલો છે... ગંગા'નો શક્તિથી મળતો અર્થ છે ગંગાનદી... ગંગાપ્રવાહ.. પણ એમાં ઘોષ = ગાયોનો વાડો હોવો સંભવિત નથી. એટલે “ગંગા” પદની લક્ષણા કરીને એનો અર્થ ગંગાતીર કરવામાં આવે છે. તેથી “ગંગા નદીના કાંઠે ગાયોનો વાડો છે' એવો અર્થ મળે છે. એટલે જણાય છે કે “ગંગા' શબ્દના શક્યાર્થરૂપ ગંગાપ્રવાહનો ગંગાતીરમાં ઉપચાર કરીને “ગંગા' શબ્દના અર્થ તરીકે ગંગાતીર લેવામાં આવે છે. આ જ રીતે દ્રવ્યાર્થિકનય, લક્ષણારૂપ ઉપચારથી પર્યાયાંશને અને પર્યાયાર્થિક નય લક્ષણારૂપ ઉપચારથી દ્રવ્યાંશને પણ અર્થ તરીકે સ્વીકારે છે. શંકા - એક શબ્દનો અર્થ જ્યારે લેવાનો હોય ત્યારે મુખ્યતયા શક્તિથી લેવાનો હોય છે.... કોઈક અસંગતિ થતી હોય તો પછી લક્ષણાથી લેવાય છે. પણ જ્યારે લક્ષણા દ્વારા મળતો લક્ષ્યાર્થ લેવાય છે ત્યારે પછી શક્તિ દ્વારા મળતો શક્યાર્થ લેવાતો નથી... એટલે કે શબ્દનો ક્યાં તો શક્તિરૂપ વૃત્તિથી મળતો અર્થ લેવાય છે ને ક્યાં તો લક્ષણારૂપવૃત્તિથી મળતો અર્થ લેવાય છે. પણ આ બન્ને વૃત્તિથી મળતા અર્થો એકસાથે ક્યારેય લેવાતા નથી. તો પ્રસ્તુતમાં પણ શી રીતે લેવાય ? (વાચક એવા શબ્દનો વાચ્યાર્થ સાથેનો સબંધ એ વૃત્તિ છે. નૈયાયિકોએ વૃત્તિના બે પ્રકાર શક્તિ અને લક્ષણા માન્યા છે. ત્રીજો ‘યંજના' નામનો સંબંધ પણ અન્યોએ માનેલો છે. પણ તૈયાયિકો એનો લક્ષણામાં જ અન્તર્ભાવ કરી દે છે.) સમાધાન - “એકદા વૃત્તિદ્વય ન હોઈ... એ પણિ તંત નથી... ‘એક શબ્દના બન્ને Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧ ૧૭૫ સ્થાનિ જે માટે ૨ વૃત્તિ પણ માની છઇ. ઇહાં પણિ મુખ્ય અમુખ્યપણાં, અનંતધર્માત્મક વસ્તુ જણાવવાનાં પ્રયોજનઈ એક નય, શબ્દની ૨ વૃત્તિ માનતાં વિરોધ નથી. અથવા નયાત્મકશાસ્ત્ર ક્રમિકવાક્યદ્રયઈ પણિ એ અર્થ જણાવિધ અથવા “લવો શાબ્દિ વોઇ વૃત્તિથી અર્થ લઈ શકાય નહીં.” આવો કોઈ નિયમ નથી. કારણ કે કાયાં મસ્જોષી (= ગંગામાં માછલો અને વાડો છે) આવા વાક્યપ્રયોગ વખતે ગંગાપદના બન્ને વૃત્તિથી મળતા અર્થ લેવામાં આવે છે. આશય એ છે કે ગંગા પદનો માત્ર શક્યાર્થ ગંગાપ્રવાહ લઈએ તો એમાં ગાયોનો વાડો હોવો અસંભવિત છે. જો માત્ર લક્ષ્યાર્થ ગંગાતીર લઈએ તો એમાં માછલો ન સંભવી શકે. એટલે આવા વાક્યનો અર્થ ‘ગંગાનદીમાં માછલો છે અને ગંગાકાંઠે ગાયોનો વાડો છે' એવો અર્થ કરાય છે... અર્થાત્ “ ક્લા' શબ્દનો શક્તિથી ગંગાનદી અર્થ પણ લેવાય છે અને લક્ષણાથી ગંગાતી અર્થ પણ લેવાય છે. આમ બન્ને વૃત્તિથી મળતા અર્થ લેવાય છે... માટે “એકદા વૃત્તિય ન હોય” આવો નિયમ ઊભો રહી શકતો નથી. પ્રસ્તુતમાં પણ, મુખ્ય અને અમુખ્ય (= ગૌણ) પણે અનંતધર્માત્મક વસ્તુને જણાવવાનું પ્રયોજન હોવાથી એક નય શબ્દની બન્ને વૃત્તિ માને તો વિરોધ નથી = કોઈ દોષ નથી. શંકા - વૃિત્તિ : શબ્દ: સંસ્કૃવાર્થ જયતિ.... (અર્થાત્ એક વાર બોલાયેલો શબ્દ એક જ વાર અર્થને જણાવે છે) આવો નિયમ છે... એટલે, “ઘટાદિ પદ એકવાર બોલાયેલું હોય ને એ એના દ્રવ્યને શક્તિથી જણાવી દે તો પછી બીજીવાર ‘પર્યાયરૂપ અર્થને એ જણાવી શકતો નથી. સમાધાન - તો પછી ક્યાં મરાપોપ વાક્યપ્રયોગ સ્થળે શું કરશો..? કારણ કે ત્યાં પણ ગંગા શબ્દ એક જ વાર બોલાયેલો છે, એટલે જો એ મત્સ્ય માટે ગંગાનદી એવો અર્થ જણાવી દેશે તો પછી ઘોષ માટે ગંગાતાર એવો અર્થ જણાવી નહીં શકે. શંકા - Tયાં મસ્જો આવા સ્થળે અમે ‘ગંગાપદની અનુવૃત્તિ કરીશું અને તેથી “રાયાં મીઃ દ્વાયાં પોષ:' આ રીતે બે વાક્ય બનાવીને, બે વાર “ગંગા પદ લઈને એકવાર ગંગાપ્રવાહ અને બીજીવાર ગંગાતીર એવો અર્થ લઈશું... માટે કોઈ નિયમભંગ નહીં થાય... સમાધાન - અથવા નયાત્મકશાસ્ત્રઇ... અમે પણ ક્રમિક બે વાક્ય લઈશું. નયાત્મક શાસ્ત્ર ક્રમિક બે વાક્ય પણ એ અર્થને જણાવે છે. અર્થાત્ અમે પણ ‘ઘટાદિ' પદની અનુવૃત્તિ કરીશું... અર્થાત્ : ઉમ્ ? ઇટો ગુપયામિત્ર મૃદ્રવ્યમ્... આમ એક વાક્ય કહીશું... ને પછી લક્ષણાથી ધટો દ્રવ્યમત્રનુવાદ્રિપર્યાયમયઃ એમ બીજું વાક્ય કહીશું - પર્યાયાર્થિકનયનો વિચાર હોય ત્યારે, શક્તિથી પટો દ્રવ્યમવુઘીવાદ્રિપર્યાયમયઃ આવો અર્થ લઈશું... ને પછી બીજું વાક્ય લક્ષણાથી ધટો ગુuપયામામૃદ્રવ્યરૂપ: આવો અર્થ જણાવશે.. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઢાળ-૫ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છતાં કોઈ એમ કહે કે આવા ક્રમિક બે વાક્યો અનુભવાતા નથી... તો ગ્રંથકાર કહે છે : અથવા એક બોધ શાળે.. અહીં “શાબ્દ' શબ્દ અશુદ્ધ લાગે છે... શાબ્દ શબ્દ હોવો જોઈએ. એટલે વધ: શબ્દક વોલ સાથે આવું વાક્ય મળશે. એનો અર્થ આવો છે કે - ધારો કે આપણે દ્રવ્યાર્થિકનયે વિચારી રહ્યા છીએ.... તો “ઘડો ગુણ-પર્યાયથી અભિન્ન મૃદ્દવ્યરૂપ છે.” આવો અર્થ તો શબ્દ પરથી જ મળી જશે... માટે એ “શાબ્દ બોધ છે. એવધ સાથે: “ઘડો મૃદ્ધવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમય છે...” આવો પર્યાયાંશનો બોધ આર્થ હોય છે = અર્થપત્તિથી ગમ્ય હોય છે. આશય એ છે કે શબ્દ દ્વારા તો ગુણપર્યાયથી અભિન્ન મૃદ્ધવ્યનો બોધ થયો... પણ એ સર્વથા અભિન્ન હોવો અસંગત છે... કારણ કે કંબુગ્રીવાદિપર્યાય નાશ પામે તો પણ મૃદ્રવ્ય નાશ પામતું નથી. કંબુગ્રીવાદિપર્યાય જે જળાહરણાદિ કરી શકે છે તે પિંડારિરૂપે રહેલ મૃદ્રવ્ય કરી શકતું નથી... ભેદપક્ષની આવી બધી દલીલો અહીં સમજી લેવી... એટલે કંબુગ્રીવાદિપર્યાયનો મૃદ્ધવ્ય સાથે જે અભેદ છે, તે એ બે વચ્ચે કથંચિત્ ભેદ માન્યા વિના અનુપપન્ન (= અસંગત) રહે છે. માટે એને સંગત કરવા માટે અર્થપત્તિ દ્વારા (અન્યથા અનુપપત્તિ દ્વારા) આવો નિર્ણય થાય છે કે બન્ને વચ્ચે કથંચિભેદ પણ છે. એટલે “ઘડો મૃદ્ધવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમય છે' આવો બોધ અર્થોપત્તિથી થયેલો હોવાથી એને આર્થ કહેવાય છે. પર્યાયાર્થિકનયના મતે “ઘડો મૃદ્ધવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમય છે આવો બોધ શાબ્દ બોધ હોય છે... અને “ઘડો ગુણપર્યાયાભિન્નમૃદ્ધવ્યમય છે' આવો બોધ આર્થ જાણવો.) આમ નયવાદી પણ બન્ને અંશનો બોધ કરે છે એ નિશ્ચિત છે, પછી ભલે એ વૃત્તિદ્વયથી હોય કે ક્રમિક બે વાક્યો દ્વારા હોય કે શબ્દ અને આર્થ એમ બે બોધ દ્વારા હોય.. ગ્રંથકારે આ ઢાળની ધ્રુવપંક્તિ - જ્ઞાનદષ્ટિ જગ દેખિઇ... એમ રાખેલી છે. પૂ. ઉપાધ્યાયજી મ. હિતશિક્ષા આપે છે... જગત માં રહ્યા છીએ માટે જગત્ દેખાવાનું તો છે જ. પણ એને કેવી રીતે જોવું? જે રીતે જોવાથી રાગ-દ્વેષ-મોહ વધતા જાય છે ને તેથી જીવ વિષય-કષાયના કળણમાં વધુ ને વધુ ઝૂંપતો જાય છે એ રીતે જોવું એ મોહદષ્ટિથી જગતને જોયું કહેવાય.. જગત્ ના બધા જીવોનો અનાદિકાળથી આ જગને મોહદષ્ટિથી જોવાનો જ અભ્યાસ છે. હવે એ અભ્યાસને તોડવાનો છે... ને જે રીતે જોવાથી રાગદ્વેષાદિ વધવાના બદલે સંવેગ-વૈરાગ્યાદિ વધતા જાય એ રીતે જોવાનો અભ્યાસ વધારવાનો છે... આ રીતે જોવું એ જ્ઞાનદષ્ટિએ જોયું કહેવાય. આમાં, પ્રમાણાત્મકજ્ઞાનથી જોવાનો પણ સમાવેશ છે, ને યથાયોગ્ય વિનિયોજન હોય એ રીતે નયાત્મક જ્ઞાનથી જોવાનો પણ સમાવેશ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૨ ૧૭૭ મર્થ?' ઇમ અનેક ભંગ જાણવા. ઇમ જ્ઞાન દૃષ્ટિ જગના ભાવ દેખિઈ પ-૧ | મુખ્યવૃત્તિ દ્રવ્યારથો, તાસ અભેદ વખાણાં રે | ભેદ પરસ્પર એહનો, તે ઉપચારાં જાણઈ રે જ્ઞાન ને પ-૨ . ટબો - કહિયો અર્થ તેહ જ સ્પષ્ટપણાં જણાવઈ છછે. મુખ્યવૃત્તિ કહત શક્તિ શબ્દાર્થ કહતો, જે દ્રવ્યાર્થનય, તે તાસ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ વખાણ છે, જે માટd ગુણપર્યાયાભિન્નમૃદ્ધવ્યાદિકનાં વિષયાં ઘટાદિપદની શક્તિ છઇ. એહનો પરસ્પર કહેતાં માંહોમાંહીં ભેદ છઇ, તે ઉપચાર કહિતાં લક્ષણાઈ જાણતું, જે માટો દ્રવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયનઈ વિષઈ તે ઘટાદિપદની લક્ષણા માનઈ. મુખ્યાર્થબાધઇ મુખ્યાર્થસંબંધ તથા વિધવ્યવહાર પ્રયોજન અનુસરી, તિહાં લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. | પ-૨ છે. એમાં દ્રવ્યાર્થિકનયથી આત્મદ્રવ્યને જોતાં એ સચ્ચિદાનંદમય. શુદ્ધ આત્મસ્વરૂપ દેખાય છે. જીવને એનું આકર્ષણ થાય છે. એના કારણે સંવેગ (= મોક્ષાભિલાષ) વધે છે... અને પર્યાયાર્થિકનયથી આત્મદ્રવ્યને જોતાં પ્રતિ ક્ષણ બદલાતા રહેતાં ભાવો – અનિત્યતા દેખાવાથી વૈરાગ્ય (=ભવનિર્વેદ) વધે છે. માટે જ્ઞાનદૃષ્ટિથી જગને જોવું જોઈએ. આપપા ગાથાર્થ - દ્રવ્યાર્થિકનય મુખ્યવૃત્તિ = શક્તિથી તાસ = દ્રવ્ય - ગુણ - પર્યાયનો પરસ્પર અભેદ છે એમ વખાણે છે... અને ઉપચારથી = લક્ષણાથી તેઓનો પરસ્પર ભેદ હોવો જાણે છે. // પ-૨ | વિવેચન - કહિયો અર્થ... પહેલી ગાથામાં જે અર્થ કહ્યો હતો એને જ હવે સ્પષ્ટપણે ગ્રંથકાર જણાવે છે... દ્રવ્યાર્થિકનય જ્યારે શક્તિથી શબ્દાર્થ લેતો હોય છે ત્યારે એ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર અભેદ હોવો કહે છે, કારણ એ “ઘટ' પદની શક્તિ ગુણપર્યાયાભિન્ન મૃદ્રવ્ય વગેરેમાં માને છે. એટલે મૃદ્દવ્ય અને તેનો ગુણ-પર્યાય સાથેનો અભેદ. આ બન્ને વાતો એને “ઘટ’ શબ્દના શ્રવણથી-શક્તિસંબંધ દ્વારા જણાઈ જાય છે.. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ જે છે તે ઉપચારથી = લક્ષણાથી જાણે છે. કારણ કે એ દ્રવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમાં “ઘટ' પદની લક્ષણા માને છે. શંકા - ગાયાં મત્સ્યઃ (ગંગાનદીમાં માછલો છે) આવા વાક્યપ્રયોગમાં શક્તિથી ગંગાનદી એવો અર્થ જો લેવામાં આવે છે તો પછી એની લક્ષણા કાંઈ કરવામાં આવતી નથી. એમ, ‘ઘટ' પદનો શક્તિથી અર્થ લઇ લીધો તો પછી લક્ષણા શા માટે કરવાની? સમાધાન - ફિયાં પોષ: માં શા માટે લક્ષણા કરો છો? શંકા - ત્યાં તો “ગંગાપ્રવાહ એવો મુખાર્થ = શક્યાર્થ બાધિત છે, માટે લક્ષણા કરવામાં આવે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ઢાળરૂપ : ગાથા-૨ સમાધાન દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ મુખ્યાર્થ બાધઇ - પ્રસ્તુતમાં પણ, જો ‘ઘટ' પદની લક્ષણા કરવામાં ન આવે તો મુખ્યાર્થ બાધિત રહે છે. શક્તિથી, પરસ્પર અભેદ હોવો તો જાણી લીધો... હવે ભેદ જો જાણવામાં ન આવે તો એ અભેદ એકાન્તે માનવો પડે જે બાધિત છે તે વાત આપણે ભેદ પક્ષની દલીલોથી જોઈ ગયા છીએ. એટલે લક્ષણાથી ‘ભેદ’ અર્થને ન લેવામાં શક્યાર્થ અભેદ બાધિત થતો હોવાથી લક્ષ્યાર્થ ‘ભેદ' લેવો આવશ્યક છે. ૧૭૮ - શંકા શસ્યાર્થસમ્બન્ધો નક્ષળા... તે તે પદનો જે શક્યાર્થ મુખ્યાર્થ હોય તેની સાથેનો સંબંધ એ લક્ષણા છે... એટલે લક્ષ્યાર્થ તરીકે આડેધડ ગમે તે પદાર્થ નથી લઈ શકાતો, પણ શક્યાર્થ સાથે સંબદ્ધ હોય એવો જ પદાર્થ લેવાનો હોય છે... ગંગાપ્રવાહને સંબદ્ધ ગંગાતીર છે... માટે લક્ષ્યાર્થ તરીકે તીર લઇ શકાય છે. એમ પ્રસ્તુતમાં અભેદને ભેદ કયા સંબંધથી સંબદ્ધ છે? કે જેથી ભેદને લક્ષ્યાર્થ તરીકે લઈ શકાય? સમાધાન - મુખ્યાર્થ સંબંધઇ - અભેદનો ભેદ એ પ્રતિયોગી હોવાથી સ્વપ્રતિયોગિત્વ સંબંધ લઈ શકાય... અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ અને અભેદ પરસ્પર ક્ષીરનીરવત્ અત્યંત અનુવિદ્ધ છે. એટલે આવો અનુવિદ્વત્વ (પરસ્પર અત્યંત સંકળાયેલાપણું) સંબંધ લઈ શકાય... એ સંબંધથી ભેદ, શક્યાર્થ એવા અભેદને સંબદ્ધ હોવાથી લક્ષ્યાર્થ તરીકે લઈ શકાય છે. શંકા - જ્યારે શ્લોક બોલવાનો હોય ત્યારે તો છંદ વગેરેના કારણે શબ્દપ્રયોગો પર નિયંત્રણ હોય... પણ એ સિવાય તો વક્તા પર કોઈ એવું નિયંત્રણ હોતું નથી કે અમુક શબ્દ જ વાપરવો ને અમુક નહીં વાપરવાનો. તો ગંગાતીર પર ઘોષ છે આવું તાત્પર્ય હોય ત્યારે વક્તાએ ગંગાતી ઘોષ: આવો જ વાક્યપ્રયોગ કરવો જોઈએ ને... 'મંયાં ઘોષ' બોલવામાં તો ઘણા પ્રશ્નો છે... શ્રોતા સાંભળે... અસંગતિ વિચારે... ને પછી સંગતિ માટે લક્ષણા કરે... આવી ક્લિષ્ટ કલ્પનાઓનું વક્તાએ ગૌરવ કરવાની શી જરુર છે? શું ગંગાતીરે કોષઃ એવો વચનપ્રયોગ પોતાના તાત્પર્યને જણાવવા માટે સમર્થ નથી? = આવો પ્રશ્ન ઊઠે છે ને એનો જવાબ છે... વક્તાએ ગંગાના કાંઠે વાડો છે એટલું જ નથી જણાવવું... પણ જેમ ગંગાપ્રવાહમાં શૈત્ય અને પાવનત્વ છે એમ આ વાડામાં પણ એ છે... આવું પણ ભેગું જણાવવું છે... ગંગાતીરે ઘોષ: કહેવાથી એ જણાઈ શકતું નથી... માટે એ ગાયાં છોષ: એવો પ્રયોગ કરે છે. આમ અહીં જેમ ચોક્કસ પ્રયોજન છે, એમ પ્રસ્તુતમાં પણ ‘ભેદ’ને શક્તિથી જણાય છે એમ ન લેતાં લક્ષણાથી જણાય છે-એવું લેવામાં શું પ્રયોજન છે? સમાધાન તથાવિધ વ્યવહાર પ્રયોજન... પ્રસ્તુતમાં પણ ભેદને લક્ષ્યાર્થ તરીકે જ લેવામાં પ્રયોજન છે જ. ધારો કે ભેદને શક્યાર્થ તરીકે લેવામાં આવે... અને અભેદને લક્ષ્યાર્થ તરીકે લેવામાં આવે તો એ દ્રવ્યાર્થિકની દૃષ્ટિ ન રહેતાં પર્યાયાર્થિકની બની જાય... - Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૨ ૧૭૯ તથા એ વખતે અભેદને લક્ષ્યાર્થ તરીકે લેવાનું પ્રયોજન શું? એ પ્રશ્ન ઊભો થાય જ. એટલે હવે જો બન્નેને શક્યાર્થ તરીકે લેવામાં આવે તો એ દ્રવ્યાર્થિકનય ન રહેતાં પ્રમાણાત્મક જ બની જાય... શંકા - તો બની જવા દો ને... એને દ્રવ્યાર્થિકન તરીકે ઊભો રાખવાની શી જરૂર છે? સમાધાન - દ્રવ્યાર્થિકનય શુદ્ધ આત્મદ્રવ્યને જોઈ સંવેગ વધારે છે. વગેરે પ્રયોજન આપણે આગળ જોઈ ગયા છીએ... એમ પુદ્ગલદ્રવ્ય અંગે પણ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ જીવને રાગ-દ્વેષના તોફાનોથી બચવા ઉપયોગી બની શકે છે... સુબુદ્ધિ મંત્રીની વાત આવે છે ને... ખાળની ભયંકર દુર્ગધથી રાજા સહિત બધાના નાક ફાટી રહ્યા હતા.. ને ભારે અણગમો થઈ રહ્યો હતો ત્યારે પણ “સબ પુગલકી બાજી...' સૂત્ર દ્વારા મંત્રી સ્વસ્થ હતો. ને જમણવાર પ્રસંગે પાણીની મીઠાશ-શીતલતા પર બધા આફરીન-આફરીન પોકારી રહ્યા હતા ત્યારે પણ મંત્રી “સબ પુગલકી બાજી' આ જ સૂત્રના આલંબને રાગના હુમલાને ખાળી સ્વસ્થ રહી શક્યા હતા ને... પુદ્ગલની વર્તમાન સારી કે નરસી અવસ્થારૂપ પર્યાયને ગૌણ કર્યા વગર આવી સ્વસ્થતા શી રીતે આવે? એટલે પર્યાયને ગૌણ કરનાર દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ પણ આવશ્યક છે. માટે, દ્રવ્યાર્થિકનય પણ ઊભો તો રહેવો જ જોઈએ, એ પ્રમાણાત્મક બની જાય એ ઇચ્છનીય નથી... તેથી ભેદને શક્યાર્થ તરીકે લઈ ન શકાય. માટે લક્ષ્યાર્થ તરીકે લેવાય છે. આશય એ છે કે – નૈયાયિકે જાતિ-આકૃતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માની છે અર્થાત્ “ઘટ' પદ દ્વારા શક્તિથી જ આ બધુ ઉપસ્થિત થઈ જાય છે. આમાં જાતિ = ઘટત્વ = ઘટપણું એ પર્યાય છે... “આકૃતિથી માત્ર આકાર નથી લેવાનો, પણ વર્ણાદિ જે કાંઈ ઉપસ્થિત થાય એ બધું લેવાનું છે. માટે “આકૃતિ'થી ગુણ લઈ શકાય છે. અને “વ્યક્તિથી દ્રવ્ય લઈ શકાય છે. એટલે જણાય છે કે “ઘટ'પદથી ગુણ-પર્યાયવિશિષ્ટદ્રવ્ય જણાય છે. આમાં ગુણ-પર્યાયવિશિષ્ટ એમ વિશિષ્ટ જે કહ્યું છે એનાથી જણાય છે કે ગુણ - પર્યાયનો દ્રવ્ય સાથેનો સંબંધ પણ જણાય છે. આ સંબંધ કયો છે ? ભેદભેદ સંબંધ છે.. (અર્થાત્ ભેદસંબંધ પણ છે ને અભેદસંબંધ પણ છે.... આમ તો આપણા જૈનમતે ભેદભેદ = ભેદાનુવિદ્ધઅભેદ. એ ભેદ અને અભેદ બન્નેના સરવાળારૂપ નહીં પણ ત્રીજો જ એક વિલક્ષણસંબંધ છે એવું વધારે પ્રસિદ્ધ છે. પણ બે નયની વિચારણામાં ભેદ-અભેદને અલગ કરવા પડે છે. માટે એ વિલક્ષણ સંબંધની વાત અહીં કરવી નથી, પણ ભેદ-અભેદ બન્ને માનવાની વાત કરી છે. અથવા એ વિલક્ષણસંબંધના ઘટક એવા ભેદ અને અભેદ.. એમ પણ સમજી શકાય...) (એકલો ભેદ સંબંધ માનવામાં - જેમ કે નૈયાયિકે “સમવાય' માનેલો છે તે માનવામાં - અનવસ્થા દોષ આવવાથી અંતે તે બાધિત થાય છે. એકાંતે અભેદ સંબંધ માનવામાં ગુણ કે પર્યાયનાશે દ્રવ્યનો પણ નાશ માનવાની આપત્તિ આવે છે. માટે ભેદ-અભેદ સંબંધ છે.) એટલે જળવાન્ ઘટમાં જેમ જળ, ઘટ અને બે વચ્ચેનો સંયોગ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઢાળ-૫ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંબંધ... આ ત્રણે જણાય છે. એમ પ્રસ્તુતમાં “ગુણ-પર્યાય વિશિષ્ટ દ્રવ્ય જણાય છે એનો મતલબ, ગુણ, પર્યાય, દ્રવ્ય તથા સંબંધ તરીકે ભેદ અને અભેદ... આ પાંચે વસ્તુ જણાય છે... આમાંથી પ્રમાણ ગુણ, પર્યાય અને દ્રવ્ય... ત્રણે શક્તિથી ઉપસ્થિત થાય છે એમ તેમજ ત્રણે વચ્ચે પરસ્પર ભેદભેદ સંબંધ જે છે તે પણ શક્તિથી ઉપસ્થિત થાય છે એમ માને છે. અર્થાત્ પાંચ ચીજ શક્તિથી જ ઉપસ્થિત થાય છે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ એવી છે કે આ પાંચમાંથી દ્રવ્ય અને ત્રણેનો પરસ્પર અભેદ આ બન્ને મુખ્યવૃત્તિથી (શક્તિથી) જણાય છે. ગુણ-પર્યાય તેમજ પરસ્પર ભેદ સંબંધ લક્ષણાથી જણાય છે. પર્યાયાર્થિકનયનો મત એવો છે કે આ પાંચમાંથી ગુણ-પર્યાય તેમજ પરસ્પરનો ભેદ સંબંધ શક્તિથી જણાય છે ને દ્રવ્ય તેમજ અભેદ સંબંધ લક્ષણાથી જણાય છે. આમાં પ્રમાણ માટે તો કોઈ પ્રશ્ન નથી. બે નય અંગે વિચાર કરવાનો રહે છે. દ્રવ્ય નિત્ય છે, અવિચલિતસ્વરૂપ છે. આધારભૂત છે. પર્યાય અનિત્ય છે. પરિવર્તનશીલ છે, આધેય છે... આવી બધી અનેક - પરસ્પર અત્યંત વિરુદ્ધ જણાય એવી વિલક્ષણતા દ્રવ્ય-પર્યાય વચ્ચે છે... એટલે, એનો એ ઘટાદિ પદાર્થ દ્રવ્યાત્મક પણ છે ને દ્રવ્યથી અત્યંત વિલક્ષણ એવા ગુણ-પર્યાયાત્મક પણ છે... આ વાત બુદ્ધિને જચવી એ સહેલી વાત નથી... ને છતાં બુદ્ધિમાં એ નિઃશંકપણે બેસી જાય એ આવશ્યક તો છે જ, કારણ કે પદાર્થનું એ જ વાસ્તવિક સ્વરૂપ છે. વળી બુદ્ધિને જેવું વાતાવરણ-જેવી કેળવણી મળ્યા હોય એ તરફ ઢળવું એના માટે એકદમ સહેલું હોય છે. એટલે કેળવણી અનુસાર કેટલાકને પદાર્થ દ્રવ્યાત્મક લાગતો હોય છે. તો કેટલાકને પર્યાયાત્મક. અન્ય અંશને સ્વીકારવા એમની બુદ્ધિ સહજ રીતે તૈયાર થઈ શકતી નથી. એ અંશને પણ એ સ્વીકારે એ માટે, સ્વીકૃત અંશનું ક્યારેક ભારપૂર્વક ખંડન કરવું પણ આવશ્યક બનતું હોય છે ને સાથે અન્ય અંશનું આગ્રહ સાથે મંડન કરવું પણ જરૂરી બનતું હોય છે. આ ખંડન-મંડન પ્રમાણ કરી શકતું નથી, કારણ કે એ તો બન્ને અંશને સમાનદૃષ્ટિએ જોનાર છે. માટે નયની જરૂર પડે છે. દ્રવ્ય તરફ ઢળેલી બુદ્ધિને મધ્યસ્થ કરવા માટે પર્યાયાર્થિકનય જોઈએ છે અને પર્યાય તરફ ઢળેલી બુદ્ધિને મધ્યસ્થ કરવા માટે દ્રવ્યાર્થિકનય જોઈએ છે. દ્રવ્યાર્થિકનયે બધું દ્રવ્યરૂપે જોવાનું છે... એટલે એ ગુણ-પર્યાયનું પ્રધાન અસ્તિત્વ માની શકે એમ નથી. એટલે એ એમ કહે છે કે માટી જ ઘડા રૂપે પરિણમી. ઘડો કાંઈ માટીથી અલગ ચીજ નથી. વળી આમ કહે છે, માટે સ્પષ્ટ છે કે એ માટી (દ્રવ્ય) અને ઘડો (પર્યાય) વચ્ચે અભેદ સંબંધને સ્વીકારે છે. એટલે દ્રવ્યાર્થિકનય ઘટ' પદના શક્યાર્થ તરીકે મૃદ્રવ્ય અને અભેદ સંબંધને ઉપસ્થિત થતા માને છે. આને જ એ પ્રધાન કરે છે.. આને જ એ મુખાર્થ માને છે. પણ, એ પણ સુનય છે... એટલે સમજે છે કે “પટમની એમ કહેવામાં આવ્યું હોય તો શ્રોતા કાંઈ માટીનો પિંડો લઈને આવતો નથી... પણ કંબુગ્રીવાદિમાન અમુક Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૨ ૧૮૧ વર્ણાદિવાળા પદાર્થને જ લાવે છે... આ શિખવ્યવહારની દ્રવ્યાર્થિકનય પણ માથે ભાર રાખે છે. ને તેથી સ્વીકારે છે કે કંબુગ્રીવાદિપર્યાય-વર્ણાદિગુણ શ્રોતાને ઉપસ્થિત થયા હોવા જ જોઈએ... આ ઉપસ્થિતિ કે આ શિખવ્યવહાર અસંગત ન ઠરે એ પ્રયોજનથી એ આ ગુણપર્યાયની ગૌણભાવે લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે. તથા પોતાને દ્રવ્યનો અભેદ પણ ઉપસ્થિત થયો છે. આ અભેદ કોની સાથે? એ માટે પણ ગુણ-પર્યાય ઉપસ્થિત થયેલા માનવા તો પડે જ. ગુણ-પર્યાય ઉપસ્થિત જ થયેલા ન હોય તો “ગુણ-પર્યાય સાથે દ્રવ્યનો અભેદ સંબંધ છે” આવું બધું જાણી ન જ શકાય એ સ્પષ્ટ છે. વળી ગુણ-પર્યાયની શક્યાર્થરૂપે ઉપસ્થિતિ માનવામાં તો “પ્રમાણ' આવી જાય. માટે લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે. વળી, માટી માટી' રૂપે પરિણમી... આવો પ્રયોગ ક્યારેય થતો નથી... માટી “ઘડારૂપે પરિણમી. આવો બધો જ પ્રયોગ થાય છે. એટલે જણાય છે કે માટી અને ઘડા વચ્ચે સર્વથા-એકાન્ત અભેદ નથી. અર્થાત્ ભેદ પણ છે જ. એમ “માટીનો ઘડો' આવો વ્યવહાર થાય છે, “માટીની માટી' આવો વ્યવહાર થતો નથી... આ પણ જણાવે છે કે માટી અને ઘડા વચ્ચે ભેદ પણ હોવો જ જોઈએ. એટલે આ ભેદ સંબંધની ઉપસ્થિતિ આવશ્યક છે. એ શક્યાર્થરૂપે લઈ શકાતી નથી. કારણ કે તો તો એ “પ્રમાણરૂપ બની જાય, દ્રવ્યાર્થિકનય ન રહે. તેથી લક્ષ્યાર્થરૂપે માને છે. પર્યાયાર્થિકનય એમ કહે છે કે પટમની આ સાંભળવા પર શ્રોતાને શ્યામ7 - કંબુગ્રીવાદિમત્ત્વ-વૃત્તાકાર(પાંચેક લીટરનું)પરિમાણ.. આવો બધો પદાર્થ જ ઉપસ્થિત થાય છે. આ બધું તો ગુણ-પર્યાય છે. ને આ સિવાય તો કશું ઉપસ્થિત થતું જ નથી જેને માટીદ્રવ્ય કહી શકાય. માટે “ઘટ' પદની શક્તિ ગુણ-પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી... એમ એ, ભેદ સંબંધ પણ “ઘટ' પદની શક્તિથી ઉપસ્થિત થાય છે, એમ માને છે, કારણ કે “ઘડાનું પાણી” આવો વ્યવહાર ઘડા-પાણી વચ્ચેના ભેદ સંબંધને જણાવે છે... એમ “માટીનો ઘડો' વગેરે વ્યવહાર પણ ભેદસંબંધને જ જણાવે છે. પણ, છેવટે આ પર્યાયાર્થિકનયને પણ સુનય બન્યા રહેવું છે. દુર્નય નથી બની જવું.. એટલે શિખવ્યવહારનો એ પણ આદર કરે છે. ને તેથી “માટી ઘડારૂપે પરિણમી.” આવા વ્યવહારનો કે પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ અંગે થતી “આ એ જ માટી છે' આવી પ્રત્યભિજ્ઞાનો એ અપલાપ કરતો નથી. સામાન્ય સંયોગોમાં, ટમીનય સાંભળીને શ્રોતા માટીનો જ ઘડો લાવે છે... સુવર્ણકળશાદિ લાવતો નથી. આ વાસ્તવિકતાને પણ એ નજરઅંદાજ કરતો નથી. એટલે એ સ્વીકારે છે કે “ઘટ' પદથી માટી પણ ઉપસ્થિત થાય તો છે જ. વળી, માટીની ઉપસ્થિતિ હોય જ નહીં, તો ગુણ-પર્યાયનો ભેદસંબંધ જે ઉપસ્થિત થયો છે, તે પણ કોની સાથે ? તેથી, પણ “માટી પણ ઉપસ્થિત થાય છે' એમ માનવું પડે છે. પણ શક્યાર્થરૂપે માને તો તો પોતે પ્રમાણાત્મક બની જાય. માટે લક્ષ્યાર્થરૂપે એની ઉપસ્થિતિ માને છે... પદાર્થને માત્ર દ્રવ્યાત્મક માનનાર વ્યક્તિને એની પર્યાયાત્મકતા પણ જણાવવા માટે પર્યાયઅંશ પર જોર આપવું છે. એના પર જોર તો જ અપાય જો દ્રવ્યાંશને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઢાળ-૫ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ગૌણ કરવામાં આવે. એટલે દ્રવ્યાંશને માનવો છે... ને છતાં ગૌણ રાખવો છે... આવા પ્રયોજનને અનુસરીને પર્યાયાર્થિકનય એની લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે. (અર્થાત્ ગંગાતીરની... તીરે. એવો પ્રયોગ કરીને શક્યાર્થરૂપે ઉપસ્થિતિ શક્ય હોવા છતાં શૈત્ય - પાવનત્વની પ્રતીતિરૂપ પ્રયોજન જેમ એની Tયાં. એવો પ્રયોગ કરીને લક્ષ્યાર્થરૂપે જ ઉપસ્થિતિ કરવામાં આવે છે, તેમ પ્રસ્તુતમાં) દ્રવ્યાંશની શક્યાર્થરૂપે ઉપસ્થિતિ શક્ય હોવા છતાં ઉપરોક્ત જોર આપવાના પ્રયોજને લક્ષ્યાર્થરૂપે જ ઉપસ્થિતિ માને છે. ષષ્ઠીવિભક્તિ ભેદમાં આવે છેજેમ કે દેવદત્તનો ઘડો... આને જ અનુસરીને માટીનો ઘડો... ઘડાનો નીલવર્ણ... વગેરેમાં પણ ષષ્ઠી વિભક્તિ હોવાથી ભેદસંબંધ તો એ સ્વીકારે જ છે. છતાં દેવદત્ત અને ઘડાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ જણાય છે. એવું માટી અને ઘડાનું કે ઘડાનું અને એના વર્ણાદિનું અનુભવાતું નથી... શિષ્ટ પુરુષોના આવા અનુભવને પણ નકારી તો ન જ શકાય... એટલે દેવદત્તનો ઘડો ને માટીનો ઘડો... ઘડાનું પાણી ને ઘડાનો વર્ણ.. આ બધામાં ભાસતા ભેદ સંબંધમાં વિલક્ષણતા માનવી જ પડે છે. જ્યાં બંને સંબંધીઓ સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવી શકતા હોય ત્યાં ઐક્ય-તાદાભ્ય વિનાનો ભેદ સંબંધ હોય છે... ને જ્યાં સ્વતંત્ર અસ્તિત્વ શક્ય ન હોય ત્યાં ઐક્ય (અભેદ)થી સંવલિત ભેદ સંબંધ હોય છે. એ વિલક્ષણતા, આ સિવાય બીજા કોઈ પ્રકારની માની શકાતી નથી. એટલે, માટીનો ઘડો, ઘડાનો વર્ણ વગેરેમાં ઘડો, વર્ણ.... સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા ન હોવાથી અભેદ સંવલિત ભેદ સંબંધ માનવો આવશ્યક બને છે. વળી, સર્વથા ભેદ સંબંધ અંતે જઈને બાધિત બને છે. માટે પણ “અભેદ' માનવો જરૂરી છે. ને પોતે પ્રમાણાત્મક ન બની જાય એ પ્રયોજન તો છે જ. માટે પર્યાયાર્થિકનય ભેદની શક્યાર્થરૂપે અને અભેદ સંબંધની લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે. આમ પ્રસ્તુતમાં દ્રવ્યાર્થિકનયમતે દ્રવ્યાંશ અને અભેદ એ મુખાર્થ છે. પણ જો એ મત, ગુણ-પર્યાયાંશ અને ભેદ ન માને તો આ મુવાર્થ બાધિત થાય છે. વળી, આ ગુણપર્યાયાંશ અને ભેદ સાથે મુખ્યર્થનો ભેદભેદ સંબંધ તથા ક્ષીરનીરવત્ અત્યંત સંકળાયેલાપણું - અનુવિદ્ધત્વ સંબંધ પણ છે... ને માટીનો ઘડો વગેરે વ્યવહારને સંગત કરવાનું તથા પોતાના દ્રવ્યાર્થિકનયપણાને જાળવી રાખવાનું પ્રયોજન પણ છે. માટે દ્રવ્યાર્થિકનય ગુણપર્યાયાંશ તથા ભેદમાં લક્ષણા માને છે. આ વાત દુર્ઘટ નથી, પણ ઘટી જાય (= સંગત થાય) એવી છે. એમ, પર્યાયાર્થિકનયમતે ગુણ-પર્યાયાંશ અને ભેદ એ મુખ્યાર્થ છે. પણ જો એ મત, દ્રવ્યાંશ અને અભેદ ન માને તો આ મુખ્યાર્થ બાધિત થાય છે. વળી, આ દ્રવ્યાંશ અને અભેદ સાથે મુખ્યર્થનો ભેદભેદ અને અનુવિદ્ધત્વ સંબંધ પણ છે... ને માટી ઘડારૂપે પરિણમી વગેરે વ્યવહારને સંગત કરવાનું તથા પોતાના પર્યાયાર્થિકનયપણાને જાળવી રાખવાનું પ્રયોજન પણ છે. માટે પર્યાયાર્થિકનય દ્રવ્યાંશમાં અને અભેદમાં લક્ષણા માને એ દુર્ઘટ નથી. // પ૬ / Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-પ : ગાથા ૩-૪ મુખ્યવૃત્તિ સવિ લેખવઇ, પર્યાયારથ ભેદ રે । ઉપચારઇ અનુભવબલઇ, માનઇ તેહ અભેદઇ રે || જ્ઞાન૦ | ૫-૩ ॥ ટબો - ઇમ પર્યાયાર્થનય મુખ્યવૃત્તિ થકો સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદઇ લેખવઇ, જે માટઇ એ નયનઇ મતઇ મૃદાદિપદનો દ્રવ્ય અર્થ, રૂપાદિપદનો ગુણ જ, ઘટાદિપદનો કંબુગ્રીવાદિપર્યાય જ. તથા ઉપચારઇ=લક્ષણાઇ કરી અનુભવનઇ બલઇ તે અભેદઇ માનઇ. ‘ઘટાદિ મૃદ્દવ્યાધભિન્ન જ છઇ' એ પ્રતીતિં ઘટાદિપદની મૃદાદિદ્રવ્યનઇ વિષઇ લક્ષણા માનિઇ, એ પરમાર્થ. ॥ ૫-૩ | દોઇ ધર્મ નય જે ગ્રહઇ, મુખ્ય અમુખ્ય પ્રકારો રે । તે અનુસારઇ કલ્પઇ, તાસ વૃત્તિ ઉપચારો રે ॥ જ્ઞાન૰ || ૫-૪ ॥ ૧૮૩ ગાથાર્થ - પર્યાયાર્થિકનય સર્વનેદ્રવ્ય-ગુણ-પર્યાયને પરસ્પર ભેદ સંબંધથી મુખ્યવૃત્તિએ જાણે છે અને અનુભવબળે ઉપચાર કરીને તેને પરસ્પર અભેદ સંબંધથી પણ માને છે. II૫-૩॥ વિવેચન - ઇમ પર્યાયાર્થે એમ પર્યાયાર્થિક નય મુખ્યવૃત્તિએ દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદસંબંધથી જુએ છે. (અર્થાત્ એ સર્વનો પરસ્પરભેદ માને છે.) કારણ કે આ નયના મતે ‘મૃદ્’ વગેરે પદનો અર્થ દ્રવ્ય જ થાય છે... ‘રૂપ’ વગેરે પદનો અર્થ ગુણ જ થાય છે અને ‘ઘટ' વગેરે પદનો અર્થ કંબુગ્રીવાદિપર્યાય જ થાય છે. આશય એ છે કે ‘મૃદ્’ ‘તંતુ’ વગેરે પદનો અર્થ ક્યારેય રૂપ વગેરે કે ઘટ-પટ વગેરે થતો નથી. એમ ‘રૂપ’ વગેરે પદનો અર્થ ક્યારેય મૃ-તંતુ વગેરે કે ઘટ-પટ વગેરે થતો નથી... એમ ‘ઘટ' ‘પટ' વગેરે પદનો અર્થ ક્યારેય મૃદુ-તંતુ વગેરે કે રૂપ વગેરે થતો નથી. એટલે જણાય છે કે મૃદ્-તંતુ વગે૨ે દ્રવ્ય, રૂપ વગેરે ગુણ ઘટ-પટ વગેરે પર્યાય કરતાં ભિન્ન જ છે... જો અભિન્ન હોત તો જેમ ઘટ-કુંભનો અભેદ હોવાથી ‘ઘટ' પદનો અર્થ કુંભ થાય છે, ને ‘કુંભ’ પદનો અર્થ ઘટ થાય છે, એમ પ્રસ્તુતમાં ‘મૃદ્' વગેરે પદનો અર્થ રૂપાદિ કે ઘટાદિ થાત. એટલે આ અનુભવને નજરમાં રાખીને પર્યાયાર્થિકનય મૃદાદિદ્રવ્ય, રૂપાદિગુણ અને ઘટાદિપર્યાયનો પરસ્પર ભેદ મુખ્યવૃત્તિએ જણાય છે, એમ કહે છે. પણ બીજી બાજુ, માટી ઘડા રૂપે પરિણમી... ઘડો અને રૂપ પૃથક્ પૃથક્ જણાતા નથી... આવા બધા જે અનુભવ થાય છે એના બળ પર = એને અનુસરીને ઉપચારથી લક્ષણાથી દ્રવ્યાદિનો પરસ્પર અભેદ સંબંધ પણ માને છે. એમ ઘટાદિ મૃદુ વગેરે દ્રવ્યથી અભિન્ન જ છે' આવી પ્રતીતિના બળે ‘ઘટ' પદની મૃદ્રવ્યમાં પણ એ લક્ષણા માને છે. આ પરમાર્થ છે. આની સમજણ બીજી ગાથાના વિવેચનમાં આપણે જોઈ ગયા છીએ. ગાથાર્થ આમ, બે ધર્મમાંથી જે નય જે ધર્મને મુખ્ય-અમુખ્ય પ્રકારે સ્વીકારે છે તેને અનુસારે એની વૃત્તિ=શક્તિ અને ઉપચાર=લક્ષણા કલ્પવી. ॥ ૫-૪ | - = Page #203 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૫ : ગાથા-પ = ગ્રહઇ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો – બેહુ ધર્મ ભેદ-અભેદ પ્રમુખ, જે નય દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક ઊહાખ્યપ્રમાણઇ ધારઇ, મુખ્ય-અમુખ્ય પ્રકારઇ સાક્ષાત્ સંકેતઇ તથા વ્યવહિત સંકેતઇ, તે નયની વૃત્તિ અનઇ તે નયનો ઉપચાર કલ્પિઇ. જિમ - ગંગા પદનો સાક્ષાત્ સંકેત પ્રવાહરૂપ અર્થનઇ વિષયઇ છઇ, તે માટઇ પ્રવાહઇ શક્તિ તથા ગંગાતીરઈ ગંગાસંકેત વ્યવહિત સંકેત છઇ, તે માટઇ ઉપચાર. તિમ દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત અભેદઇ છઇ, તે માટઇ તિહાં શક્તિ, ભેદઇ વ્યવહિત સંકેત છઇ, તે માટે ઉપચાર. ઇમ પર્યાયાર્થિકનયની પણિ શક્તિ-ઉપચાર ભેદ અભેદનઇ વિષયઇ જોડવા. ॥ ૫-૪ | ભિન્ન વિષય નયજ્ઞાનમાં જો સર્વથા ન ભાસઇ રે । તો સ્વતંત્ર ભાવઇ રહઇ મિથ્યાર્દષ્ટિ પાસઇ રે ! જ્ઞાન૦ | ૫-૫ ॥ ૧૮૪ = = આદિ શબ્દથી વિવેચન - બેહુ ધર્મ... બે ધર્મ ભેદ-અભેદ વગેરે...(પ્રમુખ દ્રવ્યાંશ-પર્યાયાંશ વગેરે...) આ બે ધર્મને જે દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક જે નય ‘ઊહ' નામના પ્રમાણ દ્વારા મુખ્ય કે અમુખ્ય પ્રકારે ધારે તેને અનુસરીને તે નયની શક્તિ અને લક્ષણા કલ્પવી જોઈએ. આમાં ઊહ નામનું પ્રમાણ એટલે ‘તર્ક' પ્રમાણ. (અન્વય-વ્યતિરેક દ્વારા અવિનાભાવનો વ્યાપ્તિનો નિર્ણય કરાવે તે તર્ક પ્રમાણ... આવી એની સામાન્ય વ્યાખ્યા જાણવી.) મુખ્ય-અમુખ્ય પ્રકારે... સાક્ષાત્ સંકેતે (= શક્તિથી) જે જણાય તે મુખ્ય પ્રકારે જણાયેલું કહેવાય... વ્યવહિત સંકેત દ્વારા જે જણાય તે અમુખ્ય પ્રકારે જણાયેલું ગણાય. જેમ કે ‘ગંગા’પદનો સાક્ષાત્ સંકેત ગંગાપ્રવાહમાં છે. માટે ‘ગંગા’પદથી ગંગાપ્રવાહ મુખ્ય પ્રકારે જણાય છે. ગંગાતીર આ શક્યાર્થભૂત ગંગાપ્રવાહને સંબદ્ધ છે. એ ‘ગંગા’પદને સાક્ષાત્ સમ્બદ્ધ નથી. માટે ‘ગંગા’પદનો ગંગાતીરમાં જે સંકેત છે તે વ્યવહિતસંકેત કહેવાય છે....એ લક્ષણા છે... એટલે ‘ગંગા’પદ દ્વારા ગંગાતીરની ઉપસ્થિતિ અમુખ્ય પ્રકારે થાય છે. = એમ દ્રવ્યાર્થિકનય પોતાની દૃષ્ટિથી તર્ક કરે છે... અને એને અનુસારે એ, દ્રવ્યાંશને અને અભેદને મુખ્યપણે જુએ છે... માટે એમાં એ શક્તિ (મુખ્ય વૃત્તિ) માને છે... અને ગુણ પર્યાયમાંશને તથા ભેદને અમુખ્યપણે જુએ છે. માટે એમાં એ ઉપચાર-લક્ષણા માને છે. = પર્યાયાર્થિકનય પોતાની દૃષ્ટિથી તર્ક કરે છે... અને તદનુસાર એ ગુણ-પર્યાયાંશને અને ભેદને મુખ્યપણે જુએ છે... માટે એમાં એ મુખ્ય વૃત્તિ-શક્તિ માને છે અને દ્રવ્યાંશને તથા અભેદને અમુખ્યપણે જુએ છે... માટે એમાં એ ઉપચાર=લક્ષણા માને છે. ! ૫૮ ॥ ગાથાર્થ - જો નયજ્ઞાનમાં ભિન્ન વિષય સર્વથા ન ભાસે તો એ નય સ્વતંત્ર ભાવે મિથ્યાદષ્ટિ પાસે રહે છે. । ૫-૫ || વિવેચન - જો નયજ્ઞાનમાંહિં... જો દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક નયના જ્ઞાનમાં સ્વમાન્ય મુખ્યાર્થ કરતાં ભિન્ન વિષયઅન્યનયનો મુખ્યાર્થ સર્વથા ન ભાસે=અમુખ્યપણે=લક્ષણાથી= ઉપચારથી પણ ન ભાસે તો એવું નયજ્ઞાન એ સ્વતંત્રભાવે રહેનારું=અન્યનયથી સર્વથા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૬ ટબો - જો નયજ્ઞાનમાં હિં, ભિન્ન વિષય કહતાં-નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહેતાઅમુખ્યપણાં પણિ, ન ભાઈ, તો સ્વતંત્ર ભાવાં-સર્વથા નયાંતરવિમુખપણાં, મિથ્યાદૃષ્ટિ પાસઈ રહઇ, એટલાં-દુર્નય થાઈ. પણિ સુનય ન થાઈ, ઈમ જાણવું. તે પ-૫ એહ વિશેષાવશ્યકઈ, સમ્મતિમાં પણિ ધારો રે | ઈમ નથી સવિ સંભવઇ, ભેદ-અભેદ-ઉપચારો રે | જ્ઞાન પ-૬/l ટબો એહ અર્થ વિશેષાવશ્યકઈ, તથા સમ્મતિમાંહિં છઇ, ઇમ ધારો. ગાથા - दोहिं वि णयेहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण. अण्णण्णनिरवेक्खा ।। २१९५ ।। વિમુખપણે રહેનારું બની જાય છે. ને તેથી એવું જ્ઞાન એકાંતવાદી બનવાથી... સર્વશિષ્ટજનના અભ્રાન્ત અનુભવનો અપલાપ કરનારું હોવાથી સમ્યગદષ્ટિ પાસે નહીં, પણ મિથ્યાદષ્ટિ પાસે રહે છે. એટલે એ દુર્નયરૂપ બની જાય છે... સુનયરૂપે રહેતું નથી, એ જાણવું...// ૫૯ / ગાથાર્થ - આ વાત શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં તેમજ શ્રી સમ્મતિ પ્રકરણમાં કહેલી છે તે ધારો. આમ નયથી ભેદ-અભેદ-મુખ્યવૃત્તિ-ઉપચાર.. બધું સંભવે છે. જે પ-૬ / વિવેચન - એહ અર્થ. આ અર્થ શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં તથા શ્રી સમ્મતિતપ્રકરણમાં કહેલ છે તે જાણો. શ્રી વિશેષાવશ્યકભાષ્યની ૨૧૯૫મી ગાથામાં તથા શ્રી સમ્મતિ.ની ત્રીજા કાંડની ૪૯મી ગાથામાં જણાવ્યું છે કે જો કે ન્યાય-વૈશેષિક દર્શનકારોએ નિયત્વ-અનિત્યત્વ... સામાન્ય-વિશેષ... વગેરે માનીને પોતાનું શાસ્ત્ર બન્ને નયોની વિચારધારાને અનુસરીને રચ્યું છે... તો પણ એ મિથ્યા છે. કારણ કે એમણે માનેલ નિત્યત્વ-અનિત્યત્વ પોત-પોતાના વિષયની પ્રધાનતાવાળા છે અને અન્યોન્ય નિરપેક્ષ છે. આશય એ છે કે આ દર્શનકારો આકાશ-પરમાણુ વગેરેમાં નિત્યત્વ માને છે... પણ ત્યાં અનિત્યત્વ બિલકુલ માનતા નથી... અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વથી સર્વથા નિરપેક્ષ છે... એમ ઘટ-પટ વગેરેમાં અનિત્યત્વ માન્યું છે. પણ ત્યાં નિત્યત્વ કોઈ જ રીતે માનવા તૈયાર નથી... આમ અનિત્યત્વ પણ, નિત્યત્વથી બિલકુલ નિરપેક્ષ છેપણ વાસ્તવિકતા તો આવી નથી. દીવાથી લઈને આકાશ સુધીના બધા પદાર્થોમાં નિત્યત્વ અને અનિત્યત્વ પરસ્પર સંકળાઈને જ રહેલા છે. માટે એ દર્શનોમાં સમ્યકત્વ નથી, મિથ્યાત્વ છે. આ જ રીતે સામાન્ય-વિશેષને પણ સર્વથા નિરપેક્ષ માનનાર હોવાથી એ મિથ્યા છે. અને એ મિથ્યા છે માટે જ એના દૃષ્ટિકોણો દુર્નયરૂપ છે, પણ સુનય નથી... શંકા - આ દુર્નય-સુનય કોને કહેવાય ? સમાધાન - એકાંશગ્રાહી બોધ એ નય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઢાળ-૫ : ગાથા-૬ स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः, इति सुनयलक्षणम् । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः, इति दुर्नयलक्षणम् ।। ઇમ નયથી = નવિચારથી, ભેદ-અભેદ ગ્રાહ્ય વ્યવહાર સંભવઇ. તથા નયસંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણિ સંભવઇ. તે માટઇ ભેદ-અભેદ તે મુખ્યપણઇ પ્રત્યેકનયવિષય, મુખ્યામુખ્યપણઇ ઉભયનયવિષય. ઉપચાર તે મુખ્યવૃત્તિની પરિ નયપરિકર, પણિ વિષય નહીં. એ સમો માર્ગ શ્વેતાંબર પ્રમાણ-શાસ્ત્રસિદ્ધ જાણવો. ॥ ૫-૬ || સ્વાર્થગ્રાહી ઇતરાંશાપ્રતિક્ષેપી બોધ એ સુનય છે. સ્વાર્થગ્રાહી ઇતરાંશપ્રતિક્ષેપી બોધ એ દુર્નય છે. દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સ્વાભિપ્રેત જે અંશ હોય એનું ગ્રહણ કરે... અને ઇતરાંશ સ્વને અનભિપ્રેત અંશ... એનું ખંડન ન કરે એ સુનય છે... (પૂર્વે જણાવી ગયો છું એમ, સ્વમાન્ય અંશની દૃઢ પ્રતિષ્ઠા માટે ખંડન કરે પણ ખરો... પણ પદાર્થમાં એ ઇતરાંશ છે જ નહીં... એ રીતે એનો સદંતર ઇનકાર કરવા ખંડન ન કરે... તો પણ એ સુનય છે.) સ્વાભિપ્રેતઅંશનું ગ્રહણ કરે... ને ઇતરાંશનું ખંડન કરે.. એ દુર્નય છે. આમ, નયવિચારથી ભેદ-અભેદ ગ્રાહ્ય વ્યવહાર સંભવે છે. અર્થાત્ દ્રવ્યાર્થિકનયને અભેદ ગ્રાહ્ય છે. પર્યાયાર્થિકનયને ભેદ ગ્રાહ્ય છે. આવો વ્યવહાર થઈ શકે છે. આશય = એ છે કે ઘટ-પટાદિ પદાર્થ એ ગ્રાહ્ય છે. એ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. વળી આ દ્રવ્યાદિ વચ્ચે ભેદ-અભેદ બન્ને છે. માટે ભેદ-અભેદ બન્નેનો વ્યવહાર થવો જોઈએ. એ વ્યવહાર, ઉપર બતાવી ગયો એમ, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયથી સંભવિત બને છે. તથા નયસંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણ સંભવે છે. ભાવાર્થ એ છે કે... શબ્દનું શ્રવણ થવા માત્રથી સીધો અર્થબોધ થઈ જતો નથી... પણ વાચક શબ્દ અને વાચ્ય પદાર્થ વચ્ચેના સંબંધરૂપ વૃત્તિ દ્વારા એ થાય છે. માટે આ વૃત્તિ પણ ગ્રાહ્ય એવા પદાર્થનો બોધ કરાવનાર હોવાથી ‘ગ્રાહક' કહેવાય છે. વળી આ વૃત્તિ બે પ્રકારે છે... મુખ્ય (શક્તિ) અને ઉપચાર (લક્ષણા). એટલે ઉપચાર એ ગ્રાહકવૃત્તિવિશેષરૂપ એક ચોક્કસ પ્રકારની ગ્રાહકવૃત્તિરૂપ છે, ટૂંકમાં એ લક્ષણારૂપ છે... આ લક્ષણારૂપ ઉપચાર સીધેસીધો સંભવતો નથી, પણ ચોક્કસ પ્રકારના નયસંકેતથી સંભવે છે. દ્રવ્યાર્થિકનયે આવો ચોક્કસ સંકેત એવો કર્યો છે કે જેથી ઉપચારથી ભેદ જણાય છે ને પર્યાયાર્થિકયે એવો સંકેત કર્યો છે કે જેથી ઉપચારથી અભેદ જણાય છે. આમ ઉપચાર પણ સંભવિત છે. તે માટઇ ભેદ - અભેદ... તેથી, મુખ્યપણે ભેદ એ પર્યાયાર્થિકનયનો વિષય... અને અભેદ એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે... આમ ભેદ-અભેદ મુખ્યપણે એક-એક નયના વિષય છે. મુખ્યામુખ્યપણે બન્ને નયના વિષય છે. (દ્રવ્યાર્થિક-મુખ્યપણે અભેદ, અમુખ્યપણે ભેદ.. પર્યાયાર્થિક-મુખ્યપણે ભેદ, અમુખ્યપણે અભેદ...) = Page #206 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૫ : ગાથા-૭ ૧૮૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છાંડી મારગ એ સમો, ઉપનયમુખ જે કલ્પઈ રે ! તેહ પ્રપંચ, પણિ જાણવા, કહઈ તે જિમ જલ્પાં રે / જ્ઞાન / પ-૭ // ટબ - એ સમો માર્ગ છાંડી કરીનઈ, જે દિગંબર બાલ, ઉપચારાદિ ગ્રહવાન કાજિ ઉપનય પ્રમુખ કલ્પઈ છો, તે પ્રપંચ=શિષ્યબુદ્ધિધંધનમાત્ર. પણિ સમાનતંત્રસિદ્ધાન્ત છો, તે માટઈ જાણવાનાં કાતિ કહિછે, જિમ-તે જલ્પઈ છV=સ્વપ્રક્રિયાઈ બોલાઈ છઈ. પ-૭ | ઉપચાર - તે.... ઉપચાર એ મુખ્યવૃત્તિની જેમ નયના પરિકરભૂત = પરિવારભૂત છે, પણ વિષયભૂત નથી... આશય એ છે કે ગાથામાં, “ભેદ-અભેદ અને ઉપચાર આ બધુ નયવિચારથી સંભવે છે” એમ જણાવ્યું છે... અર્થાત્ ઉપચારનો ઉલ્લેખ ભેદ અને અભેદની સાથે થયો છે... અને આ ભેદ અને અભેદ તો નયના (મુખ્ય-અમુખ્યપણે) વિષયભૂત છે.. વિષયરૂપે સંભવે છે... એટલે એની સાથે ઉલ્લેખ પામેલ ઉપચારને પણ કોઈ નયના વિષયભૂત ન સમજી લે એ માટે ગ્રંથકાર આ ખુલાસો કરે છે કે “ઉપચાર' એ નયના વિષયભૂત નથી... શંકા - ઉપચાર એ નયના વિષયભૂત નથી, તો શું છે? સમાધાન - મુખ્યવૃત્તિની પરે=શક્તિની જેમ એ પણ નયના પરિવારભૂત છે. આશય એ છે કે નય દ્વારા ભેદ-અભેદનો બોધ કરવો છે... આ બોધ કરાવવામાં મુખ્યવૃત્તિ (શક્તિ) જેમ નયને સહકાર આપતી હોવાથી નયના પરિવારમાં ગણાય છે એમ ઉપચાર (લક્ષણા) પણ નયને (ઇતરાંશનો બોધ કરાવવામાં) સહકાર આપે છે... માટે એ પણ એના પરિકરભૂત છે. આવા પ્રકારનો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય વગેરે અંગેનો અભિપ્રેત માર્ગ સમો છે – ખાડા-ટેકરા વિનાનો સમતલ છે... જેથી પદાર્થબોધની ગાડી અખ્ખલિતપણે ગતિ કરે છે... આ માર્ગ શ્વેતાંબરોને માન્ય-પ્રમાણભૂત જે શ્રી તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિતર્કપ્રકરણ, શ્રી વિશેષાવશ્યકભાષ્ય, શ્રી પ્રમાણનયતત્તાલોક વગેરે શાસ્ત્રોથી સિદ્ધ થયેલો છે. ૬૦ || ગાથાર્થ - પૂર્વોક્ત ગાથાઓમાં કહ્યો એવો આ સરળ માર્ગને છોડીને ઉપનય વગેરેની જે કલ્પના કરે છે તે ઉપનય વગેરેના વિસ્તારને જાણવા માટે હવે તે કલ્પના કરનાર જે રીતે કહે છે તે અમે કહીએ છીએ. જે પ-૭ //. વિવેચન - એ સમો માર્ગ. આ સરળ માર્ગ છોડીને જે દિગંબરબાળ ઉપચાર વગેરેનું ગ્રહણ કરવા માટે ઉપનય વગેરેની કલ્પના કરે છે તેની તે કલ્પના શિષ્યબુદ્ધિમાં અંધાપો ફેલાવવા જેવી જ છે. કારણ કે એ નિરૂપણથી શિષ્યની બુદ્ધિમાં, નય ૭ હશે કે ૯ ? વગેરરૂપે વિખવાદ પેદા થઈ શકે છે. છતાં જેમ અમને જિનવચનો માન્ય છે એમ એમને પણ માન્ય છે... જેમ અનેકાન્તવાદ-સ્યાદ્વાદ અમારો મુખ્ય સિદ્ધાંત છે એમ એમનો પણ એ મુખ્ય સિદ્ધાંત છે. ને એની સિદ્ધિ માટે જ મુખ્યતયા ઉભય પક્ષે દાર્શનિકવિચારણાઓ Page #207 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૫ : ગાથા-૮ ૧૮૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નવ નય, ઉપનય તીન છઇ, તર્કશાસ્ત્ર અનુસારો રે | અધ્યાત્મ વાચઈ વલી, નિશ્ચય નઈ વ્યવહારો રે | જ્ઞાન છે ૫-૮ / ટબ - તેહનઈ મતઈ - તર્કશાસ્ત્રનઈ અનુસારઈ, નવ નય અનઈ ત્રણ ઉપાય છો તથા અધ્યાત્મવાચઈ = અધ્યાત્મશૈલીઈ - નિશ્ચયનય વ્યવહારનય ઇમ ૨ - જ નય કહિઈ. || ૫-૮ || થયેલી છે. આમ દિગંબરનો આ સિદ્ધાંત પણ સમાનતંત્રસિદ્ધાંતરૂપ હોવાથી જાણવા યોગ્ય છે.. અને તેથી એની જાણકારી મળે એ માટે શ્રીદેવસેન આચાર્યે નયચક્ર અને આલાપ પદ્ધતિ નામના ગ્રંથમાં અને શ્રી માઇલ્ડ ધવલે પ્રાકૃતગાથાબદ્ધ નયચક્રમાં સ્વપ્રક્રિયાનુસાર જે રીતે કહ્યું છે તે રીતે અમે કહીએ છીએ. અહીં દિગંબરને “બાળ' તરીકે કહેવામાં બે કારણો વિચારી શકાય. (૧) સામાન્યથી બાળક નગ્ન હોય છે. એટલે દિગંબર પણ નગ્ન હોવાથી બાળ' છે. (૨) સારો - સુંદર - અસ્મલિત ગતિ કરાવે એવો માર્ગ છોડીને આડા - અવળા થવાનું મન બાળકને જ થતું હોય છે. આ દેવસેનાદિને પણ એવું મન થઈ રહ્યું છે, માટે એ બાળ છે. | ૬૧ / ગાથાર્થ - તર્કશાસ્ત્રને અનુસારે નવ નય છે અને ત્રણ ઉપનય છે. અધ્યાત્મ શાસ્ત્રને અનુસાર નિશ્ચય અને વ્યવહાર એમ બે જ નય છે. /પ-૮ || વિવેચન - હવેથી લઈને આઠમી ઢાળની પાંચમી ગાથા સુધી ગ્રંથકાર દિગંબરમાન્ય પ્રક્રિયા બતાવી રહ્યા છે... એટલે આ બધું જ ગ્રંથકારને માન્ય છે એમ સમજી ન લેવું.... જેટલું યુક્તિસંગત લાગે એટલું માનવાનું, બાકીનું છોડી દેવાનું.” એમ ગ્રંથકાર ખુદ કહેવાના છે. તેહનઈ મતઈ.... દિગંબરના મતે તર્કશાસ્ત્રને અનુસરીને - દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનય, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. એમ ૯ નવો છે. તેમજ સતવ્યવહાર, અસભૂતવ્યવહાર અને ઉપચરિત અસભૂતવ્યવહાર... એમ ૩ ઉપનય છે. તથા અધ્યાત્મશૈલીએ નિશ્ચયનય અને વ્યવહારનય એમ બે નય છે. “નયચક્ર' ગ્રંથમાં નવ નયો અને ત્રણ ઉપનયો વગેરેને જણાવનારી ગાથાઓ ૧૮૩ થી ૧૮૯ આ પ્રમાણે છે दो चेव य मूलणया, भणिया दव्वत्थपज्जयत्थगया । अण्णे असंखसंखा, ते तब्भेया मुणेयव्वा ।। १८३ ।। णइगम संगह ववहार, तह रिउसूत्तसद्दअभिरूढा । एवंभूदा णव णया वि, तह उवणया तिण्णि ।। १८४ ।। दव्वत्थो दहभेयं, छब्भेयं पज्जयत्थियं णेयं । तिविहं च णइगमं तह, दुविहं पुण संगहं तत्थ ।। १८५ ।। Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૯-૧૦ ૧૮૯ પહિલો દ્રવ્યારથ નયો, દસ પ્રકાર તસ જાણો રે | શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિકધુરિ આણો રે / જ્ઞાન / પ-૯ | જિમ સંસારી પ્રાણીયા, સિદ્ધ સમોવડિ ગણી રે ! સહજભાવ આગલિ કરી, ભવપર્યાય ન ગણીએ રે / જ્ઞાન / ૫-૧૦ || ટબો - દ્રવ્યાર્થનય ૧, પર્યાયાર્થનય ૨, નૈગમન ૩, સંગ્રહનય ૪, વ્યવહારનય ववहारं रिउसूत्तं, दुवियप्पं सेसमाहु एक्केक्का । उत्ता इह णयभेया, उवणयभेया वि पभणामो ।। १८६ ।। सब्भूदमसब्भूदं, उवयरियं चेव दुविहसब्भूदं । तिविहं पि असब्भूदं, उवयरियं जाण तिविहं पि ।। १८७ ।। दव्वत्थिएस, दव्वं, पज्जायं पज्जत्थिए विसयं । सब्भूदासब्भूदे, उवयरियं च दु णव - तियत्थं ।। १८८ ।। पज्जयं गउणं किच्चा, दव्वं पि य जो हु गिण्हइ लोए । सो दव्वत्थिय भणिओ, विवरीओ पज्जयत्थिणओ ।। १८९ ॥ ગાથાર્થ - પહેલો દ્રવ્યાર્થિકાય છે. એના ૧૦ પ્રકાર જાણો. કર્મઉપાધિથી રહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયને એમાં ધુરિ-અગ્રણી-પ્રથમ જાણવો. જેમકે સંસારી જીવો પણ, એના ભવ = સંસારપર્યાયને ન ગણીએ = ગૌણ કરીએ અને સહજ ભાવને = સાહજિક શુદ્ધ સ્વરૂપને આગળ કરીને મુખ્ય કરીને જોઈએ તો સિદ્ધ જીવોને સમાન છે. મેં પ-૯,૧૦ || વિવેચન - દ્રવ્યર્થનય... દ્રવ્યાર્થનય ૧, પર્યાયાર્થિનય ૨, નૈગમનાય ૩, સંગ્રહનય ૪, વ્યવહારનય ૫, ઋજુસૂત્રનય ૬, શબ્દનય ૭, સમભિરૂઢનય ૮ અને એવભૂતનય ૯. આ નવ નયના નામ છે. તેમાં પહેલો દ્રવ્યાર્થિકનાય છે... એના ૧૦ પ્રકાર છે. તે નીચે મુજબ ૧. કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૨. ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૩. ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૪. કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૫. ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૬. ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૭. અન્વય દ્રવ્યાર્થિકનય. ૮. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. ૯. પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. ૧૦. પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિકનય. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઢાળ-૫ : ગાથા-૯-૧૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૫, ઋજુસૂત્રનય ૬, શબ્દનય ૭, સમભિરૂઢનય ૮, એવંભૂતનય ૯, એ નવ નયનાં નામ. તિહાં પહેલો દ્રવ્યાર્થિકનય, તેહના દસ પ્રકાર જાણવા. તે દ્રવ્યાર્થિકનયના દસ ભેદમાંહિ પુરિ કહતાં પહિલાં, “અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય' મનમાંહિ આણો. કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય” એ પ્રથમભેદ. | પ-૯ | એહનો વિષય દેખાડઈ છો, જિમ સંસારી પ્રાણીયા સર્વ સિદ્ધસમાન ગણિઈ. સહજભાવ જે શુદ્ધાત્મસ્વરૂપ, તે આગર્લિ કરીનઈ, તિહાં ભવપર્યાય = જે સંસારના ભાવ, તે ન ગણિઈ તેહની વિવક્ષા ન કરિઈ, એ અભિપ્રાય ઈ દ્રવ્યસંગ્રહ) કહિઉં છઈ. मग्गणगुणठाणेहिं य, चउ-दसहिं हवंति तह असुद्धणया । વિછોયા સંસાર, સવ્વ સુદ્ધા દુ સુદ્ધાયા | ૨૩ / ૧-૧૦ || ઉત્પાદ ૧ નઈ વ્યય ની ગૌણતાઈ, અનઈ સત્તા મુખ્યતાઈ બીજો ભેદ શુદ્ધ વ્યાર્થનો જાણવો. “ઉતાવ્ય ગૌત્વે સત્તા પ્રાદ: દિવ્યર્થવ:” એ બીજો ભેદ. પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યને જ મુખ્ય કરનારી દષ્ટિ એ દ્રવ્યાર્થિકનય છે. એના દસ ભેદમાં સહુપ્રથમ છે કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિક નય.. અર્થાત્ કર્મઉપાધિ અને તેની અને કવિધ અસરો હોવા છતાં એ બધાને ગૌણ કરીને, આત્મા જાણે કે કર્મઉપાધિથી શૂન્ય = અકર્મોપાધિ હોય.. અને અકર્મોપાધિથી શુદ્ધ હોય એ રીતે એને જોવો એ આ અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય' નામનો પ્રથમ ભેદ છે.... કર્મને કે કર્મજન્ય અસરોને જોવાની જ નથી. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ આ દૃષ્ટિથી જોવા મળે છે. જાત્યરત્ન પર ગમે એટલો મેલ જામે તો પણ અંદર તો એની નિર્મળતા - સ્કુરદ્રુપતા એવી ને એવી અક્ષત હોય છે. એમ આત્મા પર ગમે તેવા ગાઢ ચીકણાં કર્મો ચોંટેલા હોય તો પણ અંદર એના કેવલજ્ઞાન વગેરે ગુણો તો રહેલા જ હોય છે. જો એ વખતે એ રહેલા ન હોય.. સર્વથા અસત્ હોય. તો ક્યારેય ઉત્પન્ન થઈ શકે જ નહીં... કારણ કે સર્વથા અસત્ વસ્તુ ખપુષ્પાદિની જેમ ક્યારેય પેદા થતી નથી. એટલે જેમ એક્સ રે, વસ્ત્ર પરના મેલને, વસ્ત્રને, ચામડીના વિવિધ સ્તરોને.. આ બધાને નજરમાં લીધા વિના સીધો અંદરના હાડકાંને જ જુએ છે... એમ આ દ્રવ્યાર્થિકનય, કર્મજન્ય ઉપાધિઓને વીંધીને સીધુ અંદરના શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે. એટલે જ આ નયનો વિષય, “સંસારી જીવને પણ સિદ્ધ સમાન જોવાએ છે. આમાં ભવપર્યાયને = કર્મજન્ય સંસારના ભાવોને નજરમાં લેવામાં આવ્યા નથી અને એ બધાની અંદર આત્માનું સાહજિક જે શુદ્ધ સ્વરૂપ છે એને જ મુખ્ય કરીને - “આ (સંસારીજીવ પણ) આવો જ શુદ્ધસ્વરૂપ છે.” એ રીતે આ નય જુએ છે. આ જ અભિપ્રાયથી શ્રી નેમિચન્દ્રાચાર્યે દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે - અશુદ્ધનયની દૃષ્ટિએ, જીવ - માર્ગણાસ્થાનને અને ગુણસ્થાનને આશ્રીને ૧૪ ભેદવાળો છે. (અર્થાત્ જીવના અલગ-અલગ ૧૪-૧૪ પ્રકાર છે.) પણ શુદ્ધનયની દૃષ્ટિએ તો સર્વ સંસારી જીવો શુદ્ધ જ છે (અને તેથી એકસરખા જ છે.) Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૧ ૧૯૧ ઉત્પાદવ્યય ગૌણતા, સત્તા મુખ્ય જ બીજઈ રે ! ભેદ શુદ્ધ દ્રવ્યારર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે ! જ્ઞાન છે પ-૧૧ // એહનઈ મતિ - દ્રવ્ય નિત્ય લીજઇ, નિત્ય તે ત્રિકાલ અવિચલિત રૂ૫, સત્તા મુખ્ય લેતાં એ ભાવ સંભવઈ. પર્યાય પ્રતિક્ષણ પરિણામી છઇ, તો પણિ જીવ-પુગલાદિ દ્રવ્યસત્તા કદાપિ ચલતી નથી. કે ૫-૧૧ || આ નયનું કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકનય. આવું જે નામ છે એમાં “શુદ્ધ' એ દ્રવ્યનું વિશેષણ છે પણ નયનું નહીં... એટલે કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્ય છે અર્થ જેનો એવો નય તે કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકનય... આમ અર્થ કરવો.. | ૬૩-૬૪ || ગાથાર્થ - શુદ્ધદ્રવ્યાર્થિકના બીજે ભેદે ઉત્પાદત્રયની ગૌણતા અને સત્તાની મુખ્યતા હોય છે. જેમ કે દ્રવ્ય નિત્ય છે' એમ જોવું એ. પ-૧૧ // વિવેચન - ઉત્પાદ ૧. ઉત્પાદ અને વ્યય... આ બેને ગૌણ કરીને-સત્તાને મુખ્યતા આપવાથી શુદ્ધદ્રવ્યાર્થિકનો બીજો ભેદ આવે છે. એટલે આનું નામ કાવ્યયાત્વે સત્તા પ્રાઈવ: શુદ્ધદ્રવ્યર્થ: આવું જાણવું. આ નયના મતે દ્રવ્યને નિત્ય જાણવું.. અર્થાત્ ત્રણે કાળમાં અવિચલિત સ્વરૂપવાનું જાણવું. સત્તાને = ધ્રૌવ્યને મુખ્ય કરવામાં આવે એટલે આવો ભાવ સંભવે છે. ત્રણે કાળમાં દ્રવ્યસત્તા વિચલિત થતી નથી. અલબત્ પર્યાયો પ્રતિક્ષણ પરિણામ પામે છે – પરિવર્તનશીલ છે.. ને તેથી પર્યાયરૂપે દ્રવ્યનાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થયા જ કરે છે. પણ આ ઉત્પાદ-વિનાશ તરફ નજર નાખવાની નથી... પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ વગેરે રૂપે થતા ઉત્પાદ-વિનાશ જોવાના જ ન હોય તો પછી માત્ર મૃદ્રવ્ય જ એવું ને એવું જોવા મળ્યા કરે... અલબત્ મૃદું પણ પુદ્ગલદ્રવ્યની એક અવસ્થારૂપ છે... માટે એ પણ ઉત્પાદ-વિનાશશીલ છે... માટે એને પણ નહીં જોવાની. આમ કોઈપણ અવસ્થાઓને જોવાની નહીં જ. એટલે માત્ર દ્રવ્યસત્તા જ દેખાય છે. જે આ નયનો વિષય છે. આમાં કેટલીક વિશેષ વાતો જાણવા જેવી છે... (૧) અહીં “સત્તા”નો અર્થ મહાસત્તા સામાન્ય નથી લેવાનો... કારણ કે એ તો જીવ, પુદ્ગલ વગેરે દરેક દ્રવ્યમાં સાધારણ હોય છે. અહીં તો ઉત્પાદ-વિનાશ અંશને બુદ્ધિથી અલગ કરીને બાકીનું તે તે દ્રવ્યનું જે સ્વરૂપ રહે એ જોવાનું છે... એ છે ધ્રૌવ્ય=ધ્રુવ અસ્તિત્વ=અવિચલિત અસ્તિત્વ. એટલે “સત્તા'નો અર્થ કરવાનો છે તે તે દ્રવ્યનું અવિચલિત અસ્તિત્વ... જે જીવ-પુગલ વગેરે માટે અલગ - અલગ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-પ : ગાથા-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (૨) અહીં શુદ્ધ એ દ્રવ્યનું નહીં, પણ દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે... આશય એ છે કે પ્રથમ પ્રકારમાં કર્મોપાધિરહિત જીવદ્રવ્યને શુદ્ધ કહ્યું... આવું શુદ્ધદ્રવ્ય સિદ્ધાવસ્થામાં સંભવિત છે... સંસારી અવસ્થામાં કર્મોપાધિસહિત હોવાથી દ્રવ્ય અશુદ્ધ હોવા છતાં, બુદ્ધિથી એ અશુદ્ધિને દૂર કરી દેવામાં આવે તો એમાં પણ શુદ્ધસ્વરૂપ જોઈ શકાય છે... પણ આવું આ બીજા પ્રકારમાં નથી... કર્મોપાધિ રહિત જીવદ્રવ્ય મળવું સંભવિત છે... ઉત્પાદ-વ્યય રહિત કોઈપણ દ્રવ્ય વાસ્તવિક રીતે ક્યારેય મળતું નથી જેને શુદ્ધ દ્રવ્ય કહી શકાય... એટલે ‘ઉત્પાદ-વ્યયરહિત હોય તે શુદ્ધ, સહિત હોય તે અશુદ્ધ... એ અશુદ્ધમાં પણ યોગ્યતારૂપે શુદ્ધતા પડેલી હોય છે...' આવું બધું કશું કહી શકાતું નથી, માટે શુદ્ધ એ દ્રવ્યનું વિશેષણ નથી એ સ્પષ્ટ છે. ૧૯૨ હવે, દ્રવ્યાર્થિકનય એ ધ્રૌવ્યાંશને જોનાર છે. પર્યાયાર્થિકનય ઉત્પાદ-વિનાશ અંશને જોનાર છે... એટલે જેટલી જેટલી દેખાતી ધ્રુવતા વધે એટલી એટલી દૃષ્ટિ દ્રવ્યાર્થિકપણાં તરફ વધારે ઢળેલી છે ને પર્યાયાર્થિક તરફ ઓછી ઢળેલી છે. નય દ્રવ્યાર્થિક હોય ને છતાં એ પર્યાયાર્થિક તરફના ઢળાણવાળો હોય તો એ એની દૃષ્ટિમાં-દ્રવ્યાર્થિકપણામાં અશુદ્ધિ છે. પર્યાય તરફનું આ ઢળાણ જેમ જેમ ઘટે તેમ તેમ અશુદ્ધિ ઘટતી જાય છે ને શુદ્ધિ વધતી જાય છે... એટલે ઘટને દ્રવ્ય તરીકે જોનાર દ્રવ્યાર્થિક ક૨તાં મૃદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દ્રવ્યાર્થિકનય વધારે શુદ્ધ છે. કારણ સ્પષ્ટ છે કે ઘટ કરતાં મૃદ્રવ્યનું અવિચલિતસ્વરૂપધ્રુવતા દીર્ઘકાલીન હોય છે. એમ, મૃદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દૃષ્ટિ કરતાં પૃથ્વીદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દૃષ્ટિ વધારે શુદ્ધ છે. ને એના કરતાં પણ ક્રમશઃ ઔદારિકવર્ગણાને અને પુદ્ગલદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દૃષ્ટિ-દ્રવ્યાર્થિકનય ઉત્તરોત્તર વધુ-વધુ શુદ્ધ છે. પુદ્ગલ ઔદારિકવર્ગણા રૂપે ઉત્પન્ન પણ થાય છે ને નાશ પણ પામે છે. માટે એટલા અંશે એમાં પણ ઉત્પાદ-વિનાશ ભળેલા છે... ને એ પણ અવસ્થાવિશેષરૂપ બનવાથી એટલા અંશે ‘પર્યાય’રૂપ છે... માટે દ્રવ્યાર્થિકનયની એને ‘દ્રવ્ય' તરીકે જોવામાં-એને ‘ધ્રુવ' તરીકે જોવામાં એટલી અશુદ્ધિ કહેવાય. પણ, પુદ્ગલ તરીકે કોઈપણ પુદ્ગલ ક્યારેય ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી... ‘પુદ્ગલ' તરીકેની એની ધ્રુવતા ત્રણે કાલમાં અવિચલિતસ્વરૂપવાળી હોય છે, ઉત્પાદ-વિનાશશૂન્ય હોય છે. એટલે એની આવી ધ્રુવતાને જોના૨ દ્રવ્યાર્થિકનય ‘શુદ્ધ' હોય છે, એમાં અંશમાત્ર પણ અશુદ્ધિ હોતી નથી... એ જ રીતે જીવ તરીકેની જીવની ધ્રુવતા ત્રણે કાળમાં અવિચલિતસ્વરૂપવાળી ઉત્પાદ-વિનાશશૂન્ય હોવાથી એ જોનાર દ્રવ્યાર્થિકનય ‘શુદ્ધ' હોય છે. જીવને મનુષ્યરૂપે-પંચેન્દ્રિયરૂપે-ત્રસરૂપે કે સંસારીરૂપે જોવામાં પણ ઉત્પાદ-વિનાશ અંશ રહેલ જ છે... પણ જીવરૂપે જોવામાં-‘જીવ' તરીકેની ધ્રુવતા જોવામાં એ આંશિક પણ ન હોવાથી નયષ્ટિ ‘શુદ્ધ' છે. (પર્યાયાર્થિકનય માટે આનાથી બિલકુલ વિપરીત સમજવું... એ ઉત્પાદ-વિનાશને જોનાર છે-અનિત્યતાને જોનાર છે... એટલે દૃષ્ટિ જેટલી જેટલી નિત્યતાવિષયક બનતી જાય એટલી એટલી અશુદ્ધ કહેવાય... દૃષ્ટિનો વિષય બનતી આ નિત્યતા-ધ્રુવતા જેટલી જેટલી અલ્પકાલીન બનતી જાય (ને તેથી Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૧ ૧૯૩ ઉત્પાદ-વિનાશ વધતા જાય. અલ્પ-અલ્પતર કાળે બનતા જાય...) તેટલી તેટલી પર્યાયાર્થિકની શુદ્ધિ વધતી જાય છે. “જીવ'રૂપે જીવ તો પર્યાયાર્થિકનો ક્યારેય વિષય બની શકે જ નહીં, કારણ કે એમાં ઉત્પાદ-વિનાશ અંશ બિલકુલ રહ્યા જ નથી. પણ, સંસારીઅવસ્થા-ત્રયપણુંપંચેન્દ્રિયપણું-મનુષ્યપણું બાળપણું-સ્તiધયપણું-પ્રથમદિનસ્તiધયપણું.. આ ક્રમે જોનાર પર્યાયાર્થિકન દષ્ટિઓમાં ઉત્તરોત્તર અશુદ્ધિ ઘટતી જાય છે ને શુદ્ધિ વધતી જાય છે. કારણ કે તે તે અવસ્થાનો અવસ્થાનકાળ-ધ્રુવતા ઉત્તરોત્તર ઘટતા જાય છે, ને ઉત્પાદ-વિનાશ વધતા જાય છે. અલ્પ-અલ્પતર કાળમાં થતા જાય છે. એમ આગળ અલ્પ-અલ્પતરકાલીન અવસ્થાઓને જોતાં જોતાં જે દૃષ્ટિ માત્ર ક્ષણિકપર્યાયોને જ જુએ છે. સમય બદલાયો નથી. ને અવસ્થાન્તર દેખાઈ નથી... આવું જોનાર દૃષ્ટિ ધ્રુવતાને અંશમાત્ર પણ જોતી નથી... માત્ર પ્રતિસમય થતાં ઉત્પાદ-વિનાશને જ જુએ છે... માટે એ પૂર્ણરૂપે “શુદ્ધ પર્યાયાર્થિકનય છે.) એટલે નિશ્ચિત થયું કે આ બીજા પ્રકારમાં દ્રવ્યને શુદ્ધ કહેવાનો અભિપ્રાય નથી, પણ દ્રવ્યાર્થિકનયને શુદ્ધ કહેવાનો અભિપ્રાય છે. જયારે પ્રથમ પ્રકારમાં “શુદ્ધ' એ દ્રવ્યનું જ વિશેષણ છે. શંકા - પ્રથમ પ્રકારમાં પણ એને દ્રવ્યાર્થિકનયનું જ વિશેષણ માનો ને ? સમાધાન-ના, એ માની શકાય એમ નથી. કારણ કે દ્રવ્યાર્થિક દૃષ્ટિમાં પર્યાયાર્થિકનો વિષય ઘુસે એ અશુદ્ધિ કહેવાય છે. એ જેમ ઘટે તેમ શુદ્ધિ વધે છે...ને એ બિલકુલ ન રહે તો દ્રવ્યાર્થિકદષ્ટિ બિલકુલ “શુદ્ધ' બને છે. આ આપણે ઉપર વિચારી ગયા છીએ. એટલે જેમ ઉત્પાદ-વ્યય એ પર્યાયાર્થિકનો વિષય છે ને ધ્રુવતા એ દ્રવ્યાર્થિકનો વિષય છે. માટે દષ્ટિના વિષયમાંથી ઉત્પાદ-વ્યય ઘટતા જાય એ શુદ્ધિ ગણાય છે. પણ આવું પ્રથમ પ્રકાર માટે કહી શકાતું નથી... “કર્મઉપાધિસહિતપણું એ પર્યાયાર્થિકનો વિષય છે ને કર્મઉપાધિરહિતપણું એ દ્રવ્યાર્થિકનો વિષય છે' આવો વિભાગ છે નહીં. એટલે, “સંપૂર્ણ રીતે કર્મઉપાધિરહિતપણામાં પર્યાયનો અંશ માત્ર પણ જોવાનો ન હોવાથી દ્રવ્યાર્થિકનય બિલકુલ શુદ્ધ છે' એવું કહી શકાતું નથી...ઊલટું જીવ પહેલાં કર્મઉપાધિસહિત હતો...પછી રહિત બન્યો. એટલે કર્મઉપાધિરહિતપણું પણ ઉત્પાદશીલ હોવાથી તથા કર્મઉપાધિરહિતપણામાં સિદ્ધાવસ્થામાં પણ પ્રતિક્ષણ અગુરુલઘુપર્યાયના ઉત્પાદ-વિનાશ હોવાથી એ દૃષ્ટિએ ત્યાં પણ પર્યાયાર્થિકનયની વિષયતા છે જ. માટે દ્રવ્યાર્થિકનય શુદ્ધ છે એમ, આ દૃષ્ટિએ કહી શકાતું નથી. એટલે આ નિશ્ચિત થયું કે પ્રથમ પ્રકારમાં “શુદ્ધ’ એ દ્રવ્યનું વિશેષણ છે ને બીજા પ્રકારમાં દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે. (૩) પ્રથમ પ્રકારમાં માત્ર શુદ્ધ આત્મદ્રવ્ય એ જ વિષય છે. બીજા પ્રકારમાં બધા દ્રવ્યો વિષય છે તથા આત્મદ્રવ્ય પણ પ્રથમ પ્રકારમાં સિદ્ધપર્યાયને (શુદ્ધ સ્વરૂપને) આગળ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઢાળ-૫ : ગાથા-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કરીને જ વિષય છે, બીજા પ્રકારમાં (જીવ પોતે સંસારી હોય કે સિદ્ધ હોય) નિત્યત્વ ધર્મને આગળ કરીને વિષય છે... પ્રથમ પ્રકારમાં બીજાં દ્રવ્યો કેમ વિષય નથી ? શંકા સમાધાન બીજાં દ્રવ્યોમાં, કર્મોપાધિસહિતપણું સંભવિત જ નથી...માટે રહિતપણું પણ વ્યપદેશાતું નથી...જે કોઈ નયથી વિચારવામાં આવે...કર્મોપાધિરહિત જ દ્રવ્ય દેખાવાનું છે...માટે ‘શુદ્ધદ્રવ્યાર્થિક' એવો વ્યપદેશ નિરર્થક બની રહે. = - શંકા - બીજાં દ્રવ્યોમાં કર્મરૂપ ઉપાધિ નથી સંભવતી...અન્ય ઉપાધિ તો સંભવે ને? સમાધાન ના, ધર્માસ્તિકાયાદિમાં કોઈ પણ ઉપાધિ ક્યારેય પણ સંભવતી નથી... કોઈપણ દ્રવ્યમાં અન્ય દ્રવ્ય ક્ષીર-નીરવત્ એકમેક થઈ પોતાની અસર છોડે તો જ એ અન્ય દ્રવ્ય એમાં ઉપાધિરૂપે ભળ્યું કહેવાય અને મૂળ દ્રવ્ય સોપાધિક બન્યું કહેવાય. ધર્માસ્તિકાય વગેરેમાં પુદ્ગલ વગેરે અન્ય કોઈ દ્રવ્ય આ રીતે એકમેક થઈ પોતાની અસર બતાવતું નથી... માટે ધર્માસ્તિકાયાદિ ક્યારેય સોપાધિક બનતા નથી. - શંકા - છતાં, જીવ અને પુદ્ગલ ક્ષીર-નીરવત્ એકમેક થાય છે, માટે જીવની જેમ પુદ્ગલ પણ સોપાધિક બને જ છે ને ! સમાધાન - જીવ એક-મેક થાય છે એ વાત બરાબર...પણ જીવની પુદ્ગલના સ્વરૂપ ૫૨ કોઈ અસર હોતી નથી ને ! શંકા - ના, એવું નથી...જીવની અસર પુદ્ગલ ૫૨ હોય છે...પુદ્ગલમાં સચિત્તપણું જે આવે છે તે જીવના પ્રભાવે જ આવે છે ને... જીવ નીકળી ગયા પછી રહી ગયેલ પૃથ્વી વગેરે પુદ્ગલ અચિત્ત કહેવાય છે. વળી માટી-ધૂળ વગેરેની એકાદ રજકણ...પાણીનું એકાદ બિંદુ કે ઘઉં વગેરેનો એકાદ દાણો પણ એવો નહીં મળે જે આજે ભલે ચિત્ત નથી... પણ પહેલાં પણ ક્યારેય સચિત્ત નહોતો... આશય એ છે કે, ઔદારિકવર્ગણારૂપે રહેલ પુદ્ગલ ક્યારેય પણ, જીવ સાથે એકમેક થયા વિના-જીવની અસર ઝીલ્યા વિના-રજકણજળબિંદુ-ઘઉં વગેરે રૂપે પરિણમી શકતું નથી. ઔદારિક વગેરે વર્ગણારૂપે પુદ્ગલ પોતાની મેળે જ(જીવસહષ્કૃત થયા વિના જ)૫૨માણુ-ચણુકાદિરૂપે કે વૈક્રિયાદિવર્ગણારૂપે પરિણમી શકે છે..પણ રજકણ વગેરે રૂપે પરિણમી શકતું નથી જ...એટલે પુદ્ગલનું રજકણ વગેરે સ્વરૂપ જીવની અસરરૂપે જ આવે છે ને...માટે પુદ્ગલમાં તો સોપાધિક-નિરૂપાધિક અવસ્થા આવી જ શકે છે ને ! એટલે નિરૂપાધિક પુદ્ગલદ્રવ્યને જોનાર નયદૃષ્ટિનો ક્યાં તો પ્રથમ પ્રકારમાં સમાવેશ કરવો જોઈએ ને ક્યાં તો એક સ્વતંત્ર પ્રકાર કહી દેવો જોઈએ ને ! સમાધાન તમારી વાત સાચી છે... છતાં, આવો નયપ્રકાર કહેવાયો નથી... એ એક હકીકત છે... માટે આપણે એનાં કારણો વિચારી કાઢવા જોઈએ... મને આવાં કારણો ભાસે છે... - Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૨ ત્રીજો શુદ્ધ દ્રવ્યારથો, ભેદ કલ્પનાહીનો રે | જિમ નિજગુણ પર્યાયથી, કહિએ દ્રવ્ય અભિન્નો રે / જ્ઞાન પ-૧૨ | , આજે કર્મઉપાધિસહિત એવા આપણા જેવા સંસારી જીવો પુરુષાર્થ દ્વારા કર્મઉપાધિરહિત એવી સિદ્ધાવસ્થા પામી શકે છે... એ પુરુષાર્થ માટે દ્રવ્યાનુયોગ સહાયક બને છે... ને દ્રવ્યાનુયોગમાં આવી કર્મઉપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ ઉપકારક બને છે. આપણે આપણા આત્માને આ દૃષ્ટિથી જોઈએ. જોતા રહીએ... તો મોહ વિલીન થતો જાય છે ને સંવેગ વધતો જાય છે.. પણ યુગલ માટે આવું કશું છે નહીં.. પુરુષાર્થ એ એનો ગુણ નથી. માટે પુરુષાર્થથી નિરુપાધિક અવસ્થા મેળવવાની છે, એવી વાત જ નથી. પછી ઉપાયની જરુર જ ક્યાં છે ? ને વળી બોધ પણ એને ક્યાં સંભવિત હોય છે ? કે જેથી નયદષ્ટિ ઉપકારક બને. . જીવ કર્મઉપાધિરહિત બને એ જ ક્ષણથી સોપાકિઅવસ્થાને સંપૂર્ણ રીતે છોડીને નિરપાકિઅવસ્થા પામી જાય છે.. પુદ્ગલ માટે આવું નથી... જીવ ચ્યવી ગયા પછી પણ કેટલાયકાળ સુધી રજકણપણું.... જળપણું... વગેરે જળવાઈ રહે છે. 1 જીવ નિરુપાધિક બન્યા પછી ક્યારેય સોપાધિક બનતો નથી. તે માટે જ એની નિરુપાધિક અવસ્થાનું મહત્ત્વ છે, એ ઉપાદેય છે.... પુદ્ગલ માટે આવું નથી. એ તો પુનઃ પુનઃ સચિત્ત-અચિત્ત બની શકે છે. . નિરુપાધિક અવસ્થા (સિદ્ધાવસ્થા) બધા જીવોની એકસરખી છે. માટે સોપાધિક અવસ્થામાં પણ એનું દર્શન શક્ય-સરળ બને છે. જીવમુક્ત પુદ્ગલોની તો અનંત પ્રકારની ભિન્ન ભિન્ન અવસ્થાઓ હોય છે. નિરુપાધિકપણે એને જોવા માટે આમાંની કઈ અવસ્થા જોવી? આ અને આવાં અન્ય કારણોએ પુગલમાં નિરુપાધિક અવસ્થાના વિચાર વ્યવહાર થતા નથી. એની આવશ્યકતા મનાતી નથી. ને તેથી એવા કોઈ દૃષ્ટિકોણ ન હોવાથી નયષ્ટિ હોતી નથી. અલબત્ સોપાધિક અવસ્થા તો ડગલે ને પગલે આપણા વ્યવહારમાં આવે જ છે. છતાં એનો નયભેદ દેવસેને જે દર્શાવ્યો નથી તેને એની ન્યૂનતારૂપે ગ્રંથકાર આગળ આઠમી ઢાળમાં કહેવાના જ છે. એટલે, અંતિમ નિષ્કર્ષ આ આવ્યો કે પ્રથમ પ્રકાર માત્ર જીવદ્રવ્ય અંગે છે ને એમાં “શુદ્ધ' એ દ્રવ્યનું વિશેષણ છે. બીજો પ્રકાર સર્વ દ્રવ્યો માટે છે. ને એમાં “શુદ્ધ' એ દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે. / ૬૫ | ગાથાર્થ - ભેદકલ્પનારહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય એ ત્રીજો ભેદ જાણવો. જેમ કે પોતાના ગુણ-પર્યાયથી દ્રવ્યને અભિન્ન જાણવું કહેવું. | પ-૧૨ // Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઢાળ-૫ : ગાથા-૧૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ત્રીજો ભેદ, ભેદકલ્પનાઈ હીન-શુદ્ધદ્રવ્યર્થ. “ મે ન્યનારદિતિશુદ્ધદ્રવ્યર્થ ?' રૂત્તિ તૃતીયો મેદ જિમ એક જીવ-પુગલાદિક દ્રવ્ય નિજગુણ પર્યાયથી અભિન્ન કહિછે. ભિન્ન છો પણિ તેહની અર્પણા ન કરી, અભેદની અર્પણ કરી, તે માટે અભિન્ન. એ ૩ ભેદ શુદ્ધ. / પ-૧૨ || વિવેચન - ત્રીજો ભેદ.ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનય...એ દ્રવ્યાર્થિકનયનો ત્રીજો પ્રકાર છે. જીવ-પુગલ વગેરે કોઈપણ દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયથી ભિન્નભિન્ન છે એમાંથી ભેદઅંશને ગૌણ કરીને અભેદ અંશને જ જોવો..અભેદ અંશની અર્પણ કરવી, અને જ્ઞાનાભિન્ન જીવ, રૂપાભિન્ન પુગલ.આ પ્રમાણે કહેવું એ આ ત્રીજો ભેદ છે...આ પ્રથમ ત્રણ પ્રકાર શુદ્ધ છે. શંકા - અહીં ગ્રંથકારે દ્રવ્યાર્થિકનયના આ પ્રથમ ત્રણ પ્રકારને એકસાથે શુદ્ધ હોવા જે કહ્યા છે, એ જણાવે છે કે બીજા-ત્રીજાની જેમ પ્રથમ પ્રકારમાં પણ દ્રવ્યાર્થિકનય પોતે જ શુદ્ધ છે.એટલે તમે જે કહ્યું છે કે “પ્રથમ પ્રકારમાં દ્રવ્યાર્થિકનયને શુદ્ધ કહેવાનો આશય નથી..માત્ર દ્રવ્યને શુદ્ધ કહેવાનો આશય છે..” એ બરાબર નથી.. સમાધાન - બીજા પ્રકારમાં, ઉત્પાદ-વ્યયશૂન્ય કોઈ દ્રવ્ય ક્યારેય હોતું જ નથી.. એટલે ઉત્પાદ-વ્યયથી રહિત હોય એ દ્રવ્ય શુદ્ધ... વગેરે કહેવાનો કોઈ મતલબ નથી. માટે શુદ્ધ દ્રવ્ય” એમ નથી... પણ “શુદ્ધ દ્રવ્યાર્થિકનય...” એમ છે. આ વાત આપણે જોઈ ગયા છીએ... આવું જ ત્રીજા પ્રકારમાં છે. નિજગુણપર્યાયથી સર્વથા ભેદરહિત જ હોય એવું કોઈ દ્રવ્ય હોતું જ નથી... એટલે એવું રહિત દ્રવ્ય એ શુદ્ધ દ્રવ્ય એમ કહી શકાતું નથી. તેથી શુદ્ધ એ દ્રવ્યનું વિશેષણ હોવું સંભવતું નથી. માટે એ દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે... વળી, ભેદ એ પર્યાયાર્થિકનયનો વિષય છે. અભેદ એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે... તેથી, ભેદને સંપૂર્ણ રીતે અનર્પિત કરીને માત્ર અભેદને જોવામાં આવે તો પર્યાયાર્થિકનો વિષય અંશતઃ પણ એમાં ઘુસેલો ન હોવાથી દ્રવ્યાર્થિકનયને “શુદ્ધ' કહી શકાય છે. માટે આ ત્રીજા પ્રકારમાં પણ ‘દ્રવ્ય” શુદ્ધ નથી, પણ “દ્રવ્યાર્થિકનય’ શુદ્ધ છે. એટલે બીજા-ત્રીજા પ્રકાર માટે કહી શકાય કે પર્યાયાર્થિકનયના વિષયભૂત ઉત્પાદ-વ્યયની તથા ભેદની સંપૂર્ણ અર્પણા હોવાથી અને દ્રવ્યાર્થિકનયના વિષયભૂત ધ્રુવતાની તથા અભેદની અર્પણા હોવાથી, તે તેના ગ્રાહક દ્રવ્યાર્થિકનય શુદ્ધ છે. પણ આવું પ્રથમ પ્રકાર માટે કહી શકાતું નથી.. શંકા - કર્મોપાધિજન્ય મનુષ્યત્વાદિ, ક્રોધાદિ વગેરે બધા પર્યાયોની અનર્પણા (= ગૌણતા=ઉદાસીનતા) કરીને જ પ્રથમ પ્રકાર શુદ્ધ આત્મદ્રવ્યને જુએ છે... એટલે બીજાત્રીજાની જેમ એમાં પણ નયને શુદ્ધ કહેવો જ જોઈએ ને સમાધાન - ભાઈ મારા ! ત્યાં કર્મોપાધિજન્ય પર્યાયોની જ, અનર્પણ કરી છે, સહજ પર્યાયોની નહીં... એટલે જ ત્યાં ટબામાં પંક્તિ આવી છે કે- “તિહાં ભવપર્યાય જે Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ઢાળ-૫ : ગાથા-૧૨ ૧૯૭ સંસારના ભાવ તે ન ગણિઈ...” સહજભાવ જે શુદ્ધાત્મસ્વરૂપ... (કેવલજ્ઞાનાદિ..) એને તો આગળ કરીને સંસારી જીવોને સિદ્ધ સમોવડિયા જાણવાના છે. એટલે પર્યાયનો વિષય પણ એ દૃષ્ટિમાં સમાવિષ્ટ હોવાથી દ્રવ્યાર્થિકનય' તરીકે તો એને “શુદ્ધ' શી રીતે કહી શકાય? આ જ વાતને બીજી રીતે પણ સમજીએ. સત્સવ- દેવ... આ સદસની એક સપ્તભંગી... સ્થાત્રિત્ય પર્વ-નિત્ય પર્વ.. આ નિત્યાનિત્યની એક સપ્તભંગી.. યાત્રિ પર્વ-ગામ વ... આ ભેદભેદની એક સપ્તભંગી.. ત્યારે પૂર્વ-ચાને વ... આ એકાનેકની સપ્તભંગી.... ગર્િ સચિનેવ-દ્ધિશેષ વ.. આ સામાન્ય-વિશેષની સપ્તભંગી.... (આમાંથી એકાનેકની સપ્તભંગીનો ભેદભેદની કે સામાન્ય-વિશેષની સપ્તભંગીમાં સમાવેશ હોવો જોઈએ.) આ બધી સપ્તભંગીઓ પ્રચલિત છે... આમાં સદસની જે સપ્તભંગી છે... એમાં સત્ત્વ એ દ્રવ્યાર્થિકનો વિષય છે અને અસત્ત્વ એ પર્યાયાર્થિકનો વિષય છે. એવું છે નહીં.. અને એટલે જ અસત્ત્વની અનર્પણા અને સત્ત્વની અર્પણ કરીને જોનાર દૃષ્ટિ એ શુદ્ધ દ્રવ્યાર્થિકનય... એમ ભેદ શક્ય નથી, ને તેથી દેખાડ્યો નથી... પણ, શુદ્ધ-અશુદ્ધ એવા વિશેષણ વગર સ્વતંત્ર આઠમા પ્રકાર તરીકે કહ્યો છે. (તથા, સત્ત્વની અન"ણા અને અસત્ત્વની અર્પણ કરનાર નયને સ્વતંત્ર નવમા પ્રકાર તરીકે કહ્યો છે. એમ સામાન્ય-વિશેષની જે સપ્તભંગી છે એમાં પણ... સામાન્ય એ દ્રવ્યાર્થિકનયનો વિષય... ને વિશેષ એ પર્યાયાર્થિકનયનો વિષય.. આવું છે નહીં.. (સામાન્ય એ સંગ્રહનો વિષય છે ને વિશેષ એ વ્યવહારનો વિષય છે. પણ આ બન્ને દ્રવ્યાર્થિકનયો જ છે.. એક દ્રવ્યાર્થિક અને એક પર્યાયાર્થિક એવું નથી....) એટલે પર્યાયાર્થિકના વિષયની સંપૂર્ણ અર્પણ કરીને જોનાર દ્રવ્યાર્થિકનય એ શુદ્ધ.. આવો વિભાગ વિશેષની અનર્પણ કરી દેવા માત્રથી થઈ શકતો નથી... અને તેથી વિશેષની અનર્પણ કરીને જોનાર દ્રવ્યાર્થિકનયને પણ અહીં “શુદ્ધ' તરીકે નથી કહ્યો, પણ સાતમા સ્વતંત્ર પ્રકાર તરીકે - અન્વયંદ્રવ્યાર્થિકનય કહ્યો છે. પણ નિત્ય(ધ્રુવતા) એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને અનિત્યતા (ઉત્પાદ-વ્યય) એ પર્યાયાર્થિકનયનો વિષય છે...એમ અભેદ એ દ્રવ્યાર્થિકનો વિષય છે અને ભેદ એ પર્યાયાર્થિકનો વિષય છે. આ વાસ્તવિકતા છે માટે અનિત્યતાની અનર્પણા અને ભેદની અનર્પણ કરીને જોનાર નયદૃષ્ટિઓને અહીં શુદ્ધદ્રવ્યાર્થિકનય તરીકે બીજા-ત્રીજા પ્રકારમાં કહ્યા છે. આ વિચારણા પરથી સ્પષ્ટ છે કે કર્મોપાધિરહિતપણું... એ દ્રવ્યાર્થિકનયનો વિષય અને કર્મોપાધિસહિતપણું એ પર્યાયાર્થિકનયનો વિષય આવો વિભાગ હોય તો જ, કર્મોપાધિસહિતપણાની અર્પણ કરીને કપાધિરહિતપણાની અર્પણ કરનાર નયદષ્ટિને શુદ્ધદ્રવ્યાર્થિકનય કહી શકાય... પણ એવું છે નહીં... માટે, કર્મોપાધિરહિત અવસ્થાને જોનાર દ્રવ્યાર્થિકનય “શુદ્ધ' છે એમ કહી શકાતું નથી. એ વાત નિઃશંક જાણવી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઢાળ-૫ : ગાથા-૧૩ અશુદ્ધ કર્મોપાધિથી, ચોથો એહનો ભેદો રે । કર્મભાવમય આતમા, જિમ ક્રોધાદિક વેદો રે || જ્ઞાન૦ | ૫-૧૩ || ટબો - ચોથો એહનો-દ્રવ્યાર્થિકનો ભેદ કર્મોપાધિથી અશુદ્ધ કહેવો. માઁપાધિસાપેક્ષોશુદ્ધદ્રવ્યાર્થિ: કૃતિ ચતુર્થાં મેઃ । જિમ ક્રોધાદિક-કર્મભાવમય આતમા વેદો છો=જાણો છો. જિવારઇ જે દ્રવ્ય જે ભાવઇ પરિણમઇ, તિવારઇ તે દ્રવ્ય તન્મય કરિ જાણવું. જિમ લોહ અગ્નિપણઇ પરિણમિઉં, તે કાલિં-લોહ અગ્નિરૂપ કરી જાણવું. ઇમ ક્રોધમોહનીયાદિ કર્મોદયનó અવસર ક્રોધાદિભાવપરિણત આત્મા ક્રોધાદિરૂપ કરી જાણવો.. અત એવ આત્માના ૮ ભેદ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છઇ. ॥ ૫-૧૩ ॥ શંકા પણ જો એ (પ્રથમ પ્રકારનો નય) બીજા-ત્રીજાની જેમ શુદ્ધ નથી, તો ત્રણેને એક સાથે ‘એ ૩ ભેદ શુદ્ધ' એમ કેમ કહ્યું ? . સમાધાન ત્રણેમાં શબ્દસામ્ય હોવાથી એમ કહ્યું હોય, એમ માનવું યોગ્ય લાગે છે... આશય એ છે કે પ્રથમ પ્રકારમાં શુદ્ધ હૈં તન્ દ્રવ્યું ચેતિ શુદ્ધદ્રવ્યમ્... શુદ્ધદ્રવ્યમશ્ યસ્ય સશુદ્ધદ્રવ્યાર્થિ ... આવો સમાસ છે... ને બીજા - ત્રીજામાં શુદ્ધશ્ચાસૌ દ્રવ્યાર્થિનયથ આ રીતે કર્મધારયસમાસ છે. પણ ત્રણેમાં શબ્દ બન્યો શુદ્ધદ્રવ્યાર્થિનય: આમ શબ્દસામ્ય થવાથી ત્રણેને એકસાથે શુદ્ધ હોવા કહ્યા છે એવું માનવું મને યોગ્ય લાગે છે. પ્રશ્ન - બીજા પ્રકાર અને ત્રીજા પ્રકારમાં શું તફાવત છે ? ઉત્તર બીજા પ્રકારમાં દ્રવ્ય નિત્યત્વેન વિષય છે, ત્રીજા પ્રકારમાં અભિન્નત્વેન... બીજા પ્રકારમાં ગુણ-પર્યાય વિષયભૂત બનતા જ નથી... ત્રીજા પ્રકારમાં બને છે, પણ દ્રવ્યથી અભિન્નરૂપે... આમ ત્રીજા પ્રકારનું વિવેચન પૂર્ણ થયું... ॥ ૬૬ ॥ દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ છે... જેમ ગાથાર્થ - કર્મોપાધિથી અશુદ્ધ એ આનો કે કર્મભાવમય આત્મા ક્રોધાત્મા તરીકે વેદાય છે. ।। ૫-૧૩ || દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ . - - વિવેચન - ચોથો એહનો... દ્રવ્યાર્થિકનો ચોથો ભેદ કર્યોપાધિથી અશુદ્ધ કહેવો. એટલે કે કર્મોપાધિસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિક એ દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ છે. જિમ ક્રોધાદિક... કર્મોદયજન્ય જે ભાવ હોય તે અહીં ‘કર્મભાવ' તરીકે અભિપ્રેત છે. એટલે ક્રોધમોહનીયકર્મના ઉદયથી થતો ક્રોધાત્મકભાવ એ કર્મભાવ... આ રીતે બીજા કર્મભાવો પણ જાણવા... જે દ્રવ્ય જ્યારે જે ભાવે પરિણમે છે ત્યારે તે દ્રવ્યને તન્મય તરીકે જાણવું એ આ નયદૃષ્ટિ છે. જેમ કે લોખંડ જ્યારે અગ્નિપણે પરિણમે છે ત્યારે તેને અગ્નિરૂપે જાણવું... એટલે જ એ વખતે લોખંડના ગોળાને અગનગોળો કહેવાય છે. એમ ક્રોધમોહનીય વગેરે કર્મોદયના અવસરે ક્રોધાદિ ભાવરૂપે પરિણત થયેલો આત્મા પોતે જ ક્રોધાદિરૂપે કહેવાય છે. એટલે જ એ વખતે આત્માને ક્રોધાત્મા કહેવાય છે... શ્રી ભગવતીજી સૂત્રના ૧૨મા શતકના Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૪ ૧૯૯ તે અશુદ્ધ વલી પાંચમો, વ્યય ઉત્પત્તિ સાપેખો રે ! ઉત્પાદ-વ્યય-ધ્રુવ એકઈ સમઈ દ્રવ્ય જિમ પેખો રે / જ્ઞાન / પ-૧૪ / ટબો - તે = દ્રવ્યાર્થિભેદ પાંચમો વ્યય-ઉત્પત્તિસાપેક્ષ જાણવો. 'उत्पादव्ययसापेक्षसत्ताग्राहकोऽशुद्धद्रव्यार्थिकः' पञ्चमः ।। જિમ - એક સમયઈ દ્રવ્ય ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય રૂપ કહિછે. જે કટકાઘુત્પાદસમય, તેહ જ કેયુરાદિવિનાશસમય, અનઈ કનકસત્તા તો અવર્જનીય જ છd. एवं सति-त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्' इति चेत् ? न, मुख्यगौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्वस्वार्थग्रहणे नयानां સમયમુનૈવ વ્યાપાર ત્િ | -૨૪ | ૧૦મા ઉદેશામાં તથા પ્રશમરતિપ્રકરણમાં આત્માના દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા. આમ આઠ ભેદ દર્શાવ્યા છે. એમાંથી કષાયાત્માના ક્રોધાત્મા વગેરે પેટાભેદ જાણવા. / ૬૭ | ગાથાર્થ - જે દ્રવ્યાર્થિકનય ઉત્પત્તિ-વ્યયને સાપેક્ષ રહીને પદાર્થને જુએ છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક પાંચમો ભેદ છે. જેમ કે એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપે દ્રવ્યને જોવું. પ-૧૪ો | વિવેચન : તે દ્રવ્યાર્થિક... ઉત્પાદ-વ્યય સાપેક્ષ સત્તાનો ગ્રાહક અશુદ્ધદ્રવ્યાર્થિક એ પાંચમો ભેદ જાણવો... જેમ કે-એક સમયમાં દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રુ વરૂપ કહેવું. જે કટકાદિ ઉત્પત્તિસમય છે એ જ કેયુરાદિવિનાશ સમય છે અને એ જ સમયમાં કનકની સત્તા તો અવર્જનીય છે જ. (સોનાના કેયુરને ભાંગીને કટક બનાવ્યું હોય ત્યારનું આ દૃષ્ટાન્ત છે.) એટલે કે એ વિવક્ષિત સમયને ધ્યાનમાં રાખીને આ નય, સુવર્ણદ્રવ્યને કટકાદિ ઉત્પાદરૂપ માને છે, કેયુરાદિવિનાશરૂપ માને છે ને કનકસત્તારૂપ માને છે. શંકા - આ નય જો આ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રુવતા એમ ત્રણે લક્ષણ માનશે તો એ પ્રમાણ'રૂપ જ બની જશે, નયવચન નહીં રહે... સમાધાન - ઉત્પાદ-વ્યય-ધ્રુવતા. ત્રણેને મુખ્યરૂપે જાણે એ પ્રમાણ છે... ઉત્પાદવ્યયને ગૌણરૂપે ને ધ્રુવતાને મુખ્યરૂપે જાણે એ દ્રવ્યાર્થિકનય છે. ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ને ધ્રુવતાને ગૌણરૂપે જાણે એ પર્યાયાર્થિકાય છે. પ્રસ્તુતનય પણ, ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ને ધ્રુવતાને મુખ્યરૂપે જાણે છે. અર્થાત્ ગૌણ-મુખ્યભાવે જ ત્રણેને વિષય બનાવે છે. માટે એ પ્રમાણરૂપ નથી, પણ દ્રવ્યાર્થિકનયરૂપ જ છે. શંકા - પ્રસ્તુત નય, ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે નહીં, ગૌણરૂપે જ જાણે છે, આવું શાના આધારે કહો છો? સમાધાન - પોત-પોતાના વિષયનો મુખ્યરૂપે બોધ કરવા માટે નો સપ્તભંગી દ્વારા જ પ્રવૃત્ત થાય છે. અર્થાત્ જે વિષય અંગે નય સપ્તભંગી પ્રવર્તાવે છે એ, એનો મુખ્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઢાળ-૫ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિષય હોય છે અને બાકીનો ગૌણ વિષય હોય છે. ગ્રંથકારે આવો જે હેતુ આપ્યો છે એના પરથી એ જણાય છે કે આ પાંચમો પ્રકાર, નિત્યત્વને સપ્તભંગી દ્વારા જાણે છે, માટે નિયત્વ (ધ્રુવતા) એ એનો મુખ્ય વિષય છે... ને ઉત્પાદવ્યયને (અનિયત્વને) વગર સપ્તભંગીએ જાણે છે, માટે એ એનો ગૌણ વિષય છે... આમાં “સપ્તભંગી દ્વારા બોધ કરવો અને વગર સપ્તભંગીએ બોધ કરવો..” એટલે શું ? એનું રહસ્ય ગીતાર્થ બહુશ્રુતોએ ખોળી કાઢવું જોઈએ. કારણ કે આમ તો, નિત્યાનિત્યની સપ્તભંગીમાં. પ્રથમભંગ યાત્રિ ... અને બીજો ભંગ નિત્ય વ... આવો હોવાથી નિત્યત્વ અને અનિત્યત્વ.. બન્ને અંગે સપ્તભંગીનો વ્યાપાર છે જ. શું એવું હશે કે આ પ્રમાણની સપ્તભંગી છે. ને દ્રવ્યાર્થિકનયની સપ્તભંગી આ પ્રકારે હોય કે – નિત્ય (ધ્રુવ) એવ... આ પ્રથમભંગ... સિત્યસ્વાભાવીન (ધૃવત્વમાવવાન) મેવ... આ બીજો ભંગ.. અલબત્ નિત્યત્વાભાવ અનિત્યત્વરૂપ જ છે. છતાં બીજા ભંગમાં એ નિત્યત્વના નિષેધમાત્રને જણાવનાર હોય. અનિત્યત્વનું (ઉત્પાદ-વિનાશનું) વિધાન કરવાનું તાત્પર્ય ન હોય. આ બે ભંગના આધારે બાકીના પાંચ ભંગ જાણી લેવા. એમ, પર્યાયાર્થિકનયની સપ્તભંગી આ પ્રકાર હોય કે – નિત્ય (ઉત્પવિનાશશીત) એવ... આ પ્રથમ ભંગ નિત્યસ્વાભાવવાન એવ ( વિનાશામાવાન વ) આ બીજો ભંગ.. પણ એમાં અનિત્યત્વનો (ઉત્પાદ - વિનાશનો) નિષેધ કરવાનું જ તાત્પર્ય હોય. નિત્યત્વનું વિધાન કરવાનું નહીં... અર્થાત્ દ્રવ્યાર્થિકની સપ્તભંગી નિત્યત્વના વિધિ-નિષેધ અંગે છે, પણ અનિત્યત્વ અંગે નથી... અને પર્યાયાર્થિકની સપ્તભંગી અનિત્યત્વના વિધિ-નિષેધ અંગે છે, પણ નિત્યત્વ અંગે નથી... અને તેથી, દ્રવ્યાર્થિકને અનિત્યત્વ અને પર્યાયાર્થિકને નિત્યત્વ, સપ્તભંગી દ્વારા નહીં, પણ એ વગર જ જાણવાના રહે છે, માટે એ તેઓનો ગૌણ વિષય છે. અહીં આવું રહસ્ય છે કે અન્ય કાંઈ? એ નિર્ણય કરવા યોગ્ય બાબત છે. બીજો પ્રકાર - ૩–ાવ્યત્વેન સત્તાપ્રાદ: શુદ્ધદ્રવ્યર્થ: આમ કહેલો છે. એટલે ત્યાં પણ ઉત્પાદ-વ્યયની ગૌણતા કહેલી... છતાં ત્યાં, ઉત્પાદ-વ્યયને નજરમાં લેવાના જ નહીં. એ રીતે એની ગૌણતા છે.. ને અહીં એને નજરમાં લેવાના..પણ ગૌણરૂપે... મુખ્યરૂપે નહીં... આ રીતે એની ગૌણતા છે. માટે બન્ને પ્રકાર અલગ-સ્વતંત્ર રહી શકે છે. પ્રશ્ન - અહીં એક સમયે... એવું કેમ લખ્યું છે ? ઉત્તર - સુવર્ણમાં કેયૂરપર્યાયનો નાશ અને કટકપર્યાયની ઉત્પત્તિ કહેવી છે. એમ તો તૈયાયિક પણ ઘડામાં શ્યામરૂપનાશ, રક્તરૂપઉત્પત્તિ માને છે. પણ, આ નાશ ઉત્પત્તિને ભિન્નકાળે માને છે... પહેલાં નાશ. પછી કાળાન્તરે ઉત્પત્તિ... ને તેથી એણે વચ્ચે ઘડાને નીરૂપ(=રૂપશૂન્ય) માનવો પડે છે. એમ એ ઠીકરાને ઘટધ્વંસજન્ય માને છે... એટલે કે ધારો કે ચોથા સમયે ઘટધ્વંસ થયો... તો પાંચમા સમયે ઠીકરાની ઉત્પત્તિ માને છે. એટલે કે બન્નેના ઉપાદાનકારણભૂત માટી (પાર્થિવ દ્રવ્ય) ચોથી ક્ષણે નિરાકાર છે, કારણ કે ઘડો Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૫ ગહત ભેદની કલ્પના, છઠ્ઠો તેહ અશુદ્ધો રે | જિમ આતાના બોલિઈ, જ્ઞાનાદિક ગુણ શુદ્ધો રે / જ્ઞાન / પ-૧૫ . ટબો - ભેદની કલ્પના ગ્રહતો છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિક જાણવો. જિમ જ્ઞાનાદિક શુદ્ધગુણ આત્માના બોલિછે. ઇહાં ષષ્ઠી વિભક્તિ ભેદ કહિઈ છઇ. “fપક્ષો પાત્ર' તિવત્ અનઈ ભેદ તો ગુણ-ગુણિનઈ છઈ નહીં, મે ન્યના સાપેક્ષોડશુદ્ધ વ્યાર્થિવ પકઃ | ૫-૧૫ | નાશ પામી ગયો છે ને ઠીકરા હજુ ઉત્પન્ન થયા નથી. રૂપશૂન્ય ઘડો કે આકાર (પર્યાય - અવસ્થા)શૂન્ય માટી હોવી શક્ય જ નથી, માટે તૈયાયિકની આ માન્યતા ગલત છે. પ્રસ્તુતમાં પણ આવી આપત્તિ ન આવે એ માટે ટબામાં એક સમયછે. એમ લખ્યું છે. જે સમયે વિનાશ છે એ જ સમયે ઉત્પાદ છેસમયાન્તરે નથી. માટે દ્રવ્ય નિષ્પર્યાય (પર્યાયશૂન્ય) બની જવાની આપત્તિ આવતી નથી. તે ૬૮ | ગાથાર્થ - છો તેહ દ્રવ્યાર્થિકનય ભેદની કલ્પના ગ્રહણ કરે છે માટે અશુદ્ધ છે. જેમ કે “આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ છે” આવું બોલવું એ આ છો પ્રકાર છે. / પ-૧૫ / વિવેચન - ભેદની કલ્પના... ભેદની કલ્પના ગ્રહણ કરતો નય એ છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિકનાય છે. જેમ કે “આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ છે' એમ બોલીએ. આમાં “આત્માના” એમ ષષ્ઠી વિભક્તિ જે છે તે ભેદને જણાવે છે. જેમ કે “ભિક્ષનું પાત્ર.” આમાં ભિક્ષુને લાગેલી છઠ્ઠી વિભક્તિ ભિક્ષુ અને પાત્ર વચ્ચેના ભેદસંબંધને જણાવે છે. અનઈ ભેદ.... ભિક્ષુ અને પાત્ર... એ બન્ને તો અલગ-અલગ જોવા મળે જ છે... પણ એમ આત્મા અને જ્ઞાન અલગ-અલગ જોવા મળતા નથી. માટે જણાય છે કે ભિક્ષુ અને પાત્ર વચ્ચે જેવો ભેદ છે (= મુખ્યવૃત્તિએ ભેદ છે) એવો આત્મા અને જ્ઞાન વચ્ચે મુખ્યવૃત્તિએ ભેદ છે નહીં, માટે આ ભેદ - કલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનાય છે... પ્રશ્ન - અહીં ભેદનો બોધ પ્રધાનપણે છે કે ગૌણપણે ? ઉત્તર - ગૌણપણે છે... એમ સમજી જ લેવાનું. પ્રશ્ન - તો પછી પ્રધાનપણે કોનો બોધ છે ? ઉત્તર - અભેદનો... એમાં પૂછવાનું શું છે ? પ્રશ્ન - આ છઠ્ઠા પ્રકારના નામમાં કે એને સમજાવવા માટે આપેલા દૃષ્ટાન્તમાં અભેદનો ક્યાંય ઉલ્લેખ નથી...ભેદની જ વાત છે...માટે ભેદનો પ્રધાનપણે જ બોધ હોવો જોઈએ ને? ઉત્તર - જો ભેદનો પ્રધાનપણે બોધ હોય તો આ દ્રવ્યાર્થિકનય ન રહે, પણ પર્યાયાર્થિકનય જ બની જાય.... કારણ કે પ્રધાનપણે ભેદ એ પર્યાયાર્થિકનો જ વિષય છે. એટલે, પાંચમા પ્રકારનું નામ, દ્રિવ્યયસાપેક્ષસત્તા પ્રાદોડશુદ્ધદ્રવ્યર્થવ એવું જેમ કહ્યું Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઢાળ-૫ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અન્વય દ્રવ્યાર્થિક કહિઓ, સપ્તમ એક સ્વભાવો રે । દ્રવ્ય એક જિમ ભાખિઇ, ગુણપર્યાયસ્વભાવો રે ॥ જ્ઞાન૦ | ૫-૧૬ ॥ છે... અર્થાત્ એમાં પર્યાયાર્થિકના વિષયભૂત ઉત્પાદ વ્યયની અપેક્ષા જરૂર છે, પણ એ મુખ્યરૂપે તો સત્તાનો જ ગ્રાહક છે. તેમ પ્રસ્તુતમાં પણ, ભેદકલ્પનાની અપેક્ષા જરૂર છે, પણ મુખ્યરૂપે તો એ અભેદનો જ ગ્રાહક છે એમ માનવું જોઈએ... તેથી આ પ્રકારનું સંપૂર્ણનામ મેળ્વનાસાપેક્ષામેવપ્રા જોડશુદ્ધદ્રવ્યાર્થિ: આવું હોવું જોઈએ... ને દૃષ્ટાન્ત પણ આવું હોવું જોઈએ કે ‘આત્માના શુદ્ધગુણ જ્ઞાનાદિથી આત્મા અભિન્ન છે' આવું બોધવું કે આવું બોલવું એ આ છઠ્ઠો પ્રકાર છે. અભેદનો પ્રધાનપણે ગ્રાહક હોવાથી એ દ્રવ્યાર્થિક તો છે જ. પણ ભેગો ભેગો પર્યાયાર્થિકના વિષયભૂત ભેદને પણ ગૌણપણે નજરમાં લે છે... એટલે, એટલા અંશે પર્યાયાર્થિકનો વિષય ભળવાથી ‘અશુદ્ધ' છે. આમ, પાંચમા અને છઠ્ઠા પ્રકારમાં, બીજા અને ત્રીજા પ્રકારની જેમ મુખ્ય વિષય તો ક્રમશઃ સત્તા અને અભેદ જ છે. ફરક એટલો છે કે બીજા-ત્રીજા પ્રકારમાં પર્યાયના વિષયનો ગૌણપણે પણ સમાવેશ નથી.. માટે એ બન્ને શુદ્ધ છે... જ્યારે પાંચમા-છઠ્ઠા પ્રકારમાં પર્યાયના વિષયનો ગૌણપણે સમાવેશ છે... માટે એ બન્ને અશુદ્ધ છે. હવે, પહેલા અને ચોથા પ્રકારનો વિચાર કરીએ તો એમાં વિલક્ષણતા છે... પહેલા પ્રકારમાં કર્મોપાધિરહિતઆત્મદ્રવ્ય વિષય છે... ચોથા પ્રકારમાં ‘કર્મોપાધિસહિતઆત્મસાપેક્ષ કર્મોપાધિરહિતઆત્મદ્રવ્ય' એ વિષયરૂપે નથી, પણ ‘કર્મોપાધિસહિતઆત્મદ્રવ્ય' જ વિષયરૂપે છે... એટલે બીજા-ત્રીજા કરતાં પ્રથમ પ્રકારમાં અને પાંચમા-છઠ્ઠા કરતાં ચોથા પ્રકારમાં વિલક્ષણતા છે એ સ્પષ્ટ છે... ને એ વિલક્ષણતા પૂર્વે જણાવી ગયો તેમ, બીજા-ત્રીજામાં અને પાંચમાછઠ્ઠામાં નય પોતે જ શુદ્ધ અને અશુદ્ધ છે. જ્યારે પ્રથમમાં અને ચોથામાં નય નહીં, પણ દ્રવ્ય શુદ્ધ અને અશુદ્ધ છે. શંકા તમે પહેલા અને ચોથા પ્રકારમાં શુદ્ધિ અને અશુદ્ઘિ દ્રવ્યમાં છે, નયમાં નહીં, આના પર ભાર આપો છો... પણ આ બરાબર નથી, કારણ કે ચોથા પ્રકારના ટબામાં ‘ચોથો એહનો-દ્રવ્યાર્થિકનો ભેદ કર્યોપાધિથી અશુદ્ધ કહેવો...' આવી પંક્તિમાં ચોથા ભેદને જ અશુદ્ધ કહ્યો હોવો સ્પષ્ટ છે. સમાધાન તો પછી વિષયીમાં વિષયના ઉપચારથી એવો ઉલ્લેખ થયેલો છે, એમ માનવું. આશય એ છે કે પ્રથમ પ્રકારમાં શુદ્ધ દ્રવ્ય એ વિષય છે ને નય એનો વિષયી છે. ચોથા પ્રકારમાં અશુદ્ઘ દ્રવ્ય એ વિષય છે ને ચોથા પ્રકારનો નય એનો વિષયી છે. એટલે વિષય શુદ્ધ - અશુદ્ધ હોવાથી વિષયી એવા પહેલા અને ચોથા પ્રકા૨વાળા નયને શુદ્ધ -અશુદ્ધ કહ્યા છે, એમ સમજવું. ॥ ૬૯ ॥ ગાથાર્થ - સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય કહ્યો છે, જે એકસ્વભાવ કહે છે... જેમ કે એકદ્રવ્ય ગુણ-પર્યાયસ્વભાવવાળું છે. । ૫-૧૬ ॥ . Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૬ ૨૦૩ ટબો - સાતમો અન્વય દ્રવ્યાર્થિક કવિઓ, જે એક સ્વભાવ બોલઇ, જિમ એક જ દ્રવ્ય, ગુણપર્યાય સ્વભાવ કહિછે. ગુણ-પર્યાયનઇ વિષયઈ દ્રવ્યનો અન્વય છઇ, મત gવ દ્રવ્ય જાણિ દ્રવ્યાર્થાદેશછે, “તદનુગત સર્વ ગુણ પર્યાય જાણ્યા' કહિછે. જિમ સામાન્ય પ્રયાસત્તિ પરવાદી “સર્વ વ્યક્તિ જાણી' કહઈ, તિમ ઈહાં જાણવું. અન્વય દ્રવ્યાર્થિકનયઃ સપ્તમઃ || ૫-૧૬ છે વિવેચન - સાતમો અન્વય... દ્રવ્યાર્થિકનયનો સાતમો પ્રકાર છે અન્વયદ્રવ્યાર્થિકનય.. જે દ્રવ્યને એકસ્વભાવવાળું કહે છે. ગુણ-પર્યાયસ્વભાવવાળું કહે છે...આશય એ છે કે પિંડસ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ... બધી અવસ્થાઓ બદલાય છે, પણ મૃદ્રવ્ય બધામાં અનુસ્મૃત હોય છે... મૃદ્રવ્યનો અન્વય ચાલે છે. ગુણ-પર્યાય બદલાવા છતાં એ બધામાં એનું એ દ્રવ્ય અન્વયરૂપે ચાલ્યા કરવાનો જે સ્વભાવ ધરાવે છે... ને તેથી એ બધા ગુણ-પર્યાયોનો તે દ્રવ્યરૂપે ઉલ્લેખ થવો એ આ નયનો વિષય છે. જેમ કે પિંડ સ્વાસ વગેરેને ઉદેશીને આ બધું માટી છે” એમ કહેવું તે. અથવા બાળક માટીની જુદી જુદી વસ્તુઓ બનાવે છે ને એ રીતે રમ્યા કરે છે તો એ વખતે જે કહેવાય છે કે બાળક માટી સાથે રમે છે' ત્યાં આ નય જાણવો.. એટલે જ જે દ્રવ્યને જાણે છે તે દ્રવ્યાર્થાદેશે, એ દ્રવ્યના સર્વ ગુણ-પર્યાયને જાણે છે એમ કહેવાય છે. આશય એ છે કે કોઈ પણ વસ્તુને એના સર્વ વિશેષોને જાણવામાં આવે તો જ “એ વસ્તુને જાણી એમ કહેવાય...” એવું છે નહીં... કારણ કે તો પછી છાસ્થ કોઈ જ વસ્તુને જાણી જ નહીં શકે. એટલે તે તે વસ્તુના જેટલા ધર્મને એ જાણે છે તે તે ધર્મને આગળ કરીને તે તે વસ્તુને એ જાણે છે એમ કહેવાય છે. એટલે માટીને જાણનાર વ્યક્તિ, હાલ ભલે પિંડાવસ્થા છે ને તેથી સ્થાસાદિ વિદ્યમાન નથી. તો પણ માટીરૂપે સ્થાસાદિને જાણે છે. શંકા - પણ સ્થાસાદિ જોડે ઇન્દ્રિયસન્નિકર્ષ છે જ નહીં, તો એને જાણી શી રીતે શકે ? સમાધાન - જિમ સામાન્ય... જેમ પરવાદી=નૈયાયિકવગેરે “સામાન્ય લક્ષણા પ્રયાસત્તિથી સર્વવ્યક્તિ જણાય છે' એમ કહે છે, તેમ પ્રસ્તુતમાં જાણવું...આશય એ છે કે જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહ્નિ..આવો વ્યાપ્તિનિર્ણય કરવાનો છે.પણ “જ્યાં જ્યાં ધૂમનો અર્થ થાય છે ત્રણે કાળના સર્વ ક્ષેત્રમાં રહેલ ધૂમ....તો અતીત-અનાગત ને અન્ય ક્ષેત્રીય ધૂમ સાથે ઇન્દ્રિયસંનિકર્ષ છે નહીં. એટલે “જ્યાં જ્યાં ધૂમ” તરીકે એ બધા ધૂમ શી રીતે ઉપસ્થિત થાય? આવા પ્રશ્નના જવાબમાં પરવાદી કહે છે કે બધા ધૂમમાં ધૂમત્વ એક છે... એટલે ઇન્દ્રિયસમ્બદ્ધ જે સન્મખધૂમ, એમાં રહેલ ધૂમત્વ બધા ધૂમમાં રહ્યું હોવાથી એ ધૂમત્વ દ્વારા બધા ધૂમ સમ્બદ્ધ થઈ શકે છે, ને તેથી બધા ધૂમની ધૂમત્વેન ઉપસ્થિતિ થઈ શકે છે. એમ પ્રસ્તુતમાં પણ, સન્મુખ જે પિંડ છે એમાં અનુસ્મૃત મૃદ્દવ્ય જ આગળ ઉપર Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઢાળ-૫ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ થનારા સ્થાસાદિપર્યાયોમાં પણ રહેવાનું જ છે, એટલે એ મૃદ્રવ્ય દ્વારા (ઊર્ધ્વતા સામાન્યદ્વારા) સ્થાસાદિ પણ સમ્બદ્ધ બનવાથી એ બધાનું પણ જ્ઞાન થઈ શકે છે. ટૂંકમાં પરવાદીએ તિર્યક્સામાન્યદ્વારા, એ તિર્યક્સામાન્યના આશ્રયનું જ્ઞાન માન્યું છે.. તો એ રીતે પ્રસ્તુતમાં (અન્વયદ્રવ્યાર્થિકનય)ઊર્ધ્વતાસામાન્યદ્વારા, એ ઊર્ધ્વતાસામાન્યના (મૃત્મયત્વના)આશ્રયભૂત સ્થાસાદિનું જ્ઞાન થઈ શકે છે, એમ કહે છે. એટલે શું સ્થાસાદિનું સ્થાસત્વ, આકાર, વર્ણ, પરિમાણ... વગેરે બધાનું શંકા જ્ઞાન થશે? - સમાધાન ધૂમત્વેન બધા ધૂમની જે ઉપસ્થિતિ માની છે તેમાં શું તે તે દરેક ધૂમના પોતાની કાળાશ, ગાઢતા, પર્વતાદિ આધાર.. આ બધાની ઉપસ્થિતિ માની છે? શંકા ના, એ તો માત્ર ધૂમત્વેન જ બધા ધૂમ જણાય... બાકીના કોઈ વિશેષધર્મ ન જણાય. - સમાધાન તો પ્રસ્તુતમાં પણ માટીરૂપે (મૃત્મયત્વેન) સ્થાસાદિ જણાય, બાકીના સ્થાસત્વાદિ વિશેષ કોઈ ધર્મ ન જણાય... એ સ્પષ્ટ છે. - શંકા - સદસત્ની, ભેદાભેદની, નિત્યાનિત્યની અને સામાન્યવિશેષની સપ્તભંગીઓ પ્રસિદ્ધ છે. આમાંથી ભેદ અને અનિત્યત્વ એ મુખ્યરૂપે પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી તાહી દ્રવ્યાર્થિકનય ન હોય એ તો સમજાય છે... નિત્યત્વગ્રાહી દ્રવ્યાર્થિકનય તરીકે શુદ્ધ અશુદ્ધ એમ બે ભેદ કરી બીજો અને પાંચમો પ્રકાર કહ્યો. અભેદ-ગ્રાહીદ્રવ્યાર્થિકનય તરીકે પણ શુદ્ધ-અશુદ્ધ એમ બે ભેદ કરી ત્રીજો અને છઠ્ઠો પ્રકાર કહ્યો... સત્ત્વ અને અસત્ત્વ... આ તો બન્ને દ્રવ્યાર્થિકનયના વિષય છે જ. ને તેથી તેમાં શુદ્ધ-અશુદ્ધ ભેદ થઈ શકતા નથી.. એટલે સદંશ(સત્ત્વ)ગ્રાહી તરીકે સ્વતંત્ર આઠમો પ્રકાર અને અસદંશ(અસત્ત્વ)ગ્રાહી તરીકે સ્વતંત્ર નવમો પ્રકાર આગળ કહેવાશે, એટલે બાકી રહ્યા સામાન્ય અને વિશેષ... આ બન્ને પણ સત્ત્વ-અસત્ત્વની જેમ દ્રવ્યાર્થિનયના વિષય છે જ. એમાં સામાન્યના તિર્યક્સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય એમ બે ભેદ છે... એમાંથી ઊર્ધ્વતાસામાન્યગ્રાહી તરીકે આ સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય કહ્યો છે. તો આ રીતે તિર્યક્સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી... એમ બે દ્રવ્યાર્થિકનય પણ કહેવા જોઈએ ને ! સમાધાન પ્રસ્તુત ઘટાદિપદાર્થમાં ધટત્વ, મૃત્ત્વ, પૃથ્વીત્વ વગેરે જે તિર્યક્સામાન્ય રહેલા છે તે બધાનું આઠમા સદંશગ્રાહીદ્રવ્યાર્થિકનયથી ગ્રહણ થઈ જાય છે, માટે સ્વતંત્ર પ્રકાર કહેવાની જરૂર રહેતી નથી. વિશેષગ્રાહીનો પણ એમાં જ સમાવેશ હોવો જોઈએ અથવા દસમા પરમભાવગ્રાહીદ્રવ્યાર્થિકમાં સમાવેશ કરવાનો અભિપ્રાય હોય શકે. મૃદ્રવ્ય વગેરે રૂપ ઊર્ધ્વતા-સામાન્ય સંબંધી પિંડ-કોશ-કુશૂલ-સ્થાસ વગેરે જે વિશેષ (વ્યક્તિ) છે તે તો પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિક નયના વિષય બને. આમ, આ સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય થયો... | ૭૦ || - Page #224 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૭-૧૮ સ્વદ્રવ્યાદિક ગ્રાહકો, ભેદ આઠમો ભાખ્યો રે । ટબો સ્વદ્રવ્યાદિક ચ્યારથી, છતો અર્થ જિમ દાખ્યો રે || જ્ઞાન૦ | ૫-૧૭ ॥ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક આઠમો ભેદ ભાખિઓ, જિમ અરથ = ઘટાદિક, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એ ૪થી છતો કહીઓ, સ્વદ્રવ્યથી-મૃત્તિકાઇ, સ્વક્ષેત્રથી પાટલિપુત્રાદિકઇ, સ્વકાલથી વિવક્ષિતકાલઇ, સ્વભાવથી રક્તતાદિક ભાવઈ જ ઘટાદિકની સત્તા પ્રમાણસિદ્ધ છઇ. ‘સ્વદ્રવ્યાવિદ્માતો અટ્ટમ:' || ૫-૧૭ || - પરદ્રવ્યાદિક ગ્રાહકો, નવમ ભેદ તેમાંહી રે । પરદ્રવ્યાદિક ચ્યારથી, અર્થ છતો જિમ નાંહી રે || જ્ઞાનo || ૫-૧૮ || તે માંહિ-દ્રવ્યાર્થિકમાંહિ, પરદ્રવ્યાદિગ્રાહક નવમો ભેદ કહિઓ છઇ, જિમ-અર્થ -ઘટાદિક, પરદ્રવ્યાદિક ૪થી છતો નહીં, પરદ્રવ્ય-તંતુ પ્રમુખ, તેહથી ઘટ અસત્ કહી, પરક્ષેત્ર જે કાશીપ્રમુખ તેહથી, પરકાલ-અતીત-અનાગતકાલ, તેહથી, પરભાવથી કાલાદિકભાવઈ વિવક્ષિત વિષયઇ અછતા પર્યાય તેહથી. ‘પરદ્રવ્યવિદ્યા જો દ્રવ્યાર્થિો નવમ:' | ૫-૧૮ || ૨૦૫ ગાથાર્થ - સ્વદ્રવ્યાદિનો ગ્રાહક આઠમો પ્રકાર કહ્યો છે. જેમ કે અર્થ=પદાર્થ સ્વદ્રવ્યાદિક ચારથી સત્ હોય છે. || ૫-૧૭ || વિવેચન - સ્વદ્રવ્યાદિકગ્રાહક... સ્વદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય એ આઠમો ભેદ કહ્યો છે. જેમ કે ઘટાદિક પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ... એ ચારની અપેક્ષાએ સત્ કહેવાય છે. આમાં સ્વદ્રવ્યથી=માટીરૂપે... સ્વક્ષેત્રથી પાટલિપુત્રાદિ (ઉત્પન્ન-સ્થિતરૂપે, સ્વકાળથી=વિવક્ષિતકાળે, સ્વભાવથી-રક્તતા વગેરે ભાવથી જ ઘટાદિની સત્તા પ્રમાણસિદ્ધ છે. આ સ્વદ્રવ્યાદિગ્રાહક આઠમો દ્રવ્યાર્થિકનય છે... આને જ આપણે સદંશગ્રાહી અથવા સત્ત્વગ્રાહીદ્રવ્યાર્થિકનય એવું નામ આપી શકીએ. ।। ૭૧ || ગાથાર્થ - તેમાંહી = દ્રવ્યાર્થિકનયના પ્રકારમાં પરદ્રવ્યાદિનો ગ્રાહક નવમો ભેદ છે. જેમ કે ૫૨દ્રવ્યાદિ ૪થી અર્થ સત્ નથી... એમ કહેવું. ॥ ૫-૧૮ || વિવેચન - તે માંહિ દ્રવ્યાર્થિકનયોમાં પરદ્રવ્યાદિગ્રાહકનયને નવમો ભેદ કહ્યો છે. જેમકે ઘટાદિ પદાર્થ પરદ્રવ્યાદિ ૪થી સત્ નથી-અસત્ છે. પરદ્રવ્યતંતુ વગેરે, તંતુરૂપે (એમ ઘડો જો માટીનો હોય તો સુવર્ણાદિરૂપે) ઘડો અસત્ છે. એમ, પરક્ષેત્ર=કાશી વગેરે, પરકાલ=અતીત-અનાગતકાળ અને પરભાવ=વિવક્ષિત ઘટાદિ વિષયમાં જે પર્યાયો ન હોય = તે કાલાદિકભાવે=શ્યામત્વાદિ રૂપે બડો અસત્ કહેવાય છે. આ પરદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય એ નવમો ભેદ છે. (આને જ આપણે અસદંશગ્રાહી કે અસત્ત્વગ્રાહીદ્રવ્યાર્થિકનય એવું પણ નામ આપી શકીએ.) || ૭૨ || Page #225 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૫ : ગાથા-૧૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પરમભાવગ્રાહક કહિઓ, દસમો જસ અનુસારો રે । જ્ઞાનસ્વરૂપી આતમા, જ્ઞાન સર્વમાં સારો રે | જ્ઞાન૦ | ૫-૧૯ ॥ ૨૦૬ ટબો . દસમો દ્રવ્યાર્થિક પરમભાવગ્રાહક કહિઓ, જે નયનઇ અનુસારઇ આત્મા જ્ઞાનસ્વરૂપ કહિઇ છઇ. દર્શન, ચારિત્ર, વીર્ય, લેશ્યાદિક આત્માના અનંતગુણ છઇ. પણિ સર્વમાં જ્ઞાન સાર=ઉત્કૃષ્ટ છઇ. અન્યદ્રવ્યથી આત્માનઇ ભેદ જ્ઞાનગુણઈ દેખાડિઇ છઇ, તે માટે શીઘ્રોપસ્થિતિક પણઇ આત્માનો જ્ઞાન તે પરમભાવ છઇ. ઇમ બીજાઈ દ્રવ્યના પરમભાવ=અસાધારણ ગુણ લેવા. ‘પરમમવગ્રાહજો દ્રવ્યાર્થિન’ મઃ || ૧-૧૯ || ગાથાર્થ - દ્રવ્યાર્થિકનયનો દસમો ભેદ પરમભાવગ્રાહક કહ્યો છે... જેને અનુસરીને, ‘જ્ઞાનસ્વરૂપી આત્મા’ એમ કહેવાય છે. કારણ કે સર્વગુણોમાં જ્ઞાન સારભૂત છે. II૫-૧૯ વિવેચન - દસમો દ્રવ્યાર્થિક... ‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે' આમ કહેવું એ દ્રવ્યાર્થિકનો દસમો પરમભાવગ્રાહક ભેદ છે. અલબત્ દર્શન, ચારિત્ર, વીર્ય, લેશ્યા... વગે૨ે આત્માના અનંતગુણ છે... પણ આ બધામાં જ્ઞાન એ સાર=ઉત્કૃષ્ટ છે. શંકા જ્ઞાન જ સારભૂત ગુણ છે અને દર્શનાદિ નહીં, એવું શાના આધારે ? સમાધાન આત્માને જ્યારે અન્યદ્રવ્યોથી અલગ દર્શાવવાનો હોય ત્યારે જેમાં જ્ઞાન હોય તે આત્મા...' ‘જેમાં જ્ઞાન ન હોય તે પુદ્ગલ વગેરે' આ રીતે જ્ઞાનગુણને આગળ કરીને દેખાડાય છે... શંકા જ્ઞાનથી જ આ ભેદ દેખાડાય છે, એવું શા માટે ? સમાધાન - કારણ કે દર્શન વગેરે ગુણો કરતાં જ્ઞાન જ શીઘ્રઉપસ્થિત થઈ જાય છે, માટે એના દ્વારા ભેદ દેખાડાય છે. એટલે જ શાસ્ત્રોમાં અક્ષરના અનંતમા ભાગ જેટલા જ્ઞાનને હંમેશા ખુલ્લું કહ્યું છે... આશય એ છે કે સૂક્ષ્મ નિગોદીયા જીવને ગમે એટલો ગાઢજ્ઞાનાવરણનો ઉદય હોય તો પણ એક અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન તો એ વખતે પણ અનાવૃત જ હોય છે... જો એટલું જ્ઞાન પણ ચાલ્યું જાય તો જીવ જડ જ બની જાય... આ રીતે શાસ્ત્રોમાં કહ્યું છે... હવે, જેવું જ્ઞાન માટે છે, એવું જ દર્શન-વીર્ય વગેરે માટે પણ છે જ. એક અનંતમા ભાગનું દર્શન કે વીર્ય વગેરે પણ હંમેશા સ્ફુરાયમાણ ૨હે જ છે... સર્વથા નષ્ટ થઈ જતા નથી... એ જો નષ્ટ થઈ જાય તો જીવ અને જડનો ભેદ ૨હે જ નહીં... આવી પણ વાસ્તવિકતા છે જ. છતાં, શાસ્ત્રોમાં જીવ જીવરૂપે જ રહે, ને જડ ન બની જાય એ માટે વાત અનંતમા ભાગના જ્ઞાનની જ કરી છે. દર્શન-વીર્ય વગેરેની નહીં... આ પણ જણાવે છે કે જ્ઞાન જ ઉત્કૃષ્ટ-સારભૂત-અસાધારણગુણ છે... ને તેથી એ જ પરમભાવ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૯ ૨૦૭ આ જ રીતે બીજા દ્રવ્યોના પણ પરમભાવ=અસાધારણગુણ લેવા.. તસ્વરૂપ તે તે દ્રવ્યને કહેવું એ દ્રવ્યાર્થિક નયનો દસમો પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય મંદ છે. ધારો કે આપણે પુદગલવિશેષ અંગે વિચાર કરીએ તો સાકરમાં મિઠાશની સાથે શ્વેતવર્ણ વગેરે ભાવો પણ રહેલા છે. છતાં એની ઓળખાણ જે મીઠી હોય તે સાકર. એમ અપાય છે.. એમ આ સાકર છે, કારણ કે મીઠી છે, આ સાકર નથી, કારણ કે મીઠી નથી. એમ સાકરને અન્યથી જુદી પડાય છે. એ જ રીતે બરફ માટે શીત સ્પર્શને આગળ કરાય છે. (આ બરફ છે, કારણ કે ઠંડો છે. આ બરફ નથી, કારણ કે ઠંડો નથી...) એટલે મિઠાશને સાકરનો, શીતસ્પર્શને બરફનો પરમભાવ કહી શકાય. તેથી મધુરરસ સ્વરૂપ સાકર.. શીતસ્પર્શસ્વરૂપ બરફ. આવું કહેનાર નય એ આ દસમો પ્રકાર છે. શંકા - દ્રવ્યાર્થિકનો ત્રીજો પ્રકાર ભેદકલ્પનાનિરપેક્ષશુદ્ધદ્રવ્યાર્થિકનય-જ્ઞાનમો નીવ: કહે છે.... આ દસમો ભેદ જ્ઞાનમયો નીવડ કહે છે... આ બેમાં તફાવત શું રહ્યો ? સમાધાન - ત્યાં જ્ઞાનને માત્ર આત્માના ગુણ તરીકે જોવાયું છે, અહીં સ્વરૂપ તરીકે જોવાયું છે. શંકા - એમાં શું ફેર પડ્યો ? સમાધાન - ગુણ તરીકે જોવામાં તો જ્ઞાનની જેમ દર્શન, સુખ, વીર્ય વગેરે આત્મગુણો પણ આવે ને તેથી ત્રીજા પ્રકારમાં નામિત્રો નીવ:, વીffમત્રો નીવ: વગેરે પણ કહી શકાય છે. પણ આ ૧૦મા પ્રકારમાં તો સ્વરૂપ તરીકે પરમભાવ તરીકે જોવાનું હોવાથી માત્ર “જ્ઞાન” જ પકડી શકાય છે, દર્શન વગેરે નહીં. એટલે દસમા પ્રકારનો નય, જ્ઞાનમયો - જ્ઞાનસ્વરૂપ નીવ: એમ કહેશે. પણ ટર્શનમયો નીવે: વગેરે કહેશે નહીં. આમ, દિગંબર આચાર્યદેવસેનકૃત નયચક્રમાં દર્શાવેલા દ્રવ્યાર્થિકનયના દસ પ્રકાર કહ્યા. એ ગ્રંથમાં આને જણાવનાર ૧૯૦ થી ૧૯૮ સુધીની ગાથાઓ નીચે મુજબ છે - कम्माणं मज्झगयं जीवं, जो गहइ सिद्धसंकासं । भण्णइ सो सुद्धणओ, खलु कम्मोवाहिणिरवेक्खो ।। १९० ।। उप्पादवयं गउणं, किच्चा जो गहइ केवलं सत्ता । भण्णइ सो सुद्धणओ, इह सत्तागाहओ समये ।। १९१ ।। गुणगुणियाइचउक्के, अत्थे जो णो करेइ खलु भेयं । सुद्धो सो दव्वत्थो, भेयवियप्पेण हिरवेक्खो ।। १९२ ।। भावे सरायमादो सव्वे, जीवमिह जो दु जंपेदि । सो हु असुद्धो उत्तो, कम्माणउवाहिसावेक्खो ।। १९३ ।। उप्पादवयविमिस्सा, सत्ता गहिउण भणइ तिदयत्तं । दव्वस्स एयसमए जो सो, हु असुद्धओ विदिओ ।। १९४ ।। Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઢાળ-૫ : ગાથા-૧૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ भेए सादि संबंधं, गुणगुणियाईहिं कुणइ जो दव्वे । सो वि असुद्धो दिट्ठो, सहियो सो भेय कप्पेण ।। १९५ ।। णिस्सेससहावाणं, अण्णयरूवेण सव्वदव्वेहिं । विवहावं णहि जो सो अण्णयदव्वत्थिओ भणिओ ।। १९६ ।। सद्दव्वादिचउक्के, संतं दव्वं खु गेण्हए जो हु । णियदव्वादिसु गाही, से इयरो होइ विवरीओ ।। १९७ ।। गेण्हइ दव्वसहावं, असुद्धसुद्धोवयारपरिचत्तं । સો પરમભાવITદી, નાયબ્બો સિદ્ધામેળ | ૨૧૮ | ૭૩ || પાંચમી ઢાળ પૂર્ણ થઈ. શબ્દનય..કાલાદિભેદે અર્થભેદ જે માને છે તે નીચે મુજબ(૧) કાળભેદ : વમૂવ ભવતિ ભવિષ્યતિ સુકા મેરુપર્વત હતો, છે અને રહેશે. આવા વાક્યપ્રયોગમાં, ભૂતકાલીન-વર્તમાન અને ભાવી મેરુ અલગ અલગ છે. (૨) કારકભેદ : વતિ કુષ્પ, જયતે શ્મ: આ બેમાં, પ્રથમવાક્યમાં દ્વિતીયાન્ત “કુંભ'પદવાચ્ય પદાર્થ અને બીજાવાક્યમાં પ્રથમાન્ત કુંભ'પદવાણ્ય પદાર્થ ભિન્ન-ભિન્ન છે. (૩) લિંગભેદ : તદ:, તટી, ત૮ આ ત્રણે ભિન્ન-ભિન્ન લિંગી તટ શબ્દના | વાચ્યાર્થ જુદા-જુદા છે. (૪) વચનભેદ : તા: ત્રત્રમ્ | બહુવચનાન “દારા'પદવાણ્યપદાર્થ અને | એકવચનાત્ત ક્લત્રપદવાણ્યપદાર્થ એક નથી. (૫) પુરુષભેદ : યાણિ , યાતિ ભવાન ! પુરુષભેદ હોવાથી દ્વિતીય પુરુષકર્તા અને તૃતીય પુરુષકર્તા એક ન હોય શકે. (૬) ઉપસર્ગભેદ : 7િ8-૩મતિષ્ઠરે છે આ બે ક્રિયાપદ જુદા-જુદા અર્થને ધ્વનિત કરે છે, કારણ કે ઉપસર્ગ જુદા-જુદા લાગ્યા છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઢાળ છઠ્ઠી ષડ્ ભેદ નય પર્યાય અરથો, પહિલો અનાદિક નિત્ય રે । પુદ્ગલતણા પર્યાય કહિઇ, જિમ મેરુગિરિમુખ નિત્ય રે || ૬-૧ || બહુભાંતિ ફઇલી જઇન શઇલી, સાચલૂં મિન ધારિ રે ખોટડું જે કાંઇ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે. (બહુ)૦ II ૬-૨ ॥ । ટબો પર્યાયાર્થનય છ ભેદે જાણવો. તિહાં પહિલો અનાદિ નિત્ય (શુદ્ધ) પર્યાયાર્થિક કહિઇ. જિમ પુદ્ગલનો પર્યાય મેરુપ્રમુખ. પ્રવાહથી અનાદિ નઇ નિત્ય છઈ. ગાથાર્થ - પર્યાયાર્થિકનયના ૬ ભેદ છે. તેમાં પ્રથમ અનાદિ-નિત્ય છે. જેમ કે મેરુપર્વત વગે૨ે પુદ્ગલના નિત્ય પર્યાય છે. જૈનશૈલી બહુ રીતે ફેલાયેલી છે. એમાંથી જે સાચું લાગે તેને મનમાં ધારવું... જે ખોટું જણાય, ત્યાંથી ચિત્તને નિવારવું... II ૬-૧,૨૫ વિવેચન પર્યાયાર્થનય... દિગંબર આચાર્ય શ્રીદેવસેનના નયચક્ર ગ્રંથમાં પર્યાયાર્થિકનયના ૬ ભેદ દર્શાવ્યા છે. પ્રસ્તુત દ્રવ્યગુણપર્યાયનો રાસ ગ્રંથમાં એનો જે ઉલ્લેખ છે અને નયચક્રમાં જે ઉલ્લેખ છે એમાં થોડો ફરક ક્યાંક પડે છે... માટે બન્નેમાં જણાવેલા નામો પહેલાં જોઈ લઈએ... દ્રવ્યગુણ રાસમાં નામ ૧. અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. સાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. ૨. ૩. અનિત્ય શુદ્ધ પર્યાયા. ૪. નિત્ય અશુદ્ધ પર્યાયા. ૫. નિત્ય શુદ્ધ પર્યાયા. ૬. અનિત્ય અશુદ્ધ પર્યાયા. નયચક્રમાં નામ અનાદિ નિત્ય પર્યાયા. સાદિ નિત્ય પર્યાયા. અનિત્ય શુદ્ધ પર્યાયા. અનિત્ય અશુદ્ધ પર્યાયા. અનિત્ય શુદ્ધ પર્યાયા. અનિત્ય અશુદ્ધ પર્યાયા. અનેકાન્તવ્યવસ્થાપ્રકરણની મુદ્રિતપ્રતમાં, પ્રથમ ત્રણ પ્રકારના નામ નયચક્ર પ્રમાણે આપેલા છે... ચોથા-પાંચમાનું નામ દ્રવ્ય-ગુણ. રાસ પ્રમાણે આપેલ છે અને છઠ્ઠાનું નામ ‘નિત્યઅશુદ્ધપર્યાયા.’ આપેલું છે. ત્યાં એનો ઉલ્લેખ ૫૪: મોંવાધિસાપેક્ષોનિત્યાશુદ્ધપર્યાર્થિ: આ રીતે છે... અને ઉદાહરણ તરીકે યથા સંસારિળામુત્પત્તિમરણે સ્ત: એમ જણાવ્યું છે... ઉત્પત્તિ-મરણ નિત્ય તો નથી જ. માટે આમાં તો ‘અનિત્ય’ પાઠ જ બરાબર છે... અનેકાન્તવ્યવસ્થાના પાઠમાં પણ... સાપેક્ષો નિત્યા... આમ જે પાઠ છે એમાં વચ્ચે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઢાળ-૬ : ગાથા-૧-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અવગ્રહ મૂકીને. સાપેક્ષોડનિત્યી... આ રીતે લેવાથી અનિત્યઅશુદ્ધ એવું ત્રણેનું એકસરખું નામ મળી જાય છે. આલાપપદ્ધતિમાં પણ નયચક્ર મુજબ જ નામો છે. - ત્રીજા-ચોથામાં સત્તાની નિરપેક્ષતા-સાપેક્ષતા છે ને પાંચમા-છામાં કપાધિની નિરપેક્ષતા-સાપેક્ષતા છે, એ જાણવું. હવે પ્રથમભેદને વિચારીએ... તિહાં પહિલો.. છ ભેદમાં પહેલો અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય કહીએ... જેમ કે પુદ્ગલનો “મેરુ વગેરે પર્યાય. એ પ્રવાહથી અનાદિ ને નિત્ય છે. અલબત્ કોઈપણ પુદ્ગલ વધુમાં વધુ અસંખ્યાતકાળે અવસ્થાન્તર કરે જ છે.... એટલે મેરુપર્વતના પુદ્ગલો પણ બદલાયા જ કરે છે. જુના જાય છે... નવા આવે છે... પણ સંસ્થાન એ જ છે (એમ સ્થાન, વર્ણાદિ, પરિમાણ. વગેરે પણ શિષ્ટ પુરુષોના વ્યવહાર મુજબ એના એ જ રહે છે...) માટે એ અનાદિ નિત્ય કહેવાય છે. આ જ પ્રમાણે રતપ્રભા વગેરે પૃથ્વી પર્યાય પણ જાણવા. એમ શાશ્વત પ્રતિમા વગેરે જે કાંઈ શાશ્વત પદાર્થો છે એ બધા પણ જાણવા. શંકા - તમે દ્રવ્યાર્થિકનયોના વિવેચન વખતે (પૃ. ૧૯૨) કહેલું કે દ્રવ્યાર્થિકનય જેટલા અંશે અનિત્યતા જુએ એટલા અંશે અશુદ્ધ છે અને પર્યાયાર્થિકનય જેટલા અંશે નિત્યતા જુએ એટલા અંશે અશુદ્ધ છે. તો અહીં તો અનાદિનિત્ય પર્યાયને પર્યાયાર્થિકનય જોઈ રહ્યો છે. પછી એ શુદ્ધ શી રીતે કહેવાય ? સમાધાન - આપણે જોઈ ગયા છીએ કે નયચક્રમાં કે આલાપપદ્ધતિમાં “શુદ્ધ' શબ્દ રહેલો નથી... અરે, ખુદ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની મૂળગાથામાં પણ આ શબ્દ છે નહીં... માત્ર ટબામાં જોવા મળે છે. એટલે લહીયા વગેરેની ભૂલથી આવી ગયો છે, એમ માની લઈએ તો તો કોઈ પ્રશ્ન નથી. ટબાકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે જ એ શબ્દ પ્રયોજેલો છે, એમ માનીએ તો આ “શુદ્ધ'ને નયનું જ વિશેષણ બનાવવું પડે છે. મેરુ તરીકે પરિણમેલા પુદ્ગલપર્યાયોને શુદ્ધ કહેવાનો તો કોઈ મતલબ નથી... (ઉપરથી એ સચિત્ત હોવાથી જીવમિશ્રિત હોવાના કારણે અશુદ્ધ કહી શકાય) હવે, પર્યાયાર્થિકનય “શુદ્ધ' તો, તો જ કહેવાય જો એ માત્ર ક્ષણિકત્વ જોતો હોય... અંશમાત્ર પણ નિત્યત્વ જોતો ન હોય. એટલે આના વિષય તરીકે તો ક્ષણે ક્ષણે “મેરુ તરીકે પરિણમતા ક્ષણિક પુદ્ગલપર્યાયો જ છે.. દિક્ષણસ્થાયી તરીકે પણ તે તે પર્યાયને જોવાના નથી. એટલે બે ક્ષણ જેટલું પણ અવસ્થાન જોવાનું નથી. માટે એ “શુદ્ધ’ કહી શકાય છે. શંકા - પણ જો ક્ષણિકપર્યાયો જ જોવાના છે તો “અનાદિનિત્ય શી રીતે કહેવાય? સમાધાન - આ શંકાના સમાધાન માટે ગ્રંથકારે પ્રવાહથી... વગેરે કહ્યું છે.... આ નયના વિષયભૂત પર્યાયો છે તો ક્ષણિક જ. પણ શાસ્ત્રોની દૃષ્ટિએ અને શિષ્ટોની દૃષ્ટિએ આ પર્યાયો એકસરખા જ હોય છે. આવા છબસ્થષ્ટિએ એકસરખા જણાય તેવા પર્યાયોનો Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧-૨ ૨૧૧ અસંખ્યાતકાલઈ - અન્યાન્યપુદ્ગલસંક્રમઈ, પણિ સંસ્થાન તેહજ છઇ. ઇમ રતપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા. પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે અને ક્યારેય અંત ન આવે એ રીતે ચાલ્યા કરવાનો છે. અર્થાત્ એ પ્રવાહ અનાદિ અને નિત્ય છે. માટે અનાદિનિત્ય તરીકે ઓળખાય છે. શંકા - નયચક્ર વગેરેમાં તો શુદ્ધ એવું વિશેષણ પડેલું નથી. એટલે ત્યાં તો પર્યાયાર્થિકનય અશુદ્ધ હોય તો પણ વાંધો નથી. અને તેથી અનાદિનિત્ય પર્યાય છે અર્થ (= વિષય) જેનો એ “અનાદિનિત્યપર્યાયાર્થિકન' આવો સમાસ થશે. એટલે મેરુ વગેરેને અનાદિનિત્ય' પર્યાયરૂપે જોનારો આ નય છે, એમ માનવાનું રહે છે. માટે પ્રશ્ન ઊભો થાય છે કે અનાદિનિત્ય તો દ્રવ્ય હોય, પર્યાય થોડો હોય ? સમાધાન - પુદ્ગલનો પુદ્ગલરૂપે ઉલ્લેખ થાય તો “દ્રવ્ય” પકડાય. કારણ કે પુગલ” એ દ્રવ્ય છે. કોઈ અવસ્થા વિશેષરૂપ નથી... પણ “પુદગલ સિવાયનો ઔદારિકવર્ગણા’–‘ઔદારિકશરીર” “મેરુપર્વત' વગેરે કોઈપણ રૂપે ઉલ્લેખ થાય તો એ તે તે પુગલની ચોક્કસ અવસ્થારૂપ હોવાથી “પર્યાય છે. એટલે મેરુપર્વત પણ એ રૂપે પરિણમેલા યુગલોની એક અવસ્થા જ હોવાથી પર્યાય રૂપ છે અને આ અવસ્થા અનાદિનિત્ય હોવાથી એ પર્યાય પણ “અનાદિનિત્ય' કહેવાય છે. શંકા - ધર્માસ્તિકાય વગેરેનું પણ સંસ્થાન-સ્થાન-પરિમાણ વગેરે એનું એ જ છે ને અનાદિનિત્ય છે.. તો એ પણ આ નયનો વિષય બનશે ને ? સમાધાન - “ધર્માસ્તિકાય' આ ખુદ દ્રવ્ય છે, કોઈ અન્ય દ્રવ્યની અવસ્થારૂપ નથી.... માટે એને વિષય કરનાર નય પર્યાયાર્થિક ન હોઈ શકે, દ્રવ્યાર્થિક જ હોય. માટે એ બધા આ નયનો વિષય નથી. ટબામાં રહેલા “શુદ્ધ' વિશેષણને સંગત કરવા માટે આપણે જે ક્ષણિક પર્યાયોને જ જોવાની વાત વિચારી ને પછી પ્રવાહથી એને અનાદિનિત્ય કહ્યા. એ રીતે ધર્માસ્તિકાય વગેરેના પણ ક્ષણિક પર્યાયોને આ નય જુએ.. ને પછી એ બધા ક્ષણિક પર્યાયો પણ છદ્મસ્થદષ્ટિએ એક સમાન હોવાથી એને પ્રવાહથી અનાદિ-નિત્ય કહે તો આ નયનો વિષય બની શકે. પણ તો પછી એનો સમાવેશ, સત્તાને ગૌણ કરી ઉત્પાદ-વ્યયમાત્રને ગ્રહણ કરનાર ત્રીજા અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનયમાં જ થઈ જાય એ જાણવું. શંકા - તો તો “શુદ્ધ એવા વિશેષણની સંગતિ માટે મેરુ વગેરેના પણ ક્ષણિક પર્યાયો જ જોવાની જે વાત કરી, એ પણ આ ત્રીજા પ્રકારમાં જ સમાવિષ્ટ થઈ જવાથી પ્રથમ પ્રકાર જેવું કશું રહેશે જ નહીં. સમાધાન - એટલે જ ટબામાં રહેલો “શુદ્ધ' એવો શબ્દ લહિયાની ભૂલથી આવી ગયેલો છે, એમ માનવું વધારે યોગ્ય લાગે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૬ : ગાથા-૧-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઘણઇ પ્રકારઇ જૈનશઇલી ફઇલી છઇ. દિગંબરમત પણિ જૈન દર્શન નામ ધરાવી એહવી નયની અનેક શૈલી પ્રવર્તાવઇ છઇ. તેહમાંહિં વિચારતાં જે સાચું હોઇ, તે ૨૧૨ શંકા પણ તો પછી ટબામાં ‘પ્રવાહથી અનાદિ નઈ નિત્ય છઇ' એવું જે કહ્યું છે તે શા માટે ? સમાધાન ‘મેરુ કે રતપ્રભા વગે૨ે, સંસ્થાન-સ્થાન-પરિમાણાદિરૂપ પર્યાયદૃષ્ટિએ અનાદિ-નિત્ય છે... પણ દ્રવ્યની દૃષ્ટિએ જો વિચારવામાં આવે તો, પુદ્ગલોના ચય-અપચય ચાલુ હોવાથી એ માત્ર પ્રવાહથી જ અનાદિ-નિત્ય છે' આવા સ્પષ્ટીકરણ માટે એ કહ્યું છે, એમ સમજી શકાય છે. માટે જ ટબામાં આગળ ‘અસંખ્યાતકાલઇ અન્યાન્યપુદ્ગલસંક્રમઇ, પણિ સંસ્થાન તેહજ છઇ' એમ જણાવ્યું છે. શંકા આવા બધા જાતજાતના સમાધાન શોધવા... એના કરતાં દિગંબરાચાર્ય દેવસેને આ બધું ગરબડીયું જ કહ્યું છે... એમ કહી દો ને... આમે આ બધું દિગંબરોનું નિરૂપણ છે... એને સંગત કરવું જ જોઈએ એવું થોડું છે ? - - સમાધાન - ખુદ ગ્રંથકારે જ કહ્યું છે કે ‘દિગંબરે કહ્યું છે... એટલા માત્રથી એનો દ્વેષ ન કરવો... પૂર્વાપર વિચાર કરતાં જેટલું સાચું લાગે એનો સ્વીકાર કરવો... બાકીનાને જ ખોટું માનવું...' એટલે જેટલી સંગતિ શક્ય હોય એટલી કરવી એ આપણી ફરજ છે. એટલે નિશ્ચિત લાગે છે કે ‘શુદ્ધ' એવો શબ્દ કોકની પણ ગફલતથી આવી ગયો છે... ને જે ‘અવસ્થા’રૂપ હોવાથી ‘પર્યાય’રૂપ છે ને છતાં અનાદિનિત્ય છે, તે જ આ પ્રથમ પ્રકારનો વિષય છે. આવા પર્યાય તરીકે માત્ર પુદ્ગલના જ મેરુ વગેરે પર્યાયો આવવાથી એ જ આનો વિષય છે, બીજા ધર્માસ્તિકાયાદિના પર્યાયો નહીં. ઘણઇ પ્રકારઇ... જૈનશૈલી ઘણા પ્રકારે ફેલાયેલી છે. અર્થાત્ ‘જૈન’ નામ ધરાવીને જે પ્રરૂપણાઓ થયેલી છે એ અનેક પ્રકારે થયેલી છે. દિગંબર મત પણ જૈનદર્શન એવા નામ હેઠળ નય અંગેની આવી અનેક પ્રરૂપણાઓ પ્રચલિત કરે છે. તેમાં વિચાર કરતાં જે જે સાચું લાગે તે મનમાં ધારી રાખવું... ને જે કાંઈ ખોટું જણાય તે ચિત્તમાં ન ધરવું... પણ શબ્દનો ફેર હોય... (દિગંબરોએ આપણાં કરતાં કંઈક જુદું નામ આપેલું હોય) તો એટલા માત્રથી એનો દ્વેષ નહીં કરવો... અર્થાત્ એટલામાત્રથી એને ખોટું નહીં માની લેવું કે એનું આડેધડ યેન કેન પ્રકારેણ પણ ખંડન કરવા બેસી જવું એવું નહીં કરવું. આશય એ છે કે-સંયમીના વસ્ત્ર-પાત્રાદિ ઉ૫ક૨ણ, સ્ત્રીમુક્તિ, કેવલિભુક્તિ... વગેરે અંગે દિગંબરોની માન્યતા આપણા કરતાં અલગ છે અને તેથી એ અંગેનું નિરૂપણ ક૨વાનો પ્રસંગ આવે ત્યારે દિગંબર ગ્રંથકારોની બુદ્ધિ પર સંપ્રદાયવાદ છવાઈ જાય... ને તેથી સાચું કદાચ જાણતાં હોય તો પણ પોતાની ખોટી વાતને સાચી ઠેરવવા તેઓ અભિનિવેશ પૂર્વક ગલતનિરૂપણ કરે એ સંભવિત છે. પણ સ્યાદ્વાદ-સપ્તભંગી-નય વગેરે કે (સ્ત્રીને ક્ષપકશ્રેણિ... વગેરે થોડીક બાબતોને છોડીને બાકીનું) કર્મસાહિત્ય વગેરે... કે જેમાં આપણો ને એમનો Page #232 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૩ ૨૧૩ મનમાંહિં ધારિઇ. તિહાં - જે કાંઈ ખોટું જાણઇ, તે ચિત્તમાંહિ ન ધરઇ, પણિ શબ્દ ફેર માત્ર શ્વેષ ન કરવો, અર્થ જ પ્રમાણ છd. || ૬-૧,૨ | સાદિ નિત્ય પર્યાય અરથો, જિમ સિદ્ધનો મજ્જાઉ રે | ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય ઉપ્પાઉ રે / બહુo || ૬-૩ ||. કોઈ પ્રસિદ્ધ મહત્ત્વનો મતભેદ નથી... ઉપરથી અન્ય દર્શન સમક્ષ, તેઓ પણ આપણી જેમ જ સ્વાવાદ વગેરેની પ્રતિષ્ઠા માટે પ્રયતશીલ છે.. એ બાબતમાં જાણી બૂઝીને તેઓએ - અભિનિવેશપૂર્વક ગલત નિરૂપણ કર્યું હોય એવું માનવાની કોઈ જ જરૂર નથી... પોતાને સંપ્રદાયદ્વારા જે મળ્યું હોય ને પોતાની બુદ્ધિ-પ્રતિભા વગેરે દ્વારા, શાસ્ત્રવચનોથી જે સ્ફરે... એને વફાદાર રહીને જ એમણે નિરૂપણ કર્યું હોય એવું માનવામાં કશો વાંધો આપણને હોવો જોઈએ નહીં...ને તેથી જ એમના દાર્શનિક ગ્રંથો અને આપણા દાર્શનિકગ્રંથો એમનું વિપુલ કર્મસાહિત્ય અને આપણું વિપુલ કર્મસાહિત્ય.. આ બધામાં અમુક બાબતોને છોડીને બાકીનું બહુ મોટાભાગનું નિરૂપણ લગભગ એકસમાન આપણને પણ માન્ય હોય એવું જ આવે છે. ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં નયચક્રના આ અધિકારને જે વિસ્તારથી સ્થાન આપ્યું છે ને જે રીતે નિરૂપણ કર્યું છે... “શબ્દફેર હોવા માત્રથી દ્વેષ ધરવો નહીં વગેરે સૂચન જે કર્યા છે એ બધા પરથી પણ આ સૂચન મળે છે કે દિગંબરે સાતના નવ નય કર્યા.. વગેરે વાતો જ ગ્રંથકારને મુખ્યતયા ખટકે છે... બાકી મોટા ભાગના નિરૂપણ સામે બહુ વાંધો નથી... (નહીંતર તો ગ્રંથકારે દ્રવ્યાર્થિકના ને પછી પર્યાયાર્થિકના એક - એક પ્રકારના નિરૂપણની સાથે સાથે જ એ બધાનું ખંડન પણ કર્યું હોત. માત્ર છેલ્લે જ અમુક દૂષણપ્રદર્શન જે કર્યું છે-એ રીતે ન કર્યું હોત. તથા આ જ ઢાળની દસમી ગાથામાં તૈયાયિકનું ખંડન કરી, દિગંબરમાન્ય વર્તમાનારોપનૈગમનું સમર્થન “તે માર્ટેિ એ વર્તમાનારોપ નૈગમ ભેદ જ ભલો જાણવો...' વગેરે પંક્તિ દ્વારા જે કર્યું છે, તે કર્યું ન હોત.) સહૃદયતાપૂર્વક પૂર્વાપર વિચાર કરનારને આ પ્રતીત થયા વિના નહીં રહે. એટલે નક્કી થયું કે શબ્દર માત્ર જોઈને દિગંબરના નિરૂપણનું ખંડન ન કરવું. કારણ કે છેવટે, શબ્દ નહીં પણ અર્થ જ પ્રમાણ છે. એટલે કે શબ્દ કદાચ ક્યાંક જુદો હોય તો પણ એટલા માત્રથી અર્થ કાંઈ જુદો થઈ જતો નથી કે જેથી એ વાસ્તવિકતાથી અલગ પ્રકારનો થઈ જવાથી ગલત બની જાય. આપણે ઘડાને વૃત્તાકાર કહીએ અને બીજો કોઈ એને ગોળાકાર કહે તો એટલા માત્રથી કાંઈ એને જુકો ન કહી દેવાનો હોય, કારણ કે અર્થ તો સમાન જ છે. ૭૪-૭૫ || ગાથાર્થ - પર્યાયાર્થિકનયનો બીજો ભેદ છે સાદિ નિત્ય પર્યાયાર્થિકનય. જેમ કે સિદ્ધનો પર્યાય... અને સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે એ ત્રીજો અનિત્યશુદ્ધ પર્યાયાર્થિકાય છે. તે ૬-૩ || Page #233 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થનય બીજો ભેદ ૨, જિમ સિદ્ધનો પર્યાય, તેહની આદિ છઇ, કર્મક્ષય સર્વ થયો, તિવારઇ - સિદ્ધ પર્યાય ઉપનો, તે વતી. પણિ તેહનો અંત નથી, માર્ટિ સિદ્ધભાવ સદાકાલ છઇ. એ રાજપર્યાય સરખો સિદ્ધદ્રવ્યપર્યાય ભાવવો. સત્તા ગૌણત્વ ઉત્પાદ-વ્યયગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિતું. ॥ ૬-૩ ॥ ૨૧૪ વિવેચન - સાદિ નિત્ય... સાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય એ બીજો ભેદ છે. જેમ કે સિદ્ધનો પર્યાય... એનો આદિ=પ્રારંભ છે, કારણ કે જ્યારે સર્વકર્મક્ષય થયો ત્યારે એ પર્યાય ઉત્પન્ન થયો હોય છે. પણ તેનો અંત નથી, કારણ કે સિદ્ધપણું હવે સદાકાળ રહેવાનું છે. આ સિદ્ધદ્રવ્યપર્યાયને રાજપર્યાયતુલ્ય જાણવો. (આ રાજપર્યાયતુલ્યતા કઈ રીતે ? એ એકદમ સ્પષ્ટ થતું નથી. છતાં આવું વિચારી શકાય છે કે) રાજકુમાર એકવાર રાજા બની જાય પછી પાછો રાજકુમાર રૂપે ક્યારેય બનતો નથી... એમ સંસારીજીવ એકવાર સિદ્ધ બની જાય, પછી પાછો સંસારી ક્યારેય બનતો નથી. આ બીજા પ્રકારમાં પણ માત્ર ટબામાં જ શુદ્ધ' શબ્દ રહેલો છે... અન્યત્ર ક્યાંય કહેલો નથી... છતાં, સિદ્ધાવસ્થા એ જીવદ્રવ્યની એક અવસ્થારૂપ હોવાથી ‘પર્યાય' છે અને વળી જીવદ્રવ્યની શુદ્ધ અવસ્થા હોવાથી એ શુદ્ધપર્યાય છે... તેથી ‘શુદ્ધ’ને પર્યાયનું વિશેષણ બનાવી ‘સાદિનિત્ય શુદ્ધપર્યાય છે અર્થ જેનો એ સાદિનિત્યશુદ્ધપર્યાયાર્થિનય...' આ રીતે સમાસ કરી શકાય છે. પણ ‘શુદ્ધ’ એ પર્યાયાર્થિકનયનું વિશેષણ તો બની શકવાનું જ નથી. કારણ કે નિત્યતાને જોનાર પર્યાયાર્થિકનય શુદ્ધ હોઈ શકે નહીં. ઢાળ-૬ : ગાથા-૩ શંકા શુદ્ધ એવું વિશેષણ માનીએ કે ન માનીએ... બીજા કોઈ દ્રવ્યનો પર્યાય આ બીજા પ્રકારનો વિષય બનશે ? - સમાધાન ના, નહીં બને... કારણ કે સિદ્ધાવસ્થાને છોડીને અન્ય કોઈપણ દ્રવ્યની કોઈપણ અવસ્થા સાદિનિત્ય હોતી નથી... ક્યાં તો અનાદિનિત્ય હોય ને ક્યાં તો સાદિસાન્ત હોય... પણ સાદિનિત્ય હોતી નથી... માટે આ પ્રકારનો વિષય બનતી નથી... શંકા વ્યવહારરાશિપણું તો સાદિ નિત્ય છે ને ? સમાધાન - ના, જીવનો મોક્ષ થવા પર એ પણ સાન્ત થઈ જાય છે. શંકા સિદ્ધાવસ્થા એ જીવદ્રવ્યની એક અવસ્થારૂપ હોવાથી પર્યાય છે... તો એ રીતે સંસારી અવસ્થા પણ એક અવસ્થારૂપ હોવાથી પર્યાય છે, જે અનાદિ સાન્ત છે. તો જીવના, સંસારીપણારૂપ પર્યાયને જોનાર અનાદિ અનિત્ય પર્યાયાર્થિકનય નામનો એક સ્વતંત્ર પ્રકાર કેમ નથી કહ્યો ? સમાધાન - સિદ્ધાવસ્થામાં પણ એમ તો પ્રતિક્ષણ અગુરુલઘુપર્યાય વગેરેની અપેક્ષાએ - Page #234 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૪ ૨૧૫ જિમ સમયમાં પર્યાય નાશી, છતિ ગહત નિત્ય અશુદ્ધ રે ! એક સમઈ યથા પર્યય, ત્રિતયરૂપઈ રુદ્ધ રે / બહુ // ૬-૪ / ટબો - જિમ એક સમય મળે પર્યાય વિનાશી છઇ. ઇમ કહિછે. ઇહાં નાશ કહતાં ઉત્પાદઈ આવ્યો, પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડો નહીં. કંઈક ને કંઈક ઉત્પાદ-વ્યય થતાં જ હોય છે. (નહીંતર તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ઐલક્ષય ન રહેવાથી સિદ્ધાવસ્થા પણ શશશૃંગવત્ અસત્ જ બની જાય). પણ એ છ0ના વિષય હોતા નથી.. કે મુખ્ય-મહત્ત્વના સ્વરૂપમાં ફેરફારરૂપ હોતા નથી... (આવું જ પ્રથમ પ્રકારમાં મેરુ અંગે જાણવું.) એટલે જણાય છે કે પ્રથમ અને દ્વિતીય પ્રકારમાં નિત્ય તરીકે જે કહેવું છે તે છદ્મસ્થના વિષયભૂત બની શકે.. જે મુખ્ય-મહત્ત્વના હોય એવા પર્યાય અંગે જ કહેવું છે અને આવા પર્યાયની દૃષ્ટિએ વિચારીએ તો સંસારીપણામાં સ્થાન, અવગાહના, સંસ્થાન, મનુષ્યાદિ ગતિ... વગેરે બધું જ બદલાયા જ કરતું હોય છે. આમાંની કોઈ અવસ્થા અનાદિ ન હોવાથી અનાદિસાન્ત નથી હોતી.. પણ સાદિ-સાન્ત જ હોય છે. માટે “અનાદિસાન્તપર્યાયાર્થિકનય' એવો પ્રકાર બતાવવાની જરૂર રહેતી નથી... શંકા - ભવ્યત્વ તો અનાદિ-સાત્ત છે ને ! સમાધાન - એમાં પણ ઉપર મુજબ ભવ્યજીવની મુખ્ય અવસ્થાઓ (ગતિ વગેરે) બદલાયા કરે છે એ કારણે અથવા તથાભવ્યત્વનો પરિપાક વગેરે રૂપે એમાં ફેરફાર થાય છે એવું માનીને સ્વતંત્રપ્રકાર બતાવ્યો નથી. એમ માનવાનું રહે. અથવા તો આગળ ગ્રંથકાર કહેવાના છે એમ આવા વિભાગ બધાનો જ સંગ્રહ કરનાર નથી. માટે એ ક્ષતિરૂપ છે જ. અથવા ભવ્યત્વ એ જીવત્વની જેમ એક પરિણામરૂપ છે, અવસ્થારૂપ નથી... માટે એની પર્યાય તરીકે વિવક્ષા ન કરી હોય, એમ સંગતિ કરવાની રહે. હવે ત્રીજો પ્રકાર, સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયનું ગ્રહણ કરે એ અનિત્યશુદ્ધ - પર્યાયાર્થિક નય છે. આનું ઉદાહરણ ચોથી ગાથામાં દર્શાવશે. જે ૭૬ || ગાથાર્થ - જેમકે એક સમયમાં સર્વ પર્યાય નાશ પામવાના સ્વભાવવાળા છે. તથા સત્તાને પણ ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનય નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક છે. જેમ કે એક સમયમાં પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણે લક્ષણથી યુક્ત હોય છે. || ૬-૪ | વિવેચન - જિમ એક સમય. જે પર્યાય જે સમયે ઉત્પન્ન થાય છે તે એક સમય માટે જ એ ટકે છે. ને બીજા સમયે નાશ પામી જાય છે.... આમ પર્યાયોનો નાશ પ્રતિક્ષણ જોવો એ આ નય છે... વળી, વગર ઉત્પાદે નાશ તો થાય નહીં... એટલે જણાય છે કે પ્રતિક્ષણ ઉત્પાદન પણ આ નય જુએ છે. અર્થાત્ પ્રતિક્ષણ પૂર્વપર્યાયનાશ, ઉત્તરપર્યાયઉત્પાદને જોવા, પણ સત્તાને જોવી નહીં. એ આ પર્યાયાર્થિકનયનો ત્રીજો પ્રકાર છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઢાળ-૬ : ગાથા-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છતિં કહતાં-સત્તા, તે ગ્રહતો નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક કહિછે. જિમ “એક સમય મળે પર્યાય ત્રિતયરૂપઈ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણઈ રુદ્ધ છઈ” એહવું બોલિઈ. પર્યાયનું આમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશને જ જોવાના છે, પણ સત્તાને જોવાની નથી. માટે આ પર્યાયાર્થિકનયનો શુદ્ધદષ્ટિકોણ છે, માટે આ શુદ્ધપર્યાયાર્થિકનય છે. વળી ક્ષણિક-અનિત્ય પર્યાયોને જોનારો છે... માટે આ અનિત્યશુદ્ધપર્યાયાર્થિક નય છે. બધાં જ દ્રવ્યોમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થતા જ હોય છે. માટે બધા જ દ્રવ્યોના આવા ઉત્પાદવિનાશશીલ પર્યાયો આ નયના વિષય છે, એ જાણવું. એટલે મેરુમાં કે સિદ્ધાવસ્થામાં પણ જે સૂક્ષ્મ-સૂક્ષ્મતસૂક્ષ્મતમ ફેરફારો પ્રતિક્ષણ થયા કરતા હોય છે એને નજરમાં લેનાર દૃષ્ટિકોણ આ ત્રીજા પ્રકારમાં આવે છે... અને એને નજરમાં નહીં લઈને સંસ્થાન વગેરે બાહ્ય મુખ્યરૂપને જ નજરમાં લેનાર દૃષ્ટિકોણ પહેલા-બીજા પ્રકારમાં આવે છે, એ જાણવું. હવે ચોથો પ્રકાર - નિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકન્ય... છતિ કહતાં. છતિ = સત્તા. ત્રીજા પ્રકારમાં સત્તાનું = ધ્રૌવ્યાંશનું ગ્રહણ નહોતું... માત્ર ઉત્પાદ-વિનાશનું ગ્રહણ હતું... ચોથા પ્રકારમાં સત્તાનું પણ ગ્રહણ છે. અર્થાત્ ત્રણે અંશોનું ગ્રહણ છે. એટલે કે તે તે સમયમાં રહેલા પર્યાયને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય... આ ત્રણેથી સંકળાયેલો માનવો-જોવો એ પર્યાયાર્થિકનો આ ચોથો પ્રકાર છે. આ અશુદ્ધપર્યાયાર્થિક નય છે. કારણ કે પર્યાયાર્થિકનય સત્તાને ન જુએ એ એનું શુદ્ધરૂપ છે. એટલે ત્રીજો પ્રકાર શુદ્ધ હતો. પણ અહીં સત્તાને પણ જુએ છે, માટે આ અશુદ્ધ નય છે. શંકા - આ નય, સત્તાને પ્રધાનપણે ગ્રહણ કરે કે ગૌણ પણે ? સમાધાન - ધારો કે સત્તાને પ્રધાનપણે ગ્રહણ કરે છે, એમ માનીએ તો ઉત્પાદ - વ્યયને કઈ રીતે ગ્રહણ કરે? પ્રધાનપણે કે ગૌણપણે? જો પ્રધાનપણે ગ્રહણ કરે તો એ દૃષ્ટિકોણ “નયરૂપ ન રહેતાં “પ્રમાણરૂપ જ બની જાય. કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય.... આ ત્રણે અંશોને પ્રધાનપણે જોનાર પ્રમાણ હોય છે, નય નહીં. ઉત્પાદ-વ્યયને ગૌણપણે ગ્રહણ કરે છે, એમ જો કહેવામાં આવે તો આ નય પર્યાયાર્થિક ન રહેતાં દ્રવ્યાર્થિક બની જાય... કારણ કે સત્તાને પ્રધાનપણે જોવી અને ઉત્પાદ-વ્યયને ગૌણપણે જોવાં એ (અશુદ્ધ) દ્રવ્યાર્થિકનયનું લક્ષણ છે (જુઓ દ્રવ્યાર્થિકનયનો પાંચમો પ્રકાર પૃષ્ઠક ૧૯૮). એટલે સત્તાને પ્રધાનપણે ગ્રહણ કરે. આ વાત તો ખોટી જ છે... માટે માનવાનું રહે છે કે સત્તાને ગૌણપણે ગ્રહણ કરે છે. શંકા - સત્તાને ગૌણપણે ગ્રહણ કરવાની વાત તો ત્રીજા પ્રકારમાં હતી. જુઓ આ ઢાળની ત્રીજી ગાથાના ટબામાં ત્રીજા પ્રકારના વિવેચન માટે સત્તાગૌણત્વઈ ઉત્પાદ-વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિછે એમ જણાવ્યું છે. આલાપપદ્ધતિમાં પણ સત્તાત્વેિનોત્પા.. એમ જણાવ્યું છે. માટે આ ચોથા પ્રકારમાં તો સત્તાને પ્રધાનપણે Page #236 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શુદ્ધ રૂપ તે જે સત્તા ન દેખાવવી, ઇહાં || ૬-૪ || પર્યાય અરથો નિત્ય શુદ્ધો, રહિત કર્મોપાધિ રે । જિમ સિદ્ધના પર્યાય સરિખા, ભવજંતુના નિરુપાધિ રે ॥ બહુo II ૬-૫ || ઢાળ-દ : ગાથા-પ ૨૧૭ સત્તા દેખાવી, તે માટિં અશુદ્ધ ભેદ થયો. ગ્રહણ કરે છે, એમ જ લેવું જોઈએ ને ! સમાધાન ત્રીજા પ્રકારમાં સત્તાને ગૌણ કરવાની જે વાત છે તેનો અર્થ સત્તાને નજરમાં લેવાની જ નથી... સત્તાને જોવાની જ નથી... એટલે જ ત્રીજા પ્રકારના વિવેચન વખતે ટબામાં ‘પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડઇ નહીં...' એમ જણાવ્યું છે. જ્યારે ચોથા પ્રકારના વિવેચન વખતે ‘ઇહાં સત્તા દેખાડવી' એમ જણાવ્યું છે, એટલે ત્રીજા પ્રકારનો નય સત્તાને જોતો જ નથી (તો જ એ શુદ્ધ રહી શકે) અને ચોથા પ્રકારનો નય સત્તાને જુએ છે ખરો, પણ ગૌણપણે... (તો જ એ પર્યાયાર્થિક રહી શકે) આ વાત નિઃશંક જાણવી. - દ્રવ્યાર્થિકનયમાં બીજો પ્રકાર ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય અને પાંચમો પ્રકાર ઉત્પાદવ્યયસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિકનય... આમ છે... એને અનુસરીને અહીં પણ ત્રીજો પ્રકાર સત્તાનિરપેક્ષ શુદ્ધપર્યાયાર્થિકનય અને ચોથો પ્રકાર સત્તાસાપેક્ષ અશુદ્ધપર્યાયાર્થિકનય... એમ નામ રાખવાથી અને બંનેમાં સાપેક્ષત્વ ગૌણપણે ગ્રાહકત્વ... આવો અર્થ લેવાથી કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય... (અને બંનેમાં તે તે અંશ પર નજર જ ન નાખવી એ તે તે અંશની નિરપેક્ષતા જાણવી.) = એક જ સમયમાં, સત્તાથી ગૌણપણે સંકળાયેલા... ને ઉત્પાદ-વ્યયથી પ્રધાનપણે સંકળાયેલા પર્યાયને નજરમાં લેનાર દૃષ્ટિકોણ એ પર્યાયાર્થિકનયનો ચોથો પ્રકાર છે. શંકા - આ નય પણ એક-એક સમય રહેનાર ક્ષણિક પર્યાયોને જ જુએ,છે. તો ત્રીજા પ્રકારની જેમ આને પણ ‘અનિત્ય' જ કહેવો જોઈએ ને... ‘નિત્ય' કેમ કહ્યો છે ? - સમાધાન - નયચક્ર-આલાપપદ્ધતિ વગેરેમાં તો આ ચોથા પ્રકારનું નામ ‘અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક' નય એવું જ છે. એટલે ગ્રંથકારે ‘અનિત્ય’ના સ્થાને ‘નિત્ય’ શબ્દ કેમ પ્રયોજ્યો છે ? એ સ્પષ્ટ થતું નથી... કદાચ સત્તાને=ધ્રૌવ્યાંશને (ભલે ગૌણપણે પણ) જોવામાં આવી રહ્યો છે, એ અપેક્ષાએ ‘નિત્ય' કહ્યું હોય એમ સંભવી શકે. ॥ ૭૭ ॥ ગાથાર્થ કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધપર્યાયાર્થિકનય એ પાંચમો પ્રકા૨ છે. જેમ કે સંસારી જીવોમાં નિરુપાધિ પર્યાયો સિદ્ધના પર્યાય જેવા જ હોય છે. || ૬-૫ || વિવેચન - સંસારીજીવના પર્યાયોને પણ સિદ્ધાત્માના પર્યાય જેવા જોવા-કહેવા એ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઢાળ-૬ : ગાથા-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો - કર્મોપાધિરહિત નિત્યશુદ્ધ પર્યાયાર્થિક પાંચમો ભેદ, જિમ - ભવજંતુના = સંસારીજીવના પર્યાય સિદ્ધજીવના સરખા કહિછે. કર્મોપાધિભાવ છતાં છઇ, તેહની વિરક્ષા ન કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. / ૬-૫ + કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધપર્યાયાર્થિક નય નામે પાંચમો પ્રકાર છે. અલબત્ સંસારીજીવને કર્મ ઉપાધિ છે જ ને એની અસર પણ છે જ. પણ એની વિવક્ષા ન કરીએ તરફ નજર જ ન નાખી.. ને આત્મામાં અંદર અખંડપણે સ્કુરાયમાણ કેવલજ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી... એને જ જોયા... શંકા - દ્રવ્યાર્થિકના પ્રથમ ભેદમાં પણ સંસારીજીવને કર્મોપાધિનિરપેક્ષપણે સિદ્ધસમોવડ જોવાનો હતો. આમાં પણ એવું જ છે.. તો બન્ને એક નહીં થઈ જાય? સમાધાન - ના. દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય છે... એટલે ત્યાં સિદ્ધાત્મા જેવો સંસારીઆત્મા જોવાનો હતો.... પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય છે. એટલે અહીં, સિદ્ધાત્માના પર્યાયને તુલ્ય સંસારીજીવના પર્યાયોને જોવાના છે. માટે બન્ને નય જુદા છે. શંકા - તો પછી પર્યાયાર્થિકના પ્રથમ પ્રકારમાં તેનો સમાવેશ નહીં થઈ જાય? કારણ કે જીવ સંસારી છે ત્યાં સુધી પણ નજરમાં તો સિદ્ધાત્માના જ પર્યાયો રાખવાના છે, ને સિદ્ધ થયા પછી તો સદાકાળ માટે એ પર્યાય છે જ. એટલે અનાદિનિત્ય પર્યાય થવાથી પ્રથમ પ્રકારમાં શા માટે નહીં ? સમાધાન - પ્રથમ પ્રકારમાં કાંઈ, ઝટ કરીને-ફટ દઈને નજરે ચઢી જાય એવી વિલક્ષણતાઓને નજરઅંદાજ કરવાની નથી... ત્યાં તો એવું છે જ નહીં... ને એક સરખી અવસ્થા અનાદિ નિત્ય છે એને જ જોવાની છે. અહીં તો સંસારી અવસ્થામાં કર્મોપાધિવશાત્ ડગલે ને પગલે ધરખમ ફેરફારો થયા જ કરે છે. એક સરખી અવસ્થા જેવું છે જ નહીં... માત્ર એ ફેરફારોને નજરમાં લેવાના નથી. માટે આનો પ્રથમ પ્રકારમાં સમાવેશ થઈ શકતો નથી. શંકા - અહીં “શુદ્ધ એ કોનું વિશેષણ છે ? સમાધાન - ગ્રંથકારે આને “નિત્યશુદ્ધપર્યાયાર્થિક એવું નામ આપ્યું છે... એટલે જણાય છે કે “શુદ્ધ' એ પર્યાયનું વિશેષણ છે, પણ “પર્યાયાર્થિકન'નું નહીં, કારણ કે નિત્યત્વને જોનાર પર્યાયાર્થિકનય શુદ્ધ હોઈ શકે નહીં. અને આમાં પર્યાય તો શુદ્ધ છે જ, કારણ કે સિદ્ધાત્માના પર્યાયો શુદ્ધ હોય છે. પણ નયચક્ર વગેરેમાં આનું નામ “અનિત્યશુદ્ધપર્યાયાર્થિક આપ્યું છે... એટલે જણાય છે કે નયચક્ર વગેરેના અભિપ્રાય અનુસાર આ નય, કર્મોપાધિનિરપેક્ષપણે સંસારી આત્માના ક્ષણિકપર્યાયોને સિદ્ધાત્માના ક્ષણિકપર્યાય તુલ્ય જુએ છે. એટલે નિત્યત્વ અંશ જોવાનો ન હોવાથી “નય” પોતે જ શુદ્ધ છે. વળી પર્યાય પણ શુદ્ધ જ છે. માટે નયચક્રાનુસાર “શુદ્ધ' એ પર્યાય અને નય... એ બંનેનું વિશેષણ બની શકે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા તો પછી ગ્રંથકારે ‘શુદ્ધ' એ નયનું વિશેષણ ન બને એ રીતે ‘નિત્ય' શબ્દ કેમ પ્રયોજ્યો ? - ઢાળ-દ : ગાથા-૫ સમાધાન દ્રવ્યાર્થિકનયમાં કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય જે છે એમાં ‘શુદ્ધ' એ નયનું નહીં, પણ દ્રવ્યનું જ વિશેષણ છે. આ વાત આપણે પૂર્વે અનેક રીતે નિર્ણીત કરી છે. એટલે પર્યાયાર્થિકમાં પણ એનું સાદૃશ્ય જાળવી રાખવા માટે ‘શુદ્ધ'ને નયનું નહીં, પણ પર્યાયનું જ વિશેષણ રાખવું અભિપ્રેત હોય... ને તેથી ‘નિત્ય' શબ્દ પ્રયોજ્યો હોય એવું સંભવી શકે. બાકી તત્ત્વ કેવલિગમ્યમ્... ૨૧૯ શંકા - સિદ્ધાવસ્થામાં સાદિનિત્ય એકસરખી અવસ્થા છે જ. વળી સંસારી અવસ્થામાં જુદી-જુદી અવસ્થાઓ કર્મોપાધિજન્ય હોવા છતાં એના ૫૨ નજર નાખવાની નથી... અને તેથી એ વખતે પણ માત્ર સિદ્ધાવસ્થા જ જોયા કરવાની છે. એટલે આત્મદ્રવ્યમાં એની એ જ અવસ્થાને અનાદિ નિત્ય જોવાની છે.. (આ રીતે જોવામાં આવે તો જ ‘નિત્ય’ શબ્દ જે પ્રયોજ્યો છે તે સંગત ઠરે). હવે જો અવસ્થાન્તર થવાનું જ નથી... ત્રણે કાળમાં અવિચલિત સ્વરૂપ રહેવાનું છે.. તો તો એ ‘દ્રવ્ય’રૂપ જ બની જાય... પર્યાયરૂપ રહે જ નહીં... ને તેથી પર્યાયાર્થિકનયનો વિષય જ ન રહે. સમાધાન - આ પ્રશ્ન, પ્રથમ પ્રકારમાં અનાદિ નિત્ય મેરુ વગેરે પર્યાય કહ્યા તેમાં નહીં આવે ? શંકા - ના, નહીં આવે... કારણ કે ત્યાં મેરુ વગેરે પુદ્ગલદ્રવ્યની અવસ્થારૂપે ભલે શાશ્વત છે, પુદ્ગલો-બદલાયા કરે છે... એ પુદ્ગલોની પૂર્વે અન્ય અવસ્થા હતી... પછી મેરુરૂપે ગોઠવાયા, પાછા છૂટા પડી જુદી અવસ્થામાં આવી ગયા... માટે ત્યાં મેરુ વગેરેને પુદ્ગલના પર્યાયરૂપે લઈ શકાય છે... પ્રસ્તુતમાં એવું નથી... એના એ જ જીવદ્રવ્યની વાત છે, જેમાં એક પણ આત્મપ્રદેશના ચયા-પચય થતા નથી. એનું એ જ દ્રવ્ય... ને ત્રણે કાળમાં અવિચલિતસ્વરૂપ... પછી એને ‘પર્યાય’રૂપે શી રીતે કહેવાય ? સમાધાન મેરુમાં તો સંસ્થાન-સ્થાન વગેરે કશું બદલાતું નથી... અહીં તો સંસ્થાન, સ્થાન, અવગાહના વગેરે બધું બદલાય છે... શંકા - આ બધું તો કર્મોપાધિજન્ય છે... ને એને તો નજ૨માં લેવાનું જ નથી... પછી તો જે સ્વરૂપ બાકી રહે છે... તે ત્રણે કાલમાં અવિચલિત છે જ. માટે દ્રવ્યાત્મક શા માટે નહીં ? સમાધાન તો પછી નયચક્રમાં કહ્યા પ્રમાણે અહીં નિત્યના બદલે અનિત્ય શબ્દ જ જોઈએ. એટલે સિદ્ધના જેવા ક્ષણિક પર્યાયો છે એવા જ પર્યાયો સંસારી આત્મામાં પણ કર્મોપાધિને નિરપેક્ષપણે જોનાર નય એ આ પાંચમો પ્રકાર છે. શંકા-તો પછી ગ્રન્થકાર શ્રી યશોવિજયજી મહારાજે કેમ ‘નિત્ય' શબ્દનો ઉલ્લેખ કર્યો હશે? Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઢાળ-૬ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પર્યાય અર્થો અનિત્ય અશુદ્ધો, સાપેક્ષ કર્મોપાધિ રે ! સંસારવાસી જીવનઇ જિમ, જનમ-મરણહ વ્યાધિ રે / બહુ / ૬-૬ ટબો - કર્મોપાધિસાપેક્ષ અનિત્યઅશુદ્ધપર્યાયાર્થિક એ છઠ્ઠો ભેદ. જિમ “સંસારવાસી જીવનમાં જનમ મરણ વ્યાધિ કઈ ઈમ કહિએ. ઈહાં જન્માદિક પર્યાય જીવના કર્મ સંયોગજનિત અશુદ્ધ છે. તે કહિયા તે જન્માદિક પર્યાય છઈ તો તેહના નાશનઈ અર્થઈ મોક્ષાર્થઈ જીવ પ્રવર્તઇ છઇ. / ૬-૬ છે. સમાધાન - તેઓશ્રીને નયચક્રની જે હસ્તપ્રત મળી હશે એમાં લહિયાની ભૂલથી અનિત્ય'ના સ્થાને નિત્ય” શબ્દ આવી ગયો હોય... ને એને અનુસરીને... તેઓશ્રીએ પણ નિત્ય' શબ્દ રાખ્યો હોય.. આ કે આવું કાંઈપણ અન્ય કારણ સંભવી શકે છે. ૭૮ ગાથાર્થ - કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય એ છઠ્ઠો ભેદ છે. જેમકે સંસારવાસી જીવને જન્મ-મરણ-વ્યાધિ હોય છે... આવું બોલનાર નય. || ૬-૬ | વિવેચન – “સંસારવાસીજીવને જન્મ-મરણ-વ્યાધિ છે' આવું જે કહીએ છીએ એમાં જીવના જન્મ વગેરે પર્યાય કર્મસંયોગજન્ય છે ને કર્મથી સોપાધિક છે, માટે જ અશુદ્ધ છે. વળી કર્મના ઉદય પ્રતિક્ષણ બદલાતા રહેતા હોય છે... એટલે કર્મોપાધિજન્ય પર્યાયો પણ પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોય છે.. ને તેથી ક્ષણિક-અનિત્ય હોય છે. એટલે આ જન્માદિ પર્યાયો કર્મોપાધિસાપેક્ષ છે, અનિત્ય છે અને અશુદ્ધ છે. તેથી એને જોનાર નય, કર્મોપાધિસાપેક્ષ-અનિત્ય-અશુદ્ધ પર્યાય છે અર્થ(=વિષય)જેનો એવો કપાધિસાપેક્ષઅનિત્યઅશુદ્ધપર્યાયાર્થિકાય છે. અહીં ક્ષણિક-અનિત્યપર્યાય જ વિષય તરીકે છે, માટે આ પર્યાયાર્થિકનય પોતે અશુદ્ધ નથી... પણ એના વિષયભૂત પર્યાય જ અશુદ્ધ છે. માટે “અશુદ્ધ એ નયનું નહીં, પણ પર્યાયનું વિશેષણ છે. - પાંચમા પ્રકારના નયથી જોવાથી. “ઓહો હો.. મારા પણ જાજવલ્યમાન કેવલજ્ઞાન વગેરે પર્યાયો છે..” એ ખ્યાલમાં-સંવેદનમાં આવે છે. ને છઠ્ઠા પ્રકારના નયથી જોવાથી, વર્તમાનમાં કર્મોએ મારાં જન્મ-મરણ-અજ્ઞાન-ક્રોધ-દુ:ખ વગેરે કેવા ઉપાધિરૂપ-કદર્થનાનાલેશીભર્યા પર્યાય કર્યા છે એ ખ્યાલમાં આવે છે ને તેથી પછી આ સોપાધિક-દર્દભર્યા પર્યાયોના નાશ માટે ને શુદ્ધપર્યાયની-મોક્ષની પ્રાપ્તિ માટે જીવ ઉદ્યમશીલ બને છે. આમ નયચક્ર વગેરેમાં કહેલા પર્યાયાર્થિકનયના દિગંબરમાન્ય ૬ પ્રકારો કહ્યા. પ્રશ્ન - દ્રવ્યાર્થિકનયના દસ ભેદ કર્યા તો પર્યાયાર્થિકનયના કેમ માત્ર ૬ જ ભેદ કર્યા? ઉત્તર - આ પ્રશ્નનો સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કરીને જવાબ આપવો જોઈએ. મને એ | વિચારણા નીચે મુજબ લાગે છે Page #240 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૬ સૌપ્રથમ આપણે એ વિચારી લઈએ કે દ્રવ્યાર્થિકનય દ્રવ્યને, દ્રૌવ્યાંશને, દ્રવ્ય-ગુણપર્યાયના અભેદને અને અન્વયને (= ઊર્ધ્વતાસામાન્યને) જોનાર છે. જ્યારે પર્યાયાર્થિકનય પર્યાયને, ઉત્પાદ-વ્યયાંશને, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને અને અન્વયજૂન્યતાને (= પૂર્વોત્તરક્ષણભાવી પર્યાયોને બિલકુલ સ્વતંત્ર-એકદમ ક્ષણિક) માનનારો છે. એટલે જે દ્રવ્યાર્થિકનય ધ્રૌવ્યાંશને માનતો હોય એને સમકક્ષ પર્યાયાર્થિકનય એને જ કહેવાય જે ઉત્પાદ-વ્યયાંશને (અનિત્યત્વાંશને) માનતો હોય. એમ અભેદને જોનાર દ્રવ્યાર્થિકનો સમકક્ષ પર્યાયાર્થિકનય એ જ બની શકે છે ભેદને જોતો હોય. આ પાયાના સિદ્ધાંતને નજરમાં રાખીને નીચેની વિચારણા છે. એ પણ અહીં જાણી લેવા જેવું છે કે, ભેદ-અભેદની બાબતમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જેમ પરસ્પરવિરુદ્ધ જેવા છે (દ્રવ્યાર્થિક અભેદગ્રાહી છે તો પર્યાયાર્થિક ભેદગ્રાહી છે.) એવું કપાધિસાપેક્ષ-નિરપેક્ષ બાબતમાં નથી... અર્થાત્ બેમાંથી એક કર્મોપાધિસાપેક્ષતાને ગ્રહણ કરનાર છે ને બીજો નિરપેક્ષતાને ગ્રહણ કરનાર છે, એવું નથી. બન્ને બન્નેનું ગ્રહણ કરનાર છે. તે પણ એટલા માટે કે દ્રવ્ય પણ કર્મોપાધિને સાપેક્ષ-નિરપેક્ષ બન્ને હોય છે અને એની અવસ્થારૂપ પર્યાયો પણ બન્ને પ્રકારે સંભવે છે. (૧) કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય. આ પ્રથમ પ્રકારની સમકક્ષ છે કર્મોપાધિનિરપેક્ષ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય.. એવો પર્યાયાર્થિકનો પાંચમો ભેદ. આ વાત એકદમ સ્પષ્ટ છે જ. (૨) ઉત્પાદવ્યયનિરપેક્ષશુદ્ધદ્રવ્યાર્થિકનયને સમકક્ષ છે સત્તાનિરપેક્ષ ઉત્પાદવ્યયગ્રાહીઅનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય એવો ત્રીજો ભેદ. આ પણ સ્પષ્ટ જ છે. (૩) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયને સમકક્ષ અભેદકલ્પનાનિરપેક્ષ ભેદગ્રાહી શુદ્ધપર્યાયાર્થિકનય કહેવો પડે, પણ આવો નય સંભવિત નથી, એ વાત આગળ ઉપનયની વિચારણામાં જોઈશું. (૪) કપાધિસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનય.. આ ચોથા પ્રકારને સમકક્ષ છે કર્મોપાધિસાપેક્ષઅનિત્યઅશુદ્ધપર્યાયાર્થિકનય.. એવો છઠ્ઠો ભેદ. ચોથા દ્રવ્યાર્થિકમાં ક્રોધાત્મા... વગેરે ઉદાહરણ હતા.. તો છઠ્ઠા પર્યાયાર્થિકમાં માત્મનઃ શોધઃ એ ઉદાહરણ બની શકે છે. આ વાત સ્પષ્ટ છે. (૫) ઉત્પાદવ્યયસાપેક્ષસત્તાગ્રાહી અશુદ્ધદ્રવ્યાર્થિકનય... આ પાંચમા પ્રકારને સમકક્ષ છે સત્તાસાપેક્ષ (ઉત્પાદત્રયગ્રાહી) અનિત્યઅશુદ્ધપર્યાયાર્થિકનય એવો ચોથો ભેદ.. આ વાત સ્પષ્ટ છે, કારણ કે દ્રવ્યાર્થિકનયમાં એક સમયમાં દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેલું. ચોથા પર્યાયાર્થિકમાં એક સમયમાં પર્યાયને ત્રયાત્મક કહેલો છે. (૬) ભેદકલ્પનાસાપેક્ષ (અભેદગ્રાહી) અશુદ્ધદ્રવ્યાર્થિકનય.. આને સમકક્ષ પર્યાયાર્થિક નય મળી શકે નહીં. કારણ કે અહીં અભેદકલ્પનાસાપેક્ષ ભેદગ્રાહી અશુદ્ધપર્યાયાર્થિક નય લેવો પડે. પણ આવો નય સંભવતો નથી... આ વાત આગળ ઉપનયની વિચારણામાં જોઈશું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ ઢાળ-૬ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (૭) અન્વયદ્રવ્યાર્થિકનય-આ નય મૃદ્રવ્ય વગેરે રૂપ ઊર્ધ્વતાસામાન્યને જુએ છે. એટલે પર્યાયાર્થિક નયે પિંડ-સ્થાસઆદિ વ્યક્તિઓને જોવી પડે...એટલે એનો સમાવેશ પર્યાયાર્થિકના ત્રીજા સત્તાનિરપેક્ષ ઉત્પાદ-વ્યયગ્રાહી અનિત્ય શુદ્ધપર્યાયાર્થિકનયમાં થઈ જાય છે. (૮-૯) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક અને પરદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિક.. આ બન્નેને સમકક્ષ બને એવો પર્યાયાર્થિક નય સંભવે નહીં... સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું ગ્રહણ કરવું એટલે ઘટમાં મૃત્મયત્વ, અમદાવાદીપણું, શિશિરજન્યત્વ, શ્યામવર્ણાદિ જોવા.. પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવનું ગ્રહણ કરવું એટલે ઘટમાં સુવર્ણમયત્વ, વાપીયાપણું, ગ્રીષ્મજન્યત્વ, રક્તવર્ણાદિને નાસ્તિત્વેન જોવા... આ મૃખ્યમત્વ, અમદાવાદીપણું વગેરે કે સુવર્ણમયત્વ - વાપીયાપણું વગેરે.. બધું પર્યાયસ્વરૂપ છે અને પર્યાય તો દ્રવ્યના જ હોય છે, પર્યાયના હોતા નથી... એટલે ઘટદ્રવ્યના મૃત્મયત્વાદિ સ્વપર્યાય અને સુવર્ણમયત્વાદિ પરપર્યાય... એમ કહી શકાય છે, ને એને આગળ કરીને અસ્તિત્વ-નાસ્તિત્વ કહી શકાય છે... પણ એ રીતે મૃત્મહત્વાદિ પર્યાય માટે કહી શકાતું નથી.... મૃન્મયત્વ એ મૃન્મયત્વ જ છે... એને માટે સ્વ-પરપર્યાય જેવું કાંઈ હોતું નથી... એટલે એ અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વનો પણ વિચાર ન હોવાથી એવા પર્યાયાર્થિકનય મળી શકતા નથી. (૧૦) પરમભાવગ્રાહકદ્રવ્યાર્થિકાય. દ્રવ્યમાં અનેક ભાવો હોય છે. એટલે એમાં કોઈક પરમભાવ હોય ને એને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનય સંભવી શકે. પર્યાય તો ઉપર કહ્યા મુજબ પોતે પર્યાયરૂપ જ છે. એમાં અનેક ભાવો હોય અને એ અનેકભાવોમાંથી કોઈ એક પરમભાવ હોય. આવું બધું સંભવિત જ ન હોવાથી દ્રવ્યાર્થિકના આ દસમા પ્રકારને સમકક્ષ કોઈ ભેદ પર્યાયાર્થિકનો મળી શકે નહીં, એ જણાય છે. આમ, દ્રવ્યાર્થિકના ત્રીજા-છઠ્ઠા-આઠમા-નવમા-દસમા ભેદને સમકક્ષ પર્યાયાર્થિક કોઈ નય મળી શકતા નથી અને બાકીના ભેદને સમકક્ષ પર્યાયાર્થિકના ૩ થી ૬ પ્રકારો છે એ આપણે જોયું.. પર્યાયાર્થિકના પ્રથમ બે નય અનાદિનિત્યપર્યાયાર્થિક અને સાદિનિત્યપર્યાયાર્થિક.. આ બે નયમાં કોઈ દ્રવ્યાર્થિકનયના સમકક્ષ પ્રકારનો સમાવેશ થતો નથી... એટલે માનવું પડે કે આ બેનો પણ કોઈ દ્રવ્યાર્થિકનયના સમકક્ષ પ્રકારમાં સમાવેશ થતો ન હોવો જોઈએ. || ૭૯ || “નયચક્ર' ગ્રંથમાં પર્યાયાર્થિકનયના છ ભેદને સમજાવનારી ગાથાઓ ૧૯૯ થી ૨૦૪ છે. તે આ પ્રમાણે છે - अक्किट्ठिमा अणिहणा, ससिसूराईण पजया गाही । जो सो अणाइणिच्चो, जिणभणिओ पज्जयत्थि णओ ।। १९९ । कम्मखयादुप्पण्णो, अविणासी जो हु कारणाभावे । इदमेवमुच्चरंतो भण्णइ सो साइणिच्च णओ ।। २०० ।। Page #242 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૬ ૨૨૩ सत्ता अमुक्खरूवे, उप्पायवयं हि गिण्हए जो हु । सो हु सहावाणिच्चो, गाही खलु सुद्धपज्जाओ ।। २०१ ।। जो गहइ एयसमये, उप्पादव्वयधुवत्तसंजुत्तं । सो सब्भावाणिच्चो, असुद्ध पजयत्थिओ णेओ ।। २०२ ।। देहीणं पज्जाया सुद्धा, सिद्धाण भणइ सारिच्छा । जो सो अणिच्चसुद्धो, पज्जयगाही हवे स णओ ।। २०३ ।। भण्णइ अणिच्चासुद्धा, चउगइजीवाण पज्जया जो हु । होइ विभावअणिच्चो असुद्धओ पज्जयत्थि णओ ।। २०४ ।। તથા દિગંબરાસ્નાયમાં દેવસેન “આચાર્યકૃત આલાપ પદ્ધતિમાં પણ દ્રવ્યાર્થિકનયના ૧૦ અને પર્યાયાર્થિકનયના છ ભેદ જણાવેલા છે. તે પાઠ આ પ્રમાણે છે - नयभेदा उच्यन्ते - णिच्छयववहारणया, मुलिमभेया णयाण सव्वाणं । णिच्छयसाहणहेऊ, दव्वपज्जत्थिया मुणह ।। ३ ।। द्रव्यार्थिकः, पर्यायार्थिकः, नैगमः, संग्रहः, व्यवहारः ऋजुसूत्रः, शब्दः, समभिरूढ : एवम्भूत इति नव नयाः स्मृताः । उपनयाश्च कथ्यन्ते । नयानां समीपा उपनयाः । सद्भूतव्यवहारः, असद्भूतव्यवहारः, उपचरितासद्भूतव्यवहारश्चेत्युपनयास्त्रेधा । इदानीमेतेषां भेदा उच्यन्ते । द्रव्यार्थिकस्य दश भेदाः कर्मोपाधिनिरपेक्षः शुद्धद्रव्यार्थिको यथा संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा । उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धः द्रव्यार्थिको यथा द्रव्यं नित्यम् । भेदकल्पनानिरपेक्ष: शुद्धद्रव्यार्थिको यथा निजगुणपर्यायस्वभावाद् द्रव्यमनित्यम्। कर्मोपाधिसापेक्षोऽशुद्धद्रव्यार्थिको यथा, क्रोधादिकर्मजभाव आत्मा । उत्पादव्ययसापेक्षोऽशुद्धद्रव्यार्थिको यथैकस्मिन् समये द्रव्यमुत्पादव्ययध्रौव्यात्मकम् । भेदकल्पनासापेक्षोऽशुद्धद्रव्यार्थिको यथा आत्मनो ज्ञानदर्शनादयो गुणाः । अन्वयद्रव्यार्थिको यथा गुणपर्यायस्वभावं द्रव्यम् । स्वद्रव्यादिग्राहकद्रव्यार्थिको यथा स्वद्रव्यादिचतुष्ट यापेक्षया द्रव्यमस्ति । परद्रव्यादिग्राहकद्रव्यार्थिको यथा परद्रव्यादिचतुष्ट यापेक्षया द्रव्यं नास्ति । परमभावग्राहकद्रव्यार्थिको यथा ज्ञानस्वरूप आत्मा। अत्रानेकस्वभावानां मध्ये ज्ञानाख्यः परमस्वभावो गृहीतः। इति द्रव्यार्थिकस्य दश भेदाः । अथ पर्यायार्थिकस्य षड्भेदा उच्यन्ते - अनादिनित्यपर्यायार्थिको यथा पुद्गलपर्यायो नित्यो मेर्वादिः । सादिनित्यपर्यायार्थिको यथा सिद्धपर्यायो नित्यः । सत्तागौणत्वेनोत्पादव्ययग्राहिकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिको यथा समयं समयं प्रति पर्याया विनशिनः । सत्तासापेक्षस्वभावोऽनित्याशुद्धपर्यायार्थिको यथा एकस्मिन् समये त्रयात्मकः पर्यायः । कर्मोपाधिनिरपेक्षस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिको यथा सिद्धपर्यायसदृशाः शुद्धाः संसारिणां पर्यायाः। कर्मोपाधिसापेक्षस्वभावोऽनित्याशुद्धपर्यायार्थिको यथा-संसारिणामुत्पत्तिमरणे स्तः । इति पर्यायार्थिकस्य पड्भेदाः ।।७९ ।। Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઢાળ-૬ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ બહુમાનગ્રાહી કહિઓ નૈગમ, ભેદ તસ છો તીન રે | વર્તમાનારોપ કરવા, ભૂત અર્થઈ લીન રે બહુo | ૬-૭ | ટબો - બહુમાન કહતાં ઘણાં પ્રમાણ “સામાન્ય વિશેષ જ્ઞાન રૂપ” તેહનો ગ્રાહી નૈગમનય કહિછે, નૈ ર્ષિનોતિ રૂતિ તૈયામ:, વારાપાત્ ઐરામ તિ વ્યુત્પત્તિ આપ દિગંબર પ્રક્રિયાનુસારે દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદ જોયા... હવે એમના જ મત મુજબ નૈગમાદિ ૭ નયોનું નિરૂપણ કરે છે - ગાથાર્થ - નૈગમનય પદાર્થનો અનેક રીતે બોધ કરનાર છે. તેના ૩ ભેદ છે. એમાં ભૂતકાલીન પદાર્થમાં વર્તમાનનો આરોપ કરવો એ પ્રથમ ભેદ છે. વિવેચન - બહુમાન કહતાં.. સામાન્ય-વિશેષ જ્ઞાનરૂપ અનેક પ્રમાણથી જે વસ્તુને જુએ છે તે નગમનાય છે. “ મિનીતિ’ રૂતિ નૈTE: અનેક પ્રમાણથી વસ્તુને જાણે - જુએ તે નકગમ.. પછી “ક”નો લોપ થવાથી નૈગમ શબ્દ બન્યો છે. અથવા નિગમ એટલે દેશ... જુદા-જુદા દેશમાં જે શબ્દ પ્રયોગો-વ્યવહાર થાય છે.... એને સંગત કરનાર નય એ નૈગમનય. શંકા - લોકમાં થતા વ્યવહારને તો વ્યવહારનય અનુસરે છે... પછી નૈગમનની શી જરૂર છે? સમાધાન - લોકમાં જેનો જેવો વ્યવહાર રૂઢ થયેલો હોય એને અનુસરનાર તો વ્યવહારનય છે જ. પણ આ વ્યવહારથી જુદી રીતે પણ ક્યારેક કોઈક પરિસ્થિતિવશાત્ કે એવા ચોક્કસપ્રકારના અભિપ્રાયવશાત્ શબ્દપ્રયોગો થતા હોય છે. ને એ વખતે એવા શબ્દપ્રયોગોને શિષ્ટો પણ માન્ય કરતા હોય છે... “તું જુઠું બોલે છે..” એ રીતે નકારતા નથી. એટલે એ પ્રયોગની સંગતિ તો કરવી જ પડે. એ વ્યવહારનયથી થઈ શકતી નથી... માટે નૈગમનયથી થાય છે. જેમકે પ્રસ્થક બનાવનાર કારીગર.... એના જ વિચારમાં રમમાણ હોય.. અથવા એકદમ તત્કાળ ઝડપથી પ્રસ્થક બનાવવાનો પ્રસ્તાવ હોય. આવા બધા અવસરે હજુ જંગલમાં કાષ્ઠ લેવા જઈ રહ્યો ત્યારે પણ મનના વિચારવશાત્ એ પ્રસ્થક લેવા જાઉં છું... એમ બોલે છે. ને શિષ્ટ શ્રોતાઓ એનો અભિપ્રાય સમજી જાય છે. આ વાક્યપ્રયોગને નિષેધતા નથી. વ્યવહારનયથી તો આની સંગતિ થઈ શકતી નથી. કારણ કે પ્રસ્થક બરાબર તૈયાર થયા પછી જ વ્યવહારનય એનો પ્રસ્થક તરીકે વ્યવહાર કરે છે. ને વાત પણ બરાબર છે. એ કારીગર કાષ્ઠ લાવ્યા પછી જરા આઘોપાછો ગયો હોય ને કાષ્ઠ પડયું હોય તો ત્યાં આવી ચડેલ કોઈ શિષ્ટ પુરુષ એને પ્રચક તરીકે ઓળખી શકતો પણ નથી કે કહેતો પણ નથી. એમ લાકડું માપ પ્રમાણે કાપવું - છોલવું - કોરવું વગેરે.. અવસ્થામાં Page #244 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૮ ૨૨૫ નૈગમનયના ૩ ભેદ છઇ, પ્રથમ નૈગમ ભૂતાર્થઇ વર્તમાનનો આરોપ કરવાનઇ લીન કહતાં તત્પર છઇ. || ૬-૭ || ભૂત નૈગમ કહિઓ પહિલો, દિવાળી દિન આજ રે । યથા સ્વામી વીર જિનવર, લહીઆ શિવપુર રાજ રે | બહુ૦ ૬-૮ || ટબો - તે પ્રથમભેદનું ઉદાહરણ દેખાડઇ છઇ જિમ કહિó - આજ દીવાલી દિનનઇ વિષઇ શ્રી મહાવીર શિવપુરનું રાજ્ય પામ્યા.' ઇહાં - અતીત દીવાલી દિનનઇ પણ એનો પ્રસ્થક તરીકે વ્યવહારનય વ્યવહાર કરતો નથી... પણ ક્યારેક કોઈક વ્યક્તિ દ્વારા એવો વ્યવહાર થતો હોય છે... આ બધાની સંગતિ નૈગમનય કરે છે. જે કાષ્ઠખંડનો નૈગમ પ્રસ્થક તરીકે ઉલ્લેખ કરે છે, બરાબર એ જ સાઈઝનો, એ જ વર્ણનો એ જ જાતિના કાષ્ઠનો અન્ય ટુકડો કે જેમાંથી પ્રસ્થક બનાવવાનો વિચાર નથી પણ બીજું કંઈક બનાવવાનું છે. તો બધી રીતે તુલ્ય એવા પણ એ કાષ્ઠ ટુકડાનો ‘પ્રસ્થક' તરીકે વ્યવહાર કરાતો નથી... હવે બીજી જે કાંઈ ચીજ બનાવવાની છે એની પણ પ્રક્રિયાના પ્રથમ ત્રણ ચાર ચરણ પ્રસ્થક બનાવવાની પ્રક્રિયાને સમાન જ છે.. ને પછી પ્રક્રિયા બદલાઈ જાય છે... આવું હોય ને એ ત્રણ ચાર ચરણની પ્રક્રિયા એ બીજા ટુકડા પર થઈ ગઈ છે.. તો હવે એની જે નવી અવસ્થા હશે તે પ્રસ્થકની નજીકની અવસ્થા છે... ને પ્રથમ ટુકડો તો હજુ એમ જ પડ્યો હોવાથી એ પ્રસ્થકની દૂરની અવસ્થામાં છે... છતાં પ્રથમ ટુકડાનો પ્રસ્થક તરીકે ઉલ્લેખ કરશે.. પણ બીજા ફક્ત ૩ - ૪ પ્રક્રિયા સંપન્ન કાષ્ઠનો નહીં... એટલે જણાય છે કે અનેક પ્રકારના ધારાધોરણ એ ધરાવે છે. - - – આ નૈગમના ૩ પ્રકાર છે. ભૂતનૈગમ, ભાવીનૈગમ, વર્તમાનનૈગમ. (૧) ભૂતનૈગમ આ પ્રથમ પ્રકાર ભૂતકાલીન પદાર્થમાં વર્તમાનનો આરોપ કરવા માટે તત્પર છે. આનું ઉદાહરણ આગળની ગાથામાં આવે છે. ॥ ૮૦ | ગાથાર્થ - ભૂતનૈગમ એ પ્રથમ ભેદ છે. જેમકે વર્તમાનમાં દિવાળીના દિવસે એમ કહેવાય છે કે આજે શ્રીવી૨૫૨માત્મા શિવપુરરાજ્ય પામ્યા. || ૬-૮ | વિવેચન - તે પ્રથમભેદનું.. નૈગમનયના પ્રથમભેદ ભૂતનૈગમનું ઉદાહરણ દેખાડે છે ધારો કે આજે દિવાળીનો દિવસ છે. તો લોકમાં એવો ઉલ્લેખ થાય છે કે ‘આજે દિવાળીએ શ્રીમહાવીરપ્રભુ શિવપુરરાજ્ય પામ્યા...' વસ્તુતઃ આજથી લગભગ ૨૫૩૧ વર્ષ પૂર્વે જે દિવાળીદિન હતો તે દિવસે પ્રભુ મોક્ષ પામ્યા છે. બોલનાર અને સાંભળનાર બન્ને આ હકીકત જાણે છે. છતાં, બોલનાર બોલે છે કે ‘આજે શ્રીવીરપ્રભુ મોક્ષ પામ્યા...' ને સાંભળનાર આ વાતને સ્વીકારે છે. એટલે સ્પષ્ટ છે કે વર્તમાન દિવાળીના દિવસમાં ભૂતકાલીન દિવાળીનો આરોપ કરવામાં આવ્યો છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઢાળ-૬ : ગાથા-૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિષઈ વર્તમાન દીવાલી દિનનો આરોપ કરિઇ છઇ, વર્તમાન દિનનઈ વિષય ભૂતદિનનો આરોપ કરિઈ, દેવાગમનાદિમહાકલ્યાણભાજન–પ્રતીતિપ્રયોજનનાં અર્થિ, જિમ પ્રશ્ન - અહીં ટબામાં-“અતીત દિવાલી દિનનઈ વિષઈ વર્તમાનદિવાલી દિનનો આરોપ કરિઇ છઇ..' આવું જે વાક્ય છે તેનો અર્થ આ છે કે, “અતીતદિવાળીદિનમાં વર્તમાનદિવાળીદિનનો આરોપ કરાય છે' વળી, પછીનું વાક્ય છે ‘વર્તમાનદિનનો વિષય છે ભૂતદિનનો આરોપ કરિઇ' આનો અર્થ છે-વર્તમાન (દિવાળીના) દિનમાં ભૂતદિનનો (૨૫૩૧ વર્ષ પૂર્વની દિવાળીનો) આરોપ કરાય છે. અને ૬-૭મી ગાથાની ટબાની છેલ્લી પંક્તિ હતી “પ્રથમ નૈગમ ભૂતાર્થી વર્તમાનનો આરોપ કરવાનઈ લીન કહતા તત્પર છઈ...' આનો અર્થ છે : પ્રથમવૈગમનય ભૂતકાલીન પદાર્થમાં (ઘટનામાં) વર્તમાનનો આરોપ કરવામાં તત્પર છે. અર્થાત્ અતીતકાળમાં વર્તમાનકાળનો આરોપ, વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ અને અતીતપદાર્થમાં વર્તમાનતાનો આરોપ... આમ ત્રણ અર્થ મળ્યા. તો પ્રસ્તુતમાં કયો અર્થ અભિપ્રેત છે ? અથવા ત્રણે અર્થ અભિપ્રેત છે ? ઉત્તર - અહીં ત્રણે અર્થ અભિપ્રેત છે. અર્થાત્ ત્રણે રીતનો આરોપ થઈ શકે છે ને શિષ્ટ પુરુષોને માન્ય બને છે. નીચે મુજબ વાક્યપ્રયોગોમાં એ આરોપ જાણવા.. (૧) આજે દિવાળીએ પ્રભુવીર મોક્ષ પામ્યા. પ્રભુવીર આજે મોક્ષ પામ્યા... આવા બધા વાક્યમાં પ્રભુના નિર્વાણગમનરૂપ અતીત પદાર્થમાં વર્તમાનતાનો આરોપ છે. (૨) આજનો દિવસ એટલે ? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ... આવા વાક્યમાં વર્તમાનકાળમાં (વર્તમાન દિવાળી દિનમાં) અતીતકાળનો (અતીત દિવાળી દિનનો) આરોપ છે. (૩) પ્રભુવીર જે દિવસે નિર્વાણ પામ્યા.. તે આજનો (દિવાળી) દિન હતો. આવા વાક્યમાં અતીતકાળમાં (અતીત દિવાળી દિનમાં) વર્તમાનકાળનો (વર્તમાન દિવાળી દિનનો) આરોપ છે. આવા બધા વાક્યપ્રયોગો ભૂતનગમને માન્ય છે. પ્રશ્ન - “પ્રભુવીર આજથી લગભગ ૨૫૩૧ વર્ષ પૂર્વના દિવાળી દિને નિર્વાણ પામ્યા.' આમ સીધેસીધું કહી દેવું જોઈએ ને ! આવા આરોપવાળા વાક્યપ્રયોગની શી જરૂર છે ? પ્રશ્ન - Tiાતીરે પોષ: આમ વક્તા બોલી જ શકે છે. છતાં કયાં પોષઃ એવું બોલીને પછી ગંગાતીરમાં ગંગાનો ઉપચાર શા માટે કરે છે ? ઉત્તર - ગંગા નદીમાં જેવી શીતલતા - પવિત્રતા છે એવી શીતલતા - પવિત્રતાની ઘોષમાં પણ પ્રતીતિ થાય એ માટે એવો પ્રયોગ કરે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-દ : ગાથા-૯-૧૦ ‘ડ્રામાં ઘોષ:' ઇહાં ગંગાતટનઇ વિષયઇ ગંગાનો આરોપ કીજઇ છઇ, શૈત્યપાવનત્વાદિ પ્રત્યાયન પ્રયોજન ભણી, તો ઇ ઘટમાન છઇ. જો વીરસિદ્ધિગમનનો અન્વય ભક્તિભણી પ્રાતીતિક માનિઇ. એ અલંકારના જાણ પંડિત હોઇ, તે વિચારજો. ॥ ૬-૮ ॥ કહઇ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે । સિદ્ધવત્ છઇ વર્તમાનઇ, કાંઇ સિદ્ધ અસિદ્ધ રે । બહુ૰ || ૬-૯ || ભાષિઇ જિમ ‘ભક્ત પચિદં' વર્તમાનારોપ રે । ભૂતવત્ કરઇ કિરિયા ભૂત લેઇ, ભૂત વચન વિલોપ રે || બહુ॰ || ૬-૧૦ || ઉત્તર પ્રસ્તુતમાં પણ દેવાગમન વગેરે મહાકલ્યાણના ભાજનત્વની પાત્રતાની પ્રતીતિ થાય એ માટે આવો પ્રયોગ કરાય છે. આશય એ છે કે તમે કહ્યું એ મુજબ જ જો કહેવામાં આવે કે આજથી લગભગ ૨૫૩૧ વર્ષ પૂર્વે દિવાળીએ પ્રભુ મોક્ષ પામ્યા... તો તો ‘આજનો દિવાળીનો દિન (= વીરપ્રભુના નિર્વાણકલ્યાણકનો દિન) પણ મહાકલ્યાણનું ભાજન છે' વગેરે પ્રતીતિ થઈ શકતી નથી... એના બદલે આજનો દિવસ એટલે ? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ !' આ રીતે બોલવામાં આવે તો આજના દિવસ માટે દિલમાં ઊંચા ભાવો ઉછળે જ... ‘આજે પ્રભુનું નિર્વાણ થયું ! દેવલોકમાંથી ઇન્દ્રો ઉતરી આવ્યા... દેવો દોડી આવ્યા... મહા ઉદ્યોત થયો... પ્રભુના દર્શન કર્યા... સ્તુતિઓ થઈ... ખૂબ ભક્તિપૂર્વક નિર્વાણકલ્યાણકની ઉજવણી કરી... આ હા હા... આજનો દિવસ કેવો મહિમાવંતો દિવસ... લાવ.. હું પણ પ્રભુના નિર્વાણકલ્યાણકની આરાધના કરું... દેવવંદન કરું... જાપ કરું...' પ્રભુ પ્રત્યે અનેરો ભક્તિભાવ ઉછળે જ. - ૨૨૭ પ્રભુ પ્રત્યે ભક્તિ ધરાવનાર દિલમાં તો... જાણે કે સાક્ષાત્ આજે જ પ્રભુ નિર્વાણ પામ્યા છે... દેવો-ઇન્દ્રો ઉતરી પડ્યા છે... નિર્વાણકલ્યાણક ઉજવી રહ્યા છે... વગેરે પ્રતીતિ (ભક્તિના પ્રભાવે) ઊભી થાય જ છે.. જે એ આત્માને ન્યાલ કરી દે છે... આવી બધી આરોપિતભાષા... કાવ્યાનુશાસનની પરિભાષામાં વિવિધ પ્રકારના અલંકાર કહેવાય છે... સાદી ભાષાથી દિલમાં જે ઊર્મિઓ નથી ઊઠતી એ અલંકારિકભાષાથી ઊઠે છે... સહજતાથી ઊઠે છે.. ને વિશિષ્ટ રીતે ઊઠે છે... આ વાત અલંકારના જાણકાર જે પંડિત હોય તેઓ વિચારજો. ॥ ૮૧ || ગાથાર્થ - ભાવી ઘટનાને ભૂતકાલીન ઘટનાની જેમ કહેનાર ભાવી નૈગમનય છે. જેમ કે ભવિષ્યમાં સિદ્ધ થનાર કેવલીને ‘સિદ્ધ' થઈ ગયા હોય એમ કહેવું.. કંઈક સિદ્ધ હોય અને કંઈક અસિદ્ધ હોય... એને વર્તમાનથી કહેવું એ વર્તમાનઆરોપ છે જેમ કે ‘ભોજન રાંધે છે’એવો વચનપ્રયોગ... અહીં, કેટલાક અંશમાં ક્રિયા અતીત થયેલી છે... અર્થાત્ ભૂતક્રિયા છે... એને નજરમાં લઈને ભૂતકાળનો પ્રયોગ થઈ શકે, પણ કરાતો નથી આ ભૂતપ્રત્યયનો વિલોપ થાય છે. ।। ૬-૯,૧૦ || Page #247 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૬ : ગાથા-૯-૧૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો ‘વિત્તિ ભૂતવવુપચાર:' એ બીજો નૈગમ, જિમ-જિનનઇ સિદ્ધ કહિતું, કેવલીનઇ સિદ્ધપણું અવશ્યભાવી છઇ, તે માર્ટિ. કાંઇ સિદ્ધ અનઇ કાંઇ અસિદ્ધનઇ વર્તમાન કહó તે વર્તમાનનૈગમ ભાષિઇ. ॥ ૬-૯ ॥ ૨૨૮ જિમ કહિ, ‘ભક્ત રોંધિઇ છઇ' ઇહાં ભક્તના કેતલાઇક અવયવ સિદ્ધ થયા છઇ, અનઈ કેતલાઇક (અવયવ) સાધ્યમાન છઇ. પણિ પૂર્વાપરિભૂતાવયવ ક્રિયાસંતાન એક બુદ્ધિ આરોપીનઇ તેહનઇ વર્તમાન કહિઇ છઇ, એ આરોપ સામગ્રી મહિમા કોઇ અવયવની ભૂતક્રિયા લેઇ. પતિ એ ઠામઇ સાક્ષીત્ એ પ્રયોગ નથી કરતા. જે નૈયાયિકાદિક ઇમ કહઇ છઇ જે ચરમક્રિયાÜસ અતીતપ્રત્યય વિષયઃ વિવેચન માનિ ભૂતવડુપવાર: આ બીજો નૈગમનય છે. જેમ કે જિનને સિદ્ધ કહેવા... જે ભવસ્થકેવલી છે તે હજુ સિદ્ધ થયા નથી... પણ અવશ્ય સિદ્ધ થવાના જ છે... આ જ ભવના અંતે થવાના છે... એટલે જાણે કે તેઓ સિદ્ધ થઈ ગયા જ ન હોય, એમ એમને સિદ્ધ કહેવા એ આ બીજા પ્રકારનો ભાવીનૈગમ છે. અધ્યાત્મકલ્પદ્રુમના તેરમા યતિશિક્ષોપદેશાધિકારના પ્રથમ શ્લોકમાં તે તીળાં મવવારિધિ મુનિવરા... જેઓનું ચિત્ત વિષયકષાયમાં રમતું નથી તે મુનિઓ ભવસમુદ્રને તરી ગયેલા છે... આમ ઉલ્લેખ કર્યો છે એ પણ આ નૈગમનું વચન જાણવું... - એનાથી વિષય-કષાયોને પરાસ્મુખ મુનિવરો પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ બહુમાનભાવ ઉભરાય છે અને વિષય-કષાયો પ્રત્યે સ્વયં પણ પરાભુખ બનવાના મનોરથ વધુ પ્રબળ બને છે. આવા પ્રયોજનથી આવો આરોપ થાય છે એ જાણવું. = કાંઇ સિદ્ધ અનઇ... હવે નૈગમનો ત્રીજો ભેદ સમજાવે છે. કંઈક અંશે જે સિદ્ધ થઈ ગયું છે (અર્થાત્ કંઈક અંશે ક્રિયા પૂરી થઈ ગઈ છે) અને કંઈક અંશે જે હજુ અસિદ્ધ છે... આવી પરિસ્થિતિમાં વર્તમાનનો ઉલ્લેખ કરવો એ વર્તમાનનૈગમ છે. જેમકે ભાત રાંધે છે’ આવો વાક્યપ્રયોગ. આમાં ભાતના કેટલાક અવયવ સિદ્ધ થયા છે સીઝી ગયા છે અને કેટલાક હજુ સાધ્યમાન છે સીઝી રહ્યા છે. એટલે કે જે સીઝી ગયા છે એને સીઝવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી ભૂતકાલીન બની ગઈ છે. બીજાની ચાલુ છે... પણ ઉલ્લેખ તો ઓવનું પતિ એમ વર્તમાનકાળનો જ થાય છે. જુદા જુદા અવયવોની અપેક્ષાએ આમ ભૂતકાલીન ક્રિયા.. વર્તમાનક્રિયા... આ રીતે ક્રિયાનો સંતાન પરંપરા ચાલે છે.. આ પૂર્વાપરીભૂત અવયવક્રિયાઓની પરંપરા... એ પરંપરાને એક બુદ્ધિમાં આરોપીને એ આરોપસામગ્રીના મહિમાઇ પ્રભાવે માત્ર વર્તમાનકાળનો પતિ એમ પ્રયોગ થાય છે. પણ જે અવયવ સીઝી ગયા છે એ અવયવની અતીતક્રિયાને નજરમાં રાખીને પતિ ના સ્થાને અપાક્ષીર્ (‘રાંધે છે’ના સ્થાને ‘રાંધ્યા’) એવો પ્રયોગ થતો નથી. આમ, સિદ્ધ અને સાધ્યમાન... આ બધાને નજરમાં રાખીને માત્ર વર્તમાનપ્રયોગ કરવો એ આ વર્તમાનનૈગમ છે. = = Page #248 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૯-૧૦ ૨૨૯ તેહનઈ - વિøિત્યમ, લિજ્જિતંત્ર એ પ્રયોગ ન થયો જોઇઈ, તે માર્ટિ એ વર્તમાનારોપ નૈગમ ભેદ જ ભલે જાણવો. | ૬-૧૦ || અહીં કેટલાક અવયવ જે લખ્યું છે તેનો અર્થ કેટલાક દાણા એવો ન કરવો. કારણ કે બે-ચાર દાણા પણ જો સીઝી ગયા હોય તો બધા જ સીઝી ગયા હોય. થોડા દાણા સીઝેલા છે ને થોડા બાકી છે... એવું હોતું નથી. માટે તે તે પ્રત્યેક દાણાનો કેટલોક ભાગ સીઝેલો છે ને કેટલોક હજુ સીઝી રહ્યો છે એવો અર્થ કરવો. માટે જ “અવયવ' શબ્દ વાપરેલો છે. દાણાનો છેડાનો ભાગ પાતળો હોવાથી જલ્દી સીઝતો હોય ને વચલો ભાગ જાડો હોવાથી મોડો સીઝ... આ શક્ય છે. નૈયાયિક - તમે જે કહો છો કે વર્તમાનનૈગમના પ્રભાવે આંશિક સીઝેલું હોય ત્યાં ભૂતકાળનો પ્રયોગ થતો નથી... આ બરાબર નથી... આશય એ છે કે ધારો કે એક દાણાને સીઝતા દસ ક્ષણ લાગે છે... દરેક ક્ષણે એ થોડો થોડો સીઝતાં દસ ક્ષણમાં આખો સીઝી જાય છે. એટલે કે દસ ક્ષણમાં દસ ક્રિયા દ્વારા એ સંપૂર્ણ સીઝે છે. હવે ધારો કે છઠ્ઠી ક્ષણ આવી છે. પાંચ ક્ષણની પાંચ ક્રિયાઓ અતીત થઈ ગઈ છે. એનાથી અમુક અંશ રંધાઈ ગયો છે. બાકીનો અંશ હજુ રંધાઈ રહ્યો છે... આ ક્ષણિક ક્રિયાઓની પરંપરા એક જ છે. બુદ્ધિમાં આ આખી પરંપરાનો એક ક્રિયા તરીકે આરોપ કરવામાં આવ્યો છે. હવે વર્તમાનકાળ વાપરવો કે ભૂતકાળ? તો તમારો નૈગમનય કહે છે કે ભૂતકાલીન ક્રિયામાં પણ વર્તમાનનો આરોપ કરીને બધી જ ક્રિયાને વર્તમાન માની વર્તમાનકાળનો પતિ એમ પ્રયોગ કરવો. પણ આવા આરોપની કોઈ જરૂર નથી. નૈગમનય - પણ જો આરોપ કરવામાં નહીં આવે તો ભૂતકાલીન ક્રિયાને નજરમાં લઈને અપાક્ષીત્ એવો પ્રયોગ પણ થવો જોઈએ ને... નૈયાયિક - ભૂતકાળના પ્રત્યયનો અર્થ છે ચરમક્રિયાäસ. એટલે દસક્ષણીય પ્રક્રિયાની દસમી ક્ષણિક ક્રિયા એ ચરમક્રિયા બનશે...એનો અગ્યારમી ક્ષણે ધ્વંસ થશે. એ ધ્વંસ થાય તો જ ભૂતકાળનો પ્રયોગ થઈ શકે. એ વગર નહીં. છઠ્ઠી ક્ષણે આ ચરમક્રિયાધ્વંસ થયો નથી, માટે ભૂતકાળનો પ્રયોગ થઈ શકતો નથી. એટલે એકથી દસમાંની કોઈપણ ક્ષણ હશે... બધો વર્તમાનકાળ જ છે ને સર્વત્ર વર્તમાનકાળનો જ પ્રયોગ થશે... અગ્યારમી ક્ષણથી જ ભૂતકાળનો પ્રયોગ થઈ શકે. નૈગમનય - છઠ્ઠી ક્ષણે કોઈ પૂછે કે ભાત રંધાઈ ગયા ? તો આવો પણ જવાબ અપાય છે કે શિશિર્વમ્ ચિત્વચેતે... તમે આની સંગતિ શી રીતે કરશો ? કારણ કે પર્વમ્ એ ભૂતકૃદન્ત હોવાથી એમાં ભૂતકાલીન પ્રત્યય વપરાયો છે, અને ચરમક્રિયાધ્વસ તો હજુ થયો નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-દ : ગાથા-૯-૧૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નૈયાયિક - ચરમક્રિયાÜસ ભલે નથી થયો... તત્તત્ક્ષણીયક્રિયાÜસ તો થયો જ છે ને ! એને નજરમાં રાખીને એ ભૂતપ્રત્યય વપરાયો છે, એમ સંગતિ કરીશું... નૈગમનય - એટલે ચરમક્રિયાÜસને ભૂતપ્રત્યય જણાવે છે, એ વાત તો ન જ રહી – ને ! અને છઠ્ઠી ક્ષણે પંચમક્ષણીયક્રિયાધ્વંસને નજરમાં રાખીને ભૂતપ્રત્યય વપરાતો હોય તો એને નજરમાં રાખીને અપાક્ષત્ એવો પણ પ્રયોગ થવો જોઈએ ને ! એટલે આ બધી વાતો બરાબર નથી... વર્તમાન આરોપ નૈગમનય માનવો જ ભલો ઉચિત તર્કસંગત છે. ૨૩૦ = = શંકા - થોડા ગંધાઈ ગયા છે... ને થોડા રંધાઈ રહ્યા છે...' આ પરિસ્થિતિ છે.... એમાં જે અંશે સંધાઈ ગયા છે... અર્થાત્ રંધાવાની ક્રિયા અતીત થઈ ગઈ છે... એ ક્રિયાને પણ જાણે કે હજુ થઈ રહી હોય એમ વર્તમાનતાનો આરોપ કરીને (અર્થાત્ થોડા રંધાઈ રહ્યા છે.. એને મહત્ત્વ આપી... રંધાઈ ગયા છે એમાં પણ રંધાઈ રહ્યા છે એ રીતે આરોપ કરી) બધા માટે સાધારણ રીતે પતિ ‘રંધાઈ રહ્યા છે’ એમ વાક્યપ્રયોગ કરો છો... તો એના બદલે ઊંધું કરો ને... રંધાઈ રહ્યા છે એનો પણ ‘રૂંધાઈ ગયા છે' એમાં જ આરોપ કરી બધા માટે અપક્ષીત્ રુંધાઈ ગયા છે... આવો જ પ્રયોગ કરો ને ! આવો પ્રયોગ કેમ નથી થતો ? સમાધાન આરોપ આડેધડ થતા હોતા નથી... પણ જેવી આરોપસામગ્રી હોય એ પ્રમાણે આરોપ થાય છે... શંકા આ આરોપ સામગ્રી શું છે ? સમાધાન - કંઈક વિશેષ અર્થની પ્રતીતિ કરાવવાનો અભિપ્રાય એ આરોપ સામગ્રી છે. જેમકે શૈત્ય-પાવનત્વની પ્રતીતિ કરાવવાનો અભિપ્રાય હોવાથી ગંગાતીરમાં ગંગાપ્રવાહનો આરોપ કરાય છે... મહાકલ્યાણભાજનત્વની પ્રતીતિ કરાવવા માટે આજના દિવાળી દિનમાં અતીત દિવાળી દિનનો આરોપ કરાય છે. પ્રસ્તુતમાં ભાત થોડે ઘણે અંશે સંધાઈ ગયા છે... પણ એટલા માત્રથી કાંઈ ખાવા યોગ્ય બની ગયા નથી... એટલે બુભુક્ષુને - ‘ભાઈ ! ધીરજ રાખ... હજુ તો ભાત રાંધે છે...' આવું જણાવવાનો અભિપ્રાય છે... એટલે, ‘રંધાઈ રહ્યા છે'નો ‘ધંધાઈ ગયા છે'માં આરોપ કરવાના બદલે ઊંધો આરોપ કરીને અપાક્ષીત્ રંધાઈ ગયા છે એમ કહેવામાં આવે તો તો એ તરત ખાવા માંગી જ લે... ને ધીરજ રખાવવાનો અભિપ્રાય સફળ ન થઈ શકે... માટે ઊંધો આરોપ કરીને અપાક્ષીદ્ પ્રયોગ થઈ શકતો નથી, પતિ એવો જ પ્રયોગ થાય છે. - શંકા તમે કહો છો કે અતીતક્રિયામાં વર્તમાનનો આરોપ થઈ શકે છે, પણ વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ થઈ શકતો નથી, ને તેથી ભૂતપ્રત્યવાળો અવાક્ષીત પ્રયોગ થઈ શકતો નથી. પણ યિમાાં તમ, જમાલિના દૃષ્ટાંતમાં સંસ્તીર્યમાં સંસ્કૃતમ્... આ - Page #250 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧૧ સંગ્રહઇ નય સંગ્રહો તે, દ્વિવિધ ઓઘ વિશેષ રે । ‘દ્રવ્ય સબ અવિરોધિયાં’ જિમ, તથા ‘જીવ અશેષ રે' ।। બહુo II૬-૧૧। બધામાં તો વર્તમાન ક્રિયામાં અતીતનો આરોપ થયેલો જ છે ને ? આશય એ છે કે સંથારો અમુક અંશે થઈ ગયો છે.. અમુક અંશે થઈ રહ્યો છે... તો આવા સ્થળે, ‘થઈ રહ્યો છે' એવી વર્તમાનક્રિયામાં પણ અતીતનો આરોપ કરીને સંપૂર્ણ થઈ જ ગયો ન હોય એમ સંસ્કૃતમ્ બોલાય છે. પછી વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ ન થઈ શકે એવું ક્યાં રહ્યું? સમાધાન વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ થઈ ન શકે... આવો કાંઈ અમે નિયમ બાંધતા નથી... અમે તો જેવી આરોપસામગ્રી મળે તદનુસાર આરોપ થાય... એ સિવાય આડેધડ નહીં...' આટલો જ નિયમ બાંધીએ છીએ. શંકા - સંસ્તીર્યમાં સંસ્કૃતમ્ માં શું આરોપ સામગ્રી છે? સમાધાન પીડાની આકૂળતાના કારણે-‘હજુ સંથારો થયો નથી?' એવી અધીરાઈ થયેલી છે.. એને ધરપત આપવી છે કે સંથારો થઈ જ ગયેલો સમજ. હવે વાર નહીં લાગે... આવો ધરપત આપવાનો અભિપ્રાય એ અહીં આરોપસામગ્રી છે... ને એ અભિપ્રાય વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ કરવાથી જ સફળ થઈ શકે એમ છે, અતીતક્રિયામાં વર્તમાનનો આરોપ કરવાથી નહીં... - ૨૩૧ - શંકા આરોપ કરવા માટે આવા નિયંત્રણની શી જરૂર છે? ઇચ્છા મુજબ કરી શકાય એવું માનવામાં શું વાંધો છે? સમાધાન તો પછી વર્તમાનકાળનો પ્રયોગ વગેરેમાં કોઈ નિયંત્રણ જ નહીં રહે... જે કાળ વગેરેનો પ્રયોગ કરવો હોય તે કરી શકાય... ને તેથી શ્રોતા પણ વક્તાના અભિપ્રાયને પકડી જ નહીં શકે. કારણ કે એને પણ યથેચ્છ જ અર્થ કરવાનો રહે અને તો પછી વચનવ્યવહારનું કશું પ્રયોજન જ ન રહે... પ્રયોજન સરી જ ન શકે... . એટલે નિશ્ચિત થયું કે આરોપસામગ્રીને અનુરૂપ જ આરોપ થઈ શકે છે અને તેથી સિદ્ધ અને સાધ્યમાન... એવી અવસ્થામાં પતિ એવો જ પ્રયોગ થાય છે. અપક્ષીત્ એવો નહીં... અપક્ષીત્ એવો પ્રયોગ કરવામાં બુભુક્ષુ ખાવા માગી લે એ જેમ આપત્તિરૂપ છે, એમ રાંધનારો રાંધવાની ક્રિયા જ બંધ કરી દે... એ પણ આપત્તિરૂપ છે, એ જાણવું... આમ ત્રણ પ્રકારે આરોપ થતા હોવાથી આરોપ કરનાર નૈગમનયના પણ ત્રણ પ્રકાર છે... એ આપણે જોયું. ॥ ૮૨-૮૩ || ગાથાર્થ - ઘણા પદાર્થોને સંગ્રહે તે સંગ્રહનય... તે બે પ્રકારે છે... ઓઘસંગ્રહ અને વિશેષસંગ્રહ, જેમકે બધા દ્રવ્યો અવિરોધી છે' તથા બધા જીવ અવિરોધી છે'. || ૬-૧૧|| Page #251 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૬ : ગાથા-૧૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો - જે સંગ્રહઇ, તે સંગ્રહનય કહિઇ. તેહના ૨ ભેદ, ઓઘ-વિશેષથી. ઓઘ કહિઇ સામાન્ય, એતલઇ એક સામાન્યસંગ્રહ, એક વિશેષસંગ્રહ, એવં ૨ ભેદ. દ્રવ્યાપ્તિ સર્વાણિ વિરોધીનિ' એ પ્રથમભેદનું ઉદાહરણ, તથા નીવા: સર્વેડવિìધિનઃ એ દ્વિતીયભેદનું ઉદાહરણ. ॥ ૬-૧૧ ॥ ૨૩૨ વ્યવહાર સંગ્રહ વિષયભેદક, તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે । દ્રવ્ય જીવાજીવ ભાષઈ, જીવ ભવિયા સિદ્ધ રે । બહુ૰ || ૬-૧૨ || ટબો - સંગ્રહનયનો જે વિષય તેહના ભેદનો દેખાડણહાર, તે વ્યવહારનય કહિઇ, તે તિમજ=સંગ્રહનયની પરિ દ્વિવિધ કહિઇ. એક સામાન્ય સંગ્રહભેદક વ્યવહાર ૧, એક વિવેચન - નૈગમનયના ત્રણ ભેદ કહી હવે સંગ્રહનય અને તેના પ્રકાર જણાવે છે. જે સર્વ સમાન પદાર્થોનો સંગ્રહ કરે તે સંગ્રહનય કહેવાય છે. કોઈપણ પદાર્થ અન્ય પદાર્થ કરતાં સર્વથા વિલક્ષણ હોતો નથી... કંઈક ને કંઈક સાદૃશ્ય = સમાનધર્મ = સામાન્ય દરેક પદાર્થમાં હોય જ છે... એટલે આ સામાન્યને નજ૨માં રાખીને જોવામાં આવે તો દરેક પદાર્થ એક સમાન દેખાય છે... એ પદાર્થોમાં પરસ્પર કોઈ વિરોધ-વિલક્ષણતા રહેતા નથી... એટલે સામાન્યરૂપે બધા પદાર્થોનો સંગ્રહ થઈ જાય છે... જેમકે ઘટત્વને આગળ કરીને જોવામાં આવે તો કોઈ ઘડો એવો રહી નહીં જાય જે એ જ્ઞાનનો વિષય ન હોય... એટલે બધા ઘડાઓનો એક જ જ્ઞાન દ્વારા સંગ્રહ થઈ ગયો...માટે આવું જ્ઞાન સંગ્રહનય કહેવાય છે. આ સંગ્રહનયના બે પ્રકાર છે... ઓધસંગ્રહ અને વિશેષસંગ્રહ... ઓઘ એટલે સામાન્ય... દ્રવ્યળિ સર્વાળિ અવિરોધીનિ... સર્વદ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ છે... આ પ્રથમભેદનું ઉદાહરણ છે.... આમાં સર્વદ્રવ્યોનો સંગ્રહ થઈ જાય છે... કોઈ જ દ્રવ્ય, ‘દ્રવ્ય’રૂપે જ્ઞાનનો વિષય ન બનતું હોય એવું સંભવિત નથી... આમ સામાન્યથી સર્વદ્રવ્યોનો-દ્રવ્યસામાન્યનો સંગ્રહ કરનાર હોવાથી આ સામાન્યસંગ્રહનય છે... તથા બધા જીવો અવિરોધી છે... અર્થાત્ જીવત્વેન બધા જીવોનો સંગ્રહ કરનાર નય એ સંગ્રહનયનો બીજો પ્રકાર છે... એ દ્રવ્યવિશેષ રૂપ જીવોનો સંગ્રહ કરનાર છે... માટે એને વિશેષસંગ્રહનય કહે છે. એમ પુદ્ગલત્વેન બધા પુદ્ગલોનો સંગ્રહ કરનાર સંગ્રહનય પણ વિશેષસંગ્રહનય છે... કારણ કે એના વિષયભૂત પુદ્ગલ પણ દ્રવ્યવિશેષરૂપ છે. ॥ ૮૪ ॥ ગાથાર્થ - સંગ્રહનયના વિષયનો ભેદ કરનાર જે નય છે તે વ્યવહારનય છે. એ પણ સંગ્રહની જેમ જ બે પ્રકારનો છે. દ્રવ્યોને જીવ અને અજીવરૂપે કહે છે... જીવોને સંસારી અને સિદ્ધ એમ બે પ્રકારના કહે છે. || ૬-૧૨ || વિવેચન - સંગ્રહનયનો... સંગ્રહનયના સમાનરૂપ વિષયનો ભેદ દેખાડનારો નય તે વ્યવહારનય કહીએ... આશય એ છે કે દરેક પદાર્થો જેમ સામાન્યરૂપ છે એમ દરેક પદાર્થો વિશેષરૂપ પણ છે જ... સામાન્યરૂપતા, પદાર્થોને સમાન બનાવે છે, તો Page #252 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧૩ ૨૩૩ વિશેષસંગ્રહભેદક વ્યવહાર ૨, એવં ૨ ભેદ જાણવા. “ચું નીવાવ' એ સામાન્યસંગ્રહભેદક વ્યવહાર, નવા સંસારિખઃ સિદ્ધિ એ વિશેષસંગ્રહભેદક વ્યવહાર. ઈમ ઉત્તરોત્તર વિવક્ષામાં સામાન્ય વિશેષપણું ભાવવું. . ૬-૧૨ / વર્તતો ઋજુસૂત્ર ભાસઈ, અર્થ નિજ અનુકૂલ રે | ક્ષણિક પર્યાય કહઈ સૂષિમ, મનુષ્યાદિક ભૂલ રે / બહુo || ૬-૧૩ // ટબો - ઋજુસૂત્રનય વર્તતો અર્થ ભાસઈ, પણિ-અતીત અનાગત અર્થ ન માનઈ. વર્તમાન પણિ નિજ અનુકૂળ-આપણા કામનો અર્થ માનઇ, પણિ પરકીય ન માનઈ, તે જુસૂત્ર નય વિભેદ કહેવો, એક સૂક્ષ્મ, બીજો સ્થૂલ. સૂમ તે ક્ષણિકપર્યાય માનાં, વિશેષરૂપતા પદાર્થોને અસમાન બનાવે છે. અર્થાત્ પરસ્પર જુદા પાડે છે. એટલે કે પદાર્થોમાં ભેદ-પ્રકાર ઊભા થાય છે. સંગ્રહનય સામાન્યને જોનાર હોવાથી એને બધા પદાર્થો સમાન ભાસે છે. માટે કોઈ ભેદ રહેતો નથી. પણ વ્યવહારનય વિશેષને જુએ છે. માટે પદાર્થોમાં ભેદને જુએ છે. એટલે જ વ્યવહારનય પણ સંગ્રહનયની જેમ જ બે પ્રકારનો છે. (૧) સામાન્ય સંગ્રહનયનો ભેદક વ્યવહારનય અને (૨) વિશેષસંગ્રહનયનો ભેદક વ્યવહારનય. સામાન્યસંગ્રહનય “બધા દ્રવ્યો એક સમાન છે' એમ જોનારો હતો. એટલે ‘દ્રવ્યના બે પ્રકાર છે. (૧) જીવ અને (૨) અજીવ.. આવું જોનારો વ્યવહારનય, આ સામાન્યસંગ્રહનો ભેદક છે.. બધા જીવો એક સમાન છે' આવું જોનારા વિશેષસંગ્રહનયનો “જીવો બે પ્રકારના છે – સંસારી અને સિદ્ધ' આવું જોનારો વ્યવહારનય એ ભેદક છે. આ જ પ્રમાણે ઉત્તરોત્તર વિવક્ષાએ સામાન્ય-વિશેષપણું ભાવવું. આશય એ છે કે દ્રવ્ય એ સામાન્ય છે તો જીવ-અજીવ એ વિશેષ છે. પછી જીવ એ સામાન્ય છે તો સંસારી અને સિદ્ધ એ વિશેષ છે... સંસારી એ સામાન્ય છે તો ત્રસ અને સ્થાવર એ વિશેષ છે. એટલે સંસારીજીવરૂપે બધા સંસારીજીવોને એક સમાન જોનાર સંગ્રહનયનો, સંસારીજીવો બે પ્રકારના છે, ત્રસ અને સ્થાવર.. એમ ભેદ કરનાર વ્યવહારનય, સંસારીજીવસંગ્રાહકસંગ્રહનયનો ભેદક છે... આમ ઉત્તરોત્તર જાણવું. || ૮૫ || ગાથાર્થ - ઋજુસૂત્રનય વર્તતા (= વર્તમાન) અને પોતાને અનુકૂળ એવા જ અર્થને તે તે પદાર્થ તરીકે કહે છે. એના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને સ્થૂલ. ક્ષણિક પર્યાયોને કહેનારો ઋજુ સૂત્રનય એ સૂક્ષ્મ છે અને મનુષ્યાદિ પર્યાયોને કહેનારો જુસૂત્ર એ સ્થૂલ છે. I૬-૧૩ વિવેચન - જુસૂત્રનય વર્તતા અર્થને જ પદાર્થ તરીકે કહે છે... જે પદાર્થ અતીત થઈ ગયો (તે નષ્ટ થઈ ગયો હોવાથી) અને જે પદાર્થ અનાગત છે (તે હજુ અનુત્પન્ન Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઢાળ-૬ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સ્થૂલ તે મનુષ્યાદિ પર્યાય માનઈ, પણિ કાલત્રયવતી પર્યાય ન માન. વ્યવહાર નય હોવાથી) અર્થક્રિયાકારિત્વ ધરાવતો નથી... પછી એને “પદાર્થ' તરીકે શી રીતે કહી શકાય? જેનાથી કશું જ પ્રયોજન સરતું નથી, એને પણ પદાર્થનો દરજ્જો આપવાનો હોય, તો તો શશશૃંગને પણ પદાર્થ કહેવો પડે. વર્તમાન પણ જે પદાર્થ પરાયો છે, એ પોતાનું પ્રયોજન સારી શકતો નથી... માટે પોતાના માટે તો એ નહીં હોવા બરાબર જ છે. મહેતાજી પાસે શેઠના ભલે ને પાંચ લાખ રૂપિયા પડ્યા હોય.. એનાથી એ પોતાને રહેવાનું ઘર તો નથી લઈ શકતો. પણ બેપાંચ રૂપિયાની કિંમતનું શાક પણ નથી લઈ શકતો... એટલે મહેતાજી માટે એ ધન'રૂપ છે જ નહીંકહ્યું જ છે ને કે પરધન પત્થર માનીએ... ટૂંકમાં, પોતાનો વર્તમાન પદાર્થ જ પોતાનું કામ કરી આપનાર છે. તેથી એ જ પોતાના માટે પદાર્થરૂપ છે, અન્ય નહીં.. આવું ઋજુસૂત્રનય કહે છે... આમાં વર્તમાનપદાર્થ એટલે વર્તમાનકાળમાં રહેલો પદાર્થ... પણ વર્તમાનકાળ કોને કહેવો ? આમ તો કાળ માત્ર એક વર્તમાન ‘સમય’રૂપ જ છે... એટલે તે સમયને જ વર્તમાન' કહી શકાય... વિવક્ષિતકાળે જે સમય વર્તી રહ્યો છે એની પૂર્વનો સમય તો નષ્ટ થઈ ગયો હોવાથી “અતીત' બની ગયો છે... પછીનો સમય તો હજુ અનુત્પન્ન હોવાથી “અનાગત છે... માટે વર્તમાનકાળ તો માત્ર એક સમયરૂપ જ છે... આવા એક સમયને જ વર્તમાનકાળ તરીકે સ્વીકારી એમાં રહેલા ક્ષણિકપર્યાયને જ પદાર્થરૂપે માનનારો જે જુસૂત્રનય છે તે સૂક્ષ્મઋજુસૂત્રનય કહેવાય છે. કારણ કે ખૂબ જ સૂક્ષ્મ વર્તમાનકાળને જોનારો છે. પણ આ એક સમય એ એટલો સૂક્ષ્મતમ કાળ છે કે સામાન્યથી છવાસ્થના વ્યવહારનો વિષય બની જ શકતો નથી, “આ ઘડો છે' આટલું બોલવા જાય એટલામાં તો અસંખ્ય સમય પસાર થઈ જાય છે. એટલે, પદાર્થ-પ્રસંગ વગેરેને અનુસરીને અસં સમયમય અતર્મુહૂર્તને પણ વર્તમાનકાળ કહેવાય છે. એમ કલાકને, દિવસને, પખવાડિયાને, મહિનાને, વર્ષને, ભવને... પણ વર્તમાન તરીકે કહેવાય છે... આ સ્થૂલવર્તમાનકાળ છે. આવા સ્કૂલવર્તમાનકાળને નજરમાં લેનારો જુસૂત્રનય એ સ્થૂલઋજુ સૂત્ર છે. શંકા - આખા વર્ષને વર્તમાનકાળ તરીકે જોનારા ઋજુસૂટાની આપણે વાત કરીએ. ધારો કે વર્ષનો ચોથો મહિનો ચાલે છે. તો પ્રથમ ત્રણ મહિના અતીત થઈ ગયા છે.. ને પાંચમાંથી આઠ મહિના હજુ અનાગત છે... અને છતાં વિવક્ષિત ઋજુસૂત્રનય આખા વર્ષને જોનાર હોવાથી અતીત ને અનાગત મહિનાને પણ જોઈ જ રહ્યો છે. તો આ સ્થૂલઋજુસૂત્રનય અને વ્યવહારનયમાં ફરક ક્યાં રહ્યો ? Page #254 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧૪ ૨૩૫ તે ત્રિકાલ પર્યાય માનઇ, તે માર્ટિં સ્થૂલ ૠજુસૂત્ર - વ્યવહારનયનઇ સંકર ન જાણવો. || ૬-૧૩ ॥ શબ્દ પ્રકૃતિ પ્રત્યયાદિક, સિદ્ધ માનઇ શબ્દ રે । સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઇ ભિન્ન જ શબ્દ રે II બહુ૦ || ૬-૧૪ || ટબો શબ્દનય તે પ્રકૃતિ પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પત્તિસિદ્ધ શબ્દ માનઇ. પણિ સમાધાન વ્યવહારનય ત્રણકાળવર્તી પર્યાયને માને છે. ૠજુસૂત્ર માત્ર વર્તમાન પર્યાયને માને છે.. ત્રિકાળવર્તી પર્યાયને માનતો નથી.. આ ફરક જાણવો.. આશય એ છે કે.. જો મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો વર્તમાન મહિનો એ જ વર્તમાનકાળ... પૂર્વના ૩ મહિના એ અતીતકાળ... ને પાછળના આઠ મહિના એ અનાગતકાળ.. પણ જો વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો બારે મહિના વર્તમાનકાળ જ છે... એટલે ધારો કે કોઈ તપસ્વીએ પહેલા ૩ મહિનામાં ૩૦ ઉપવાસ કર્યા... વર્તમાન મહિનામાં ૧૦ ઉપવાસ કર્યા-કરવાના છે.. અને પછીના ૮ મહિનામાં ૮૦ ઉપવાસ કરવાના છે. એ તપસ્વી જો એમ કહે કે ગયા ત્રણ મહિનાના ૩૦, આ મહિનાના ૧૦ અને આગામી આઠ મહિનાના ૮૦-એમ બાર મહિનાના મારા ૧૨૦ ઉપવાસ થશે... તો વ્યવહારનય આ માન્ય કરે છે... પણ સ્થૂળૠજુસૂત્રનય કહેશે કે-આ મહિનાના ૧૦ ઉપવાસ જ વાસ્તવિક કહેવાય... બાકી તો અતીત-અનાગત છે... માટે ઉપવાસરૂપ નથી.. પણ જો એ તપસ્વી એમ કહે કે આ વર્ષમાં મારા ૧૨૦ ઉપવાસ... તો એ સ્થૂલૠજુસૂત્રનયને માન્ય છે... વ્યવહારનય એ વખતે આગલા અને પાછલા વર્ષોના ઉપવાસનો પણ સરવાળો માંડીને ‘હું આટલા ઉપવાસનો તપસ્વી છું' એમ ઉલ્લેખ કરશે... પણ આ જ સરવાળાનો એ તપસ્વી જો આમ ઉલ્લેખ કરે ‘આ ભવમાં મારા આટલા ઉપવાસ...' તો સ્કૂલૠજુસૂત્રનયને એ માન્ય છે. આમાં કારણ સ્પષ્ટ છે કે ‘ભવ' તરીકે તો આખો ભવ... (૭૦, ૮૦... ૮૫ વર્ષ... જેટલું આયુ હોય તે બધુ) વર્તમાન જ છે... એમાં ભવ તરીકે અતીત-અનાગત જેવું કશું નથી... ને તેથી એ સ્થુલૠજુસૂત્રનયનો વિષય બની શકે છે.... પણ વર્ષ તરીકે વિચારવાનું હોય તો એ વિવક્ષિત વર્ષ જ વર્તમાનકાળ છે.. આગળ-પાછળના વર્ષો તો અતીત-અનાગત હોવાથી સ્થૂલૠજુસૂત્રનયનો વિષય બની શકતા નથી.. પણ છતાં એ વ્યવહારનયનો વિષય તો બને જ છે. કારણ કે વ્યવહારનય તો ત્રિકાળવર્તી પર્યાયને પણ સ્વીકારે છે. - આમ સ્થૂલૠજુસૂત્રનય અને વ્યવહારનયનું સાંકર્ય થતું નથી, એ સ્પષ્ટ છે. ॥ ૮૬ ॥ ગાથાર્થ - શબ્દનય પ્રકૃતિ-પ્રત્યય આદિથી સિદ્ધ થયેલા શબ્દને માને છે. સમભિરૂઢનય એમ કહે છે કે ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોય છે. || ૬-૧૪ || વિવેચન - શબ્દનય... પ્રકૃતિ - પ્રત્યય વગેરે દ્વારા વ્યાકરણના નિયમોને અનુસરીને Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઢાળ-૬ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ લિંગ વચનાદિ ભેદઇ અર્થનો ભેદ માનઇ. જિમ ‘તટ: તૂટી તમ્' એ ૩ લિંગભેદઇ અર્થભેદ, તથા ‘આપ: જ્ઞતમ્' ઇહાં એકવચન બહુવચન ભેદઇ અર્થભેદ. ૠજુસૂત્ર નયનઇ એ ઇમ કહઇ જે ‘કાલભેદઇ અર્થભેદ તું માનઇ છઇ, તો બનેલા વ્યુત્પત્તિસિદ્ધ શબ્દોને જ શબ્દનય સ્વીકારે છે. પણ લિંગભેદે અને વચનાદિભેદે અર્થભેદ માને છે. એટલે તટ:-તટી-તટમ્ આ ત્રણેમાં લિંગભેદ હોવાથી ત્રણેના વાચ્યાર્થ પણ જુદા જુદા છે. તથા આવ:-તમ્ આમાં વચનભેદ (એકવચન-બહુવચન) હોવાથી અર્થભેદ છે. આશય એ છે કે કોઈપણ શબ્દનો વાચ્યાર્થ પકડવો હોય તો એની મૂળપ્રકૃતિ (ક્રિયાવાચક કે નામવાચક મૂળશબ્દ) કઈ છે ? કયો પ્રત્યય કયા અર્થમાં લાગ્યો છે ? વગેરે વિચારીને નિર્ણય કરવામાં આવે છે... વળી આ પ્રત્યય પણ આડેધડ લાગતા હોતા નથી... વ્યાકરણના નિયમને અનુસરીને લાગતા હોય છે... એટલે આ રીતે બનેલા શબ્દને વ્યાકરણવ્યુત્પત્તિસિદ્ધ શબ્દ કહેવાય છે... અને એનો તો પ્રકૃતિ-પ્રત્યય-વ્યાકરણના નિયમ... બધાને અનુસરીને ચોક્કસ વાચ્યાર્થ હોય જ છે... પણ જે શબ્દો આ રીતે વ્યુત્પત્તિસિદ્ધ નથી, એનો વાચ્યાર્થ શું લેવો? કારણ કે પ્રકૃતિ-પ્રત્યય કે વ્યાકરણના નિયમો... આ બધામાં કે આ બધામાંથી કોઈકમાં વ્યાકરણના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરાયું હોય તો એવા શબ્દનો અર્થ મળી ન જ શકે એ સ્પષ્ટ છે. હવે, આવા વ્યુત્પત્તિસિદ્ધ શબ્દને લિંગ અર્થમાં પણ પ્રત્યય લાગતો હોય છે. જેમ કે પાચન-પત્તિા આમાં પર્ એ પ્રકૃતિ છે, જેનો અર્થ છે રાંધવું... અ” એ પ્રત્યય છે. જેનો અર્થ છે કર્તા... એટલે પાવળ શબ્દનો અર્થ મળે છે પાકકર્તા. વળી, સ્ત્રીલિંગમાં તો ા પ્રત્યય લાગે છે... જેમાંથી ‘સ્ત્રીલિંગ' પણ જણાય છે એટલે પાવ: શબ્દ પરથી પાકકર્તૃત્વ-પુલિંગ જણાય છે. પત્તિા શબ્દ પરથી પાકકર્તૃત્વ-સ્ત્રીલિંગ જણાય છે. જ્યાં પુત્ત્વ હોય ત્યાં સ્ત્રીત્વ ન હોય... જ્યાં સ્ત્રીત્વ હોય ત્યાં પુત્ત્વ ન હોય. આ સ્પષ્ટ છે... માટે પાચક અને પાચિકા શબ્દના વાચ્યાર્થ જુદા જુદા છે... એમ તટ:ના વાચ્યાર્થમાં પુસ્વ છે, તૂટી ના વાચ્યાર્થમાં સ્ત્રીત્વ છે... તટના વાચ્યાર્થમાં નપુંસકત્વ છે... માટે આ બધા વાચ્યાર્થ એક ન હોય શકે...જુદા-જુદા જ હોય શકે... એટલે કે લિંગભેદે અર્થભેદ હોય છે. એમ એકવચનના પ્રત્યયનો અર્થ એકત્વ છે... દ્વિવચનના પ્રત્યયનો અર્થ દ્વિત્વ છે... બહુવચનના પ્રત્યયનો અર્થ બહુત્વ છે... આ એકત્વ-દ્વિત્વ-બહુત્વ... પરસ્પર વિરોધી છે. જ્યાં એકત્વ હોય ત્યાં દ્વિત્વ બહુત્વ ન જ હોય... વગેરે વાત સુગમ છે. એટલે એકવચનાન્ત શબ્દ, કે જે એકત્વને પણ જણાવે છે... અર્થાત્ એકત્વયુક્ત વાચ્યાર્થને જણાવે છે તેનાં કરતાં બહુવચનાન્ત શબ્દ ભિન્નવાચ્યાર્થવાળો જ હોય છે, કારણ કે બહુવચનાન્ત શબ્દના વાચ્યાર્થમાં તો બહુત્વ રહ્યું હોય છે. તેથી આવ: એવા બહુવચનાન્ત શબ્દના વાચ્યાર્થ કરતાં ગતમ્ એવા એકવચનાન્ત શબ્દનો વાચ્યાર્થ અલગ જ હોય. આ વાત સ્પષ્ટ છે... આ વચનભેદે અર્થભેદ થયો. આ શબ્દનય, ૠજુસૂત્રનયને એમ કહે છે કે - જો તું - Page #256 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧૫ ૨૩૭ લિંગાદિભેદઇ ભેદ કાં ન માનઇ ?” સમભિરૂઢ નય ઇમ કહઇ જે ભિન્નશબ્દ ભિન્નાર્થક જ હોઇ.' શબ્દનયનઇ એ ઇમ કહઇ જે જો તું લિંગાદિભેદઇ અર્થભેદ માનઇ છઇ, તો શબ્દભેદઇ અર્થભેદ કાં ન માનઇ ?' તે માર્ટિ ઘટશબ્દાર્થ ભિન્ન, કુંભશબ્દાર્થ ભિન્ન, ઇમ એ માનઇ, એકાર્થપણું પ્રસિદ્ધ છઇ તે શબ્દાદિનયની વાસના થકી. II ૬-૧૪ || ક્રિયાપરિણત અર્થ માનઇ સર્વ એવમ્ભત રે । નવઇ નયના ભેદ ઇણિ પરિ અઠ્ઠાવીસ પ્રભૂત રે || બહુ॰ II ૬-૧૫ || ટબો - એવંભૂત નય-સર્વ અર્થ, ક્રિયાપરિણત - ક્રિયાવેલાઇ માનઇ, અન્યદા ન કાળભેદે અર્થભેદ માને છે. (એટલે જ માત્ર વર્તમાનઅર્થને સ્વીકારે છે... અતીત-અનાગત અર્થને સ્વીકારતો નથી) તો લિંગભેદે અને વચનભેદે અર્થભેદ કેમ નથી માનતો? જેમાં અતીતત્વ કે અનાગતત્વ હોય એમાં વર્તમાનત્વ ન જ હોય' આ જો તને સમજાય છે તો જેમાં પુત્વ હોય ત્યાં સ્ત્રીત્વ કે નપુંસકત્વ ન જ હોય... એમ જેમાં એકત્વ હોય ત્યાં દ્વિત્વ -બહુત્વ ન જ હોય... આ તને કેમ સમજાતું નથી ? સમભિરૂઢનય... સમભિરૂઢનય એમ કહે છે કે ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોય છે... અર્થાત્ શબ્દભેદે અર્થભેદ હોય જ. ‘ધટ’ પદ કરતાં ‘પટ' પદ ભિન્ન છે તો ‘ધટ'પદના વાચ્યાર્થ કરતાં ‘પટ’પદનો વાચ્યાર્થ જેમ અલગ છે... એમ ‘કુંભ’પદ પણ ‘ઘટ’પદથી ભિન્ન હોવાથી એનો વાચ્યાર્થ પણ અલગ જ હોય... એક ન હોઈ શકે... શબ્દભેદ હોવા છતાં ‘ઘટ’પદ-‘કુંભ’પદનો વાચ્યાર્થ જો એક હોય તો તો ‘ઘટ’પદ-‘પટ’પદનો વાચ્યાર્થ પણ એક હોવાની આપત્તિ આવે... આ સભિરૂઢ નય શબ્દનયને કહે છે કે જો લિંગાદિભેદે અર્થભેદ માને છે તો શબ્દભેદે અર્થભેદ કેમ નથી માનતો? માટે ઘટશબ્દનો અર્થ ભિન્ન છે અને કુંભશબ્દનો અર્થ ભિન્ન છે... શંકા ઘટમાનય બોલવામાં આવ્યું હોય કે મ્ભમાનય બોલવામાં આવ્યું હોય, શ્રોતા એના એ જ પદાર્થને લાવે છે... આથી જણાય છે કે ‘ઘટ' શબ્દ અને ‘કુંભ’ શબ્દ... બન્ને એકાર્થક જ છે.... સમાધાન - તમારી વાત સાચી છે... બન્ને એકાર્થક તરીકે પ્રસિદ્ધ છે... પણ એનું કારણ છે શબ્દાદિનયની વાસના... અર્થાત્ શબ્દ, ૠજુસૂત્ર, વ્યવહાર વગેરે નયો આ બન્ને શબ્દોને એકાર્થક જે કહે છે.. એના કારણે એ બન્ને એકાર્થક હોવારૂપે લોકમાનસમાં ખૂબ રૂઢ થઈ ગયા છે. માટે... બાકી સમભિરૂઢનયની દૃષ્ટિએ જોવામાં આવે તો બન્ને ભિન્નાર્થક જ છે. | ૮૭ || ગાથાર્થ એવંભૂતનય સર્વ અર્થને એ ક્રિયાપરિણત હોય ત્યારે જ માને છે. આમ નવે નયના કુલ પેટાભેદ ૨૮ છે. અર્થાત્ પ્રભૂત=ઘણા છે. ॥ ૬-૧૫ || Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઢાળ-૬ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ માનઈ, જિમ “રાજઇ = છત્રચામરાદિકઈ શોભઈ તે રાજા' તિ પર્ષદામાંહિં બઈઠાં ચામર ઢલાઇ, તિવારઈ, સ્નાનાદિકવેલાઈ તે અર્થ વિના રાજા ન કહિઈ. ઈમ નવાઈ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રભૂત કહેતાં ઘણા થયા. / ૬-૧૫ | નવઈ નય ઇમ કહિયા, ઉપનય તીન કહિએ સાર રે ! સાચલો શ્રત અરથ પરખી, લહો જસ વિસ્તાર રે || ૬-૧૬ | ટબો - ઈમ નવાઈ નય કહિયા, હિવઇ-૩ ઉપનય દિગંબર પ્રક્રિયાઈ કહિઈ છઈ. એહમાંહિં - સાચો શ્રુતનો અર્થ પરખી કરીનઇ, બહુશ્રુતપણાના યશનો વિસ્તાર પામો. નયાનાં સમીપે ૩૫નયાઃ' || ૬-૧૬ || વિવેચન - એવંભૂત... કોઈપણ સાર્થક શબ્દ કોઈક ને કોઈક ક્રિયાને ધ્વનિત કરતો હોય છે. ધ્વનિત થતી તે તે ક્રિયાથી સમુચિત રીતે સંવલિત પદાર્થ એ, તે શબ્દનો વાચ્યાર્થ બનતો હોય છે. જે પદાર્થ આ ક્રિયાથી ક્યારેક પણ સંવલિત થતો હોય... થવાનો હોય કે થવાની યોગ્યતા ધરાવતો હોય એ બધાને સમભિરૂઢ સુધીના નયો એ શબ્દના વાચ્યાર્થ તરીકે સ્વીકારે છે... પણ એવંભૂતનય તો એમ કહે છે કે જે વખતે એ ક્રિયાયુક્ત હોય એ જ વખતે એને તે શબ્દના વાચ્યાર્થ તરીકે લઈ શકાય.. એની આગળ-પાછળના કાળમાં નહીં... જેમ કે “જે રાજે છેઃછત્ર-ચામર વગેરે વડે શોભે છે તે રાજા.” આવી વ્યુત્પત્તિ હોવાથી, જ્યારે પર્ષદામાં બેઠા હોય-ચામર ઢળાતા હોય ત્યારે જ એને રાજા કહેવાય છે. પણ જ્યારે એ સ્નાનાદિ કરી રહ્યો હોય (અર્થાત્ છત્ર-ચામરાદિ ન હોય) ત્યારે એ રાજા ન કહેવાય... છત્ર -ચામરાદિ શોભા ન હોવા છતાં જો “રાજા' કહેવાતો હોય તો તો એક સામાન્ય માનવીને પણ રાજા કહેવાની આપત્તિ આવે. પણ એ કહેવાતો નથી... માટે નિશ્ચિત થાય છે કે ક્રિયાપરિણતિકાળે જ તે તે પદાર્થ તે તે શબ્દનો વાચ્યાર્થ છે. છતી આંખે ખાડામાં પડનારને લોકો કહે છે - અલ્યા આંધળો છે ! દેખતો નથી ? તે પડ્યો... આ એવંભૂતનયમાન્ય વાક્ય છે. જે જુએ નહીં એને આંખ શી રીતે કહેવાય ? એવો એમાં અભિપ્રાય છે. આમ, દ્રવ્યાર્થિક ૧૦ + પર્યાયાર્થિક ૬ + નૈગમન ૩ + સંગ્રહનય ૨ + વ્યવહારનય ૨ + ઋજુસૂત્રનય ૨ + શબ્દનય + સમભિરૂઢનય + એવંભૂતનય = કુલ ૨૮ ભેદો નવે નયના મળીને થાય છે. | ૮૮ || ગાથાર્થ - આમ, નવે નય કહ્યા.. હવે ત્રણ ઉપનયનો સાર કહીશું.... એમાંથી શ્રુતનો સાચો અર્થ પરખીને યશનો વિસ્તાર પામો... | ૬-૧૬ // વિવેચન - ઈમ નવઈ... આમ નવે નય કહ્યા... હવે દિગંબરની પ્રક્રિયાને અનુસરીને ત્રણ ઉપનય કહેવામાં આવશે. આ બધામાંથી શ્રતનો = શાસ્ત્રોનો અર્થ પરખીને = વાસ્તવિક રીતે શાસ્ત્રીય શું છે ? એવા ભાવ પરખીને એ રીતે પદાર્થો માનવા જોઈએ જેથી બહુશ્રુતપણાનો યશ વિસ્તાર પામો. | ૮૯ | Page #258 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ दा-हु : गाथा - १६ ‘નયચક્ર'માં સાતે નયોના અર્થને અને તેના ઉપરોક્ત ભેદને સૂચવનારી ૨૦૫ થી ૨૧૫ સુધીની ગાથાઓ આ પ્રમાણે છે णिप्पण्णमिव पयंपदि, भाविपदत्थं खु जो अणिप्पण्णं । अप्पत्थे जह पत्थं, भण्णइ सो भावि णइगमुत्ति ओ ।। २०५ ।। णिव्वत्तत्थकिरिया, वट्टणकाले तु जं समायरणं । जं भूदणइगमणयं, जह जदिणं णिव्वुओ वीरो ।। २०६ ।। पारद्धा जा किरिया, पचणविहाणादि कहइ जो सिद्धा । लोएसु पुच्छमाणो, भण्णइ तं वट्टमाणणयं ।। २०७ || अवरोप्परमविरोहे, सव्वं अत्थित्ति सुद्धसंगहणे । होइ तमेव असुद्धं, इगिजाइ विसेसगहणेण ।। २०८ ।। जं संगहेण गहियं, भेयइ अत्थं असुद्धं सुद्धं वा । सो ववहारो दुविहो, असुद्धसुद्धत्थभेयकरो ।। २०९ 11 जो एयसमयवट्टी, गेण्हइ दव्वे धुवत्तपज्जायं । सो रिउसूत्तो सुहुमो, सव्वंपि सद्दं जहा खणियं ।। २१० ।। मणुयाइयपज्जाओ, मणुसोत्ति सगद्विदीसु वट्टंतो । सो भाइ तावकालं, सो थूलो होइ रिउसूत्तो ।। २११ ।। — जो वट्टणं ण भण्णइ, एयत्थे भिण्णलिंगआईणं । सो सद्दणओ भणिओ, णेओ पुंसाइआण जहा ।। २१२ ।। अहवा सिद्धे सद्दे, कीरइ जं किंपि अत्थववहारं । तं खलु सद्दे विसयं, देवो सद्देण जह देवो ।। २१३ || सद्दारूढो अत्थो, अत्थारूढो तहेव पुण सद्दो । भाइ इह समभिरूढो, जह इंद पुरंदरो सक्को ।। २१४ ।। जं जं करेइ कम्मं, देही मणवयणकायचेट्ठादो | तं तं खु णामजुत्तो, एवंभूदो हवे स णओ ।। २१५ ।। તથા દેવસેન આચાર્યકૃત આલાપપદ્ધતિમાં પણ આ પ્રમાણે કહેલ છે नैगमस्त्रेधा-भूतभाविवर्तमानकालभेदात् । अतीते वर्तमानारोपणं यत्र स भूतनैगमो यथा अद्य दिपोत्सवदिने श्रीवर्धमानस्वामी मोक्षं गतः । भाविनि भूतवत् कथनं यत्र स भाविनैगमो, यथा- अर्हन् सिद्ध एव । कर्तुमारब्धमीषन्निष्पन्नमनिष्पन्नं वा वस्तु निष्पन्नवत्कथ्यते यत्र स वर्तमाननैगमो, यथा- ओदनः पच्यते । इति नैगमस्त्रेधा । ૨૩૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ढाण-६ : था-१६ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ संग्रहो द्विविधः । सामान्यसंग्रहो यथा सर्वाणि द्रव्याणि परस्परमविरोधीनि । विशेषसंग्रहो यथा-सर्वे जीवाः परस्परमविरोधिनः । इति संग्रहोऽपि द्वधा । व्यवहारोऽपि द्वधा । सामान्यसंग्रहभेदकव्यवहारो यथा- द्रव्याणि जीवाजीवाः । विशेषसंग्रहभेदकव्यवहारो यथा -जीवाः संसारिणो मुक्ताश्च । इति व्यवहारोऽपि द्वधा । ऋजुसूत्रो द्विविधः । सूक्ष्मर्जुसूत्रो यथा - एकसमयावस्थायी पर्यायः । स्थूलर्जुसूत्रो यथा-मनुष्यादिपर्यायास्तदायुःप्रमाणकालं तिष्ठन्ति । इति ऋजुसूत्रोऽपि द्वेधा । शब्दसमभिरूद्वैवम्भूताः प्रत्येकमैकैके नयाः। शब्दनयो यथा-दारा भार्या कलत्रम्, जलमापः । समभिरूढनयो यथा-गौः पशुः। एवम्भूतो नयो यथा-इन्दतीति इन्द्रः । उक्ता अष्टाविंशतिर्नयभेदाः । છઠ્ઠી ઢાળ પૂરી. अनेकान्तवादो विजयतेतराम् विज्ञानस्यैकमाकारं नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ८ ॥ चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वाऽपि नानेकान्तं प्रतिक्षिपेत् ।। ९ ।। इच्छन्प्रधानं सत्त्वाद्यैर्विरुद्धैर्गुम्फितं गुणैः । साङ्ख्यः सङ्ख्यावतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ।। १० ।।। __वीतरागस्तोत्रेऽष्टमप्रकाशे । श्रीहेमाचार्याः ॥ સમૂહાલંબનાત્મક વિજ્ઞાનનો અનેક આકારથી સંવલિત એક આકાર માનતો પ્રાજ્ઞ બૌદ્ધ, ચિત્રરૂપને એક અને અનેકરૂપ તરીકે પ્રામાણિક કહેતો યોગ (નૈયાયિક) અને વૈશેષિક, પરસ્પર વિરુદ્ધ એવા સત્ત્વ, રજસ્ અને તમ. એ ત્રણ ગુણોથી ગૂંથાયેલા પ્રધાન તત્ત્વને એક માનનારો સાંખ્ય અનેકાન્તવાદને નિષેધી શકે નહીં. सांख्यः प्रधानमुपयंस्त्रिगुणं विचित्रां, बौद्धो धियं विशदयन्नथ गौतमीयः।। वैशेषिकश्च भुविचित्रमनेकमेकं वाञ्छन् मतं न तव निन्दति चेत् सलजः॥४४॥ श्रीमहावीरस्तवे महोपाध्यायाः । Page #260 -------------------------------------------------------------------------- ________________ ૮ ઢાળ સાતમી સભૂત વ્યવહાર, ભેદ પ્રથમ તિહાં, ધર્મ ધર્મીના ભેદથી એ. + ૭-૧ | શુદ્ધ અશુદ્ધ દ્વિભેદ, શુદ્ધ અશુદ્ધના, તેહ અરથના ભેદથી એ. . ૭-૨ / જિમ જગિ કેવલજ્ઞાન, આતમદ્રવ્યનું, મઈનાણાદિક તેહનું એ. || ૭-૩ || ગુણ-પર્યાય સ્વભાવ, કારક તન્મયનો, ભેદ અરથ છઈ એહનો એ. . ૭-૪ | નયાનાં સમીપે ૩૫નયા: જે નયની સમીપમાં રહ્યા છે તે ઉપનય કહેવાય છે. ગાથાર્થ : ધર્મ-ધર્મીનો ભેદ દેખાડનાર સદ્ભૂતવ્યવહાર એ ઉપનયનો પ્રથમ ભેદ છે. એના બે ભેદ છે. શુદ્ધ અને અશુદ્ધ. અર્થના ભેદથી બે ભેદ પડે છે. જેમકે જગત્માં આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન.. આ શુદ્ધસદ્ભૂતવ્યવહાર છે અને તેનું મતિજ્ઞાન” આ અશુદ્ધસદ્ભૂતવ્યવહાર છે. ગુણ-ગુણી, પર્યાય-પર્યાયવાનું, સ્વભાવ-સ્વભાવવાનું અને કારક-કારકી... આ બધાનો ભેદ એ એહનો = આ નયનો અરથ = વિષય છે. જે ૭-૧, ૨, ૩, ૪ || વિવેચન : દિગંબરાચાર્યશ્રી દેવસેને આને “નય' તરીકે ન કહેતાં “ઉપનય’ કહ્યા છે. એટલે આ વાક્યપ્રયોગોમાં એવું તે શું છે કે જેથી એ “નય' તરીકે માન્ય નથી અને છતાં એવું તે શું છે કે જેથી એમાં નયનું સામીપ્ય છે ને તેથી એ “ઉપનય છે)? નયચક્ર વગેરેમાં તો આનું કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી. એટલે આપણે જ પૂર્વાપર વિચારણા કરીને કલ્પના કરવાની રહી. એ વિચારણા આવી સૂઝે છે - પૂર્વે દ્રવ્યાર્થિકનયના દસ પ્રકારમાં ઉત્પાદ-વ્યયનિરપેક્ષસત્તાગ્રાહી દ્રવ્યાર્થિક અને ઉત્પાદ-વ્યયસાપેક્ષસત્તાગ્રાહી દ્રવ્યાર્થિક એવા બે પ્રકાર જે હતા એની સામે પર્યાયાર્થિકમાં પણ સત્તાનિરપેક્ષઉત્પાદ-વ્યયગ્રાહી પર્યાયાર્થિક અને સત્તાસાપેક્ષઉત્પાદવ્યયગ્રાહી પર્યાયાર્થિક એવા બે પ્રકાર બતાવેલા હતા... પણ, ભેદનિરપેક્ષ અભેદગ્રાહી દ્રવ્યાર્થિક અને ભેદસાપેક્ષઅભેદગ્રાહીદ્રવ્યાર્થિક... આવા દ્રવ્યાર્થિકના બે ભેદની સામે પર્યાયાર્થિકનયમાં અભેદનિરપેક્ષભેદગ્રાહી પર્યાયાર્થિકનય અને અભેદસાપેક્ષભેદગ્રાહીપર્યાયાર્થિકનય... આવા બે પ્રકાર દર્શાવ્યા નથી. એ શા માટે દર્શાવ્યા નથી? આમાં પણ સાપેક્ષના ભેદ છોડી માત્ર નિરપેક્ષ ભેદોનો વિચાર કરીએ તો.... ઉત્પાદવ્યયનિરપેક્ષસત્તાગ્રાહીદ્રવ્યાર્થિકનય ત્રિકાળ અવિચલિત નિત્યદ્રવ્યને જોનાર છે. અર્થાત્ એ ઘટાદિને નિત્ય પુદ્ગલદ્રવ્યરૂપ જુએ છે. એની સામે, સત્તાનિરપેક્ષ ઉત્પાદ-વ્યયગ્રાહી પર્યાયાર્થિકનય સમયેસમયે વિનશ્વર એવા પર્યાયને જોનાર છે... અર્થાત્ એ ઘટાદિને ક્ષણિકપર્યાયરૂપ જુએ છે. ભેદનિરપેક્ષ અભેદગ્રાહીદ્રવ્યાર્થિકન, નિજગુણપર્યાયાભિન્નદ્રવ્યને જુએ છે. અર્થાત્ ઘટાદિને Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઢાળ-૭ : ગાથા-૧-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો : તિહાં-સભૂત વ્યવહાર, પ્રથમ ઉપનયનો ભેદ. તે ધર્મ અનઈ-ધર્મી, તેહના ભેદ દેખાડવાથી હોઈ. . ૭-૧ | રૂપાદિઅભિન્નદ્રવ્યરૂપે જુએ છે. હવે આની સામે જો કોઈ પર્યાયાર્થિકનય હોય તો એ અભેદનિરપેક્ષભેદગ્રાહીપર્યાયાર્થિક હોવો જોઈએ જે ધટી પય: એમ ઘડાનો પોતાના રૂપાદિગુણપર્યાયો સાથે ભેદ જોનાર હોય છે... પણ ઘટસ્થ રૂપમ્ વગેરે પ્રયોગોને શ્રીદેવસેનાચાર્ય પર્યાયાર્થિકનયના ભેદ તરીકે ન કહેતાં “સદ્ભૂતવ્યવહારઉપનય” રૂપે ઉપનયના ભેદ તરીકે કહેલ છે. આમ કહેવામાં એમનો શો અભિપ્રાય હશે ? એ આપણે વિચારી રહ્યા છીએ. એ અભિપ્રાય શોધવા માટે આપણે આવો વિચાર કરી શકીએ - ઘટસ્ય ઉમ્ માત્મનો જ્ઞાન. આવા પ્રયોગોને જો “નયરૂપે કહેવા હોય તો કયા નયરૂપે આપણે કહી શકીએ ? શંકા : આપણે તેને દ્રવ્યાર્થિકનય કહીએ તો? કારણ કે ઘટનું ને આત્મદ્રવ્યનું એમાં જ્ઞાન છે. સમાધાન : હા, ઘટનું ને આત્મદ્રવ્યનું એમાં જ્ઞાન છે એ વાત સાચી. પણ ભેગું રૂપજ્ઞાન વગેરે ગુણાત્મક પર્યાયનું પણ જ્ઞાન હોવાથી એને દ્રવ્યાર્થિક કેમ કહેવાય? શંકા : અહીં ઘટસ્થ રૂપમ, કાત્મનો જ્ઞાનમ્ એમ ભેદાર્થક ષષ્ઠી હોવાથી નિજગુણપર્યાયથી અભિન્ન દ્રવ્યને જોનાર “ભેદકલ્પનારહિતશુદ્ધદ્રવ્યાર્થિક' નામનો દ્રવ્યાર્થિકનો ત્રીજો ભેદ તો જાણે કે સંભવતો નથી. પણ, “ભેદકલ્પનાસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિક' નામનો છઠ્ઠો ભેદ તો સંભવે ને? કારણ કે એમાં જિમ જ્ઞાનાદિક શુદ્ધગુણ આત્માના બોલિઈ એવી ટબાની પંક્તિ દ્વારા “આત્માનું જ્ઞાન” વગેરે પ્રયોગને જ ઉદાહરણ તરીકે દર્શાવેલા છે. સમાધાન : ના, એ છઠ્ઠો દ્રવ્યાર્થિક પણ કહી શકાતો નથી. કારણ કે એ છઠ્ઠા ભેદમાં, ભેદકલ્પનાસાપેક્ષઅભેદનું ગ્રહણ છે. અર્થાત્ ભેદનું ગૌણપણે અને અભેદનું પ્રધાનપણે ગ્રહણ છે. જ્યારે આપણે જે વિચારી રહ્યા છીએ તેમાં અમેદનિરપેક્ષભેદનું ગ્રહણ છે... અર્થાત્ અભેદનું ગ્રહણ જ નથી... ને ભેદનું જ (પ્રધાનપણે) ગ્રહણ છે. (અભેદસાપેક્ષભેદગ્રાહી લેવો હોય તો પણ અભેદનું ગૌણપણે ગ્રહણ ને ભેદનું પ્રધાનપણે ગ્રહણ હોવાથી, દ્રવ્યાર્થિકનો છઠ્ઠો ભેદ તો આવે જ નહીં.) શંકા : ભેદનું જો પ્રધાનપણે ગ્રહણ છે, તો આને પર્યાયાર્થિકનય જ કહી દો ને ! કારણ કે એ જ ભેદને પ્રધાનપણે ગ્રહે છે. સમાધાન : શ્રીદેવસેનાચાર્યને જો એ પર્યાયાર્થિક તરીકે માન્ય હોત તો તો તેઓએ અભેદનિરપેક્ષભેદગ્રાહી શુદ્ધપર્યાયાર્થિકનય અને અભેદસાપેક્ષભેદગ્રાહી અશુદ્ધપર્યાયાર્થિકનય.... એવા પર્યાયાર્થિકના બે ભેદ કહ્યા જ હોત. પણ કહ્યા નથી... શંકા : તો એ કેમ કહ્યા નથી ? Page #262 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧-૪ ૨૪૩ તે વળી, ૨ પ્રકારિ હોઈ-૧ શુદ્ધ, બીજો-અશુદ્ધ ૨. શુદ્ધ ધર્મ-ધર્મના ભેદથી શુદ્ધસદ્ભુત વ્યવહાર, અશુદ્ધ ધર્મ-ધર્મના ભેદથી અશુદ્ધ સદ્ભુત વ્યવહાર. સભૂત તે માટેિ, જે-એક દ્રવ્ય સમાધાન : એમનો અભિપ્રાય એવો હોય કે અભેદનિરપેક્ષપણે કે અભેદસાપેક્ષપણે ભેદનો બોધ થઈ શકે જ નહીં... અને બોધ જ જો થઈ શકતો ન હોય, તો પછી વચનપ્રયોગ પણ ન જ થઈ શકે. એટલે “નય” કહેવાની જરૂર જ ન રહે. શંકા : ભેદનિરપેક્ષપણે અને ભેદસાપેક્ષપણે અભેદનો જો બોધ થઈ શકે છે તેને તેથી દ્રવ્યાર્થિકનો ત્રીજો-છઠ્ઠો ભેદ મળે છે) તો અભેદનિરપેક્ષપણે અને અભેદસાપેક્ષપણે ભેદનો બોધ કેમ ન થઈ શકે ? સમાધાન : રૂપામનો પટ: કે જ્ઞાનાગિન મા... વગેરેમાં રૂપ-જ્ઞાન વગેરેનો ઉલ્લેખ છે, પણ એનો અભેદ કહ્યો હોવાથી છેવટે બોધ મુખ્યરૂપે દેખાતા ઘટદ્રવ્યનો કે આત્મદ્રવ્યનો જ છે. ને તેથી એનું દ્રવ્યાર્થિકપણું જળવાઈ રહે છે. પણ જ્યારે મુખ્યરૂપે ભેદને ગ્રહણ કરવાનો હોય ત્યારે જે બેના ભેદનું ગ્રહણ કરવાનું હોય એ બન્નેને મુખ્યરૂપે ગ્રહણ કરવા પડે. એટલે કે શ્રીદેવસેનાચાર્યનો અભિપ્રાય એવો લાગે છે કે ઘટસ્થ રૂપ-ગાત્મનો જ્ઞાન.. આવા બધા બોધમાં ભેદ પ્રધાનપણે તો જ ભાસે જો ઘટદ્રવ્ય અને રૂપ.... આત્મદ્રવ્ય અને જ્ઞાન.... આ બધું પ્રધાનપણે ભાસતું હોય. પણ બોધને પર્યાયાર્થિકનયરૂપ બનવું હોય તો ક્યાં તો દ્રવ્ય ભાસવું ન જોઈએ ને ક્યાં તો ગૌણરૂપે ભાસવું જોઈએ. અહીં તો પ્રધાનપણે ભાસી રહ્યું છે. માટે આ પર્યાયાર્થિકનયરૂપ નથી. ટૂંકમાં શ્રીદેવસેનાચાર્યનો આવો અભિપ્રાય હોવો જોઈએ કે - “બોધ પર્યાયાર્થિકનયરૂપ તો જ બની શકે જો એમાં દ્રવ્ય પ્રધાનરૂપે ભાસતું ન હોય. અને જેમાં દ્રવ્ય પ્રધાનરૂપે ભાસતું ન હોય ને છતાં દ્રવ્ય અને ગુણ-પર્યાયનો ભેદ પ્રધાનરૂપે ભાસતો હોય આવો બોધ ક્યારેય સંભવિત નથી...” માટે અભેદનિરપેક્ષ કે અભેદસાપેક્ષ એવો ભેદગ્રાહી પર્યાયાર્થિક નય સંભવતો નથી. અને તેથી માત્મનો જ્ઞાનમ્, ટિસ્ય .. આવા ધર્મ અને ધર્મેના ભેદને મુખ્યપણે જણાવનારા બોધને પર્યાયાર્થિકનયરૂપે કહી શકાતો નથી. વળી એને દ્રવ્યાર્થિકનયરૂપે પણ કહી શકાતો નથી એ આપણે હાલ જ પૂર્વે વિચારી ગયા છીએ. માટે આવો બોધ અને આવો વચનપ્રયોગ “નય' રૂપ બની શકતો નથી, કારણ કે જે નયરૂપ હોય એનો આ બેમાંથી એકમાં સમાવેશ થવો જ જોઈએ. આમ, નયરૂપ બની શકતો ન હોવાથી શ્રીદેવસેનાચાર્ય અને ઉપનય કહ્યો હોય એમ માનવું યોગ્ય લાગે છે. શંકા: ભનો જ્ઞાનમ્... વગેરેમાં જો આત્મદ્રવ્ય અને જ્ઞાનાદિ ગુણ-પર્યાય... આ બંનેનું મુખ્યરૂપે ગ્રહણ છે, ને તેથી એ બોધ ‘નથ’રૂપ બની શકતો નથી... તો એને ‘પ્રમાણ” રૂપ જ કહી દો ને.... ઉપનય' રૂપે કહેવાની શી જરૂર છે ? કારણ કે પ્રમાણમાં બન્નેનું પ્રધાનરૂપે ગ્રહણ હોય છે જ... સમાધાન : ના, વિવણિત બોધને પ્રમાણરૂપે પણ કહી શકાતો નથી, કારણ કે પ્રમાણમાં તો ભેદની જેમ અભેદનું પણ પ્રધાનપણે ગ્રહણ હોય છે, જ્યારે આમાં અભેદનું પ્રધાનપણે ગ્રહણ નથી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઢાળ-૭ : ગાથા-૧-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જ છઇ, ભિન્નદ્રવ્યસંયોગાપેક્ષા નથી. વ્યવહાર તે માર્ટિ જે-ભેદ દેખાડિઇ છઇ. II ૭-૨॥ જિમ-જગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” ઇમ-ષષ્ઠીઇ પ્રયોગ કીજઇ, તથા “મતિજ્ઞાનાદિક ટૂંકમાં, શ્રી દેવસેનાચાર્યનો અભિપ્રાય આવો હોવો સંભવે છે કે જેમાં અભેદનું ગ્રહણ જ નથી, અથવા હોય તો પણ ગૌણપણે ગ્રહણ છે તેવા, ભેદનું મુખ્યપણે ગ્રહણ કરનાર, સાત્મનો જ્ઞાનમ્, ઘટસ્થ રૂપમ્ વગેરે બોધ અને વચનપ્રયોગ, ભેદનું પ્રધાનપણે ગ્રહણ કરનાર હોવાથી દ્રવ્યાર્થિકનય નથી, દ્રવ્યનું પણ પ્રધાનપણે ગ્રહણ કરનાર હોવાથી પર્યાયાર્થિકનય નથી, અને અભેદનું પ્રધાનપણે ગ્રહણ ન કરનાર હોવાથી પ્રમાણ નથી... વળી, દ્રવ્યનું પ્રધાનપણે ગ્રહણ એને (પર્યાયાર્થિક) નયરૂપે બનવા દેતું નથી એ વાત સાચી, છતાં, પર્યાયનું પ્રધાનપણે ગ્રહણ, ભેદનું પ્રધાનપણે ગ્રહણ અને અભેદની ગૌણતા... આ બધું એને નયની સમીપ તો લાવીને મૂકી જ દે છે... માટે નયનું સામીપ્ય હોવાથી આ ઉપનય છે. શ્રીદેવસેનાચાર્યે જો આવા અભિપ્રાયથી જ આને ઉપનયરૂપે કહેલ હોય તો આમાં નીચે મુજબની આપત્તિ સંભવી શકે છે (૧) ઉપર જે રીતે આવા બોધમાં નયનું સામીપ્ય કહ્યું એ રીતે તો એમાં પ્રમાણનું સામીપ્ય પણ કહી જ શકાય છે... અર્થાત્ આવું કહી જ શકાય છે કે - અભેદનું પ્રધાનપણે ગ્રહણ આટલો અંશ ન હોવાથી આવો બોધ પ્રમાણરૂપ નથી એ વાત સાચી, છતાં, દ્રવ્યનું પ્રધાનપણે ગ્રહણ, પર્યાયનું પ્રધાનપણે ગ્રહણ, ભેદનું પ્રધાનપણે ગ્રહણ... આ બધા અંશો આવા બોધને પ્રમાણપણાંની નજીક તો લાવી જ દે છે. એટલે પ્રમાણનું સામીપ્ય હોવાથી આવો બોધ ઉપપ્રમાણ છે આવું પણ કહેવાની આપત્તિ આવે. ગ્રન્થકારે આવી આપત્તિ આગળ આઠમી ઢાળની ઓગણીશમી ગાથામાં દર્શાવેલી છે. (૨) શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિનું - ખાવડ્વા વયળપદા તાવડ્યા વેવ હુંતિ ખયવાયા (જેટલા વચનપથ છે એટલા નયવાદ છે) આવું જે વચન છે એનો વિરોધ થાય છે... કારણ કે આત્મનો જ્ઞાનમ્ વગેરે પણ વાક્યપ્રયોગો છે ને એને આમાં નય તરીકે નિષેધવામાં આવી રહ્યાં છે. (૩) આગળ આઠમી ઢાળમાં શ્રીદેવસેનાચાર્ય ખુદ નીવસ્ય વલજ્ઞાનમ્, નીવસ્ય મતિજ્ઞાનમ્ આને સભ્તવ્યવહારનય તરીકે કહેવાના જ છે... પછી અહીં એને નય તરીકે નકારી ઉપનય તરીકે કહેવાની શી જરૂર ? એટલે આવા ઉપનય વગેરે ભેદોની કશી જરૂર જણાતી નથી... છતાં શ્રીદેવસેનાચાર્યે નયચક્રમાં કહેલા છે ને ગ્રન્થકારે અહીં લીધા છે, માટે આપણે એ દૃષ્ટિએ હવે આ ઉપનયોને વિચારીએ... Page #264 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧-૪ ૨૪૫ આત્મદ્રવ્યના ગુણ” ઇમ બોલાવિઇ. ૭-૩ ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયવંતનો, સ્વભાવ-સ્વભાવવંતનો, કારક અનઈ તન્મય કહતાં - તિહાં સબૂત. ત્રણ ઉપનયોમાં સબૂત વ્યવહાર એ પ્રથમ ઉપાય છે. એ ધર્મ અને ધર્મી. આ બેનો ભેદ દેખાડનાર હોય છે. તેના વળી બે પ્રકાર છે. શુદ્ધ અને અશુદ્ધ. આમાં, ધર્મ અને ધર્મીનો ભેદ જણાઈ રહ્યો છે, માટે આ વ્યવહારનય છે.. આમાં, વિવક્ષિત ધર્મી સિવાય બીજું કોઈ જ દ્રવ્ય ભળવાની-અન્ય દ્રવ્યના સંયોગની કોઈ અપેક્ષા નથી... એટલે કે જે ધર્મ કહેવો છે તે ધર્મીભૂત દ્રવ્યનો જ છે... એ ધર્મીભૂતદ્રવ્યમાં કોઈક અન્ય દ્રવ્ય ભળેલું છે... ને એ દ્રવ્યનો ધર્મ વિવક્ષિત ધર્મીદ્રવ્યમાં ભાસી રહ્યો છે. આવું કાંઈ છે નહીં. માટે આ સભૂત વ્યવહારઉપનય છે. આ ધર્મ જો શુદ્ધ હોય તો શુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનય કહેવાય છે અને જો અશુદ્ધ હોય તો અશુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનય કહેવાય છે. જેમકે જગતમાં “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન' આવો જે પ્રયોગ થાય છે એ શુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનય છે. કારણ કે આમાં ષષ્ઠીવિભક્તિ ભેદને જણાવે છે. અન્ય કોઈ દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. અને કેવલજ્ઞાન એ જીવનો શુદ્ધ ગુણ છે. તથા “આત્મદ્રવ્યના મતિજ્ઞાનાદિક ગુણ' આમ જે બોલાય છે તે અશુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનયનું ઉદાહરણ જાણવું... કારણ કે મતિજ્ઞાન વગેરે આત્માના અશુદ્ધ ગુણો છે. શંકા : મતિજ્ઞાન એ થાયોપથમિક ગુણ છે. માટે એને કર્મદ્રવ્યની અપેક્ષા છે. અર્થાત્ પુદ્ગલસંયોગાપેક્ષા હોવાથી આને સદ્ભુત શી રીતે કહી શકાય ? સમાધાન : જ્ઞાન એ આત્માનો પોતાનો ગુણ છે. એ માટે એને પુદ્ગલદ્રવ્યની કોઈ જ અપેક્ષા નથી... પુદ્ગલદ્રવ્ય અશુદ્ધિ નિર્માણ કરી છે. એ વાત અલગ છે. જ્ઞાન કાંઈ પેદા કર્યું નથી.. કર્મો-પુદ્ગલો પોતે જ જડ છે, પછી જ્ઞાનનું આધાન કઈ રીતે કરી શકે ? માટે અન્યદ્રવ્યસંયોગાપેક્ષા ન હોવાથી આ સદ્ભૂતવ્યવહાર જ છે... ધર્મ અશુદ્ધ છે. માટે અશુદ્ધ સદ્ભુત વ્યવહાર છે. આમ, ગુણ-ગુણવાન, પર્યાય-પર્યાયવાનું, સ્વભાવ-સ્વભાવવાનું અને કારક (= ઉપાદાનકારણપરિણામકારણ) અને તન્મય = કારકી (= પરિણામરૂપ કાર્ય) આ બધાનો એકદ્રવ્યાનુગત ભેદ જે કહીએ એ બધું આ ઉપનયનો અર્થ જાણવો. જેમકે ધટય રૂપનું ધટી રતા, ઘટી સ્વભાવ: અને મૃતા પટો નિષ્ણાતિતઃ.. આ બધા ક્રમશઃ આ ગુણ-ગુણવાનું વગેરેના ઉદાહરણ જાણવા.. એ બધા સમજવા સરળ છે. આમાં ઘડાનું રૂપ એ સહભાવી છે, માટે એને ગુણરૂપે કહેલ છે.. અને પહેલાં શ્યામતા હતી... પછી રક્તતા થઈ.... માટે એ ક્રમભાવી હોવાથી રક્તતાને પર્યાય તરીકે કહેલ છે. ચોથું મૃદ્દા પટો નિષ્ણાવિત: આવું જે દૃષ્ટાન્ન આપ્યું છે આના ભાવાર્થરૂપે માટીનો ઘડો' આ પ્રયોગ સમજવાથી કારક-કારકીના ભેદને જણાવનાર સભૂતવ્યવહારઉપનય સમજાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઢાળ-૭ : ગાથા-૧-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કારકી, તેહનો જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિઈ, તે સર્વ એ ઉપનયનો અર્થ જાણવો. “ઘટી રૂમ, ઘટસ્થ રતા, ઘટી 4માવ:, મૃતા પટો નિષ્પતિઃ” ઇત્યાદિ પ્રયોગ જાણવા. || ૭-૪ || અહીં જે શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ કહ્યા છે એમાંથી આત્મદ્રવ્ય (ધર્મા) અંગે તો બન્ને ભેદ ઘટી શકે છે... પણ અન્ય પુદ્ગલાદિદ્રવ્ય અંગે માત્ર શુદ્ધ ભેદ જ ઘટી શકે, અશુદ્ધભેદ સંભવી શકે નહીં. એમ લાગે છે કારણ કે પુદ્ગલાદિના કોઈ ગુણ અશુદ્ધ થતા હોય એમ જણાતું નથી... શંકા : જે સહજ હોય તે શુદ્ધ... અને સોપાધિક હોય તે અશુદ્ધ.. આ રીતે ભેદ પડી શકે ને.... પ્રતિશંકા : પુદ્ગલાદિ માટે સોપાધિક ગુણ કોને કહેવાના ? શંકા : કેમ, સોનાની કાળાશ’ આમાં કાળાશને સોપાધિક કહી શકાય ને... સમાધાન : સોનામાં જે માટી વગેરે અશુદ્ધિ ભળેલી હોય છે, એની એ કાળાશ હોય છે. સોનાની પોતાની નથી હોતી. સોનું પણ પુદ્ગલ છે. ને માટી પણ પુદ્ગલ છે... એટલે પુદ્ગલરૂપે જ ગણવાનું હોય તો અન્ય દ્રવ્ય છે નહીં, માટે સોપાધિક નથી. અને સોનારૂપે સોનાને ગણીને માટીને અન્ય દ્રવ્ય કહીએ... તો અન્ય દ્રવ્યના ગુણરૂપ કાળાશનો સોનામાં ઉપચાર હોવાથી આ સદ્ભૂતવ્યવહાર જ નહીં રહે. શંકા : જે સહજ હોય તે શુદ્ધ અને બદલાયા કરે તે અશુદ્ધ... આમ લઈએ તો ? સમાધાન : તો પુદ્ગલદ્રવ્યમાં, ઘટસ્થ રૂપ, ઘટી રસ:.. આ બધાને જ શુદ્ધ કહી શકાશે.પણ ઘટશ્ય રતી વગેરેને નહીં કારણ કે પુ લમાં રૂપાદિ બદલાયા જ કરતા હોય છે... શંકા : પુદ્ગલ જીવગૃહીત થાય ને એના કારણે એમાં જે રૂપાદિ પેદા થાય છે એને અશુદ્ધ કહીએ તો ? સમાધાન : તો પુગલ અંગે શુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનયનો લગભગ અભાવ થઈ જશે. કારણ કે જગત્માં જે રૂપ-રસાદિનો વ્યવહાર થાય છે એ બધા જીવગૃહીત પુદ્ગલના જ હોય છે... જે પુદ્ગલ જીવગૃહીત નથી બન્યું, અર્થાત્ વર્ગણારૂપે જ રહેલ છે એની કાળાશ-રક્તતા વગેરેનો આ જગત્માં ક્યાંય વ્યવહાર જોવા મળે છે ? (શાસ્ત્રોમાં થોડો ઘણો, પરમાણુનો એક ગુણ શ્યામવર્ણ, દ્વિગુણ શ્યામવર્ણ.. વગેરે રૂપે વ્યવહાર મળે છે.) અને ધર્માસ્તિકાય વગેરેમાં તો આવી પણ કોઈ સંભાવના નથી... એટલે શુદ્ધ-અશુદ્ધ. એવા બે ભેદ આત્મદ્રવ્ય અંગે... અને બાકીના દ્રવ્ય અંગે તો માત્ર શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય. આમ માનવું યોગ્ય લાગે છે... | ૯૦, ૯૧, ૯૨, ૯૩ || Page #266 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૫-૮ ૨૪૭ અસદ્ભૂત વ્યવહાર, પર પરિણતિ ભલ્યઇ ।દ્રવ્યાદિક ઉપચારથી એ, II ૭-૫ ॥ ટબો પરદ્રવ્યની પરિણતિ ભલ્યઇ, જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિઇ, તે અસદ્ભૂત વ્યવહાર જાણવો. ॥ ૭-૫ | દ્રવ્યઇ દ્રવ્ય ઉપચાર, પુદ્ગલ જીવનઇ । જિમ કહિ જિન આગમઇ રે II ૭-૬ II કાલી લેશ્યા ભાવ, શ્યામગુણઇ ભલી । ગુણ ઉપચાર ગુણઇ કહો એ II ૭-૭ II પર્યાયઇ પર્યાય, ઉપચરિઇ વલી । હય ગય બંધ યથા કહિયા રે ॥ ૭-૮ II ટબો : તિહાં પહલો-દ્રવ્યઇ દ્રવ્યનો ઉપચાર. જિમ-જિન આગમમાંહિં-જીવનઇ પુદ્ગલ કહિઇ. ક્ષીર-નીર ન્યાયઇ પુદ્ગલસ્યું મિલ્યો છઇ. તે કારણઇ-જીવ પુદ્ગલ કહિઈ. એ ગાથાર્થ : પરદ્રવ્યની પરિણતિ ભળવાથી દ્રવ્યાદિકના ઉપચારથી જે કહેવાય છે તે અસદ્ભૂત વ્યવહારનય છે. | ૭-૫ || વિવેચન : અન્ય દ્રવ્ય એવી રીતે ભળી જાય છે કે જેથી મૂળ દ્રવ્ય પણ અન્ય દ્રવ્ય જેવું ભાસવાથી એ અન્ય દ્રવ્યાનુસાર ઉલ્લેખ પામે... આવું થાય તો આને પરપરિણતિ ભળી કહેવાય છે... આના કારણે દ્રવ્ય વગેરેના નવવિધ ઉપચારથી જે વચનપ્રયોગો થાય છે એ અસદ્ભૂત વ્યવહાર જાણવો. આના નવ પ્રકાર નીચે મુજબ છે. ૧. દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર. ૩. પર્યાયમાં પર્યાયનો ઉપચાર. ૫. દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર. ૨. ગુણમાં ગુણનો ઉપચાર. ૪. દ્રવ્યમાં ગુણનો ઉપચાર. ૬. ગુણમાં દ્રવ્યનો ઉપચાર. ૭. પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર. ૮. ગુણમાં પર્યાયનો ઉપચાર. આ નવેના ઉદાહરણ હવે પછીની ગાથાઓમાં ગ્રન્થકાર ૯. પર્યાયમાં ગુણનો ઉપચાર. આપી રહ્યા છે. ।। ૯૪ || ગાથાર્થ : (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર... જેમકે જિનાગમમાં જીવને પુદ્ગલ કહ્યો છે. (૨) ગુણમાં ગુણનો ઉપચાર... જેમકે પુદ્ગલના શ્યામગુણનો આરોપ કરીને ભાવલેશ્યાને ‘કૃષ્ણ’ કહેવી તે. (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર... જેમકે જીવના હાથી-ઘોડા વગેરે પર્યાયોમાં સ્કંધાત્મક પુદ્ગલપર્યાયનો આરોપ કરવો તે. ॥ ૭-૬, ૭, ૮ ॥ વિવેચન : જીવ, પુદ્ગલ દ્રવ્ય સાથે ક્ષીર-નીરવત્ એકમેક મળ્યો છે... તેથી (૧) જીવને શ્રી જિનાગમમાં ‘પુદ્ગલ' રૂપે કહેલ છે... આ દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર છે. (૨) ભાવલેશ્યા એ આત્માનો અરૂપી ગુણ છે. પણ કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્યના શ્યામાદિ વર્ણાત્મક ગુણનો ઉપચાર કરીને એ લેશ્યાગુણને કૃષ્ણ-નીલ વગેરે જે કહેવા એ આત્મગુણમાં પુદ્ગલ ગુણનો ઉપચાર છે. (૩) હય = અશ્વ, ગય = હાથી... આ બધા આત્મદ્રવ્યના અસમાનજાતીય પર્યાય છે... સ્કંધ એ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઢાળ-૭ : ગાથા-૯-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જીવદ્રવ્યો પુદ્ગલ દ્રવ્યનો ઉપચાર, ૧. . ૭-૬ / ભાવલેશ્યા આત્માનો અરૂપી ગુણ છછે, તેહનઈ-જે કૃષ્ણ-નીલાદિક કહિ છો, તે કૃષ્ણાદિ પુદ્ગલ દ્રવ્યના ગુણનો ઉપચાર કીજ છો, એ આત્મગુણઈ પુદ્ગલગુણનો ઉપચાર જાણવો, ૨. / ૭-૭ છે. પર્યાયઈ-હય ગય પ્રમુખ આત્મદ્રવ્યના અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, તેહનઈ-બંધ કહિછે છો, તે આત્મપર્યાય ઉપરિ પુદ્ગલપર્યાય જે સ્કંધ, તેહનો ઉપચાર કરીનઈ, ૩. / ૭-૮ || દ્રવ્યો ગુણઉપચાર, વળી પર્યાયનો “ગૌર” “દેહ” “હું” બોલતાં એ ૭૯ ગુણઈ દ્રવ્ય ઉપચાર, પર્યાયે દ્રવ્યનો “ગૌર દેહ” જિમ-આતમાં એ // ૭-૧૦ | ગુણિ પક્ઝવ ઉપચાર, ગુણનો પજવઈ ! - જિમ મતિ તનુ તનુ મતિ ગુણો એ ll૭-૧૧ || કચ્ચે મુજેપર:- “હું ગૌર” ઇમ બોલતાં “હું” . તે આત્મદ્રવ્ય, તિહાં “ગૌર” - તે પુદ્ગલનો ઉજવેલતાગુણ ઉપચરિઓ, ૪. “દળે પોપચાર?” જિમ - “હું દેહ” ઇમ બોલિઈ, “હું” - તે આત્મદ્રવ્ય, તિહાં - “દેહ” તે પુદ્ગલદ્રવ્યનો - અસમાનજાતીય દ્રવ્યપર્યાય ઉપચરિઉં, ૫. || ૭-૯ છે. પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં હય-ગય વગેરેને સ્કંધરૂપે કહ્યા છે. આ જીવદ્રવ્યના પર્યાયમાં પુદ્ગલના પર્યાયનો ઉપચાર થયો. “આવશ્યક શ્રુત સ્કંધ' આ નામમાં રહેલા ‘સ્કંધ' ના નિક્ષેપ કરતી વખતે શ્રી અનુયોગદ્વારમાં આવું સૂત્ર છે - से किं तं सचित्ते दव्वखंधे? २ अणेगविहे पण्णत्ते, तं जहा-हयखंधे गयखंधे किन्नरखंधे किंपुरिसखंधे महोरगखंधे गंधव्वखंधे उसभखंधे से तं सचित्ते दव्वखंधे ।। सू. ४७ ।। આમાં હાથી-ઘોડાને સ્કંધરૂપે કહેલા છે એ સ્પષ્ટ છે. | ૯૫, ૯૬, ૯૭ | ગાથાર્થ ઃ (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર... જેમકે હું ગોરો. (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર.. જેમકે હું દેહ.. (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર. જેમકે ગોરો તે આત્મા (૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર... જેમકે દેહ તે આત્મા.. (2) ગુણમાં પર્યાયનો ઉપચાર... જેમકે મતિજ્ઞાન એ શરીર.... (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર... જેમકે શરીર એ મતિજ્ઞાન || ૭-૯, ૧૦, ૧૧ // વિવેચન : “હું ગોરો' આવું બોલાય છે તે દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. કારણ કે હું એ આત્મદ્રવ્ય છે. એમાં પુગલના ગૌરવર્ણરૂપ ગુણનો ઉપચાર કર્યો છે. ૪. “હું દેહ' આવું બોલાય છે તે દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર છે. કારણ કે “હું” એ આત્મદ્રવ્ય છે, અને દેહ એ પુદ્ગલ દ્રવ્યની એક ચોક્કસ અવસ્થારૂપ હોવાથી એના પર્યાયરૂપ છે. આમ, આત્મદ્રવ્યમાં અસમાનજાતીય દ્રવ્યના પર્યાયનો અહીં ઉપચાર છે. પ. “આ જે ગોરું દેખાય છે તે આત્મા છે' આમ, Page #268 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫ ૨૪૯ શુને દ્રવ્યોપચાર:- જિમ જે “એ ગૌર દીસઇ છઇ તે આત્મા” ઇમ-ગૌર ઉદ્દિશીનઇ આત્મવિધાન કીજઇ, એ ગૌરતારૂપ પુદ્ગલગુણ ઉપર આતમ દ્રવ્યનો ઉપચાર, ૬. “પર્યાય દ્રવ્યોપચાર:” જિમ-કહિઇ “દેહ તે આત્મા” ઇહાં-દેહ રૂપ પુદ્ગલપર્યાયનઇ વિષયઇ આત્મદ્રવ્યનો ઉપચાર કરિઓ, ૭. || ૭-૧૦ || “શુને પર્યાયોપચાર:-” “મતિજ્ઞાન તે શરીર જ” શરીરજન્ય છઇ, તે માર્ટિ. ઇહાંમતિજ્ઞાન રૂપ આત્મગુણનઇ વિષયઇ શરીરરૂપ પુદ્ગલ પર્યાયનો ઉપચાર કરિઉં, ૮. પચે તુળોપચાર:- જિમ પૂર્વપ્રયોગ જ અન્યથા કરિઇ - શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ જ. ઇહાં શરીરરૂપ પર્યાયન વિષયઇ મતિજ્ઞાનરૂપ ગુણનો ઉપચાર કીજઇ છઇ, ૯. ॥ ૭-૧૧ || અસદ્ભૂતવ્યવહાર, ઇમ ઉપચારથી એહ ત્રિવિધ હિવઇ સાંભળો એ. ॥૭-૧૨॥ અસદ્ભૂત નિજ જાતિ, જિમ પરમાણુઓ । બહુ પ્રદેશી ભાષિઇ એ ॥ ૭-૧૩ ॥ તેહ વિજાતિ જાણો, જિમ મૂરત મતી । મૂરત દ્રવ્યઇ ઉપની એ ॥ ૭-૧૪ || અસદ્ભૂત દોઉ ભાંતિ, જીવ-અજીવનઇ વિષયગ્યાન જિમ ભાસિઇ એ II૭-૧૫॥ ગૌરવર્ણને ઉદ્દેશીને આત્માનું વિધાન જે કરાય છે તે ગૌરવર્ણરૂપ પુદ્ગલગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર છે... એટલે કે ગુણમાં દ્રવ્યોપચાર નામે છઠ્ઠો ભેદ છે. ૬. ‘આ શરીર એ જ આત્મા...’ આ રીતે દેહાત્મક પુદ્ગલપર્યાયમાં આત્મદ્રવ્યનો ઉપચાર એ પર્યાયમાં દ્રવ્યોપચાર નામે સાતમો ભેદ છે. ૭. મતિજ્ઞાન શરીરજન્ય છે, માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને મતિજ્ઞાનને જ શરીરરૂપે કહેવું એ મતિજ્ઞાનરૂપ આત્મગુણમાં શરીરાત્મક પુદ્ગલપર્યાયનો ઉપચાર હોવાથી ગુણમાં પર્યાયનો ઉપચાર નામે આઠનો ભેદ છે. ૮. આ આઠમા પ્રયોગને જ ઉલટો કરવામાં આવે, એટલે કે કારણમાં કાર્યનો ઉપચાર કરીને શરીરને જ મતિજ્ઞાનરૂપે કહેવામાં આવે તો એ દેહાત્મક પુદ્ગલપર્યાયમાં મતિજ્ઞાનરૂપ આત્મગુણનો ઉપચાર હોવાથી પર્યાયમાં ગુણનો ઉપચાર નામે નવમો ભેદ છે. ૯. ॥ ૯૮, ૯૯, ૧૦૦ || ગાથાર્થ આ ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર કહ્યો... હવે એના ૩ પ્રકાર સાંભળો. સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર... જેમકે ‘પરમાણુને બહુપ્રદેશી કહીએ'. ૧. તે વિજાતિ અસદ્ભૂત વ્યવહા૨ જાણો... જેમકે મૂર્ત દ્રવ્યથી ઉત્પન્ન થયેલ હોવાથી મતિજ્ઞાનને મૂર્ત કહેવું... ૨. વળી દોઉ ભાંતિ સ્વજાતિ - વિજાતિ અસદ્ભૂત વ્યવહાર તેને કહીએ જે જીવ-અજીવ વિષયક જ્ઞાન કહેવું... || ૭-૧૨, ૧૩, ૧૪, ૧૫ ॥ = વિવેચન : ઇમ ઉપચારથી... આમ ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર ૯ પ્રકારનો કહ્યો. હવે આ અસદ્ભૂત વ્યવહારના જ અન્ય વિવક્ષાથી ત્રણ પ્રકાર કહીએ છીએ તે સાંભળો. અહીં ૯ પ્રકાર જે કહ્યા તેમાં જે દ્રવ્ય-ગુણ વગેરેના ઉદાહરણ કહ્યા એ સિવાયના ઉદાહરણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો ઃ એક સ્વજાતિ અસભૂત વ્યવહાર કહિછે, જિમ પરમાણુ બહુuદેશી કહિછે, બહુપ્રદેશી થાવાની જાતિ છો, તે માટેિ || ૭-૧૩ || તેહ અસભૂત વિજાતિ જાણો, જિમ “પૂર્વ પ્રતિજ્ઞીન'' કહિછે, મૂર્ત-જે વિષયાલોકમનસ્કારાદિક, તેહથી ઉપનું, તે માર્ટિ. ઇહાં મતિજ્ઞાન આત્મગુણ, તેહનાં વિષ મૂર્તત્વ પુદ્ગલગુણ ઉપચરિઓ તે વિજાત્યસભૂતવ્યવહાર કહિછે. . ૭-૧૪ . આવી શકે કે નહીં ? જેમકે જીવને ઉપચારથી પુદ્ગલ કહ્યો તો પુદ્ગલને ઉપચારથી ‘જીવ' રૂપે કહેવાય કે નહીં ? “આ કાળું છે એ જીવવું છે આવું જ બોલાય છે એમાં કાળું જે દેખાય છે એ પુદ્ગલ છે, ને એનો જીવ તરીકે ઉલ્લેખ થયેલો છે. એ તો હલનચલન વગેરે દ્વારા અંદર જીવ પણ રહેલો છે ને એનો જ જીવાત તરીકે ઉલ્લેખ થાય છે.' એવી દલીલ અસ્થાને છે... કારણ કે જીવને પુદ્ગલ જે કહેવાય છે તેમાં પણ ક્ષીરનીરવત્ પુદ્ગલ ભળેલું છે જ. “આ કાળું છે' એ શરીરનો ઉલ્લેખ છે અને શરીર એ પુદ્ગલનો પર્યાય છે એમ લઈએ તો “પુદ્ગલના પર્યાયમાં જીવદ્રવ્યનો ઉપચાર’ આ રીતે આ ઉદાહરણ લઈ શકાય કે કેમ ? એમ, કોઈ ખૂબ સુંદર વસ્તુ નિર્માણ થયેલી જોઈને (અર્થાત્ પુદ્ગલની એવી આકૃતિ વગેરે રૂપ પર્યાય કે એવા વર્ણાદિ ગુણ જોઈને) “આનું નામ હોંશિયારી” આવું જ કહેવાય છે. તેને, પુદ્ગલના પર્યાયમાં ગુણમાં જીવના ગુણ જ્ઞાનનો ઉપચાર.. એમ કહી શકાય કે કેમ ? એમ, પુલના અવાંતર ભેદોમાં આવા ઉપચાર અભિપ્રેત છે કે નહીં ? સુવર્ણભિન્ન દ્રવ્યમાં પણ, “આ તો સોનું જ જોઈ લ્યો” “આની ચમક એટલે.... સોનાની જ ચમક.” આવા બધા વચન પ્રયોગો, દ્રવ્યમાં દ્રવ્યનો (કે પર્યાયમાં પર્યાયનો), ગુણમાં ગુણનો... આવા બધા ઉપચાર તરીકે શ્રી દેવસેનાચાર્યને અભિપ્રેત છે કે નહીં? એ વિચારીને નિર્ણય કરવા યોગ્ય છે. - તથા, જે ૯ ભેદો અસભૂત વ્યવહારના કહ્યા અને હવે એના જ ૩ ભેદો જે કહેવાના છે... એ બેનો પરસ્પરમાં અન્તર્ભાવ છે કે નહીં ? હોય તો કોનો શેમાં અન્તર્ભાવ છે ? આ બધું સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે. હવે, આ અન્ય વિવેક્ષાથી કરેલા ૩ ભેદને વિચારીએ. (૧) સ્વજાતિ અસભૂત વ્યવહાર ઉપનય : જેમકે પરમાણુને બહુપ્રદેશી કહેવા. આપણે પૂર્વે બીજી ઢાળની પાંચમી ગાથાના વિવેચન દરમ્યાન દિગંબર અભિપ્રેત તિર્યપ્રચય' શબ્દનો વિચાર કરેલો છે... પ્રદેશ પ્રચય એ જ તિર્યપ્રચય તરીકે એમને માન્ય છે... અને આવી વ્યાખ્યાનુસાર પરમાણુમાં પણ તિર્યપ્રચય એમને અભિપ્રેત છે. એનો અર્થ જ પ્રદેશ પ્રચય=બહુપ્રદેશિત્વ માન્ય છે.. વસ્તુતઃ પરમાણુ અપ્રદેશ છે... પણ દિગંબરોના ગ્રન્થોમાં પરમાણુમાં પણ તિર્યકુપ્રચય કહેવા દ્વારા એને આ બહુપ્રદેશી જે કહ્યો છે તે સ્વજાતિ અસભૂત વ્યવહાર જાણવો. અપ્રદેશી પરમાણુને બહુપ્રદેશી તરીકે કહેવો એટલે “અસભૂત વ્યવહાર' હોવો તો સ્પષ્ટ જ છે. વળી પરમાણુ પણ પુદ્ગલ છે અને બહુપ્રદેશ સ્કંધ પણ પુદ્ગલ છે. એટલે, પુદ્ગલમાં પુદ્ગલનો જ ઉપચાર Page #270 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૨૫૧ દોઉં ભાંતિ સ્વજાતિ વિજાતિ અસદ્ભૂતવ્યવહાર કહિઇ, જિમ જીવાજીવ વિષયક જ્ઞાન કહિઇ. ઇહાં-જીવ જ્ઞાનની સ્વજાતિ છઇ, અજીવ વિજાતિ છઇ, એ ૨ નો વિષયવિયિભાવનામઇ ઉપચરિત સંબંધ છઇ તે સ્વજાતિ-વિજાત્યસદ્ભૂત કહિઈ. – હોવાથી ‘સ્વજાતિ' છે. ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫ શંકા : પરમાણુ અપ્રદેશી છે, તો બહુપ્રદેશી કેમ કહેવાય છે ? સમાધાન ઃ એટલા માટે કહેવાય છે કે એમાં બહુપ્રદેશી બનવાની યોગ્યતા છે, અર્થાત્ વ્યક્તિથી ભલે નથી, પણ શક્તિથી બહુપ્રદેશીપણું એમાં રહેલું જ છે. આમ, આ સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર થયો. (૨) વિજાતિ અસદ્ભૂત વ્યવહાર : મૂર્ત મતિજ્ઞાનમ્ આમ કહેવું એ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર ઉપનય છે. આમાં મતિજ્ઞાન આત્મગુણ છે... એ અમૂર્ત છે... પણ મૂર્ત એવા ઘટાદિવિષય, આલોક = પ્રકાશ, મનસ્કાર = મન... વગેરેથી ઉત્પન્ન થતું હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એ મૂર્ત કહેવાય છે. આમાં મૂર્તત્વ જે છે તે પુદ્ગલનો ગુણ છે... એટલે આત્મગુણમાં પુદ્ગલગુણનો ઉપચાર હોવાથી આ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે. (૩) સ્વજાતિ-વિજાતિ અસદ્ભૂત વ્યવહાર ઉપનય : જીવાજીવવિષયક જ્ઞાન કહેવું એ આ ઉપનય છે. આમાં જીવ એ જ્ઞાનની સ્વજાતિ છે... અને અજીવ એ વિજાતિ છે. એ બેનો જીવનો અને અજીવનો જ્ઞાન સાથે વિષય-વિષયી ભાવ નામે ઉપચરિત સંબંધ છે. વાસ્તવિક સંબંધ નથી... માટે આ અસદ્ભૂત ઉપનય છે. વળી એક (જીવ) સ્વજાતિ છે. અજીવ વિજાતિ છે...માટે આ સ્વજાતિ-વિજાતિ અસદ્ભુત ઉપનય છે. શંકા : જ્ઞાન તો જીવમાં રહે જ છે... માટે એનો જીવમાં વાસ્તવિક સંબંધ છે. ઉપચરિત સંબંધ નથી.. માટે એ અંશમાં આ ‘સદ્ભૂત' કેમ નથી ? સમાધાન : શ્રી દેવસેનાચાર્યકૃત આલાપ પદ્ધતિમાં આ ઉપનયના દૃષ્ટાન્ત તરીકે આવી પંક્તિ છે - સ્વપ્નાતિવિજ્ઞાત્યક્ષદ્ભૂતવ્યવહારો યથા ज्ञेये जीवेऽजीवे ज्ञानमिति कथनं, ज्ञानस्य विषयत्वात् । સંસ્કૃત ભાષામાં જેમ આધાર અર્થમાં સપ્તમી વિભક્તિ આવે છે એમ વિષય અર્થમાં સપ્તમી વિભક્તિ આવે છે એટલે અનીવે જ્ઞાનમ્ નો અર્થ અજીવવિષયકજ્ઞાન... થાય છે. એમ બીવે જ્ઞાનમ્... નો અર્થ જીવવિષયકશાન થાય છે... ગુજરાતી ભાષામાં પણ આ રીતે બોલાય છે... ‘ગણિતમાં આની જાણકારી (જ્ઞાન) ખૂબ સારી છે...' આમ, જીવમાં જ્ઞાન... અજીવમાં જ્ઞાન... આ સપ્તમી વિભક્તિ જે વપરાય છે... તે જીવમાં અને અજીવમાં જ્ઞાન રહ્યું છે એવો ભાસ કરાવે છે... પણ, અહીં ‘જીવમાં જ્ઞાન' આમ જે કહેવાય છે તે જીવ અને જ્ઞાન વચ્ચેના આપણને માન્ય ભેદાભેદ સંબંધને (કે નૈયાયિકને માન્ય સમવાય સંબંધને) નજરમાં લઈને નથી કહેવાતું. (એ પ્રમાણે કહેવાતું હોત તો આ અનુપચિરત સંબંધ હોવાથી ‘સદ્ભૂત' બનત...) પણ વિષય-વિષયીભાવ સંબંધને - Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઢાળ-૭ : ગાથા-૧૬-૧૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ “વનાતીયાંશે વિ. નાર્થ સમૂત: ?” રૂતિ વેત, 7, “વિજ્ઞાતીયાંશ રૂઢ વિષયસભ્યોપરિતાર્યવાનુમવા” રૂતિ ગૃહાણ || ૭-૧૫ // ઉપચરિતાસભૂત, કરિઈ ઉપચારો જેહ એક ઉપચારથી રે. . ૭-૧૬ / તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક / પુત્રાદિક છઈ માહરા એ. // ૭-૧૭ વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝા ગઢ-દેશાદિક ઉભયથી એ. // ૭-૧૮ ટો : જેહ એક ઉપચારથી બીજો ઉપચાર કરિઓ. તે ઉપચરિત અસભૂત વ્યવહાર કહિછે. . ૭-૧૬ | નજરમાં લઈને કહેવાય છે.... નહીંતર તો નીવે જ્ઞાનમ્ ની જેમ મનીવે જ્ઞાનમ્ પણ આ સંદર્ભમાં કહેવાતું હોવાથી અજીવમાં પણ આ અનુપચરિત સંબંધથી જ્ઞાન રહ્યું છે એવું માનવાની આપત્તિ આવે... અને એટલે જ ધારોકે જિનદત્ત જ્ઞાન કરી રહ્યો છે.. અને એ જિનદાસ સંબંધી જ્ઞાન કરી રહ્યો છે. તો આ જિનદત્તનું જ્ઞાન, નિનવારે જ્ઞાનમ્ (જિનદાસમાં જ્ઞાન... જિનદાસ વિષયક જ્ઞાન) એમ કહેવાશે. આમાં સ્પષ્ટ છે કે આ વિવક્ષિત જ્ઞાનનો જિનદત્ત નામના જીવમાં સદ્ભુત (અનુપચરિત) સંબંધ છે, પણ જિનદાસમાં તો ઉપચરિત સંબંધ જ છે. એટલે, ટૂંકમાં અહીં વિષયભૂત અજીવમાં જ્ઞાન કહેવું છે એમ જ વિષયભૂત જીવમાં જ જ્ઞાન કહેવાનો અભિપ્રાય છે. જ્ઞાતા જીવમાં જ્ઞાન કહેવાનો અભિપ્રાય નથી... માટે ઉપચરિત સંબંધ હોવાથી આ સ્વજાતિ-વિજાતિ-અસભૂત વ્યવહાર ઉપનય છે, એ નિઃશંક છે. ll૧૦૧, ૧૦૨, ૧૦૩ ૧૦૪ || ગાથાર્થ : એક ઉપચાર દ્વારા બીજો ઉપચાર જે કરાય છે તે ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય છે. હું પુત્રાદિક છું” “પુત્રાદિક માહરા છે' આવું બધું કથન એ સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. “વસ્ત્રાદિક માહરા છે' આવું કથન એ વિજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. “ગઢ-દેશ વગેરે માહરા છે' આવું કથન એ ઉભય ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. I૭-૧૬, ૧૭, ૧૮ || વિવેચન : સદ્ભુત વ્યવહાર ઉપનય અને અસત્કૃત વ્યવહાર ઉપનય એમ ઉપનયના બે ભેદ કહ્યા પછી હવે ત્રીજો ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય કહેવામાં આવે છે. જેમાં એકવાર ઉપચાર થયેલો છે. એ ઉપચરિત પદાર્થ કહેવાય છે. આવા ઉપચરિત પદાર્થમાં ફરીથી (બીજો) ઉપચાર કરીને જે કથન થાય છે એ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય કહેવાય છે. આમાં ઉપચરિત પદાર્થ અને હવે નવો ઉપચાર પામતો પદાર્થ... આ બન્ને એક જ જાતિના હોય તો સ્વજાતિ કહેવાય છે, જુદી જુદી જાતિના હોય તો વિજાતિ કહેવાય છે અને ઉભયસમુદાયરૂપ હોય તો ઉભયજાતિ કહેવાય છે. એટલે આ અપેક્ષાએ આ ઉપચરિત અસદ્ભુત વ્યવહારના પણ ત્રણ પ્રકાર છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧૬-૧૮ તે સ્વજાતિ ઉપચરિતાસભૂત વ્યવહાર જાણો જે “હું પુત્રાદિક” ઈમ કહઈ. ઇહાં - “માહરા” એ કહેવું પુત્રાદિક નો વિષય છે તે પુત્રાદિક ઉપચરિયા છો. તેહસ્ય આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઈ છો. પુત્રાદિક તે આત્મપર્યાયરૂપઈ સ્વજાતિ છઈ, પણિ કલ્પિત છઇ, નહી તો સ્વશરીરજન્ય મસ્કુણાદિકનાં પુત્ર કાં ન કહિછે? ૭-૧૭ | વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે કહિછે જે “માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિછે. ઈહાં વસ્ત્રાદિક પુગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છો, નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ન કહિછે ? તેહ વિજાતિમાં સંબંધ ઉપચરિઇ છઈ. “માહરા ગઢ દેશ પ્રમુખ છઈ” (૧) સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય : પુત્રાદિકને વિષે ગાઢ મમત્વાદિના કારણે - “પુત્ર એ હું જ છું ને..” “પત્ની એ હું જ છું ને..” (અમે કાંઈ જુદા થોડા છીએ?) આવું બધું જ કહેવાય છે તે આ પ્રકારનો ઉપનય છે. અહીં પુત્ર વગેરે ઉપચરિત પદાર્થ છે.... તેમાં આત્માના ભેદભેદ સંબંધનો આમાં ઉપચાર છે.. (હું જ પુત્રાદિક એમ કહો તો અભેદ સંબંધ... અને માહરાં પુત્રાદિક એમ કહો તો ભેદ સંબંધ.) વળી પુત્રાદિક પણ આત્મપર્યાયરૂપ છે... માટે સ્વજાતિ જ છે. એટલે એ સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય છે. શંકા : અહીં “પુત્રાદિક' ને ઉપચરિત પદાર્થ તરીકે કેમ કહ્યા છે ? સમાધાન : મનુષ્યત્વ વગેરે આત્માના અનુપચરિત પર્યાય છે. પણ પુત્રત્વ તો અમુક અપેક્ષાએ હોવાથી માત્ર કલ્પનાનો વિષય છે. કારણ કે માતા-પિતાની અપેક્ષાએ જ પુત્રત્વ છે... ભાઈ-બહેનની અપેક્ષાએ ભ્રાતૃત્વ છે. મામાની અપેક્ષાએ ભાગિનેયત્વ છે. આમ, કલ્પનાનુસારે હોવાથી સાપેક્ષ હોવાથી પુત્રત્યાદિક એ આત્માનો ઉપચરિત પર્યાય છે. અનુપચરિત પર્યાય નથી. શંકા : ધારોકે માત-પિતાને સ્વ' કહીએ તો, પુત્રત્વ એ સ્વશરીરજન્યત્વરૂપ છે, જે સાપેક્ષકાલ્પનિક નથી, પણ વાસ્તવિક છે. પછી, ઉપચરિત શા માટે ? સમાધાન : આવું સ્વશરીરજન્યત્વ તો માંકડ વગેરેમાં પણ હોય છે. તો એ પણ શું પુત્ર' કહેવાશે? એટલે “પુત્રત્વ' એ માત્ર સ્વશરીરજન્યત્વરૂપ નથી.... પણ એ સાથે કોઈ વિશેષ કલ્પનાનો વિષય છે. ને તેથી ઉપચરિત છે. (૨) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય : “મારા વસ્ત્રાદિક આવું જ કહેવાય છે એ આ ઉપનયનું કથન છે. અહીં વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય છે. માટે વિજાતીય છે... વળી ઉપચરિત છે. શંકા : વસ્ત્રમાં શરીરાચ્છાદકત્વ જે વાસ્તવિક રહ્યું છે તે જ વસ્ત્રત્વરૂપ છે માટે એ ઉપચરિત કેમ કહેવાય ? સમાધાન : તો વૃક્ષની છાલ વગેરેમાંથી બનતા વલ્કલ વગેરે પણ શરીરાચ્છાદક છે જ. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઢાળ-૭ : ગાથા-૧૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઇમ કહતાં - સ્વજાતિ વિજાત્યુપચરિતાસદ્ભૂત વ્યવહાર કહિઇ, જે માટેિં ગઢ દેશાદિક જીવ અજીવ ઉભય સમુદાયરૂપ છઇ. ॥ ૭-૧૮ ॥ ઉપનય ભાષ્યા એમ, અધ્યાત્મ નય । કહી પરીક્ષા જસ લહો એ. ॥ ૭-૧૯॥ ટબો : ઇમ ઉપનય કહિયા. હિવઇ આગિલી ઢાલમાંહિં અધ્યાત્મ નય કહીનઇ એહમાંહિં ગુણદોષ પરીક્ષાનો યશ પામો. ॥ ૭-૧૯ || તો પણ ‘વસ્ત્ર’રૂપ કેમ ન કહેવાય ? તેથી ‘વસ્ત્ર' એવું નામ એક ચોક્કસ કલ્પનાને આધારે હોવાથી કલ્પિત છે. ને તેથી ‘વસ્ત્ર' ઉપરિત છે. એ ઉપચરિત વિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો ઉપચાર છે... માટે આ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. (૩) સ્વજાતિ-વિજાતિ ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર ઉપનય : ‘આ ગઢ મારો છે...’ ‘આ દેશ મારો છે...' આવું બધું કથન એ આ ઉપનય રૂપ છે. કારણ કે ગઢ-દેશ વગેરે જીવઅજીવ ઉભયના સમુદાયરૂપ છે... આ વાત સ્પષ્ટ છે. II ૧૦૫, ૧૦૬, ૧૦૭ ॥ 0: ગાથાર્થ : આમ ઉપનય કહ્યા. હવે અધ્યાત્મ નય કહીને પછી એની પરીક્ષાનો યશ મેળવો. || ૭-૧૯ || વિવેચન : આ પ્રમાણે આ ઢાળમાં ત્રણ ઉપનય કહ્યા. હવે આગળની આઠમી ઢાળમાં દિગંબર માન્ય અધ્યાત્મનય કહીને પછી દિગંબરમાન્ય નવનયની કલ્પના, ત્રણ ઉપનય વગેરેમાં ગુણ-દોષ વિચારવામાં આવશે. અને એ દ્વારા તમે પણ યશને પામનારા બનો. ॥ ૧૦૮ ॥ શ્રી દેવસેનાચાર્યકૃત આલાપ પદ્ધતિમાં ઉપનયોને જણાવનારો પાઠ આ પ્રમાણે છે उपनयभेदा उच्यन्ते - सद्भूतव्यवहारो द्विधा । शुद्धसद्भूतव्यवहारो यथा शुद्धगुणशुद्धगुणिनोः शुद्धपर्यायशुद्धपर्यायिणोर्भेदकथनम् । अशुद्धसद्भूतव्यवहारो यथा अशुद्धगुणाशुद्धगुणिनोरशुद्धपर्यायाशुद्धपर्यायिणोर्भेदकथनम् । इति सद्भूतव्यवहारोऽपि द्वेधा । असद्भूतव्यवहारस्त्रेधा । स्वजात्यसद्भूतव्यवहारो यथा परमाणुर्बहुप्रदेशीति कथनमित्यादि । विजात्यसद्भूतव्यवहारो यथा मूर्तं मतिज्ञानं, यतो मूर्तद्रव्येण जनितम् । स्वजातिविजात्यसद्भूतव्यवहारो यथा - ज्ञेये जीवेऽजीवे ज्ञानमिति कथनं, ज्ञानस्य विषयत्वात् । इत्यसद्भूतव्यवहारस्त्रेधा । उपचरितासद्भूतव्यवहारस्त्रेधा । स्वजात्युपचरितासद्भूतव्यवहारो यथा - पुत्रदारादि मम । विजात्यु - पचरितासद्भूतव्यवहारो यथा - वस्त्राभरणहेमरत्नादि मम । स्वजातिविजात्युपचरितासद्भूतव्यवहारो यथादेशराज्यदुर्गादि मम । इत्युपचरितासद्भूतव्यवहारस्त्रेधा । સાતમી ઢાળ પૂરી. Page #274 -------------------------------------------------------------------------- ________________ ઢાળ આઠમી દોઉ મૂલનય ભાષિયા રે, નિશ્ચય નઇ વ્યવહાર । નિશ્ચય દ્વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે પ્રાણી પરખો આગમભાવ || ૮-૧ ॥ જીવ કેવલાદિક યથા રે, શુદ્ધવિષય નિરુપાધિ । મઇનાણાદિક આતમા રે, અશુદ્ધ તે સોપાધિ રે ॥ પ્રાણી ॥ ૮-૨ ॥ ટબો : પ્રથમ અધ્યાત્મ ભાષાઇ ૨ નય કહિયા એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય. તિહાં નિશ્ચયનય દ્વિવિધ કહીઓ-એક શુદ્ધ નિશ્ચય નય, બીજો અશુદ્ઘનિશ્ચયનય. હે પ્રાણી ! આગમના ભાવ પરખીનઇ ગ્રહો. ॥ ૮-૧ ॥ દિગંબરાચાર્યશ્રી દેવસેન કૃત નયચક્રમાં આપેલ નિરૂપણની વિચારણા ચાલી રહી છે. એને જ આગળ ચલાવતાં ગ્રન્થકાર હવે એમને માન્ય બે મૂળનયની વાત આ ઢાળમાં પ્રારંભે કરી રહ્યા છે. ગાથાર્થ : અધ્યાત્મની દૃષ્ટિએ બે મૂળ નય કહ્યા છે. નિશ્ચયનય અને વ્યવહારનય. તેમાં નિશ્ચયનય બે પ્રકારનો કહ્યો છે. શુદ્ધ અને અશુદ્ધ. નિરુપાધિક શુદ્ધ વિષયને નજરમાં લઈને જીવને કેવલજ્ઞાનાદિરૂપ કહેવો એ શુદ્ધનિશ્ચય છે... અને સોપાધિક અશુદ્ધ ગુણને નજરમાં રાખીને જીવને મતિજ્ઞાનાદિકરૂપ કહેવો એ અશુદ્ધ નિશ્ચયનય છે. હે પ્રાણી ! આગમના ભાવ પરખો. II ૮-૧, ૨ ॥ વિવેચન : શ્રી દેવસેનાચાર્યે નયોની બે રીતે પ્રરૂપણા કરી છે... તર્કશાસ્ત્રને અનુસરનારા નયો અને અધ્યાત્મની દૃષ્ટિવાળા નયો. તર્કશાસ્ત્રની દૃષ્ટિએ - અર્થાત્ તર્કસંગત થાય એ રીતે, જુદા-જુદા દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો તે તે પદાર્થ કેવો ભાસે ? એવું કથન ૯ નય તથા ત્રણ ઉપનય દ્વારા થાય છે... આ નિરૂપણ સર્વપદાર્થોને આવરી લેનારું હોય છે. માત્ર આત્મા અને આત્મસંલગ્ન બાબતોનો જુદા - જુદા દૃષ્ટિકોણથી વિચાર કે જે વૈરાગ્યના પોષણ દ્વારા અધ્યાત્મને સાધનારો બને... અધ્યાત્મનો પોષક બને... એ આધ્યાત્મિક નય છે. નયોના બે અલગ-અલગ પ્રકારના નિરૂપણ પાછળ શ્રી દેવસેનાચાર્યનો અભિપ્રાય આવો કોઈક હોવો જોઈએ. એકત્વ-અનિત્ય-અન્યત્વ વગેરે ભાવના દ્વારા વૈરાગ્યના અધ્યાત્મના પોષણ માટે હવે આધ્યાત્મિક નયોનું નિરૂપણ ચાલુ થાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૮ : ગાથા-૩-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કર્મોપાધિ રહિત, ‘જીવ, તે કેવળજ્ઞાનાદિરૂપ છઇ' ઇમ - જે નિરુપાધિ કહિ કેવળજ્ઞાનાદિ શુદ્ધ વિષય લેઇ, આત્માનઇ અભેદ દેખાડિઇ તે શુદ્ધ-નિશ્ચયનય. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈ આત્મા કહિઇ તે અશુદ્ધનિશ્ચયનય. ॥ ૮-૨ ॥ ૨૫૬ દોઈ ભેદ વ્યવહારના જી, સદ્ભૂતાસત | એક વિષય સદ્ભૂત છઇજી, પરવિષયાસદ્ભૂત રે ॥ પ્રાણી૰ ॥ ૮-૩ ॥ ઉપચરતાનુપચરિતથી રે, પહિલો દોઇ પ્રકાર । સોપાધિક ગુણ-ગુણી ભેદઇ રે, જિઅની મતિ ઉપચાર રે ॥ પ્રાણી૦ | ૮-૪ ॥ નિરુપાધિક ગુણ-ગુણિ ભેદઇ રે, અનુપચિરત સદ્ભૂત કેવળજ્ઞાનાદિક ગુણો રે, આતમના અદ્ભૂત રે ॥ પ્રાણી | ૮-૫ ॥ પ્રથમ અધ્યાત્મ : અધ્યાત્મ ભાષાએ=અધ્યાત્મની પરિભાષામાં મુખ્ય બે નય કહ્યા છે. આત્માનો જે પદાર્થો સાથે અભેદ સંભવિત હોય તે પદાર્થો સાથેનો અભેદ જોના૨-કહેનાર નય એ નિશ્ચયનય છે... અને ભેદ જોનાર-કહેનાર નય એ વ્યવહારનય છે. આમાં નિશ્ચયનય બે પ્રકારનો છે. (૧) શુદ્ધ નિશ્ચયનય : ‘જીવ કેવલજ્ઞાનરૂપ છે’ ‘જીવ કેવલદર્શનાત્મક છે’‘જીવ અનંતવીર્યાત્મક છે’... આવું બધું કથન એ શુદ્ધ નિશ્ચયનય છે. આમાં કેવલજ્ઞાન વગેરે નિરુપાધિક ગુણો છે... અર્થાત્ કર્માત્મક ઉપાધિથી રહિત-શુદ્ધ ગુણો છે... માટે આત્માનો એની સાથે અભેદ જણાવનાર આ નય એ શુદ્ધનિશ્ચયનય છે. (૨) અશુદ્ધ નિશ્ચયનય : ‘જીવ મતિજ્ઞાનરૂપ છે'... ‘જીવ શ્રુતજ્ઞાનરૂપ છે’... ‘જીવ ચક્ષુદર્શનરૂપ છે’... આવું બધું કથન એ અશુદ્ધ નિશ્ચયનય છે. અહીં મતિજ્ઞાન વગેરે આત્મગુણો કર્મોપાધિ સહિત છે... માટે અશુદ્ધ ગુણો છે. એનો ને આત્માનો અભેદ કહેનાર હોવાથી આ અશુદ્ધ નિશ્ચયનય છે. હે પ્રાણી ! આગમના ભાવો પરખો... અને પરખીને (= પરીક્ષા કરીને) જે યુક્તિસંગત હોય તેનું ગ્રહણ કરો. ॥ ૧૦૯-૧૧૦ ॥ ગાથાર્થ : વ્યવહારનયના બે ભેદ છે. સદ્ભૂત વ્યવહારનય અને અસદ્ભૂત વ્યવહારનય. એકવિષય સ્વવિષય અંગેનો વ્યવહા૨ એ સદ્ભૂત વ્યવહાર અને પરિવષયક જે વ્યવહાર એ અસદ્ભૂત વ્યવહારનય છે. આમાંનો પ્રથમ સદ્ભૂત વ્યવહારનય બે પ્રકારે છે... ઉપચરિત અને અનુપચરિત. સોપાધિક ગુણ અને ગુણીનો ભેદ ઉપચાર કરનાર પ્રથમ પ્રકાર છે, જેમકે ‘જીવની મતિ'. નિરુપાધિક ગુણ-ગુણીનો ભેદ દર્શાવનાર છે બીજો અનુપચિરત સદ્ભૂત વ્યવહાર. જેમકે આત્માના (સદ્ભૂત એવા) કેવલજ્ઞાનાદિ ગુણો છે. || ૮-૩, ૪, ૫ ॥ = Page #276 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-દ ટબો : નિશ્ચયનય અભેદ દેખાડઇ, વ્યવહારનય તે ભેદ દેખાડઇ છઇ. વ્યવહારનયના ૨ ભેદ કહ્યાં છઇ-એક-સદ્ભૂત વ્યવહાર, બીજો અસદ્ભૂત વ્યવહાર. તે એક વિષય કહતાં એકદ્રવ્યાશ્રિત તે સદ્ભૂત વ્યવહાર, પવિષય તે અસદ્ભૂત વ્યવહાર. ॥ ૮-૩ | = પહેલો જે સદ્ભૂતવ્યવહાર તે ૨ પ્રકાäિ છઇ - એક ઉપચરિત સદ્ભૂત વ્યવહાર, બીજો અનુપચિરત સદ્ભૂત વ્યવહાર. સોપાધિક ગુણ-ગુણિભેદ દેખાડિઇ, તિહાં પ્રથમભેદ જિમ “નીવસ્ય મતિજ્ઞાનમ્ ” ઉપાધિ તેહ જ ઇહાં ઉપચાર. ॥ ૮-૪ ॥ ૨૫૭ નિરુપાધિક ગુણ-ગુણિ ભેદઇ બીજો ભેદ. યથા “ઝીવસ્વ જૈવલજ્ઞાનમ્' ઇહાં ઉપાધિરહિતપણું તેહ જ નિરુપચારપણું જાણવું. ॥ ૮-૫ || અસદ્ભૂત વ્યવહારના જી, ઇમ જ ભેદ છઇ દોઇ । પ્રથમઅસંશ્લેષિતયોગઇ જી, દેવદત્ત ધન જોઈ રે ! પ્રાણી | ૮-૬ | = = વિવેચન : નિશ્ચયનય... ગુણ-ગુણી વચ્ચે ભેદ પણ હોય છે ને અભેદ પણ હોય છે. આ વાત આગળ આવી ગઈ છે... આમાંથી નિશ્ચયનય અભેદને જુએ છે અને દેખાડે છે કહે છે. વ્યવહારનય ભેદને જુએ છે અને દેખાડે છે વચનપ્રયોગ દ્વારા કહે છે. આ ભેદને કહેનાર વ્યવહારનયના વળી બે ભેદ છે... સદ્ભૂત વ્યવહારનય અને અસદ્ભૂત વ્યવહારનય. એમાં, એક વિષય એક દ્રવ્યાશ્રિત તે સદ્ભૂત વ્યવહારનય છે... અર્થાત્ ગુણવાનૢ જે દ્રવ્ય છે તે જ દ્રવ્યમાં આશ્રિત પદાર્થનો ભેદસંબંધ જોનાર-કહેનાર જે છે તે સદ્ભૂત વ્યવહારનય છે. જેમકે ઝીવસ્ય મતિજ્ઞાનમ્...નીવસ્ય જૈવલજ્ઞાનમ્... અહીં મતિજ્ઞાન કે કેવલજ્ઞાન જીવદ્રવ્યમાં જ આશ્રિત છે... માટે એના ભેદસંબંધને કહેનાર વ્યવહારનય એ સદ્ભૂત વ્યવહારનય છે. = પવિષય તે અસદ્ભૂત વ્યવહારનય છે... અર્થાત્ જીવ કરતાં ભિન્ન (= અજીવ) એ અહીં ‘પર' છે... તદ્વિષયક ભેદસંબંધ દર્શાવનાર વ્યવહારનય એ અસદ્ભૂત વ્યવહારનય છે... જેમકે ‘જીવનું શરીર’... ‘દેવદત્તનું ધન...' આમાં પહેલો જે સદ્ભૂત વ્યવહારનય છે એના પાછા બે પ્રકાર છે. (૧) ઉપચિરત સદ્ભૂત વ્યવહારનય : કર્મરૂપ ઉપાધિથી સહિત જે ગુણ (જેમકે મતિજ્ઞાન વગેરે), આવા સોપાધિક ગુણનો ગુણી સાથેનો ભેદ દર્શાવનાર નય એ ઉપચિરત સદ્ભૂત વ્યવહાર છે. જેમકે ઝીવસ્ય મતિજ્ઞાનમ્... અહીં ઉપાધિ એ જ ઉપચાર છે... (૨) અનુપચિરત સદ્ભૂત વ્યવહારનય ઃ કર્મરૂપ ઉપાધિથી રહિત એવા ગુણ-ગુણીનો ભેદ દર્શાવનાર નય એ અનુપચિરત સદ્ભૂત વ્યવહાર છે. જેમ કે ઝીવસ્ય વતજ્ઞાનમ્... અહીં ઉપાધિ રહિતપણું એ જ નિરુપચારપણું જાણવું. ॥ ૧૧૧-૧૧૨-૧૧૩ | ગાથાર્થ : અસદ્ભૂત વ્યવહારના પણ એ જ રીતે બે ભેદ છે. એમાં પ્રથમ અસંશ્લેષિતયોગે હોય છે... જેમકે ‘દેવદત્તનું ધન...' અને બીજો સંશ્લેષિતયોગે ભેદ જોનાર છે... જેમકે ‘આત્માનો દેહ.' નયચક્રગ્રન્થમાં આ નય, ઉપનય અને મૂળનય કહ્યા છે. || ૮-૬, ૭ || Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઢાળ-૮ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંશ્લેષિતયોગઈ બીજો રે, જિમ આતમનો દેહ | નય ઉપનય નયચક્રમાં રે, કહિયા મલનય એહ | પ્રાણી| ૮-૭ છે. ટબો : અસદ્દભૂત વ્યવહારના ઈમ જ ૨ (ભેદ) છઈ - એક ઉપચરિતાસભૂત વ્યવહાર, બીજો અનુપચરિતાસભૂત વ્યવહાર. પહેલો ભેદ અસંશ્લેષિત યોગઈ કલ્પિત વિવેચન : અભૂત.. જ્યાં ભેદસંબંધ હોય ત્યાં કથંચિત્ પણ અભેદ (તાદામ્ય = ઐક્ય) સંબંધ પણ હોવો જ જોઈએ. જે બે પદાર્થો વચ્ચે આવું ઐક્ય કોઈ રીતે સંભવિત ન હોય... એ બે વચ્ચે કહેવાતો ભેદસંબંધ પણ વાસ્તવિક હોતો નથી. માટે અસભૂત હોય છે. ઐક્ય તો એના એ જ દ્રવ્યમાં હોઈ શકે. અન્ય દ્રવ્યમાં હોઈ શકે જ નહીં. તેથી પૂર્વે કહ્યું હતું કે એક દ્રવ્યાશ્રિત હોય ત્યાં સદ્ભૂત... અને પારદ્રવ્યાશ્રિત હોય ત્યાં અસદ્ભુત. આ જ કારણ છે કે “જીવનું કેવલજ્ઞાન” એવા અનુપચરિત સદ્ભુત વ્યવહારનયની સામે “જીવ કેવલજ્ઞાનરૂપ છે એવો શુદ્ધ નિશ્ચયનય છે, અને “જીવનું મતિજ્ઞાન” એવા ઉપચરિત સબૂત વ્યવહારનયની સામે જીવ મતિજ્ઞાનરૂપ છે” એવો અશુદ્ધ નિશ્ચયનય છે. પણ એ રીતે અનુપચરિત અસબૂત વ્યવહાર (જીવનું શરીર) અને ઉપચરિત અસદ્ભુત વ્યવહાર (દેવદત્તનું ધન)... આ બંને સામે નિશ્ચયનયના કોઈ પ્રકાર નથી.. આનું કારણ સ્પષ્ટ છે કે અનુપચરિત અને ઉપચરિત સબૂત વ્યવહારનય જે કેવલજ્ઞાન અને મતિજ્ઞાનના ભેદને કહે છે, તે કેવલ મતિજ્ઞાનનો જીવ સાથે અભેદ (=ઐક્ય) સંબંધ પણ છે જ જેને શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનય જુએ છે. પણ, અનુપચરિત અને ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય જે શરીર અને ધનના ભેદસંબંધને કહે છે તે શરીર અને ધનનું જીવ-દેવદત્ત સાથે ઐક્ય છે જ નહીં. જેને નિશ્ચયનય જોઈ-કહી શકે. માટે તસંલગ્ન નિશ્ચયનયના પ્રકારો છે નહીં. શંકા - દેવદત્તનું ધન' વગેરેમાં ભેદસંબંધ પણ જો વાસ્તવિક નથી, તો એને જોનાર આ દૃષ્ટિકોણને દુર્નય જ ન કહેવો જોઈએ? સમાધાન - વિષયભૂત પદાર્થ વાસ્તવિક (પારમાર્થિક) છે કે અવાસ્તવિક એ સુનયદુર્નયપણામાં નિયામક નથી. પણ, ઇતરાંશનો અપલાપ ન હોવો-હોવો એ જ એમાં નિયામક છે. પ્રસ્તુત માં વિષય અપારમાર્થિક છે માટે એને અસદ્ભૂત કહેલ જ છે, પછી એ કારણે એને દુર્નય ન કહી દેવાય. અથવા, શ્રીદેવસેનાચાર્યની હાલ આ અધ્યાત્મનયની પ્રરૂપણા ચાલે છે. એમાં જેનાથી આત્મોત્થાન થાય એ અધ્યાત્મનય સભૂત-વાસ્તવિક છે. જે એમાં પ્રતિબંધક બને એ અસભૂત છે.. “મારું શરીર....” “મારું ધન” વગેરે બુદ્ધિ આત્મોત્થાનમાં પ્રતિબંધક હોવી સ્પષ્ટ છે, માટે એને અસભૂતવ્યવહારનય કહેલ છે... આમ પણ વિચારી શકાય છે. એટલે નિશ્ચિત થયું કે અસભૂત વ્યવહારનય દ્વારા જીવનમાં જે શરીર-ધન વગેરે ભાસે છે તે વાસ્તવિક રીતે જીવના છે નહીં. એ માત્ર ઉપચારથી જીવના કહેવાય છે. આ વાતને જો જીવ આત્મસાત્ કરે તો શરીર પરના મમત્વ પર ઘા પડ્યા વિના રહે નહીં. દેહાત્મભેદજ્ઞાન સરળ બન્યા વિના રહે નહીં. અને તેથી શરીર પરની મમતાના કારણે જે સુખશીલતા તથા Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૭ સંબંધઇ હોઇ, જિમ “દેવદત્તનું ધન” ઇહાં ધન દેવદત્તનઇ સંબંધ સ્વસ્વામિભાવરૂપ કલ્પિત છઇ, તે માટિં ઉપચાર. દેવદત્ત નઇ ધન એક દ્રવ્ય નહીં, તે માટિં અસદ્ભૂત. એમ ભાવના કરવી. ॥ ૮-૬ || બીજો ભેદ - સંશ્લેષિતયોગઇ - કર્મજ સંબંધઇ જાણવો. જિમ “આત્માનું શરીર” આત્મા-દેહનો સંબંધ ધનસંબંધની પરિ કલ્પિત નથી. વિપરીત ભાવનાઇ નિવર્તઇ નહીં. કષ્ટભીરુતા-રોગપ્રતિકાર આદિની લાગણીઓ નિર્માણ થયેલી છે ને એ લાગણીવશાત્ જાતજાતના સંક્લેશ-આર્તધ્યાન તથા પાપ સાહજિક બની ગયા છે... આ બધાથી પરામ્મુખ બની શરીરને સાધનામાર્ગે જોડવું... પરાયા શરીર દ્વારા પણ આત્મકમાણી કરી લેવી... આ બધું શક્ય બનવા માંડે છે. આવું જ ધન પરની ગાઢ મૂર્છા-તજન્ય સંક્લેશો- માનવ હત્યા સુધીના પાપો-સગા બાપ-ભાઈઓ વગેરે સાથેના પણ ભયંકર યાવજ્જીવ અને ભવાંતરમાં પણ સાથે ચાલે એવા વૈરસંબંધો - આવું બધું દુનિયામાં દૃષ્ટિગોચર થાય છે... તેનાથી પણ પર રહેવું અને સંતોષને પરમ સુખ માનવું... ધનલોભ ઘટાડીને ધન દ્વારા પણ સુકૃતો કરી આત્મકમાણી સાધી લેવી... સાધક માટે શક્ય બનતું જાય છે. માટે, ‘મારું શરીર', ‘મારું ધન’, ‘મારું ઘર' વગેરે જે મમત્વ બુદ્ધિઓ અનાદિકાલીન છે... તે બધી ‘અસદ્ભૂત વ્યવહાર છે' આ વાતને વારંવાર ઘુંટવી જોઈએ અને આ બુદ્ધિઓનો ભોગ આપીને મારું જ્ઞાન-મારું દર્શન-મારું ચારિત્ર-મારો તપ-મારી ક્ષમા... આવી બધી સદ્ભૂત વ્યવહાર માન્ય બુદ્ધિઓને પ્રાધાન્ય આપી એ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. મારું શરીર-ધન વગેરે બધું તો અસદ્ભુત છે-પરાયું છે... મારું સમ્યજ્ઞાન વગેરે તો સદ્ભુત છે-મારાં છે... પરાયાના ભોગે મારાનું સમર્થન-પોષણ થતું હોય તો એના જેવું રૂડું શું?” આવી બધી બુદ્ધિ ઉક્ત પ્રયત્ન કરાવે જ... અસ્તુ... આ અસદ્ભૂત વ્યવહારનયના પણ ઇમ જ=એમ જ=સદ્ભૂત વ્યવહારનયના જેમ ઉપચિરત અને અનુપચિરત એમ બે ભેદ છે એમ જ ઉપચિરત-અનુપચિરત બે ભેદ છે. (૧) ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર... જ્યાં અસંશ્લેષિતયોગે કલ્પિત ભેદસંબંધ હોય ત્યાં આ પ્રથમ ભેદ જાણવો. જેમકે ‘દેવદત્તનું ધન' આવો વાક્યપ્રયોગ. આમાં ધન અને દેવદત્ત વચ્ચે જે સ્વ-સ્વામિભાવ સંબંધ છે તે કલ્પિત છે. તેથી અહીં ઉપચાર છે... વળી દેવદત્ત અને ધન એ બે કાંઈ એક દ્રવ્ય નથી... અલગ-અલગ દ્રવ્ય છે... માટે અસદ્ભૂત છે... અને ભેદને જોવામાં - કહેવામાં આવી રહ્યો છે... માટે વ્યવહારનય છે... આ રીતે આ ઉપચરત અસદ્ભૂત વ્યવહારનય છે એની ભાવના કરવી. (૨) અનુપચિરત અસદ્ભૂત વ્યવહારનય... જ્યાં સંશ્લેષિતયોગે કર્મજ=કર્મજન્ય સંબંધ હોય છે ત્યાં આ બીજો ભેદ જાણવો. જેમકે ‘આત્માનું શરીર’... આત્મા અને દેહનો સંબંધ ધનના સંબંધની જેમ કલ્પિત નથી. અને તેથી વિપરીત ભાવનાથી નિવર્તતો નથી=સંબંધ દૂર થઈ જતો નથી. યાવજ્જીવ રહે છે. તેથી કલ્પિત ન હોવાથી અનુપરિત છે... અને આત્મા તો આત્મદ્રવ્ય Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઢાળ-૮ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છે જ્યારે શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. માટે ભિન્ન વિષય હોવાથી=જુદા-જુદા દ્રવ્યાત્મક સંબંધીઓ વચ્ચેના સંબંધરૂપ હોવાથી અસદ્ભૂત છે. પ્રશ્ન : આમાં સંશ્લેષિતયોગ. અસંશ્લેષિતયોગ... કલ્પિતસંબંધ.... અકલ્પિતસંબંધ.. આ બધું શું છે ? કંઈ સ્પષ્ટીકરણ નથી ? ઉત્તર : નયચક્ર અને દ્રવ્યગુણપર્યાયનો રાસ... આ બેમાંથી તો આટલું સ્પષ્ટીકરણ મળે છે.. પણ “સંશ્લેષિત યોગ’ શબ્દનો અને બે દૃષ્ટાન્તનો વિચાર કરીએ તો એવું જણાય છે કે સંશ્લેષિતયોગ = સંશ્લેષવાળો સંબંધ.... આમાં સંશ્લેષ એટલે આશ્લેષ-ભેટવું-ચોંટવું... એટલે આવો અર્થ મળે છે કે જ્યાં બન્ને સંબંધીઓ પરસ્પર ભેટીને-અડીને રહ્યા હોય એવા સંબંધીઓ વચ્ચેનો સંબંધ એ સંશ્લેષવાળો સંબંધ હોવાથી સંશ્લેષિત યોગ છે... એટલે આવા સંબંધથી જોડાયેલા સંબંધીઓ સર્વત્ર એકત્ર જ હોય છે... અર્થાત્ એક સંબંધી (આત્મા) અમદાવાદમાં હોય અને બીજો સંબંધી (શરીર) સુરતમાં હોય... આવું આમાં સંભવતું નથી. એક સંબંધી સ્થાનાંતર કરે તો બીજા સંબંધીનું પણ સંબંધવશાત્ સ્થાનાંતર થઈ જ જાય અને નહીંતર સંબંધ ખતમ થઈ જાય.. અસંશ્લેષિતયોગ જ્યાં હોય છે ત્યાં આવું હોતું નથી. અર્થાત્ બે સંબંધીઓ પરસ્પર અડીને રહેવા જોઈએ એવું આવશ્યક નથી... એટલે જ એક સંબંધી (દેવદત્ત) બહાર હોય ને બીજો સંબંધી (ધન) તિજોરીમાં કે બેંકમાં હોય એવું સંભવિત છે... અરે ! સેંકડો યોજન દૂર હોય એવું પણ સંભવે છે ને છતાં સંબંધ અક્ષતપણે જળવાઈ શકે છે.. સંશ્લેષિતયોગ અને અસંશ્લેષિતયોગની આવી જે વાસ્તવિકતા છે એનાથી જણાય છે કે સંશ્લેષિતયોગ સ્થળે એક સંબંધીને જુઓ એટલે સામાન્યથી બીજો સંબંધી અને સંબંધ પણ દેખાઈ જ જાય છે. (જેમકે કવર પર ગુંદરથી ચોંટાડેલી ટિકિટ... અલબત્ ભૂતલ પર રહેલા ઘડા માટે પણ આવું જ છે. પણ ત્યાં ચોંટાડનાર પદાર્થ ન હોવાથી એને શ્લેષિત યોગ કહી શકાય.... અને જયાં ગુંદર જેવી ચોંટાડનારી ચીજ દ્વારા સંબંધ થયો હોય ત્યાં સભ્યશ્લેષ = સંશ્લેષ... અને તેથી સંશ્લેષિત યોગ એમ કહી શકાય.) પ્રશ્ન : જીવ અને શરીર વચ્ચે પણ સંશ્લેષિતયોગ કહેલો છે. ત્યાં ચોંટાડનાર તત્ત્વ (adhesive agent) કયું છે ? ઉત્તર : કમ્મપયડી સંગ્રહણી ગ્રન્થમાં પ્રારંભે બંધનકરણમાં સ્નેહપ્રરૂપણા આવે છે. એમાં જે પ્રયોગ પ્રત્યય સ્પર્ધક પ્રરૂપણા છે, એના વિષયભૂત સ્નેહ એ આ ચોંટાડનાર તત્ત્વ છે.. આશય એ છે કે જીવ જ્યારે શરીર પુદ્ગલોને ગ્રહણ કરે છે, ત્યારનો જીવના વીર્યના = યોગના = પ્રયોગના પ્રભાવે આ ગૃહ્યમાણ પુદ્ગલોમાં એક ચોક્કસ પ્રકારનો સ્નેહ = સ્નિગ્ધતા = ચીકાશ પેદા થાય છે. આ સ્નેહ એ પુદ્ગલોને આત્મપ્રદેશો સાથે એકમેક જેવો સંબંધ કરી આપે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા છ ૨૬૧ યાવજ્જીવ રહઇ, તે માટેિં અનુપચરિત. અનઇ ભિન્ન વિષય, માટઇ અસદ્ભૂત જાણવો. એ નય ઉપનય દિગંબર દેવસેનકૃત નયચક્રમાંહિં કહીયા છઇ, ૨ મૂલનય સહિત. II૮-૭।। અલબત્ જીવ જે પુદ્ગલોને ગ્રહણ કરે છે એમાં જ આવો સ્નેહ પેદા થાય છે... અને એ ગ્રહણ થવામાં ઔદારિકશરીર નામકર્મ વગેરે કર્મ ભાગ ભજવે છે... માટે આ સંબંધનો સ્થૂળ ભાષામાં બધાને સમજાય એ માટે ગ્રન્થકારે ‘કર્મજન્ય’ તરીકે ઉલ્લેખ કર્યો છે. એટલે નક્કી થયું કે સંશ્લેષિતયોગમાં જો બન્ને સંબંધીની પરખ હોય તો એક સંબંધીને જોવા પર બીજો સંબંધી-સંબંધ... બધું જ જણાઈ જ જાય છે... પછી એ સંબંધની કલ્પના કરવાની રહેતી નથી... પણ આવું અસંશ્લેષિતયોગમાં નથી... કારણ કે બન્ને સંબંધી અલગ-અલગ સ્થળમાં રહ્યા હોય એ પણ સંભવિત હોવાથી એક સંબંધીને જોવા માત્રથી કે ક્યારેક પોતાના દૃષ્ટિક્ષેત્રમાં અળગાઅળગા રહેલા બન્ને સંબંધીને જોવા માત્રથી પણ સંબંધ કાંઈ જણાઈ જતો નથી... માટે એની તો કલ્પના કરવાની રહે છે. એટલે એ સંબંધને કલ્પિત કહેવાય છે. વળી કલ્પિત = કલ્પના વિષય છે... એટલે કે મુખ્યતયા માનસિક છે. એટલે જ વિપરીત ભાવનાથી દૂર થઈ શકે છે... એટલે કે ધન ઊભું રહેવા છતાં (અને વ્યવહારમાં દેવદત્તનું જ કહેવાતું હોવા છતાં) ‘આ ધન-ધાન્ય-ઘર... વગેરે કશું મારું નથી...' વગેરે ભાવનાઓ દ્વારા મમત્વ સંબંધને છોડી શકાય છે અને તેથી ખરેખર ધન ચાલ્યું જાય તો પણ દેવદત્તને એની કોઈ જ અસર ન થાય એ સંભવિત બને છે... પણ આવું સંશ્લેષિત યોગ માટે સંભવિત નથી... ટીકીટને કવર પરથી ઉખાડવા જાવ... એટલે કવરનો કાગળ પણ ફાટવા વગેરેની અસર અનુભવે જ. શરીરમાંથી પ્રાણ (આત્મા) જાય ત્યારે મૃત્યુની અપાર વેદના જીવને થાય જ. શંકા : જે સાધકે વિપરીત ભાવના દ્વારા શરીર પરનું મમત્વ પણ ઊઠાવી લીધું છે એને શરીર ત્યાગ અવસરે પણ અપાર સમાધિ જ હોય છે, એનું શું ? સમાધાન : એ સાધકે મમત્વરૂપ માનસિક સંબંધ ઊઠાવી લીધો છે, તેથી એને માનસિક એવી અસમાધિ નથી થતી... પણ મૃત્યુની વેદના તો હોય જ છે... એનાથી એ બચી શકતો નથી. એટલે આના પરથી માર્ગદર્શન મળે છે કે ઉપચિરત અસદ્ભૂત વ્યવહારથી જે જે શરીર ધન વગેરે સાથેનો પોતાનો મમત્વ સંબંધ ભાસતો હોય એને સાધકે વિપરીત ભાવના વડે દૂર કરવો જોઈએ... જેથી કર્મવશાત્ એમાં કાંઈપણ ફેરફાર થાય તો પણ સમાધિ અખંડ રહી શકે. – શ્રી જ્ઞાનસારઅષ્ટકમાં ર્મ નીવં ચ સંન્તિભ્રં સર્વવા ક્ષીરનીરવત્... આમ જે કહ્યું છે એનાથી આવો પણ ભેદ મળે છે કે- ક્ષીરનીરની જેમ એકમેક સંબંધ હોય તે સંશ્લેષિતયોગ, ને જેનો અવો એકમેક સંબંધ નથી એ અસંશ્લેષિતયોગ. તેથી જીવનું શરીર... આમાં સંશ્લેષિતયોગ છે અને જીવનું ધન આમાં અસંશ્લેષિતયોગ છે. એ નય ઉપનય... આ નવ નયો, ત્રણ ઉપનયો તથા બે મૂળ અધ્યાત્મનયો... આ બધાનું નિરૂપણ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ ઢાળ-૮ : ગાથા-૮-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિષયભેદ યદ્યપિ નહી રે, ઇહાં અહ્મારઈ સ્કૂલ / ઉલટી પરિભાષા ઇસી રે, તો પણિ દાઝઈ મૂલ રે | પ્રાણીI ૮-૮ | તત્ત્વારથિ નય સાત છો જી, આદેશાંતર પંચ | અંતરભાવિત ઉદ્ધરી રે, નવનો કિસ્યો એ પ્રપંચ રે / પ્રાણી ૮-૯ . ટબો : ઇહાં, અહ્મારઈ = શ્વેતાંબરનઈ પૂલ કહેતાં મોટો વિષયભેદ કહતાં અર્થનો ફેર નથી. તો પણિ-મૂલ કહતાં-પ્રથમથી ઉલટી = વિપરીત પરિભાષા = શૈલી કરી તે દાઝઈ છઈ = ખેદ કરછે છઈ. यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसं तु दृष्टवा, तथापि परिखिद्यते चेतः, इति वचनात् ॥ ८-८ ॥ દિગંબર આચાર્ય શ્રીદેવસેને નયચક્ર નામના ગ્રંથમાં તથા (આલાપ પદ્ધતિમાં) કરેલું છે. ૧૧૫ // ગાથાર્થ : જો કે આ બાબતમાં અમારે મોટો કોઈ વિષયભેદ છે નહીં. છતાં પણ મૂળ પરિભાષાથી આવી ઊલટી પરિભાષા દાઝે છે. તત્ત્વાર્થસૂત્રમાં નય સાત કહ્યા છે. આદેશાંતરથી પાંચ નય કહ્યાં છે. સાતમાં અંતર્ભાવ કરેલા બે નયને ઉદ્ધરીને = અલગા કરીને નવ નય કહેવા.... આ શો પ્રપંચ છે ? ૮-૮, ૯ || વિવેચન : દિગંબરાચાર્ય શ્રીદેવસેનકૃત નય-ઉપનય વગેરે દર્શાવીને હવે ગ્રન્થકાર એ નિરૂપણની પરીક્ષા કરવા ચાહે છે. એટલે એની વિચારણા હવેની ગાથાથી શરૂ થાય છે. ઈહાં અહ્મારો... ઇહાં = નવ નય વગેરેની આ દિગંબરીય પ્રરૂપણામાં જો કે અમારે = શ્વેતાંબરોને સ્થૂલ = મોટો વિષયભેદ = અર્થભેદ = અર્થફેર નથી. અર્થાત્ મોટાભાગના આ બધા અર્થો અમને માન્ય જ છે... અમે કાંઈ એમનાથી અલગ પ્રકારનો અર્થ માનતા નથી. (ગ્રન્થકારે પરીક્ષા કરવાનું કહ્યું છે... પરીક્ષા કરવાનો અર્થ એવો નથી કે બધું અસત્ય જ ઠેરવવું.. પણ એવો છે કે સત્યાંશ કેટલો અને અસત્યાંશ કેટલો એનો નિર્ણય કરવો. એમાં અમારે સ્કૂલ વિષયભેદ નથી, એમ કહેવા દ્વારા ગ્રન્થકારે ઘણુંખરું નિરૂપણ તો સત્યાંશ જ છે.. એ જણાવી દીધું... હવે અસત્યાંશ શું છે ? એ દર્શાવવા આગળ કહે છે -) તો પણિ : તો પણ મૂલ=પ્રથમથી=પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરાથી પહેલેથી જે પરિભાષા-શૈલી ચાલી આવે છે એના કરતાં ઉલટી=વિપરીત પરિભાષા-શૈલી દેવસેનાચાર્ય જે અપનાવી છે તે દાઝે છેઃખેદ કરે છે અમને ખેદ ઉપજાવે છે. શંકા ? એમણે એમના દિગંબર સંપ્રદાયમાં નવી શૈલી અપનાવી તો ભલે ને અપનાવી.... એમાં તમને શું તકલીફ છે ? Page #282 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૮-૯ ૨૬૩ તે બોટિકની (દિગંબરોની) ઉલટી પરિભાષા દેખાડિઈ છઈ - તત્વાર્થ સૂત્રો ૭ નય કહિયા છઇ. અનઈ આદેશાંતરે કહેતાં મતાંતરે, તેહથી ૫ નય કહિયા છઈ. “સત મૂન , પ રૂત્યાન્તરમ” એ સૂત્રઈ, સાંપ્રત સમભિરૂઢ એવંભૂત એ ૩ નઈ “શબ્દ” એક નામ સંગ્રહઈ, તિવારો પ્રથમ ચાર સાથિ પાંચ, ગત વ ઈકેકના ૧૦૦ ભેદ હુઈ છઇ, તિહાં પણ ૭૦૦ તથા ૫00 ભેદ ઇમ-૨ મત કહિયા છઇ. यथोक्तमावश्यके - इक्किक्को य सयविहो, सत्त सया णया हवंति एमेव ।। વિદુ માણસો; પંત સયા થા તુ | ૨ વિ. મા. મ. રર૬૪ | સમાધાન : યદ્યપિ ને... બીજાના દ્રાક્ષામંડપમાં ઘૂસીને ગધેડો એ બીજાની દ્રાક્ષ ખાઈ રહ્યો હોય તો જોનારને તો કશું નુકશાન નથી... છતાં પણ અસમંજસ આ અનુચિત થઈ રહ્યું છે એવું જોઈને એનું ચિત્ત તો પરિખેદ પામે જ છે... આવા નીતિશાસ્ત્રના વચનના અનુસાર, દિગંબરે સ્વસંપ્રદાયમાં જે કરવું હોય તે કરે. એમાં અમારે શું લાગે વળગે ? છતાં આ ઘણું અનુચિત જોઈને અમારું મન પણ ખેદ પામે છે. તે બોટિકની.. તે બોટિકની–દિગંબરોની ઉલટી પરિભાષા શું છે ? એ હવે દેખાડે છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ નિર્મિત શ્રી તત્ત્વાર્થસૂત્ર શ્વેતાંબર અને દિગંબર બન્નેને માન્ય છે. આ તત્ત્વાર્થસૂત્રમાં ૭ ના કહ્યા છે.. આદેશાંતરે મતાંતરે, તેહથી=૭ નયને જણાવનાર મતથી અલગ પડતાં મતના અનુસારે ૫ નય કહ્યા છે. જુઓ આ સૂત્ર – સપ્તમૂનનયા:, પન્ન રૂત્યશાસ્તર... ૭ નયના પાંચ નય શી રીતે થઈ જાય ? આ રીતે - નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત આમ કુલ સાત મૂળ નયો છે... આમાંથી સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત આ ત્રણ છેલ્લા જે નયો છે એ બધાનો એક નયમાં જ સમાવેશ કરીને “શબ્દનય’ એમ એક નય જ કહેવામાં આવે તો પ્રથમના નૈગમ વગેરે ૪ + આ એક શબ્દનય... એમ કુલ પાંચ નય થાય છે. સાત નયોનો આ રીતે પાંચ નયમાં અંતર્ભાવ કરવો એ પૂર્વાચાર્યોને પણ માન્ય છે જ. એટલે જ, એક-એક મૂળનયના જે ૧૦૦-૧૦૦ અવાંતરભેદ થતા હોવાથી ૭ નયના ૭૦૦ નય થાય છે. આ ૭૦૦ નયની જ્યાં વાત કહી છે ત્યાં મતાંતરે પ00 નયની વાત પણ ભેગી કરી છે. જેમકે શ્રી આવશ્યકમાં કહ્યું છે કે “એક-એક નય 100 પ્રકારનો છે. આ રીતે સાતે નય જાણવા... અર્થાત્ ૭ નયના ૭૦૦ ભેદ જાણવા. એક બીજો પણ આદેશ-મતાંતર છે. એ મુજબ ૫OO નય થાય છે.” અહીં ૧૦૦-૧૦૦ ભેદ ગુણીને મતાંતરે પ00 નભેદ કહ્યા છે, એ જણાવે છે કે આ શાસ્ત્રકારને પણ મૂળ ૭ નય... ને મતાંતરે પાંચ નય માન્ય છે. જો આ રીતે ૯ નય પણ માન્ય હોત તો શાસ્ત્રોમાં ૯૦૦ પેટાનયની વાત પણ ક્યાંક કહી હોત. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઢાળ-૮ : ગાથા-૧૦-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એહવી શાસ્ત્રરીતિ છોડી, અંતરભાવિત-સાતમાંહિ ભૂલ્યા, જે - દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, તે ઉદ્ધરી-અલગ કાઢી, નવ નય કહીયા, તે સ્યો પ્રપંચ ? ચતુર મનુષ્ય વિચારી જોઓ. ૮-૯ પજયસ્થ દ્રવ્યારથો રે, જો તુઢ્ય અલગા દિટ્ટ | અપ્રિય ણપ્રિય ભેદથી રે, કિમ ઈગ્યાર ન ઇટ્ટ રે પ્રાણી // ૮-૧૦ સંગ્રહ વ્યવહારાદિકઈ રે, જો તુક્ષ્મ ભેલો તેહ | આદિ અંત નય થોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે | પ્રાણીઓ / ૮-૧૧ ટો ઇમ છે કરતાં-પર્યાયાર્થ દ્રવ્યર્થ નય, જો તુઓ અલગા દીઠા, અનઈ ૯ નય કહિયા, તો અર્પિત અનર્પિત નય અલગા કરીનઈ ૧૧ નય કિમ ન વાંચ્યા ? || ૮-૧૦|| હિવઈ, ઈમ કહસ્યો જે - “મર્પિતાનસિક” ઈત્યાદિ તત્વાર્થ સૂત્રાદિકમાંહિ, જે અર્પિત-અનર્પિતનય કહિયા છ0-તે અર્પિત કહતાં-વિશેષ કહિછે, અનર્પિત કહતાં - સામાન્ય કહિછે, અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત વ્યવહારાદિક વિશેષનયમાંહિ ભિલઈ, તો આદિઅંત કહેતા પહિલા-પાછિલા નયના થોકડાંમાંહિ એહ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનય કિમ નથી ભેલતાં ? જિમ-સાત જ મૂલ-નય કહવાઈ છઈ, તે વચન સુબદ્ધ રહઈ. || ૮-૧૧ || એવી શાસ્ત્રરીતિ. પૂર્વશાસ્ત્રકારોની આવી શાસ્ત્રરીતિને છોડી દઈને બે નયને અલગ કરવા એ શું પ્રપંચ છે ? આશય એ છે કે પૂર્વાચાર્યોએ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને નૈગમ વગેરે ૭ વયમાં જ અંતર્ભાવિત કરીને અલગ ર્યા નથી. તો શ્રી દેવસેનાચાર્ય પણ આ જ રીતને અનુસરવી જરૂરી હતી. એના બદલે આ બે નયોને અલગ પાડીને ૯ નો કહેવા એ કેવો પ્રપંચ ? ચતુર મનુષ્યોએ આ વિચાર કરવા જેવો છે... અન્યથા વળી બીજા કોઈ નવા ગ્રન્થકાર નવી જ રીતે નિયવિભાજન કરે.. પછી નય અંગે એકસૂત્રતા જેવું કશું રહે જ નહીં.. માટે આવી નવી પ્રણાલિકા ઊભી કરવી એ ઇચ્છનીય નથી... | ૧૧૬-૧૧૭ | ગાથાર્થ : પર્યાયાર્થ અને દ્રવ્યર્થ જો તમે અલગ દેખો છો તો એ રીતે અર્પિત અને અનર્પિત નયને અલગા ભેદ કરીને અગ્યાર નય કેમ માનતા નથી ? જો આ બે નયને સંગ્રહવ્યવહાર આદિ નયમાં ભેળવી દો છો તો એહ = દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને આદિનય સમૂહમાં અને અંતિમ નય સમૂહમાં કેમ ભેળવતા નથી ? || ૮-૧૦, ૧૧ || વિવેચનઃ જો પૂર્વાચાર્યોની પરંપરાને અનુસરવાનું ન હોય અને જે કાંઈ અન્તર્ભાવ બહિર્ભાવ થઈ શકતા હોય એ કરવાના હોય.. તો ગ્રન્થકાર દિગંબરાચાર્યને નવી આપત્તિ દર્શાવે છે ઇમઈ કરતાં... પર્યાયાર્થ અને દ્રવ્યર્થ નયને સાત નય કરતાં અલગ જોઈને જો તમે ૯ નય કહો છો તો એ રીતે અર્પિતનય અને અનર્પિતનયને પણ અલગા કરીને ૧૧ નય કેમ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ પજ્જવનય તિઅ અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચાર | જિનભદ્રાદિક ભાસિઆ રે, મહાભાષ્ય સુવિચાર રે / પ્રાણી | ૮-૧૨ સિદ્ધસેન મુખ ઇમ કહઈ રે, પ્રથમ દ્રવ્યનય તીન / તસ ઋજુસૂત્ર ન સંભવઈ રે, દ્રવ્યાવશ્યક લીન રે // પ્રાણી || ૮-૧૩ // ટબો : ૭ નયમબે, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ભૂલ્યાની આચાર્યમત પ્રક્રિયા દેખાડઈ છઈ - અંતિમા કહેતાં છેલ્લા જે ૩ ભેદ શબ્દ-સમભિરૂઢ-એવંભૂત રૂપ તે પર્યાયનય કહિછે. પ્રથમ નથી કહેતાં ? કારણ કે શ્રીતત્ત્વાર્થ સૂત્રમાં અર્પિતાનતિસિદ્ધ સૂત્ર દ્વારા એ બે નય પણ કહ્યા તો છે જ. હિવઈ, ઈમ કહસ્યો.. દિગંબર : શ્રી તત્ત્વાર્થસૂત્રમાં ર્ષિતાનતિસિદ્ધ સૂત્રમાં અર્પિતઅનર્મિતનય જે કહ્યા છે તેમાં અર્પિત = વિશેષ અને અનર્પિત = સામાન્ય. એવો અર્થ છે. એટલે અનર્મિતનયનો સંગ્રહમાં અંતર્ભાવ છે અને અર્પિતનયનો વિશેષ માનનારા વ્યવહાર વગેરે નયમાં અન્તર્ભાવ છે. એટલે આમ, અન્યાચનયમાં અન્તર્ભાવ થઈ જતો હોવાથી એ બેને અમે અલગ પાડતા નથી. (કોઈપણ પદાર્થ જેમ દ્રવ્ય-પર્યાયાત્મક છે એમ સામાન્ય-વિશેષાત્મક છે... એમાંથી વિશેષને જ્યારે ગૌણ કરવામાં આવે છે - અનર્પિત કરવામાં આવે છે ત્યારે પદાર્થ માત્ર સામાન્યરૂપે ભાસે છે. એટલે પદાર્થને સામાન્યરૂપે જોનાર નયને અનર્મિતનય કહેવાય છે અને વિશેષની જયારે અર્પણ કરવામાં આવે છે ત્યારે પદાર્થ વિશેષમય ભાસે છે. માટે અર્પિતનય પદાર્થને વિશેષરૂપે દેખે છે.) શ્વેતાંબર (ગ્રન્થકાર) : અર્પિત-અનર્પિતનયનો આ રીતે સંગ્રહ-વ્યવહારાદિમાં અન્તર્ભાવ થઈ જતો હોવાથી જો એને અલગ-સ્વતંત્ર નયપ્રકારરૂપે કહેતાં નથી તો એ રીતે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો પણ સાત નયમાંના પ્રથમ નયસમૂહ અને અંતિમ નય સમૂહમાં સમાવેશ થઈ જ જાય છે, તો એ બેને પણ એમાં કેમ ભેળવી દેતા નથી ? એ બેને પણ અલગ પાડવાની શી જરૂર છે ? માટે, એ બેનો પણ એ રીતે સાત નયમાં જ અન્તર્ભાવ કરી દેવો જોઈએ જેથી સાત જ મૂળનય કહેવાની પૂર્વાચાર્યોની જે પ્રણાલિકા છે-તે સુબદ્ધ રહે = તૂટી ન જાય અને ઉપરથી પુષ્ટ થાય. | ૧૧૮-૧૧૯ | ગાથાર્થ : પર્યાયના અંતિમ ત્રણ નયમાં અને દ્રવ્યનય પ્રથમ ચાર નયમાં સમાવેશ પામી જાય છે એવો સુવિચાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરેએ મહાભાષ્યમાં = શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યો છે. જ્યારે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે એમ કહે છે કે દ્રવ્યનય પ્રથમ ત્રણ નયામાં સમાવેશ પામે છે. એમના મતે ઋજુસૂત્રનય (ચોથો હોવાથી પર્યાયાર્થિકરૂપ બની જતો હોવાના કારણે) દ્રવ્યાવશ્યકને માને એ સંભવતું નથી. / ૮-૧૨, ૧૩ // Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૪ નય-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર લક્ષણ, તે દ્રવ્યાર્થિકનય કહિઇ, ઈમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સિદ્ધાન્તવાદી આચાર્ય કહો છો. મહાભાષ્ય કહતાં વિશેષાવશ્યક, તે મધ્ય નિર્ધારd. | ૮-૧૨ હિવઈ, સિદ્ધસેનદિવાકર-મલવાદી પ્રમુખ તર્કવાદી આચાર્ય ઇમ કહો છો જે પ્રથમ ૩ નય ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર લક્ષણ, તે દ્રવ્યનય કહિછે. ઋજુસૂત્ર ૧, શબ્દ ૨, સમભિરૂઢ ૩, એવંભૂત ૪ એ ૪ નય પર્યાયાર્થિક કહિઈ. द्रव्यार्थिकमते सर्वे, पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि च सद् द्रव्यं, कुण्डलादिषु हेमवत् ।। १ ।। વિવેચન : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય આદિમ અને અંતિમ નય સમૂહમાં ભળી જાય છે એવું ગ્રન્થકારે પૂર્વગાથાઓમાં કહેલું. એ કઈ રીતે ભળે છે ? એ અંગે શ્વેતાંબર પરંપરામાં બે મત પ્રવર્તે છે, એટલે આ બે ગાથામાં ગ્રન્થકાર એ બન્ને રીતના સમાવેશને સમજાવે છે - ૭ નય મળે... દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય કઈ રીતે ૭ નયમાં ભળે છે એ અંગે આચાર્ય = પૂર્વાચાર્યોની મત પ્રક્રિયા દેખાડવામાં આવે છે. અંતિમ = છેલ્લા ૭ નયમાંના છેલ્લા જે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો છે તેને પર્યાયનય કહીએ.... અર્થાત્ પર્યાયનયનો એ ત્રણમાં અંતર્ભાવ છે. અને પ્રથમ ૪ નય = નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આ ચાર નયને દ્રવ્યાર્થિકનય કહીએ... અર્થાત્ દ્રવ્યાર્થિકનો આ ચારમાં અન્તર્ભાવ છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, વિશેષણવતિ વગેરે ગ્રન્થોના રચયિતા અને સિદ્ધાન્તવાદી તરીકે પ્રસિદ્ધ એવા શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે આ વાતનો નિશ્ચય મહાભાષ્યમાં = વિશેષાવશ્યક ભાષ્યમાં આપેલો છે. - હિવઈ... શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ, શ્રીમલ્લવાદીજી વગેરે તર્કવાદી આચાર્યભગવંતો શ્રી સમ્મતિતર્ક પ્રકરણ વગેરેમાં આ રીતે અન્તર્ભાવ કરી દેખાડે છે કે જે પ્રથમ ત્રણ - નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય છે તે દ્રવ્યાર્થિકનય છે. અને છેલ્લા ચાર - જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય છે એ પર્યાયાર્થિક નય છે. આ તર્કવાદીઓનો આશય એવો છે કે – દ્રવ્યાર્થિક નયમતે બધા પર્યાયો ખરેખર કલ્પિત છે = કાલ્પનિક છે. આ કલ્પના કરાયેલા પર્યાયોમાં અન્વય પામનાર દ્રવ્ય જે હોય છે તે જ વાસ્તવિક સંપદાર્થ છે જેમકે કુંડલ-કેયુર વગેરેમાં અન્વયે પામનાર સુવર્ણ. પર્યાયાર્થમતે પર્યાયો જ વાસ્તવિક છે. પર્યાયથી પૃથર્ = ભિન્ન કોઈ દ્રવ્ય છે નહીં. (પર્યાયોને જ માનવાના.. ને દ્રવ્યને નહીં માનવાનું આવું શા માટે ? એટલા માટે કે જે અર્થક્રિયાકારી હોય છે એ જ સત્ હોય છે... જે અર્થક્રિયાકારી નથી હોતું તે તો Page #286 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ पर्यायार्थमते द्रव्यं, पर्यायेभ्योऽस्ति नो पृथक् । યન્ને થયિા તૂટ્ટા, નિત્યં ત્રોપમુખ્યતે ।। ૨ ।। इति द्रव्यार्थपर्यायार्थनयलक्षणात् अतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः । શશશૃંગની જેમ અસત્ હોય છે... અને) અર્થ ક્રિયા તો તૈઃ પર્યાયોથી જ થતી દેખાય છે... નિત્ય (= દ્રવ્ય) તો ક્યાં ઉપયોગી હોય છે ? અર્થાત્ એનાથી કોઈ અર્થક્રિયા થતી દેખાતી નથી, માટે એ સત્ નથી. (દ્રવ્યાર્થિકનય, આવાવને ત્ર યનાસ્તિ વર્તમાનેઽપ તત્તથા ન્યાયને અનુસરીને કહે છે કે ધારોકે સોનાના કડામાંથી કુંડલ બનાવ્યા... ને પછી કાળાન્તરે કુંડલમાંથી કેયુર બનાવ્યા... તો આદૌ = કડાવસ્થામાં અને અન્ને કેયુર અવસ્થામાં કુંડલ છે જ નહીં... માટે વર્તમાનમાં પણ જ્યારે કુંડલાકાર દેખાઈ રહ્યો છે ત્યારે પણ કુંડલ વાસ્તવિક રીતે છે નહીં. આ બાબતનો વિસ્તાર પૂર્વે બીજી ઢાળની નવમી ગાથાના વિવેચનમાં આવી ગયો છે. (જુઓ પૃષ્ઠાંક ૬૬). માટે કુંડલાદિપર્યાય માત્ર આભાસ છે. વાસ્તવિક નથી. પણ પૂર્વે પણ જે સુવર્ણદ્રવ્ય હતું ને પાછળથી પણ જે સુવર્ણદ્રવ્ય રહેવાનું છે એ જ વસ્તુતઃ સત્ છે. પર્યાયાર્થિક નય કહે છે કે શરીરશોભા માટે પહેરવાનું હોય ત્યારે કુંડલ-કેયુર વગેરે પર્યાયો જ કામ લાગે છે. સુવર્ણદ્રવ્યને કોણ પહેરે છે ? સુવર્ણદ્રવ્ય શું શરીરશોભા કરી શકે છે ? એટલે અર્થક્રિયાકારિત્વ પર્યાયોમાં જ છે, નિત્ય એવા દ્રવ્યમાં નથી... માટે એ વાસ્તવિક સત્ નથી. = = શંકા : સુવર્ણદ્રવ્ય કુંડલ-કેયુર વગેરેને ઉત્પન્ન કરે જ છે ને ! માટે એમાં અર્થક્રિયાકારિત્વ નથી એમ કેમ કહેવાય ? છે... ૨૬૭ = સમાધાન : કુંડલાદિ પર્યાયરૂપે પરિણમવું એ તો સુવર્ણાદિ દ્રવ્યનું સ્વરૂપ જ છે... પ્રવૃતિ તાંસ્તાનું પર્યાયાત્ ગચ્છતીતિ દ્રવ્યમ્... (જળાહરણ... પાણીને ઠંડુ કરવું... આવું કોઈ પ્રયોજન મૃદ્રવ્યથી સરતું નથી... ઘડારૂપ પર્યાયથી જ સરે છે... આ પ્રસિદ્ધ જ છે...) ટૂંકમાં, આૌ, અન્તે અને વર્તમાનમાં (અર્થાત્ ત્રણેય કાળમાં) જે હોય તે જ સત્ છે એવું દ્રવ્યાર્થિકનય માને છે... અને જે અર્થક્રિયાકારી છે એ જ સત્ છે એવું પર્યાયાર્થિકનય માને છે... માટે દ્રવ્યાર્થિકનય દ્રવ્યને અને પર્યાયાર્થિકનય પર્યાયને માનનાર છે. દ્રવ્યાર્થ-પર્યાયાર્થના આવા લક્ષણથી જણાય છે કે જે આદિ = અતીત અને અંત = અનાગત અવસ્થાઓને પર્યાયોને માનનારો નથી=પ્રતિક્ષેપ કરનારો છે એવો ૠજુસૂત્રનય તો માત્ર વર્તમાનકાલીન શુદ્ધ અર્થપર્યાયને જ માને છે. ત્રિકાળવર્તી પદાર્થને માનતો જ નથી... માટે એ દ્રવ્યાર્થિક શી રીતે હોઈ શકે ? = આવા અભિપ્રાયથી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે ઋજુસૂત્રને પર્યાયાર્થિક નયરૂપે કહે Page #287 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે આચાર્યનઇ મતઇ ૠજુસૂત્રનય દ્રવ્યાવશ્યકનઇ વિષઇ લીન ન સંભવઇ. તથા ચ“उज्जुसूअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं पुहुत्तं णेच्छइ” इति अनुयोगद्वारसूत्रविरोधः । વર્તમાનપર્યાયાધારાંશ-દ્રવ્યાંશ, પૂર્વાપરપરિણામસાધારણ ઊર્ધ્વતા-સામાન્ય-દ્રવ્યાંશ, સાદેશ્યાસ્તિત્વરૂપ તિર્યક્સામાન્ય-દ્રવ્યાંશ, એહમાં એકઇ પર્યાયનય ન માનઇ, તો ૠજુસૂત્ર ૨૬૮ આમ, પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક છે... અંતિમ ત્રણ નય પર્યાયાર્થિક છે... આમાં તો કોઈ મતભેદ નથી... માત્ર ઋજુસૂત્રનય અંગે મતભેદ છે... સિદ્ધાન્તવાદી આચાર્યો એને દ્રવ્યાર્થિક માને છે... તર્કવાદી આચાર્યો એને પર્યાયાર્થિક માને છે. છતાં, છેવટે બન્ને મતે આ બે નયનો સાત નયમાં સમાવેશ થઈ જ જાય છે. નથી થતો એમ નથી જ. પછી એ બેને અલગ નય તરીકે જણાવવાની કોઈ જરૂર રહેતી નથી, એ સ્પષ્ટ છે. શંકા : ૠજુસૂત્રનય માત્ર વર્તમાનને જોનાર છે... ત્રિકાળવર્તી પદાર્થને જોનાર નથી... ને તેથી એ દ્રવ્યને જોનાર નથી... તર્કવાદી આચાર્યોની આ વાત સાચી જ જણાય છે... તો સિદ્ધાન્તવાદી આચાર્યો એને કેમ દ્રવ્યાર્થિક માને છે ? સમાધાન ઃ કારણ કે તેઓ સિદ્ધાન્તવાદી છે, માટે ઋજુસૂત્રને દ્રવ્યાર્થિકનય માને છે. આશય એ છે કે શ્રી અનુયોગદ્વાર સૂત્ર નામના સિદ્ધાન્તગ્રન્થમાં આવું સૂત્ર આવે છે કે ૠજુસૂત્રનય મતે અનુપયુક્તપણે આવશ્યક બોલનાર એક વક્તા એ એક દ્રવ્યાવશ્યક છે... જુસૂત્રનય પૃથક્વને માનતો નથી – દ્રવ્યાવશ્યક અનેક-બહુ હોય એવું માનતો નથી.... (ૠજુસૂત્રનય માત્ર સ્વકીય હોય એ જ માને છે... માટે સ્વકીય પોતાના એક દ્રવ્યાવશ્યકને માને છે, પણ એ સિવાયના પરાયા દ્રવ્યાવશ્યકને માનતો નથી. માટે દ્રવ્યાવશ્યકનું બહુત્વ એના મતે સંભવતું નથી...) એટલે, જો ૠજુસૂત્રનય પર્યાયને જ જોનાર હોય, દ્રવ્યને જોનાર જ ન હોય તો, દ્રવ્યાવશ્યકને પણ શી રીતે જુએ ? પણ આ સિદ્ધાન્તસૂત્રમાં એને દ્રવ્યાવશ્યક માનનારો કહ્યો છે... માટે સિદ્ધાન્તવાદીઓ એમ કહે છે કે ૠજુસૂત્રનય એ દ્રવ્યાર્થિકનય છે. = શંકા : તો પછી તર્કવાદીઓને અનુયોગદ્વારના આ સૂત્રનો વિરોધ થશે ને ? આ જ શંકાને ગ્રન્થકારે ટબામાં તે આચાર્યનઇ... વગેરે પંક્તિ દ્વારા જણાવી છે. આ પંક્તિઓનો આશય આવો છે કે તે આચાર્યોના મતે તર્કવાદી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે આચાર્યના મતે ૠજુસૂત્રનય દ્રવ્યાવશ્યકને વિશે લીન ન સંભવે = દ્રવ્યાવશ્યકને જુએ નહીં - માને નહીં... અને જો આવું હોય તો તેઓના મતે ૩ષ્ણુસૂત્રસ્ત બેો...' વગેરે ઉપર જણાવેલ અનુયોગ દ્વારના સૂત્રનો વિરોધ થશે. એ વિરોધ આ રીતે - દ્રવ્યાંશ ત્રણ રીતે છે... (૧) વર્તમાનપર્યાયનો આધાર બનનાર દ્રવ્યાંશ, (૨) પિંડ-સ્થાસ વગેરે પૂર્વાપર પરિણામોમાં સાધારણ એવા ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યાંશ અને (૩) ક્ષેત્રભેદે રહેલા જુદા-જુદા ઘડા-પટ વગેરેમાં રહેલ સાદૃશ્યના અસ્તિત્વરૂપ જે તિર્યક્સામાન્ય હોય છે તદ્રુપ દ્રવ્યાંશ... આમ આ ત્રણ દ્રવ્યાંશ છે... પણ પર્યાયનય તો આ ત્રણમાંના એકપણ દ્રવ્યાંશને માનતો નથી... તેથી ઋજુસૂત્રને જો પર્યાયનય કહેવાનો હોય તો, - = Page #288 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ ૨૬૯ પર્યાયનય કહતાં એ સૂત્ર કિમ મિલઈ ? તે માટd - “ક્ષણિક દ્રવ્યવાદી સૂક્ષ્મ ઋજુસૂત્ર, તત્તવર્તમાનપર્યાયાપન્નદ્રવ્યવાદી સ્થૂલ ઋજુસૂત્રનય કહવો” ઇમ સિદ્ધાન્તવાદી કહઈ છઈ. अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम्, इत्यस्मदेकપરિણીતિ: પન્ચા: ૫ ૮-૧૩ ૫ જુસૂત્રનય દ્રવ્યાવશ્યકને માને છે એવું જણાવનાર આ સૂત્રની સંગતિ શી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. માટે જુસૂત્રના પર્યાયનય નથી, પણ દ્રવ્યનય છે, એમ સિદ્ધાન્તવાદી કહે છે. શંકા : પણ ઋજુસૂત્ર જો માત્ર વર્તમાનગ્રાહી છે, તો એ દ્રવ્યાર્થિક શી રીતે સંભવે ? સમાધાન : ઋજુસૂત્રના બે ભેદ છે. સૂક્ષ્મ અને સ્કૂલ.... ક્ષણિક દ્રવ્યવાદી = તત્તત્પણભાવી પર્યાયાપન દ્રવ્યવાદી ઋજુસૂત્ર એ સૂક્ષ્મઋજુસૂત્ર છે અને જે વર્તમાન પર્યાય દીર્ઘકાલીન હોય એવા તે તે વર્તમાન પર્યાયરૂપ બનેલા દ્રવ્યને માનનારો ઋજુસૂત્ર એ સ્થૂલઋજુસૂત્ર છે. એટલે આ રીતે દ્રવ્યને જ મુખ્ય તરીકે જોનાર ઋજુસૂત્ર માનવામાં કોઈ તકલીફ નથી. અને તેથી આ સૂત્રને અનુસરવા માટે ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક માનવો આવશ્યક છે. આમ સિદ્ધાન્તવાદી કહે છે. શંકા : પણ તો પછી તર્કવાદીઓના મતે તો આ સૂત્ર અસંગત જ રહેશે ને ? સમાધાન : ગ્રન્થકાર ઉપાધ્યાયજી મહારાજ એ સંગતિ કરી દેખાડે છે. મનુપાવ્યાંશનેવ... ઇત્યાદિ. આશય એ છે કે આપણા શાસ્ત્રોમાં – સૂત્રોમાં દ્રવ્ય-નિક્ષેપને બે રીતે જણાવેલ છે. (૧) ભૂતકાલીન કે ભાવીકાલીન ભાવનિક્ષેપરૂપ બનનાર જે અવસ્થાવિશેષ.. ( પર્યાય) એના કારણભૂત જે હોય તે દ્રવ્યનિક્ષેપ.... જેમકે સાધુભગવંત કાળ કરીને દેવ બનવાના છે તો હાલ એમને દ્રવ્યદેવ કહેવાય છે. જેમ છદ્મસ્થાવસ્થામાં રહેલા તીર્થકર ભગવાન્ દ્રવ્યતીર્થકર કહેવાય છે. મૂતી મવિનો વા યાર તો.. આવા સૂત્રથી આ દ્રવ્યનિક્ષેપ જણાય છે. (૨) મધુવો બું. આ સૂત્રાનુસારે આપણે આવશ્યકાદિ જે કાંઈ કરીએ એમાં જો ઉપયોગ ન હોય.... અનુપયુક્તપણે થઈ રહ્યું હોય તે એ પણ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. આને અનુપયોગ દ્રવ્યાંશ કહે છે અને પ્રથમ પ્રકારને કારણદ્રવ્યાંશ કહી શકાય છે. આમાંથી પ્રથમ કારણદ્રવ્યાંશ તો ભૂત-ભાવી પર્યાયના કારણભૂત હોવાથી એ દ્રવ્યાત્મક જ છે. ને તેથી પર્યાયાર્થિક નયનો વિષય ન બનવાથી ઋજુસૂત્રને પર્યાયાર્થિક શી રીતે કહી શકાય ? પણ જે બીજો અનુપયોગ દ્રવ્યાંશ જે છે તે પર્યાયાર્થિકનય બની શકે છે. કારણ કે અનુપયુક્ત વક્નત્વ (કે અનુપયુક્ત ક્રિયાકર્તુત્વ) અવસ્થારૂપ પર્યાય એ અનુપયોગ દ્રવ્યાંશ બની શકે છે ને એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિક એવા ઋજુસૂત્રનો વિષય બની શકે છે. સૂત્રમાં પણ એ મજુવારે... શબ્દ દ્વારા અનુપયોગ દ્રવ્યાંશનો જ ઉલ્લેખ કર્યો છે. શંકા ઃ સૂત્રમાં જો અનુપયોગ અવસ્થારૂપ દ્રવ્યાંશનો ઉલ્લેખ છે તો એ તો પર્યાયરૂપ હોવાથી દ્રવ્યાર્થિકનો વિષય ન બની શકવાના કારણે સિદ્ધાન્તવાદીને પ્રશ્ન આવશે. સમાધાન : સૂત્રમાં જે મજુવરત્તે શબ્દ રહેલો છે. એનો સિદ્ધાન્તવાદી “અનુપયુક્ત Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઢાળ-૮ : ગાથા-૧૪ ઇમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ । પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે || પ્રાણી૦ | ૮-૧૪॥ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો : ઇમ, અંતર્ભાવિત કહતાં-૭ માંહિ મેલ્યા, જે દ્રવ્યાર્થિક પર્યાયર્થિક, તેહનો અલગો ઉપદેશ કિમ કરીઓ ? જો ઇમ કહસ્યો - “મતાંતરઇ-૫ નય કહિઇ છઇ, તેહમાં ૨ નય ભલ્યા, તેહનો ૭ નય કરતાં જિમ અલગો ઉપદેશ છઇ, તિમ અહ્મારઇ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનો અળગો ઉપદેશ હુસ્યઇ” તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનઇ જિમ વિષયભેદ આત્મા' આવો અર્થ કરીને આત્મદ્રવ્યને જ દ્રવ્યાવશ્યકરૂપ માને છે માટે એમના મતે ૠજુસૂત્ર દ્રવ્યાર્થિક બની જશે. જ્યારે તર્કવાદી એ શબ્દના અર્થ તરીકે ‘અનુપયુક્ત અવસ્થા' પકડતો હોવાથી દ્રવ્યાવશ્યકને પર્યાયરૂપ માને છે. માટે એમના મતે ૠજુસૂત્રનય પર્યાયાર્થિક બની જશે. આ રીતે તાર્કિક મતે પણ આ સૂત્રની સંગતિ કરવી... પણ સૂત્ર વિરોધ ન સમજવો... એમ અમે (ગ્રન્થકારે) વિચારી કાઢેલો સમાધાન માર્ગ છે. આમ, એક મતે ૪માં દ્રવ્યાર્થિકનો ને ૩ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે, બીજા મતે ૩ માં દ્રવ્યાર્થિકનો ને ૪ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે. પણ કુલ ૭ નયમાં બન્નેનો સમાવેશ થઈ જ જાય છે, તે બેને અલગા કરીને ૯ નય કહેવા એ યોગ્ય નથી. ॥ ૧૨૦-૧૨૧|| ગાથાર્થ આમ અંતર્ભાવ પામી જતા નયોનો અલગ ઉપદેશ (= કથન) કેમ કરાય ? પાંચ નયમાંથી ૭ નય કરવામાં જેમ વિષયભેદ છે એવો અહીં તો છે નહીં... || ૮-૧૪|| વિવેચન : ઇમ અંતર્ભાવિત... આમ, નૈગમ વગેરે ૭ નયમાં જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય ભળી જાય છે એને અલગ પાડીને શી રીતે કહેવાય ? દિગંબર : જેમ ‘મતાંતરે પાંચ નય કહેવાય છે. અર્થાત્ નય પાંચ નયમાં ભળી જ ગયેલા છે ને છતાં એ બે નયને અલગ પાડીને મતાંતરે ૫ + ૨ જ છે ને. તો એવી રીતે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકને પણ અલગ પાડીને ૭ માટે ન કહેવાય ? ૭ નય પણ કહેવાય + ૨ = ૯ નય શા ગ્રન્થકાર : શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતને જેમ વિષયભેદ છે તેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો... મતાંતરે પાંચ નય જે કહ્યા છે તે તો ત્રણ નયોનો એક સંજ્ઞાથી = નામથી સંગ્રહ કરીને પાંચ નય કહ્યા છે... પણ વિષય તો ત્રણેનો ભિન્ન જ છે. અહીં વિષય ભિન્ન નથી. આશય એ છે કે પ્રથમ ચાર નય તો બન્ને મતે (૭ નયમતે અને ૫ નયમતે) સમાન જ છે. છેલ્લા ત્રણ નય માટે મતાંતર છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે નયનો વિષય અલગ-અલગ જ છે... અને તેથી એ ત્રણે સ્વતંત્ર હોવાથી એના ત્રણ અલગ-અલગ નય કરી Page #290 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૪ ૨૭૧ છઇ, તિમ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો. ૩ નયનઇ એક સંજ્ઞાઇ સંગ્રહી પ નય કહિયા છઇ, પણિ વિષય ભિન્ન છઇ. ઇહાં વિષય ભિન્ન નથી. ૪ + ૩ જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિક માંહિ આવઇ. જે કુલ ૭ નય કહેવામાં આવે છે. બીજો મત આ ત્રણે નયોનો ‘શબ્દનય' એમ એક જ સંજ્ઞા હેઠળ સંગ્રહ કરીને ૪ + ૧ = પાંચ નય કહે છે... એટલે ૭ નયની પરિભાષામાં જે ‘શબ્દનય' એવું નામ છે અને પાંચ નયની પરિભાષામાં જે ‘શબ્દનય’ એવું નામ છે એ બન્નેનો અર્થ અલગ-અલગ છે. તેથી જ ૭ નયની પરિભાષામાં ‘શબ્દનય’ નું ‘સાંપ્રતનય' એવું પણ બીજું નામ છે, જે પાંચ નયની પરિભાષામાં નથી. એટલે નૈગમાદિ ચાર નય + સાંપ્રતનય આમ પાંચ જ નય કહેવામાં આવે તો સમભિરૂઢ અને એવંભૂતનય જેમ બાકી રહી જાય છે એમ, ‘સાંપ્રતનય' ના અર્થવાળો જ ‘શબ્દનય' એવો શબ્દ વાપરવામાં આવે તો પણ આ બે નયનો અર્થ બાકી રહી જ જાય છે. એટલે એનો સમાવેશ કરવા આ બે નયનો જુદો ઉલ્લેખ કરવો આવશ્યક બને જ અને તેથી કુલ ૭ નય થાય જ. - પણ તમારા ૯ નયની બાબતમાં આવું નથી. નૈગમાદિ ૭ નય કહી દીધા પછી ક્યા નયનો અર્થ બાકી રહી જાય છે ? જેનો સમાવેશ કરવા દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો જુદો ઉલ્લેખ કરવો આવશ્યક બને ? આવો કોઈ જ અર્થ બાકી રહેતો નથી... ને તેથી એ બેનો જુદો ઉલ્લેખ કરવો યોગ્ય ન હોવાથી ૯ નયની પરિભાષા બરાબર નથી... અને તેના સમર્થનમાં ૫-૭ નયના મતાંતરનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. હા, જો પૂર્વાચાર્યોએ નૈગમાદિ ૪ + સાંપ્રત + સમભિરૂઢ + એવંભૂત ૭ નય અને આદેશાંતરે નૈગમાદિ ૪ + સાંપ્રત + સમભિરૂઢ + એવંભૂત + શબ્દનય = ૮ નય... આમ સાંપ્રતાદિ ત્રણમાં જે શબ્દનયનો સમાવેશ થઈ જ જાય છે, ને તેમ છતાં એને અલગ પાડીને કહેવો એ પણ ઉચિત છે, એમ માનીને ૭ નય અને આદેશાંતરે ૮ નય... આ પ્રમાણે કહ્યું હોત તો એને અનુસરીને તમારી ૯ નયની વાત પણ સંગત ઠરી શકત... પણ જે સમાવિષ્ટ હોય એનો ફરીથી ઉલ્લેખ કરવો યોગ્ય નથી એમ સમજીને જેમ મતાંતરે ૮ નય કહેવાયા નથી... તેમ ૯ નય પણ કહી શકાય નહીં... એ કહેવા પણ યોગ્ય નથી જ. શ્રી દેવસેનાચાર્ય ૭ ના બદલે મૂળ ૯ નયો હોવાની જે અનુચિતપ્રરૂપણા કરી છે એનું નિરસન કરીને હવે ગ્રન્થકાર દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદ સ્વતંત્ર રીતે જે દેખાડ્યા છે તેનું પણ નિરસન કરવા કહે છે - જે દ્રવ્યાર્થિકના... દ્રવ્યાર્થિકના શ્રી દેવસેનાચાર્યે જે ૧૦ ભેદ દેખાડ્યા છે તે બધાનો શુદ્ધ સંગ્રહનય, અશુદ્ધસંગ્રહનય વગેરેમાં સમાવેશ થઈ જાય છે. (સંગ્રહનય એટલે સામાન્ય ધર્મને આગળ કરીને બધાનો સંગ્રહ કરનાર નય... એટલે એ જેમ વધુ ને વધુ સામાન્ય તરફ ઢળેલો હોય... ને વિશેષને ગૌણ કરતો હોય તેમ શુદ્ધ કહેવાય... એટલે સત્તા સામાન્યને આગળ કરીને Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઢાળ-૮ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૬ ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યા, તે સર્વ ઉપચરિતાનુપચરિત વ્યવહાર, શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિકમાંહિં આવશે. “જોનિવ” ન્યાયઈ વિષયભેદઈ ભિન્નનય કહિછે, તો “ચાલવ નાચેવ” ઇત્યાદિ સપ્તભંગી મળે કોટિપ્રકારો અર્પિતાનર્પિત સત્તાસત્ત્વગ્રાહક નયપ્રક્રિયા ભાજઇ. એ પંડિતઈ વિચારવું. ૮-૧૪ ! બધા જ દ્રવ્યોનો સંગ્રહ કરનાર કોઈ જ વિશેષ ન જોનાર સંગ્રહનય એ શુદ્ધ સંગ્રહનય.... ગ્રન્થકારે બીજી ઢાળની ચોથી ગાથાના ટબામાં આ વાત “શુદ્ધ સંગ્રહનયનઈ મતઈ તો સદદ્વત વાદએક જ દ્રવ્ય આવછે તે જાણવું.' આવી પંક્તિ દ્વારા જણાવેલી છે. શ્રી દેવસેનાચાર્ય અને ઓઘ (સામાન્ય) સંગ્રહ એવું નામ આપ્યું છે, એ જાણવું.) એટલે, ઉત્પાદ-વ્યય ગૌણત્વેન સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક.. આવો દ્રવ્યાર્થિકનો બીજો ભેદ જે છે તે જ્યારે સત્તા સ્વરૂપે સર્વદ્રવ્યોનો ગ્રાહક હોય ત્યારે શુદ્ધ સંગ્રહનયમાં, અને જીવાદિ દ્રવ્યોની સત્તાને અલગ-અલગ જોતો હોય ત્યારે અશુદ્ધ-સંગ્રહનયમાં સમાવેશ પામે એ જાણવું... એમ કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય એવો દ્રવ્યાર્થિકનો જે પ્રથમ ભેદ છે તે સર્વજીવોનો જ સિદ્ધ સ્વરૂપે સંગ્રહ કરતો હોવાથી અશુદ્ધ સંગ્રહનયમાં (જેને દેવસેનાચાર્યે વિશેષ સંગ્રહ' નામ આપ્યું છે, એમાં) સમાવેશ પામે છે, કારણ કે નવા સર્વેડવિરોધન: આવા ઉદાહરણને બીજા વિશેષ સંગ્રહભેદમાં આપવામાં આપ્યું છે. આમ યથાયોગ્ય બધાનો અન્તર્ભાવ વિચારવો. પર્યાયાર્થિકના જે ૬ ભેદ દેખાડ્યા છે એનો સમાવેશ ઉપચરિત વ્યવહાર, અનુપચરિત વ્યવહાર, શુદ્ધ ઋજુસૂત્ર, અશુદ્ધઋજુસૂત્ર વગેરેમાં જાણવો. અહીં પણ ઋજુસૂત્ર માત્ર વર્તમાનગ્રાહી છે.... સ્વરૂપથી વર્તમાનકાળ માત્ર એક સમયરૂપ હોવાથી માત્ર સમયસ્થિતિક (ક્ષણિક) પર્યાયગ્રાહી ઋજુસૂત્ર એ શુદ્ધ ઋજુસૂત્ર નય છે. આને શ્રી દેવસેનાચાર્યે સૂક્ષ્મઋજુસૂત્ર એવું નામ આપ્યું છે... અને જે, તે તે દીર્ઘકાલીન વર્તમાનપર્યાયને જોનાર ઋજુસૂત્રનય છે. એ અશુદ્ધ ઋજુસૂત્ર છે, આને શ્રી દેવસેનાચાર્યે સ્થૂલ ઋજુસૂત્ર એવું નામ આપ્યું છે. પર્યાયાર્થિકનો ત્રીજો અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નયનો શુદ્ધ ઋજુસૂત્રમાં સમાવેશ થાય છે... વગેરે અહીં યથાયોગ્ય સમજવું. આમ દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદોનો સંગ્રહાદિનયોમાં સમાવેશ થઈ જતો હોવાથી એ બધાનો અલગ ઉલ્લેખ કરવો યોગ્ય નથી. શંકા : એક ગોવરનીવર્ક ન્યાય છે. એનો અર્થ આવો છે - સંસ્કૃત ભાષામાં ગો શબ્દ ગાય અને બળદ બન્નેને જણાવે છે. પણ જ્યારે બળદને જણાવનાર નીવર્ડ શબ્દ અલગથી ઉલ્લેખ પામ્યો હોય ત્યારે ગો શબ્દ માત્ર ગાયને જણાવે છે. એમ પ્રસ્તુતમાં સંગ્રહ વગેરે નયનો વિષય વ્યાપક છે. પણ જ્યારે, ઉત્પાદવ્યયગૌણત્વેન શુદ્ધ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનય અલગ કહ્યો હોય ત્યારે સંગ્રહનય તરીકે, આ દ્રવ્યાર્થિકનયનો જે વિષય હોય એ વિષયને બાદ કરીને બાકીના વિષયનું ગ્રહણ કરનાર નય જ લેવાનો હોય છે. એટલે આ શુદ્ધ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયનો વિષય અને સંગ્રહનયનો વિષય અલગ-અલગ બની જવાથી સમાવેશ શક્ય નથી. ને તેથી આ રીતે વિભાજન અનુચિત નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૫ સંગ્રહ નઈ વ્યવહારથી રે, મૈગમ કિહાંઇક ભિન્ન .. તિણ તે અલગો તેહથી રે, એ તો દોઇ અભિન્ન રે ! પ્રાણી, I૮-૧૫ | ટબો: “જો” વિષયભેદઈ નયભેદ કહસ્યો “તો સામાન્ય નૈગમ સંગ્રહમાં, વિશેષતૈગમ વ્યવહારનયમાં ભેલતાં ૬ જ નય થઈ જામ્યU” એહવી શિષ્યની શંકા ટાલવાનાં અર્થિ કહઈ છ0 યદ્યપિ સંગ્રહનય- વ્યવહારનયમાંહિં જ સામાન્ય વિશેષ ચર્ચાઈ નૈગમનય ભલઈ છઇ, તો પણિ કિહાંઈક પ્રદેશાદિ દૃષ્ટાન્તસ્થાનાં ભિન થાઈ છઇ. छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो । तम्मि य सो य पएसो, सो चेव ण चेव सत्तण्हं ।। इत्यादि ।। તે માર્ટિ-કિહાંઈક ભિન્ન વિષયપણાથી નૈગમન ભિન્ન કહિએ, એ તો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નૈગમાદિકનયથી અભિન્ન વિષય છઇ, તો તે અલગા કરિનાં નવ ભેદ નયના કિમ કહિએ ? | ૮-૧૫ . સમાધાન : જો આ રીતે ગોબલીવદંન્યાયે વિષયભેદ કરી ભિન્ન ભિન્ન નય કહેવાના હોય તો વચ્ચેવ – નાયૅવ વગેરે સપ્તભંગીમાં નયની પ્રક્રિયા પડી ભાંગશે. આશય એ છે કે સ્વદ્રવ્યગ્રાહકનય જુદો... એના કરતાં પરદ્રવ્ય એ ભિન્ન વિષય હોવાથી એનો ગ્રાહકનય જુદો... વળી સ્વક્ષેત્ર એ પણ ભિન્ન વિષય હોવાથી એ નય પણ જુદો.. આમ પરક્ષેત્રાદિના ગ્રાહક નય જુદા. આમ ઢગલાબંધ નય થશે. એમ, દ્રવ્યાદિ તરીકે વ્યાપ્ય-વ્યાપક દ્રવ્યાદિ લેવામાં આવે તો સ્વ-પરદ્રવ્ય બદલાવાથી નયભેદ થઈ જશે. એમાં વળી ક્યારેક સ્વદ્રવ્યાદિને અર્પિત કરવાના... ક્યારેક પરદ્રવ્યાદિને.. એટલે સત્તાસત્ત્વ ગ્રાહક નય કોટિ પ્રકારે મળવાથી સાતનયની કે સાત ભંગની પ્રક્રિયા જ શી રીતે ઊભી રહે ? એ પંડિતે વિચારવું. માટે ગોબલીવદંન્યાયે વિષયભેદ કરી નયભેદ કહેવા એ પણ ઉચિત નથી. | ૧૨૨ | ગાથાર્થ : સંગ્રહ અને વ્યવહારનયથી નૈગમનય ક્યાંક ભિન્ન છે. તેથી તેનો અલગભેદ કરવામાં આવ્યો છે. પણ એ બે તો અભિન્ન છે = ક્યાંય ભિન્ન નથી. (માટે અલગભેદ કરવા યોગ્ય નથી.) | ૮-૧૫ II | વિવેચન : અહીં શિષ્ય શંકા કરી રહ્યો છે કે – તમારા કહેવાનો સાર એ છે કે જો ખરેખર વિષયભેદ થતો હોય તો નયભેદ કરી શકાય. પણ જો વિષયભેદ ન હોય તો નયભેદ કરી શકાય નહીં. પણ જો આ જ સાર છે તો નૈગમનયને પણ અલગ કહેવો ન જોઈએ, કારણ કે જે સામાન્યગ્રાહી નૈગમ છે તેનો સંગ્રહમાં સમાવેશ થઈ જાય છે અને જે વિશેષગ્રાહી નૈગમનાય છે એનો વ્યવહારમાં સમાવેશ થઈ જાય છે. આ બે સિવાય નૈગમનો ભિન્ન કોઈ વિષય છે નહીં. માટે, નૈગમનો પણ જુદો ઉલ્લેખ કરવો ન જોઈએ. ને તેથી ૬ જ નય કહેવા જોઈએ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઢાળ-૮ : ગાથા-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શિષ્યની આવી શંકા ટાળવા માટે ગ્રન્થકારે પ્રસ્તુત ગાથા કહી છે. ને એના દ્વારા આ પ્રમાણે સમાધાન આપ્યું છે કે – પદાર્થ સામાન્યાત્મક છે કે વિશેષાત્મક છે ? આની જ્યારે વિચારણા ચાલે છે ત્યારે તો નૈગમનય સંગ્રહ અને વ્યવહારમાં ભળી જ જાય છે.... છતાં, ક્યાંક પ્રદેશાદિ દૃષ્ટાન્ત સ્થળે, નૈગમનયનો વિષય આ બન્ને નયથી અલગ હોય છે. અર્થાત્ એનો આ બેમાંથી એકેયમાં સમાવેશ થઈ શકતો નથી... માટે તૈગમનયને અલગ પાડવો આવશ્યક છે. પ્રદેશ દદાત્ત અંગે શાસ્ત્રમાં નીચે મુજબ કહ્યું છે - ગાથાર્થ : છ ના પ્રદેશ હોય છે. પાંચના પ્રદેશ હોય છે. પંચવિધ હોય છે. ભજના છે. તfH-થને પાસે સે પાસે લખે, સ પ્રવેશશ, પ્રદેશ જેવું કાંઈ છે જ નહીં. આવી પ્રદેશ અંગે સાત નયની પ્રરૂપણા છે. આશય એ છે કે, સાતે નયની પ્રદેશ અંગે જુદી જુદી દૃષ્ટિ છે. તે નીચે મુજબ છે નૈગમનય : ધર્મ, અધર્મ, આકાશ, જીવ, સ્કંધ (પુદ્ગલ) આ પાંચનો તેમજ આ બધાના જે દેશ હોય તેનો (દેશનો)... એમ છનો પ્રદેશ હોય છે. સંગ્રહનય : ધર્મ વગેરેનો દેશ કોઈ ધર્મ વગેરેથી જુદો નથી. એટલે એનો પ્રદેશ અલગ ન કહેવાનો હોય. માટે પાંચનો પ્રદેશ એમ જ કહેવું જોઈએ. વ્યવહારનય : પાંચ જણની ભેગી દુકાન હોય તો પાંચની દુકાન કહેવાય. એમ પાંચનો કોમન એક પ્રદેશ હોય તો પાંચનો પ્રદેશ કહેવાય. પણ એવું છે નહીં. માટે પાંચનો પ્રદેશ એમ નહીં, પણ પંચવિધ-પાંચ પ્રકારનો પ્રદેશ છે એમ કહેવું જોઈએ. 28જુસૂત્રનય : આમ કહેવામાં તો ધર્મ વગેરે દરેકનો પ્રદેશ પાંચ-પાંચ પ્રકારનો થવાથી ૨૫ પ્રકારનો થઈ જાય.. માટે પંચવિધ એમ ન કહેવું. પ્રદેશ ભાજ્ય છે, એમ કહેવું જોઈએ. અર્થાત્ પ્રદેશમાં વિકલ્પ છે. એ ધર્મનો હોય શકે અથવા અધર્મનો હોય શકે. અથવા આકાશનો હોય શકે... વગેરે કહેવું જોઈએ. શબ્દનય : આ રીતે તો એકનો એક પ્રદેશ ક્યારેક ધર્મનો હોય ક્યારેક અધર્મનો હોય વગેરે આપત્તિ આવશે. માટે એવું ન કહેવાય.. પણ ધર્માત્મક પ્રદેશ છે કે પ્રદેશાત્મક ધર્મ છે, એમ કહેવું જોઈએ. સમભિરૂઢનય : ધન્ને પક્ષે એમ કહેવામાં સપ્તમી તપુરુષ પણ થઈ શકે જે અનિષ્ટ છે. માટે કર્મધારય સમાસ સમજી ધર્મશાસૌ પ્રશ0 આવો સમાસ કહેવો જોઈએ. એવંભૂતનય : દેશ-પ્રદેશ જેવી કોઈ વસ્તુ જ નથી. જે ધર્માસ્તિકાય છે તે આખું એક જ નિરંશ દેશ-પ્રદેશાદિકલ્પનાશૂન્ય દ્રવ્ય છે. કારણ કે જો પ્રદેશો હોય તો એ પ્રદેશી એવા ધર્મ વગેરે દ્રવ્યથી ભિન્ન હોય કે અભિન્ન ? પ્રથમ પક્ષ તો કહેવાય એમ નથી. કારણ કે કયારેય પણ ભિન્ન પ્રદેશો જોવા મળતા નથી. જો અભિન્ન છે, તો એ ધર્મ દ્રવ્યરૂપ જ છે. તેથી પ્રદેશ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૬ ઈમ કરતાં એ પામી રે, સર્વવિભક્ત વિભાગ | જીવાદિક પરિ કો નહીં રે, ઈહાં પ્રયોજન લાગ રે | પ્રાણી ૮-૧૬ ! ટબો : ઈમ કરતાં-૯ નય દેખાડતાં, વિભક્તનો વિભાગ થાઈ = વહિંચ્યાનું વહેંચવું થાઈ, તિવારઈ- “બવા: દિથા, સંસારિ: સિદ્ધ (), સંસા : પૃથિવીયલલિપન્મેલા સિદ્ધા: પલ મેલા” એ રીતે “નો દિયા, કવ્યfઈપfઈમેલન્ ા વ્યાર્થિવત્રિથી નૈમિતિએલત્ ઋગુસૂત્રાહિમે વાર્થો પર્યાયાર્થિવા: ” હમ કહિઉં જોઇએ, પણિ “નવ નથી.” ઇમ એકવાક્યતાઈ વિભાગ કીધો, તે સર્વથા મિથ્યા જાણવો. નહીં તો “નવા સંસારિ: સિદ્ધરઇત્યાદિ વિભાગવાક્ય પણિ થાવા પામઈ. શબ્દ તો માત્ર પર્યાયવાચી શબ્દ જ બની ગયો. અને બે પર્યાયવાચી શબ્દોનો એક સાથે પ્રયોગ કરવો ઉચિત નથી, કારણ કે એક શબ્દથી જ અર્થ બોધ થઈ જવાથી બીજો વ્યર્થ બની જાય છે. માટે પ્રદેશ જેવું કાંઈ છે જ નહીં. આમ, ક્યાંક નૈગમનયનો વિષય અન્ય નયો કરતાં અલગ હોવાથી એને સ્વતંત્ર નય તરીકે કહેલ છે. પણ આ બે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય નગમાદિ ૭ નયને અભિન્નવિષય છે.. ક્યાંય જુદો વિષય એ બેનો છે નહીં. તેથી એ બેને અલગ કરીને ૯ નય શી રીતે કહી શકાય? અર્થાત્ નહીં જ કહી શકાય. | ૧૨૩ || ગાથાર્થ : આમ કરવાથી તો આ સર્વવિભક્તનો વિભાગ કરવા જેવું થશે. જીવાદિકને અલગ કરવામાં જેમ ચોક્કસ પ્રયોજન છે, એવું અહીં તો કોઈ પ્રયોજન નથી. / ૮-૧૬ || વિવેચન : સાતના નવ નય કરવામાં આવતી આપત્તિઓ ગ્રન્થકાર દર્શાવી રહ્યા છે... આ ગાથામાં પણ એક એવી નવી આપત્તિ દર્શાવી રહ્યા છે. ઇમ કરતાં... દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય સંપૂર્ણ રીતે નૈગમાદિ ૭ નયોમાં વિભક્ત થઈ ગયા છે... અર્થાત્ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનો જે જે વિષય છે એ બધો જ થોડો પણ બાકી રહ્યા વગર. સાત નયમાં વહેંચાઈ ગયો છે. હવે કોઈ વિષય બાકી રહ્યો જ નથી. તો વધારાના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય કહેવામાં એ બેમાં કયો વિષય મૂકવાનો ? જે વિષય સાત નયોમાં વહેંચાઈ ગયો છે એને જ ફરીથી આ બે નયમાં વહેંચવાનો ? એ શી રીતે શક્ય બને ? એટલે, “જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. એમાં સંસારીના પૃથ્વીકાય વગેરે ૬ ભેદો છે. સિદ્ધના જિનસિદ્ધ વગેરે ૧૫ ભેદો છે...” આવું જેમ કહેવાય છે, એમ “નય બે પ્રકારે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.. એમાં દ્રવ્યાર્થિક ત્રણ પ્રકારે છે – નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. પર્યાયાર્થિક ચાર પ્રકારે છે - ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત....” એમ કહેવું જોઈએ.... પણ એના બદલે દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિકને પણ નૈગમાદિતુલ્ય સ્વતંત્ર-સમકક્ષ ભેદરૂપે લઈ એકસૂત્રે નવ નય કહેવા - નય નવ પ્રકારે છે- (૧) દ્રવ્યાર્થિક, (૨) પર્યાયાર્થિક, (૩) નૈગમ.. આ રીતે નવ નિયો હોવાનો નિયવિભાગ કહેવો એ સર્વથા મિથ્યા જાણવો. નહીંતર તો એ રીતે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઢાળ-૮ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ હિવઈ, કોઈ કહસ્યાં, જે “નીવાળીવ તત્ત્વ” ઇમ કહતાં અનેરાં તત્ત્વ આવ્યાં, તો પરિણ-૭ તત્ત્વ કહિઈ છો. તિમ “વ્યર્થવ પર્યાર્થિ નથી” ઇમ કહતાં અનેરા નય આવઈ છઇ. તોહિં અચ્છે સ્વપ્રક્રિયાઈ નવ નય કહયું. તેહનઈ કહિછે, જેન તિહાં પ્રયોજનમેદઈ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઈ, તે તિમ જ સંભવઈ, ઈહાં-ઈતરવ્યાવૃત્તિસાધ્ય છઈ. તિહાં હેતુ કોટિ અનપેક્ષિત ભેદ પ્રવેશઈ વૈયÁ દોષ હોઇ. તત્ત્વપ્રક્રિયાઈ એ પ્રયોજન છઈ-જીવ, અજીવ એ ૨ મુખ્યપદાર્થભણી કહવા, બંધ મોક્ષ (અનુક્રમે) મુખ્ય હેય ઉપાદેય છઈ તે ભણી, બંધકારણ ભણી આશ્રવ, મોક્ષ મુખ્ય જીવો ત્રણ પ્રકારના છે. “જીવ, સંસારી અને સિદ્ધ' આવા બધા વિભાગવાક્યો પણ થવા જોઈએ. પણ એ ક્યારેય થતા નથી. અને “જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ...” એમ જ વિભાગવાક્ય થાય છે એમ પ્રસ્તુતમાં પણ જાણવું નહીંતર તો નવ નયની જેમ જીવોને ત્રેવીશ પ્રકારના કહેવા પડે.. તે આ રીતે -- જીવ ૨૩ પ્રકારના છે - (૧) સંસારી (૨) સિદ્ધ (૩ થી ૮) પૃથ્વીકાય વગેરે ૬ (૯ થી ૨૩) જિનસિદ્ધ વગેરે ૧૫. આવું વિભાગવાક્ય પણ કહેવું જોઈએ.. પણ શાસ્ત્રોમાં ક્યાંય કહેલું જોવા મળતું નથી. માટે, નય અંગે પણ આવું વિભાગવાક્ય માની શકાય નહીં... શંકા : હિવઈ કોઈ... તમે કહો છો એમ જીવના વિભાજન અંગેનું આવું કોઈ વાક્ય મળતું નથી, એ વાત તો સાચી છે. પણ તત્ત્વના વિભાગનું આવું વાક્ય મળે જ છે. જેમકે તત્ત્વ બે પ્રકારે છે - જીવ અને અજીવ’ આમ કહેતાં બધાં જ તત્ત્વો કહેવાઈ જ જાય છે, કારણ કે જીવ-અજીવથી અલગ કોઈ તત્ત્વ છે જ નહીં. તેમ છતાં, ૭ તત્ત્વ અલગ પણ એકવાક્યતાથી કહેવાય છે. ને એટલે, “તત્ત્વ નવ છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ' આમ વિભાગવાક્ય શાસ્ત્રોમાં કહેવાય જ છે. તો એ રીતે, “નય બે પ્રકારે છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક...” એમ કહેવાથી બધા નયોનો સમાવેશ થઈ જતો હોવા છતાં અમે સ્વપ્રક્રિયાએ ૯ નય કહીએ તો એમાં ખોટું શું છે ? સમાધાન : તેહનઈ કહિએ... જીવ અને અજીવ એ બે તત્ત્વમાં જ બધા તત્ત્વોનો સમાવેશ થઈ જતો હોવા છતાં એ બેની સાથે સાત તત્ત્વનો સ્વતંત્ર ઉલ્લેખ કરીને ૯ તત્ત્વ જે કહેવાય છે એમાં તો એક ચોક્કસ પ્રયોજન છે, પણ નવનય કહેવામાં એવું કોઈ પ્રયોજન નથી. માટે નવનય કહેવા ઉચિત નથી. આશય એ છે કે નવતત્ત્વ કહેવામાં પ્રયોજન ભેદે જુદા-જુદા તત્ત્વનો વ્યવહાર કરવો એ જ માત્ર સાધ્ય છે. ત્યાં ઇતરવ્યાવૃત્તિ સાધ્ય નથી... નવ તત્ત્વનું નિરૂપણ જીવને તત્ત્વની જાણકારીરૂપ સમ્યગૂજ્ઞાન અને એની રુચિ-શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન પ્રાપ્ત થાય અને એના દ્વારા એ મોક્ષમાર્ગમાં આગળ વધે એ માટે છે. જેમ માર્ગ પર ચાલવા માટે પ્રકાશ જોઈએ જેથી ક્યાં ચાલવાની (પગ મૂકવાની) પ્રવૃત્તિ કરવી અને ક્યાં (પગ નહીં મૂકવારૂપ) નિવૃત્તિ કરવી.... એ Page #296 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૬ ૨૭૭ પુરુષાર્થ છઇ, તે માર્ટિ-તેહનાં ૨ કારણ-સંવર નિર્જરા કહેવાં, એ ૭ તત્ત્વ કહવાની પ્રયોજનપ્રક્રિયા. પુણ્ય પાપરૂપ શુભાશુભ બંધભેદ વિગતિ અલગા કરી એહ જ પ્રક્રિયા ૯ તત્ત્વ કથનની જાણવી. ઈહાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકઈ ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. . ૮-૧૬ | ખબર પડી શકે. એમ મોક્ષમાર્ગ પર આગળ વધવા માટે પણ, ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃત્તિ આવશ્યક છે... એ માટે ઉપાદેય શું છે ? અને હેય શું છે ? એનો સ્પષ્ટ વિવેક હોવો જરૂરી છે. એટલે મુખ્ય પદાર્થ (તત્ત્વ) તરીકે જીવ-અજીવ કહી દેવામાં આવે એટલા માત્રથી પ્રયોજન સરી જતું નથી. કારણ કે એનાથી હેય-ઉપાદેયનો કોઈ વિવેક મળતો નથી. (એ બે તો “ય” તરીકે જ જણાય છે.) તેથી હેય-ઉપાદેયનો વિવેક મળે એ માટે મુખ્ય હેય તરીકે “બંધ” અને મુખ્ય ઉપાદેય તરીકે “મોક્ષ' આ બે તત્ત્વ કહેવા પણ જરૂરી બને છે. હવે “બંધ' ને હેય કહી દેવા માત્રથી પણ પ્રયોજન સરી જતું નથી. બંધની નિવૃત્તિ માટે એના કારણોની નિવૃત્તિ જરૂરી બને છે. તેથી બંધના કારણ તરીકે આશ્રવતત્ત્વ કહેવું જરૂરી બને છે. મોક્ષ એ મુખ્ય પુરુષાર્થ છે-ઉપાદેય છે. પણ એ જાણવા માત્રથી એ મળી જતો નથી. તો એ મેળવવા શું કરવું ? એ માટે એના બે મુખ્ય કારણ સંવર અને નિર્જરા તત્ત્વ કહેવા પડે છે. આમ, આવું પ્રયોજન હોવાથી આ ૭ તત્ત્વ કહેવાય છે.. હવે બંધ તત્ત્વને હેય માત્ર કહી દેવામાં આવે તો એ સંપૂર્ણ રીતે હેય જ બની જાય છે... પણ વાસ્તવિકતા એવી છે કે પ્રારંભિક અવસ્થામાં અમુક બંધ (= પુણ્યબંધ) ઉપાદેય હોય છે. ને પાછળથી એ ઉપાદેય હોતો નથી. અમુક બંધ (= પાપબંધ) તો હંમેશા હેય જ છે. એટલે આ સ્પષ્ટીકરણ માટે બંધભેદને વિગતે અલગ કરવા જરૂરી બને છે. તેથી પુણ્યરૂપ શુભબંધ અને પાપરૂપ અશુભબંધ એમ બે વિભાગ કરીને ૭ ના નવ તત્ત્વ પણ કરવામાં આવે છે. શંકા : જીવ અને અજીવ તો માત્ર શેય છે... હેય-ઉપાદેય તરીકે એનો વિભાગ છે નહીં... હેય ઉપાદેયના સ્પષ્ટીકરણ માટે પુણ્ય-પાપ વગેરે ૭ તત્ત્વો કહેવાથી પ્રયોજન સરી જાય છે... ને જીવ-અજીવનો પણ આ ૭ માં સમાવેશ થઈ જ જાય છે. તો પછી જીવ-અજીવને અલગ કહેવાની શી જરૂર છે ? સમાધાન : જીવ-અજીવ એ બેમાં શેષ ૭ નો સમાવેશ થઈ જાય છે... પણ શેષ પુણ્યાદિ ૭ માં જીવ-અજીવનો સંપૂર્ણ સમાવેશ થઈ જતો નથી. કારણ કે ધર્માસ્તિકાય વગેરેનો આ સાતમાંથી કશામાં સમાવેશ શક્ય નથી. એટલે અજીવતત્ત્વને સ્વતંત્ર કહેવું જરૂરી બને છે. તે એ સ્વતંત્ર કહ્યું એટલે એના પ્રતિપક્ષરૂપે જીવતત્ત્વને પણ સ્વતંત્ર કહેવું આવશ્યક બને છે. અથવા હેય-ઉપાદેયનો વિવેક કરનાર જીવને હેય-ઉપાદેય તરીકે મુખ્યતયા સ્વકીયબંધ વગેરે- સ્વકીયનિર્જરા વગેરે જ છે. તેથી, હેય-ઉપાદેયના વિભાગમાં જે બંધ વગેરે કહેવાય છે તે મુખ્યરૂપે સ્વકીય બંધ વગેરે જ.. એટલે એમાં સ્વજીવનો સમાવેશ તો થઈ જાય... પણ અન્ય જીવો બાકી રહી જાય છે. માટે જીવતત્ત્વને પણ અલગ કહેવું જરૂરી બને છે. આમ આ ચોક્કસ પ્રકારનાં પ્રયોજન આ રીતે નવ તત્ત્વ કહેવાથી જ સંભવી શકતા હોવાથી તત્ત્વના નવ વિભાગ કરાય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઢાળ-૮ : ગાથા-૧૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ભિન્ન પ્રયોજન વિન કહિયા રે, સાત મૂલનય સૂત્ર | તિણિ અધિકું કિમ ભાષિઇ રે, રાખિઇ નિજઘર સૂત્ર રે ।। પ્રાણી ૮-૧૭ પણ નવ નય કહેવા પાછળ આવું કોઈ પ્રયોજન છે નહીં... ત્યાં તો તે તે દરેક નય, ઇતર = અન્ય નયથી વ્યાવૃત્તિ ભેદ ધરાવે છે, એ જ સાધ્ય છે. અર્થાત્ પદાર્થને જોવાના જુદા-જુદા દૃષ્ટિકોણોનું નિરૂપણ કરવાનો ત્યાં અભિપ્રાય છે... એટલે દરેક દૃષ્ટિકોણ અલગ-અલગ હોવા જ જોઈએ... એકના એક દૃષ્ટિકોણને અલગ-અલગ દૃષ્ટિકોણરૂપે કહેવો તો ઉચિત ઠરે જ નહીં એ સ્પષ્ટ છે... માટે દરેક નય, અન્ય બધા નયોથી અલગ છે એ સાબિત થવું જ જોઈએ. આને ઇતરવ્યાવૃત્તિ કહેવાય છે... એટલે અનુમાનપ્રયોગમાં, વૈમ: સંગ્રહાવીતરનયવ્યાવૃત્ત: આટલો ઉલ્લેખ તો થયો... એટલે કે નૈગમનય પક્ષ છે. અને એમાં સંગ્રહાદિનયવ્યાવૃત્તત્વ (= વ્યાવૃત્તિ) એ સાધ્ય છે... હવે આમાં હેતુ કોણ ? તો ‘સંગ્રહાદિનયોનો જે વિષય છે એના કરતાં ભિન્ન વિષયવાળો હોવાથી...' આવો હેતુ આપવાનો છે. અર્થાત્ સંગ્રહાવીતનવિષયમિનવિષયાત્ આવો હેતુ આપવાનો છે... આમાં સંગ્રહાવીતર થી, વિભાગવાક્યમાં નૈગમ સિવાયના જેટલા નયોનો ઉલ્લેખ હોય એ બધા નય લેવાના છે... હવે નૈગમનો વિષય, સંગ્રહ-વ્યવહારાદિ ૬ નયોના વિષયથી ભિન્ન છે... અર્થાત્ સંગ્રહાવિષળયવિષયમિન્નવિષયત્વાત્ આટલા હેતુથી જ કામ પતી જાય છે. પણ જો વિભાગવાક્યમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો પણ ઉલ્લેખ હોય તો સંગ્રહાઘટનયવિષયમિમ્નવિષયાત્ એવો હેતુ કહેવો પડે જેમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો પ્રવેશ વ્યર્થ છે એ સ્પષ્ટ છે. એટલે કે હેતુ વ્યર્થવિશેષણ ઘટિત બનવાનો દોષ આવ્યો. (આ ઉપરાંત બાધ અને સ્વરૂપાસિદ્ધિ દોષ પણ આવશે. તે આ રીતે જ્યારે વિભાગવાક્યમાં ૯ નયનો ઉલ્લેખ હોય ત્યારે સંગ્રહાદીતરનયવ્યાવૃત્તિઃ આવા સાધ્યમાં દ્રવ્યાર્થિકનયનો પણ ઇતર શબ્દથી સમાવેશ હોવાથી દ્રવ્યાર્થિનયની વ્યાવૃત્તિ પણ સાધ્યમાં સમાવિષ્ટ થઈ. પણ નૈગમનય દ્રવ્યાર્થિક જ હોવાથી એમાં એની વ્યાવૃત્તિ બાધિત છે, એ સ્પષ્ટ છે. એમ સ્વરૂપાસિદ્ધિ દોષ આ રીતે - નૈગમનય પક્ષ છે... એ દ્રવ્યાર્થિનયરૂપ હોવાથી એમાં દ્રવ્યાર્થિનયવિષયત્વ જ છે... દ્રવ્યાર્થિનયવિષયમિનવિષયત્વ નથી... માટે સંગ્રહાવિજ્ઞપ્તનયવિષયમિનવિષયત્વ હોવા છતાં સંગ્રહાઘટનયવિષયમિનવિષયત્વ ન હોવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવશે જ. = શંકા : હેતુ વ્યર્થવિશેષણટિત હોવો... વગેરે દોષો નવતત્ત્વ અંગે નથી આવતા ? સમાધાન : પુછ્યું પાપાદ્યષ્ટતત્ત્વમિાં... આ રીતે ઇતરવ્યાવૃત્તિ જો સાધવાની હોય તો એ આવે જ. પણ ત્યાં આવું સાધવાનું પ્રયોજન છે જ નહીં. એટલે જ તો ખુદ ગ્રન્થકારો જ કહી દેતા હોય છે કે પુણ્યાદિ ૭ તત્ત્વોનો જીવ-અજીવ તત્ત્વમાં જ સમાવેશ થઈ જાય છે... આ બન્નેથી ભિન્ન કશું છે જ નહીં... તત્ત્વનિરૂપણમાં તો ઉપર કહી ગયા મુજબનું પ્રયોજન છે ને એ તત્ત્વના ૯ વિભાગ કરવાથી જ પરિપૂર્ણ થાય છે. માટે એના ૯ વિભાગ કરવા દુષ્ટ નથી... અને નયના ૯ વિભાગ કરવા એ ઉપર જણાવ્યા મુજબ અદુષ્ટ નથી, આ વાત નિઃશંક જાણવી. ॥ ૧૨૪ ॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૮ ૨૭૯ - ટબો : તે માટે “સત્ત મૂત્રના પ્રનત્તા” એહવું સૂત્રઈ કહિઉં છઇ તે ઉલ્લંઘી ૯ નય કહિએ તો આપણા ઘરનું સૂત્ર કિમ રહઈ ? તે માટઇ “નવ નયાઃ” કહતો દેવસેન બોટિક ઉસૂત્રભાષી જાણવો. | ૮-૧૭ છે દશભેદાદિક પણિ ઈહાં રે, ઉપલક્ષણ કરી જાણી | નહી તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ ઠાણિ રે ! પ્રાણી|| ૮-૧૮ - ટબો : ઈહાં = નયચક્ર ગંથમાંહિં દિગંબરો દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી જાણો, નહી તો પ્રદેશાર્થનય કુણઠામિ આવઈ તે વિચારજો. ૩ક્ત સૂત્રે “दव्वट्ठयाए, पएसट्टयाए, दव्वट्ठपएसट्ठयाए" इत्यादि તથા - “કર્મોપાધિસાપેક્ષજીવભાવ” ગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિઓ તિમ- “જીવસંયોગસાપેક્ષપુદ્ગલભાવ” ગ્રાહક નય પણિ ભિન્ન કહિઓ જોઇઇ. ઇમ-અનંત ભેદ થાઈ. તથા પ્રસ્થાદિ દૃષ્ટાન્નઇ નિગમાદિકના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ આદિ ભેદ કિહાં સંગ્રહિયા જાઈ ? ઉપચાર માટેિ તે ઉપનય કહિઈ તો અપસિદ્ધાન્ત ગાથાર્થ : જુદા વિશેષ કોઈ પ્રયોજન વિના તમે આ બે નયને ભિન્ન કહ્યા છે (માટે એ ઉચિત નથી). સૂત્રમાં સાત મૂળનય કહ્યા છે. તેનાથી અધિક કેમ કહી શકાય ? પોતાના ઘરનું સૂત્ર તો રાખવું જોઈએ ને ! વિવેચન : સત્ત મૂનના નિત્તા એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, તેને ઉલ્લંધીને જો ૯ નય કહીએ તો આપણા ઘરનું સૂત્ર કેમ રહે ? જ્ઞાનીઓએ કહેલા સૂત્રને અનુસરીને જ આપણું નિરૂપણ હોવું જોઈએ ને ! તેથી આ સૂત્રથી વિપરીત પણે નવ નય કહેતો દેવસેન બોટિક (= દિગંબર) ઉસૂત્રભાષી છે એમ જાણવું. / ૧૨૫ / ગાથાર્થ ઃ ઈહાં દશભેદ વગેરે પણ જે કહેલ છે તે પણ ઉપલક્ષણ કરી જાણવા જોઈએ. નહીંતર કહો તો ખરા કે પ્રદેશાર્થનયનો અંતર્ભાવ શામાં થશે ? | વિવેચન : ઇહાં = નયચક્ર ગ્રન્થમાં દિગંબરે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ કહ્યા, પર્યાયાર્થિકના ૬ ભેદ કહ્યાં... આ બધું પણ ઉપલક્ષણરૂપ જાણવું. નહીંતર પ્રદેશાર્થિક નય આ દસમાંથી શામાં સમાવેશ પામે તે વિચારજો. આશય એ છે કે દ્રવ્યપ્રમાણ, અલ્પબદુત્વ... આ બધાની વિચારણા જેમ કેટલાં દ્રવ્ય છે ? એને આગળ કરીને થાય છે એમ કેટલા પ્રદેશ છે ? એને આગળ કરીને પણ થાય છે. અને કેટલા દ્રવ્ય-પ્રદેશઉભય છે ? એને આગળ કરીને પણ થાય છે. એટલે કે દ્રવ્ય પ્રમાણ વગેરે જાણવાના આ પણ દૃષ્ટિકોણ છે... ને દૃષ્ટિકોણ છે, માટે આ પણ “નયરૂપ છે. વળી, એના દ્વારા દ્રવ્યની જ વિચારણા થાય છે. માટે આ દ્રવ્યાર્થિકનય જ છે. એટલે પ્રશ્ન થાય છે કે આ પ્રદેશાર્થિકનયનો તમે દ્રવ્યાર્થિકના જે દસ ભેદ કહ્યા છે એમાંથી શામાં સમાવેશ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઢાળ-૮ : ગાથા-૧૮ થાઇ, અનુયોગદ્વારઇ તે નયભેદ દેખાડ્યા છઇ. ॥ ૮-૧૮ ॥ કરશો? કશામાં થવાનો નથી. એટલે વધારાનો ભેદ માનવો પડશે. આવા તો દ્રવ્યોને વિચારવાના અનેક જુદા જુદા દૃષ્ટિકોણ સંભવિત છે, એ બધાના જુદા જુદા નય માનવા જ પડે. એટલે, પ્રસ્તુતમાં પ્રદેશાર્થનય, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ ઉભયાર્થનય... આ બન્નેને જેમ ઉપલક્ષણથી લેવા પડે છે એમ એ બધાનો પણ ઉપલક્ષણથી સમાવેશ જાણવો. (સૂત્રમાં કહ્યું જ છે કે દ્રવ્યાર્થની અપેક્ષાએ, પ્રદેશાર્થની અપેક્ષાએ અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થની અપેક્ષાએ વિચાર કરવો). તથા કર્મોપાધિ... તમે દ્રવ્યાર્થિકનો ચોથો કર્મોપાધિસાપેક્ષ જીવભાવગ્રાહક નય કહ્યો છે. અર્થાત્ કર્મરૂપ ઉપાધિના પ્રભાવે જીવ જે ક્રોધાત્મા વગેરે રૂપ બને છે તેને જોનાર આ ચોથો ભેદ કહ્યો છે... તો પુદ્ગલના પણ કેટલાય એવા સ્વરૂપ છે જે જીવના પ્રભાવે જ નિર્માણ થાય છે. આપણે આગળ આ વિચારી ગયા છીએ કે જીવ પોતાના શરીરરૂપે બનાવે તો જ પુદ્ગલ પૃથ્વી-પાણી-ઘઉં વગેરે રૂપને ધારણ કરી શકે છે, એ વગર નહીં. એટલે આ બધા જીવસંયોગને સાપેક્ષપુદ્ગલ ભાવો છે... એટલે એનો ગ્રાહક નય પણ જુદો કહેવો જ જોઈએ. આમ અનંત ભેદ થાય છે... એટલે ૧૦ ભેદ હોવાનો નિયમ ક્યાં રહ્યો ? દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તથા પ્રસ્થક વગેરેના દૃષ્ટાન્તમાં મૈગમાદિના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ વગેરે ભેદ જે પડે છે તેનો સંગ્રહ શામાં કરશો ? આશય એ છે કે પ્રસ્થક બનાવવાના આશયથી લાકડું લેવા જંગલમાં જતી વખતે પણ ‘પ્રસ્થક લેવા જાઉં છું' આવો ઉલ્લેખ નૈગમને માન્ય છે. એમ લાકડું કાપતી વખતે, છોલતી વખતે, કોરતી વખતે, ઘસતી વખતે... આવી બધી અલગ-અલગ અવસ્થાઓમાં પણ ‘પ્રસ્થક' તરીકેનો ઉલ્લેખ નૈગમ સ્વીકારે છે. આમાં વ્યાવહારિક પ્રસ્થકને જોનાર નૈગમ શુદ્ધતમ છે*... ને એનાથી દૂર-દૂરની અવસ્થામાં પણ પ્રસ્થક માનનાર નૈગમ અશુદ્ધ-અશુદ્ધતર વગેરે છે... કારણ કે હજુ પ્રસ્થકરૂપે નહીં બનેલા પદાર્થને પણ પ્રસ્થક * અહીં, નૈગમનયમાં શુદ્ધત્વ-અશુદ્ધત્વ શું ? એ વિચારણીય છે. નયની પોતાની જે દૃષ્ટિ હોય, માત્ર એ જ દૃષ્ટિથી જોવું... તદન્યનયની દૃષ્ટિનું જરા પણ મિશ્રણ થયેલું ન હોય, એ એ નયનું વિશુદ્ધતમત્વ છે... ને પછી જેમ જેમ તદન્યનયની દૃષ્ટિ ભળતી જાય તેમ તેમ વિશુદ્ધિ ઘટતી જાય છે, અશુદ્ધિ વધતી જાય છે. જેમકે બધાનો સંગ્રહ કરવો... બધાને સામાન્યરૂપે જોવા એ સંગ્રહનયની દૃષ્ટિ છે. એટલે બધાને માત્ર સત્તાસામાન્યરૂપે જોનાર સદદ્વૈતવાદી સંગ્રહનય એ વિશુદ્ધતમ છે... પછી એમાં જેટલી વિશેષગ્રાહી (ભેદગ્રાહી) દૃષ્ટિ ભળતી જાય છે એટલા અંશે વિશુદ્ધિ ઘટતી જાય છે. તેથી જીવ તરીકે બધા જીવોનો સંગ્રહ કરનાર દૃષ્ટિ એ વિશુદ્ધતર સંગ્રહ છે. (પુદ્ગલાદિ કરતાં વિશેષતા જોઈ માટે વિશુદ્ધતમ નથી.) આમ ઉત્તરોત્તર જાણવું. આમાં, બીજા નયની દૃષ્ટિ ભળવી એ અશુદ્ધિનું કારણ છે... ને એ અશુદ્ધિ પોતાની જ વિશુદ્ધતમ દૃષ્ટિની અપેક્ષાએ હોય છે. હવે નૈગમનયનો વિચાર કરીએ તો જણાય છે કે અલગ-અલગ જે કોઈ દૃષ્ટિકોણ છે એ બધા એના પોતાના જ છે. એટલે અશુદ્ધિ જેવું કાંઈ કહી શકાતું જ નથી. વળી પોતાની કોઈએક ચોક્કસ દૃષ્ટિ જેવું છે નહીં કે જેને વિશુદ્ધતમ કહી શકાય... તો પછી અશુદ્ધ, શુદ્ધ, શુદ્ધતર... વગેરે શી રીતે કહેવાય ? આ પ્રશ્ન ઊભો થાય છે. પણ શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં નૈગમના આવા ભેદ કહેલા જ છે. માટે એની સંગતિ વિચારી કાઢવી જોઈએ. એ આવી લાગે છે - Page #300 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૮ ૨૮૧ માને છે. આ બધા જ નૈગમના ભેદો છે, ને તેથી દ્રવ્યાર્થિકના ભેદો છે... તમારા દસ ભેદોમાંથી આ બધાનો સમાવેશ કયા ભેદમાં કરશો ? શંકા : વાસ્તવિક પ્રસ્થક ન હોવા છતાં પ્રસ્થક માનનારા આ ગયો છે... માટે એ ઉપચાર કરીને માને છે, એમ માનવું જ પડે. આમ, ઉપચાર હોવાથી આ નયરૂપ નથી પણ ઉપનય છે. માટે ૧૦ ભેદમાં એનો સમાવેશ કરવાની જરૂર નથી. સમાધાન : તો તમારું આ કથન અપસિદ્ધાન્ત થશે, કારણ કે અનુયોગદ્વાર સૂત્રમાં આ બધા વચનપ્રયોગોને નયના ભેદરૂપે જ કહ્યા છે... અલબત્ અહીં દિગંબર કહી શકે છે કે- શ્રી અનુયોગદ્વારસૂત્રને તમે ૪૫ આગમમાં સ્થાન આપ્યું છે. પણ અમે કાંઈ એને સિદ્ધાન્તગ્રન્થ તરીકે સ્વીકારતા નથી. એટલે કદાચ એ સૂત્રની સંગતિ ન થાય તો પણ અમારે કાંઈ અપસિદ્ધાન્ત થતો નથી.. તો એની સામે ગ્રન્થકાર આવો જવાબ આપી શકે છે પાતી-છોલાતી-કોરાતી વગેરે અવસ્થામાં લાકડાને “પ્રસ્થક' તરીકે જોવું એ નગમની પોતાની જુદી-જુદી દષ્ટિ જ છે. અર્થાત્ એની દૃષ્ટિએ તે તે અવસ્થાવાળો પદાર્થ પ્રસ્થક જ છે... એ પ્રસ્થક નથી. પણ ઉપચારથી પ્રસ્થક કહેવાય છે એવું છે નહીં. એટલે ઉપચાર છે નહીં, ને છતાં એને ઉપનય માનવા એમાં અપસિદ્ધાન્ત હોવો સ્પષ્ટ જ છે. શંકા ? તો તો વ્યવહારનયમાં પણ જે ઉપચાર કહેવાય છે તે, એના દૃષ્ટિકોણરૂપ જ હોવાથી એને પણ ‘ઉપચાર’ તરીકે નહીં કહેવાય.... સમાધાન : ના, એવી આપત્તિ આવતી નથી, કારણ કે વ્યવહારના અનેક દૃષ્ટિકોણ નથી.. એક જ છે. ને એ છે લોકને અનુસરવું છે. સામાન્ય સંયોગોમાં લોક કારણને જ કારણ કહે છે ને કાર્યને જ કાર્ય કહે છે. એટલે ક્યારેક કારણને કાર્ય કહેવું કે ક્યારેક કાર્યને કારણ કહેવું... એ એની મુખ્યદૃષ્ટિરૂપ ન હોવાથી “કારણમાં કાર્યનો ઉપચાર' વગેરે કહી શકાય છે. તથા ઉપર જણાવ્યા મુજબ વ્યવહારનયને આવા ઉપચાર પણ માન્ય હોવાનું શ્રીતત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે. એટલે ઉપચાર હોવા છતાં એ વ્યવહારનય જ છે, ઉપનય નથી. શંકા : ગ્રન્થકારે ઉપર જીવસંયોગસાપેક્ષ પુદ્ગલભાવના ગ્રાહકનયની વાત કરી, તો એ નગમનયને પોતાનો કોઈ એક ચોક્કસ દૃષ્ટિકોણ છે નહીં જેની અપેક્ષાએ વિશુદ્ધિ વિચારી શકાય. એમ એનો પ્રતિપક્ષભૂત હોય એવો પણ કોઈ દૃષ્ટિકોણ છે નહીં જેની ભેળસેળને આગળ કરીને અશુદ્ધિ વિચારી શકાય. તો પછી વિશુદ્ધિ-અશુદ્ધિ શેની અપેક્ષાએ કહેવાના ? એટલે આમ તો કોઈપણ અન્ય નયની અપેક્ષાએ કહી શકાય... પણ સામાન્યથી વિશુદ્ધિ વગેરેનો વ્યવહાર કરનાર વ્યવહારનય છે. એટલે એની અપેક્ષાએ વિશુદ્ધિ વગેરે કહેવા... આવા કોઈ અભિપ્રાયથી શ્રી અનુયોગદ્વારમાં એને વ્યવહારનયની અપેક્ષાએ કહેલ છે. એટલે વ્યવહારનયનો જે દૃષ્ટિકોણ છે એને જ અપનાવનાર નૈગમનને ત્યાં વિશુદ્ધતમ તરીકે કહેલ છે, ને જેમ જેમ એનાથી દૂરની અવસ્થાને જોનાર હોય તેમ તેમ વિશુદ્ધિનો હ્રાસ ને અશુદ્ધિની વૃદ્ધિ ત્યાં કહેલ છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઢાળ-૮ : ગાથા-૧૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઉપનય પણ અલગ નહીં રે, જે વ્યવહારે સમાઈ ! નહી તો ભેદ પ્રમાણનો રે, ઉપપ્રમાણ પણિ થાઈ રે ! પ્રાણી, ૮-૧૦ એહ જ દઢઈ છઇ-ઉપનય પણિ કહ્યા, તે નવ્યવહાર નૈગમાદિકથી અલગ નથી. ૩વર્ત ૨ તત્ત્વાર્થસૂત્ર - ૩પવાર વદુ વિસ્તૃતાર્થો વિપ્રાયો વ્યવહાર (૧-૩૫) રીતે “જીવસંયોગનિરપેક્ષ પુદ્ગલભાવના (નિરુપાધિક પુદ્ગલના) ગ્રાહકનયને અલગ દર્શાવવો જોઈએ એવી આપત્તિ કેમ ન આપી ? કારણ કે દસ ભેદમાંના જીવના સોપાધિકભેદ (ચોથા ભેદ) ની સામે જેમ જીવસંયોગસાપેક્ષ પુદ્ગલભાવ છે એમ જીવના કર્મોપાધિનિરપેક્ષ પ્રથમ ભેદની સામે પુદ્ગલનો પણ આવો ભેદ કહી શકાય છે ને ? સમાધાન : આનું કારણ આપણે પૂર્વે પાંચમી ઢાળમાં (પૃ. નં. ૧૯૫) વિચારી ગયા છીએ કે કપાથિનિરપેક્ષ બધા જીવોનું જેમ એક સરખું શુદ્ધ સ્વરૂપ હોય છે એવું પુલમાં હોતું નથી, વગેરે. છતાં, તર્ક દૃષ્ટિએ જ પદાર્થનું નિરૂપણ કરવાના પ્રસ્તાવમાં આ પણ વિચારણા આવશ્યક બને છે. ને તેથી આવી આપત્તિ પણ ઉપલક્ષણથી લઈ શકાય છે. ગાથાર્થ : વળી દેવસેને ઉપનય જે કહ્યા છે તે પણ અલગા નથી. કારણ કે એ બધા, નયના પ્રચલિત વ્યવહારમાં સમાઈ જાય છે. નહીંતર પ્રમાણનો ભેદ પણ ઉપપ્રમાણ થશે. | ૮-૧૯ | વિવેચન : એહ જ દઢઈ. આ જ વાતને દૃઢ કરે છે - ઉપનય જે કહ્યા છે તે પણ નિગમ-વ્યવહાર વગેરે નયથી અલગ નથી... અર્થાત્ સ્વ-વવિષયાનુસારે એ દરેક ઉપનયનો યથાસંભવ વ્યવહાર-નૈગમ વગેરે નયમાં સમાવેશ થઈ જાય છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ઉપચારની બહુલતાવાળો (= ડગલે ને પગલે જાતજાતના ઉપચાર કરનારો) અને તેથી જ વિસ્તૃત અર્થવાળો લૌકિકપ્રાયઃ = લગભગ લોકવ્યવહારને અનુસરનારો જે નય છે તે વ્યવહારનય છે. જે વાસ્તવિક પદાર્થ હોય છે એને તો વ્યવહારનય માટે જ છે. પણ એ સિવાયના પણ કેટલાય પદાર્થોને ઉપચાર દ્વારા તે તે પદાર્થરૂપે એ સ્વીકારે છે. માટે તે તે “પદાર્થ' તરીકે વધારે પદાર્થોનો સમાવેશ થઈ જતો હોવાથી એને અહીં વિસ્તૃતાર્થ તરીકે કહેલ છે, એ જાણવું. આમ, આ બધા ઉપનય વસ્તુતઃ વ્યવહારાદિ નયરૂપ જ છે. છતાં, નયના એકદેશરૂપ છે.. ઉપચારવાળા છે. માટે એને ઉપનય કહેવા....” આમ કહેશો તો સ્વ-પરવ્યવસાયિજ્ઞાન પ્રમાણ. સ્વ (= જ્ઞાન) અને પર (= જોય) નો નિશ્ચયાત્મક બોધ કરાવનાર જ્ઞાન એ પ્રમાણ છે. આવા લક્ષણથી લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણના એક-દેશભૂત મતિજ્ઞાન વગેરેને કે એના પણ દેશ (અંશ) રૂપ અવગ્રહ-ઈહા વગેરેને પણ ઉપપ્રમાણ કેમ નથી કહેતા. એટલે પ્રમાણાત્મક બધા જ્ઞાનોના એક દેશરૂપ એવા મતિજ્ઞાન વગેરે પણ ખુદ પણ પ્રમાણરૂપ જ છે. ને તેથી ઉપપ્રમાણ” નથી કહેવાતા તો એ રીતે ઉપનય પણ “નયરૂપ જ હોવાથી “ઉપનય' શી રીતે Page #302 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૦ ૨૮૩ ઇમ ઈ કરતાં નયભેદનઈ જો ઉપનય કરી માનસ્યો તો “વપ૨વ્યવસાયિ જ્ઞા પ્રHIP” એ લક્ષણઈ લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણનો એકદેશ મતિજ્ઞાનાદિક અથવા તદેશ અવગ્રહાદિક, તેહનાં ઉપપ્રમાણ પણિ કાં નથી કહેતા ? તમ7 નય-ઉપનય એ બોટિકની પ્રક્રિયા શિષ્યબુદ્ધિ ધંધન માત્ર જાણવો. | ૮-૧૯ વ્યવહારઈ નિશ્ચય થકી રે, સ્યો ઉપચાર વિશેષ ?! મુખ્યવૃત્તિ જો એકની રે, તો ઉપચારી શેષ રે | પ્રાણી ૮-૨૦ . ટબો : વ્યવહારનાં વિષે ઉપચાર છઈ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ સ્યો વિશેષ? જિવારઈ-એકનયની મુખ્યવૃત્તિ લેઈઇ, તિવારઈ બીજા નયની ઉપચારવૃત્તિ આવો, અત એવ “દ્વિત્યેવ’ એ નયવાક્યઈ અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયઈ, અસ્તિત્વ ધર્મ મુખ્યવૃત્તિ લેતાં કાલાદિક ૮ ઈ અભેદ વૃજ્યપચારઈ અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ, સકલાદેશરૂપ નયવાક્ય કહેવાય? તેથી બોટિકની નય-ઉપનય વિભાગ કરવાની આ પ્રક્રિયા શિષ્યની બુદ્ધિને ડહોળવા બરાબર છે, એ જાણવું. || ૧૨૭ | ગાથાર્થ : નિશ્ચય કરતાં વ્યવહારમાં ઉપચાર હોવો એ પણ શી વિશેષતા ? જો એકના અર્થને મુખ્ય વૃત્તિએ લેવામાં આવે તો એ વખતે શેષનયમાં ઉપચાર થાય જ. || ૮-૨૦ || વિવેચન : નય-ઉપનયના શ્રી દેવસેનાચાર્યના નિરૂપણ અંગે દૂષણો દર્શાવીને હવે ગ્રન્થકાર અધ્યાત્મનયના નિરૂપણ અંગે પણ દૂષણો દર્શાવે છે. વ્યવહારનઈ - જ્યાં ઉપચાર છે એ વ્યવહારનય અને જ્યાં ઉપચાર નથી એ નિશ્ચયનય... આવો પણ કયો વિશેષ છે = નિશ્ચયવ્યવહાર વચ્ચેનો કયો ભેદ છે ? કારણ કે ઉપચાર હોવો ને ન હોવો... આ બન્ને નય માટે સમાન છે. તે પણ એટલા માટે કે જ્યારે એકનયમાન્ય વિષયને મુખ્યવૃત્તિએ લેવામાં આવે ત્યારે અન્યનયમાન્ય વિષય ઉપચારવૃત્તિએ (ગૌણવૃત્તિએ = લક્ષણાથી) જ ઉપસ્થિત થાય છે. આ વિચારણા પૂર્વે પાંચમી ઢાળમાં આવી ગઈ છે. એટલે જ ક્લેિવ આવા નયવાક્યમાં અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયે અસ્તિત્વ ધર્મને મુખ્યવૃત્તિથી લેતાં (મુખ્યવૃત્તિથી શક્તિસંબંધથી ઉપસ્થિત થાય છે એમ માનતાં) કાલાદિ ૮ સાથેનો અભેદ વૃત્તિઉપચારે=લક્ષણાસંબંધથી ઉપસ્થિત થાય છે એમ માનવું પડે છે. (કાલાદિ ૮ નું સ્વરૂપ સ્યાદ્વાદમંજરી વગેરેમાં આપેલું છે. અલબત્ એનો રહસ્યાર્થ-સ્પષ્ટાર્થ શું છે ? એ વિચારણાનું પ્રયોજન શું છે ? વગેરે આજ સુધી મને સ્પષ્ટ થયેલું નથી કે એવું સ્પષ્ટીકરણ મને ક્યાંય જોવા મળ્યું નથી.) શંકા : શક્તિસંબંધથી અસ્તિત્વ ધર્મ ઉપસ્થિત થયો... હવે કાલાદિ ધર્મો ઉપસ્થિત કરવાની જરૂર શી છે ? જેથી એને ઉપચારે-લક્ષણાસંબંધથી ઉપસ્થિત કરવા પડે ? સમાધાન : જો એ ઉપસ્થિત ન થાય તો આ સકલાદેશરૂપ નયવાક્ય જ નહીં થાય. અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેવાના હોય તો જ સકલાદેશ થાય.... નહીંતર તો માત્ર અસ્તિત્વધર્મ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઢાળ-૮ : ગાથા-૨૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ થાઇ, માર-ગ્રંથઈ ઈમ પ્રસિદ્ધ છ0, “સ્વસ્વાર્થ સત્યપણાનો અભિમાન તો સર્વનયનઈ જ નજરમાં આવી રહ્યો હોવાથી એ વિકલાદેશરૂપ જ બની જાય... શંકા : તો કાલાદિધર્મો પણ મુખ્યવૃત્તિએ જ ઉપસ્થિત થાય છે એમ જ માની લ્યો ને. જેથી બધું જ મુખ્યવૃત્તિએ જણાય છે, ઉપચારવૃત્તિએ કશું નહીં. એમ રહેવાથી “નિશ્ચયનયમાં ઉપચાર હોતો નથી” એ વાત ઊભી રહી શકે ને ! સમાધાન : જો કાલાદિધર્મો પણ મુખ્યવૃત્તિએ જ જણાય છે એમ માનવામાં આવે તો તો આ નયવાક્ય ન રહેતાં પ્રમાણવાક્ય જ બની જાય. કારણ કે પ્રમાણે જ દરેક ધર્મને મુખ્યવૃત્તિએ જોનાર હોય છે. નય તો એ છે જે એક ધર્મને મુખ્યવૃત્તિએ જુએ ને શેષધર્મોને ઉપચારવૃત્તિએ જુએ. એટલે, નિશ્ચયનય પણ ઉપચારવૃત્તિએ જોનાર છે, એમ માનવું જ પડે છે. આ વાત આકરગ્રન્થમાં = સ્યાદ્વાદરત્નાકર ગ્રન્થમાં પ્રસિદ્ધ છે. માટે નિશ્ચિત થયું કે નિશ્ચયમાં પણ ઉપચાર છે જ. અને તેથી, વ્યવહારમાં ઉપચાર છે, નિશ્ચયમાં નથી આવો ભેદ દેખાડવો યોગ્ય નથી. શંકા : આ તમે ગાડીને ઉંધે પાટે ચડાવી દીધી છે. અમે વ્યવહારમાં ઉપચાર છે ને નિશ્ચયમાં નથી. એવું જે કહીએ છીએ તે ઉપચારવૃત્તિ (= લક્ષણા સંબંધ) ના અર્થમાં નહીં. પણ વાસ્તવિક = મૌલિક વસ્તુ ન હોવા છતાં તે વસ્તુ તરીકે ઉપચાર કરીને ઉલ્લેખ કરવો. આવો ઉપચાર વ્યવહારમાં છે, નિશ્ચયમાં નથી. જેમકે, પ્રત્યાખ્યાનાવરણકર્મનો ક્ષયોપશમ થવાથી છઠું-સાતમું ગુણઠાણું પ્રગટ્યું હોય એને જ નિશ્ચયનય સાધુ કહે છે. જ્યારે વ્યવહારનય તો માત્ર સાધુવેશ હોય તો પણ સાધુ તરીકે સ્વીકારે છે. એટલે સાધુપણાનું જે અસંખ્ય ગુણ નિર્જરા વગેરે વાસ્તવિક કાર્ય છે એ થતું ન હોવા છતાં સાધુ માનવા-કહેવા... આવો ઉપચાર વ્યવહારમાં જ છે, નિશ્ચયમાં નથી. સમાધાન : સાધુપણાના બે અંશ છે - બાહ્યશાદિ અને આંતરિક પરિણતિ. આ બન્ને અંશના અલગ-અલગ કાર્ય છે... બાહ્યશાદિનું વંદનાદિપ્રતિપત્તિ-દર્શકનો ભાવોલ્લાસ વગેરે કાર્ય છે (એટલે જ કેવલજ્ઞાનીને પણ વેશ આપ્યા પછી જ દેવો વંદન કરે છે). આંતરિક પરિણતિનું પ્રતિસમય અસંખ્ય ગુણ નિર્જરા વગેરે કાર્ય છે. આંતરિક પરિણતિશૂન્ય બાહ્યવેશ હોય એ પણ સ્વકાર્યરૂપ વંદનાદિપ્રતિપત્તિ કરે જ છે, પછી સાધુપણું ઉપચરિત છે એવું ક્યાંથી આવ્યું? ઊલટું, સાધુવેશ શૂન્ય માત્ર આંતરિક પરિણતિ હોય ને છતાં સાધુતા કહેવી એ ઉપચાર કરવા બરાબર છે, કારણ કે એ વંદનાદિ પ્રતિપત્તિરૂપ સ્વકાર્ય કરતું ન હોવા છતાં સાધુતા કહેવાઈ રહી છે. એટલે નિશ્ચયમાં પણ આવો ઉપચાર છે જ. આ જ વાતને ગ્રન્થકારે ટબામાં સ્વસ્વાર્થઈ... વગેરે પંક્તિ દ્વારા કહી છે. એનો અર્થ છે - પોતપોતાને જે અર્થ માન્ય છે એ જ સાચો છે, બીજો અર્થ ખોટો છે – ઉપચરિત છે. આવું અભિમાન પરસ્પર બધા નયને છે જ. જેમકે સાધુતાના દૃષ્ટાન્તમાં... નિશ્ચયનય એમ કહે છે કે આંતરિકપરિણતિને સાધુતા માનવી એ જ વાત સાચી છે, કારણ કે એ જ પ્રતિક્ષણ અસંખ્યગુણ નિર્જરા વગેરે સ્વકાર્ય Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧ માંહોમાંહિ છઈ જ. ફલથી સત્યપણું તો સમ્યગદર્શન યોગઈ જ છઇ.’ ૮-૨all તિeઈ ભાષ્યઈ ભાસિઉં રે, આદરિઇ નિરધાર | તત્ત્વ અરથ નિશ્ચય ગ્રહઈ રે, જન અભિમત વ્યવહાર રે ! પ્રાણીe l૮-૨૧ તે માટો નિશ્ચય વ્યવહારનું લક્ષણ ભાષઈ = વિશેષાવશ્યકઈ કહિઉં તિમ નિરધારો. તત્ત્વાર્થપ્રાદી નો નિશ્ચય:, નોfમમતાર્થી વ્યવહાર: તત્ત્વ અર્થ તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. કરે છે. સાધુવેશને સાધુતા માનવી એ વાત ગલત છે, કારણ કે પ્રતિસમય અસંખ્યગુણ નિર્જરા વગેરે રૂપ કાર્ય કરનાર નથી. વ્યવહારનય એમ કહે છે કે સાધુવેશ વગેરેમાં સાધુતા માનવી એ જ વાત સાચી છે, કારણ કે એ જ વંદનાદિ પ્રતિપત્તિરૂપ (બીજાઓ દ્વારા વંદન થવું વગેરે રૂ૫) સ્વકાર્ય કરે છે. આંતરિક પરિણતિને સાધુતા માનવી એ વાત ગલત છે, કારણ કે વંદનાદિપ્રતિપત્તિરૂપ સ્વિકાર્ય કરનાર નથી. “ફળથી સત્યપણું તો સમ્યગદર્શનયોગઈ જ છઈ ફળથી સત્યપણું = જેમાં પરિપૂર્ણ ફળ - સંપૂર્ણ અર્થક્રિયાકારિત્વ હોય એને જ તે તે પદાર્થરૂપે માનવું-કહેવું એ સત્ય... આવું સત્યપણું તો બધા નયોના સમ્યમ્ યોગે જ સંભવે છે. એટલે કે બધા નયોને યોગ્ય રીતે ભેગા કરવાથી જ સંભવે છે. જેમકે સાધુતાના વિચાર અંગે-વંદનાદિપ્રતિપત્તિ વગેરે અને અસંખ્યગુણનિર્જરા વગેરે. આ પરિપૂર્ણ ફળ છે... નિશ્ચય અને વ્યવહાર બન્ને ભેગા થાય તો જ એ સંભવે છે એ વાત સ્પષ્ટ છે. અહીં “સમ્યગદર્શન યોગઈ” આવો ટબામાં જે શબ્દ છે તેમાં ‘દર્શન' શબ્દ લહિયાની ભૂલ વગેરેથી વધારાનો આવી ગયો લાગે છે. અથવા એ શબ્દ રાખીએ તો સમ્યગુદર્શનના યોગે... એટલે કે સમ્યગ્દર્શન જો ભેગું ભળ્યું હોય તો એ કોઈપણ નયનો એકાન્ત આગ્રહ પકડવા દેતું નથી. બધા નયોનો યથાસ્થાન વિનિયોગ કરાવે છે. માટે, પરિપૂર્ણ ફળ જે આપે એ ફળથી સત્ય... આવું ફળથી સત્યપણું સમ્યગ્દર્શનના યોગે સંભવે છે. તે ૧૨૮ / ગાથાર્થ : તેથી ભાષ્યમાં જે કહ્યું છે તેનો નિશ્ચય કરીને અવશ્ય આદરીએ. નિશ્ચય તત્ત્વભૂત અર્થને ગ્રહણ કરે છે. વ્યવહાર લોકાભિમત અર્થને ગ્રહણ કરે છે. | ૮-૨૧ || વિવેચન : જેમાં ઉપચાર છે તે વ્યવહાર અને જેમાં ઉપચાર નથી તે નિશ્ચય. આવું લક્ષણ યોગ્ય નથી એ આપણે જોઈ ગયા. તો કેવું લક્ષણ ઉચિત-નિર્દોષ કહેવાય ? એવી જિજ્ઞાસાને સંતોષવા માટે ગ્રન્થકાર કહે છેતે માટઇ. તેથી નિશ્ચય-વ્યવહારનું લક્ષણ ભાગમાં = વિશેષાવશ્યક ભાષ્યમાં જેવું કહ્યું છે તે નિશ્ચયપૂર્વક માનવું જોઈએ. ત્યાં કહ્યું છે કે... તત્ત્વભૂત અર્થને ગ્રહણ કરનાર જે નય છે તે નિશ્ચયનય છે. આમાં તત્ત્વભૂત અર્થ એટલે યુક્તિસિદ્ધ અર્થ... જે પદાર્થ તર્કથી સિદ્ધ થતો હોય... ને તેથી એને એ અર્થરૂપે આપણું દિલ સ્વીકારે... દિલ એમાં સંમત થાય કે આ પદાર્થ આવો જ હોય... આવા અર્થને તત્ત્વભૂત અર્થ કહેવાય છે. એનો ગ્રાહકનય એ નિશ્ચયનય.... જેમકે પ્રત્યાખ્યાનાવરણ કક્ષાના રાગ-દ્વેષ ઊઠે જ નહીં એવી પરિણતિ એ સાધુતા (સંયમ). Page #305 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૮ : ગાથા-૨૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ લોકાભિમત તે વ્યવહારપ્રસિદ્ધ. યદ્યપિ પ્રમાણે તત્ત્વાર્થગ્રાહી છઇ, તથાપિ પ્રમાણ સકલતત્ત્વાર્થગ્રાહી, નિશ્ચયનય એકદેશ તત્ત્વાર્થગ્રાહી, “અંશ જ્ઞાન ન નિષ્ઠ” એ ભેદ જાણવા. નિશ્ચયનયની વિષયતા અનઇ વ્યવહારનયની વિષયતા જ અનુભવ સિદ્ધ ભિન્ન છઇ, જિમ-સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારતાદિક અન્યવાદી ભિન્ન માનઇ છઇ. ઇમ, હૃદયમાંહિ વિચારવું. ૮-૨૧૫ ૨૮૬ જે નય લોકને અભિમત પદાર્થનો ગ્રાહક છે તે વ્યવહારનય છે. આમાં લોકને અભિમત એટલે વ્યવહારપ્રસિદ્ધ અર્થ. લોક છદ્મસ્થ છે... એ આંતરિક પરિણતિને શું જાણી શકે ? એટલે એ તો બાહ્ય વેશાદિ આધારે જ વ્યવહાર કરે છે. અને તેથી લોકમાં પ્રસિદ્ધિ પણ એવા જ પદાર્થની થાય છે. જેમકે સાધુવેશ હોય... સાધુજનોચિત ક્રિયાઓ હોય... એ સાધુતા. જો કે પ્રમાણ પણ તત્ત્વાર્થગ્રાહી છે... તો પણ પ્રમાણ એ સકલતત્ત્વાર્થગ્રાહી છે અને નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી છે... અર્થાત્ એ (એકદેશ=) અંશજ્ઞાનરૂપ છે. ન નિષ્ઠ નહીં કે પૂર્ણજ્ઞાનરૂપ. (પ્રાપ્ત મુદ્રણોમાં ‘અંશ જ્ઞાન ન નિષ્ઠ' ટબાની આટલી પંક્તિને અન્યત્ર સ્થાન અપાયેલું છે, પણ એ પંક્તિ અહીં જોઈએ એમ લાગે છે... કારણ કે અહીં એનો અર્થ બંધબેસતો થાય છે. તથા મુદ્રણોમાં એ જે આ રીતે છપાયેલી છે કે - નિશ્ચયનયની વિષયતા અનઈ વ્યવહારનયની વિષયતા જ અનુભવસિદ્ધ ભિન્ન છઇ, ‘અંશ જ્ઞાન ન નિષ્ઠ’ જિમ-સવિકલ્પજ્ઞાનનિષ્ઠ પ્રકારતાદિક અન્યવાદી ભિન્ન માનતું છતું... આમાં નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા ભિન્ન છે એ વાતમાં જિમ... કહીને સવિકલ્પ જ્ઞાનનિષ્ઠ પ્રકારતા વગેરેનું દૃષ્ટાન્ત આપ્યું છે. એટલે દાન્તિક અને દૃષ્ટાન્તની વચમાં ઘુસી ગયેલું આ વાક્ય ત્યાં તો ન જ હોવું જોઈએ એમ નિઃશંકપણે જણાય છે. વળી નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી... આટલી પંક્તિ સાથે અંશજ્ઞાન ન નિષ્ઠ... આટલી પંક્તિનો અર્થ બેસી પણ જાય છે... માટે એટલી પંક્તિ નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી આટલી પંક્તિ પછી તરત હોવી જોઈએ... એમ કલ્પના કરીને આ અર્થ લખ્યો છે.) એટલે પ્રમાણ અને નિશ્ચયનયનો આ ભેદ થયો કે પ્રમાણ સકલતત્ત્વાર્થગ્રાહી છે અને નિશ્ચય એકદેશતત્ત્વાર્થગ્રાહી છે. શંકા : તત્ત્વભૂત અર્થનો બીજો કયો દેશ-અંશ છે ? જેને નિશ્ચય ગ્રહણ નથી કરતો ને પ્રમાણ ગ્રહણ કરે છે... અર્થાત્ તત્ત્વાર્થના નિશ્ચયગ્રાહ્ય અંશમાં એવો બીજો કયો અંશ ઉમેરવાથી તત્ત્વાર્થ સંપૂર્ણ બને ને એ પ્રમાણનો વિષય બને ? સમાધાન ઃ આમાં પૂછવાનું શું છે ? જે વ્યવહારગ્રાહ્ય અંશ છે તે આ બીજો દેશ છે... શંકા : આનો અર્થ એ થયો કે વ્યવહાર પણ તત્ત્વભૂત અર્થનું જ ગ્રહણ કરનાર છે.. સમાધાન : હા, બરાબર... વ્યવહાર પણ તત્ત્વાર્થગ્રાહી છે જ. શંકા : હેં ? એટલે તમે સાધુવેશ - આલયવિહારાદિ ક્રિયા કે જેને વ્યવહાર સાધુતારૂપે જુએ છે એને તત્ત્વભૂત અર્થ માનો છો ? - Page #306 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧ ૨૮૭ સમાધાન : હા, આમાં પ્રશ્ન શું છે ? જે કાર્ય કરી આપતું હોય એને તત્ત્વભૂત અર્થ નહીં કહેશો તો તત્ત્વભૂત અર્થ કહેશો કોને ? શંકા : એટલે શું આ સાધુવેશાદિ પ્રતિસમય અસંખ્યગુણનિર્જરારૂપ સ્વકાર્ય કરે છે ? સમાધાન : અરે ભલા ભાઈ ! આ અસંખ્યગુણ નિર્જરા એ જ શું સાધુતાનું એક માત્ર કાર્ય છે ? વંદનાદિ પ્રતિપત્તિ વગેરે શું એના કાર્યરૂપ નથી ? ને એ જો એ કરે છે તો એને તત્ત્વભૂત અર્થ કેમ ન કહેવાય ? શંકા : પણ એ અસંખ્યગુણ નિર્જરારૂપ સ્વકાર્ય તો નથી કરતો ને ? સમાધાન : એટલા માત્રથી એને જો તત્ત્વભૂત અર્થ ન કહેવાય, તો તો નિશ્ચયગ્રાહ્ય અર્થને પણ તત્ત્વભૂત નહીં કહી શકાય.... કારણ કે એ પણ વન્દનાદિ પ્રતિપત્તિરૂપ સાધુતાકાર્ય નથી કરતો.. શંકા : સાચા સાધુ તો નિસ્પૃહ હોય છે. એને વંદનાદિ થયા તો પણ શું ? ને ન થયા તો પણ શું ? કાંઈ ફેર પડતો નથી. સમાધાન : પદાર્થ સ્વકાર્ય કરે એમાં સ્પૃહા હોય કે ન હોય એને કશું લાગતું વળગતું નથી. અગ્નિને ક્યાં સ્પૃહા હોય છે ? ને છતાં એ અડનારને દઝાડવાનું કાર્ય કરે જ છે ને... સ્પૃહા નથી, માટે શું આ એનું કાર્ય ન કહેવાય ? નહીંતર તો અસંખ્યગુણ નિર્જરાને પણ કાર્યરૂપે નહીં કહી શકાય. કારણ કે ઉપરની ભૂમિકામાં સાધુને એની પણ સ્પૃહા હોતી નથી. કહ્યું જ છે ને કે મોક્ષે ભવે ૨ સર્વત્ર નિસ્પૃહો મુનસત્તામ: શંકા છતાં, અસંખ્યગુણ નિર્જરા એ મુખ્ય કાર્ય છે, વંદનાદિ પ્રતિપત્તિ એ ગણ છે. સમાધાન : ના, આમાં આવો કોઈ ગૌણ-મુખ્ય ભાવ છે નહીં. પોતપોતાનું કાર્ય કરવામાં બંનેની મુખ્યતા છે જ. ચામાં સાકર મીઠાશ લાવવાનું કામ કરે છે અને ચાની પત્તી અમુક ચોક્કસ પ્રકારનો સ્વાદ લાવવાનું કામ કરે છે. શું આ બેમાં ગૌણ-મુખ્યભાવ કહી શકાય ? એટલે જ શાસ્ત્રોમાં વવહારો વિ ટુ વનવું કહીને આ વાત અનેક દૃષ્ટાન્તો દ્વારા સુદઢ કરી છે. માટે પોતપોતાના સ્થાનમાં નિશ્ચય અને વ્યવહાર બને તુલ્યબળી છે. હીન-અધિક બળવાળા છે એવું નથી.. શંકા : પણ સાધુવેશ અસંખ્યગુણ નિર્જરા તો કરાવી શકે નહીં જ ને ? સમાધાન : એમાં આપણે શું કરી શકીએ ? દરેક પદાર્થ સ્વકાર્ય જ કરે છે, પરકાર્ય નહીં.. અગ્નિ દઝાડે જ છે ને પાણી ઠારે જ છે. અગ્નિ પણ ઠારતો હોત તો ? આવા વિકલ્પો કરવાનો શું કોઈ મતલબ છે ? શંકા : તમારી વાત તો સમજાય છે. પણ છતાં, નિશ્ચય જ બળવાનું છે એવું અમને લાગ્યા કરે છે.. સમાધાન : નિશ્ચયવાદીઓની ખૂબ ખૂબ એવી સૂફિયાણી વાતો સાંભળી હોવાથી એવી એક વાસના દિલમાં જે નિર્માણ થયેલી છે એનો એ પ્રભાવ છે, એમ જાણવું... Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઢાળ-૮ : ગાથા-૨૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા : પણ લોકવ્યવહારને તો કોઈ ધારાધોરણ નથી. માત્ર વેશધારી લિંગીને પણ સાધુ કહે છે. સમાધાન : અરે, એની શું વાત કરવી.. ભાંડ સાધુવેશ ભજવતો હોય ત્યારે એને પણ લોકો સાધુ કહે છે. પણ એ પણ સ્વકાર્ય કરે છે. ઉદાયન મંત્રીનું આવા ભાંડે જ મોત સુધાર્યું હતું ને ! શંકા : અરે ! વ્યવહાર તો સાધુના ફોટાને પણ સાધુ કહે છે.. સમાધાન : શું વાંધો છે ? એ પણ દર્શકને શ્રદ્ધા-આદર-બહુમાન વગેરે જગાડે જ છે ને વંદનાદિ પ્રતિપત્તિ પણ થાય જ છે... શંકા : પણ બધા દર્શકોને શ્રદ્ધાદિ જાગે જ એવો નિયમ ક્યાં છે ? સમાધાન : પ્રતિબંધક હોય તો કાર્ય ન પણ થાય. વિષમ મહોદય એ પ્રતિબંધક છે. નહીંતર તો ફોટાની કે લિંગધારીની શી વાત ? ઉચ્ચ કક્ષાના મહાત્મા માટે પણ પ્રશ્ન આવશે... એમને જોઈને પણ શ્રદ્ધા વગેરેના બદલે અપશુકન માનીને તિરસ્કારાદિ કોઈકને થતા હોય છે. એટલે નિશ્ચિત થયું કે વ્યવહારમાન્ય અર્થ પણ સ્વકાર્યકારી હોવાથી તત્ત્વભૂત અર્થ છે. શંકા : છતાં સાધુવેશાદિ વ્યવહારગ્રાહ્ય અર્થ શ્રદ્ધાદિ જગાડવા દ્વારા બીજાને ઉપકારક બને છે.. પોતાને તો નહીં.. માટે એ દૃષ્ટિએ એ તત્ત્વભૂત નથી ને ? સમાધાન : આ વાત પણ બરાબર નથી.... પોતે આંતરિક પરિણતિ (છઠ્ઠું-સાતમું ગુણઠાણું) જે પામ્યો છે તે પણ પ્રથમ તો (અન્યના) સાધુવેશાદિ જોઈને શ્રદ્ધાદિ થયેલા એના પ્રભાવે જ, એ વિના નહીં. અરે તારક તીર્થંકરદેવોના જીવો પણ વ્યવહારમાન્ય અર્થ (અન્યના સાધુવેશાદિ) જોઈને શ્રદ્ધાદિ જાગવા દ્વારા જ આગળ વધ્યા હોય છે. માટે તો કહ્યું છે કે રિહંતા રિહંતપુબ્રિકા... આ રીતે આગળ વધવા માટે અન્યની પરિણતિરૂપ નિશ્ચયગ્રાહ્યઅર્થ નહીં, પણ આ વ્યવહારગ્રાહ્ય અર્થ જ મુખ્ય ભાગ ભજવે છે. ત્રણ અવંચકની અપેક્ષાએ કહીએ તો ફળાવંચકનો નંબર ત્રીજો છે. એ યોગાવંચક અને ક્રિયાવંચકના ક્રમે જ આવે છે. અને આ યોગાવંચક તથા ક્રિયાવંચક માટે મુખ્યતયા, જેમનો યોગ થયો છે એ સાધુભગવંતના વેશાદિ વ્યવહારમાન્ય અર્થ જ ઉપયોગી બને છે, આંતરિક પરિણતિરૂપ નિશ્ચયમાન્ય અર્થ નહીં. શંકા : આ તો અન્યના સાધુવેશાદિ પોતાને ઉપકારક બન્યા... પોતાના સાધુવેશાદિ તો પોતાને ઉપકારક બનતા નથી ને ? સમાધાન : ના, એવું પણ નથી. આંતરિક પરિણતિને પેદા કરવા, સ્થિર કરવા અને નિર્મળ કરવા માટે સાધુવેશાદિ ઉપકારક છે જ. એટલે જ કોઈકને સાધુવેશાદિ વિના પણ ક્યારેક આંતરિક પરિણતિમાત્રથી છઠું-સાતમું ગુણઠાણું આવી ગયું હોય તો એ અન્તર્મુહૂર્તથી વધુ ટકી શકતું નથી. પ્રસન્નચન્દ્રરાજર્ષિને સાધુવેશ ઉપકારક બન્યો હતો ને ! અંદરથી પરિણતિ ઢીલી પડી હોય ત્યારે, પોતાના વેશાદિ તથા બીજા અગ્રણીઓ વગેરે દ્વારા સાધુવેશ જોઈને થતાં વંદનાદિ, Page #308 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧ ૨૮૯ લજ્જાળુ જીવને પરિણતિમાં સ્થિર કરી શકે છે. આવા બધા અનેક ઉપકારો શાસ્ત્રોમાં જણાવેલા જ છે... શંકા : પણ બધાના સાધુવેશાદિ સ્વ-પર ઉપકાર કરે જ છે એવો નિયમ નથી. અર્થાત્ એ અનેકાન્તિક છે. સમાધાન : બધા જ દંડ ઘટોત્પત્તિમાં ઉપકાર કરે જ છે એવું નથી.... ચક્રાદિથી અસહકૃત દંડ કે પ્રતિબંધકથી સહકૃત દંડ ઘટોત્પત્તિમાં ઉપકાર કરી શકતો નથી. પણ એટલા માત્રથી એને અને કાન્તિક કે અકારણ કહી શકાય નહીં.. નહીંતર કોઈપણ કુંભારે દંડની અપેક્ષા રાખવી ન જ જોઈએ. આવું જ પ્રસ્તુતમાં સાધુવેશાદિ અંગે જાણવું જોઈએ. શંકા : જે “સત્' હોય તે દરેક પદાર્થ અર્થક્રિયાકારી હોય જ છે. એટલે સાધુવેશાદિ વંદનાદિપ્રતિપત્તિરૂપ સ્વકાર્ય કરે જ. પણ પ્રસ્તુતમાં અધ્યાત્મનયની વાત ચાલે છે. એટલે અધ્યાત્મની અપેક્ષાએ અર્થક્રિયાકારિત્વનો વિચાર કરવો જોઈએ. તેથી અધ્યાત્મ શું છે ? સાધુવેશઆલયવિહારાદિક્રિયા વગેરે રૂપ બાહ્યચારિત્રનો એની સાથે શું સંબંધ છે ? વગેરે ના વિચારવું જોઈએ? સમાધાન : આ રીતે વિચાર કરીએ તો પણ, વ્યવહારગ્રાહ્ય અર્થ પણ તત્ત્વભૂત સાબિત થઈ જ શકે છે. તે આ રીતે- અધ્યાત્મ = મોક્ષના કારણભૂત આત્મોત્થાન.... એવો અર્થ અહીં લઈ શકાય છે. ને એ મુખ્યતયા જિનવચનરૂપ કે જિનવચનોથી પ્રતિપાદિત ચારિત્ર = સાધુતારૂપ છે. ચિનોક્ત તે માર્ગ (આજ્ઞારૂપ તે માર્ગ) નિશ્ચય-વ્યવહાર ઉભયરૂપ છે. એમાં વ્યવહાર એ દ્રવ્ય છે, અર્થાત્ નિશ્ચયનું કારણ છે... અને નિશ્ચય = પરિણતિ એ વ્યવહારનું કાર્ય છે. અને કર્મનિર્જરાનું-મોક્ષનું કારણ છે. આ વાસ્તવિકતાનો વિચાર બે રીતે થઈ શકે છે. (૧) નિશ્ચય એ મોક્ષનું અનંતર કારણ છે અને વ્યવહાર એ પરંપર કારણ છે. એટલે આ રીતે વિચારતાં નિશ્ચય મુખ્ય બને છે અને વ્યવહાર એની અપેક્ષાએ ગૌણ બને છે. (૨) વ્યવહાર એ નિશ્ચય દ્વારા મોક્ષનું કારણ છે. અર્થાત્ વ્યવહાર એ દ્વારી (વ્યાપારી) છે અને નિશ્ચય એ દ્વાર (વ્યાપાર) છે. આ રીતે વિચારીએ તો વ્યવહાર મુખ્ય છે અને નિશ્ચય ગૌણ છે. જેમ વ્યાપારી દંડ એ મુખ્ય છે (કારણ તરીકે વ્યવહારાય છે) અને વ્યાપાર ચક્રભ્રમણ ગૌણ છે. ઘડાની કારણસામગ્રીના ઉલ્લેખમાં સામાન્ય રીતે દંડનો ઉલ્લેખ થાય છે, ચક્રભ્રમણનો નહીં. માટે દંડ મુખ્ય છે. એમ પ્રસ્તુતમાં વ્યવહાર મુખ્ય છે. બીજી રીતે કહીએ તો જિનવચનો એ મોક્ષમાર્ગ છે. આ જિનવચનો સૂત્ર-અર્થ-ઉભયરૂપ છે. એમાં અર્થમાં વિશ્વનું યથાર્થસ્વરૂપ આવે છે... આ યથાર્થ સ્વરૂપમાં કેટલુંક માત્ર શેય અને શ્રદ્ધેય છે.... કેટલુંક હેય છે... કેટલુંક ઉપાદેય છે. એમાં કષાયો વગેરે જેમ હેય છે એમ અજયણા વગેરે પણ હેય છે જ. ઉપશાંત પરિણતિ જેમ ઉપાય છે એમ સાધુવેશ-આલયવિહારાદિક્રિયા પણ ઉપાદેય છે જ. આમ અધ્યાત્મમાં નિશ્ચય અને વ્યવહાર બને આવે જ છે. મોક્ષનું કારણ બનનાર વાસ્તવિક નિશ્ચય પણ તો જ પ્રાપ્ત થાય છે જો વ્યવહારમાર્ગ પણ માન્ય હોય. એટલે Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઢાળ-૮ : ગાથા-૨૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વ્યવહાર પણ અધ્યાત્મના અંશભૂત છે જ. ને જો એ અંશભૂત છે. તો તત્ત્વભૂત શા માટે નહીં? અર્થાત્ વ્યવહારગ્રાહ્ય અર્થ પણ તત્ત્વભૂત છે જ. અરે ! બીજી બધી વાત જવા દો. વ્યવહારગ્રાહ્ય અર્થ જો તત્ત્વભૂત ન હોય તો શ્રી જૈનશાસનમાં શાસ્ત્રોમાં હજારો શ્લોક પ્રમાણ એનું જે વર્ણન છે. જે સૂક્ષ્મ-સૂક્ષ્મતર કાળજીઓ બતાવેલી છે... વેશના માપ સુદ્ધાં દર્શાવેલા છે અને એમાં ગરબડ કરનારને પ્રાયશ્ચિત્તાદિ દર્શાવેલા છે. આ બધું હોત નહીં. અતત્ત્વભૂત અર્થને મહત્ત્વ આપવાનું હોય જ નહીં એ નિઃશંક છે. શંકા : વ્યવહારમાન્ય અર્થ પણ તત્ત્વભૂત છે. એ વાત તો ચાલો સ્વીકારીએ. ને તેથી નિશ્ચય આ અંશનું ગ્રહણ કરતો ન હોવાથી એકદેશ તત્ત્વાર્થગ્રાહી છે. અંશજ્ઞાનરૂપ છે. પ્રમાણ આ અંશનું પણ ગ્રહણ કરનાર હોવાથી સકલતત્ત્વાર્થગ્રાહી છે. પૂર્ણજ્ઞાનરૂપ છે. આ નિશ્ચય અને પ્રમાણ વચ્ચેનો ભેદ પણ સ્વીકારીએ... પણ એક પ્રશ્ન હવે એ ઊભો થાય છે કે જો વ્યવહારમાન્ય અર્થ પણ તત્ત્વભૂત છે, તો ભાષ્યમાં તત્ત્વાર્થગ્રાહી નો નિશ્ચય , તોfમમતાર્થગ્રાહી વ્યવહાર: આવી વ્યાખ્યા કેમ આપી ? સમાધાન : પદાર્થના બે સ્વરૂપ છે. એક બાહ્ય અને બીજું આંતરિક. આ બન્ને એકબીજાને અનુરૂપ પણ હોઈ શકે છે ને વિપરીતરૂપ પણ હોઈ શકે છે. તથા આ બન્ને એકદેશતત્ત્વભૂત છે. બન્ને ભેગા થવા પર સકલતત્ત્વભૂત અર્થ મળે છે. આમાંથી વ્યવહારનય પ્રધાનપણે બાહ્યસ્વરૂપને અને નિશ્ચયનય પ્રધાનપણે આંતરિક સ્વરૂપને જુએ છે. પ્રમાણ બન્નેને જુએ છે. (આ વાત મુખ્યતયા સંસારીજીવને જ લાગુ પડે છે. બાકીના પદાર્થો-ધર્માસ્તિકાયાદિ તેમજ સિદ્ધાત્મા.. આ બધાનું એક જ સ્વરૂપ હોય છે. બાહ્ય... આશ્વેતર... આવા બે અલગઅલગ સ્વરૂપ હોતા નથી. માટે તો દેવસેનાચાર્યે આ નિશ્ચય અને વ્યવહારનયને આધ્યાત્મિકનય = આત્મવિષયકનય તરીકે કહ્યા છે.). લોક છદ્મસ્થ છે.. એ બાહ્યસ્વરૂપને જ જોઈ શકે છે. આંતરિક પરિણતિનો નિર્કાન્ત નિશ્ચય લગભગ કરી શક્તો નથી. એટલે તત્ત્વભૂત અર્થનો એક અંશ કે જે વ્યવહારનો વિષય છે તે લોકાભિમત બને છે. એટલે વ્યવહારની વ્યાખ્યા આવી કરી કે લોકાભિમતાર્થગ્રાહી નય એ વ્યવહારનય.... પણ એનો અર્થ તો આ જ છે કે લોકાભિમત જે તત્ત્વભૂત અર્થ, તેના ગ્રાહક નય એ વ્યવહારનય. વ્યવહારગ્રાહ્ય અર્થ આમ નિશ્ચિત થઈ ગયો એટલે બાકી રહેલ તત્ત્વભૂત અર્થ નિશ્ચયગ્રાહ્ય છે એમ સમજી શકાય છે. માટે એની વ્યાખ્યા તરીકે તત્ત્વાર્થગ્રાહીનો નિશ્ચય એટલું જ કહ્યું.... ગોબલીવર્દ ન્યાયે આ તત્ત્વભૂત અર્થ તરીકે આંતરિક પરિણતિ નિશ્ચિત થઈ જાય છે. કારણ કે બાહ્ય સ્વરૂપનો તો વ્યવહારના વિષય તરીકે ઉલ્લેખ થયેલો જ છે. બાકી, વ્યવહારની વ્યાખ્યામાં પણ “તત્ત્વાર્થગ્રાહી નય એ વ્યવહારનય' આમ જ કહેવામાં આવે તો બન્નેની વ્યાખ્યા એક જ થઈ જવાથી વાસ્તવિક નિર્ણય અશક્ય જ બની જાય. આગળ આ જ ઢાળની બાવીશમી ગાથાના ટબામાં (પૃ. ર૯૪) ગ્રન્થકારે “ઇમ જે જે રીતિ લોકાતિક્રાન્ત અર્થ પામિઈ તે તે નિશ્ચયનયનો ભેદ થાઈ...” આવું જ કહ્યું છે તે પણ આ સૂચન Page #310 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧ ૨૯૧ કરે છે કે વ્યવહારનો વિષય પણ તત્ત્વભૂત અર્થ જ છે. તે આ રીતે - ટબાની આ પંક્તિમાં નિશ્ચયના વિષયની વાત હોવાથી અર્થ' શબ્દ જે રહેલો છે એનો અર્થ “તત્ત્વભૂત અર્થ છે, એ સ્પષ્ટ છે. હવે એનું વિશેષણ ગ્રન્થકારે “લોકાતિક્રાન્ત’ એવું વાપર્યું છે. એટલે આ વિશેષણ સૂચવે જ છે કે લોકાભિમત એવો પણ તત્ત્વભૂત અર્થ હોવો જોઈએ, તથા એ વ્યવહારનો વિષય હોવો જોઈએ અને એનો વ્યવચ્છેદ કરવા માટે નિશ્ચયના વિષયભૂત અર્થનું લોકાતિક્રાન્ત' એવું વિશેષણ છે. આ બધી ચર્ચાનો સાર એ છે કે - લોકાભિમત તત્ત્વાર્થગ્રાહી નય એ વ્યવહારનય. લોકાતિકાન્ત તત્ત્વાર્થગ્રાહી નય એ નિશ્ચયનય.. ઉભય (સકલ) તત્ત્વાર્થગ્રાહી બોધ એ પ્રમાણ. આમ, નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા ભિન્ન છે, એ સ્પષ્ટ છે. વળી આ વાત અનુભવસિદ્ધ પણ છે. આશય એ છે કે આંતરિક પરિણતિયુક્ત બાહ્યસ્વરૂપને પ્રમાણ સ્વીકારે છે. (દા.ત. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયપશામજન્ય પરિણતિયુક્ત આલયવિહારાદિ ક્રિયા-સાધુવેશ એ સાધુતા છે. આવો બોધ એ પ્રમાણ છે. એમ, પ્રમત્તયોત્ પ્રાગટ્યપરોપvi હિંસા... આ પ્રમાણવાક્ય છે. તે આ રીતે- પ્રમત્તયોનો હિંસા આ નિશ્ચયવાક્ય છે. પ્રણવ્યપરોપાં હિંસા આ વ્યવહારવાક્ય છે. એટલે “પ્રમત્તયોગપૂર્વકનું પ્રાણવ્યપરોપણ એ હિંસા આ વાક્યમાં એ બંને નયવાક્યોનો સમાવેશ હોવાથી એ પ્રમાણવાક્ય છે.) આમાં જે વિશેષાંશ છે એ નિશ્ચયનો વિષય છે અને જે વિશેષાંશ છે એ વ્યવહારનો વિષય છે. આ બન્નેમાં રહેલી વિષયતાઓ અલગ-અલગ હોય છે, એ આવો પ્રમાણભૂત બોધ કરતી વખતે અનુભવાય છે જ એટલે કે એ અનુભવસિદ્ધ છે. જેમ, અન્યવાદી = તૈયાયિક વગેરે સવિકલ્પક જ્ઞાનની પ્રકારતાદિક વિષયતાને ભિન્ન માને છે, તેમ. આશય એ છે કે વિશેષણયુક્ત વિશેષ્યનું જ્ઞાન એ સવિકલ્પક જ્ઞાન કહેવાય છે. એમાં, વિશેષણરૂપ વિષયમાં રહેલી વિષયતા પ્રકારતા (કે વિશેષણતા) કહેવાય છે અને વિશેષ્યરૂપ વિષયમાં રહેલી વિષયતા વિશેષતા કહેવાય છે. આ બન્ને વિષયતાઓ જુદી જુદી હોય છે એમ તૈયાયિક વગેરે કહે છે... ગ્રન્થકાર કહે છે કે એ જ રીતે નિશ્ચયગ્રાહ્ય વિષયમાં રહેલી વિષયતા કે જે ઉપર જણાવ્યા મુજબ પ્રમાણજ્ઞાનનિરૂપિત પ્રકારતારૂપ છે તે અને વ્યવહારગ્રાહ્ય વિષયમાં રહેલી વિષયતા (કે જે વિશેષ્યનારૂપ છે તે) અલગ-અલગ હોય છે, આ વાત અનુભવસિદ્ધ છે.. ઇમ હૃદયમાં હિ વિચારવું ગ્રન્થકાર સૂચન કરે છે કે આ વાતો હૃદયમાં વિચારવી... એટલે કે પૂરા ઉપયોગપૂર્વક-ઊંડાણથી વિચાર કરવાથી જ આ વાતો સમજાય એવી છે, માટે એ રીતે વિચારવી. આ બન્ને નયની વિષયતા ભિન્ન છે આ વાતને સદષ્ટાંત સ્પષ્ટરૂપે ગ્રન્થકારે જે જણાવી છે એનાથી પણ સૂચિત થાય છે કે વ્યવહારનો વિષય પણ તત્ત્વભૂત છે જ. નહીંતર = એનો વિષય જો અતત્ત્વભૂત હોત તો બન્નેના વિષય જ સાવ ભિન્ન પૂર્વ-પશ્ચિમ જેવા બની જવાથી Page #311 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૮ : ગાથા-૨૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અભ્યન્તરતા બાહ્યનઇ રે, જે બહુવિગત અભેદ । નિર્મળ પરિણતિ દ્રવ્યની રે, એ સવિ નિશ્ચય ભેદ રે II પ્રાણી૦ | ૮-૨૨॥ ટબો : જે બાહ્યઅર્થનઇ ઉપચારઇ અત્યંતરપણું કરિó તે નિશ્ચયનયનો અર્થ જાણવો. यथा ૨૯૨ ‘બન્નેની વિષયતા એકસરખી હશે કે જુદા-જુદા પ્રકારની?” આવી શંકાને સ્થાન જ ન રહેવાથી ‘એ બન્ને ભિન્ન હોય છે, આ વાત અનુભવ સિદ્ધ છે... જેમકે પ્રકારતાદિ વિષયતા' આવા બધા નિરૂપણની જરૂર જ ન રહેત. વ્યવહારનો વિષય પણ તત્ત્વભૂત છે, એટલે શંકા પડી શકે છે કે બન્ને તત્ત્વાર્થગ્રાહી છે, તો શું બન્નેની વિષયતા એક સરખી હશે ? અને આ શંકા પડી શકે છે, માટે એનું નિર્મૂલન કરવા પ્રસ્તુત ગ્રન્થાધિકાર આવશ્યક બને છે... આ વાતને ખૂબ ઊંડાણપૂર્વક સહૃદયતાથી વિચારવા બધાને ભલામણ છે. समाधिर्नन्दनं धैर्यं, दम्भोलिः समता शची । જ્ઞાનં મહાવિમાનં ત્ર, વાસવશ્રીયિં મુનેઃ ।। ત્યાદિ 1 श्री पुण्डरीकाध्ययनाद्यर्थोप्येवं भावनीयः ॥ અહીં ટબામાં ‘જિમ સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારતાદિક...' આમ જે પાઠ મુદ્રણોમાં મળે છે તેના સ્થાને ‘જિમ સવિકલ્પકજ્ઞાનનિરૂપિત પ્રકારતાદિક...' આવો પાઠ જોઈએ... કારણ કે પ્રકારતા વગેરે જ્ઞાનનિષ્ઠ નથી હોતી, પણ જ્ઞાનનિરૂપિત હોય છે. એક મુદ્રણમાં ‘પ્રકારિતા' છપાયું છે. એ જ્ઞાનનિષ્ઠ હોય છે... પણ એ વિષયતારૂપ નથી હોતી... માટે એની અહીં વાત ન હોવાથી એ પણ અશુદ્ધ પાઠ જાણવો. અશુદ્ધ પાઠને પકડી રાખીને પદાર્થની કદર્થના કરવી એ ઇચ્છનીય નથી. ॥ ૧૨૯ || ગાથાર્થ : બાહ્યના ઉપચારે જે આભ્યન્તરતા જોવી, બહુવ્યક્તિનો અભેદ જોવો અને દ્રવ્યની નિર્મળ પરિણતિ જોવી... આ બધું નિશ્ચયના ભેદ છે. ॥ ૮-૨૨ ॥ વિવેચન : લોકાભિમત અર્થ એ વ્યવહારનો વિષય છે અને લોકાતિક્રાન્ત અર્થ એ નિશ્ચયનો વિષય છે... આ આપણે જોઈ ગયા... હવે, આ વિષયો તરીકે શું શું આવે એની વાત ગ્રન્થકાર કરી રહ્યા છે. એમાં પહેલાં નિશ્ચયનો વિષય આ ગાથા દ્વારા દેખાડે છે. (૧) જે બાહ્યઅર્થનઇ... અહીં ટબામાં જે' આવો જે શબ્દ રહેલો છે તેનો અન્વય બાહ્યઅર્થની સાથે નથી (એટલે કે જે બાહ્યપદાર્થો... આ રીતે અર્થ નથી) પણ ‘કરિઇ’ એવું જે ક્રિયાપદ છે એની સાથે છે. તેથી અર્થ આવો છે... બાહ્ય પદાર્થોનો ઉપચાર કરીને = બાહ્ય પદાર્થોની ઉપમા આપીને અત્યંત૨૫ણું આંતરિક પરિણતિને જે કરવી તે નિશ્ચયનયનો અર્થ જાણવો... અર્થાત્ બાહ્ય પદાર્થની ઉપમા દ્વારા આંતરિક પરિણિતને પિછાણવી એ નિશ્ચયનય છે. આશય એ છે કે નિશ્ચયનયનો જે વિષય છે તે લોકાતિક્રાન્ત છે... છદ્મસ્થ એવા લોકના વિષયભૂત નથી... એટલે એ વિષયને સમજાવવો શી રીતે? બાળકને બાળકની ભાષામાં જ સમજાવાય... એ ન્યાયે બાહ્ય પદાર્થોને જ પિછાણનાર લોકને બાહ્ય પદાર્થની ભાષામાં જ પ્રતિપાદ્ય પદાર્થ સમજાવવો પડે છે. = Page #312 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૨ ૨૯૩ જે ઘણી વ્યક્તિનો અભેદ દેખાડિઇ, તે પણિ નિશ્ચયનયાર્થ જાણવો. જિમ “ને માથા” ઇત્યાદિ સૂત્ર. વેદાદર્શન પણિ શુદ્ધસંગ્રહનયાદેશરૂપ શુદ્ધનિશ્ચયાર્થ સમ્મતિ ગ્રંથઈ એટલે બાહ્ય પદાર્થની ઉપમા દ્વારા આંતરિક પરિણતિ સમજાવવામાં આવે છે. જેમકે જ્ઞાનસાર અષ્ટકના વીસમા સર્વસમૃદ્ધિ અષ્ટકમાં મુનિની આભ્યન્તર સમૃદ્ધિ આ રીતે જણાવી છે - બાહ્ય જગત્માં જેમ ઈન્દ્ર, ચક્રવર્તી વગેરે નરેન્દ્રો કરતાં પણ ઘણી ઉચ્ચ કક્ષાની સમૃદ્ધિવાળો છે ને તેથી સદા સુખમાં મગ્ન હોય છે. એમ આભ્યન્તર જગત્માં મુનિ પણ ઈન્દ્રની જેમ અત્યંત ઉચ્ચ સમૃદ્ધિવાળા હોય છે ને તેથી હંમેશા સુખમાં રમમાણ હોય છે. ઈન્દ્રની મુખ્ય સમૃદ્ધિ તરીકે નંદનવન છે, દંભોલિ = વજ છે, શચી = ઇન્દ્રાણી છે અને મહાવિમાન છે. તો મુનિ પાસે શું છે ? સમાધિ એ નંદનવન છે. નંદનવનમાં સદા ખુશનુમા વાતાવરણ હોય. ઉકળાટનો અંશ પણ ક્યારેય પણ ન હોય. સમાધિમાં રહેનારને, બાહ્ય પરિસ્થિતિમાં ભલે ને આસમાની સુલતાની થઈ જાય.. ઉકળાટનું નામનિશાન નથી હોતું. તેવી સમાધિ એ નંદનવન છે. વજ એ ઈન્દ્રનું એવું શસ્ત્ર છે કે કોઈ શત્રુ એની સામે ફાવી શકતો નથી... અને તેથી ઈન્દ્રને હમેશા નિર્ભયતાનું સુખ હોય છે. મુનિ પાસે ધૈર્ય એવું વજરૂપ શસ્ત્ર છે કે ગમે તેવી ઉપસર્ગો કે પરીષહોની ફોજ ઉતરી પડે તો પણ મુનિ એ બધા પર વિજય મેળવે છે. અને તેથી, માનવીય કે અમાનવીય આપત્તિઓ સામે રક્ષા કરવાનું બાહ્ય કોઈ સાધન પોતાની પાસે ન હોવા છતાં આ એક ધર્ય માત્રના સાથથી મુનિ હમેશા નિર્ભય હોય છે. ઈન્દ્રને પત્ની તરીકે અત્યંત પ્રેમાળ ઇન્દ્રાણી હોય છે... સાધુને સમતા, એ ક્યારેય દગો ન દેનાર.... ને હમેશા પ્રેમ અને સુખ આપનાર પત્ની છે. જ્ઞાનસારાષ્ટકમાં જ ત્યાગાષ્ટકમાં કહ્યું છે કે તા ને સમલૈવૈl... ઇન્દ્રને મહા-વિરાટ વિમાન હોય છે. જ્યાં વિચરવું હોય ત્યાં વિચરી શકે. મુનિ પાસે પણ જ્ઞાનરૂપી મહાવિમાન છે... કર્મ, આચાર, યોગ, પ્રકરણ વગેરે ઢગલાબંધ એના વિવિધ પ્રદેશો છે. જ્યાં વિચરવું હોય ત્યાં વિચરતા રહેવાનું.. ને આનંદ માણ્યા કરવાનો.. આમ નંદનવન વગેરે બાહ્યપદાર્થોની ઉપમા દ્વારા સમાધિ વગેરે આવ્યંતર પરિણતિઓને ઓળખવી-ઓળખાવવી એ નિશ્ચયનો પ્રથમ ભેદ છે. શ્રી પુંડરીક અધ્યયન વગેરેના અર્થની પણ આ રીતે ભાવના કરવી... (૨) જે ઘણી. જે ઘણી વ્યક્તિનો અભેદ જણાવે છે પણ નિશ્ચયનયનો અર્થ જાણવો... જેમકે ને માયા ઈત્યાદિસૂત્ર... (અહીં પણ પૂર્વમુદ્રણોમાં અને એના વિવેચનોમાં જો ગાય આવો પાઠ અને તદનુસાર વિવેચન છપાયેલા છે. સર્વ આત્માઓનો અભેદ દર્શાવનાર એને માયા... આ સૂત્ર શ્રી જૈનશાસનમાં અત્યંત પ્રચલિત છે. ઠાણાંગજીનું આ સૂત્ર છે. સર્વ આત્માઓનો અભેદ જણાવવાના પ્રસ્તાવમાં, “જો માયા ઇત્યાદિ સૂત્ર” આવો પાઠ મળે તો “એ અશુદ્ધ પાઠ છે. એ માયા આવું સૂત્ર આ જ અભેદને જણાવનાર હોવાથી એ જ પાઠ અહીં હોવો જોઈએ આટલી પણ ફુરણા સંપાદકોને ને વિવેચનકારોને ન થાય એ સખેદ આશ્ચર્ય ઉપજાવનારી બિના છે અને પછી “આ વેદાંતદર્શનનું સૂત્ર છે.. વગેરે રૂપે પદાર્થની જે કદર્થના થાય છે તે અસહ્ય છે... અસ્તુ.) મેરો માયા... આ સૂત્ર જણાવે છે કે એક જ આત્મા છે.. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઢાળ-૮ : ગાથા-૨૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કહિઉં છઇ. તથા દ્રવ્યની જે નિર્મળ પરિણતિ બાહ્યનિરપેક્ષ પરિણામ તે પણિ નિશ્ચયનયનો અર્થ જાણવો. જિમ “આયા સામારૂપ, આયા સામાગસ્ત્ર અટ્ઠ” ઇમ જે જે રીતિં લોકાતિક્રાન્ત અર્થ પામિઇ, તે તે નિશ્ચયનયનો ભેદ થાઇ. તેહથી લોકોત્તરાર્થ ભાવના આવઇ. ॥ ૮-૨૨॥ શંકા : સૂત્રમાં ‘જ' કારને જણાવના૨ (અવધારણ કરનાર) એવકાર તો છે નહીં, પછી તમે કેમ જ' કાર ઉમેરીને અર્થ કરો છો ? = સમાધાન : સર્વે વાચં સાવધારાં મતિ ન્યાયે જ્ઞાનીઓને આ રીતે જકાર પ્રયોગ અહીં અભિપ્રેત છે, માટે. આ રીતે સર્વ આત્માઓનો અભેદ માનવો એ નિશ્ચયનયનો અર્થ છે. અહીં આશય એ છે કે નિશ્ચયનય અંતસ્તત્ત્વને જોનાર છે... એ જેમ જેમ અંદર ઊતરતો જાય છે તેમ તેમ વધુ ને વધુ શુદ્ધ બનતો જાય છે... જ્યારે અત્યંત અંદર ઉતરીને જોવામાં આવે છે ત્યારે દરેક આત્મામાં એકસરખું (સિદ્ધાત્મસદેશ) શુદ્ધસ્વરૂપ જ દેખાય છે, કોઈ જ ભેદ દેખાતો નથી... માટે બધાનો અભેદ દર્શાવનાર આ સૂત્ર એ શુદ્ધ નિશ્ચયનયનો અર્થ છે. શંકા : એક જ આત્મા માનવો... એનો અર્થ આત્માદ્વૈત-બ્રહ્માāત માનવું. આ તો વેદાંતદર્શનની માન્યતા છે... તો શું વેદાંતદર્શન એ શુદ્ધ નિશ્ચયરૂપ છે ? સમાધાન : હા, વેદાંતદર્શન પણ શુદ્ધસંગ્રહનયના આદેશરૂપ હોવાથી શુદ્ઘનિશ્ચયરૂપ છે એમ સમ્મતિગ્રન્થમાં કહ્યું છે. (માત્ર એકાંત માન્યતા ધરાવવાથી એ નિશ્ચયનય દુર્નયરૂપ બને છે.) (૩) તથા દ્રવ્યની... તથા દ્રવ્યની જે નિર્મળપરિણતિ અર્થાત્ બાહ્ય દેખાવ-ક્રિયા વગેરેથી નિરપેક્ષ એવો આંતરિક પરિણામ એ પણ નિશ્ચયનયનો અર્થ જાણવો... અધ્યાત્મનયના ભેદરૂપ હોવાથી આ નિશ્ચય-વ્યવહા૨ સંસારી જીવની અપેક્ષાએ છે... ધર્માસ્તિકાયાદિ કે સિદ્ધાત્માની અપેક્ષાએ નથી... એટલે અહીં દ્રવ્ય તરીકે સંસારી જીવ લેવાનો છે... એ બાહ્યદૃષ્ટિએ ભલે ગમે તે પ્રવૃત્તિ કરતો હોય... નિશ્ચયનય એ બાહ્યપ્રવૃત્તિની અપેક્ષા રાખ્યા વિના એને જોયા વિના એનાથી નિરપેક્ષપણે, અંદરની નિર્મળ પરિણતિને જ જુએ છે... જેમકે “આત્મા સામાયિક છે... આત્મા જ સામાયિકનો અર્થ પદાર્થ છે...” આવું જણાવના૨ સૂત્ર... આનો અર્થ છે. સમતામય આત્મા એ જ સામાયિક છે... અર્થાત્ બાહ્ય આલયવિહારાદિ ક્રિયા એ સામાયિક ચારિત્રરૂપ નથી.. પણ આંતરિક સમતામય આત્મપરિણામ એ સામાયિક ચારિત્રરૂપ છે... એટલે ક્યારેક બાહ્યક્રિયા ન હોય, વિપરીત હોય, પણ અંદર સમતામય પરિણામ હોય તો નિશ્ચયનય સામાયિક ચારિત્ર વગેરેની વિદ્યમાનતા કહેશે જ. જેમકે પૃથ્વીચન્દ્ર-ગુણસાગરના દૃષ્ટાન્તમાં તથા રાજા અને મહાત્માના દૃષ્ટાન્તમાં... ‘જો મારો પતિ રાજા બ્રહ્મચારી હોય તો હે નદી ! મને માર્ગ કરી દે...' પાછા ફરતી વખતે ‘જો મારા દીયર મહારાજ ઉપવાસી હોય તો હે નદી ! મને માર્ગ કરી દે...' રાણીના આ બન્ને વાક્યોને તત્રસ્થ દેવતાએ નિશ્ચયની દૃષ્ટિએ સત્યરૂપે સ્વીકારી જતી-આવતી બન્ને વખતે માર્ગ કરી આપ્યો... આવાં અન્ય પણ દૃષ્ટાન્તો જાણવા. અહીં નિશ્ચયના ભેદરૂપે આ ત્રણ વાતો કહી છે... એમાં વિષયભેદે વિષયીભેદ... એમ સમજીને આ ત્રણ ભેદ જાણવા... – = Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૩ જેહ ભેદ છઈ વિગતિનો રે, જે ઉત્કટ પર્યાય | કાર્યનિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે | પ્રાણી છે ૮-૨૩ ટો : જેહ વ્યક્તિનો ભેદ દેખાડિછે - નિ દ્રવ્ય, મને નીવા:” ઈત્યાદિ રીતિ, તે વ્યવહારનયનો અર્થ તથા ઉત્કટપર્યાય જાણીઇ, તે પણિ-વ્યવહારનયનો અર્થ “ત આમાં, સમાધિને નંદનવન જેવી આલ્હાદક ચીજ માનવી... વિશ્વમાં એક જ આત્મા માનવો... લગ્નક્રિયા દરમ્યાન સામાયિક માનવું... આવી બધી વાતો લોકદષ્ટિનો વિષય બની શકતી નથી... માટે આ બધો લોકાતિક્રાન્ત અર્થ છે. આવો જે જે રીતે લોકાતિક્રાન્ત અર્થ મળે, તે તે વિષયભેદે વિષયીભેદ ન્યાયે નિશ્ચયનયનો ભેદ બને છે. એટલે બહારથી સાધુપણું હોય.. અને અંદરથી સ્વજનોને - વિષયોને જ ઝંખ્યા કરતો હોય તો નિશ્ચયનય એને અવિરત જ કહેશે. બહારથી મીઠી મીઠી-વાતો કરતો હોય ને અંદરખાને કાપતો હોય તો નિશ્ચયનય એને મિત્ર નહીં.. પણ શત્રુ જ લેખે છે... આ બધો નિશ્ચયનો અર્થ જાણવો. આ રીતે નિશ્ચયનો વિચાર કરવાથી આપણે પણ લોકથી પર એવો લોકોત્તરરૂપ જે અર્થ તેની ભાવના પામી શકીએ છીએ.... એટલે કે “પ્રવૃત્તિ કોઈપણ હોય-અર્થાત્ દાન-શીલ-તપની હોય કે તેનાથી વિપરીત હોય પણ ભાવ તો બન્ને વખતે શુભ-શુદ્ધ જ રાખવા... જેથી નિશ્ચયની દૃષ્ટિએ દાનાદિની જ વિદ્યમાનતા રહેવાથી પાપક્ષય-પુણ્યોપાર્જન જ થયા કરે. એનાથી વિપરીત ન થાય....' આવી ભાવના જાગે છે. અને તેથી પછી તદનુરૂપ પ્રયત્ન થાય છે જે જીવને મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. મેં ૧૩૦ ગાથાર્થ : જે વ્યક્તિનો ભેદ છે, જે ઉત્કટ પર્યાય છે અને જે કાર્ય-કારણની અભિન્નતા છે એ બધો વ્યવહારનો ઉપાય = વિષય છે. || ૮-૨૩ / - વિવેચન : નિશ્ચયનયના ૩ ભેદ દેખાડીને હવે વ્યવહારના ત્રણ ભેદ ગ્રન્થકાર દર્શાવી રહ્યા છે.... જે વ્યક્તિનો. (૧) વ્યક્તિ-વ્યક્તિનો ભેદ દેખાડવો એ વ્યવહારનયનો અર્થ = વિષય છે. “જેમકે દ્રવ્યો અનેક છે..” “જીવ અનેક છે...' વગેરે... વ્યવહારનય લોકાભિમતાર્થગ્રાહી છે... અને લોક બાહ્ય દૃષ્ટિએ જોનાર છે. બાહ્ય દૃષ્ટિએ તો કોઈક પદાર્થ જડ દેખાય છે કોઈક ચેતન દેખાય છે... ચેતનમાં પણ કોઈક દેવ તો કોઈક મનુષ્ય... કોઈક પુરુષ તો કોઈક સ્ત્રી કોઈક વૃદ્ધ તો કોઈક યુવાન. આમ અલગ-અલગ દેખાય છે. માટે બધા દ્રવ્ય અલગ-અલગ છે.... જીવો અલગ-અલગ છે. તેથી અનેક છે. (નિશ્ચયનય બધા જીવોને એક જ માને છે એ વાત એ ગાયા સૂત્રથી જણાવી જ છે. એમ એના કરતાં પણ વધારે ઊંડો ઉતરનાર નિશ્ચયનય પુદ્ગલત્વ-જીવવ વગેરે ભેદ પણ જોતો નથી.. બધું જ દ્રવ્ય-ગુણ-પર્યાયમય કે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય અર્થાત્ સત્ત્વમય એકસમાનરૂપ જ દેખે છે ને તેથી બધાં દ્રવ્યોનો અભેદ કહે છે. આ સદàતવાદ છે. આ વાત બીજી ઢાળની ચોથી ગાથાના ટબામાં આવી ગઈ છે.) (૨) તથા ઉત્કટપર્યાયને જાણવો તે પણ વ્યવહારનયનો અર્થ છે. એટલે જ ભમરો નિશ્ચયનયે પાંચે વર્ણ ધરાવતો હોવા છતાં વ્યવહારનયથી તો એ શ્યામવર્ણનો જ કહેવાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઢાળ-૮ : ગાથા-૨૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ga-forછયા પંaudો મજે, વહરાયે શનિવ” ઇત્યાદિ સિદ્ધાન્તઈ પ્રસિદ્ધ છો, તથા કાર્યનઈ નિમિત્ત કહતાં કારણ, એહોઈ અભિનપણું કહિએ તે પણિ વ્યવહારનયનો ઉપાય છઈ જિમ “નાયુત” ઈત્યાદિક કહિ, ઇમ - “નિર્વઈ, વહુ ત્રવતિ” ઇત્યાદિ વ્યવહાર ભાષા અનેકરૂપ કહઈ છ0. || ૮-૨૩ || (એમ મરચું નિશ્ચયનયે પાંચે રસ = સ્વાદ ધરાવે છે છતાં વ્યવહારનયે તીખું જ છે...) આવી બધી વાતો સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે. આમાં પણ સ્પષ્ટ છે કે લોકને ભમરામાં માત્ર શ્યામવર્ણ જ દેખાય છે. શુક્લાદિ વર્ણો દેખાતા નથી. માટે લોક એને શ્યામ માને છે. (૩) તથા કાર્ય અને નિમિત્ત = કારણ.... આ બેનું અભિન્નપણું કહેવું તે પણ વ્યવહારનયનો ઉપાય = અર્થ છે. જેમકે ગાયુષ્કૃતમ્ ઇત્યાદિ કહેવાય છે. ઘી એ આયુષ્યનું = જીવનનું અસાધારણ કારણ છેમાટે કારણભૂત ઘીમાં કાર્યનો = જીવનનો અભેદ ઉપચાર કરીને વ્યવહારનય ઘીને જ જીવન કહે છે. આ જ રીતે રિર્તા, સ્ત્રવતિ વગેરે અનેક પ્રકારના ઉપચારવાના પ્રયોગો વ્યવહારનયના વિષયભૂત જાણવા. શંકા : દ્રવ્ય એ કારણ છે અને પર્યાય એ કાર્ય છે. આ કારણ-કાર્ય = દ્રવ્ય-પર્યાય વચ્ચેનો અભેદ નિશ્ચયનય માને છે. વ્યવહારનય તો એ બે વચ્ચે ભેદ માને છે. તો અહીં અભેદને કેમ વ્યવહારનો અર્થ કહ્યો છે ? સમાધાન : કારણે જાર્યોવર: આ રીતે આ ઉપચાર પ્રસિદ્ધ છે. છતાં ગ્રન્થકારે “કાર્યકારણ અભિન્નતા રે..” એમ ન કહેતાં “કાર્ય-નિમિત્ત અભિન્નતા રે...” એમ જે કહ્યું છે. અર્થાત્ ગાથામાં “કારણ” શબ્દ ન વાપરતાં નિમિત્ત’ શબ્દ જે વાપર્યો છે તે આવી શંકાના નિરાકરણ માટે વાપર્યો છે. તમારી વાત સાચી છે કે કાર્ય-કારણભૂત દ્રવ્ય-પર્યાય વચ્ચે અભેદ જોવો એ નિશ્ચયનો વિષય છે. પણ એ ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચેનો અભેદ છે... ને એ વાસ્તવિક અભેદ છે... ઉપચરિત અભેદ નથી. અહીં વ્યવહારના વિષય તરીકે જે અભેદ કહ્યો છે તે નિમિત્તકારણ અને કાર્ય વચ્ચેનો અભેદ છે. અને તે પણ ઉપચરિત અભેદ છે.. મૌલિક તો ભેદ જ છે. ઉપાદાનકારણની ભ્રમણા ન થઈ જાય એ માટે જ ગ્રન્થકારે “કારણ” શબ્દ ન વાપરતાં નિમિત્ત” શબ્દ વાપર્યો છે. પરપુરુષગામિની નુપૂરપંડિતાએ પોતાના જારપુરુષને રસ્તામાં પાગલની જેમ વળગી પડવાનો સંકેત કર્યો. સવારે “પોતે શીલવતી છે' એવી સ્વજનોને અને લોકને ખાતરી કરાવવાના આશયથી યક્ષના મંદિરે જવા નીકળી... રસ્તામાં પેલો વળગી પડ્યો... છૂટીને મંદિરમાં જઈને યક્ષને ઉદેશીને કહે છે કે - “હે દેવ ! જો મારા પતિ અને રસ્તામાં વળગી પડેલા પેલા પુરુષ સિવાય બીજા કોઈપણ પુરુષનો મને સ્પર્શ થયો હોય તો તારા પગની વચ્ચેથી નીકળવા ન દેશો...' આટલું કહીને તરત જ યક્ષની મૂર્તિના બે પગની વચ્ચે પેસી.. દેવે શબ્દાર્થરૂપે આ વચનને સત્ય માન્યું. ને તેથી એ જ ક્ષણે પગ વચ્ચે ભીંસી ન નાખી... અંદરના આશયનો Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૪ ઈમ બહુ વિષય નિરાકરી રે, કરતાં તસ સંકોચ / કેવળ બાલક બોધવા રે, દેવસેન આલોચ રે ! પ્રાણીઓ ! ૮-૨૪ .. ટબો : એહવા નિશ્ચયનય વ્યવહારનયના ઘણા અર્થ નિરાકરી કહેતાં ટાળી, તેહનો સંકોચ કરતાં = થોડા ભેદ દેખાડતાં, “નયચક્ર” ગ્રંથકર્તા જે દેવસેન, તેહનો વિચાર કરે એટલામાં તો નુપૂરપંડિતા બે પગની વચમાંથી પસાર થઈ ગઈ. લોક . પણ સત્ની પરીક્ષામાંથી પાસ થઈ ગઈ એ જોઈને એને શીલવતી ઘોષિત કરી દીધી. એ પણ વ્યવહારનયાભિપ્રાય. શબ્દોનો સીધેસીધો-યથાશ્રુત ભાસતો જે અર્થ એને ઉત્કટ પર્યાય કહી શકાય, કારણ કે સાંભળવા માત્રથી જણાઈ જાય છે. એમાં કંઈક અસંગતિ હોય.. ને તેથી પછી પૂર્વાપર વિચાર કરીને જે અર્થ મળે એ અનુત્કટ પર્યાય કહી શકાય, કારણ કે સીધેસીધો જણાઈ જતો નથી. એટલે બીજા ભેદમાં આનો સમાવેશ કરી શકાય. લોકોએ શીલવત્ત્વને કારણ માન્યું છે. ને પસાર થઈ જવાને એનું કાર્ય માન્યું છે. એટલે નુપૂરપંડિતા જે “પસાર થઈ ગઈ એમાં જ શીલનો ઉપચાર કરીને એને શીલવતી ઘોષિત કરી દીધી... એટલે એમાં ત્રીજો ભેદ સમજી શકાય છે... અહીં પણ વિષયભેદે વિષયભેદ ન્યાયે વ્યવહારનયના આ ભેદો જાણવા. / ૧૩૧ ગાથાર્થ : એમ બહુવિષયને નિરાકરીને = છોડી દઈને, તેનો સંકોચ કરતાં દેવસેનનો આલોચ = અભિપ્રાય કેવળ બાળકજીવને બોધવાનો લાગે છે. જે ૮-૨૪ || વિવેચન : આ રીતે ગ્રન્થકારે નિશ્ચય-વ્યવહારના કેટલાક વિષયો બાવીશમી-ત્રેવીસમી ગાથામાં દેખાડ્યા કે જેને દેવસેનાચાર્ય દેખાડ્યા નથી. એટલે ગ્રન્થકાર કહે છે કે – આમ નિશ્ચયનય અને વ્યવહારનયના ઘણા અર્થ નિરાકરી = ટાળીને તેનો સંકોચ કરતાં = થોડા જ ભેદ દેખાડતાં “નયચક્ર'ના ગ્રન્થકર્તા જે દેવસેનાચાર્ય, તેહનો આલોચ = અભિપ્રાય એવો લાગે છે કે પોતાના જેવા કેટલાક બાળજીવોને (કે જેઓ સૂક્ષ્મતાથી વિચાર કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. તેઓને) બોધવા = સમજાવવા. પણ નિશ્ચય-વ્યવહારના સર્વ અર્થોનો = વિષયભેદે વિષયીભેદ કહીએ તો નિશ્ચય-વ્યવહારના સર્વ ભેદ-પ્રતિભેદોને સમજાવવાનો આલોચ = અભિપ્રાય જણાતો નથી. એટલે શુદ્ધનાર્થ = નિશ્ચય-વ્યવહારનો સ્પષ્ટ વિભાગ થાય.... બેની ક્યાંય ભેળસેળ ન થઈ જાય... એ રીતે બેનો વિષય તો શ્વેતાંબર સંપ્રદાયના જે શુદ્ધનયગ્રન્યો છે તેના અભ્યાસથી જ જણાય એવો છે.. નયચક્ર કે આલાપ પદ્ધતિ જેવા દિગંબરગ્રન્થોના અભ્યાસથી એ જણાઈ શકે એમ નથી. શંકા : ગ્રન્થકારે જે ત્રણ-ત્રણ ભેદ દેખાડ્યા છે એ પણ ક્યાં સંપૂર્ણ વિષયને આવરી લેનાર છે ? દેવસેનાચાર્યે કહેલા બધા ભેદો ક્યાં આ ત્રણ-ત્રણમાં સમાઈ જાય છે? માટે ગ્રન્થકારે પણ સંકોચ કર્યો જ છે ને? Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઢાળ-૮ : ગાથા-૨૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ આલોચ આપ સરખા કેટલાક બાલ બોધવાનો જ દીસઈ છો, પણિ સર્વાર્થ નિર્ણયનો આલોચ નથી દીસતો. શુદ્ધનયાર્થ તે શ્વેતાંબર સંપ્રદાય શુદ્ધનયગ્રંથનાં અભ્યાસઈ જ જણાઇ, એ ભાવાર્થ. ૮-૨૪ ઈમ બહુવિધ નયભંગ મ્યું રે, એક ત્રિવિધ પયત્ય | પરખો હરખો હિયડલાં રે, સુજસ લહી પરમત્ય રે | પ્રાણી છે ૮-૨પી. ટબો : એ પ્રક્રિયામાંહિ પણિ જે યુક્તિસિદ્ધ અર્થ છઈ, તે અશુદ્ધ ટાલીનાં સમાધાન : ગ્રન્થકારે, “ નિશ્ચયનયના ત્રણ ભેદ છે.” વગેરે પ્રરૂપણા કરી નથી.. ગ્રન્થકારે ટબામાં આવું જ કહ્યું છે કે “એહવા નિશ્ચયનય વ્યવહારનયના ઘણા અર્થ નિરાકરી કહેતાં ટાળી....” એનાથી જણાય છે કે શ્રી દેવસેનાચાર્ય નિશ્ચય-વ્યવહારના જે જે અર્થો ટાળ્યા છે એમાંના કેટલાક અર્થો દર્શાવવાનો જ ગ્રન્થકારનો અભિપ્રાય છે. એટલે બધા અર્થો દર્શાવવાનો અધિકાર જ નથી. ને તેથી “ગ્રન્થકારે ત્રણ જ અર્થો કહ્યા છે' એવું કહી શકાતું નથી. બીજી એ વાત જાણવા જેવી છે કે આ નિશ્ચય-વ્યવહાર અંગેની શ્રી દેવસેનાચાર્યની પ્રરૂપણામાં ગ્રન્થકારે કોઈ દોષ દર્શાવ્યો નથીએટલે જણાય છે કે દેવસેનાચાર્ય દર્શાવેલા બધા પ્રકારો તો ગ્રન્થકારને માન્ય જ છે, પણ ઉક્ત ત્રણ-ત્રણ પ્રકાર અને એના જેવા અન્ય પ્રકારો નયચક્રમાં જે કહ્યા નથી એ ન્યૂનતા જ ક્ષતિરૂપ છે એવું જણાવવાનો ગ્રન્થકારનો અભિપ્રાય છે. ગ્રન્થકારે શ્વેતાંબર સંપ્રદાયના ગ્રન્થોની ભલામણ કરી છે તે ગ્રન્થો તરીકે શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, સમ્મતિતર્કપ્રકરણ, અનુયોગદ્વાર, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા વગેરે ગ્રન્થો તથા ગ્રન્થકારના પોતાના નયોપદેશ, નયરહસ્ય, અનેકાન્તવ્યવસ્થા પ્રકરણ વગેરે ગ્રન્થો જાણવા. |૧૩ર ગાથાર્થ ઃ આમ બહુવિધ નયભંગો થાય છેએના દ્વારા તે તે એક પદાર્થ દ્રવ્ય-ગુણપર્યાય એમ ત્રિવિધ છે એ તમે પરખો... એ પરખવા દ્વારા પરમાર્થ-જ્ઞાન મેળવ્યાનો યશ પામીને હૈયામાં હરખો. . ૮-૨૫ | વિવેચન : હવે આ ઢાળનો ઉપસંહાર કરીને હિતશિક્ષા આપવા પ્રકારે આ છેલ્લી ગાથા રચી છે. એ પ્રક્રિયામાંહિ. શ્રી દેવસેનાચાર્યે દર્શાવેલી આ પ્રક્રિયામાં પણ જે યુક્તિસિદ્ધ= યુક્તિથી સિદ્ધ થનારા અર્થો છે, તેને સંગત કર્યા છે અને જે અશુદ્ધ અર્થો છે એને ટાળ્યા છે. શંકા : ગ્રન્થકારે એ અર્થોને સંગત ક્યાં કર્યા છે ? સમાધાન : તે તે નયમાન્ય અર્થોના દૃષ્ટાન્ત સહેતુક ગાથા અને ટબામાં જે વર્ણવ્યા છે, તેમાંથી દોષપ્રદર્શન દ્વારા જે અર્થો ટાળ્યા છે, તે સિવાયના અર્થોને સહેતુક દર્શાવ્યા એ જ Page #318 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા૨૫ ૨૯૯ ઉપપાદિઉં છો. તે માર્ટિ-એ રીતિ બહુ પ્રકાર નયભંગઈ એક જ અર્થ ત્રિવિધ કહેતાં દ્રવ્ય ગુણ પર્યાયરૂપ પરખો. સ્વસમય પરસમયનો અંતર જાણી હૃદયનઈ વિષઈ હરખો, પરમાર્થ-જ્ઞાન યશ પામીનઈ. | ૮-રપ | એને સંગત કર્યા છે એ રૂપે જાણવું. આ રીતે બહુપ્રકારે નયભંગ દ્વારા પ્રત્યેક પદાર્થને ત્રિવિધ = દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ પરખો. એ પરખવાથી = જુદા જુદા નયની દૃષ્ટિએ પરીક્ષા કરીને નિશ્ચય કરવાથી સ્વસમયનું અને પરસમયનું = શ્રી જૈનશાસનના સિદ્ધાન્તોનું અને તદન્ય ન્યાયદર્શન વગેરેના સિદ્ધાન્તોનું અંતર જાણવા મળે છે. આ અંતરને જાણવાથી હૃદયને વિશે અપૂર્વ હર્ષસાગર હિલોળા લે છે. કારણ કે પદાર્થના સ્વરૂપને જણાવવામાં જૈનદર્શનના ગ્રન્થો સાગર જેવા ભાસે છે તો અન્ય દર્શનના ગ્રન્થો છીછરા પાણીના ખાબોચિયા જેવા પણ ભાસતા નથી.... એ ગ્રન્થોમાં પ્રરૂપાયેલી એકાન્તનિત્યતા વગેરેની માન્યતાઓ યુક્તિ વિરુદ્ધ અને લોકવિરુદ્ધ હોવી સ્પષ્ટ ભાસે છે. જ્યારે જૈનદર્શનના ગ્રન્થોમાં દર્શાવેલી નિત્યાનિત્યતાની-અનેકાંતવાદની માન્યતા યુક્તિસિદ્ધ અને લોકપ્રતીતિસિદ્ધ ભાસે છે. આ અંતર જ્યારે સહૃદયતાથી જણાય છે ત્યારે શ્રી જૈનદર્શન અને તેના ગ્રન્યો. અને પરમાર્થરૂપે સ્યાદ્વાદ-અનેકાન્તવાદ પોતાને જે મળ્યા છે એનું મૂલ્ય પારસમણિથી પણ અધિક અનુભવાય છે... ને તેથી હૈયું અભૂતપૂર્વ હિલોળા લે જ એ સ્પષ્ટ છે. પરમાર્થજ્ઞાન મેળવવાનો યશ સાંપડ્યાની લાગણી પણ અપૂર્વ હર્ષજનિકા હોય જ છે. એટલે ગ્રન્થકાર કહે છે કે આવું જૈનદર્શન પામ્યા છો માટે અને પરમાર્થ-જ્ઞાન પામ્યા છો માટે હૈયામાં ખૂબ હરખાવ. બીજીથી લઈને આઠમી સુધીની દરેક ઢાળની છેલ્લી ગાથામાં ક્રમશઃ સુજસકારિણી, સુજસવિલાસ, જસકિરતિ, જસ, જસ વિસ્તાર, જસ લો, અને સુજસ લહી... આવા શબ્દો દ્વારા ગ્રન્થકારે, ગ્રન્થકર્તા તરીકે પોતાનું નામ સૂચવ્યું છે. અને સુજસકારિણી છે વગેરે ભાવ વ્યક્ત કરવા દ્વારા તે-તે ઢાળનું અંતિમ મંગલ કર્યું છે. તથા આ ઢાળની આ છેલ્લી ગાયામાં પરમાર્થ-સુજસ પામીને હૈયે હરખાવ. આવું કહેવા દ્વારા આખા ગ્રન્થનું મધ્યમંગળ કર્યું છે એમ સમજવું.. પ્રથમ આઠ ઢાળના આ વિવેચનમાં પરમ પવિત્ર ત્રિકાળ અબાધિત શ્રી જિનાજ્ઞાથી વિરુદ્ધ જો કાંઈ પણ આવ્યું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડ... ને બહુશ્રુતગીતાર્થ મહાત્માઓને પરિમાર્જન કરવા વિનંતી કરું છું અને આગળની ઢાળોનું વિવેચન બીજા ભાગમાં કરવાની ભાવના સાથે વિરમું છું. પાંચમા આરામાં ચોથા આરાના સંયમની ઝાંખી કરાવનારા સુવિશુદ્ધ બ્રહ્મચારી સિદ્ધાન્ત મહોદધિ વિ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના જેઓ આજીવન અંતેવાસી હતા.... પોતાના સંખ્યાબંધ વ્યાખ્યાન વાચસ્પતિ શિષ્ય-પ્રશિષ્યોમાંથી જેમને એકને જ હમેશા (= ૩૫૩૫ વર્ષ સુધી) પોતાની સાથે રાખવા દ્વારા પોતાના દિલમાં આ શિષ્યનું કેવું અનુપમ સ્થાન Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઢાળ-૮ : ગાથા-૨૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છે એનું (અર્થાત્ આ શિષ્ય સુસંયમી છે, શાસ્ત્રાનુસારી વૈરાગ્યમય ઉપદેશક છે, ઉચ્ચ પ્રકારની શાસનદૃષ્ટિ કેળવીને શ્રી સંઘને જોડનારો છે, અત્યંત ગુરુસમર્પિત છે... આવા બધા ઉમદા સ્થાનનું) શ્રી પ્રેમસૂરીશ્વરજી દાદાએ સૂચન કર્યું છે એવા સકળ સંઘહિતૈષી, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટપ્રભાવક સહજાનંદી કર્મસાહિત્યછેદસૂત્ર નિષ્ણાત સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય શ્રી સૂરિમંત્રની પાંચ પીઠિકાની પાંચથી અધિકવાર આરાધના કરનાર દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક સ્વ. પૂ. આ. શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય આ. વિ. અભયશેખરસૂરિએ દેવ-ગુરુની અનરાધાર કૃપાથી અને મા સરસ્વતીના અનુગ્રહથી ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થની પ્રથમ આઠ ઢાળનું કરેલું આ વિવેચન, કરમાલાનગરે બારમા તીર્થાધિપતિ સર્વજ્ઞ ભગવંત શ્રી વાસુપૂજ્યસ્વામીની અમીદૃષ્ટિથી ચૈત્ર સુદ એકમ વિ. સં. ૨૦૬૧, તા. ૯-૪-૨૦૦૫ શનિવા૨ે શરૂ થયું અને સ્વનિશ્રામાં ઐતિહાસિક, શાસન-પ્રભાવક, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવપૂર્વક જે વિશ્વવત્સલ કરુણાસાગર દેવાધિદેવ શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિષ્ઠા થયેલી તેમની શીતળ છાયામાં ઈશ્વરપુરનગરે (ઈસ્લામપુરે) જેઠ સુદ બીજ તા. ૯-૬-૨૦૦૫ ગુરુવારે સોલ્લાસ સંપન્ન થયું... શુભં ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય... ગ્રન્થકારે નયરહસ્યપ્રકરણના અંતે કહેલો શ્લોક થોડા ફેરફાર સાથેकृत्वा विवरणमेतत् प्रवचनभक्त्या यदर्जितं सुकृतम् । रागद्वेषविरहतस्ततोऽस्तु कल्याणसम्प्राप्तिः ।। Page #320 -------------------------------------------------------------------------- ________________ ' પૂ.આ.શ્રી અભયશેખરસૂરિ મ.સા.નું સંપાદિત અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય (15) તત્ત્વાવલોકન સમીક્ષા અધ્યાત્મમતપરીક્ષા ધર્મ પરીક્ષા (16) તત્ત્વ નિર્ણય સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક (10) દેવદ્રવ્ય જિનપૂજા ચતુર્ભગી કૂપદેટાન્તવિશદીકરણ (18) નવાંગી ગુરુપૂજન પ્રકરણ (19) નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી સમ્યકત્વ ષસ્થાનની ચઉપઈ (20) શ્રી યોગતિલકવિજયજીની તસ્વભ્રાંતિનું '(5) દ્વાન્નિશ દ્વાત્રિૌશિકા (ભાગ-૧) | નિરાકરણ (6) કર્મપ્રકૃતિ પદાર્થો (ભાગ-૧) (21) મુ.શ્રી હિતવર્ધનવિજયજીના વિચારણીય કથનો '(6) કર્મપ્રકૃતિ પદાર્થો (ભાગ-૨) (22) શતક નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો-ટીપ્પણો '(8) કર્મપ્રકૃતિ પદાર્થો (ભાગ-૩) પ્રશ્નોત્તરી (23) દશવિધ સામાચારી (ભાગ-૧) (9) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી (ભાગ-૧) (24) દશવિધ સામાચારી (ભાગ-૨) (10) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી (ભાગ-૨) (25) દશવિધ સામાચારી (ભાગ-૩) (11) સત્પદાદિ પ્રરૂપણા [(26) તિથિ અંગે સત્ય અને સમાધાન (ભાગ-૧) (12) હારિભદ્રયોગ ભારતી (ર૦) તિથિ અંગે સત્ય અને સમાધાન (ભાગ-૨) (13) યોગવિંશિકા | (28) સપ્તભંગી વિંશિકા (પ્રેસમાં) (14) સિદ્ધિનાં સોપાના પૂ.આ.શ્રી અભયશેખરસૂરિ મ.સા. લિખિતા ઉપદેશાત્મક સાહિત્ય (1) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં... (2) હૈયું મારું નૃત્ય કરે (3) હું કરું હું કરું એ જ અજ્ઞાનતા કર પડિક્કમણું ભાવશું અવિખ્ખા અણાશંદે હું છું સેવક તારો રે '(6) હા ! પસ્તાવો વિપુલ ઝરણું... (8) મિચ્છામિદુક્કડમ્ '(9) ટાળિયે દોષ સંતાપ રે... a sensor fooralua ongegensens pain aluation interme