SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ઢાળ-૮ : ગાથા-૧૪ ઇમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ । પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે || પ્રાણી૦ | ૮-૧૪॥ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો : ઇમ, અંતર્ભાવિત કહતાં-૭ માંહિ મેલ્યા, જે દ્રવ્યાર્થિક પર્યાયર્થિક, તેહનો અલગો ઉપદેશ કિમ કરીઓ ? જો ઇમ કહસ્યો - “મતાંતરઇ-૫ નય કહિઇ છઇ, તેહમાં ૨ નય ભલ્યા, તેહનો ૭ નય કરતાં જિમ અલગો ઉપદેશ છઇ, તિમ અહ્મારઇ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનો અળગો ઉપદેશ હુસ્યઇ” તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનઇ જિમ વિષયભેદ આત્મા' આવો અર્થ કરીને આત્મદ્રવ્યને જ દ્રવ્યાવશ્યકરૂપ માને છે માટે એમના મતે ૠજુસૂત્ર દ્રવ્યાર્થિક બની જશે. જ્યારે તર્કવાદી એ શબ્દના અર્થ તરીકે ‘અનુપયુક્ત અવસ્થા' પકડતો હોવાથી દ્રવ્યાવશ્યકને પર્યાયરૂપ માને છે. માટે એમના મતે ૠજુસૂત્રનય પર્યાયાર્થિક બની જશે. આ રીતે તાર્કિક મતે પણ આ સૂત્રની સંગતિ કરવી... પણ સૂત્ર વિરોધ ન સમજવો... એમ અમે (ગ્રન્થકારે) વિચારી કાઢેલો સમાધાન માર્ગ છે. આમ, એક મતે ૪માં દ્રવ્યાર્થિકનો ને ૩ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે, બીજા મતે ૩ માં દ્રવ્યાર્થિકનો ને ૪ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે. પણ કુલ ૭ નયમાં બન્નેનો સમાવેશ થઈ જ જાય છે, તે બેને અલગા કરીને ૯ નય કહેવા એ યોગ્ય નથી. ॥ ૧૨૦-૧૨૧|| ગાથાર્થ આમ અંતર્ભાવ પામી જતા નયોનો અલગ ઉપદેશ (= કથન) કેમ કરાય ? પાંચ નયમાંથી ૭ નય કરવામાં જેમ વિષયભેદ છે એવો અહીં તો છે નહીં... || ૮-૧૪|| વિવેચન : ઇમ અંતર્ભાવિત... આમ, નૈગમ વગેરે ૭ નયમાં જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય ભળી જાય છે એને અલગ પાડીને શી રીતે કહેવાય ? દિગંબર : જેમ ‘મતાંતરે પાંચ નય કહેવાય છે. અર્થાત્ નય પાંચ નયમાં ભળી જ ગયેલા છે ને છતાં એ બે નયને અલગ પાડીને મતાંતરે ૫ + ૨ જ છે ને. તો એવી રીતે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકને પણ અલગ પાડીને ૭ માટે ન કહેવાય ? ૭ નય પણ કહેવાય + ૨ = ૯ નય શા ગ્રન્થકાર : શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતને જેમ વિષયભેદ છે તેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો... મતાંતરે પાંચ નય જે કહ્યા છે તે તો ત્રણ નયોનો એક સંજ્ઞાથી = નામથી સંગ્રહ કરીને પાંચ નય કહ્યા છે... પણ વિષય તો ત્રણેનો ભિન્ન જ છે. અહીં વિષય ભિન્ન નથી. આશય એ છે કે પ્રથમ ચાર નય તો બન્ને મતે (૭ નયમતે અને ૫ નયમતે) સમાન જ છે. છેલ્લા ત્રણ નય માટે મતાંતર છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે નયનો વિષય અલગ-અલગ જ છે... અને તેથી એ ત્રણે સ્વતંત્ર હોવાથી એના ત્રણ અલગ-અલગ નય કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy