SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૬ ટબો - જો નયજ્ઞાનમાં હિં, ભિન્ન વિષય કહતાં-નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહેતાઅમુખ્યપણાં પણિ, ન ભાઈ, તો સ્વતંત્ર ભાવાં-સર્વથા નયાંતરવિમુખપણાં, મિથ્યાદૃષ્ટિ પાસઈ રહઇ, એટલાં-દુર્નય થાઈ. પણિ સુનય ન થાઈ, ઈમ જાણવું. તે પ-૫ એહ વિશેષાવશ્યકઈ, સમ્મતિમાં પણિ ધારો રે | ઈમ નથી સવિ સંભવઇ, ભેદ-અભેદ-ઉપચારો રે | જ્ઞાન પ-૬/l ટબો એહ અર્થ વિશેષાવશ્યકઈ, તથા સમ્મતિમાંહિં છઇ, ઇમ ધારો. ગાથા - दोहिं वि णयेहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण. अण्णण्णनिरवेक्खा ।। २१९५ ।। વિમુખપણે રહેનારું બની જાય છે. ને તેથી એવું જ્ઞાન એકાંતવાદી બનવાથી... સર્વશિષ્ટજનના અભ્રાન્ત અનુભવનો અપલાપ કરનારું હોવાથી સમ્યગદષ્ટિ પાસે નહીં, પણ મિથ્યાદષ્ટિ પાસે રહે છે. એટલે એ દુર્નયરૂપ બની જાય છે... સુનયરૂપે રહેતું નથી, એ જાણવું...// ૫૯ / ગાથાર્થ - આ વાત શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં તેમજ શ્રી સમ્મતિ પ્રકરણમાં કહેલી છે તે ધારો. આમ નયથી ભેદ-અભેદ-મુખ્યવૃત્તિ-ઉપચાર.. બધું સંભવે છે. જે પ-૬ / વિવેચન - એહ અર્થ. આ અર્થ શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં તથા શ્રી સમ્મતિતપ્રકરણમાં કહેલ છે તે જાણો. શ્રી વિશેષાવશ્યકભાષ્યની ૨૧૯૫મી ગાથામાં તથા શ્રી સમ્મતિ.ની ત્રીજા કાંડની ૪૯મી ગાથામાં જણાવ્યું છે કે જો કે ન્યાય-વૈશેષિક દર્શનકારોએ નિયત્વ-અનિત્યત્વ... સામાન્ય-વિશેષ... વગેરે માનીને પોતાનું શાસ્ત્ર બન્ને નયોની વિચારધારાને અનુસરીને રચ્યું છે... તો પણ એ મિથ્યા છે. કારણ કે એમણે માનેલ નિત્યત્વ-અનિત્યત્વ પોત-પોતાના વિષયની પ્રધાનતાવાળા છે અને અન્યોન્ય નિરપેક્ષ છે. આશય એ છે કે આ દર્શનકારો આકાશ-પરમાણુ વગેરેમાં નિત્યત્વ માને છે... પણ ત્યાં અનિત્યત્વ બિલકુલ માનતા નથી... અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વથી સર્વથા નિરપેક્ષ છે... એમ ઘટ-પટ વગેરેમાં અનિત્યત્વ માન્યું છે. પણ ત્યાં નિત્યત્વ કોઈ જ રીતે માનવા તૈયાર નથી... આમ અનિત્યત્વ પણ, નિત્યત્વથી બિલકુલ નિરપેક્ષ છેપણ વાસ્તવિકતા તો આવી નથી. દીવાથી લઈને આકાશ સુધીના બધા પદાર્થોમાં નિત્યત્વ અને અનિત્યત્વ પરસ્પર સંકળાઈને જ રહેલા છે. માટે એ દર્શનોમાં સમ્યકત્વ નથી, મિથ્યાત્વ છે. આ જ રીતે સામાન્ય-વિશેષને પણ સર્વથા નિરપેક્ષ માનનાર હોવાથી એ મિથ્યા છે. અને એ મિથ્યા છે માટે જ એના દૃષ્ટિકોણો દુર્નયરૂપ છે, પણ સુનય નથી... શંકા - આ દુર્નય-સુનય કોને કહેવાય ? સમાધાન - એકાંશગ્રાહી બોધ એ નય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy