________________
૨૪૬
ઢાળ-૭ : ગાથા-૧-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કારકી, તેહનો જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિઈ, તે સર્વ એ ઉપનયનો અર્થ જાણવો. “ઘટી રૂમ, ઘટસ્થ રતા, ઘટી 4માવ:, મૃતા પટો નિષ્પતિઃ” ઇત્યાદિ પ્રયોગ જાણવા. || ૭-૪ ||
અહીં જે શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ કહ્યા છે એમાંથી આત્મદ્રવ્ય (ધર્મા) અંગે તો બન્ને ભેદ ઘટી શકે છે... પણ અન્ય પુદ્ગલાદિદ્રવ્ય અંગે માત્ર શુદ્ધ ભેદ જ ઘટી શકે, અશુદ્ધભેદ સંભવી શકે નહીં. એમ લાગે છે કારણ કે પુદ્ગલાદિના કોઈ ગુણ અશુદ્ધ થતા હોય એમ જણાતું નથી...
શંકા : જે સહજ હોય તે શુદ્ધ... અને સોપાધિક હોય તે અશુદ્ધ.. આ રીતે ભેદ પડી શકે ને....
પ્રતિશંકા : પુદ્ગલાદિ માટે સોપાધિક ગુણ કોને કહેવાના ? શંકા : કેમ, સોનાની કાળાશ’ આમાં કાળાશને સોપાધિક કહી શકાય ને...
સમાધાન : સોનામાં જે માટી વગેરે અશુદ્ધિ ભળેલી હોય છે, એની એ કાળાશ હોય છે. સોનાની પોતાની નથી હોતી. સોનું પણ પુદ્ગલ છે. ને માટી પણ પુદ્ગલ છે... એટલે પુદ્ગલરૂપે જ ગણવાનું હોય તો અન્ય દ્રવ્ય છે નહીં, માટે સોપાધિક નથી. અને સોનારૂપે સોનાને ગણીને માટીને અન્ય દ્રવ્ય કહીએ... તો અન્ય દ્રવ્યના ગુણરૂપ કાળાશનો સોનામાં ઉપચાર હોવાથી આ સદ્ભૂતવ્યવહાર જ નહીં રહે.
શંકા : જે સહજ હોય તે શુદ્ધ અને બદલાયા કરે તે અશુદ્ધ... આમ લઈએ તો ?
સમાધાન : તો પુદ્ગલદ્રવ્યમાં, ઘટસ્થ રૂપ, ઘટી રસ:.. આ બધાને જ શુદ્ધ કહી શકાશે.પણ ઘટશ્ય રતી વગેરેને નહીં કારણ કે પુ લમાં રૂપાદિ બદલાયા જ કરતા હોય છે...
શંકા : પુદ્ગલ જીવગૃહીત થાય ને એના કારણે એમાં જે રૂપાદિ પેદા થાય છે એને અશુદ્ધ કહીએ તો ?
સમાધાન : તો પુગલ અંગે શુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનયનો લગભગ અભાવ થઈ જશે. કારણ કે જગત્માં જે રૂપ-રસાદિનો વ્યવહાર થાય છે એ બધા જીવગૃહીત પુદ્ગલના જ હોય છે... જે પુદ્ગલ જીવગૃહીત નથી બન્યું, અર્થાત્ વર્ગણારૂપે જ રહેલ છે એની કાળાશ-રક્તતા વગેરેનો આ જગત્માં ક્યાંય વ્યવહાર જોવા મળે છે ? (શાસ્ત્રોમાં થોડો ઘણો, પરમાણુનો એક ગુણ શ્યામવર્ણ, દ્વિગુણ શ્યામવર્ણ.. વગેરે રૂપે વ્યવહાર મળે છે.)
અને ધર્માસ્તિકાય વગેરેમાં તો આવી પણ કોઈ સંભાવના નથી... એટલે શુદ્ધ-અશુદ્ધ. એવા બે ભેદ આત્મદ્રવ્ય અંગે... અને બાકીના દ્રવ્ય અંગે તો માત્ર શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય. આમ માનવું યોગ્ય લાગે છે... | ૯૦, ૯૧, ૯૨, ૯૩ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org