SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ ઢાળ-૨ : ગાથા-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો- એપ્તિ પરિ દ્રવ્ય એક, ગુણ-પર્યાય અનેક, એ રૂપઈ પરસ્પર ક. માંહોમાંહિં ભેદ ભાવો વિચારો, ઈમ જ આધાર આધેય પ્રમુખ ભાવ ક.-સ્વભાવ, તેણઈ કરી મનમાંહિ લ્યાવો, જે માર્ટિ પરસ્પરઅવૃત્તિ ધર્મ પરસ્પરમાંહિ ભેદ જણાવઈ| ૨-૧૪ છે. દ્રવ્ય આધાર ઘટાદિક દસઇ, ગુણ પર્યાય આધેયો રે ! રૂપાદિક એકેન્દ્રિયગોચર, દોહિં ઘટાદિક તેઓ રે ! જિન | ર-૧૫ | ટબો- તેહિ જ વિવરી દેખાડઈ છ0- દ્રવ્ય ઘટાદિક આધાર દીસઇ છઇ, જે માટઈ એ ઘટઈ રૂપાદિક ઇમ જાણીતું છ0. ગુણ - પર્યાય રૂપ-રસાદિક, નીલ - પીતાદિક આધેય = દ્રવ્ય ઉપરિ રહિયાં. ઈમ આધારાધેયભાવઈ દ્રવ્યથી ગુણપર્યાયનો ભેદ છઇ, તથા રૂપાદિક અનેક પર્યાય છે. એકનો અભેદ હોય તો એકની સાથે જ હોય શકે, અનેકની સાથે નહીં... એ સ્પષ્ટ છે... માટે એક એવા દ્રવ્યથી અનેક એવા ગુણ-પર્યાય ભિન્ન છે એ સાબિત થાય છે. એમ દ્રવ્ય આધાર છે. ગુણ-પર્યાય આધેય છે...તેથી જેમ આધારભૂત ભૂતલ અને આધય ઘટનો ભેદ છે તેમ આધારભૂત દ્રવ્ય અને આયભૂત ગુણ-પર્યાયનો ભેદ છે... આદિ શબ્દથી એકેન્દ્રિયગોચરતા. અનેકેન્દ્રિયગોચરતા વગેરે રૂપે પણ ભેદ જાણવો. કારણ કે પરસ્પર અવૃત્તિ ધર્મ પરસ્પરનો ભેદ જણાવે છે... અર્થાત્ મ માં જે ધર્મ છે તે છે માં નથી.... અને હું માં જે ધર્મ છે તે ન માં નથી... તો સ્પષ્ટ છે કે , અને વે એક ન હોય શકે. જુદા જ હોય. દ્રવ્યમાં જે આધારતા ધર્મ છે તે ગુણ-પર્યાયમાં નથીગુણ-પર્યાયમાં જે આધયતા ધર્મ છે તે દ્રવ્યમાં નથી... માટે આ પરસ્પરઅવૃત્તિ આધારતા વગેરે ધર્મ દ્રવ્યનો ગુણ-પર્યાય સાથેનો ભેદ જણાવે છે. || ૨૩ || ગાથાર્થ – ઘટ વગેરે દ્રવ્ય આધારરૂપે દીસે છે.. રૂપ વગેરે ગુણો અને નવાજુનાપણું વગેરે પર્યાય આધેયરૂપે ભાસે છે. રૂપાદિક ગુણ એકેન્દ્રિય ગોચર છે, ઘટાદિ દ્રવ્ય બેઇન્દ્રિયથી જણાય છે. માટે દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. | ૨-૧૫ | વિવેચન - પૂર્વ ગાથામાં જે આધાર-આધેયાદિક ભાવે ભેદને મનમાં વિચારવાનું કહેલું તેહિ જ વિવરી... તેનું જ વિવરણ કરીને દેખાડે છે - ઘટ વગેરે દ્રવ્ય આધારરૂપે દીસે છે, કારણ કે “આ ઘડામાં રૂપ વગેરે છે” એમ આપણને જણાય છે. રૂપ-રસાદિક તથા નીલ-પીતાદિક ગુણપર્યાય આધેય દ્રવ્યમાં રહ્યા હોવા જણાય છે. આમ આધાર-આયભાવે દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ છે તથા રૂપ વગેરે ગુણ-પર્યાય એક ઇન્દ્રિયના વિષય બને છે... (જેમ કે રૂપ આંખનો વિષય છે, કાન વગેરેનો નહીં.. એમ બધા વિષય જાણવા.) જ્યારે ઘટાદિ દ્રવ્ય બે ઇન્દ્રિયનો ચક્ષુ અને સ્પર્શનો..) વિષય છે.. અંધારામાં હાથથી સ્પર્શ કરીને પણ ઘડાનું અસ્તિત્વ જાણી શકાય છે.... આ વાત નૈયાયિકના મતને અનુસરીને કહી છે, એ જાણવું.. સ્વમતે = જૈન મતે તો ગંધ વગેરે પર્યાય દ્વારા ધ્રાણેન્દ્રિય વગેરેથી પણ દ્રવ્ય પ્રત્યક્ષ થઈ શકે છે, નહીંતર “ફૂલ સુવું છું એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy