________________
૩૨
ઢાળ-૧ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઉપરિત્યા ચ્યાર નય અતિગંભીર ઘણાનાં ન પરિણમઇ, ઇમ જાણીનો સિદ્ધાન્તઇ પહિલા દેખાડિયા નથી. અનઈ ગંભીર ગુરુઅધીનતાઈ જ લેવા-દેવા કહિયા છd. | ૧-૯ |
હું પણ ભાષાનો ને જૈનશાસનની પરિભાષાનો જાણકાર છું. શાસ્ત્રવચનો પરથી પંક્તિઓ બેસાડીને અર્થ કરી શકું છું. પછી મારે ગુરુભગવંત પાસે જ ભણવું એવી શી જરૂર છે ? હું તો મારી મેળે ભણી ગણીને તૈયાર થઈ શકું એવો છું.. આવો બધો ગર્વ કરશો નહીં.. નિર્ધન માણસ થોડું ધન પામી જવા પર અભિમાની બની જાય અને જગતને તણખલાં જેવું “કુછ નહી” માને એના જેવું આ છે. શાસ્ત્રવચનો પરથી થોડો બોધ - યથાશ્રુત અર્થ કરીને મેળવી લીધો ને એવું ઘમંડ આવે કે બીજાઓ તો કાંઈ નથી.. હું જ અર્થબોધ કરી શકું છું.. વગેરે.
આત્માર્થીએ આવો ગર્વ કરવો ન જોઈએ, કારણકે એમ કરવામાં પરમાર્થથી વંચિત રહેવાય છે. ક્યારેક ઉંધો જ અર્થ પકડાઈ જાય છે. વળી, જ્ઞાન પણ પરિણત થાય તો જ ઉપયોગી. વિનય-ભક્તિપૂર્વક લીધેલું જ્ઞાન પરિણત થવાની શક્યતા વધુ હોય છે, અભિમાનીનું જ્ઞાન તો કોરૂં ધાક રહી જવાની જ સંભાવના વિશેષ હોય છે. વળી ગુરુભગવંત પણ શબ્દો દ્વારા આપી આપીને કેટલું આપી શકે ? જો શિષ્ય સમર્પિત હોય - માર્ગસ્થ હોય - વિનીત હોય તો વિનય-સમર્પણના પ્રભાવે ગુરુભગવંત આપે એના કરતાં બોધ અનેક ગણો થાય (વૈનયિકી બુદ્ધિ). માટે પણ ગુરુગમથી જ પરમાર્થ મેળવવા એ હિતકર છે.
આ જ કારણ છે કે ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત આ ઉપરના ચાર નો વિશેષ યોગ્યતાવાળા શિષ્યોએ સદ્ગુરુ પાસેથી સમજવા એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આશય એ છે કે પ્રથમના ત્રણ નયો સમજવામાં સરળ છે. વળી એ નયોને અનુસરીને જ્યારે સમજાવવામાં આવતું હોય ત્યારે વિપરીત અર્થબોધ થવાની શક્યતા ખાસ હોતી નથી. માટે એ ત્રણ નયોને, એવી વિશેષ ભૂમિકા ન હોય એવા પણ શિષ્યોને આપી શકાય છે. પણ પાછળના ચાર નવો અર્થગંભીર છે, જલ્દી સમજાય એવા નથી, ને ક્યારેક વિપરીત અર્થ પકડાઈ જાય એવી પણ એમાં શક્યતા રહેલી હોય છે. (નિશ્ચયનયની વાતો સાંભળીને ક્રિયાને બિલકુલ નકામી માનનારો વર્ગ પણ જોવા મળે છે ને ! આ વગરભૂમિકાએ અને અયોગ્ય વક્તા પાસે ઉપરના નયોની વાતો સાંભળવાનું કટુ પરિણામ છે.) માટે, વિશેષ ભૂમિકાવાળા શિષ્યોને જ ગીતાર્થ સદ્ગુરુ પાસેથી જ ઉપરના ચાર નયોની વાતો સાંભળવા-ભણવાનો અધિકાર જ્ઞાનીઓએ આપ્યો છે. આ વિશેષભૂમિકા પ્રારંભે હોતી નથી. માટે પ્રારંભે આ ચાર નવો આપવાનો નિષેધ છે. ઘણાને સમજાય નહીં - ઘણાને યોગ્ય રીતે પરિણમે નહીં. (અપરિણામ કે અતિપરિણામ થાય). પણ પ્રથમ, પ્રથમના ત્રણ નયો આપે... સમજાવે.. એ પરિણમવા સરળ હોવાથી પરિણમે.. એ પરિણમવાના કારણે તથા ગુરુચરણને આધીન રહેવાના પ્રભાવે (=સ્વમતિકલ્પનાનો સદંતર ત્યાગ કરીને ગુરુભગવંત કહે તે તહત્તિ.. આવી તથાકાર સામાચારીને કેળવવાના પ્રભાવે) શિષ્યની ભૂમિકા વિકસે છે. એ પછી પાછળના ચાર નય આપવાથી એ પણ પરિણમે છે. / ૯ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org